Our government is proud and fortunate to have transformed Mazdar village into Kagdham. This is the real tribute to Kag Bapu: PM Modi in Amreli

ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)


ભારત માતા કી... (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)


અમરેલી આવું એટલે એમ લાગે કે જાણે ઘરે આવ્યો છું. હું એવો દાવો કરી શકું કે જીવરાજ મહેતા એવા મુખ્યમંત્રી હતા જે અમરેલીના હતા, પણ આ મોદી એવો મુખ્યમંત્રી હતો કે અમરેલી જ એનું હતું. ભાઈઓ, આપણી આ ઘરા, સંતોની ધરા, કર્મયોગીઓની ધરા, આ સાહિત્ય ને સમૃદ્ધ કરનાર અમરેલીની તાકાત છે, ભાઈ. અહીંયા એની કલમમાંય ધાર છે, એની તલવારમાં પણ ધાર છે. એવું આપણું અમરેલી, અને હમણા અમારા સંચાલક મહોદય બધાના નામ દેતા હતા, રમેશ પારેખ સહિત બધાનું લઈ આવ્યા. અનગિનત લોકો છે, અનગિનત લોકો છે. કભી કભી અમારે રૂપાલાજી જોડે મૂડમાં હોય તો સાંભળવા બેસીએ, એટલે સવાર પડી જાય.


ભાઈઓ, બહેનો,


આ અમરેલી એવું, હેલિકોપ્ટરમાંથી નીકળીને આવ્યો, આખો રોડ ઉપર ઉત્સાહ, ઉમંગ. નાના નાના ભુલકાઓ જે રીતે, અને અહીંયા પણ આજે આ ઠાઠ જોઉં છું ને, ભાઈ, વાહ. આજે તો અમરેલીએ આમ કમાલ કરી દીધી છે. આ દૃશ્ય જ બતાવે છે કે આ વખતે અમરેલી જિલ્લાની ચૂંટણીની કમાન અહીં બેસેલા (મંચ ઉપર બેઠેલાઓ તરફ હાથ કરીને) કોઈની પાસે નથી. આ વખતે અમરેલી જિલ્લાની ચૂંટણી અહીંયા બેઠેલા (ઑડિયન્સ તરફ હાથ કરીને) લોકોના હાથમાં છે. જનતા જનાર્દને ચૂંટણી ઉપાડી લીધી છે, ભાઈઓ. અને આ દૃશ્ય જ કહે છે કે ગુજરાતનો આ શંખનાદ છે, ગુજરાતનો આ વિજયઘોષ છે.


ફિર એક બાર (ઑડિયન્સમાંથીઃ- મોદી સરકાર...)


ફિર એક બાર (ઑડિયન્સમાંથીઃ- મોદી સરકાર...)


ફિર એક બાર (ઑડિયન્સમાંથીઃ- મોદી સરકાર...)


ફિર એક બાર (ઑડિયન્સમાંથીઃ- મોદી સરકાર...)


ભાઈઓ, બહેનો,


ગયા 20 વર્ષમાં અહીંયા જે પ્રગતિ થઈ છે, એની જે સિદ્ધઓના આંકડા છે, અહીંના જીવનમાં જે બદલાવ આવ્યો છે, એના કારણે તમે વિકાસ બોલો, એટલે ગુજરાત દેખાય અને ગુજરાત બોલો એટલે વિકાસ દેખાય. ગુજરાતમાં ઉદ્યોગોનો જે રીતે વિકાસ થયો છે, ગુજરાતમાં જે રીતે કૃષિ ક્ષેત્રે નવા પ્રયોગો થયા છે, અને એમાં અમારા અમરેલી જિલ્લાની વિશેષતા, કૃષિ વિભાગ જાણે અમરેલી માટે રિઝર્વ થઈ ગયો હોય. અને ગયા 20 વર્ષમાં હજારો નવા ઉદ્યોગો, એણે ગુજરાતને ઔદ્યોગિક રીતે પણ દેશમાં એક નવી છબી બનાવી છે, અને એમાં હજારો લોકો, એને રોજગારના અવસર, નાના મોટા ઉદ્યોગોને સુસંગત કામો શરૂ કરવાના અવસર, અને આપણું આ પીપાવાવ પોર્ટ, નામ તો ઘણું જુનું. પણ એ જીવતું જાગતું થયું. આજે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કેન્દ્ર બની રહ્યું છે. એ પીપાવાવ એ મારા અમરેલી જિલ્લાની શકલ-સુરત બદલવાનું છે, ભાઈઓ. અને તમને બધાને ખબર હશે, ઉત્તર ભારતને જોડનારો જે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર છે, એ આ ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર આ અમારા પીપાવાવ બંદર સાથે જોડાશે, એનો અર્થ એ થયો કે ઉત્તર ભારતનો જે કંઈ બધો સામાન છે એ અમારા પીપાવાવ પોર્ટ પરથી એટલે અમારો અમરેલી જિલ્લો. સમુદ્રી વ્યાપારની અંદર, ધમધમતું કેન્દ્ર બનવાનું છે, જે ઈતિહાસમાં એક નવું ચેપ્ટર ઉમેરાઈ જશે. એનો વિશ્વાસ તમે કરજો, ભાઈ. અને આના કારણે, આજે ડેડિકેટેટ ફ્રેઈટ કોરિડોર આવી રહ્યો છે, એના કારણે આપણા કૃષિને પણ મોટો ફાયદો થવાનો છે. ઉદ્યોગોને ફાયદો થવાનો છે.


ભાઈઓ, બહેનો,


કદાચ અમરેલી જિલ્લાને ભૂતકાળમાં પાણી માટે કેવી કેવી મુસીબતો વેઠવી પડી છે એ આજે અંદાજ નહિ હોય કે ગયા 3, 4 સિઝનથી વરસાદ સરસ પડે છે પાછો. આખા ગુજરાતમાં સારામાં સારો વરસાદ અમરેલીમાં, વહેલામાં વહેલો વરસાદ અમરેલીમાં. એનો અર્થ એ થયો કે પાણીની પરમેશ્વરની જેમ પૂજા કરો ને તો પરમાત્મા પણ પાણી વરસાવતો હોય છે ભાઈઓ. આપણે જે પાણીને માટે કામો કર્યા, સિંચાઈ યોજના માટે જે કામો કર્યા. ચેકડેમ માટે જે કામો કર્યા, ખેતતલાવડી માટે કામો કર્યા. તળાવો બનાવવા માટે જે કામો કર્યા, એ આ જે જહેમત કરી ને, એ વરૂણદેવતાએ પણ જોઈ કે ભાઈ, આ અમરેલીના ભાઈઓ આટલી મહેનત કરે છે, ચાલ, હવે વરસવું હોય તો અમરેલીમાં જઈને વરસું. અને અમરેલીના પાણીને બધી મુસીબતોમાંથી મુક્તિ અપાવું. આ કામ આપણે જોયું છે, ભાઈ. આ આપણા જીવનની અંદર બદલાવ આવ્યો છે. આજે અમારા અમરેલી જિલ્લાના સેંકડો ગામો, પાઈપલાઈનથી પાણી પહોંચે, સાહેબ. અને પાઈપલાઈનથી પાણી પહોંચે એટલે કલ્પના... પહેલા તો હેન્ડ પંપ, લાંબુ લાંબુ દોડે તો શું? અને કોઈક ધારાસભ્ય કોઈક ગામમાં હેન્ડ પંપ લગાવી દે ને તો એ ગામ એ ધારાસભ્યને ચાર ચાર ચૂંટણીઓ જીતાડી દે.

