ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
કેમ છે, આપણું મોડાસા?
સુખમાં બધા? (ઑડિયન્સમાંથી હા...)
મને લાગે છે, આ વખતે મોડાસા ઘણા સમય પછી આવવાનું થયું.
ખેર, તમને બધાને મળીએ, એટલે આનંદ આવે, અને આજે ફરી એક વાર તમારા બધાના દર્શન કરવાનો મોકો મળ્યો. ને આવી વિશાળ સંખ્યામાં આવીને આપે અમને બધાને આશીર્વાદ આપ્યા. અમારા બધા ઉમેદવારોને વિજયી બનાવવાનો તમે જે સંકલ્પ બતાવી રહ્યા છો, એ બદલ હું આપ સૌનો હૃદયથી આભાર માનું છું.
ભાઈઓ, બહેનો,
આ ચુંટણી આપણા ગુજરાતના ભવિષ્યને નક્કી કરવા માટે છે. પરંતુ આ ચુંટણી 5 વર્ષનું ભવિષ્ય નક્કી કરવા માટે નથી. આ ચુંટણી ગુજરાતના આગામી 25 વર્ષનો નિર્ણય કરવા માટે છે. જ્યારે ભારત 100 વર્ષની આઝાદી થશે. 2047માં ત્યારે આપણું ગુજરાત દુનિયામાં જે સૌથી પ્રગતિશીલ રાજ્યો છે, દેશો છે, એની બરાબરીમાં ઉભું છે કે કેમ? એ નક્કી કરવા માટે આ ચુંટણી છે.
અને એટલે હું આ ચુંટણીમાં કોઈ પ્રચાર કરવા નથી આવ્યો. મને ખબર છે, તમે ચુંટણી જીતાડવાના જ છો. અને જ્યારે ચુંટણી જીતાડવાના હોય, તો પછી મારે પ્રચાર કરવાની શું જરુર? પરંતુ, છતાય હું આવ્યો છું. આવ્યો છું, એટલા માટે કે આશીર્વાદ લેવા છે. અને આ આશીર્વાદ દેશની સેવા કરવા માટેની મને તાકાત આપતા હોય છે, નવી ઊર્જા આપતા હોય છે. આ વખતે ઉત્તર ગુજરાત, નવા મિજાજમાં જ દેખાય છે. ચાહે અરવલ્લી હોય, સાબરકાંઠા હોય, બનાસકાંઠા હોય, પાટણ હોય, ગાંધીનગર હોય, એક નવો જુવાળ દેખાઈ રહ્યો છે, અને હું જ્યાં ગયો છું ત્યાં એમ જ લાગે કે આ વખતે ઉત્તર ગુજરાત 100 એ 100 ટકા કમળ.
ગયા દિવસોમાં હજારો કરોડના લોકાર્પણ, શિલાન્યાસ એના અવસર મળ્યા. એના માટે મારું આવવાનું થયું. અને ત્યારે મેં જોયું હતું. ચારે તરફ એક જ હવા હતી કે હવે ઉત્તર ગુજરાતે મક્કમ થઈને ઉત્તમ ભવિષ્ય બનાવવા માટે એક નવો ચીલો ચાતરવો છે અને 100 એ 100 ટકા કમળ ઉગાડીને આ વખતે ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવી છે. અને લોકો જ્યારે 100 ટકા કહે, ત્યારે હું પુછતો હતો કે ભઈ આ 100 ટકા એટલે શું? જરા કહો તો ખરા મને. ત્યારે લોકો એમ કહે કે દિલ્હીમાં, ગાંધીનગરમાં, એવું જ અમારે ત્યાં પણ.
એટલે પહેલા કેટલીક સીટો, નાનું મોટું કાચું કપાતું હતું. જ્યાં કાચું કપાણું છે, એમને ખબર પડી છે કે કાંઈ ફાયદો ના થયો, આ ભાઈને મોકલ્યા હતા, એનો. હવે તો ભાજપ સિવાય કોઈને મોકલવા જ નથી. હિસાબ તો માગી શકીએ. કારણ સરકાર ભાજપની જ બને. દિલ્હીમાં તો આપણા ઘરના જ માણસ બેઠા જ છે, તો પછી એવા માણસને મોકલો ને, જરા કામ લઈ આવે. આ સમજદારી ઉત્તર ગુજરાતના લોકોની છે. અને એટલે જ આ વખતે ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારોને વિજયી બનાવવાનો નિર્ણય અમારા ઉત્તર ગુજરાતના મતદાતાઓએ કર્યો છે.
ભાઈઓ, બહેનો,
આ કોંગ્રેસ પાર્ટી હંમેશા ગુજરાતને પછાત રાખવામાં જ એને રસ રહ્યો છે. તમને ખબર હશે આ મોડાસા – કપડવંજ રેલવે, કેટલા વર્ષ આંદોલન ચાલ્યું. અહીંયા કેવા મોટા મોટા દિગ્ગજો અહીંયા ચુંટણી લડીને ગયા છે, પણ કંઈ શક્કરવાર જ નહોતો વળતો. કરવું જ નહોતું, એમને. અમે નક્કી કર્યું છે કે અમારે વિકાસના જ રસ્તે જવું છે. વોટબેન્કના રસ્તે નથી જવું. લોકોનું ભલું કરવું જ છે. જે સમસ્યાઓનું સમાધાન નાગરિકો ના કરી શકે, જે માત્ર સરકારે જ કરવાનું હોય, એ કામો બધા અમારે પુરા કરવા છે. અને એટલા માટે, અમે આ કામ લઈને નીકળ્યા છીએ. અને એટલે જ લોકોએ નક્કી કર્યું છે. ભાજપને 100 ટકા વોટ.
ભાઈઓ, બહેનો,
અરવલ્લી, સાબરકાંઠા સહિત આખાય ઉત્તર ગુજરાતમાં કમળ ઉગાડવાનો, કમળ ખીલવવાનો નિર્ણય, એના માટે થઈને, ખાસ કરીને જુવાનીયાઓ મેદાનમાં ઉતર્યા છે. માતાઓ, બહેનો મેદાનમાં ઉતરી છે, એ મારે માટે ગર્વનો વિષય છે. ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ, અને કોંગ્રેસ માટે આટલો બધો અવિશ્વાસ. કારણ શું? ભાજપ પર આટલો બધો વિશ્વાસ, એનું કારણ એક જ છે કે વર્ષો સુધી લોકોએ અમને જોયા છે. આજે 20 – 25 વર્ષની ઉંમરના જે જવાનીયાઓ થયા છે ને, એમણે તો ખાલી અમને જ જોયા છે, પણ તમારા પડોશમાં આ રાજસ્થાન છે.
શામળાજી વટાવો, એટલે રાજસ્થાન શરુ. ત્યાં શું સમાચાર આવે છે? કહો... કંઈ ભલા સમાચાર આવે છે, એકેય? કંઈ સારા સમાચાર સાંભળવા મળે છે, રાજસ્થાનથી? તમારા પડોશમાં છે, અને આપણા તો અરવલ્લી ને હિંમતનગરના બધા પટ્ટામાંથી રોજ ટ્રકો ભરીને શાકભાજી દિલ્હી જાય છે. એકેય સારા સમાચાર લઈને પાછા આવીએ છીએ, રસ્તામાંથી? આખું રાજસ્થાન. હવે એવા લોકો છે, રાજસ્થાનમાં. ત્યાંની જનતાએ એમને સોંપ્યું છે. ત્યાં ભલું નથી કરી શકતા, એ કોંગ્રેસ પાર્ટી, આ તમારા ગુજરાતનું કંઈ ભલું કરી શકે?
અને એટલા જ માટે ભાઈઓ, કહું છું, કે તમે કોંગ્રેસનો ભૂતકાળ જોજો. એનો ભૂતકાળ એવો ખરડાયેલો છે, ખદબદેલો છે. અને એમાંથી બહાર આવીને એક મિશન મોડમાં દેશ, ગુજરાતના ભલા માટે કામ કરવું છે. કોંગ્રેસનો એજન્ડા સિંહાસન અને સત્તા ભોગવટો, અને એકબીજાના ટાંટીયા ખેંચવાના. આ જ કાર્યક્રમ. અમારે આ દેશના યુવાનોનું ભવિષ્ય બનાવવું છે. અને એના માટે અમે કામ કરી રહ્યા છીએ, ભાઈઓ.
