સ્વ. બાલ ઠાકરેનું જિંદાદીલ અને જીવંત વ્યકિતત્વ અને પોતાના વિચારો માટેની અડગતા વિરલ હતા

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શિવસેનાના સ્થાપક પ્રમુખશ્રી બાલાસાહેબ ઠાકરેની ચિરવિદાય અંગે ઉંડા દુઃખ અને આઘાતની લાગણી વ્યકત કરી સદ્દગતને ભાવભરી શ્રધ્ધાંજલિ આપી છે. સ્વ. બાલ ઠાકરેના શોકસંતપ્ત પરિવારજનોને પાઠવેલા શ્રધ્ધાંજલિ સંદેશમાં મુખ્યમંત્રીશ્રીએ બાલાસાહેબ ઠાકરેને જિંદાદીલ અને જીવંત વ્યકિતત્વના અગ્રણી ગણાવ્યા હતા તેઓ પોતાના વિચારો માટે હંમેશા અડગ અને ઝુઝારૂ રહયા હતા. સમગ્ર દેશમાં શિવસેનાને એક રાજકીય પાર્ટી તરીકે પ્રસ્થાપિત કરનારા, માર્મિક કાર્ટુનિસ્ટમાંથી જાહેરજીવનમાં પોતાનું સુનિશ્ચિત સ્થાન પ્રસ્થાપિત કરનારા સ્વ. બાલ ઠાકરે કે તેમના પરિવારના કોઇપણ સભ્ય કયારેય કોઇ ચૂંટણી લડયા નહોતા કે કોઇ રાજકીય જીવનમાં પદ કે હોદો ધારણ કર્યો નહી અને શિવસેનાને સંગઠ્ઠિત કરવામાં જ ઓતપ્રોત રહયા એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે અને ઉમેર્યું છે કે અંગત રીતે તેમણે એક વડીલ ગૂમાવ્યા છે જેની ખોટ પૂરાશે નહીં.

( Photo Courtesy- DNA )

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Microsoft opens its largest India data centre hub as AI race heats up

Media Coverage

Microsoft opens its largest India data centre hub as AI race heats up
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ નિઃસ્વાર્થ સેવાની ભાવના પર ભાર મૂકતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
August 07, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું જે નિઃસ્વાર્થ સેવાના ગુણો અને બદલામાં કંઈપણ અપેક્ષા રાખ્યા વિના અન્ય લોકોના કલ્યાણ માટે કામ કરવાના ઉમદા આદર્શને ઉજાગર કરે છે:

"किं चन्द्रमाः प्रत्युपकारलिप्सया करोति गोभिः कुमुदावबोधनम्।
स्वभाव एवोन्नतचेतसां सतां परोपकारव्यसनं हि जीवितम्॥"

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

किं चन्द्रमाः प्रत्युपकारलिप्सया करोति गोभिः कुमुदावबोधनम्।
स्वभाव एवोन्नतचेतसां सतां परोपकारव्यसनं हि जीवितम्॥