માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) અને ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ધ માલદીવ્સ (CA Maldives) વચ્ચેના સમજૂતી કરાર પર હસ્તાક્ષરને મંજૂરી આપી હતી.

વિગતો:

ICAI અને CA માલદીવ્સ એકાઉન્ટિંગ જ્ઞાન, વ્યવસાયિક અને બૌદ્ધિક વિકાસની પ્રગતિ, તેમના સંબંધિત સભ્યોના હિતોને આગળ વધારવા અને માલદીવ અને ભારતમાં એકાઉન્ટન્સી વ્યવસાયના વિકાસમાં સકારાત્મક યોગદાન આપવા માટે પરસ્પર સહકાર સ્થાપિત કરવાનો હેતુ ધરાવે છે.

અસર:

આ એમઓયુ CA માલદીવને મદદ કરવા ઉપરાંત ICAI સભ્યોને માલદીવમાં ટૂંકાથી લાંબા ગાળાના ભવિષ્યમાં વ્યાવસાયિક તકો મેળવવાની સંભાવનાઓને વધારાની પ્રેરણા પૂરી પાડશે. આ એમઓયુ સાથે, ICAI એકાઉન્ટન્સી વ્યવસાયમાં સેવાઓની નિકાસ પ્રદાન કરીને માલદીવ સાથેની ભાગીદારીને મજબૂત કરવામાં મદદ કરી શકશે, ICAI સભ્યો દેશભરમાં વિવિધ સંસ્થાઓમાં મધ્યમથી ઉચ્ચ સ્તરના હોદ્દા ધરાવે છે અને નિર્ણય/નીતિ ઘડવાની વ્યૂહરચના દેશની સંબંધિત સંસ્થાઓને પ્રભાવિત કરી શકે છે.

લાભો:

આ એમઓયુ ICAI સભ્યોને તેમની વ્યાવસાયિક ક્ષિતિજને વિસ્તારવાની તક પૂરી પાડશે અને ICAIને સ્થાનિક નાગરિકોની ક્ષમતા નિર્માણને મજબૂત કરવામાં મદદ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે. એમઓયુ ભારત અને માલદીવ વચ્ચે મજબૂત કાર્યકારી સંબંધોને પ્રોત્સાહન આપશે. આ કરાર બંને છેડે વ્યાવસાયિકોની ગતિશીલતા વધારશે અને વૈશ્વિક સ્તરે વ્યવસાય માટે એક નવા પરિમાણની શરૂઆત કરશે.

અમલીકરણ વ્યૂહરચના અને લક્ષ્યો:

એમઓયુનો ઉદ્દેશ્ય ICAI અને CA માલદીવ વચ્ચે વ્યવસાયિક એકાઉન્ટન્સી તાલીમ, વ્યવસાયિક નૈતિકતા, ટેકનિકલ સંશોધન, એકાઉન્ટન્ટ્સના વ્યવસાયિક વિકાસના સંદર્ભમાં મંતવ્યો, માહિતીના આદાનપ્રદાન દ્વારા એકાઉન્ટન્સી વ્યવસાયની બાબતોમાં સહકારને મજબૂત કરવાનો છે. તેનો હેતુ એકબીજાની વેબસાઇટ, સેમિનાર, પરિષદો, વિદ્યાર્થીઓના વિનિમય કાર્યક્રમો અને બંને સંસ્થાઓ માટે પરસ્પર લાભદાયી અન્ય સંયુક્ત પ્રવૃત્તિઓ સાથે જોડાણ દ્વારા પરસ્પર સહકારને પ્રોત્સાહન આપવાનો પણ છે. આ એમઓયુ વિશ્વમાં વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે ભારત અને માલદીવમાં એકાઉન્ટન્સી વ્યવસાયના વિકાસ અંગે અપડેટ્સ પણ પ્રદાન કરશે. વધુમાં, CA માલદીવ્સ 135 દેશોમાં 180 થી વધુ સભ્યો સાથે એકાઉન્ટન્સી વ્યવસાયનો વૈશ્વિક અવાજ, ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એકાઉન્ટન્ટ્સ (IFAC) ના સભ્ય બનવા માંગે છે. ICAI CA માલદીવ્સ માટે CA માલદીવ્સને IFAC ના સભ્ય બનાવવા માટે ટેકનિકલ ડ્યુ ડિલિજન્સ કરશે.

પૃષ્ઠભૂમિ:

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના વ્યવસાયના નિયમન માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એક્ટ, 1949 હેઠળ સ્થાપિત એક વૈધાનિક સંસ્થા છે. ICAI એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના વ્યવસાયને આગળ વધારવા માટે શિક્ષણ, વ્યાવસાયિક વિકાસ, ઉચ્ચ હિસાબી જાળવણી, ઓડિટીંગ અને નૈતિક ધોરણોના ક્ષેત્રમાં પુષ્કળ યોગદાન આપ્યું છે, જે વૈશ્વિક સ્તરે ઓળખાય છે. 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India records highest surge in QS Subject Rankings 2026

Media Coverage

India records highest surge in QS Subject Rankings 2026
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets people on the occasion of Ram Navami
March 26, 2026

The Prime Minister, Shri Narendra Modi, has extended his greetings to the people on the auspicious occasion of Ram Navami. Shri Modi said that the life of Maryada Purushottam Lord Ram, marked by sacrifice, penance and self-restraint, continues to inspire people to face every situation with strength and determination.

Emphasising the enduring relevance of Lord Ram’s ideals, the Prime Minister noted that these values will remain a guiding force not only for the people of India but for the entire humanity for all times to come.

The Prime Minister wrote on X;

“देशभर के मेरे परिवारजनों को रामनवमी की असीम शुभकामनाएं। त्याग, तप और संयम से भरे मर्यादा पुरुषोत्तम के जीवन से हमें हर परिस्थिति का पूरे सामर्थ्य से सामना करने की प्रेरणा मिलती है। उनके आदर्श अनंतकाल तक भारतवासियों के साथ-साथ संपूर्ण मानवता के पथ-प्रदर्शक बने रहेंगे। मेरी कामना है कि भगवान राम की कृपा से सबका कल्याण हो, जिससे विकसित और आत्मनिर्भर भारत के संकल्प की सिद्धि का मार्ग प्रशस्त हो।”