અને વિકાસ, એનો કોઈ ઉપાય જ નથી, ભાઈઓ. અમારો રસ્તો જ છે, વિકાસને માટે થઈને વરવાનું. સમાજને તોડવાનો ભાઈ, ભતીજાવાદ કરવાના, બાંટો અને રાજ કરો, એ રસ્તો અમને મંજુર નથી, ભાઈઓ. એ રાજનીતિ અમને મંજુર છે. જાતિવાદના નામે લોકોને ભાગલા પાડો. દેશની અંદર ખટરાગ પેદા કરો. ભાષાના નામે ભાગલા પાડો. આ બધું ભારતીય જનતા પાર્ટીના રસ્તે આડે આવે. દેશના આડે આવે, પ્રગતિના આડે આવે. અને આ બધું, એનો નિકાલ કરવાનું કામ, દેશવટો કરવાનું કામ આપણે ઉપાડ્યું છે, ભાઈઓ.
એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સપનું લઈને જ્યારે આપણે ચાલતા હોઈએ ત્યારે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એ મૂળભૂત મંત્ર લઈને જ્યારે આપણે ચાલતા હોઈએ ત્યારે, ભાઈઓ, બહેનો, 20 વર્ષ પહેલા જે મુસીબતો હતી ને, એક પછી એક, પેલી ગુંચ પડી હોય ને કેમ દોરો છુટો પાડીએ, ઝીણી ઝીણી ચીજ, એની અમે ચિંતા કરી છે. 20 વર્ષની અંદર અમે સમસ્યાઓ ઘટાડવાનું અને સુવિધાઓ વધારવાનું કામ કર્યું છે.
20 વર્ષમાં અમે વીજળી 24 કલાક ઘરોમાં મળે એની ચિંતા કરી છે. 20 વર્ષમાં અમે ખેડૂતોને વીજળી સુલભ મળે, પુરતી મળે, એના માટે પ્રયત્ન કર્યો છે. મારા ભુપેન્દ્રભાઈ તો સૂર્યોદય યોજના લાવીને દિવસે વીજળી કેમ મળે એની મથામણ કરી છે. 20 વર્ષ પહેલા સડકોના ઠેકાણા નહોતા. આજે ગામોગામ સડકો બનાવવાનું કામ આપણે પુરું કર્યું છે. 20 વર્ષ પહેલા શૌચાલય નહિ, અડધા કરતા વધારે લોકોને ખુલ્લામાં શૌચાલય જવું પડતું હતું. અમારી બહેન, બેટીઓની બેઈજ્જતી થતી હતી. એમાંથી બહાર લાવીને આખા ગુજરાતમાં ગામોગામ, ઘરે ઘરે શૌચાલય બનાવવાનું કામ અમારે કરવું પડ્યું છે, ભાઈઓ.
આ કામ કોંગ્રેસ કરી શકી હોત, પણ એમને લોકોની પડી નહોતી. અને અમે શૌચાલય બનાવ્યા. 20 વર્ષ પહેલા રસોઈની અંદર, લાકડા સળગાવી સળગાવીને રોટલા પકવવાના. લાકડા વીણવા જવાના જેવી મુસીબતો હતી. આજે ઘેર ઘેર અમે ગેસના કનેક્શન આપ્યા છે. અને મારી માતાઓ, બહેનોને આ ધુમાડામાંથી મુક્તિ અપાવવાનું કામ કર્યું છે. 20 વર્ષ પહેલા નાના નાના કામ માટે પણ ગાંધીનગર સુધી ચક્કર મારવા પડતા હતા. લાગવગો લગાવવી પડતી હતી.
અમે તો ઈ-ગ્રામ બનાવ્યા, વિશ્વગ્રામ બનાવ્યા. મોબાઈલ ફોનની સુવિધા ઉપલબ્ધ કરાવી દીધી. સસ્તા ફોનની સુવિધા કરી. તમે પોતાની રીતે બધા કામની ફરિયાદો કરો. અમે તમારા કોમ્યુનિટી સર્વિસ સેન્ટર પર જાઓ. સરકારને તમારી વાત પહોંચાડો. સરકાર સાંભળે, આની ચિંતા કરી છે, ભાઈઓ.
ગુજરાતમાં કુપોષણની સમસ્યા ભારે મોટી રહી છે. એમાંથી સુપોષણ માટે જવાના પ્રયાસો કર્યા. 20 વર્ષમાં અથાક પ્રયાસોના કારણે ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિનની સરકારે કુપોષણને પરાજીત કરવા માટેનું મોટું બીડું ઉઠાવ્યું છે. અને એનો લાભ મારી આદિવાસી દીકરીઓને ખાસ મળી રહ્યો છે. પૂર્ણા યોજના દ્વારા લગભગ 12 લાખ દીકરીઓને સ્વાસ્થ્ય અને પોષણનો લાભ આપવાનું કામ આપણે કરી રહ્યા છીએ. ભુપેન્દ્રભાઈની સરકારે પોષણસુધા યોજના ચાલુ કરી છે. આના કારણે બધા જનજાતિય જિલ્લાઓને આવરી લીધા છે. અને એની દીકરીઓનું ઉત્તમ સ્વાસ્થ્ય બને એની ચિંતા કરી છે. એટલું જ નહિ, ગર્ભાવસ્થા દરમિયાન પોષક આહાર મળે એટલા માટે માતૃવંદના યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એવી ગર્ભવતી માતાઓના ઘરે સીધા પૈસા પહોંચ્યા, એના માટેનું કામ કર્યું છે, અને ગુજરાતમાં 3 લાખ કરતા વધારે બહેનોને આ પૈસા સીધા એમના ખાતામાં જમા કરાવવાનું કામ આપણે કર્યું છે.
ભાઈઓ, બહેનો,
આપણો એક જમાનો હતો. મોટા ભાગે સુવાવડ ઘરમાં જ થતી. એના કારણે કાં મા મૃત્યુ પામે, કાં સંતાન મૃત્યુ પામી જાય. જો હોસ્પિટલની અંદર સુવાવડ થાય તો બંનેની જિંદગી બચી જાય. 50 ટકા કરતા વધારે એવી સુવાવડ હતી, જે ઘરમાં થતી હતી, દાયણના દ્વારા થતી હતી. આપણે એની પાછળ ચિંરજીવી યોજના લાવ્યા. પૈસા સરકારે આપ્યા અને દીકરાની, જે સંતાનોની જિંદગી બચાવી. માતાની જિંદગી બચાવી. અને આજે લગભગ 100 ટકા પ્રસુતિ હોસ્પિટલમાં થાય ત્યાં સુધી કામ કર્યું છે, ભાઈઓ. આ હોસ્પિટલની ડિલિવરીની ચિંતા કરી છે. માતાની જિંદગી બચાવવાની ચિંતા કરી છે. દીકરીની, સંતાનોની જિંદગી બચાવવાની ચિંતા કરી છે.
ઝીણા ઝીણા કામો લાગે, પરંતુ સમાજજીવનને કેટલા તાકાતવર બનાવતા હોય છે, એના કામો કર્યા છે. હમણા અમારા આઈ. કે. જાડેજા સમજાવતા હતા. ઘરમાં માંદગી આવે તો શું થાય? એક પરિવારમાં જો કોઈ મોટી માંદગી આવી ગઈ ને, તો પરિવાર આખી પેઢી પાછળ વળી જાય. પંદર – વીસ વર્ષ સુધી એ ખર્ચાના ખાડામાં પડી જાય, જો ઘરમાં મોટી બીમારી આવી જાય તો. હવે આ ગરીબ માણસ બિચારો માંડ મથામણ કરીને ગરીબીમાંથી બહાર આવવાની કોશિશ કરતો હોય, એની સામે ટકવા માટે આપણે આયુષ્માન યોજના લાવ્યા.
દુનિયાની સૌથી મોટી આયુષ્માન યોજના, અને 5 લાખ રૂપિયા સુધી, કોઈ પણ પ્રકારની બીમારી આવે તો એનું બિલ તમારો આ દીકરો ભરે છે. અને મેં તો જોયું છે, આપણી માતાઓ, બહેનોનો સ્વભાવ કેવો હોય? ગમે તેટલી તકલીફ પડે, પણ માતાઓ, બહેનો કોઈને ખબર જ ન પડવા દે. ગમે તેટલી પીડા થતી હોય, તાવ આવ્યો હોય, દર્દ થતું હોય, ઓપરેશનની જરૂર પડે, પણ કહે જ નહિ. કામ કર્યા જ કરે. કેમ? મનમાં એમ રહે કે મારી માંદગીના ખબર જો દીકરા-દીકરીઓને પડશે તો એ લોકો મને હોસ્પિટલ લઈ જશે. દેવાના ડુંગરમાં ડૂબી જશે.
