તમે જાગો છો એ મને ખાતરી થઈ ગઈ, દોસ્તો. હવે મહેનત નહીં કરો તો પણ હું માનીશ કે તમે બધા જુવાનિયાઓ જાગો છે. મંચ પર બિરાજમાન સર્વે માન્ય ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના આગેવાનો, કૉર્પોરેશનના આગેવાનો અને જિલ્લામાંથી વિશાળ સંખ્યામાં પધારેલ સૌ નૌજવાન મિત્રો, માતાઓ અને બહેનો...

આ વર્ષ સ્વામી વિવેકાનંદજીની ૧૫૦ મી જયંતીનું વર્ષ છે. આજે પણ આ દેશના નવજવાનને સ્વામી વિવેકાનંદનું ચિત્ર જોતાં જ માથું નમાવવાનું મન થતું હોય છે. આ દેશમાં બે વીરપુરુષો, મહાપુરુષો એવા રહ્યા છે કે જેના પ્રત્યે આજની યુવાન પેઢીને પણ, એ જિન્સનું પેન્ટ પહેરતો હોય કે લાંબા લટિયાં રાખતા હોય તો પણ અગર જો સ્વામી વિવેકાનંદનું ચિત્ર જુએ, અગર વીર ભગતસિંહનું ચિત્ર જુએ તો એના મનમાં સહજ રીતે આદરનો ભાવ પ્રગટતો હોય છે, આ કાશ્મીરથી કન્યાકુમારી સમગ્ર દેશની ભાવના છે. મિત્રો, અહિંયા બહુ ઓછા લોકો એવા હશે કે જેમને ખબર હશે કે ૧૮૯૩ માં સ્વામી વિવેકાનંદ આ જૂનાગઢની ધરતી પર આવ્યા હતા, જૂનાગઢમાં રોકાયા હતા અને અહિંથી પોરબંદર ગયા હતા. લાંબો સમય એ પોરબંદરમાં રોકાયા હતા. આવા મનીષીના ચરણરજથી આ જૂનાગઢ પવિત્ર થયેલું છે, એવી આ નગરીમાં આપણે ૧૫ મી ઓગસ્ટ ઊજવી રહ્યા છીએ.

ભાઈઓ-બહેનો, આપણા માટે ૧૫ ઓગસ્ટ કે ૨૬ જાન્યુઆરી કે ૧ લી મે એ કોઈ સરકારી કાર્યક્રમ નથી. માત્ર ધ્વજવંદનનો એક ચીલાચાલુ કાર્યક્રમ કરવો એ પરંપરા તો કેટલાંય વર્ષોથી ચાલતી હતી. ગાંધીનગરમાં સરકારી સમારંભ થાય, સરકારી અધિકારીઓ હાજર હોય, એકાદ બે નિશાળનાં બાળકો હાજર હોય અને રાષ્ટ્રિય પર્વની ઉજવણી થતી હતી. ભાઈઓ-બહેનો, આપણે રાષ્ટ્રિય પર્વોને ગાંધીનગરથી બહાર કાઢીને જિલ્લામાં લઈ ગયા અને રાષ્ટ્રિય પર્વને વિકાસના પર્વમાં પરિવર્તિત કરી દીધું અને આજે એનો લાભ, આખી ગાંધીનગરની ગુજરાત સરકાર જૂનાગઢના ચરણોમાં આવીને બેસી, મિત્રો. આ ઘટના નાનીસૂની નથી. મને ઘણા લોકોએ ટ્વિટર પર લખ્યું છે, કોઇએ ફેસબુક પર લખ્યું છે, કોઈએ ઈ-મેઇલ મોકલ્યો છે કે સાહેબ, જો અમારા સી.એમ. જૂનાગઢમાં રહેતા હોત તો..? એવું લખ્યું છે અને એણે આગળ લખ્યું છે કે સાહેબ જે રીતે સફાઈ થઈ છે જૂનાગઢની, એટલી બધી સફાઈ થઈ છે કે હવે આપ અહિંયા જ રહી જાઓ. મારે આ જૂનાગઢ જિલ્લાના ભાઈઓ-બહેનોને કહેવું છે કે અમે તો સફાઈ કરી, ચોખ્ખું ચણાક કરી દીધું, હવે જાળવવાનું કામ તો તમે કરો..! જૂનાગઢવાસીઓ નક્કી કરે કે હવે અમે જૂનાગઢને ગંદું નહીં થવા દઈએ. અને પછી આવનારા દિવસોમાં જે સાફ કરવાનું આવે એ કર્યા કરજો, હજુ ઘણા મોકા છે..! આપનું કામ આપ કરજો, અમારું કામ અમે કરીશું, આપણે ગુજરાતને ગૌરવવંતું બનાવતા રહીશું એ સપના લઈને આપણે ચાલી રહ્યા છીએ, એ કામ લઈને આપણે ચાલી રહ્યા છીએ.

