નોનબ્રાન્ડેડ સોના-ઝવેરાતના દાગીના ઉપરની બજેટની ડયુટી દરખાસ્તો પાછી ખેંચો

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નોનબ્રાન્ડેડ ઝવેરાત સોનાના દાગીનાની બનાવટો ઉપર કેન્દ્ર સરકારે બજેટમાં દાખલ કરેલી એક ટકાની એકસાઇઝ ડયુટી અને રૂા. બે લાખથી વધારે સોના-ઝવેરાતના દાગીનાની ખરીદી ઉપર ટીડીએસ (ટેક્ષડિકશન એટ સોર્સ)ની કરેલી જોગવાઇઓ તત્કાળ પાછી ખેંચવા ભારત સરકારની સમક્ષ માંગણી કરી છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી સોના-ઝવેરાતના સોની મહાજનોના ઉગ્ર આક્રોશ અને રાજ્ય સરકાર સમક્ષ થયેલી રજૂઆતોનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત સરકાર સમક્ષ એવી માંગણી કરી છે કે, છેલ્લા ૧૦ દિવસથી સોના-ઝવેરાતની હડતાલોના કારણે એકલા ગુજરાતમાં રૂા. ૧૬,૦૦૦ કરોડના વેપારનું નુકશાન થયાનો અંદાજ છે. દેશમાં સોના-ઝવેરાતના દાગીના બનાવવામાં ૪ લાખ કુશળ કારીગરો આ કમનસીબ સ્થિતિમાં બેરોજગારીનો ભોગ બન્યા છે.

મુખ્ય મંત્રીશ્રીએ એ હકીકત ઉપર ભાર મુકયો છે કે, નોનબ્રાન્ડેડ સોના-ઝવેરાતના દાગીના બનાવતા સોનીઓ અને વેપારીઓ ગ્રાહકોની માંગ અનુસાર ખૂબ જોબ-વર્ક કરે છે આથી જોબવર્ક અને મેન્યુફેકચરીંગ વચ્ચે ભેદ પાડવો અને તેના ઉપર એક ટકાની એકસાઇઝ ડયુટી લેવામાં ફરીથી દેશમાં "ઇન્સ્પેકટર રાજ'નું દૂષણ પ્રવેશશે. આ મેન્યુફેકચરીંગના વ્યવસાયમાં ૯૦ ટકા લધુ ક્ષેત્રમાં છે અને સૌથી વધુ રોજગારલક્ષી ક્ષેત્ર છે.

મુખ્ય મંત્રીશ્રીએ બે લાખ રૂપિયાના સોના-ઝવેરાતના દાગીનાની ખરીદી ઉપર "પાન' નંબર સાથે ટીડીએસની જોગવાઇને દૂર કરવા અંગે પણ ભારત સરકારને રજૂઆત કરી છે. ટીડીએસની જોગવાઇ આધારિત આયાતી સોના ઉપર કસ્ટમ ડયુટી પણ દાણચોરીના દૂષણને સર્જશે એવો ભય અસ્થાને નથી, તેમ તેમણે જણાવ્યું છે.

આ સંજોગોને ધ્યાનમાં લઇ નોનબ્રાન્ડેડ સોના-ઝવેરાતના દાગીના અંગે સોનીઓ અને સમગ્રતયા સોના-દાગીનાની વેપારના વ્યાપક હિતમાં બજેટની આ જોગવાઇઓ પાછી ખેંચવાની સ્પષ્ટ માંગ મુખ્ય મંત્રીશ્રીએ કરી છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Govt approves ₹23,437 crore railway expansion across 6 states

Media Coverage

Govt approves ₹23,437 crore railway expansion across 6 states
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the spirit of selfless service and compassion
May 06, 2026

The Prime Minister, Shri Narendra Modi, said that work done with a selfless spirit is the truest form of humanity. He noted that such actions not only bring inner happiness but also contribute to the welfare of society.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“अद्रोहः सर्वभूतेषु कर्मणा मनसा गिरा।
अनुग्रहश्च दानं च शीलमेतत्प्रशस्यते॥”

The Subhashitam conveys that to hold no hatred towards any living being-in thought, word, or deed, to act with compassion towards all, and to give generously-this is regarded as the highest form of conduct.

The Prime Minister wrote on X;

“निस्वार्थ भाव से किया गया कर्म ही सच्ची मानवता है। इससे आत्मिक खुशी तो मिलती ही है, समाज का भी कल्याण होता है।

अद्रोहः सर्वभूतेषु कर्मणा मनसा गिरा।

अनुग्रहश्च दानं च शीलमेतत्प्रशस्यते॥”