હોસ્પિટલના બિલ ભરી નહિ શકાય. મારે તો હવે તબિયત બગડી છે. જે જેટલા દહાડા જીવવું છે, સહન કરી લઈશ પણ સંતાનોને મારે દેવામાં ડુબવા નથી દેવા. અને આ ગુજરાતમાં ને મારા દેશમાં માતાઓ, બહેનો દુઃખ સહન કરતી હતી. આ દુઃખ આ દીકરો કેમ જોઈ શકે, ભાઈ? અને એટલા માટે મેં નક્કી કર્યું કે 5 લાખ રૂપિયા સુધી દર વર્ષે, 5 લાખ રૂપિયા સુધી કોઈ માંદગી આવે તો એની ચિંતા તમારો દીકરો કરશે. આજે તમારી ઉંમર 50 વર્ષની હોય, અને તમે 80 વર્ષ જીવવાના હોય, તો આવનારા 30 વર્ષ સુધી દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની તમારા કુટુંબની બીમારીની ચિંતા, આ તમારો દીકરો કરે એના માટે આયુષ્માન યોજના લાવ્યા.
આપણા એકલા ગુજરાતમાં 70,000 કરતા વધારે ભાઈ, બહેનોએ આનો લાભ લીધો છે, ભાઈઓ. એમના આશીર્વાદ એ જ મારી તાકાત છે. અમારા ગુજરાત સરકારની મા યોજના, એના દ્વારા પણ ઓપરેશનની બાબતમાં, બાળકોના સ્વાસ્થ્યની વ્યવસ્થા, જેના કારણે આપણું ગુજરાત સ્વસ્થ બને, આપણું ગુજરાત વિકસિત બને, એના માટેનું કામ આપણે કરી રહ્યા છીએ.
ભાઈઓ, બહેનો,
આપણને તો ખબર છે, ખાલી સુરત, વલસાડ અને તાપીનો પટ્ટો છોડી દો, તો આખું ગુજરાત, કચ્છ, કાઠીયાવાડ, ઉત્તર ગુજરાત... પાણી એટલે આપણે વલખા જ મારવાના. દિવાળી ગઈ નથી કે પાણીના વલખા શરૂ થયા નથી. આ દિવસો આપણે કાઢ્યા હતા. અમે 20 – 25 વર્ષ સુધી સેવાભાવથી, ઈમાનદારીથી, સમર્પણભાવથી, સેવાનો યજ્ઞ આદર્યો, અને ગુજરાતને પાણીના સંકટમાંથી બહાર લાવવાનું કામ... આ મારા અરવલ્લી જિલ્લાને પાણીના સંકટમાંથી બહાર લાવવાનું કામ કર્યું.
અને સમાજના બધા જ લોકોને જોડીને વિકાસ કરવાનો અમે પ્રયાસ કર્યો છે, ભાઈઓ. દાયકાઓ સુધી જે સમસ્યાઓ હતી, એને એક પછી એક સુલઝાવવાનો પ્રયાસ કરીને અમે આગળ વધ્યા છીએ. આજે ગુજરાતમાં ઘેર ઘેર પાણી પહોંચે. નળથી જળ પહોંચે એના માટે લાખો નળ કનેક્શનનું કામ પુર ગતિથી ચલાવ્યું. 20 વર્ષમાં ગુજરાતની અંદર 70,000 કિલોમીટર જેટલી નહેરોનું નેટવર્ક નિર્માણ કર્યું છે. 70,000 કિલોમીટર નહેરો બનાવી છે.
ટપક સિંચાઈ, સુક્ષ્મ સિંચાઈ દ્વારા સરકારની મદદથી લોકો પાણી બચાવવાની દિશામાં ભાગીદાર બન્યા છે. એ જ રીતે ઉત્તર ગુજરાતનો બદલાવ એના કારણે સ્પષ્ટ દેખાય છે, ભાઈઓ. જ્યાં આગળ એક પાક લેવાના સાંસા પડતા હતા, ત્યાં આજે બબ્બે – ત્રણ ત્રણ પાક મારો ખેડૂત લેતો થયો છે. અને એની આવકમાં ઉમેરો થયો છે.
ઈન્ડો-ઈઝરાયલ સેન્ટર, આપણા અહીંયા પડોશમાં જ છે. એમાં એક્સલન્સીની મદદથી ફળ અને સબ્જીના ક્ષેત્રમાં પણ આપણે વિકાસ પામ્યા છીએ. અને જે પાકા રોડ મોટા બનાવ્યા છે ને, મને કોઈએ કહ્યું કે સાહેબ, અત્યારે તો અમે નીકળીએ છીએ, 12 – 13 કલાકની અંદર દિલ્હીના બજારમાં અમારી સાબરકાંઠાની, અરવલ્લી જિલ્લાની શાકભાજી પહોંચી જાય છે. અમારા દિલ્હીના લોકો પહેલા ગુજરાતનું નમક ખાતા હતા. ગુજરાતના દૂધની ચા પીતા હતા. હવે ગુજરાતની શાકભાજી ખાઈને મોટા થઈ રહ્યા છે. આ કામ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ભાઈઓ કરી રહ્યા છે.
નાનો કિસાન. એની ચિંતા વધારે કરવાની. એની તરફ કોઈ જોતું નહોતું. કારણ કે નાનો કિસાન. એને બિચારાને ટ્યુબવેલ ન હોય, પાણીની વ્યવસ્થા ન હોય, જમીનનો ટુકડોય નાનો હોય. એમાંય છોકરા એટલા... આખું કુટુંબ મોટું એટલે ટુકડા થઈ ગયા હોય. એટલે શું કરે? બાજરો, જુવાર, બાજરો, જુવાર કરીને, મકાઈ કરીને કંઈ દહાડા કાઢતો હોય. અમે પી.એમ. કિસાન સન્માન નિધિ દ્વારા વર્ષમાં ત્રણ વાર એના ખાતામાં સીધા પૈસા જમા કરાવીએ છીએ. આ જિલ્લામાં 2 લાખ કિસાનોના ખાતામાં 400 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે, ભાઈઓ, 400 કરોડ રૂપિયા. તમારા ખિસ્સામાં 400 કરોડ રૂપિયા પહોંચ્યા હોય, ભાઈઓ તમારી આવતીકાલની ઉજ્જવળની ગેરંટી લઈને અમે આવીએ છીએ.
અને એટલું જ નહિ, મારા નાના ખેડૂતો આખા દેશમાં જે મોટું અનાજ પકવે છે. જુવાર, બાજરો જેવું અનાજ પકવે છે. આપણે આખી દુનિયામાં 2023 મિલેટ-ઈયર ઉજવવા માટેનું યુ.એન. નેશન્સને વિનંતી કરી હતી, યુનાઈટેડ નેશન્સને. અને 2023નું વર્ષ આખી દુનિયા મિલેટ વર્ષ મનાવવાની છે. મિલેટ એટલે આપણે જાડું અનાજ. જુવાર ને બાજરો ને એવું બધું. આખી દુનિયા. તમે વિચાર કરો, આખી દુનિયામાં જવાર, બાજરાની આવી જે રાગીને આ બધું છે ને, એનું મોટું બજાર ઉભું થવાનું છે, અને એનો લાભ આખા ભારતના નાના નાના ખેડૂતોને મળવાનો છે. મારા અરવલ્લીના નાના ખેડૂતોને મળવાનો છે. મારા ઉત્તર ગુજરાતના નાના ખેડૂતોને મળવાનો છે.
ભાઈઓ, બહેનો,
ગામડાનો વિકાસ. આજે બધા રિપોર્ટ કહે છે કે ભારતની અંદર ગામડામાં ગરીબી તેજ રીતે ઘટી રહી છે. કારણ વિકાસના ફળ હવે ગામડા સુધી લઈ જવાનું કામ ચાલ્યું છે. ભાઈઓ, બહેનો, વિકાસ કરવો હોય ને તો જેમ પાણીનું મહત્વ છે ને એ જ રીતે વીજળીનું મહત્વ છે, અને અંધારા જ્યાં સુધી દૂર ના થાય, વીજળી ના આવે, તો ભાઈઓ, બહેનો ક્યારેય પ્રગતિ શક્ય ના બને. દુનિયા બદલાઈ ગઈ છે. આજે મોબાઈલ વગર, તમારામાં એકેય બેઠો નહિ હોય. વીજળી ન હોય તો ચાર્જ ક્યાં કરાવવા જશો, તમે? કોના ખિસ્સામાં મોબાઈલ આવે? પણ આ વીજળી કોકે નાખી હશે, મહેનત કરી હશે તો ને...
આપણા ગુજરાતમાં વીજળીના ઉત્પાદનમાં આપણે એટલા બધા ગયા, એટલા બધા વીજળીના નવા કારખાના ઉભા કર્યા. આજે વીજળીમાં ગુજરાત સરપ્લસ થઈ ગયું છે, સરપ્લસ. આજે ગુજરાત જરુરત કરતા વધારે વીજળી ઉત્પાદન કરતું થઈ ગયું છે, અને વીજળી આવી, આ કોરોનાકાળમાં મોબાઈલ ફોન હતા, વીજળી હતી તો ગામડામાં ઘરે બેસીને બાળક મોબાઈલ ફોન પર ભણી શક્યું. આ કામ આપણે કર્યું છે. અને હવે તો 5-જી લાવવાના છીએ. 5-જી આવશે એટલે આખી નવી ક્રાન્તિ આવવાની છે.