ભાઈઓ-બહેનો, આજે મેં છાપામાં એક બહુ રમૂજી સમાચાર વાંચ્યા, સવારે ગાંધીનગરથી નીકળતો હતો ત્યારે. અહિં આવ્યા પછી મેં જરાક પૂછપરછ કરી તો મને થયું કે આ રમૂજી સમાચારની માહિતી તમને પણ આપવી જોઇએ, આપું ને..? પણ તમે પછી આગળ પહોંચાડશોને..? પાકે પાયે પહોંચાડશો? પછી માહિતી આમ અટકી ન જવી જોઇએ હોં, જવાનિયાઓ, મંજૂર..? મિત્રો, આજે મેં છાપામાં એવું વાંચ્યું કે મુખ્યમંત્રીના જૂનાગઢના મહોત્સવની અંદર આઠસો રૂપિયાની ભોજનની ડિશ પીરસવાની છે. બોલો, વાંચ્યું ને બધાંએ? મેં પૂછ્યું ભાઈ, એકેય ભોજન સમારંભ તો છે જ નહીં આખા કાર્યક્રમમાં, તો આ ડિશ ક્યાંથી આવી ને ખાવાનું ક્યાંથી લાવ્યા? તમારા કલેક્ટરે મને માહિતી આપી, જે બહુ મજેદાર છે. અહિંયા જે અન્ય રાજ્યના અધિકારીઓ અને બધા આવ્યા છે તેમને જમાડવા તો પડે. કોઈ ભોજન સમારંભ નથી. પરંતુ એમણે જે ટેન્ડર મંજૂર કર્યું છે એ ટેન્ડર એવું છે કે બે ટાઈમ ભોજન અને બે ટાઈમ ચા નાસ્તો, એના કુલ ખર્ચનું ટેન્ડર છે એક વ્યક્તિનું એકસો બત્રીસ રૂપિયા, કેટલું..? છાપામાં શું લખ્યું છે..? આઠસો રૂપિયા..! સાહેબ કેવી ચાલાકીઓ ચાલે છે એ જુઓ. પછી મેં કહ્યું કે ના, એવું ના હોય યાર, કંઈક તો હશે, એમનેમ ના છપાય. આઠસો... છાપાંવાળા આવું ધરાર ખોટું લખે એવું બને નહીં, તપાસ કરો. તો પછી તપાસ કરી કે આજે સાંજે માનનીય ગવર્નર સાહેબનો એક કાર્યક્રમ છે, ‘ઍટ હોમ’. એ કાર્યક્રમનું નિમંત્રણ ગવર્નર આપે છે, એ કાર્યક્રમનું આયોજન ગવર્નરની ઓફિસ કરે છે. ન એમાં નરેન્દ્ર મોદીને કંઈ લેવાદેવા હોય છે, ન રાજ્ય સરકારને લેવાદેવા હોય છે, અમારે તો ખાલી બિલ ચૂકવવાનું હોય છે. એમણે ટેન્ડર મંગાવ્યા હતાં, શેના માટે? ભોજન માટે નહીં...! બે ટાઈમનું ભોજન, બે ટાઈમનો નાસ્તો એકસો બત્રીસવાળાં નહીં..! એમણે ટેન્ડર મંગાવ્યું હતું સાંજે સાડા ચાર વાગે જે ‘ઍટ હોમ’ થાય છે, એ ઍટ હોમમાં જે લોકોને બોલાવ્યા હોય એમને નાસ્તો અને ચા આપવા માટેનું. અને એમાં જૂનાગઢના એક મહાશયે ટેન્ડર ભર્યું હતું, સાતસો રૂપિયા. એક ડિશના સાતસો રૂપિયા..! એ મહાશયનું નામ જાહેરમાં મારે બોલવું નથી એટલે બોલતો નથી. અને ગવર્નરે નક્કી કર્યું કે ઊભા રહો, એને થયું કે આ સાતસોવાળું કરવા જઈશું તો ક્યાંક આબરૂનું લિલામ થઈ જશે. જો મોદીના ડિપાર્ટમેન્ટમાં ગુજરાત ભાજપની સરકાર એકસો બત્રીસ રૂપિયામાં બે ભોજન અને બે ચા-નાસ્તા કરાવી શકતી હોય, તો આ એક ડિશના સાતસો દેવા કઈ રીતે? પછી એમણે કંઈ બીજા ટેન્ડરવાળાને બોલાવ્યા, વાટાઘાટો કરી, પણ આઠસોનું બિલ નથી. એક ભાઈએ સાતસો ભર્યા હતા એ વાત સાચી અને ભર્યા હતા એના કારણે કદાચ છાપાંવાળાએ છાપ્યું હોય, પણ ગવર્નર સાહેબે જે નાસ્તો નક્કી કર્યો છે એનું બિલ ચૂકવવાના છે એક ડિશનું અઢીસો રૂપિયા. ભાઈઓ-બહેનો, ગુજરાતનું રાજભવન એ કૉંગ્રેસ ભવન બની ગયું છે એનું આ પરિણામ છે અને છાપાના મિત્રોને પણ મારે કહેવું છે કે આંખ મીંચીને મોદીને બદનામ કરવાની જે પેરવી આદરી છે એમાં આવી રીતે ક્યારેકને ક્યારેક તમે સપડાઈ જશો. તમને હતું કે મોદી મરશે આનાથી, કે દુષ્કાળમાં આઠસો રૂપિયાની ડિશ ખાય છે, મોદી બદનામ થશે એવા ઇરાદાથી જેમણે મોદી સરકારને ખતમ કરવાની સોપારીઓ લીધી છે, એવા જૂઠાણાઓ ચલાવનારાઓને... સારું થયું કે આ વાત બહાર પડી એટલે મને કહેવાનો મોકો મળ્યો. આ નિર્ણય ગવર્નર સાહેબનો હોય છે. કમનસીબી છે મિત્રો, કમનસીબી છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે. આ એવી સરકાર છે કે જેણે ભૂતકાળની સરકારો કરતાં ખર્ચા ઘટાડ્યા છે, આ એવી સરકાર છે કે જેણે વિકાસના કામોની અંદર બજેટ ખર્ચ્યાં છે અને એનું પરિણામ છે કે આજે ગુજરાતમાં વિકાસ દેખાય છે.

આપ વિચાર કરો, એક જમાનો હતો, આઈ.ટી.આઈ.ના કેવા હાલ હતા? આઈ.ટી.આઈ.માં ભણે એ વિદ્યાર્થીની સામે ય કોઈ ન જુએ એવી દશા હતી. અમે આઈ.ટી.આઈ. જેવી સંસ્થાઓની આબરૂ એટલી વધારી કે અહિંયા છ જુવાનિયા એવા મળ્યા કે જે આઈ.ટી.આઈ. ભણ્યા હતા, જર્મનીની કંપનીએ એમને પસંદ કર્યા અને જર્મનીમાં ઉત્તમ દેખાવ કરીને આવ્યા એના પ્રમાણપત્ર આપવાનો મને અવસર મળ્યો. પરિવર્તન કેવી રીતે લવાય છે, મિત્રો? અહિંયા મેં એમ્પાવર, ઇલેક્ટ્રૉનિક મેન પાવર, એના માટેનાં સર્ટિફિકેટ આપ્યાં. દીકરા-દીકરીઓ, જવાનિયાઓ આજના યુગમાં કોમ્પ્યુટર જાણે એ જરૂરી છે. સાતમું ભણેલા માણસને પણ કોમ્પ્યુટર આવડવું જોઇએ. ગુજરાતનો ગરીબ માનવી પાછળ રહી જાય એ આપણને પાલવે નહીં અને એના માટે એમ્પાવરની સ્કીમ બનાવી અને આ એમ્પાવરની અંદર આજની તારીખે મારી માહિતી છે, સમગ્ર ગુજરાતમાં બે લાખ દીકરા-દીકરીઓ આ એમ-કોમ્પ્યુટર ટ્રેનિંગ લઈ રહ્યા છે, બે લાખ દીકરા-દીકરીઓ કોમ્પ્યુટરની ટ્રેનિંગ લઈ રહ્યા છે. ભાઈઓ-બહેનો, વિકાસ કેવી રીતે કરાય, આ ગુજરાતના નવજુવાનોને રોજગાર કેવી રીતે મળે, એના માટેનું અભિયાન ઉપાડ્યું છે. હમણાં ઑલિમ્પિકના ખેલ પૂરા થયા, આપણા દેશમાંથી ઑલિમ્પિકની અંદર આપણે ઝાઝું કરી શકતા નથી. આપણે ખેલ મહાકુંભ દ્વારા એક વાતાવરણ બનાવ્યું છે અને આ વખતે વિવેકાનંદજીની ૧૫૦ મી જયંતી નિમિત્તે ગુજરાતભરમાં યુવકો, યુવતીઓને રમતગમત તરફ વાળવા માટેનો એક પ્રયત્ન આદર્યો છે. અને વિવેકાનંદજીની આ ૧૫૦ મી જયંતીને ‘યુવા વર્ષ’ તરીકે મનાવીને આ જુવાનિયાઓને રમત-ગમતનાં સાધનો આપીને ગામેગામ લોકો રમે, પરસેવો પાડે, ધૂળમાં આળોટે, ભારતમાતાની ધૂળમાં આળોટે એનું વાતાવરણ, સ્વામી વિવેકાનંદજીએ જે સંદેશો આપ્યો હતો એને સાકાર કરવાનો પ્રયાસ કર્યો છે અને આજે એની પહેલી કિટ જૂનાગઢમાં ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે આજે આપવાનો અવસર મળ્યો છે.

