મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર હિન્દુસ્તાનમાં સૂરત શહેરી વિકાસનું સર્વાંગી મોડેલ બને તેવું આહવાન આજે સુરતમાં ગુજરાતના પ્રથમ એવા ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરનું લોકાર્પણ કરતાં આપ્યું હતું.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિત અંતર્ગત, ગુજરાતના સૌથી વિશાળ એવા ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરનું નિર્માણ, સુરતમાં સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે હાથ ધર્યું છે. એકંદરે રૂા. ૪૫ કરોડના ખર્ચે નિર્માણાધિન આ મહત્વાકાંક્ષી પ્રોજેકટ અન્વયે પ્રથમ તબક્કામાં પ્રદર્શન કેન્દ્રનું લોકાર્પણ આજે મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. ગુજરાત સરકારે આપેલી ૧.૧૬ લાખ ચો.મી જમીન ઉપર આંતરરાષ્ટ્રીય કક્ષાનું આ સંમેલન-પ્રદર્શન સંકુલ સૂરતના વ્યાપાર ઉઘોગની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાનું ઘોતક બની રહેશે. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે આયોજીત ઉઘોગઃ૨૦૧૦ મેગા પ્રદર્શનનું ઉદધાટન પણ કર્યું હતું. અને ચીન, જાપાન, અમેરિકા, કોરિયા સહિતની આંતરરાષ્ટ્રીય વેપાર-ઉઘોગની રોનક સાથે પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું.

સૂરતને કન્વેન્શન સેન્ટરરૂપે નજરાણું મળ્યું છે અને “આખી દુનિયાની નજર ગુજરાતના વિકાસ ઉપર છે અને એની આંખ સૂરત ઉપર કેન્દ્રિત થયેલી છે” એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ આંતરરાષ્ટ્રીય કક્ષાના ભવિષ્યના વિકાસના નવતર આયામોનો દૃષ્ટિકોણ કેળવવા માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને અભિનંદન આપ્યા હતા.

સૂરતના વ્યાપાર-ઉઘોગની શાન અને કુશળતા, ગ્રામક્ષેત્રમાં જે પરંપરાગત વ્યવસાય કૌશલ્યની ગરીબ કારીગરોમાં ક્ષમતા પડેલી છે તેને આ માળખાકીય સુવિધા વિકાસ માટેનો અવસર પૂરો પાડશે એવો વિશ્વાસ વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદના સંપન્ન વિસ્તારમાં આધુનિકતમ ગ્રામહાટનું સંકુલ ગ્રામ્ય કલા કારીગરીના કુટિર ઉઘોગને વિશાળ બજાર પૂરું પાડી રહ્યું છે એની ભૂમિકા આપી હતી.

તેમણે જણાવ્યું કે, વૈશ્વિક અર્થતંત્રના ઝડપથી બદલાઇ રહેલા પ્રવાહોમાં વ્યાપાર ઉઘોગની નવી ક્ષિતિજો માટે સૂરત જેવા આર્થિક પ્રવૃત્તિના નીતનવા ધબકાર ઝીલતા કેન્દ્રોએ આધુનિક માળખાકીય સુવિધા વિકાસની શકિતરૂપે ઉભરવું પડશે.

વિકાસ માટે સરકારની હાજરી ઓછામાં ઓછી હોય અને જનશકિતની તાકાતથી જ બધું શકય છે એવું વાતાવરણ સર્જવાની નેમ વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, “અ-સરકારી એ જ અસરકારી” એવો મંત્ર લઇને સરકારની વ્યવસ્થાની મર્યાદા કરતા વિકાસના અનેક નવા આયામોની તાકાત સમાજે ઊભી કરવી પડશે. આ હેતુસર “મીનીમમ ગવર્મેન્ટ, મેકસીમમ ગવર્નન્સ”ની રૂપરેખા તેમણે આપી હતી.

૧લી મે, ૨૦૧૦થી સમગ્ર ગુજરાતમાં સ્વર્ણિમ જયંતીના અવસરે હિન્દુસ્તાનના અર્બન ડેવલપમેન્ટ મોડેલ તરીકે સૂરત એક સક્ષમ શહેરનું દૃષ્ટાંત પૂરું પાડે અને શહેરી સેવા-સુવિધા સુખાકારી માટે દેશને દિશાદર્શક બને તેવું આહવાન તેમણે આપ્યું હતું.

સૂરતની મહાશકિતમાં અપાર ક્ષમતા પડેલી છે અને માત્ર આર્થિક સમૃદ્ધિના સર્જનમાં જ નહીં સામાજિક સેવા, શિક્ષણ આરોગ્ય અને સુખાકારીના અનેક ક્ષેત્રોમાં શાન વધારી છે એમ તેમણે સૂરતની નાગરિક શકિતને બિરદાવતાં જણાવ્યું હતું.