ભાઈઓ, બહેનો,
આ પરિવર્તન ભારતીય જનતા પાર્ટીની સરકારો દ્વારા ઈમાનદારીપૂર્વક કરેલા કામોને કારણે થયું છે. આજે ગુજરાતમાં વીજળી પેદા કરવાની ક્ષમતા પહેલા કરતા પાંચ ગણી વધારે છે. આજે ગુજરાતમાં વિન્ડ એનર્જી, પવનચક્કી, પાંચ ગણી કરતા વધારે વીજળી આપણે પેદા કરીએ છીએ. આજે ગુજરાતમાં સોલર પાવર. આપણે સોલર પાવરનો એક પ્રોજેક્ટ અહીંયા શરૂ કર્યો હતો. તમને બધાને પડોશમાં જ ખબર હશે. આજે દસ ગણી વીજળી સૂર્યશક્તિથી પેદા કરવાનું કામ આપણે કરીએ છીએ.
એટલું જ નહિ, ઘેર ઘેર સોલર રૂફ ટોપ, એની ચિંતા કરીએ છીએ. અને મારું તો સપનું છે, ભાઈઓ. હમણા તમે મોઢેરાનું વાંચ્યું હશે. મોઢેરાની અંદર આખું ગામ આપણે સૂર્યશક્તિથી ચાલતું કરી દીધું છે. ઘેર ઘેર ઉપર, છત ઉપર સોલર પેનલો લગાવી છે, એટલે દરેક ઘરમાં પોતાનું જ વીજળીનું કારખાનું બની ગયું. મારે તો ગુજરાતમાં બધે જ આ કરવું છે. એટલે તમે વીજળી તો ઘરમાં મફત આવે જ. પણ વધારાની વીજળી તમે વેચીને કમાણી કરી શકો. ઘેર બેઠા કમાણી થાય.
વીજળીમાંથી કમાણી થાય, એ વાત તો મોદી જ કરી શકે, ભઈલા. અને એ મારે કરવું છે. હમણા મેં મોઢેરામાં એક બહેન જોડે ફોન ઉપર વાત કરી. ભઈ, આ સૂર્યનગરી કરીને તો હું આવી ગયો. પણ પછી શું અનુભવ છે? તો એમણે કહ્યું કે સાહેબ, અમે તો હવે ઘરમાં એ.સી. લાવવાનું નક્કી કર્યું છે. ફ્રિજ લાવવાનું નક્કી કર્યું છે. મેં કહ્યું કેમ? પૈસા? તો કહે, હતા. પણ પહેલા ડરતા હતા, અમે લાવતા. કારણ કે આ વીજળીનું બિલ એટલું બધું આવે તો રેફ્રિજરેટર અને એરકન્ડિશન અમને પાલવે નહિ. લાવવાનો ખર્ચો તો પાલવે પણ રાખવાનો ના પાલવે, પણ આ સોલર આવી ગયું છે ને, એટલે બધું મફતમાં છે. એટલે અમે તો રેફ્રિજરેટરેય લાવવાના છીએ, એ.સી.ય લાવવાના છીએ. આ ક્રાન્તિ. આ ક્રાન્તિ ગુજરાતમાં ઘેર ઘેર આવે એના માટે આપણે કામ કરી રહ્યા છીએ.
એટલું જ નહિ, અમારા ખેડૂતના જિંદગીમાં પણ મારે બદલાવ લાવવો છે. એક વખત વીજળીના ભાવ માટે અમારા ઉત્તર ગુજરાતના ખેડૂતો આંદોલનો કરતા. અમારા કચ્છી પટેલો, બરાબર આંદોલનનું નેતૃત્વ કરતા, મેદાનમાં ઉતરતા. એમાં મોડાસા જોર મારતું હતું. અને કોંગ્રેસની સરકારો ગોળીઓ દેતી હતી. કોંગ્રેસની સરકારોએ ગોળીઓ દીધી હતી, આપણા અરવલ્લી જિલ્લાના છોકરાઓને મારી નાખ્યા હતા. વીજળી લેવા ગયા હતા અને મારી નાખ્યા હતા.
હવે આપણે વીજળીના ક્ષેત્રમાં એક પરિવર્તન લાવી રહ્યા છીએ. અન્નદાતા, ઊર્જાદાત બને. ખેતરના શેઢા ઉપર આપણે વાડ કરતા હોઈએ છીએ. વાડમાં બે મીટર જમીન આપણી બગડે, બે મીટર જમીન પડોશીની બગડે. વિના કારણે ચાર મીટર જમીન આપણે બગાડી નાખતા હોઈએ. ત્યાં સોલર પેનલ લગાવવાની. તમારી આવશ્યક વીજળી તમારી સોલર પેનલમાંથી વાપરે, તમને વીજળી મફત મળે અને વધારાની વીજળી અમારી સરકાર ખરીદી લે. તમે જેમ અનાજ વેચો છો, એમ વીજળી પણ વેચી શકો, એ દિશામાં કામ કરવાનું ચાલી રહ્યું છે. હવે વીજળી સસ્તી કરો...નો જમાનો ગયો. હવે અમારી વીજળી તમે ખરીદશો ક્યારે? એની વાત કરો. એ કામ અમે કરી રહ્યા છીએ, ભાઈઓ.
ભાઈઓ, બહેનો,
20 વર્ષ પહેલા ગુજરાતમાં 55 લાખ આસપાસ વીજળી કનેક્શનો હતા. આજે લગભગ 2 કરોડે પહોંચ્યા છે અને સોલર એનર્જી આવ્યા પછી તો વીજળી જ વીજળી છે. તમે પોતે કારખાનાના માલિક અને તમારી જ વીજળી. જેટલી વાપરવી હોય, એટલી વાપરો, મફત. આ ભગવાન સૂર્યદેવતા તપી રહ્યા છે, તમારા હાથમાં છે, વાપરવું હોય એટલું વાપરો. આ કામ આપણે કરી રહ્યા છીએ. 5 લાખ કરતા વધારે કનેક્શનો આપણે પહોંચાડી દીધા છે. આજે 5 લાખે હતા એ 20 લાખે પહોંચ્યા.
ભાઈઓ, બહેનો,
પશુપાલન. આપણી આ ડેરી. ડેરીનો તો પોતાનો એક ચમકારો હવે થવા માંડ્યો છે. પણ વીજળી આવી એના કારણે ચિલિંગ સેન્ટરો ચાલ્યા. મિલ્ક કલેક્શન સેન્ટરો સરખા ચાલ્યા, અને એના કારણે પશુપાલનને લાભ થયો. ડેરી સેક્ટરનો સીધો લાભ પશુપાલનમાં થયો. હવે પશુપાલનમાં પણ જે ખેડૂતોને આપણે કે.સી.સી. કાર્ડ આપીએ છીએ. એ કે.સી.સી. કાર્ડ હવે પશુપાલકને પણ આપીએ છીએ. કિસાન ક્રેડિટ કાર્ડ. જેના કારણે બેન્કમાંથી ઓછા પૈસે, ઓછા વ્યાજે એને પૈસા મળી રહે, દેવાના ડુંગરમાંથી બહાર આવે, આ કામ કરી રહ્યા છીએ.
ભાઈઓ, બહેનો,
20 વર્ષ પહેલાં જે રાજ્યમાં 60 લાખ ટન દૂધનું ઉત્પાદન થતું હતું તે આજે 160 લાખ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન થાય છે, ભાઈઓ, 160 લાખ મેટ્રિક ટન. આજે ગુજરાતમાં 62,000 કરોડ રૂપિયા... માત્ર પશુપાલનના ક્ષેત્રે આજે ગુજરાતની અંદર 62,000 કરોડ રૂપિયાનો વેપાર થઈ રહ્યો છે. આપે મને દિલ્હીમાં મોકલ્યો, તો પશુપાલકો, એમને મેં કહ્યું એમ કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનું કામ આપણે કર્યું. અને મને સંતોષ છે કે પશુપાલનના ક્ષેત્રમાં ગુજરાતની અંદર 12 લાખ કરતા વધારે પરિવારો આજે એનો લાભ લઈ રહ્યા છે.
ભાઈઓ, બહેનો,
અમારો આદિવાસી પટ્ટો, અમારી આદિવાસી બહેનો, વિકસિત ગુજરાતમાં એમનું ગૌરવ વધે, પહેલી વાર એમ.એસ.પી.ની વાત બધા કરે, વન-ધનને એમ.એસ.પી. કોઈ આપતું નહોતું. મારા આદિવાસી વિસ્તારમાં, જંગલોમાં જે પેદાવાર થાય, એના વન-ધનના એમ.એસ.પી. નક્કી કર્યા. 90 જેટલી ચીજો આજે એમ.એસ.પી.થી ખરીદાય છે.