ભાઈઓ-બહેનો, જૂઠાણાની એક સીમા હોય છે. ચૂંટણીઓ આવે ને જાય, સત્તા મેળવવાની લાલચ દરેકને હોય, ભાજપ જાય અને બીજાને સત્તા પર બેસવાની ઇચ્છા હોય, હોય લોકશાહીમાં... પરંતુ એનો અર્થ એ નથી કે ગુજરાતના જાહેરજીવનને ખેદાન-મેદાન કરવાની પ્રવૃત્તિ થાય. હું કલ્પના નથી કરી શકતો, મિત્રો. જે પ્રકારની પ્રવૃત્તિ આદરવામાં આવી છે, જૂઠાણાની કોઈ સીમા નહીં..! અને ગુજરાતની માતાઓ-બહેનો, જે લોકો આ જૂઠાણા ફેલાવે છે, તમને હું ચેતવણી આપવા માગું છું. પેલા એક કા તીનવાળા આવે છે ને એક કા તીન, ઘણીવાર ઘરોમાં, ગામડામાં, મહોલ્લામાં બહેનો હોય ત્યાં પહોંચી જાય કે તમે આટલા આપશો તો ત્રણ ગણા થઈ જશે, તમે લોઢું આપશો તો સોનું થઈ જશે અને બોલે એવું સરસ કે લાલચમાં આવીને માણસ એકવાર આપી પણ દે અને એમાં તો ઘરેણાં ય ઊતારી લે છે અને એમાં એમાં લૂંટાઈ જતા હોય છે. આજકાલ રાજકારણમાં એવા ખેલ ચાલ્યા છે. એક કા તીન... કાગળ આપીને તમને એમ કહે કે મકાન આપી દઈશું, આ કાગળ આપવાવાળાઓને એમ કહો કે તમે આટલા બધા સાચા છો ને કરવા માગો છો ને, તો આ પાડોશમાં દીવ છે દીવ, દૂર નથી... આ દીવમાં કૉંગ્રેસની સરકાર છે, દિલ્હીમાં કૉંગ્રેસની સરકાર છે, કમ સે કમ દીવમાં તો પાંચ હજાર મકાન બનાવી દો. આટલું તો કરી બતાવો, ભાઈ. ત્યાં ગરીબોને પાંચ હજાર મકાન આપો અને ગુજરાત આખામાં હું કહીશ કે ભાઈ, આ લોકોનો સારો કાર્યક્રમ છે, એમને સત્તા પર લાવવા જોઇએ, જેથી કરીને મકાન મળે. એક તો કરી બતાવો..! અને બીજું આ કાગળિયા વહેંચવાવાળાને તમે કહો કે તમે કાગળ વહેંચોને તો ઉપર ભારત સરકારનો સિક્કો હોય, પ્રધાનમંત્રીની સહી હોય એવો કાગળ તમે આપો તો માનીએ કે તમે કંઈક મકાન આપવાના છો. ભાઈઓ-બહેનો, આ છેતરપિંડી ચાલી રહી છે. જાહેરજીવનમાં આવી છેતરપિંડી ન હોઈ શકે, ચૂંટણી ઢંઢેરા હોઈ શકે, પરંતુ પ્રજાની આ પ્રકારે છેતરપિંડી ચાલી રહી છે. અને આ એક પ્રકારનાં ગુનાહિત કૃત્ય છે અને આવનારા દિવસોમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરવાવાળાઓને આ ગુજરાતમાં સહન કરવાનું આવવાનું છે. ભાઈઓ-બહેનો, આ લોકો વચન આપીને ગયા હતા. માતાઓ-બહેનો, ૨૦૦૯ માં વોટ લઈ ગયા ત્યારે કહ્યું હતું ને તમને કે અમે સો દિવસમાં મોંઘવારી હટાવીશું, મોંઘવારી હટાવવાનું કહ્યું હતું? ખોંખારીને બોલો, મોંઘવારી હટાવવાનું કહ્યું હતું? મોંઘવારી હટી..? આવાં જુઠ્ઠાં વચનો આપનારાઓથી ચેતતા રહેજો. માતાઓ-બહેનો, જાગૃતિની જરૂરિયાત છે અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે નાગરિકોને સાચી વાત કહેવી, જાગૃતિ લાવવી એ મારી જવાબદારીનો ભાગ છે અને એટલા માટે હું કહું છું.