હેન્ડ પંપ... એવો જમાનો હતો. અહીંયા તો પાઈપથી સાહેબ, ઘેર ઘેર પાણી પહોંચાડીએ છીએ. કારણ? અમારે તો ગુજરાતના જીવનને એવું બનાવવું છે કે તમારી આવનારી પેઢીઓને પણ મુસીબત ના આવે, ભાઈઓ. એવું મજબુત બનાવવું છે. અને એના માટે આ જહેમત કરી રહ્યા છીએ. ગુજરાતે જે રીતે કૃષિ ક્ષેત્રે કાયાકલ્પ થયો છે, ભાઈ. નહિ તો આપણું ગુજરાત એટલે ખેતીની બાબતમાં હિન્દુસ્તાનના દસાડા દફતરમાં નામ જ નહોતું. માઈનસ ગ્રોથ આપણો. કારણ કે દસ વર્ષમાં સાત વર્ષ દુષ્કાળ પડતો હોય, ત્યારે ખેડૂત બિચારો કરે શું? બાજરા, જુવાર કે મકાઈના દાણા નાખીને જે કંઈ નીકળે એમાંથી કંઈ થતું નહોતું, ભાઈઓ. આજે આપણે ખેતીને નફાના ધોરણ ઉપર લઈ જવાની દિશામાં કામ કરી રહ્યા છીએ, અને બે દસક પહેલાં કોઈ કદાચ આના માટે વિચારી નહોતું શકતું, ભાઈઓ. આપણા ખેડૂતોને પાણીની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટેનું અભિયાન આપણે ચલાવ્યું. સાથે સાથે વીજળીના સંકટમાંથી એને મુક્તિ અપાવી. મને યાદ છે, એ જમાનો હતો, કે ટ્રાન્સફોર્મર બળી જાય ને, કારણ કે વીજળીના ઠેકાણા નહિ, ઉતાર-ચઢાવ ચાલ્યા કરે, એટલે ટ્રાન્સફોર્મર બળી જાય. પાક પીળો પડી જાય, ગાંધીનગરમાં ચક્કર મારે, ધારાસભ્યો દોડાદોડ કરે, ટ્રાન્સફોર્મર બદલતા બદલતા બબ્બે – ત્રણ ત્રણ મહિના જતા રહે. સિઝન પુરી થઈ જાય. પાક આખો પીળો પડી ગયો હોય, ખેડૂત બિચારો બરબાદ થઈ ગયો હોય. આપણે આવીને બદલ્યું. ફોન કરો ને ટ્રાન્સફોર્મર બદલાય એવો જમાનો આપણે લાવી દીધો હતો, પછી તો સ્થિતિ એવી લાવી કે ટ્રાન્સફોર્મર બળે પણ નહિ, ભાઈ. સિંચાઈની સુવિધાઓ વધારવા માટે આપણે અનેક કામો કર્યા. નહેરોના કામો કર્યા, અને આના કારણે અમારો ખેડૂત આજે ત્રણ ત્રણ પાક ઉગાડવા માંડ્યો છે. એને એનો લાભ થવા માંડ્યો છે, ભાઈઓ.


ભારતી જનતા પાર્ટીની સરકારે ગુજરાતમાં ખેતીને મહાસંકટમાંથી બહાર કાઢી. અમે ગામડાને બચાવી લીધું છે. નહિ તો અમારું ગુજરાતનું અને ખાસ કરીને કચ્છ, કાઠીયાવાડનું, સૌરાષ્ટ્રનું અમારું ગામડું ખાલી થતું જાય. લોકો મજુરી કરવા જાય, પણ ગામડે પાછા આવવાનું પસંદ નહોતા કરતા, એવા દિવસો હતા. આપણે જ્યારે જ્યોતિગ્રામ યોજના લાવ્યા ને, ત્યારે ઘરમાં તો 24 કલાક વીજળી મળી પણ જ્યોતિગ્રામ યોજનાના કારણે ખેડૂતને વીજળી પાકી મળવાની નક્કી થઈ ગઈ કે આટલા કલાક મળે એટલે મળે. દિવસે મળે એટલે મળે. એના ખેતરમાં પાણી વિના પાક સુકાય નહિ, એના માટે જે વીજળી જોઈએ એ મળે એટલે મળે, આ આપણે કરી શક્યા. અને આપણે જ્યારે કિસાન હિત ઊર્જા શક્તિ યોજના. ખુશી – એને જ્યારે કર્યું, 1 લાખથી વધારે ટ્રાન્સફોર્મર આપણે લગાવ્યા, 1 લાખ કરતા વધારે ટ્રાન્સફોર્મર. અને આપણા સરકારને... સૌથી મોટો લાભ મોટો કર્યો કૃષિ મહોત્સવ. જૂન મહિનામાં સાહેબ 35 – 40 ડિગ્રી તાપમાન હોય અને ગુજરાતના ગામડે ગામડે કૃષિરથ ફરતો હોય, ખેડૂતની સાથે બેસીને ખેતીમાં કેવી રીતે બદલાવ લાવવો, કેવી રીતે આધુનિક ટેકનોલોજી લાવવી, બિયારણ કેવી રીતે લાવવું, જમીન માટે થઈને આ બધા... સોઈલ ટેસ્ટિંગના કામ કેવી રીતે કરવા, બીજથી લઈને બજાર સુધી અમારા ખેડૂતને તૈયાર કરવાનું કામ આપણે આ કર્યું, અને ગુજરાતમાં નહેરો દ્વારા પાણી પહોંચાડ્યું, બીજી બાજુ કૃષિ મહોત્સવ દ્વારા માહિતી પહોંચાડી, અને આજે આપણા 70,000 કિલોમીટર નહેરોનું નેટવર્ક, ભાઈઓ, કોઈ કલ્પના કરી શકે? 70,000 કિલોમીટર નહેરોનું નેટવર્ક, આ આપણા ગુજરાતના ખુણે ખુણે પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, અને એના કારણે સવા કરોડ સોઈલ હેલ્થ કાર્ડ, આપણા ગુજરાતમાં સવા કરોડ સોઈલ હેલ્થ કાર્ડ, માટીની પહેચાન, એનું કામ આપણે કર્યું છે. અને એના કારણે ખેડૂતે પોતાને કયું બીજ વાવવું, કયું ખાતર નાખવું, કઈ દવા નાખવી, એની બધી એને સમજણ પડે.

અને એની સાથે સાથે પશુધન. પહેલા એવી સરકાર હતી કે ડેરી ન બનાવવા માટેના નિયમો હતા. અમે ડેરી બનાવવાના નિયમો બનાવ્યા. અને અમારી અમરેલીની ડેરીએ તો કમાલ કરી દીધો છે, ભાઈ, કમાલ કરી દીધી. આટલા ટૂંકા ગાળામાં જે પ્રગતિ થઈ છે, અને એની સાથે સાથે પશુઓ માટે આપણે જે જે, આખા દેશમાં, આ માણસોને જે આપણે કોરોનોમાં જે ટીકાકરણ થયું એની ચર્ચા તો થાય છે. આપણે પશુઓ માટેના ટીકાકરણનું મોટું અભિયાન ચલાવી રહ્યા છીએ. હજારો કરોડ રૂપિયાના બજેટ ખર્ચી રહ્યા છીએ. આપણે કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ અમારા પશુપાલકોને આપી રહ્યા છીએ. એ જ રીતે અમારા માછીમાર ભાઈઓ, બહેનો, એમને પણ કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ મળી રહ્યો છે. અને હિન્દુસ્તાનમાં આટલી બધી સરકારો આવી, આ દરિયો હતો કે નહોતો, ભાઈ? માછીમારો હતા કે નહોતા, ભાઈ? માછીમારી ચાલતી હતી કે નહોતી ચાલતી? આવડું મોટું હિન્દુસ્તાન, આવડો મોટો દરિયાકિનારો, પરંતુ મત્સ્ય વિભાગ નહોતો, સરકારનો કોઈ મંત્રી નહોતો. અમે જુદું મંત્રાલય બનાવ્યું, અને અમારા રૂપાલાજી એનું નેતૃત્વ કરી રહ્યા છે. આખા દેશના માછીમારોની જિંદગી બદલવાનું કામ ચાલી રહ્યું છે. ફિશિંગ હાર્બર બનાવવાના કામ હોય, તેજીથી થઈ રહ્યા છે. અમારા ફિશરમેનને, માછીમારને આર્થિક મદદ કરવાના કામ થઈ રહ્યા છે. અમે ટેકનોલોજી દ્વારા, ચાહે ખેડૂતને વેબ પોર્ટલ હોય, એનો લાભ ફિશરમેનને મળે, એનો લાભ પશુપાલકને મળે, એના માટે સબસીડી મળે, આની ચિંતા આપણે કરી છે, ભાઈઓ, બહેનો.