જંગલમાં ઉગતી ચીજો મારા આદિવાસી ભાઈઓ, બહેનોને કમાણીની શક્યતા. 20 વર્ષ, 25 વર્ષ પહેલા, વિકાસના, સર્વાંગીણ વિકાસની વાત, સર્વક્ષેત્રીય વિકાસ, સર્વસ્પર્શીય વિકાસ. આમ ચારેય તરફ વિકાસની વાત લઈને આપણે નીકળ્યા. અને એના કારણે ગુજરાત આજે આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ કરી ચુક્યું છે. વિકસિત ગુજરાત બનાવવાના સપનાં સાથે ચાલી રહ્યા છીએ. અને આ વિકસિત ગુજરાત બનાવવાનું કામ મારા જવાનીયાઓના હાથમાં છે, ભાઈઓ. અને એના માટે એક મજબુત સરકાર બનાવવી જરૂરી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ફરી એક વાર લાવીને આપણે આગળ વધવું છે.
આપ આટલી મોટી સંખ્યામાં આવ્યા છો ત્યારે મારું એક કામ કરશો તમે? (ઑડિયન્સમાંથી હા...)
પાકે પાયે? (ઑડિયન્સમાંથી હા...)
હાથ ઊંચો કરો તો ખબર પડે.
હોંકારો કરો તો ખબર પડે.
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
આ વખતે અરવલ્લી જિલ્લાના મતદાનના બધા રેકોર્ડ તોડી નાખશો? (ઑડિયન્સમાંથી હા...)
દરેક પોલિંગ બુથમાં વધુમાં વધુ મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
ઘેર ઘેર જઈને લોકોને સમજાવશો? (ઑડિયન્સમાંથી હા...)
આજે મેં જેટલી વાતો કરી છે, એ બધી વાતો પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
બીજું એક મારું અંગત કામ કરશો? (ઑડિયન્સમાંથી હા...)
અંગત હોં? (ઑડિયન્સમાંથી હા...)
જરા બોલો તો ખબર પડે ને, ડોકા હલાવો તો શું મેળ પડે? (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જો આ અરવલ્લી જિલ્લો, મારો જિલ્લો છે, એટલે મારે તો હક્કથી કહેવાય. કહું કે ના કહું? (ઑડિયન્સમાંથી હા...)
તમને ખબર છે, પહેલા અમારું મોડાસા તો હુલ્લડ થાય, માલપુર, મેઘરજ હુલ્લડ થાય, પ્રાંતિજ હુલ્લડ થાય. હિંમતનગર હુલ્લડ થાય. ભિલોડા હુલ્લડ થાય, ગણેજીમાંય હુલ્લડ થાય.
થતું હતું ને કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
હવે આ દુકાનો બધી બંધ થઈ ગઈ ને, ભાઈ? (ઑડિયન્સમાંથી હા...)
સુખચેનની જિંદગી આવી કે ના આવી? (ઑડિયન્સમાંથી હા...)
મને તો ખબર છે, અહીંયા મોડાસામાં શું થતું હતું, ભાઈ? સાંજ પડે, ચિંતા કરે, દીકરી સાંજે ઘેર આવશે કે નહિ આવે? આ દિવસો હતા.
સુખ-શાંતિથી જિંદગી જીવીએ છીએ કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
સૌનું ભલું થયું કે ના થયું? (ઑડિયન્સમાંથી હા...)
શાંતિ, એકતા, સદભાવ, આ બધાના લાભમાં છે કે નહિ? (ઑડિયન્સમાંથી હા...)
એમાં ક્યાંય હિન્દુ – મુસલમાન આવે છે? બધાનું ભલું એમાં જ થાય ભાઈ. શાંતિમાં જ બધાનું ભલું છે. એકતામાં જ બધાનું ભલું છે અને 20 વર્ષમાં આપણે આ કરીને બતાવ્યું છે. અને એના કારણે ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે.
અને એટલે હું કહું છું, મારું એક કામ કરશો? (ઑડિયન્સમાંથી હા...)
ખોંખારીને બોલતા નથી...
આ બધા બહાર, મંડપની બહાર, જે બધા... કરશો, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા...)
જરા જોરથી બોલો...
હા, મંડપની બહાર બધા બહુ લોકો છે. બિચારા તડકામાં ઉભા રહ્યા છે. પણ એમનો પ્રેમ છે, તો તડકો સહન કરીને અમને આશીર્વાદ આપી રહ્યા છે.
ભાઈઓ, બહેનો, મારું નાનકડું કામ છે. પણ મારી ઈચ્છા છે કે તમારે કરવું તો પડે.
આ હજુ અઠવાડિયું ચુંટણીને બાકી છે. તમે ઘેર ઘેર જવાના. બધાને મળશો. તમારા ઉમેદવારની વાત કરશો. ચુંટણીની વાત, બધું જે તમારે કરવું હોય એ કરજો ને, પણ મારું એક કામ કરવાનું છે.
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
પાકું બોલો જરા, કરશો? (ઑડિયન્સમાંથી હા...)
બધાના ઘેર જાઓ ને તો પગે લાગીને વડીલોને કહેવાનું કે આપણા નરેન્દ્રભાઈ મોડાસા આવ્યા હતા. શું કહેશો? પાછું એમ ના કહેતા કે પી.એમ. સાહેબ આવ્યા હતા. આટલું જ કહેવાનું, આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા, મોડાસા. અને તમને પ્રણામ પાઠવ્યા છે.
આટલો મારો સંદેશો આપી દેશો? (ઑડિયન્સમાંથી હા...)
દરેક વડીલને મારા પ્રણામ પાઠવવાના છે. એમના આશીર્વાદ એ મારી તાકાત છે. અને એ આશીર્વાદથી મને દેશની સેવા કરવાની તાકાત મળે છે, એટલે તમે ચુંટણીના મત માગવા હોય એટલા માગજો જ, એ તો કામ કરજો જ. પણ જોડે જોડે મારા માટે આશીર્વાદ માગજો. અને કહેજો કે નરેન્દ્રભાઈ આવીને ખાસ તમને પાઠવ્યા છે. એટલા આશીર્વાદ મને મળશે, એ આશીર્વાદથી હું દેશનું કામ કરતો કરીશ.
મારી સાથે બોલો,
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ધન્યવાદ.
Explore More
பிரபலமான பேச்சுகள்
Media Coverage
Nm on the go
विवेक गोयनका जी, भाई अनंत, जॉर्ज वर्गीज़ जी, राजकमल झा, इंडियन एक्सप्रेस ग्रुप के सभी अन्य साथी, Excellencies, यहां उपस्थित अन्य महानुभाव, देवियों और सज्जनों!