કેટલાક લોકો એમ કહે છે કે સોરઠના વિકાસનું તમે પેકેજ આપ્યું હતું, શું થયું? તમે સદભાવનામાં આવ્યા ત્યારે પેકેજ આપ્યું હતું, શું થયું? ભાઈઓ-બહેનો, અમે હિસાબ આપવાની તાકાત ધરાવીએ છીએ અને આજે જનતા જનાર્દનની વચ્ચે, નવજુવાનિયાઓની વચ્ચે, માતાઓ-બહેનોની વચ્ચે મારે હિસાબ આપવો છે. હમણાં જ, આ સાત દિવસમાં મારા મંત્રીઓ જે અહિં આવ્યા, ગામોગામ ખાતમુહૂર્તો કર્યાં, ઉદઘાટન કર્યાં. કુલ લગભગ દસ હજાર પ્રોજેક્ટોનાં ઉદઘાટન કર્યાં છે અને એની રકમ થાય છે ૨૧૦૦ કરોડ રૂપિયા, ૨૧૦૦ કરોડ રૂપિયા. ભાઈઓ-બહેનો, કામ કેવી રીતે કરાય એ અમે કરી બતાવ્યું છે અને વિકાસ સિવાય કોઈ આરો નથી, મિત્રો. દુનિયાની સ્પર્ધા કરવી હશે તો વિકાસ કરવો પડશે. હમણાં ભારત સરકારે આંકડા બહાર પાડ્યા. ભારત સરકારના આંકડા છે, એ એમ કહે છે કે સમગ્ર દેશમાં સૌથી વધારે રોજગાર આપવાનો યશ કોઈને જતો હોય તો ગુજરાતને જાય છે. ૭૨% લોકોને રોજગારી મળતી હોય તો ગુજરાતમાં મળે છે અને ૨૮% માં આખું હિંદુસ્તાન આવે છે. કેટલો બધો ફર્ક છે..? અને હમણાં મેં એમને પ્રશ્ન પૂછ્યો. તમે ગુજરાતને બદનામ કરનાર કૉંગ્રેસના મિત્રો, હું તમને સવાલ પૂછું છું. દહેજની અંદર ઓ.એન.જી.સી. નું એક એકમ છે, ભારત સરકારનું એક એકમ છે અને એ એકમમાં બે હજાર જેટલા લોકો કામ કરે છે. મેં એમને પૂછ્યું કે આમાં ગુજરાતના છોકરાઓ કેટલા છે? અરે દિલ્હીના લોકો, મારો હિસાબ માગતા પહેલાં અમને જવાબ આપો. બે હજાર લોકો ઓ.એન.જી.સી. ના એકમમાં કામ કરે છે અને નવજુવાન મિત્રો, માત્ર ને માત્ર પાંચ ગુજરાતના છોકરાઓને એ લોકોએ રોજગારી આપી છે. અને અહિંયાં તમે ઉશ્કેરણીઓ કરો છો, ગુજરાતના નવજુવાનોના ભવિષ્ય પર તાળાં મારવાના ખેલ કરો છો..? એક પછી એક એવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ભાઈઓ. અને આટલી મોટી સંખ્યામાં માતાઓ-બહેનો, નવજુવાનો આવ્યા છે, આઝાદીનું પર્વ મનાવી રહ્યા છીએ ત્યારે આ દેશ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ કેટકેટલા લોકોએ આ ભારતમાતાના કલ્યાણને માટે જીવન ખપાવી દીધાં, બલિદાન આપી દીધાં, અને તમે શું આપ્યું? એક લાખ છોત્તેર હજાર કરોડનો ભ્રષ્ટાચાર, એક મંત્રી કરી ગયો. ભ્રષ્ટાચાર સિવાય દિલ્હીથી કોઈ સમાચાર નથી આવતા, કોઈ સારાં કામના વાવડ નથી આવતા. અરે, ગરીબના પેટનું લૂંટાઈ રહ્યું છે ભાઈઓ, આ પ્રકારની જે પ્રવૃત્તિ ચાલી રહી છે. હમણાં એક છાપામાં એમણે જાહેરાત આપી, ભારત સરકારની ઑફિશિયલ જાહેરાત અને નર્યા જૂઠાણા, એક પછી એક જૂઠાણાની તલવાર. ભાઈઓ-બહેનો, આવનારા દિવસોમાં આ જૂઠાણું વધતું જવાનું છે. આવનારા દિવસોમાં ગુજરાતની આબરૂને બટ્ટો લગાડવા માટે જાતજાતના પ્રયત્નો પણ થવાના છે. આ મેં તમને આઠસોની ડિશની વાત વિસ્તારથી એટલા માટે કરી કે હવે તમે દરેક ચીજ વાંચો ત્યારે સમજી લેજો કે આવું કોઈ ને કોઈ જૂઠાણું હશે..!

ભાઈઓ-બહેનો, આઝાદીના પર્વ નિમિત્તે આપણે જ્યારે એકત્ર થયા છીએ ત્યારે ગુજરાતમાં સખીમંડળોનું કામ પૂરવેગથી ચાલી રહ્યું છે. આજે સવા બે લાખ જેટલાં સખીમંડળો બન્યાં છે અને સવા બે લાખ સખીમંડળો લગભગ ૧૬૦૦ કરોડ રૂપિયાનો કારોબાર કરે છે અને આવનારા દિવસોમાં આ સખીમંડળોને મારે ૫૦૦૦ કરોડ રૂપિયાના કારોબાર સુધી લઈ જવા છે. જૂનાગઢ જિલ્લામાં દરિયાકિનારે એક નવું કામ શરૂ કરવું છે, સી-વીડની ખેતી. ગઈકાલે મેં સાગરખેડુ કાર્યક્રમમાં વિસ્તારથી સમજાવ્યું છે. દરિયાના ખારાપાટ પાણીમાં ઉત્તમ પ્રકારની એક વનસ્પતિ પેદા થાય છે, જે વનસ્પતિની માંગ આખી દુનિયામાં છે. દવાઓ બનાવવા માટે ઉત્તમમાં ઉત્તમ વનસ્પતિ છે. આ અમારી દરિયાકિનારે વસતી ગરીબ બહેનો આસાનીથી એની ખેતી કરી શકે એમ છે. અને એ માલ ઉપાડવા માટે દુનિયાની કંપનીઓ તમારા ત્યાં ઘરઆંગણે આવે એ પ્રકારની પરિસ્થિતિ છે. રાજ્ય સરકારે એક મોટું અભિયાન ઉપાડ્યું છે કે દરિયાકિનારે વસતી મારી આ ગરીબ બહેનોને રોજીરોટી મળે, એના માટેનો વિચાર આ સરકારે ઉપાડ્યો છે. અને એનો લાભ મારી આ ગરીબ બહેનોને મળવાનો છે, સખીમંડળો દ્વારા મળવાનો છે અને એમના જીવનમાં ક્યારેય કોઈ દિવસ નિરાશા ન આવે એ કામ આ સરકારે ઉપાડ્યું છે.

ભાઈઓ-બહેનો, બહેનો સામર્થ્યવાન બને, શક્તિશાળી બને એના માટે મેં વિધાનસભામાં નિર્ણય કર્યો. નકારાત્મકતા કેટલી છે..! અમે વિધાનસભામાં નિર્ણય કર્યો કે સમાજમાં પચાસ ટકા ભાઈઓ છે અને પચાસ ટકા બહેનો છે, અડધો અડધ બહેનો છે તો પંચાયતમાં અડધો અડધ બહેનો કેમ ન હોય? નગરપાલિકામાં અડધો અડધ બહેનો કેમ ન હોય? મહાનગરપાલિકામાં અડધો અડધ બહેનો કેમ ન હોય..? હોવી જોઈએ ને..? જોરથી બોલો બહેનો, તમારા માટે લડું છું. અમે વિધાનસભામાં કાયદો કર્યો કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા એમાં બહેનો માટે પચાસ ટકાનું રિઝર્વેશન કરવામાં આવશે. કમનસીબે ગુજરાતના ગવર્નરે એ અમારા ઠરાવ પર સહી ન કરી અને લટકાવી દીધું, એક વર્ષથી પડી રાખ્યું છે. એક બહેન ગવર્નર હોવા છતાંય આ પ્રકારની ગુજરાત વિરોધી પ્રવૃત્તિ ચાલે, માતાઓ-બહેનો વિરોધી પ્રવૃત્તિ ચાલે એ કોઈ કાળે લોકશાહીમાં શોભતું નથી. રાજ્યપાલના પદનું સન્માન કરનારા અમે વ્યક્તિઓ છીએ, એની ગરિમાનું સન્માન કરનારા વ્યક્તિઓ છીએ પરંતુ જો રાજભવન રાજકીય કાવાદાવાનો અડ્ડો બની જાય તો ગુજરાતની જનતા સહન નહીં કરે અને ગુજરાત સરકાર એની સામે લડવા માટે મક્કમ નિર્ધાર કરીને નીકળી છે. ભાઈઓ-બહેનો, જે પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ પ્રવૃત્તિની સામે લાલ આંખ કરવાનો સમય આવી ગયો છે.