બે દસક પહેલાં વીજળી ઉપર 75,000 કરોડથી વધારે આપણે સબસીડી આપી, એના કારણે મારા ખેડૂતને ક્યારેય વીજળી મોંઘી ન પડી, એની ચિંતા આપણે કરી છે. કિસાન સૂર્યોદય યોજના તહત કિસાનોને ખેતીમાં દિવસે વીજળી મળે એની ચિંતા કરી છે. રાત્રે એને ઉજાગરા કરવા ના પડે, આ ચિંતા કરી છે, ભાઈઓ, બહેનો.


એક જમાનો હતો, ગુજરાતમાં માત્ર એક એગ્રીકલ્ચર યુનિવર્સિટી હતી. ચાર ચાર એગ્રીકલ્ચર યુનિવર્સિટી બનાવી દીધી. અને વિસ્તાર પ્રમાણે ખેડૂતોની જે આવશ્યકતા હતી, એ પ્રમાણે આપણે રિસર્ચ કરવા માંડ્યા. અને એના કારણે ખેતી આધુનિક બની. ખેતી વૈજ્ઞાનિક બની. અને ખેતીની આખી રસમ બદલાઈ ગઈ. આ કામ આપણે કરી શક્યા છીએ.


ભાઈઓ, બહેનો,


ગુજરાતની અંદર હજારો કરોડ રૂપિયા બે દસકમાં 9,000 કરોડથી વધારીને 2 લાખ કરોડ રૂપિયા, ક્યાં 9,000 કરોડ રૂપિયા ને ક્યાં 2 લાખ કરોડ રૂપિયા? એટલે સુધી આપણે હરણફાળ ભરી છે, ભાઈઓ. આજે વર્ષોથી ગુજરાતમાં કૃષિ વિકાસદર જે માઈનસમાં હતો, આપણી જહેમતનું પરિણામ આવ્યું કે ડબલ ડિજિટમાં ગુજરાતનો કૃષિ વિકાસદર થયો, અને હિન્દુસ્તાનમાં કૃષિ વિકાસ માટેના જેટલા ઈનામો હતા ને એ ઈનામ બધા ગુજરાત લઈ આવતું હતું. જે ગુજરાત સૂકુંભઠ્ઠ ગણાતું હતું, એમાં આપણે આ બધું કરી રહ્યા હતા. આજે ગુજરાતમાં સિંચાઈનો દાયરો પણ આજે 20 વર્ષમાં લગભગ સવા બે ગણો કરી દીધો છે, આપણે.

અને આજે ગુજરાતમાં અનાજનું ઉત્પાદન પહેલાની તુલનામાં ડબલ થવા માંડ્યું છે. સૂકાભઠ્ઠ ગુજરાતમાં દૂધનું ઉત્પાદન અઢી ગણું વધ્યું છે. આજે ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન પહેલા કરતા ચાર ગણું વધ્યું છે. આજે ગુજરાતમાં ફળોનું ઉત્પાદન પહેલા કરતા ત્રણ ગણું વધ્યું છે. આજે ગુજરાતમાં એવી અનેક ફસલો, કમલમ... કમલમની ખેતી વિદેશોમાં જઈ રહી છે. કચ્છની આફુસ વિદેશમાં જઈ રહી છે. અમારો અમરેલી જિલ્લો પણ હવે ફળફળાદીની દિશામાં આગળ વધી રહ્યો છે.


ભાઈઓ, બહેનો,


બીજી બાજુ, પ્રાકૃતિક ખેતી. મને રૂપાલાજી અમારા દિલીપભાઈ કહેતા હતા કે સાહેબ, અમારા અમરેલી જિલ્લાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને એવી પોતાની બનાવી દીધી છે અને લાખો ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. હું માનું છું, તમે ગુજરાતની તો સેવા કરી રહ્યા છો, પોતાની તો કરી રહ્યા છો, ધરતી માતાની કરી રહ્યા છો, અરે, આવનારી પેઢીઓની પણ સેવા કરી રહ્યા છો. આ કામ જે અમરેલી જિલ્લાએ ઉપાડ્યું છે, એ અભિનંદનને પાત્ર છે, ભાઈઓ.


જ્યારે ગુજરાતના લોકોએ મને દિલ્હી મોકલ્યો. આપની પાસેથી હું જે શીખીને ગયો છું, અહીંયા જે મુસીબતોમાંથી જીવતા ખેડૂતોને મેં જોયા હતા, ગામડા જોયા હતા, એમાંથી દિલ્હીમાં ગયો અને જે યોજનાઓ બનાવી, એ યોજનાની અંદર આ ગરીબ માણસ, કિસાન, ખેડૂત, એની આવક કેમ વધે, એના માટે આપણે 1,700 કરતા વધારે વેરાયટી એના માટેના બીજ ઉપલબ્ધ કરાવવા માટેનું મોટું અભિયાન ચલાવ્યું, અને એના કારણે ખેડૂત ઓછા પાણીએ સિંચાઈની સીમિત સુવિધાઓ વચ્ચે પણ એ પાક પકવી શકે અને 1 લાખ કરોડ રૂપિયા સિંચાઈની પરિયોજનાઓ પુરી કરવા માટે આપણે લગાડ્યા, એના કારણે ખેડૂતોને... અમારા પશુઓને, મેં કહ્યું એમ બીમારી, ફૂટ અને માઉટની બીમારી, એના કારણે અમારા પશુઓને તકલીફ પડે અને આપણે તો એને એમ થાય કે ખાતું નથી, ને આમ નથી પણ એની બીમારી દૂર કરવા માટે એનું ટીકાકરણ કરવું પડે. એના માટેનું મોટું અભિયાન ચલાવ્યું. અને આજે ભારતના કરોડો પશુઓને બચાવવા માટેનું કામ ચાલ્યું છે. ખેડૂતોની નાની નાની જરુરીયાતો હોય, એને પુરી કરવા માટે પી.એમ. કિસાન સન્માન નિધિ. આપ વિચાર કરો, વર્ષમાં ત્રણ વખત, બબ્બે હજાર રૂપિયા સીધા એના બેન્કના ખાતામાં જાય, કોઈ વચેટીયો નહિ. એકલા, અમારા, આની પાછળ પી.એમ. કિસાન સન્માન નિધિ પાછળ દેશમાં સવા બે લાખ કરોડ રૂપિયાથી વધારે રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ. સવા બે લાખ કરોડ રૂપિયા. મારા અમરેલી અને ગુજરાતમાં અમારા 60 લાખ જેટલા ખેડૂતોને 12 હજાર કરોડ રૂપિયા આ પી.એમ. કિસાન સન્માન નિધિના મળ્યા છે, અને ભાઈઓ, બહેનો, એના કારણે ખેડૂતની ખરીદશક્તિ વધી છે. એના કારણે જે ગામડાના વેપારીઓ હોય, એની આવક વધી છે. એના કારણે મધ્યમ વર્ગના જીવનમાં બદલાવ થયો છે. અને 10,000 જેટલા ખેડૂતો આજે એના ઉત્પાદક સંઘો બનાવવાની કલ્પના, એ.પી.ઓ. બજેટમાં ફાળવ્યું છે. 10,000 ઉત્પાદક સંઘો બનાવીને આપણે કામ કરી રહ્યા છીએ.