आज हम सब एक ऐसी विभूति के सम्मान में यहां आए हैं, जिन्होंने भारतीय लोकतंत्र में, पत्रकारिता, अभिव्यक्ति और जन आंदोलन की शक्ति को नई ऊंचाई दी है। रामनाथ जी ने एक Visionary के रूप में, एक Institution Builder के रूप में, एक Nationalist के रूप में और एक Media Leader के रूप में, Indian Express Group को, सिर्फ एक अखबार नहीं, बल्कि एक Mission के रूप में, भारत के लोगों के बीच स्थापित किया। उनके नेतृत्व में ये समूह, भारत के लोकतांत्रिक मूल्यों और राष्ट्रीय हितों की आवाज़ बना। इसलिए 21वीं सदी के इस कालखंड में जब भारत विकसित होने के संकल्प के साथ आगे बढ़ रहा है, तो रामनाथ जी की प्रतिबद्धता, उनके प्रयास, उनका विजन, हमारी बहुत बड़ी प्रेरणा है। मैं इंडियन एक्सप्रेस ग्रुप का आभार व्यक्त करता हूं कि आपने मुझे इस व्याख्यान में आमंत्रित किया, मैं आप सभी का अभिनंदन करता हूं।
साथियों,
रामनाथ जी गीता के एक श्लोक से बहुत प्रेरणा लेते थे, सुख दुःखे समे कृत्वा, लाभा-लाभौ जया-जयौ। ततो युद्धाय युज्यस्व, नैवं पापं अवाप्स्यसि।। अर्थात सुख-दुख, लाभ-हानि और जय-पराजय को समान भाव से देखकर कर्तव्य-पालन के लिए युद्ध करो, ऐसा करने से तुम पाप के भागी नहीं बनोगे। रामनाथ जी आजादी के आंदोलन के समय कांग्रेस के समर्थक रहे, बाद में जनता पार्टी के भी समर्थक रहे, फिर जनसंघ के टिकट पर चुनाव भी लड़ा, विचारधारा कोई भी हो, उन्होंने देशहित को प्राथमिकता दी। जिन लोगों ने रामनाथ जी के साथ वर्षों तक काम किया है, वो कितने ही किस्से बताते हैं जो रामनाथ जी ने उन्हें बताए थे। आजादी के बाद जब हैदराबाद और रजाकारों को उसके अत्याचार का विषय आया, तो कैसे रामनाथ जी ने सरदार वल्लभभाई पटेल की मदद की, सत्तर के दशक में जब बिहार में छात्र आंदोलन को नेतृत्व की जरूरत थी, तो कैसे नानाजी देशमुख के साथ मिलकर रामनाथ जी ने जेपी को उस आंदोलन का नेतृत्व करने के लिए तैयार किया। इमरजेंसी के दौरान, जब रामनाथ जी को इंदिऱा गांधी के सबसे करीबी मंत्री ने बुलाकर धमकी दी कि मैं तुम्हें जेल में डाल दूंगा, तो इस धमकी के जवाब में रामनाथ जी ने पलटकर जो कहा था, ये सब इतिहास के छिपे हुए दस्तावेज हैं। कुछ बातें सार्वजनिक हुई, कुछ नहीं हुई हैं, लेकिन ये बातें बताती हैं कि रामनाथ जी ने हमेशा सत्य का साथ दिया, हमेशा कर्तव्य को सर्वोपरि रखा, भले ही सामने कितनी ही बड़ी ताकत क्यों न हो।
साथियों,
रामनाथ जी के बारे में कहा जाता था कि वे बहुत अधीर थे। अधीरता, Negative Sense में नहीं, Positive Sense में। वो अधीरता जो परिवर्तन के लिए परिश्रम की पराकाष्ठा कराती है, वो अधीरता जो ठहरे हुए पानी में भी हलचल पैदा कर देती है। ठीक वैसे ही, आज का भारत भी अधीर है। भारत विकसित होने के लिए अधीर है, भारत आत्मनिर्भर होने के लिए अधीर है, हम सब देख रहे हैं, इक्कीसवीं सदी के पच्चीस साल कितनी तेजी से बीते हैं। एक से बढ़कर एक चुनौतियां आईं, लेकिन वो भारत की रफ्तार को रोक नहीं पाईं।

साथियों,
आपने देखा है कि बीते चार-पांच साल कैसे पूरी दुनिया के लिए चुनौतियों से भरे रहे हैं। 2020 में कोरोना महामारी का संकट आया, पूरे विश्व की अर्थव्यवस्थाएं अनिश्चितताओं से घिर गईं। ग्लोबल सप्लाई चेन पर बहुत बड़ा प्रभाव पड़ा और सारा विश्व एक निराशा की ओर जाने लगा। कुछ समय बाद स्थितियां संभलना धीरे-धीरे शुरू हो रहा था, तो ऐसे में हमारे पड़ोसी देशों में उथल-पुथल शुरू हो गईं। इन सारे संकटों के बीच, हमारी इकॉनमी ने हाई ग्रोथ रेट हासिल करके दिखाया। साल 2022 में यूरोपियन क्राइसिस के कारण पूरे दुनिया की सप्लाई चेन और एनर्जी मार्केट्स प्रभावित हुआ। इसका असर पूरी दुनिया पर पड़ा, इसके बावजूद भी 2022-23 में हमारी इकोनॉमी की ग्रोथ तेजी से होती रही। साल 2023 में वेस्ट एशिया में स्थितियां बिगड़ीं, तब भी हमारी ग्रोथ रेट तेज रही और इस साल भी जब दुनिया में अस्थिरता है, तब भी हमारी ग्रोथ रेट Seven Percent के आसपास है।
साथियों,
आज जब दुनिया disruption से डर रही है, भारत वाइब्रेंट फ्यूचर के Direction में आगे बढ़ रहा है। आज इंडियन एक्सप्रेस के इस मंच से मैं कह सकता हूं, भारत सिर्फ़ एक emerging market ही नहीं है, भारत एक emerging model भी है। आज दुनिया Indian Growth Model को Model of Hope मान रहा है।
साथियों,
एक सशक्त लोकतंत्र की अनेक कसौटियां होती हैं और ऐसी ही एक बड़ी कसौटी लोकतंत्र में लोगों की भागीदारी की होती है। लोकतंत्र को लेकर लोग कितने आश्वस्त हैं, लोग कितने आशावादी हैं, ये चुनाव के दौरान सबसे अधिक दिखता है। अभी 14 नवंबर को जो नतीजे आए, वो आपको याद ही होंगे और रामनाथ जी का भी बिहार से नाता रहा था, तो उल्लेख बड़ा स्वाभाविक है। इन ऐतिहासिक नतीजों के साथ एक और बात बहुत अहम रही है। कोई भी लोकतंत्र में लोगों की बढ़ती भागीदारी को नजरअंदाज नहीं कर सकता। इस बार बिहार के इतिहास का सबसे अधिक वोटर टर्न-आउट रहा है। आप सोचिए, महिलाओं का टर्न-आउट, पुरुषों से करीब 9 परसेंट अधिक रहा। ये भी लोकतंत्र की विजय है।

साथियों,
बिहार के नतीजों ने फिर दिखाया है कि भारत के लोगों की आकांक्षाएं, उनकी Aspirations कितनी ज्यादा हैं। भारत के लोग आज उन राजनीतिक दलों पर विश्वास करते हैं, जो नेक नीयत से लोगों की उन Aspirations को पूरा करते हैं, विकास को प्राथमिकता देते हैं। और आज इंडियन एक्सप्रेस के इस मंच से मैं देश की हर राज्य सरकार को, हर दल की राज्य सरकार को बहुत विनम्रता से कहूंगा, लेफ्ट-राइट-सेंटर, हर विचार की सरकार को मैं आग्रह से कहूंगा, बिहार के नतीजे हमें ये सबक देते हैं कि आप आज किस तरह की सरकार चला रहे हैं। ये आने वाले वर्षों में आपके राजनीतिक दल का भविष्य तय करेंगे। आरजेडी की सरकार को बिहार के लोगों ने 15 साल का मौका दिया, लालू यादव जी चाहते तो बिहार के विकास के लिए बहुत कुछ कर सकते थे, लेकिन उन्होंने जंगलराज का रास्ता चुना। बिहार के लोग इस विश्वासघात को कभी भूल नहीं सकते। इसलिए आज देश में जो भी सरकारें हैं, चाहे केंद्र में हमारी सरकार है या फिर राज्यों में अलग-अलग दलों की सरकारें हैं, हमारी सबसे बड़ी प्राथमिकता सिर्फ एक होनी चाहिए विकास, विकास और सिर्फ विकास। और इसलिए मैं हर राज्य सरकार को कहता हूं, आप अपने यहां बेहतर इंवेस्टमेंट का माहौल बनाने के लिए कंपटीशन करिए, आप Ease of Doing Business के लिए कंपटीशन करिए, डेवलपमेंट पैरामीटर्स में आगे जाने के लिए कंपटीशन करिए, फिर देखिए, जनता कैसे आप पर अपना विश्वास जताती है।
साथियों,