નવજુવાન મિત્રો, આ સરકાર આપના ભવિષ્ય માટે કામ કરી રહી છે, આપને રોજીરોટી મળે એના માટે કામ કરી રહી છે, આપની જિંદગી ઓશિયાળી ન રહે એના માટે કામ કરી રહી છે. હિંદુસ્તાનભરની બીજી સરકારો આજે ડૂબી રહી છે, રાજ્ય ડૂબી રહ્યાં છે. એકમાત્ર ગુજરાત..! હમણાં તમે જોયું હશે અંધારપટ, ઓગણીસ જિલ્લા અને સાંઇઠ કરોડ દેશવાસીઓ અડતાલીસ કલાક અંધારાંમાં લપેટાઈ ગયા. હોસ્પિટલો બંધ, ગાડીઓ બંધ, દવાખાનાં બંધ, ઘરની અંદર લાઈટ નહીં, ટીવી નહીં, કંઈ જ નહીં... આ એકવીસમી સદીમાં એકમાત્ર ગુજરાત એવું હતું કે જ્યાં લાઈટ ન ગઈ. ભાઈઓ, આ ગુજરાતે કરી બતાવ્યું છે. અને આ વિષય પર જ્યારે આપણે આગળ વધ્યા છીએ ત્યારે આજના સંમેલનમાં સ્વામી વિવેકાનંદનું સ્મરણ કરીને વિવેકાનંદ યુવા વર્ષની અંદર સ્કિલ ડેવલપમેન્ટના જે કામો ચાલ્યાં છે, મારી જુવાનિયાઓને વિનંતી છે કે આપ બી.એ. ભણતા હોવ, બી.કોમ. ભણતા હોવ, બી.એસ.સી. ભણતા હોવ, કોઈપણ વિષયમાં ભણતા હોવ પણ થોડો સમય કાઢીને અઠવાડિયાંમાં કલાક, બે કલાક કોઈ ને કોઈ સ્કિલ ડેવલપમેન્ટના કોર્સ કરવા જોઇએ, આપના જીવનમાં બહુ ઉપયોગી થશે. અને આ રાજ્ય સરકારે સ્કિલ ડેવલપમેન્ટનું મોટું અભિયાન ચલાવ્યું છે. મારા ગુજરાતના નવજુવાનિયાઓ, દીકરા-દીકરીઓએ સ્કિલ ડેવલપમેન્ટમાં પણ માહેર થવું જોઇએ અને તો જ ચીન સામેની લડાઈ આપણે જીતી શકીએ. ચીન સામે હિંદુસ્તાનને આગળ લઈ જવું હોય તો આપણી યુવાશક્તિમાં સ્કિલ ડેવલપમેન્ટ કરવું પડે, એમનામાં હુન્નર આવવું જોઇએ. માત્ર પરીક્ષા પાસ કરીને સર્ટિફિકેટ લઈને ફરવું પડે એવી સ્થિતિ મારે ગુજરાતના જુવાનિયાઓની જોવી નથી. હું એ જુવાનિયાઓને અવસર આપવા માગું છું અને અવસરનો લાભ જવાનિયાઓ લે એવી મારી વિનંતી છે.

ભાઈઓ-બહેનો, આજે સાંજે દેશની આઝાદી અને જૂનાગઢના ગૌરવને જાહેર કાર્યક્રમમાં આપણે જોવાના છીએ. આવતીકાલે ધ્વજવંદનમાં ગુજરાતની અસ્મિતાનાં, ગુજરાતની શક્તિનાં દર્શન કરવાના છીએ અને હું આપની સાથે છું. અહિં આટલી મોટી સંખ્યામાં આપે મને માન-મરતબો આપીને સન્માન કર્યું એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છું.

જય જય ગરવી ગુજરાત...!! વંદે માતરમ...!!

પૂરી તાકાતથી નવજવાનો, વંદે માતરમ...!! વંદે માતરમ...!! વંદે માતરમ...!!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Womaniya' initiative of GeM, sees 27.6% growth, Rs 28,000 crore contracts awarded to women MSEs

Media Coverage

Womaniya' initiative of GeM, sees 27.6% growth, Rs 28,000 crore contracts awarded to women MSEs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
TMC came to power by lying in the name of “Maa, Maati, Manush”: PM Modi in Dakshin Dinajpur, West Bengal
April 11, 2026
TMC's politics of fear is nearing the end in Bengal, and nobody can stop it: PM Modi warned the opposition in Bengal
TMC has betrayed the tribals of Bengal, it is now on us to deliver them justice: PM Modi’s strong statement

भारत माता की... जय!

भारत माता की... जय!

भारत माता की… जय!

यहां कुछ लोग चित्र लेकर के आए हैं, हमारे साथियों को कहता हूं वे आपसे सारे कलेक्ट कर लें। और इसके पीछे अगर आपका एड्रेस लिखा होगा तो मैं आपको चिट्ठी भेजूंगा... जरा एसपीजी के लोग इसको कलेक्ट कर लीजिए... ताकि बाद में मैं अपनी सभा शुरू करूं। जो भी चित्र लेकर के आए हैं और देना चाहते हैं वो मेरी टीम को दे दें... बहुत-बहुत धन्यवाद। बहुत-बहुत धन्यवाद आप सबका। मेरा भाषण शुरू करने से पहले यहां जो कैंडिडेट हैं, जो इस चुनाव में उम्मीदवार है, उन सबसे मेरा आग्रह है कि कैंडिडेट जरा यहां कतार लगा दें... सारे कैंडिडेट... बस... बस.. बहुत आगे मत जाइए भाई... मैं एक दो मिनट, मेरे सभी उम्मीदवारों को मिल कर के आता हूं, उसके बाद भाषण शुरू करते हैं... बोलो भारत माता की... जॉय माँ काली…जॉय भोलेनाथ…जॉय जलपेश बाबा… नमोश्कार ! केमोन आछेन, आमार दिनाजपुर बाशी? दक्षिण दिनाजपुर की इस पुण्य धरती को… कुशमंडी की इस पावन भूमि को… मैं श्रद्धापूर्वकर प्रणाम करता हूँ।