આજે યુરિયાની મારે વાત કરવી છે, ભાઈઓ, બહેનો, ઘણી વાર લોકોને એમ લાગે છે કે સરકાર શું કરે છે? અહીં આજકાલ કેટલાક લોકો ભાતભાતના ભાષણો કરવા આવે છે ને? યુરિયાની એક થેલી ખેડૂતને 270 રૂપિયામાં પડે. પણ સરકારને કેટલામાં પડે, ખબર છે? યુરિયા બહારથી લાવવું પડે છે. 2,000 રૂપિયામાં થેલી લાવીએ છીએ. સરકારને એક થેલી 2,000 રૂપિયામાં પડે છે અને સરકાર એ થેલી ખેડૂતોને 270 રૂપિયામાં આપે છે. કારણ, મારો ખેડૂત નબળો ન પડે. અને એના માટે થઈને ખાલી યુરિયામાં અઢી લાખ કરોડ રૂપિયાની સબસીડી જાય છે, ભાઈઓ. હવે એમાંથી આપણે રસ્તો કાઢ્યો છે. નેનો યુરિયા. અમારા દિલીપભાઈએ કદાચ ઘણું બધું તમને વિસ્તારથી કહ્યું હશે. જે એક થેલામાં યુરિયા જેટલું કામ કરે, એક નાની બોટલ, નેનો યુરિયાથી થાય અને ગુજરાતના કિસાનોએ, દેશના કિસાનોએ આ નેનો યુરિયાનું સ્વાગત કર્યું છે. એના કારણે પાકમાં પણ સુધાર થયો છે. વૈજ્ઞાનિક ઢબે આપણે આગળ વધી રહ્યા છીએ. અને એમાં અમારા અમરેલી જિલ્લાના કિસાનોને એનો લાભ મળે અને મને કહેવામાં આવ્યું કે અમરેલીમાં તો કપાસ અને મગફળી, એની ખરીદી પણ આ વખતે જરા ઉંચાઈ રહી છે. એનો પણ એક આનંદ ખેડૂતોમાં છે. રેકોર્ડ કિંમતો મળી રહી છે.


ભાઈઓ, બહેનો,


અને અમારું અમરેલી તો શાનદાર ક્વોલિટી. આ એનું બજાર મશહુર છે, ભાઈ. એની દરેક ક્વોલિટીની ઊંચાઈની વાત થતી હોય છે. અને આપણને ખબર છે? આવતા વખતે 2023માં, આપણે યુ.એન.ને એક પત્ર લખ્યો હતો કે તમે 2023માં મિલેટ-ઈયર મનાવો. મિલેટ એટલે આપણો જવાર ને બાજરા ને જે મોટું અનાજ કહેવાય ને, જાડું અનાજ બધું. જ્યાં સિંચાઈ ના હોય ને એમ જ પાકતું હોય ને એકાદ વીધા જમીન હોય ગરીબ ખેડૂતો પકવતા હોય. આ મોટા અનાજ જેને કહે છે, એની દુનિયામાં આવતા વર્ષે ડીમાન્ડ વધે એના માટેનું અભિયાન ઉપાડ્યું છે. જેથી કરીને મારા દેશનો નાનો જે ખેડૂત છે ને એને આવક વધે, એનો બાજરો દુનિયામાં વેચાય, અને જ્યારે બાજરાની વાત આવે ત્યારે જાફરાબાદ તો યાદ આવે જ પહેલા. જાફરાબાદના બાજરાની, હું ઘણી વાર દિલ્હીમાં ચર્ચા કરતો હોઉં કે ભાઈ, દુનિયાનો લાંબામાં લાંબો ઘઉં જોવો હોય ને તો મારા ભાવનગર આવો, અમારી ઉત્તમ પ્રકારની બાજરી જોવી હોય તો અમારા જાફરાબાદમાં આવો, અમારા ભાલના ઘઉં જોવા હોય તો આવો તમે ભાલમાં. જ્યારે બહારના લોકોને કહેતો હોઉં છું ને ત્યારે આશ્ચર્ય થતું હોય છે. પણ આજે અમારા જાફરાબાદની બાજરી દુનિયાભરમાં ડંકો વગાડવાની છે. લખી રાખજો, ભાઈઓ. આવતું વર્ષ, દુનિયા આ મિલેટ-ઈયર મનાવશે, ત્યારે આપણો બાજરો હોય, જુવાર હોય, જે જાડા જાડા અનાજ, જે કોઈ એક જમાનામાં આપણે કાઢી નાખ્યા હતા, હવે એ મુખ્ય ખોરાક બની રહ્યા છે. ન્યુટ્રિશન માટેની જે લોકોમાં જાગૃતિ આવી છે, એ જ રીતે ભાઈઓ, બહેનો, શિક્ષણ તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું.

બાળકોના શિક્ષણ માટે. પહેલાનો જમાનો હતો, વીસ – પચ્ચીસ વર્ષમાં પઢાઈ, કમાઈ, સસ્તી દવાઈ, એના માટે ગુજરાતે અનેક કામ કર્યા છે, અને એના કારણે બે દસકમાં ગુજરાતમાં, બે દસક પહેલા શું સ્થિતિ હતી? 100માંથી 40 બાળકો જતા. 60 બાળકો નિશાળ છોડીને જતા રહેતા હતા, ભાઈઓ. ધીરે ધીરે પછી 50 થયા પછી 60 ભણ્યા, 40 ગયા, પણ આપણે તો અભિયાન ઉપાડ્યું કે ના, એકેય છોકરું નિશાળમાંથી બહાર ના આવવું જોઈએ. એમાંય દીકરીઓ મારી ભણવી જોઈએ. દીકરા-દીકરીઓને ભણાવવા માટે ધોમધખતા તાપમાં જૂન મહિનાની ગરમીમાં ગામડામાં જતા હતા. ઘેર ઘેર જઈને કહેતા હતા કે મને ભિક્ષા આપો, દીકરીઓને ભણાવવા માટેનું મને વચન આપો. અને ગુજરાતમાં દીકરીઓને ભણતી કરવા માટે શાળા પ્રવેશોત્સવ કરીએ. કન્યા કેળવણીના કાર્યક્રમ કરીએ, ગુણોત્સવ કરીએ. બેટી બચાવો, બેટી પઢાઓના કાર્યક્રમ કરીએ. આ બધા અભિયાનોના પરિણામે અમારા દીકરા, દીકરીઓ ભણતી થઈ. એનો અભ્યાસ પુરો થાય એના માટે અમે કામ કર્યા, અને અમારા અમરેલી જિલ્લામાં 2001માં આ જ મુદ્દે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આ એની શાળાઓનું નિર્માણ, આ એની ગુંથણી અમારા અમરેલી જિલ્લામાં વધી. સરકારની બે શાળાઓ હતી, ભાઈઓ, આજે 300 ઉપર પહોંચી ગઈ છે. બેમાંથી 300. અમારા માટે શિક્ષણનું કેટલું મહત્વ છે ને એનો આ નમૂનો છે, ભાઈઓ. અમે સરકારી સ્કૂલની સંખ્યા પચાસે પહોંચાડી દીધી છે. 300 સ્કૂલો જનરલ, પચાસ સ્કૂલો સરકારી. અને હવે તો ગુજરાતમાં હજારો સ્કૂલો, એને આધુનિક બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. અને અમારા ગુજરાતના બાળકો વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધે, એના માટે અટલ ટિંકર એક લેબ. શાળાની અંદર વિજ્ઞાનના વિષયોની અંદર એનું ભણતર વધે, એના માટે મોટું કામ ચાલી રહ્યું છે. આપણા ગુજરાતની ધરતીમાં મારી માતાઓ, બહેનોની ભુમિકા આગવી રહેલી છે. આજે ગયા 20 વર્ષથી જે લગાતાર કામ કરતા હતા, આ અમૃતકાળની અંદર 25 વર્ષ ચાલે છે ત્યારે મને પુરો વિશ્વાસ છે કે ભારતને વિકસિત ભારત બનાવવાની દિશામાં મારી માતાઓ, બહેનોનું યોગદાન ખુબ મહત્વનું રહેવાનું છે. આ માતાઓ, બહેનો સશક્ત બને એના માટે આપણે અભિયાન ઉપાડી રહ્યા છીએ.


