આ પહેલ મુસાફરીની સુવિધામાં સુધારો કરશે, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડશે, તેલની આયાત ઘટાડશે અને CO2 ઉત્સર્જન ઘટાડવામાં ફાળો આપશે, ટકાઉ અને કાર્યક્ષમ રેલ કામગીરીને ટેકો આપશે

લાઇન ક્ષમતા વધારવા માટે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ આજે ​​ભારતીય રેલવેમાં બે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી જેથી મુસાફરો અને માલસામાન બંનેનું સરળ અને ઝડપી પરિવહન સુનિશ્ચિત થશે.

આ પ્રોજેક્ટ્સમાં સામેલ છે:

  1. રતલામ- નાગડા 3જી અને 4થી લાઇન
  2. વર્ધા- બલહારશાહ 4થી લાઇન

પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 3,399 કરોડ (અંદાજે) છે અને 2029-30 સુધીમાં પૂર્ણ થશે.

આ પ્રોજેક્ટ્સ પીએમ-ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનનું પરિણામ છે. જે મલ્ટી-મોડલ કનેક્ટિવિટી માટે છે.  જે સંકલિત આયોજન દ્વારા શક્ય બન્યું છે અને પ્રવાસીઓ, માલસામાન અને સેવાઓની અવરજવર માટે સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યોના ચાર જિલ્લાઓને આવરી લેતા બે પ્રોજેક્ટ્સ ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 176 કિલોમીટરનો વધારો કરશે.

પ્રસ્તાવિત મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ આશરે 19.74 લાખ વસ્તી ધરાવતા આશરે 784 ગામડાઓ સુધી કનેક્ટિવિટી વધારશે.

કોલસો, સિમેન્ટ, ક્લિંકર, જીપ્સમ, ફ્લાય એશ, કન્ટેનર, કૃષિ ચીજવસ્તુઓ અને પેટ્રોલિયમ ઉત્પાદનો વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે આ આવશ્યક માર્ગો છે. ક્ષમતા વૃદ્ધિના કાર્યોના પરિણામે 18.40 MTPA (મિલિયન ટન પ્રતિ વર્ષ)ની તીવ્રતાનો વધારાનો માલ ટ્રાફિક થશે. રેલવે પર્યાવરણને અનુકૂળ અને પરિવહનનું ઊર્જા કાર્યક્ષમ માધ્યમ હોવાથી, આબોહવા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં અને દેશના લોજિસ્ટિક્સ ખર્ચને ઘટાડવામાં, તેલ આયાત (20 કરોડ લિટર) ઘટાડવામાં અને CO2 ઉત્સર્જન (99 કરોડ કિલોગ્રામ) ઘટાડવામાં મદદ કરશે જે 4 કરોડ વૃક્ષોના વાવેતર સમાન છે.

આ પ્રોજેક્ટ્સ બાંધકામ દરમિયાન લગભગ 74 લાખ માનવ-દિવસ માટે સીધી રોજગારીનું સર્જન પણ કરશે.

આ પહેલો મુસાફરીની સુવિધામાં સુધારો કરશે, લોજિસ્ટિક ખર્ચ ઘટાડશે, તેલની આયાત ઘટાડશે અને CO2 ઉત્સર્જન ઘટાડવામાં ફાળો આપશે. જે ટકાઉ અને કાર્યક્ષમ રેલ કામગીરીને ટેકો આપશે. આ પ્રોજેક્ટ્સ કન્ટેનર, કોલસો, સિમેન્ટ, કૃષિ ચીજવસ્તુઓ અને અન્ય માલના પરિવહન માટે મહત્વપૂર્ણ માર્ગો પર લાઇન ક્ષમતા વધારીને લોજિસ્ટિક કાર્યક્ષમતામાં પણ વધારો કરશે. આ સુધારાઓ સપ્લાય ચેઇનને ઑપ્ટિમાઇઝ કરવાની અપેક્ષા રાખે છે, જેનાથી ઝડપી આર્થિક વિકાસને સરળ બનાવશે.

વધેલી લાઇન ક્ષમતા ગતિશીલતામાં નોંધપાત્ર વધારો કરશે, જેના પરિણામે ભારતીય રેલ્વે માટે કાર્યકારી કાર્યક્ષમતા અને સેવા વિશ્વસનીયતામાં સુધારો થશે. આ મલ્ટી-ટ્રેકિંગ દરખાસ્તો કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને ભીડ ઘટાડવા માટે તૈયાર છે. આ પ્રોજેક્ટ્સ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નવા ભારતના વિઝન સાથે સુસંગત છે. જે આ ક્ષેત્રના લોકોને "આત્મનિર્ભર" બનાવશે, જે આ ક્ષેત્રમાં વ્યાપક વિકાસ દ્વારા તેમના રોજગાર/સ્વરોજગારની તકોમાં વધારો કરશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s maternal mortality drops nearly 80% since 1990: Global study

Media Coverage

India’s maternal mortality drops nearly 80% since 1990: Global study
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 29 માર્ચ 2026
March 29, 2026

Citizens Praise PM Modi for The Visionary Shift: Empowering Every Citizen in an Uncertain World