साथियों,

सबसे पहले तो मैं आप सबसे क्षमा मांगता हूं। क्षमा इसलिए कि हमारे साथियों ने इस सभा का प्लानिंग किया और पंडाल बनाया है वो बहुत छोटा पड़ गया...और इसके कारण जितने लोग अंदर है उससे तीन गुना लोग बाहर धूप में खड़े हैं। जो लोग धूप में खड़े हैं मैं उन सबसे क्षमा मांगता हूं। लेकिन आपको विश्वास दिलाता हूं कि ताप में आप जो तप रहे हैं मैं आपके इस परिश्रम को बेकार नहीं जाने दूंगा। मैं आपके इस प्यार को सवा गुना करके लौटाऊंगा विकास करके लौटाऊंगा। ये अद्भुत दृश्य है और वहां हेलीपैड के आसपास तो मानो पता नहीं, ऐसा लग रहा है कि बड़ा कमाल कर दिया इस बार बंगाल ने। साथियों, इस बार का बंगाल चुनाव...एक तरफ टीएमसी का भय है दूसरी तरफ भाजपा का भरोसा है। ये लड़ाई भय को पराजित करने की है ये लड़ाई भरोसे पर पश्चिम बंगाल को आगे बढ़ाने की है। आज मैं आपको ये भरोसा दिलाने आया हूं...कि अब, टीएमसी के भय का राज जाने वाला है। जाएगा ना... जाएगा ना.. मैं जहां-जहां गया ऐसा ही मिजाज... पूरे बंगाल में नजर आ रहा है। अब टीएमसी के झूठ और लूट, टीएमसी की झूठ और उनकी दुकान बंद होने वाली है। बंगाल से भय जाएगा... अब बंगाल में भरोसा आएगा...उन्नोयन आएगा। मेरे साथ बोलिए... दोनों हाथ ऊपर करके बोलिए.. पूरी ताकत से बोलिए... पाल्टानो दोरकार… पाल्टानो दोरकार… पाल्टानो दोरकार… पाल्टानो दोरकार… चाइ बीजेपी शोरकार!

साथियों,

ये TMC, मां-माटी-मानुष को लेकर, झूठ बोलकर सत्ता में आई थी। आज ये दुनियाभर की उटपटांग बातें करती है। दिनरात हमें गालियां देती रहती है। झूठे दावे करती रहती है। लेकिन ये टीएमसी सरकार 15 साल से यहां बैठी हुई है 15 साल से। अरे 15 साल में क्या किया बंगाल की जनता को बताओ ना...बताते हैं क्या... क्या काम किया है बताते हैं क्या...अब आप सोचिए.. जो 15 सालों तक कुछ नहीं किया तो आगे पांच साल देकर के कुछ पाओगे क्या... कुछ करेंगे क्या.. और ज्यादा बर्बाद करेंगे कि नहीं करेंगे। इन्होंने बंगाल को कौन सा डवलपमेंट मॉडल दिया है? साथियों, ये 15 साल की बात इसलिए नहीं करते...क्योंकि तब TMC का झूठ, विश्वासघात और टीएमसी की दुर्नीति का कच्चा चिट्ठा खुल जाएगा। टीएमसी ने 15 साल में एक ही मॉडल डेवलप किया है...कौन सा मॉडल यहां सिंडिकेट ही सरकार है... और सरकार ही सिंडिकेट है।

साथियों,

आप ज़रा एक बात सोचकर देखिए... TMC, बंगाल के बाहर कई जगह पे चुनाव लड़ के गई थी, असम में चुनाव लड़के गई थी... गोवा में चुनाव लड़ने गई थी। कहीं पर भी एक वोट कोई नहीं देता है इनको। अरोस-पड़ोस के राज्य इनको पहचान गए... लेकिन वहां उनकी गुंडई नहीं चलती, बेइमानी नहीं चलती और इसलिए कोई उनको पूछने वाला नहीं है। साथियों, TMC, बंगाल से बाहर इसलिए नहीं जीत पाती...क्योंकि इनके पास कोई विजन नहीं है... कोई विचार नहीं है, कोई नीति नहीं है कोई नीयत नहीं है। TMC, गवर्नेंस के नाम पर बहुत बड़ा जीरो है जीरो।..इनकी एक ही काम में मास्टरी है। पीएचडी करके रखा हुआ है। कुछ लोगों ने तो डबल-डबल पीएचडी कर लिया है। और उनकी मास्टरी किसमें हैं। गुंडागर्दी करना। करप्शन करना... इनमें नए-नए खेल करते रहते हैं। इनको लोगों को डराना, बूथ लूटना आता है। बंगाल में ये TMC वाले यही करते रहे हैं...यहां भी TMC के कैंडिडेट्स का बायोडेटा ही...बूथ लूटने के कारनामों से भरा हुआ है। ऐसे लोगों को बंगाल में सरकार चलाने का कोई हक नहीं है।

साथियों,

भारत, विकसित हो, ये हम सभी का संकल्प है। लेकिन भारत तभी विकसित होगा...जब हमारा बंगाल भी विकसित होगा। आप मुझे बताइए बंगाल विकसित होना चाहिए कि नहीं होना चाहिए... बंगाल विकसित होना चाहिए कि नहीं होना चाहिए... बंगाल हिंदुस्तान में नंबर एक होना चाहिए कि नहीं होना चाहिए। क्या ये टीएमसी वाले कर सकते हैं क्या.. कर सकते हैं क्या... और इसके लिए जरूरी है यहां से TMC का भय वाला राज जाना ही चाहिए और बीजेपी का भरोसा वाला राज आना चाहिए। आएगा... आएगा... और इसलिए मैंने विकसित बंगाल बनाने के लिए 6 गारंटियां दी हैं। ये मोदी की गारंटी है। होके रहता है। कल ही बंगाल बीजेपी ने...अपना घोषणापत्र जारी किया है। और इस घोषणापत्र में, ये घोषणापत्र भरोसापत्र है। इसमें, मोदी की इन छह गारंटियों को पूरा करने का पूरा रोडमैप है। मोदी की गारंटी है... कि बीजेपी सरकार, भय को खत्म करके भरोसा कायम करेगी। सरकार पर, कानून पर जनता का भरोसा लौटाएगी। बंगाल बीजेपी ने कहा है... कि हम TMC के 15 साल के भ्रष्टाचार, दंगे, रेप, मर्डर...ऐसे हर अत्याचार को सामने लाने के लिए व्हाइट पेपर लाएंगे। और TMC की राजनीतिक हिंसा के जो पीड़ित हैं...उनको न्याय दिलाने के लिए सुप्रीम कोर्ट के रिटायर्ड जज के नेतृत्व में एक कमीशन बनाया जाएगा।

साथियों,

मुझे बताया गया है... कि यहां की अनेक बेटियां बंगाल के लिए फुटबॉल खेलती हैं। जहां के बेटे-बेटियों में इतना टैलेंट भरा हो वहां फुटबॉल के साथ क्या होता है, ये हमने कुछ महीने पहले कोलकाता में देखा। टीएमसी के नेताओं ने, मंत्रियों ने...फुटबॉल को भी सिंडिकेट के हवाले कर दिया। कितनी शर्मनाक तस्वीरें पूरी दुनिया ने कोलकाता से ये टीएमसी वालों के कारनामें देखे थे। ये महाजंगलराज की ही निशानी है।