આ કોરોનાકાળની અંદર 80 કરોડ લોકોને, આપ વિચાર કરો, ભાઈઓ, એના ઘરમાં ચુલો ઓલવાવા નથી દીધો, એના ઘરની અંદર મફત અનાજ પહોંચાડ્યું છે. ગુજરાતે પરંપરા ઉભી કરી, એ પરંપરા આજે દેશમાં ચાલી છે. ભુકંપ જ્યારે થયો અને મકાન બનાવ્યા, ત્યારે આપણે નક્કી કર્યું હતું કે જેમના મકાન બની રહ્યા છે તે બહેનોના નામે બનશે. એ વાતને આપણે આગળ લઈ ગયા અને ગુજરાતમાં જે પ્રયોગ કર્યો, આજે હિન્દુસ્તાનમાં સરકાર મકાનો બનાવે છે. 3 કરોડ જેટલા મકાનો હમણા હમણા બનાવ્યા છે, ગરીબોને આપવા માટે, અને એ મકાનો બહેનોના નામે કર્યા છે. નહિ તો આપણા સમાજની વ્યવસ્થા એવી કે ઘર હોય તો પતિના નામે, ખેતર હોય તો પતિના નામે, સ્કુટર હોય તો પતિના નામે, ગાડી હોય તો પતિના નામે, પતિ ના હોય તો દીકરાના નામે, મહિલાના નામે કશું જ નહિ. આ આખોય ચીલો ચાતરીને આજે બહેનોના નામે મિલકત કરવાનું કામ આપણે ઉપાડ્યું. બહેનોના સશક્તિકરણ માટે કામ કર્યું અને આજે એના કારણે બહેનો, જેને ઘર મળ્યા છે ને, સરકાર જે ઘર બનાવે છે ને, ગરીબનું ઘર બને છે, એ તો લખપતિ બની જાય, રાતોરાત એને જ્યારે ઘર મળે છે. ડેરી સેક્ટરમાં મારી બહેનોની ભાગીદારી વધી છે. જે રીતે અમારી બહેનો ડેરી સેક્ટરમાં આગળ આવી રહી છે, અને અમારા સખી મંડળો, સખી મંડળો દ્વારા જે પ્રકારે અનેક નવા નવા પ્રયોગો થઈ રહ્યા છે, એમની સહાયતા પણ આપણે બે ગણી, ડબલ કરી દીધી છે. જેથી કરીને અમારી સખી મંડળની ગામડાની બહેનો ઉત્પાદન થાય, બજારની અંદર આવે, સરકારી દફતરોમાંથી એમને સીધો ઓર્ડર મળે, એના માટેની આપણે ચિંતા કરી છે. આ બહેન, દીકરીઓ પણ કમાતી થાય, ગામડામાં આત્મનિર્ભર બને એના માટેનું કામ ચાલી રહ્યું છે.


ભાઈઓ, બહેનો,


મુદ્રા યોજના લાવ્યા, મુદ્રા યોજના કોઈ પણ ગેરંટી વગર બેન્ક લોન મળે. એને પોતાનો વેપાર-ધંધો કરવો હોય, લાખો કરોડો રૂપિયા મુદ્રા યોજના અંતર્ગત આપ્યા, પણ મારા માટે ખુશીની વાત એ છે કે ભારતમાં જે મુદ્રા યોજનામાં જે પૈસા ગયા છે ને, એમાં 70 ટકા પૈસા બહેનોના પાસે ગયા છે. એમણે પોતાનો કોઈ ધંધો, રોજગાર ચાલુ કર્યો છે. અને પોતે એક કે બે લોકોને બીજાને નોકરીએ રાખ્યા છે, કામે રાખ્યા છે અને એને રોજગાર આપ્યો છે. તમે કોંગ્રેસ પાસેથી અપેક્ષા જ ના કરતા ભાઈ, ખુદ કોંગ્રેસના નેતાને પુછજો, ભાઈ, વિકાસ કોને કહેવાય? કેવી રીતે કરાય? એનો રોડ-મેપ શું હોય? ક્યાં પહોંચાય? હમણા હું આવ્યો ત્યારે સાંભળતો હતો, અમારા રૂપાલાજી નર્મદાના વિરોધીઓનું વર્ણન કરતા હતા કે કેવી રીતે નર્મદા વિરોધીઓને લઈને ફરી રહ્યા છે આજકાલ.


ભાઈઓ, બહેનો,


વિકાસ આવનારી પેઢી માટે જરૂરી છે. જેમ ઈમારત બનાવવી હોય ને તો પાયો મજબુત કરવો પડે, ખાલી ઉપરની દીવાલોના રંગરોગાન કરવાથી મેળ ના પડે. આ ગુજરાતનો પાયો મજબુત કરવાનું કામ 20 વર્ષ આપણે કર્યું છે અને હવે, હવે હરણફાળ ભરવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસ નહિ કરી શકે, ભાઈ. કોંગ્રેસનું એક માણસ તમારું ભલું નહિ કરી શકે. અહીંયાથી તમે ગઈ વખતે કોંગ્રેસના લોકોને ચૂંટીને તમે મોકલ્યા, અમરેલી જિલ્લાવાળાને ગઈ વખતે બહુ ઉમળકો હતો, લ્યો મોકલ્યા. શું કર્યું ભઈ, કહો? એક કામ યાદ આવે છે? કંઈ કર્યું ભલું? નકામા તમારો વોટ શું કરવા બગાડો છો? ભાઈ, અમેરલીવાળા... આ વખતે તો તમારું કમળ ઊગી નીકળવું જોઈએ. જેથી કરીને અમારું અમરેલી આખા ગુજરાતનું નેતૃત્વ કરે એવું સામર્થ્યવાન બની જાય. અમારો અમરેલી જિલ્લો આર્થિક ક્ષેત્રે આગળ વધે, સામાજિક ક્ષેત્રે આગળ વધે, શિક્ષણ ક્ષેત્રે આગળ વધે, કો-ઓપરેટીવ ક્ષેત્રે આગળ વધે, એવું નેતૃત્વ આજે અમે એવા બધા જાજરમાન ઉમેદવારો લઈને આવ્યા છીએ. જેથી કરીને મારા અમરેલી જિલ્લાનું ભવિષ્ય ઉજ્જવળ બને. અને એટલા માટે ભાઈઓ, બહેનો, મારી આપને સૌને વિનંતી છે કે તમે ભારતીય જનતા પાર્ટીને, ભાજપના કમળને, એક પણ પોલિંગ બુથ એવું ના હોય કે આ વખતે ભાજપ પાછળ હોય.


આટલું વચન આપો છો મને, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા...)


બે હાથ ઉપર કરીને આપો. (ઑડિયન્સ હાથ ઊંચા કરીને હા...)


એક પણ પોલિંગ બુથ એવું ના હોય કે ભાજપ પાછળ હોય, ભાઈઓ.