बिहार चुनाव जीतने के बाद कुछ लोगों ने मीडिया के कुछ मोदी प्रेमियों ने फिर से ये कहना शुरू किया है भाजपा, मोदी, हमेशा 24x7 इलेक्शन मोड में ही रहते हैं। मैं समझता हूं, चुनाव जीतने के लिए इलेक्शन मोड नहीं, चौबीसों घंटे इलेक्शन मोड में रहना जरूरी होता है, इमोशनल मोड में रहना जरूरी होता है, इलेक्शन मोड में नहीं। जब मन के भीतर एक बेचैनी सी रहती है कि एक मिनट भी गंवाना नहीं है, गरीब के जीवन से मुश्किलें कम करने के लिए, गरीब को रोजगार के लिए, गरीब को इलाज के लिए, मध्यम वर्ग की आकांक्षाओं को पूरा करने के लिए, बस मेहनत करते रहना है। इस इमोशन के साथ, इस भावना के साथ सरकार लगातार जुटी रहती है, तो उसके नतीजे हमें चुनाव परिणाम के दिन दिखाई देते हैं। बिहार में भी हमने अभी यही होते देखा है।
साथियों,
रामनाथ जी से जुड़े एक और किस्से का मुझसे किसी ने जिक्र किया था, ये बात तब की है, जब रामनाथ जी को विदिशा से जनसंघ का टिकट मिला था। उस समय नानाजी देशमुख जी से उनकी इस बात पर चर्चा हो रही थी कि संगठन महत्वपूर्ण होता है या चेहरा। तो नानाजी देशमुख ने रामनाथ जी से कहा था कि आप सिर्फ नामांकन करने आएंगे और फिर चुनाव जीतने के बाद अपना सर्टिफिकेट लेने आ जाइएगा। फिर नानाजी ने पार्टी कार्यकर्ताओं के बल पर रामनाथ जी का चुनाव लड़ा औऱ उन्हें जिताकर दिखाया। वैसे ये किस्सा बताने के पीछे मेरा ये मतलब नहीं है कि उम्मीदवार सिर्फ नामांकन करने जाएं, मेरा मकसद है, भाजपा के अनगिनत कर्तव्य़ निष्ठ कार्यकर्ताओं के समर्पण की ओर आपका ध्यान आकर्षित करना।

साथियों,
भारतीय जनता पार्टी के लाखों-करोड़ों कार्यकर्ताओं ने अपने पसीने से भाजपा की जड़ों को सींचा है और आज भी सींच रहे हैं। और इतना ही नहीं, केरला, पश्चिम बंगाल, जम्मू-कश्मीर, ऐसे कुछ राज्यों में हमारे सैकड़ों कार्यकर्ताओं ने अपने खून से भी भाजपा की जड़ों को सींचा है। जिस पार्टी के पास ऐसे समर्पित कार्यकर्ता हों, उनके लिए सिर्फ चुनाव जीतना ध्येय नहीं होता, बल्कि वो जनता का दिल जीतने के लिए, सेवा भाव से उनके लिए निरंतर काम करते हैं।
साथियों,
देश के विकास के लिए बहुत जरूरी है कि विकास का लाभ सभी तक पहुंचे। दलित-पीड़ित-शोषित-वंचित, सभी तक जब सरकारी योजनाओं का लाभ पहुंचता है, तो सामाजिक न्याय सुनिश्चित होता है। लेकिन हमने देखा कि बीते दशकों में कैसे सामाजिक न्याय के नाम पर कुछ दलों, कुछ परिवारों ने अपना ही स्वार्थ सिद्ध किया है।
साथियों,
मुझे संतोष है कि आज देश, सामाजिक न्याय को सच्चाई में बदलते देख रहा है। सच्चा सामाजिक न्याय क्या होता है, ये मैं आपको बताना चाहता हूं। 12 करोड़ शौचालयों के निर्माण का अभियान, उन गरीब लोगों के जीवन में गरिमा लेकर के आया, जो खुले में शौच के लिए मजबूर थे। 57 करोड़ जनधन बैंक खातों ने उन लोगों का फाइनेंशियल इंक्लूजन किया, जिनको पहले की सरकारों ने एक बैंक खाते के लायक तक नहीं समझा था। 4 करोड़ गरीबों को पक्के घरों ने गरीब को नए सपने देखने का साहस दिया, उनकी रिस्क टेकिंग कैपेसिटी बढ़ाई है।

साथियों,
बीते 11 वर्षों में सोशल सिक्योरिटी पर जो काम हुआ है, वो अद्भुत है। आज भारत के करीब 94 करोड़ लोग सोशल सिक्योरिटी नेट के दायरे में आ चुके हैं। और आप जानते हैं 10 साल पहले क्या स्थिति थी? सिर्फ 25 करोड़ लोग सोशल सिक्योरिटी के दायरे में थे, आज 94 करोड़ हैं, यानि सिर्फ 25 करोड़ लोगों तक सरकार की सामाजिक सुरक्षा योजनाओं का लाभ पहुंच रहा था। अब ये संख्या बढ़कर 94 करोड़ पहुंच चुकी है और यही तो सच्चा सामाजिक न्याय है। और हमने सोशल सिक्योरिटी नेट का दायरा ही नहीं बढ़ाया, हम लगातार सैचुरेशन के मिशन पर काम कर रहे हैं। यानि किसी भी योजना के लाभ से एक भी लाभार्थी छूटे नहीं। और जब कोई सरकार इस लक्ष्य के साथ काम करती है, हर लाभार्थी तक पहुंचना चाहती है, तो किसी भी तरह के भेदभाव की गुंजाइश भी खत्म हो जाती है। ऐसे ही प्रयासों की वजह से पिछले 11 साल में 25 करोड़ लोगों ने गरीबी को परास्त करके दिखाया है। और तभी आज दुनिया भी ये मान रही है- डेमोक्रेसी डिलिवर्स।
साथियों,
मैं आपको एक और उदाहरण दूंगा। आप हमारे एस्पिरेशनल डिस्ट्रिक्ट प्रोग्राम का अध्ययन करिए, देश के सौ से अधिक जिले ऐसे थे, जिन्हें पहले की सरकारें पिछड़ा घोषित करके भूल गई थीं। सोचा जाता था कि यहां विकास करना बड़ा मुश्किल है, अब कौन सर खपाए ऐसे जिलों में। जब किसी अफसर को पनिशमेंट पोस्टिंग देनी होती थी, तो उसे इन पिछड़े जिलों में भेज दिया जाता था कि जाओ, वहीं रहो। आप जानते हैं, इन पिछड़े जिलों में देश की कितनी आबादी रहती थी? देश के 25 करोड़ से ज्यादा नागरिक इन पिछड़े जिलों में रहते थे।
साथियों,
अगर ये पिछड़े जिले पिछड़े ही रहते, तो भारत अगले 100 साल में भी विकसित नहीं हो पाता। इसलिए हमारी सरकार ने एक नई रणनीति के साथ काम करना शुरू किया। हमने राज्य सरकारों को ऑन-बोर्ड लिया, कौन सा जिला किस डेवलपमेंट पैरामीटर में कितनी पीछे है, उसकी स्टडी करके हर जिले के लिए एक अलग रणनीति बनाई, देश के बेहतरीन अफसरों को, ब्राइट और इनोवेटिव यंग माइंड्स को वहां नियुक्त किया, इन जिलों को पिछड़ा नहीं, Aspirational माना और आज देखिए, देश के ये Aspirational Districts, कितने ही डेवलपमेंट पैरामीटर्स में अपने ही राज्यों के दूसरे जिलों से बहुत अच्छा करने लगे हैं। छत्तीसगढ़ का बस्तर, वो आप लोगों का तो बड़ा फेवरेट रहा है। एक समय आप पत्रकारों को वहां जाना होता था, तो प्रशासन से ज्यादा दूसरे संगठनों से परमिट लेनी होती थी, लेकिन आज वही बस्तर विकास के रास्ते पर बढ़ रहा है। मुझे नहीं पता कि इंडियन एक्सप्रेस ने बस्तर ओलंपिक को कितनी कवरेज दी, लेकिन आज रामनाथ जी ये देखकर बहुत खुश होते कि कैसे बस्तर में अब वहां के युवा बस्तर ओलंपिक जैसे आयोजन कर रहे हैं।

साथियों,
जब बस्तर की बात आई है, तो मैं इस मंच से नक्सलवाद यानि माओवादी आतंक की भी चर्चा करूंगा। पूरे देश में नक्सलवाद-माओवादी आतंक का दायरा बहुत तेजी से सिमट रहा है, लेकिन कांग्रेस में ये उतना ही सक्रिय होता जा रहा था। आप भी जानते हैं, बीते पांच दशकों तक देश का करीब-करीब हर बड़ा राज्य, माओवादी आतंक की चपेट में, चपेट में रहा। लेकिन ये देश का दुर्भाग्य था कि कांग्रेस भारत के संविधान को नकारने वाले माओवादी आतंक को पालती-पोसती रही और सिर्फ दूर-दराज के क्षेत्रों में जंगलों में ही नहीं, कांग्रेस ने शहरों में भी नक्सलवाद की जड़ों को खाद-पानी दिया। कांग्रेस ने बड़ी-बड़ी संस्थाओं में अर्बन नक्सलियों को स्थापित किया है।
साथियों,
10-15 साल पहले कांग्रेस में जो अर्बन नक्सली, माओवादी पैर जमा चुके थे, वो अब कांग्रेस को मुस्लिम लीगी- माओवादी कांग्रेस, MMC बना चुके हैं। और मैं आज पूरी जिम्मेदारी से कहूंगा कि ये मुस्लिम लीगी- माओवादी कांग्रेस, अपने स्वार्थ में देशहित को तिलांजलि दे चुकी है। आज की मुस्लिम लीगी- माओवादी कांग्रेस, देश की एकता के सामने बहुत बड़ा खतरा बनती जा रही है।
साथियों,