साथियों,

हमने एक और ऐतिहासिक घटना भी देखी है। मैदान पर, मोहन बागान और ईस्ट बंगाल की स्पर्धा ऐतिहासिक है... दोनों विजय प्राप्त करने के लिए जी-जान से जुट जाते हैं। जीतने के लिए पूरी ताकत लगा देते हैं लेकिन आरजी-कर मेडिकल कॉलेज में...एक डॉक्टर बेटी के साथ अन्याय किया गया, मर्डर किया गया...तो बंगाल का हर परिवार, हर युवा सड़क पर आ गया था। यहां तक कि...मोहन बागान और ईस्ट बंगाल भी बेटियों के खिलाफ हुई निर्ममता के खिलाफ कंधे से कंधा मिलाकर खड़े हो गए थे। यानि बेटियों का सम्मान और जान को बचाने के लिए...हम सभी को एकजुट होकर निर्मम सरकार को सबक सिखाना है। यहां दिनाजपुर में ही...बीते सालों में बहनों-बेटियों के साथ बहुत ही विभत्स घटनाएं सामने आई हैं। हमें उन्हें भूलना नहीं चाहिए।

साथियों,

मोदी ने बंगाल की बहनों-बेटियों के लिए भी एक गारंटी दी है। बेटियों के साथ हुए हर अन्याय, हर रेप केस की फाइल खुलेगी...अपराध करने वाले और अपराधियों को बचाने वाले... कोई नहीं बचेगा। चुन-चुन कर के हिसाब लिया जाएगा। ये कैसे होगा...ये बंगाल बीजेपी ने घोषणापत्र में स्पष्ट किया है। एक रिटायर्ड हाईकोर्ट की महिला जज को जिम्मेदारी दी जाएगी। वे, रेप और अन्य अत्याचार से जुड़े पीड़ितों की सुनवाई करेंगी। महिलाओं की सुरक्षा सुनिश्चित करने के लिए...हर ब्लॉक में महिला थाने बनाए जाएंगे।

साथियों,

आम नागरिकों की सुरक्षा को लेकर TMC सरकार कितनी उदासीन है..मैं इसका एक और उदाहरण आपको देता हूं। TMC की निर्मम सरकार ने पुलिस में महिलाओं की बहुत कम भर्ती की है। यहां आपके पड़ोस में बिहार है... वहां डबल इंजन की बीजेपी-NDA सरकार है। वहां पुलिस में तेईस-चौबीस परसेंट महिला पुलिस कर्मी हैं...लेकिन बंगाल जैसे इतने बड़े राज्य में... सिर्फ दस परसेंट महिला पुलिसकर्मी भी नहीं है, और उसमें भी ज्यादातर तो रिटायर्ड होने की उमर में पहुंच चुकी हैं। मां-माटी-मानुष बड़ी-बड़ी बातें कहकर सरकार बनाने वाली टीएमसी की ये सच्चाई है। मैं बंगाल की माताओं बहनों को भरोसा देता हूं, मैं बंगाल के लोगों को भरोसा देता हूं। जब बंगाल में 4 मई को बीजेपी सरकार बनेगी...तो फिर बड़े पैमाने पर महिला पुलिसकर्मियों की भी भर्ती की जाएगी। और ये भी मैं आपको गारंटी देता हूं महिला कल्याण हमारी प्राथमिकता में है। बीजेपी की सरकार जिस भी राज्य में है...वो बेटियों को सुरक्षा भी देती है... और उन्हें कमाई का भरोसा भी देती है। पश्चिम बंगाल भाजपा ने भी बहनों के लिए बहुत ही शानदार योजना बनाई है। अभी यहां बहनों को जितना पैसा मिलता है...पश्चिम बंगाल भाजपा डबल देने वाली है डबल। प्रेग्नेंसी के दौरान भी हज़ारों रुपए की मदद देने की घोषणा की गई है। इसके अलावा...सरकारी नौकरियों में तैंतीस प्रतिशत आरक्षण से बंगाल की बेटियों को बहुत फायदा होगा।

साथियों,

TMC के महा-जंगलराज ने... सबसे अधिक यहां के युवाओं का, यहां के सरकारी कर्मचारियों का नुकसान किया है। आज भारत की यूनिवर्सिटीज़... दुनिया की शीर्ष यूनिवर्सटीज़ में शामिल हो रही है। दुनिया की हर बड़ी रैंकिंग में हमारी यूनिवर्सिटीज कमाल कर रही हैं। लेकिन बंगाल में कुछ उल्टा ही हो रहा है, कुछ अलग ही हो रहा है। दिनाजपुर यूनिवर्सिटी... TMC की दुर्नीति का बहुत बड़ा प्रमाण बन गई है। मैं अखबार में पढ़ा था...दिनाजपुर यूनिवर्सिटी के पास अपना कैंपस तक नहीं है। कॉलेज और हॉस्टल के कमरों से यूनिवर्सिटी चलाई जा रही है। बच्चे बीच में ही पढ़ाई छोड़ने को मजबूर हैं। यहां परमानेंट टीचर भी ना के बराबर हैं... और जो गेस्ट टीचर्स हैं भी...उनको भी 400-500 रुपए सिर्फ मिलता है।

साथियों,

ये सिर्फ एक यूनिवर्सिटी की बात नहीं है...बंगाल की दर्जनभर यूनिवर्सिटीज़ की यही स्थिति है। TMC की निर्मम सरकार... इस तरह युवाओं का भविष्य बर्बाद कर रही है। आपका भविष्य बर्बाद कर रही है। आपकी संतानों का भविष्य बर्बाद कर रही है। पढ़ाई की सुविधा है नहीं...कमाई के लिए बाहर जाना पड़ता है...और गलती से भर्ती निकलती है...तो TMC के मंत्री नौकरी ही लूट लेते हैं। आपने देखा...शिक्षक भर्ती में घोटाला करने वालों के घर से कैसे नोटों के पहाड़ निकले थे। याद है ना नोटो के पहाड़ निकले थे। अब बहुत हो गया...एनफ इज एनफ। आर नोय ! आर नोय ! एखोन बदोल चाई..बदोल चाई..

साथियों,

हालात बदलने के लिए ही बंगाल बीजेपी ने...बंगाल के युवाओं...बंगाल के शिक्षकों...बंगाल के हर सरकारी कर्मचारी को गारंटी दी है। जिन्होंने युवाओं को लूटा है, उनका हिसाब होगा, पक्का हिसाब होगा। सात-सात जन्म तक याद ऱके ऐसा हिसाब होगा। और सरकारी कर्मचारियों को भय से मुक्त किया जाएगा... बीजेपी सरकार, पूरी तरह से सेवन्थ पे-कमीशन लागू करेगी। बंगाल के मेरे सभी सरकारी कर्मचारी भाई-बहन ये मोदी आपको गारंटी देता है। यहां हमारी सरकार बनने के बाद बंगाल के सभी सरकारी कर्मचारियों को सेवंथ पे कमीशन दिया जाएगा। साथियों, बंगाल के युवाओं की मदद के लिए बीजेपी ने पूरा खाका खींचा है। बेरोजगार युवाओं के लिए हर महीने हज़ारों रुपए की मदद...भर्ती परीक्षाओं की तैयारी करने वालों को मदद...और अपना कारोबार करने के लिए भी युवाओं को सरकारी मदद...बीजेपी इस संकल्प को लेकर आगे बढ़ रही है।