અને આ વખતે કોઈ પોલિંગ બુથ એવું ના હોય કે જેમાં પહેલા કરતા ઓછું મતદાન થયું હોય, ભાઈઓ. અને અમે તો શું, બધા વચનનું પાલન કરવાવાળા લોકો છીએ. મને યાદ છે, મેં એક વાર અહીંયા આવીને એક ભાષણ કર્યું હતું. કાગ બાપુને યાદ કર્યા હતા. અને મેં કાગધામની વાત કરી હતી. મારી વાત એ લોકોને ગળે નહોતી ઉતરતી. 2014માં તો મને દિલ્હીમાં બેસાડ્યો ને, આ કાગધામ અમે જાહેર કરી દીધું, ભાઈઓ, કાગધામ બનાવી દીધું. આ કાગ બાપુને સાચી શ્રદ્ધાંજલિ કોઈએ આપી હોય ને, તો અમે આપી છે, ભાઈઓ. કોંગ્રેસ પાસેથી અપેક્ષા ના કરતા. અને એટલા માટે હું કહું છું, ભાઈઓ, કે વર્ષો પહેલા કરેલી ઘોષણા, પણ જ્યારે મને દિલ્હીમાં જઈને કામ કરવાનો મોકો મળ્યો, અને કાગ બાપુની તો દરેક વાત આજે ય પ્રેરણા આપનારી હોય છે. શુદ્ધ ગાંધીવાદી જીવન કેમ જીવાય એ અને આ માટીને કેમ પુજાય? એ કાગ બાપુ આપણને શીખવાડીને ગયા છે, ભાઈઓ. અને મને તો યાદ છે, તમે મને ભોજલધામ લઈ ગયા હતા. કેવું મારું સદભાગ્ય હતું, ભાઈઓ. ભોજલધામ જઈએ અને કેટલી બધી પ્રેરણા લઈને આપણે આવતા હોઈએ. એ કામ, એ કામ આજે તીર્થક્ષેત્ર તરીકે વિકસી રહ્યા છે. અને ભોજા ભગત હોય અને જલારામ બાપુની વાત આવે. જીવન ધન્ય બની જાય એવી ચર્ચાઓ અમારા અમરેલી જિલ્લા જોડે ગુંથાયેલી છે. અને આવા બધા જ મહાન વ્યક્તિઓ, મહાન આદર્શો લઈને અમારો અમરેલી જિલ્લો આગળ વધે એના માટે હું દિલ્હીમાં હોઉં કે ગાંધીનગરમાં હોઉં, તમારો છું, તમારા માટે છું, અને તમારા માટે કંઈક કરવું છે. એટલા માટે ભાઈઓ, બહેનો, ભારતીય જનતા પાર્ટીની સરકારને વિજયી બનાવો, વધુમાં વધુ મતદાન કરો, એ જ મારી વિનંતી છે.


મારું એક નાનકડું કામ કરશો ભાઈઓ, અમરેલીવાળા? (ઑડિયન્સમાંથી હા...)


એમ નહિ, ચારેય બાજુથી અવાજ આવવો જોઈએ. (ઑડિયન્સમાંથી હા...)


કરશો? (ઑડિયન્સમાંથી હા...)


બે હાથ ઊંચા કરીને કહો, તો હું માનું કે કરશો. (ઑડિયન્સઃ- બે હાથ ઊંચા કરીને હા...)


પાકે પાયે કરશો? (ઑડિયન્સમાંથી હા...)


હવે મતદાન સુધી પગ વાળીને બેસવાનું નહિ. મંજુર? (ઑડિયન્સમાંથી હા...)


ઘેર ઘેર જવાનું, જશો? (ઑડિયન્સમાંથી હા...)


મેં જે વાતો કરી, એ પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)


એ ઉપરાંત, મારું એક અંગત કામ કરવાનું છે, કરશો? (ઑડિયન્સમાંથી હા...)


અંગત હોં, મારું અંગત છે. (ઑડિયન્સમાંથી હા...)


કરશો? (ઑડિયન્સમાંથી હા...)


જરા ખખડીને બોલો ને યાર? (ઑડિયન્સમાંથી હા...)


કરશો? (ઑડિયન્સમાંથી હા...)


બધા ઘરે જઈને એટલું કહેજો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા. અમેરલી આવ્યા હતા. અને નરેન્દ્રભાઈએ તમને નમસ્તે કહેવડાવ્યા છે.


આટલું કહી દેશો? (ઑડિયન્સમાંથી હા...)


દરેક વડીલને મારા નમસ્તે પહોંચાડશો, ભાઈ... ? (ઑડિયન્સમાંથી હા...)


આ વડીલોના આશીર્વાદ છે ને, મને દિલ્હીમાં દોડવાની તાકાત આપે છે. એટલે મારા વતી એમને નમસ્તે મારા પહોંચાડી દેજો. અને મને અમરેલી જિલ્લાના વડીલોના આશીર્વાદ મળે, એ જ અપેક્ષા.


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય...)


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય...)


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય...)

 

Explore More
শ্রী রাম জন্মভূমি মন্দিরের ধ্বজারোহণ উৎসবে প্রধানমন্ত্রীর বক্তব্যের বাংলা অনুবাদ

জনপ্রিয় ভাষণ

শ্রী রাম জন্মভূমি মন্দিরের ধ্বজারোহণ উৎসবে প্রধানমন্ত্রীর বক্তব্যের বাংলা অনুবাদ
Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress

Media Coverage

Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM’s speech at TV9 Summit 2026
March 23, 2026
Today, India is moving forward with a new confidence; Now India faces challenges head-on: PM
From the Gulf to the Global West and from the Global South to neighbouring countries, India is a trusted partner for all: PM
What gets measured gets improved and ultimately gets transformed: PM
This is the new India, It is leaving no stone unturned for development: PM

नमस्कार!

पिछले कुछ समय में मुझे एक-दो बार टीवी9 भारतवर्ष देखने का मौका मिला है। नॉर्मली भी युद्धों और मिसाइलों पर आपका बहुत फोकस होता है और आजकल तो आपको कंटेंट की ओवरफीडिंग हो रही है। बड़े-बड़े देश टीवी9 को इतना सारा कंटेंट देने पर तुले हुए हैं, लेकिन On a Serious Note, आज विश्व जिन गंभीर परिस्थितियों से गुजर रहा है, वो अभूतपूर्व है और बेहद गंभीर है। और इन स्थितियों के बीच, आज टीवी-9 नेटवर्क ने विचारों का एक बेहद महत्वपूर्ण मंच बनाया है। आज इस समिट में आप सभी India and the world, इस विषय पर चर्चा कर रहे हैं। मैं आप सबको बधाई देता हूं। इस समिट के लिए अपनी शुभकामनाएं देता हूं। सभी अतिथियों का अभिनंदन करता हूं।

साथियों,

आज जब दुनिया, conflicts के कारण उलझी हुई है, जब इन conflicts के दुष्प्रभाव पूरी दुनिया पर दिख रहे हैं, तब India and the world की बात करना बहुत ही प्रासंगिक है। भारत आज वो देश है, जिसकी अर्थव्यवस्था तेजी से आगे बढ़ रही है। 2014 के पहले की स्थितियों को पीछे छोड़कर के आज भारत एक नए आत्मविश्वास के साथ आगे बढ़ रहा है। अब भारत चुनौतियों को टालता नहीं है बल्कि चुनौतियों से टकराता है। आप बीते 5-6 साल में देखिए, कोरोना की महामारी के बाद चुनौतियां एक के बाद एक बढ़ती ही गई हैं। ऐसा कोई साल नहीं है, जिसने भारत की, भारतीयों की परीक्षा न ली हो। लेकिन 140 करोड़ देशवासियों के एकजुट प्रयास से भारत हर आपदा का सामना करते हुए आगे बढ़ रहा है। इस समय युद्ध की परिस्थितियों में भी भारत की नीति और रणनीति देखकर, भारत का सामर्थ्य देखकर दुनिया के अनेकों देश हैरान हैं। हमारे यहां कहावत है, सांच को आंच नहीं। 28 फरवरी से दुनिया में जो उथल-पुथल मची है, इन कठोर विपरीत परिस्थितियों में भी भारत प्रगति के, विकास के, विश्वास के संकल्प के साथ आगे बढ़ रहा है। इन 23 दिनों में भारत ने अपनी Relationship Building Capacity दिखाई है, Decision Making Capacity दिखाई है और Crisis Management Capacity दिखाई है।