સ્પષ્ટ અને પારદર્શક ઉઘોગનીતિ અને તેમાં માળખાકીય સુવિધાઓના વિકાસની હાર્દરૂપ જોગવાઇને કારણે આજે ગુજરાત વિશ્વના આ ભાગમાં સહુથી વધુ ઝડપથી વિકસતો પ્રદેશ બન્યો છે. તેવી લાગણી વ્યકત કરતા ઉઘોગ રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, જેમાં ૯૦ બિલીયન ડોલરનું રોકાણ થવાનું છે તેવા ડીએમઆઇસીનો ૩૮ ટકા ભાગ ગુજરાતમાં છે. રાજ્યના ૧૬ જિલ્લાઓને તેનો લાભ મળવાનો છે. તેના ૦૬ પૈકીના ૦૩ નોડસ દક્ષિણ ગુજરાતમાં હોવાને કારણે વિપુલ મૂડીરોકાણ, માળખાકીય સગવડોમાં વધારો અને રોજગારીનું સર્જન આ વિસ્તારમાં ધણાં મોટાં પાયે થવાનું છે. આ કન્વેશન સેન્ટરનું નિર્માણ કરીને એસજીસીસીઆઇએ વિકાસની ઇચ્છાશક્તિ પુરવાર કરી છે. તેના માટે ચેમ્બર અભિનંદનને પાત્ર છે.

મુખ્યમંત્રીશ્રીએ આ કાર્યક્રમમાં ચેમ્બરનો “સમૃધ્ધિ” મુખપત્ર અને વિશેષાંક ઉજાશનું વિમોચન કર્યુ હતું. જિલ્લા સરકારી વકીલશ્રી નયન સુખડવાલા અને રેશમાં નિલેશ માંડલેવાલાએ કન્યા કેળવણી નિધિ માટે રૂ.૧,૧૧,૧૧૧ ના બે ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યા હતા.

ઉઘોગ મહા પ્રદર્શનના આયોજન ધ્વારા એસજીસીસીઆઇ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીમાં સહભાગી બને છે તેવી લાગણી વ્યકત કરતા સંસ્થાધ્યક્ષશ્રી નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે ચેમ્બરે વાયબ્રન્ટ ગુજરાત ૨૦૦૩ ના મુખ્યમંત્રીશ્રી પ્રેરીત સ્વપ્નના રૂપમાં આ આંતર રાષ્ટ્રીય કન્વેન્શન સેન્ટર સાકાર કર્યુ છે. દેશના વેપાર ઉઘોગની પ્રગતિમાં આ ચાવીરૂપ માળખાકીય સગવડ પુરવાર થશે. તેમણે સુરતને હવાઇ જોડાણ મેળવી આપવામાં રાજ્ય સરકાર અને સાંસદો મદદરૂપ બનશે તેવી એપેક્ષા વ્યકત કરતાં જણાવ્યું હતું કે ટ્રેડ સેન્ટર બ્રાંડ ઇન્ડિયાનું પ્રતિક બનશે.

આ પ્રસંગે નાગરિક પુરવઠા અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલ, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ, નાણાં અને ઉઘોગ રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, સાંસદો સર્વશ્રી પ્રવિણભાઇ નાયક, દર્શના જરદોશ, સી.આર.પાટીલ, મેયર અને વિધાયકશ્રી રણજીભાઇ ગીલીટવાળા, ધારાસભ્યો સર્વશ્રી કિશોરભાઇ વાંકાવાળા, નાનુભાઇ વાનાણી, કિરીટભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર કુ.એસ.અપર્ણા, કલેકટરશ્રી એ.જે.શાહ, પાલિકા ટાઉન પ્લાનીંગ સમિતિના અધ્યક્ષશ્રી નીતિન ભજીયાવાળા, ચેમ્બર પદાધિકારીઓ સર્વશ્રી અરૂણ જરીવાળા, હેતલ મહેતા, પક્ષ અધ્યક્ષશ્રી પૂર્ણેશ મોદી સહિત વેપાર ઉઘોગ જગતના અગ્રણીઓ અને વ્યવસાયીકોનો વિશાળ સમુદાય ઉપસ્થિત રહયા હતા. શ્રી અરૂણભાઇ જરીવાળાએ અધ્વિતીય અને આંતર રાષ્ટ્રીય સ્તરના ટ્રેડ અને કન્વેશન સેન્ટરની સ્થાપના અને વિશેષતાઓની ટૂંકી માહિતી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ ઉદ્‍ધાટન બાદ સેન્ટરની સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતું.

રૂા.૭૫ કરોડના ખર્ચે સાકાર થયેલું ચેમ્બર ઓફ કોમર્સનું આ આંતરરાષ્ટ્રીયકક્ષાનું કન્વેન્શન સેન્ટર તેના એકપણ પીલર વિનાના ૧,૧૬,૦૦૦ ચો.મીના સંપૂર્ણ વાતાહનુકૂલિત ડોમમાં ૬૫ હજાર ચો.ફુટ ક્ષેત્રમાં એકિઝબિશન માટેની સુવિધા ધરાવે છે. જેમાં ચાર જુદાજુદા પ્રદર્શનો એકસાથે આયોજીત કરી શકાશે. ઇન્ટરનેટ ફેકસની સુવિધાઓ ધરાવતું બિજનેશ સેન્ટર, મેડિકલ રૂમ, કોફીશોપ તથા રેસ્ટોરાંની પણ સવલતો છે. ચાર મિટીંગ હોલ તથા પ્રેસ મિડીયા માટે અલાયદા ખંડની સગવડ અહીં ઉપલબ્ધ છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi urges people to take 9 pledges on health, saving water, others

Media Coverage

PM Modi urges people to take 9 pledges on health, saving water, others
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 16 એપ્રિલ 2026
April 16, 2026

From Bullet Trains to Billion-Dollar Apple Exports: How PM Modi is Scripting India’s Golden Chapter