મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે આનુવંશિક રોગ હિમોફિલીયાગ્રસ્ત ર૦૦ જેટલા બાળકોએ તેમના માતાપિતા સાથે મૂલાકાત લીધી હતી તથા નિરામયતંદુરસ્ત જીવનના આશીર્વાદશુભેચ્છા મેળવ્યા હતા. રાજ્ય સરકારે હિમોફિલીયાના આ રોગ સામે જનજાગૃતિ તથા સારવાર સુશ્રુષા માટે લીધેલી આરોગ્યલક્ષી કાળજી અને પગલાંઓ અંગે આ બાળકોના વાલીઓએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કર્યો હતો.
ગુજરાત હિમોફિલીયા શિક્ષણ અને માહિતી સેવા ટ્રસ્ટના ઉપક્રમે ધંધુકાના ધારાસભ્યશ્રી લાલજીભાઇ મેર અને યુવા અગ્રણી શ્રી પ્રવિણસિંહના નેતૃત્વમાં આ બાળકો તથા તેમના પરિવારજનો આજે વિધાનસભાની કાર્યવાહી નિહાળવા આવ્યા હતા તથા મુખ્યમંત્રીશ્રીની મૂલાકાત લઇ તેમની શુભેચ્છાઓ પ્રાપ્ત કરી હતી.