साथियों,

आज जब दुनिया इतने सारे खेमों में बंटी हुई है, भारत ने अभूतपूर्व और अकल्पनीय bridges बनाए हैं। Gulf से लेकर Global West तक, Global South से लेकर पड़ोसी देशों तक भारत सभी का trusted partner है। कुछ लोग पूछते हैं, हम किसके साथ हैं? तो उनको मेरा जवाब यही है कि हम भारत के साथ हैं, हम भारत के हितों के साथ हैं, शांति के साथ हैं, संवाद के साथ हैं।

साथियों,

संकट के इसी समय में जब global supply chains डगमगा रही हैं, भारत ने diversification और resilience का मॉडल पेश किया है। Energy हो, fertilizers हों या essential goods अपने नागरिकों को कम से कम परेशानी हो, इसके लिए भारत ने निरंतर प्रयास किया है और आज भी कर रहे है।

साथियों,

जब राष्ट्रनीति ही राजनीति का मुख्य आधार हो, तब देश का भविष्य सर्वोपरि होता है। लेकिन जब राजनीति में व्यक्तिगत स्वार्थ हावी हो जाता है, तब लोग देश के फ्यूचर के बजाय अपने फ्यूचर के बारे में सोचते हैं। आप ज़रा याद कीजिए 2004 से 2010 के बीच क्या हुआ था? तब कांग्रेस सरकार के समय पेट्रोल-डीजल और गैस की कीमतों का संकट आया था और तब कांग्रेस ने देश की नहीं बल्कि अपनी सत्ता की चिंता की। उस वक्त कांग्रेस ने एक लाख अड़तालीस हज़ार करोड़ रुपए के ऑयल बॉन्ड जारी किए थे और प्रधानमंत्री मनमोहन सिंह जी ने खुद कहा था कि वो आने वाली पीढ़ी पर कर्ज का बोझ डाल रहे हैं। यह जानते हुए भी कि ऑयल बॉन्ड का फैसला गलत है, जो रिमोट कंट्रोल से सरकार चला रहे थे, उन लोगों ने अपनी सत्ता बचाने के लिए यह गलत निर्णय किया क्योंकि जवाबदेही उस समय नहीं होनी थी, उस बॉन्ड पर री-पेमेंट 2020 के बाद होनी थी।

साथियों,

बीते 5-6 वर्षों में हमारी सरकार ने कांग्रेस सरकार के उस पाप को धोने का काम किया है, और इस धुलाई का खर्चा कम नहीं आया है, ऐसी लाँड्री आपने देखी नहीं होगी। 1 लाख 48 हज़ार करोड़ रुपए की जगह, देश को 3 लाख करोड़ रुपए से अधिक की पेमेंट करनी पड़ी क्योंकि इसमें ब्याज भी जुड़ गया था। यानी हमने करीब-करीब दोगुनी राशि चुकाने के लिए मजबूर हुए। आजकल कांग्रेस के जो नेता बयानों की मिसाइलें दाग रहे हैं, मिसाइल आई तो टीवी9 को मजा आएगा, उनकी इस विषय का जिक्र आते ही बोलती बंद हो जाती है।

साथियों,

पश्चिम एशिया में बनी परिस्थितियों पर मैंने आज लोकसभा में अपना वक्तव्य दिया है। दुनिया में जहां भी युद्ध हो रहे हैं, वो भारत की सीमा से दूर हैं। लेकिन आज की व्यवस्थाओं में कोई भी देश युद्धों से दुष्प्रभाव से दूर रहे, ऐसा संभव नहीं होता। अनेक देशों में तो स्थिति बहुत गंभीर हो चुकी है। और इन हालातों में हम देख रहे हैं कि राजनीतिक स्वार्थ से भरे कुछ लोग, कुछ दल, संकट के इस समय में भी अपने लिए राजनीतिक अवसर खोज रहे हैं। इसलिए मैं टीवी9 के मंच से फिर कहूंगा, यह समय संयम का है, संवेदनशीलता का है। हमने कोरोना महासंकट के दौरान भी देखा है, जब देशवासी एकजुट होकर संकट का सामना करते हैं, तो कितने सार्थक परिणाम आते हैं। इसी भाव के साथ हमें इस युद्ध से बनी परिस्थितियों का सामना करना है।

साथियों,

दुनिया की हर उथल-पुथल के बीच, भारत ने अपनी प्रगति की गति को भी बनाए रखा है। अगर मैं 28 फरवरी को युद्ध शुरू होने के बाद, बीते 23 दिनों का ही ब्यौरा दूं, तो पूरब से पश्चिम तक, उत्तर से दक्षिण तक देश में हजारों करोड़ के डेवलपमेंट प्रोजेक्ट्स का काम हुआ है। दिल्ली मेट्रो रेल के महत्वपूर्ण कॉरिडोर्स का लोकार्पण, सिलचर का हाई स्पीड कॉरिडोर का शिलान्यास, कोटा में नए एयरपोर्ट का शिलान्यास, मदुरै एयरपोर्ट को इंटरनेशनल एयरपोर्ट का दर्जा देना, ऐसे अनेक काम बीते 23 दिनों में ही हुए हैं। बीते एक महीने के दौरान ही औद्योगिक विकास को गति देने के लिए भव्य स्कीम को मंजूरी दी गई है। इसके तहत देशभर में 100 plug-and-play industrial parks विकसित किए जाएंगे। देश में Small Hydro Power Development Scheme को भी हरी झंडी दी गई है। इससे आने वाले वर्षों में 1,500 मेगावाट नई hydro power capacity जोड़ी जाएगी। इसी दौरान जल जीवन मिशन को साल 2028 तक बढ़ाने का निर्णय लिया गया है। किसानों के हित में भी अनेक बड़े निर्णय लिए गए हैं। बीते एक महीने में ही पीएम किसान सम्मान निधि के तहत 18 हजार करोड़ रुपए से अधिक सीधे किसानों के खातों में ट्रांसफर किए गए हैं। और जो हमारे MSMEs हैं, जो हमारे निर्यातक हैं, उनके लिए भी करीब 500 करोड़ रुपए के राहत पैकेज की भी घोषणा की गई है। यह सारे कदम इस बात का प्रमाण हैं कि विकसित भारत बनाने के लिए देश कितनी तेज गति से काम कर रहा है।

साथियों,

Management की दुनिया में एक सिद्धांत कहा जाता है - What gets measured, gets managed. लेकिन मैं इसमें एक बात और जोड़ना चाहता हूं, What gets measured, gets improved और ultimately, gets transformed. क्योंकि आकलन जागरूकता पैदा करता है। आकलन जवाबदेही तय करता है और सबसे महत्वपूर्ण आकलन संभावनाओं को जन्म देता है।

साथियों,

अगर आप 2014 से पहले के 10-11 साल और 2014 के बाद के 10-11 साल का आप आकलन करेंगे, तो यही पाएंगे कि कैसे इसी सिद्धांत पर चलते हुए, भारत ने हर सेक्टर को Transform किया है। जैसे पहले हाईवे बनते थे, करीब 11-12 किलोमीटर प्रति दिन की रफ्तार से, आज भारत करीब 30 किलोमीटर प्रतिदिन की स्पीड से हाईवे बना रहा है। पहले पोर्ट्स पर शिप का Turnaround Time, 5-6 दिन का होता था। आज वही काम, करीब-करीब 2 दिन से भी कम समय में पूरा हो रहा है। पहले Startup Culture के बारे में चर्चा ही नहीं होती थी। 2014 से पहले, हमारे देश में 400-500 स्टार्ट अप्स ही थे। आज भारत में 2 लाख से ज्यादा रजिस्ट्रर्ड स्टार्ट अप्स हैं। पहले मेडिकल education में सीटें भी सीमित थीं, करीब 50-55 हजार MBBS seats थीं, आज यह बढ़कर सवा लाख से ज्यादा हो चुकी हैं। पहले देश के Banking system से भी करोड़ों लोग बाहर थे। देश में सिर्फ 25 करोड़ के आसपास ही बैंक account थे। वहीं जनधन योजना के माध्यम से 55 करोड़ से ज्यादा बैंक अकाउंट खुले हैं। पहले हमारे देश में airports की संख्या भी 70 से कम थी। आज एयरपोर्ट्स की संख्या भी बढ़कर 160 से ज्यादा हो चुकी है।