साथियों,

बंगाल के राजबंशी समाज की... संथाल समाज की...जनजातीय समाज की...पूरे बंगाल और भारत की प्रगति, इस प्रगति में इन समाजों की बहुत बड़ी भूमिका है। चुरका मुर्मू जी, जीतु संथाल जी...ऐसे अनेक नायकों का हम पर बहुत बड़ा कर्ज़ है। उनके जीवन पर हमारा गर्व है। बीजेपी सरकार ने भगवान बिरसा मुंडा के जन्म दिवस को...जनजातीय गौरव दिवस घोषित किया। ताकि देश, आदिवासी समाज के योगदान को याद रखे, उससे प्रेरणा ले।

साथियों,

हमारा निरंतर ये प्रयास है कि आदिवासी क्षेत्रों का तेज़ विकास हो। आदिवासी समाज दशकों तक माओवादी आतंक से प्रभावित था। हमारी सरकार ने, माओवादी आतंक से आदिवासी समाज को करीब-करीब मुक्त करा दिया है। माताएं मुझे आशीर्वाद दे रही है... उनके बेटे सालों बाद घर वापस आए हैं। बीजेपी आदिवासी समाज की हर स्तर पर भागीदारी बढ़ा रही है। हमारे मुख्यमंत्री आदिवासी हैं... मंत्री आदिवासी हैं। और बीजेपी ने पहली बार एक आदिवासी बेटी, द्रौपदी मुर्मू जी को राष्ट्रपति पद के लिए चुना है। असम में मेरी पहली सरकार बनी तो पहला मुख्यमंत्री आदिवासी बना... ओड़िशा में मेरी पहली सरकार बनी तो पहला मुख्यमंत्री आदिवासी बना। छत्तीसगढ़ का मुख्यमंत्री आदिवासी बना। झारखंड में पहली बार सरकार बनी तो वहां का मुख्यमंत्री भी आदिवासी बना। ये हमारा ट्रैक रिकॉर्ड है। एक तरफ बीजेपी ट्राइबल समाज का सम्मान करती है...वहीं TMC ट्राइबल समाज के अपमान का कोई मौका नहीं छोड़ती। राष्ट्रपति द्रौपदी मूर्मू जी कुछ समय पहले बंगाल में संथाल समाज के एक कार्यक्रम में आई थीं। लेकिन टीएमसी ने न संविधान की मर्यादा रखी... और न ही, आदिवासी समाज का मान रखा। और ना ही देश की माताओ-बहनों का सम्मान रखा। और इसलिए माताओं-बहनों का अपमान करने वाली, आदिवासी समाज का अपमान करने वाली, संविधान का अपमान करने वाली TMC को सबक सिखाना है। सिखाओगे.. टीएमसी को सबक सिखाओगे...

साथियों,

टीएमसी कभी आदिवासी क्षेत्रों का उन्नोयन नहीं कर सकती। मैं आपको पीएम जनमन योजना का उदाहरण देता हूं। देश के हर राज्य में आदिवासियों को इस योजना का लाभ मिल रहा है। केंद्र सरकार इस योजना पर करीब 25 हजार करोड़ रुपए खर्च कर रही है। पास में ओडिशा में ही...जहां बीजेपी की सरकार है... वहां पीएम जनमन योजना के तहत आदिवासियों के... तीस हज़ार से अधिक घर बने हैं। त्रिपुरा में भी ट्राइबल समाज के लिए 16 हजार से ज्यादा घर बनवाए गए हैं। लेकिन यहां, TMC की आदिवासी विरोधी सरकार ने...पीएम जनमन योजना के तहत जानते हैं कितने घर बनाए हैं? बताऊं... जीरो.. जीरो... पूरी तरह शून्य...एक भी घर नहीं बनाया, पैसे भारत सरकार देती है... आदिवासी समाज से इनकी दुश्मनी क्या है.. पक्का घर भी देने को तैयार नहीं है...

साथियों,

आपके जीवन में पानी की कमी से कोई संकट ना आए... इसलिए मोदी घर-घर नल से जल पहुंचाने में जुटा है। बीजेपी शासित राज्यों में...इस योजना के तहत भी अच्छा काम हो रहा है। बिहार में पंचानबे परसेंट... यानि करीब-करीब हर घर तक नल से जल पहुंच चुका है। त्रिपुरा में पिच्यासी परसेंट घरों तक... नल से जल पहुंच चुका है। वजह यही है... क्योंकि वहां बीजेपी की डबल इंजन सरकार है। बंगाल के मेरे भाइयों और बहनों... यहां आपके घर में नल लगे...नल से जल आए... इसके लिए भी दिल्ली से पैसा भेजा गया है। लेकिन ये निर्मम सरकार उस पर बैठ गई है। बंगाल में अभी भी, गांव की करीब-करीब आधी आबादी ऐसी है... जहां नल का कनेक्शन नहीं है। आप बीजेपी को लाइए... बीजेपी सरकार यहां घर-घर नल भी लगाएगी और जल पहुंचाने के लिए दिन-रात एक कर देगी। ये मोदी की गारंटी है।

साथियों,

मोदी की एक और गारंटी आपको याद रखनी है। मतुआ, नामशूद्र, ऐसे हर शरणार्थी परिवारों को संविधान के तहत पूरा हक मिलेगा... ये मोदी की गारंटी है.. और जो घुसपैठिये हैं, घुसपैठियों को पूरे भारत से बाहर खदेड़ा जाएगा। बंगाल बीजेपी ने इसकी भी पूरी तैयारी की है। CAA कानून के तहत, हर शरणार्थी की तेज़ी से सहायता की जाएगी।

साथियों,

बीजेपी, पश्चिम बंगाल को फिर से वैभवशाली बनाने के लिए मैदान में है। इसलिए, इन सभी साथियों के लिए, ये जितने मेरे उम्मीदवार है आपका आशीर्वाद मांगने आया हूं। आपका समर्थन मांगने आया हूं। आपने 35 साल लेफ्ट को दिए...15 साल TMC की निर्ममता को दिए... एक मौका मोदी को, एक मौका बीजेपी को देकर देखिए...

साथियों,

आप जिससे भी मिलें... घर-घर जाएंगे... पोलिंग बूथ को मजबूत बनाएंगे.. ज्यादा से ज्यादा मतदान कराएंगे... सभी सीटें जिताएंगे। आप घर-घर जाएंगे तो मेरा एक काम करेंगे... हाथ ऊपर करके बताइए मेरा काम करेंगें... पक्का करेंगे... हर घर जाके कहना। मोदी जी आए थे... और मोदी जी ने परिवार के सबको पॉइला बोइशाख की शुभकामनाएं दी हैं। मेरे साथ बोलिए... भारत माता की... भारत माता की... भारत माता की... भारत माता की... वंदे... वंदे... वंदे... वंदे... वंदे... वंदे... वंदे... वंदे...