आज जब भारत, विकसित बनने की एक नई यात्रा पर निकल पड़ा है, तब रामनाथ गोयनका जी की विरासत और भी प्रासंगिक है। रामनाथ जी ने अंग्रेजों की गुलामी से डटकर टक्कर ली, उन्होंने अपने एक संपादकीय में लिखा था, मैं अंग्रेज़ों के आदेश पर अमल करने के बजाय, अखबार बंद करना पसंद करुंगा। इसी तरह जब इमरजेंसी के रूप में देश को गुलाम बनाने की एक और कोशिश हुई, तब भी रामनाथ जी डटकर खड़े हो गए थे और ये वर्ष तो इमरजेंसी के पचास वर्ष पूरे होने का भी है। और इंडियन एक्सप्रेस ने 50 वर्ष पहले दिखाया है, कि ब्लैंक एडिटोरियल्स भी जनता को गुलाम बनाने वाली मानसिकता को चुनौती दे सकते हैं।

साथियों,
आज आपके इस सम्मानित मंच से, मैं गुलामी की मानसिकता से मुक्ति के इस विषय पर भी विस्तार से अपनी बात रखूंगा। लेकिन इसके लिए हमें 190 वर्ष पीछे जाना पड़ेगा। 1857 के सबसे स्वतंत्रता संग्राम से भी पहले, वो साल था 1835, 1835 में ब्रिटिश सांसद थॉमस बेबिंगटन मैकाले ने भारत को अपनी जड़ों से उखाड़ने के लिए एक बहुत बड़ा अभियान शुरू किया था। उसने ऐलान किया था, मैं ऐसे भारतीय बनाऊंगा कि वो दिखने में तो भारतीय होंगे लेकिन मन से अंग्रेज होंगे। और इसके लिए मैकाले ने भारतीय शिक्षा व्यवस्था में आमूलचूल परिवर्तन नहीं, बल्कि उसका समूल नाश कर दिया। खुद गांधी जी ने भी कहा था कि भारत की प्राचीन शिक्षा व्यवस्था एक सुंदर वृक्ष थी, जिसे जड़ से हटा कर नष्ट कर दिया।
साथियों,
भारत की शिक्षा व्यवस्था में हमें अपनी संस्कृति पर गर्व करना सिखाया जाता था, भारत की शिक्षा व्यवस्था में पढ़ाई के साथ ही कौशल पर भी उतना ही जोर था, इसलिए मैकाले ने भारत की शिक्षा व्यवस्था की कमर तोड़ने की ठानी और उसमें सफल भी रहा। मैकाले ने ये सुनिश्चित किया कि उस दौर में ब्रिटिश भाषा, ब्रिटिश सोच को ज्यादा मान्यता मिले और इसका खामियाजा भारत ने आने वाली सदियों में उठाया।
साथियों,
मैकाले ने हमारे आत्मविश्वास को तोड़ दिया दिया, हमारे भीतर हीन भावना का संचार किया। मैकाले ने एक झटके में हजारों वर्षों के हमारे ज्ञान-विज्ञान को, हमारी कला-संस्कृति को, हमारी पूरी जीवन शैली को ही कूड़ेदान में फेंक दिया था। वहीं पर वो बीज पड़े कि भारतीयों को अगर आगे बढ़ना है, अगर कुछ बड़ा करना है, तो वो विदेशी तौर तरीकों से ही करना होगा। और ये जो भाव था, वो आजादी मिलने के बाद भी और पुख्ता हुआ। हमारी एजुकेशन, हमारी इकोनॉमी, हमारे समाज की एस्पिरेशंस, सब कुछ विदेशों के साथ जुड़ गईं। जो अपना है, उस पर गौरव करने का भाव कम होता गया। गांधी जी ने जिस स्वदेशी को आज़ादी का आधार बनाया था, उसको पूछने वाला ही कोई नहीं रहा। हम गवर्नेंस के मॉडल विदेश में खोजने लगे। हम इनोवेशन के लिए विदेश की तरफ देखने लगे। यही मानसिकता रही, जिसकी वजह से इंपोर्टेड आइडिया, इंपोर्टेड सामान और सर्विस, सभी को श्रेष्ठ मानने की प्रवृत्ति समाज में स्थापित हो गई।
साथियों,
जब आप अपने देश को सम्मान नहीं देते हैं, तो आप स्वदेशी इकोसिस्टम को नकारते हैं, मेड इन इंडिया मैन्युफैक्चरिंग इकोसिस्टम को नकारते हैं। मैं आपको एक और उदाहरण, टूरिज्म की बात करता हूं। आप देखेंगे कि जिस भी देश में टूरिज्म फला-फूला, वो देश, वहां के लोग, अपनी ऐतिहासिक विरासत पर गर्व करते हैं। हमारे यहां इसका उल्टा ही हुआ। भारत में आज़ादी के बाद, अपनी विरासत को दुत्कारने के ही प्रयास हुए, जब अपनी विरासत पर गर्व नहीं होगा तो उसका संरक्षण भी नहीं होगा। जब संरक्षण नहीं होगा, तो हम उसको ईंट-पत्थर के खंडहरों की तरह ही ट्रीट करते रहेंगे और ऐसा हुआ भी। अपनी विरासत पर गर्व होना, टूरिज्म के विकास के लिए भी आवश्यक शर्त है।
साथियों,
ऐसे ही स्थानीय भाषाओं की बात है। किस देश में ऐसा होता है कि वहां की भाषाओं को दुत्कारा जाता है? जापान, चीन और कोरिया जैसे देश, जिन्होंने west के अनेक तौर-तरीके अपनाए, लेकिन भाषा, फिर भी अपनी ही रखी, अपनी भाषा पर कंप्रोमाइज नहीं किया। इसलिए, हमने नई नेशनल एजुकेशन पॉलिसी में स्थानीय भाषाओं में पढ़ाई पर विशेष बल दिया है और मैं बहुत स्पष्टता से कहूंगा, हमारा विरोध अंग्रेज़ी भाषा से नहीं है, हम भारतीय भाषाओं के समर्थन में हैं।
साथियों,
मैकाले द्वारा किए गए उस अपराध को 1835 में जो अपराध किया गया 2035, 10 साल के बाद 200 साल हो जाएंगे और इसलिए आज आपके माध्यम से पूरे देश से एक आह्वान करना चाहता हूं, अगले 10 साल में हमें संकल्प लेकर चलना है कि मैकाले ने भारत को जिस गुलामी की मानसिकता से भर दिया है, उस सोच से मुक्ति पाकर के रहेंगे, 10 साल हमारे पास बड़े महत्वपूर्ण हैं। मुझे याद है एक छोटी घटना, गुजरात में लेप्रोसी को लेकर के एक अस्पताल बन रहा था, तो वो सारे लोग महात्मा गांधी जी से मिले उसके उद्घाटन के लिए, तो महात्मा जी ने कहा कि मैं लेप्रोसी के अस्पताल के उद्घाटन के पक्ष में नहीं हूं, मैं नहीं आऊंगा, लेकिन ताला लगाना है, उस दिन मुझे बुलाना, मैं ताला लगाने आऊंगा। गांधी जी के रहते हुए उस अस्पताल को तो ताला नहीं लगा था, लेकिन गुजरात जब लेप्रोसी से मुक्त हुआ और मुझे उस अस्पताल को ताला लगाने का मौका मिला, जब मैं मुख्यमंत्री बना। 1835 से शुरू हुई यात्रा 2035 तक हमें खत्म करके रहना है जी, गांधी जी का जैसे सपना था कि मैं ताला लगाऊंगा, मेरा भी यह सपना है कि हम ताला लगाएंगे।
साथियों,
आपसे बहुत सारे विषयों पर चर्चा हो गई है। अब आपका मैं ज्यादा समय लेना नहीं चाहता हूं। Indian Express ग्रुप देश के हर परिवर्तन का, देश की हर ग्रोथ स्टोरी का साक्षी रहा है और आज जब भारत विकसित भारत के लक्ष्य को लेकर चल रहा है, तो भी इस यात्रा के सहभागी बन रहे हैं। मैं आपको बधाई दूंगा कि रामनाथ जी के विचारों को, आप सभी पूरी निष्ठा से संरक्षित रखने का प्रयास कर रहे हैं। एक बार फिर, आज के इस अद्भुत आयोजन के लिए आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं। और, रामनाथ गोयनका जी को आदरपूर्वक मैं नमन करते हुए मेरी बात को विराम देता हूं। बहुत-बहुत धन्यवाद!
India is eager to become developed.
— PMO India (@PMOIndia) November 17, 2025
India is eager to become self-reliant. pic.twitter.com/76NJGahNga
India is not just an emerging market.
— PMO India (@PMOIndia) November 17, 2025
India is also an emerging model. pic.twitter.com/rJsaBm59TJ
Today, the world sees the Indian Growth Model as a model of hope. pic.twitter.com/HyjUeINEwQ
— PMO India (@PMOIndia) November 17, 2025
We are continuously working on the mission of saturation. Not a single beneficiary should be left out from the benefits of any scheme. pic.twitter.com/yMBYo8OnKI
— PMO India (@PMOIndia) November 17, 2025
In our new National Education Policy, we have given special emphasis to education in local languages. pic.twitter.com/qYI0Ti7VWU
— PMO India (@PMOIndia) November 17, 2025