साथियों,

पहले भी योजनाएं तो बनती थीं, लेकिन आज फर्क है, आज परिणाम दिखते हैं। पहले गति धीमी थी, आज भारत fastrack पर है। पहले संभावनाएं भी अंधकार में थीं, आज संकल्प सिद्धियों में बदल रहे हैं। इसलिए दुनिया को भी यह संदेश मिल रहा है कि यह नया भारत है। यह अपने विकास के लिए कोई कोर-कसर बाकी नहीं छोड़ रहा है।

साथियों,

आज हमारा प्रयास है कि अतीत में विकास का जो असंतुलन पैदा हो गया था, उसको अवसरों में बदला जाए। अब जैसे हमारा पूर्वी भारत है। हमारा पूर्वी भारत संसाधनों से समृद्ध है, दशकों तक वहां जिन्होंने सरकारें चलाई हैं, उनकी उपेक्षा ने पूर्वी भारत के विकास पर ब्रेक लगा दी थी। अब हालात बदल रहे हैं। जिस असम में कभी गोलियों की आवाज सुनाई देती थी, आज वहां सेमीकंडक्टर यूनिट बन रही है। ओडिशा में सेमीकंडक्टर से लेकर पेट्रोकेमिकल्स तक अनेक नए-नए सेक्टर का विकास हो रहा है। जिस बिहार में 6-7 दशक में गंगा जी पर एक बड़ा पुल बन पाया था एक, उस बिहार में पिछले एक दशक में 5 से ज्यादा नए पुल बनाए गए हैं। यूपी में कभी कट्टा मैन्युफैक्चरिंग की कहानियां कही जाती थीं, आज यूपी, मोबाइल फोन मैन्युफैक्चरिंग में दुनिया में अपनी पहचान बना रहा है।

साथियों,

पूर्वी भारत का एक और बड़ा राज्य पश्चिम बंगाल है। पश्चिम बंगाल, एक समय में भारत के कल्चर, एजुकेशन, इंडस्ट्री और ट्रेड का हब होता था। बीते 11 वर्षों में केंद्र सरकार ने पश्चिम बंगाल के विकास के लिए बड़ी मात्रा में निवेश किया है। लेकिन दुर्भाग्य से, आज वहां एक ऐसी निर्मम सरकार है, जो विकास पर ब्रेक लगाकर बैठी है। TV9 बांग्ला के जो दर्शक हैं, वो जानते हैं कि बंगाल में आयुष्मान योजना पर निर्मम सरकार ने ब्रेक लगाया हुआ है। पीएम सूर्यघर मुफ्त बिजली योजना पर ब्रेक लगाया हुआ है। पीएम आवास योजना पर ब्रेक लगाया हुआ है। चाय बागान श्रमिकों के लिए शुरू हुई योजना के लिए ब्रेक लगाया हुआ है। यानी विकास और जनकल्याण से ज्यादा प्राथमिकता निर्मम सरकार अपने राजनीतिक स्वार्थ को दे रही है।

साथियों,

देश में इस तरह की राजनीति की शुरुआत जिस दल ने की है, वो अपने गुनाहों से बच नहीं सकती और वो पार्टी है - कांग्रेस। कांग्रेस पार्टी की राजनीति का एक ही लक्ष्य रहा है, किसी भी तरह विकास का विरोध और कांग्रेस यह तब से कर रही है, जब मैं गुजरात में था। गुजरात में वर्षों तक जनता ने हमें आशीर्वाद दिया, तो कांग्रेस ने उस जनादेश को स्वीकार नहीं किया। उन्होंने गुजरात की छवि पर सवाल उठाए, उसकी प्रगति को कटघरे में खड़ा किया और जब यही विश्वास पूरे देश में दिखाई दिया, तो कांग्रेस का विरोध भी रीजनल से नेशनल हो गया।

साथियों,

जब राजनीति में विरोध, विकास के विरोध में बदल जाए, जब आलोचना देश की उपलब्धियों पर सवाल उठाने लगे, तब यह सिर्फ सरकार का विरोध नहीं रह जाता, यह देश की प्रगति से असहज होने की मानसिकता बन जाती है। आज कांग्रेस इसी मानसिकता की गुलाम बन चुकी है। आज स्थिति यह है कि देश की हर सफलता पर प्रश्न उठाया जाता है, हर उपलब्धि में कमी खोजी जाती है और हर प्रयास के असफल होने की कामना की जाती है। कोविड के समय, देश ने अपनी वैक्सीन बनाई, तो कांग्रेस ने उस पर भी संदेह जताया। Make in India की बात हुई, तो कहा गया कि यह सफल नहीं होगा, बब्बर शेर कहकर इसका मजाक उड़ाया गया। जब देश में डिजिटल इंडिया अभियान शुरू हुआ, तो उसका मजाक उड़ाया गया। लेकिन हर बार यह कांग्रेस का दुर्भाग्य और देश का सौभाग्य रहा कि भारत ने हर चुनौती को सफलता में बदला। आज भारत दुनिया की सबसे बड़ी वैक्सीनेशन ड्राइव का उदाहरण है। भारत डिजिटल पेमेंट्स में दुनिया का अग्रणी देश है। भारत मैन्युफैक्चरिंग और स्टार्टअप्स में नई ऊंचाइयों को छू रहा है।

साथियों,

लोकतंत्र में विरोध जरूरी होता है। लेकिन विरोध और विद्वेष के बीच एक रेखा होती है। सरकार का विरोध करना लोकतांत्रिक अधिकार है। लेकिन देश को बदनाम करना, यह कांग्रेस की नीयत पर सवाल खड़ा करता है। जब विरोध इस स्तर तक पहुंच जाए कि देश की उपलब्धियां भी असहज करने लगें, तो यह राजनीति नहीं, यह दृष्टिकोण की समस्या है। अभी हमने ग्लोबल AI समिट में भी देखा है। जब पूरी दुनिया भारत में जुटी हुई थी, तो कांग्रेस के लोग कपड़े फाड़ने वहां पहुंच गए थे। इन लोगों को देश की इज्जत की कितनी परवाह है, यह इसी से पता चलता है। इसलिए आज आवश्यकता है कि देशहित को, दलहित से ऊपर रखा जाए क्योंकि अंत में राजनीति से ऊपर, राष्ट्र होता है, राष्ट्र का विकास होता है।

साथियों,

आज का यह दिन भी हमें यही प्रेरणा देता है। आज के ही दिन शहीद भगत सिंह, शहीद राजगुरु और शहीद सुखदेव ने देश के लिए सर्वोच्च बलिदान दिया था। आज ही, समाजवादी आंदोलन के प्रखर आदर्श डॉ. राम मनोहर लोहिया जी की जयंती भी है। यह वो प्रेरणाएं हैं, जिन्होंने देश को हमेशा स्व से ऊपर रखा है। देशहित को सबसे ऊपर रखने की यही प्रेरणा, भारत को विकसित भारत बनाएगी। यही प्रेरणा भारत को आत्मनिर्भर बनाएगी। मुझे पूरा विश्वास है कि टीवी9 की यह समिट भी भारत के आत्मविश्वास और दुनिया के भरोसे पर, भारतीयों पर जो भरोसा है, उस भरोसे को और सशक्त करेगी। आप सभी को मेरी तरफ से बहुत-बहुत शुभकामनाएं हैं और आपके बीच आने का अवसर दिया, आप सबसे मिलने का मौका लिया, इसलिए बहुत-बहुत धन्यवाद!

नमस्‍कार!