આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 6,282.32 કરોડ છે, જેમાં બિહારને રૂ. 3,652.56 કરોડની કેન્દ્રીય સહાયનો સમાવેશ થાય છે, જે માર્ચ, 2029 સુધીમાં પૂરી કરવામાં આવશે
હાલની પૂર્વીય કોસી મુખ્ય નહેર (EKMC) નું 41.30 કિમી સુધીનું પુનર્નિર્માણ અને EKMC ને મેચી નદી સુધી 117.50 કિમી પર વિસ્તરણ
બિહારના અરરિયા, પૂર્ણિયા, કિશનગંજ અને કટિહાર જિલ્લામાં 2,10,516 હેક્ટર વિસ્તારમાં ખરીફ સિઝનમાં વધારાની વાર્ષિક સિંચાઈ સુવિધાઓ
પૂર્વીય કોસી મુખ્ય નહેરના હાલના કમાન્ડને મળતો પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે
ચોમાસા દરમિયાન મહાનંદા કમાન્ડમાં 2050 મિલિયન ઘન મીટર કોસી પાણીનું ડાયવર્ઝન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ આજે જલ શક્તિ મંત્રાલયની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના સંતુલિત સિંચાઈ લાભ કાર્યક્રમ (પીએમકેએસવાય-એઆઈબીપી) હેઠળ બિહારના કોસી મેચી ઇન્ટ્રા-સ્ટેટ લિન્ક પ્રોજેક્ટને સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે.

સીસીઈએએ માર્ચ, 2029 સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે બિહારને રૂ.3,652.56 કરોડનાં કેન્દ્રીય સહાયતાની પણ મંજૂરી આપી છે, જેનો અંદાજિત ખર્ચ રૂ.6,282.32 કરોડ છે.

કોસી મેચી આંતર રાજ્ય લિન્ક પ્રોજેક્ટમાં હાલની પૂર્વીય કોસી મુખ્ય નહેર(ઇકેએમસી)નું પુનઃનિર્માણ કરીને બિહારમાં આવેલા મહાનંદ તટપ્રદેશ સુધી સિંચાઈ વિસ્તારવા માટે કોસી નદીના વધારાના પાણીનો કેટલોક ભાગ વાળવાની અને ઈકેએમસીને આરડી 41.30 કિમી પર તેના અંતિમ ભાગથી આગળ આરડી 117.50 કિમી સુધી મેચી નદી સુધી વિસ્તાર કરવાની કલ્પના કરવામાં આવી છે. જેથી બિહારથી વહેતી કોસી અને મેચી નદીઓ ને બિહારની અંદર એક સાથે જોડી શકાય.

આ લિન્ક પ્રોજેક્ટથી બિહારના અરરિયા, પૂર્ણિયા, કિશનગંજ અને કટિહાર જિલ્લાઓમાં ખરીફ સિઝનમાં 2,10,516 હેક્ટર ક્ષેત્રમાં વધારાની વાર્ષિક સિંચાઈની સુવિધા મળશે. આ પરિયોજનામાં સૂચિત લિંક કેનાલ મારફતે કોસીના લગભગ 2,050 મિલિયન ક્યુબિક મીટર વધારાના પાણીને ડાયવર્ટ/ઉપયોગમાં લેવાની ક્ષમતા છે. ઉપરાંત હાલની ઇકેએમસીને નવેસરથી તૈયાર કર્યા પછી હાલની પૂર્વીય કોસી મુખ્ય નહેરના 1.57 લાખ હેક્ટર વર્તમાન કમાન્ડનો પુરવઠાની અછત દૂર થશે.

પાર્શ્વભૂમિ:

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (પીએમકેએસવાય) વર્ષ 2015-16 દરમિયાન શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ ખેતી પર પાણીની ભૌતિક પહોંચ વધારવાનો અને ખાતરીપૂર્વક સિંચાઈ હેઠળ ખેતીલાયક વિસ્તાર વધારવાનો, ખેતરમાં પાણીનો ઉપયોગ કરવાની કાર્યદક્ષતામાં સુધારો કરવાનો, જળ સંરક્ષણની સ્થાયી પદ્ધતિઓ પ્રસ્તુત કરવાનો છે.

ભારત સરકારે વર્ષ 2021-26 દરમિયાન પીએમકેએસવાયનાં અમલીકરણને મંજૂરી આપી છે, જેમાં કુલ રૂ. 93,068.56 કરોડનો ખર્ચ થશે (રૂ. 37,454 કરોડની કેન્દ્રીય સહાય). પીએમકેએસવાયનો ત્વરિત સિંચાઈ લાભ કાર્યક્રમ (એઆઇબીપી) ઘટક મુખ્ય અને મધ્યમ સિંચાઈ યોજનાઓ મારફતે સિંચાઈ સંભવિતતા ઊભી કરવા માટે છે.

અત્યાર સુધીમાં પીએમકેએસવાય-એઆઈબીપી અંતર્ગત 63 પરિયોજનાઓ પૂર્ણ થઈ ચૂકી છે અને એપ્રિલ, 2016થી અત્યાર સુધીમાં 26.11 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈની વધારાની ક્ષમતા ઊભી કરવામાં આવી છે. વર્ષ 2012-22થી અત્યાર સુધીમાં પીએમકેએસવાય 2.0નાં એઆઇબીપી ઘટક પછી નવ યોજનાઓને સામેલ કરવામાં આવી છે. કોસી મેચી ઇન્ટ્રા-સ્ટેટ લિન્ક પ્રોજેક્ટ આ યાદીમાં સામેલ દસમો પ્રોજેક્ટ છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Nepal praises India's efforts in times of crisis; calls PM Modi 'exceptionally generous'

Media Coverage

Nepal praises India's efforts in times of crisis; calls PM Modi 'exceptionally generous'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 30 ઓગસ્ટ 2026
August 30, 2026

Tiranga in Tashkent, Relief in Nepal: Soft Power Meets First Responder

Vocal for Local, Nari Shakti, Real Heroes: Mann Ki Baat’s Atmanirbhar Hour