The daughters of Gujarat are going to write the new saga of developed Gujarat: PM Modi in Dahegam

(ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)
મંચ ઉપર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સૌ વરિષ્ઠ નેતાઓ,
અને વિશાળ સંખ્યામાં પધારેલ વહાલા ભાઈઓ અને બહેનો,
પહેલા તો મારે દહેગામને અભિનંદન આપવા છે, પણ તમને ખબર છે? શેના આપવાના છે? દહેગામમાં બપોરે મીટીંગ કરવી હોય તો અમારા દહેગામવાળા કાયમ ના પાડે. આજે આવડી મોટી મીટીંગ કરીને બતાવી દીધી, એટલા માટે અભિનંદન. નહિતર દહેગામવાળા કાયમ કહે કે, સાહેબ, સાંજે રાખજો ને. પણ આજે તમે દહેગામવાળાએ વટ પાડી દીધો છે, ભાઈ.
આઝાદીના 75 વર્ષ સાથીઓ પુરા થયા છે. એક મહત્વપૂર્ણ પડાવ, આ દેશ વટાવી ચુક્યો છે. અને હવે આ દેશ, અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે. આગામી 25 વર્ષ, જ્યારે દેશની આઝાદીના 100 વર્ષ થશે, એ આ 25 વર્ષ અમૃતકાળ છે. અને અમૃતકાળની અંદર આ પહેલી ચુંટણી છે. આઝાદીના અમૃતકાળની આ પહેલી ચુંટણી. આ ચુંટણી 5 વર્ષ માટે નથી ભાઈઓ. આ ચુંટણી 5 વર્ષ માટે ગાંધીનગરમાં કોની સરકાર બને એના માટે નથી.
આ ચુંટણી 25 વર્ષ પછી ગુજરાત કેવું હશે, એનો નિર્ણય કરવા માટેની ચુંટણી છે. દુનિયાના સમૃદ્ધમાં સમૃદ્ધ જે દેશો હોય એ સમૃદ્ધ દેશોના જે માપદંડ હોય, એ બધા માપદંડમાં આપણું ગુજરાત આગળ હોય, એનો મોરચો માંડીને કામે લાગવું છે, અને એ આ ચુંટણીમાં આપણે નિર્ણય કરવાનો છે.
ભાઈઓ, બહેનો,
એક જમાનો હતો. ચુંટણીમાં ભ્રષ્ટાચારની વાતો થાય, જાતિવાદની વાતો થાય, સગાવાદની વાતો થાય, પછી એક સમય આવ્યો કે સડક, વીજળી, પાણી, સ્કૂલ, સ્વાર્થ, આ બધા વિષયોની આસપાસ બધું ગુંથાતું હતું. આજે ગુજરાતે જે ગયા 20 વર્ષમાં કર્યું છે, એના કારણે આજે ગુજરાતમાં પાણી, વીજળી, સડક, એ લગભગ જાણે વિષયો ગુજરાતે જાણે આત્મસાત કરી લીધા છે. એમાં ગુજરાત સંકટોમાંથી બહાર નીકળી ગયું છે. 20 – 24 વર્ષ પહેલા ગુજરાતમાં મૂળભૂત સુવિધાઓના વિકાસ, એના તરફ ગુજરાતે ધ્યાન આપ્યું અને દેશમાં દેશમાં એક અગ્રણી રાજ્ય તરીકે ગુજરાત ઉભું થયું થયું, ભાઈ.
આજે ગુજરાતમાં ઘરવપરાશ માટે 24 કલાક વીજળી. મને યાદ છે, હું પહેલી વાર મુખ્યમંત્રી બન્યો. હજુ તો સોગંદ લેવાનાય બાકી હતા અને ગાંધીનગર સરકિટ હાઉસમાં રહેલો, તો બધા મળવા આવે. હવે ખબર તો પડી ગઈ હતી. પેપર ફૂટી ગયું હતું. તો બધા કાનમાં કહે કે, સાહેબ, બધું બરાબર છે. આ ભુકંપની ભયંકર હોનારત વચ્ચે તમે આવ્યા છો. પણ એક કામ કરજો. મેં કહ્યું, શું? તો કહે સાંજે વાળું કરતી વખતે વીજળી મળે એવું કરજો ને.
મને બરાબર યાદ છે. મેં મુખ્યમંત્રીના સોગંદ લીધા ત્યારે મુદ્દો એક જ ચાલતો. આજે ગુજરાતમાં ઘેર ઘેર 24 કલાક વીજળી. આ આપણે કરીને રહ્યા, દોસ્તો. પહેલાનો જમાનો હતો. આપણે પાણી એટલે... પાણી માગો તો કહે, આ ટેન્કરની વાત આવે, કાં હેન્ડ પંપની વાત આવે. પાણીનો મતલબ જ આ, કે ટેન્કર, હેન્ડ પંપ. પોલિટિકલી ધારાસભ્ય જરા જાગૃત હોય ને થોડી વગ હોય અને બે ચાર હેન્ડ પંપ લગાવી દીધા હોય ને ગામડાઓમાં, તોય લોકો એને હારતોરા કરતા હતા. એવા જમાના હતા. અને ટેન્કર તો... કાકા – ભત્રીજાનું ટેન્કર હોય તો જ કોન્ટ્રાક્ટ મળે. પાછી એમાંય કટકી.
આ જ ચાલતું હતું. આપણે એમાંથી ગુજરાતને બહાર કાઢીને ઘેર ઘેર નળમાં જળ. નળથી જળ. આ સિદ્ધિ મિત્રો પ્રાપ્ત કરી છે. એટલું જ નહિ, ગુજરાતના ખેતરોમાં સિંચાઈની વ્યવસ્થા થાય. હવે અમારો તો દહેગામનો આખોય પટ્ટો. ફળફળાદિ અને શાકભાજી તરફ વળી ગયો. અને એને તો પાણીની અનિવાર્યતા અલગ પ્રકારની હોય. આજે ગુજરાતની અંદર સરદાર સરોવર ડેમનું આવડું ભગીરથ કામ, સુજલામ સુફલામનું ભગીરથ કામ, ચેક ડેમનું કામ, ખેત તલાવડીઓનું કામ. અને હજુય આપણે મંડેલા જ છીએ.
અમૃત સરોવર બનાવી રહ્યા છીએ, આખા દેશમાં. દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર. પાણી માટે લોકોને સુરક્ષિત કરવા અને આજે પાણીની બાબતમાં, ખેતરે ખેતરે પાણી પહોંચાડવાનું કામ. અને મારા ખેડૂત ભાઈઓનો પણ આભાર માનવો છે કે એમણે મોટા ભાગે ટપક સિંચાઈ સ્વીકારી ગુજરાતમાં. અને એના કારણે પાણી પણ બચી રહ્યું છે. અને પાક પણ સારો થઈ રહ્યો છે. એ જ રીતે સડક. ગામડે ગામડે સડકની જાળ. રેલવેની વાત હોય, નવા એરપોર્ટ બનાવવાની વાત હોય, ઈન્ટરનેટ બ્રોડબેન્ટ કનેક્ટિવિટી, ગામડે ગામડે ઓપ્ટિકલ ફાઈબર. વિકાસની એક નવી, માળખું જ આપણે ઉભું કરી દીધું.
શિક્ષણમાં આધુનિક યુનિવર્સિટીઝ. આખી વ્યવસ્થા જુદી. આજે ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં 5મા નંબરે છે, ભાઈ. 2014માં તમે જ્યારે મને દિલ્હી મોકલ્યો ને, ત્યારે આપણે 10 નંબર ઉપર હતા. 10માંથી 9 નંબર ઉપર આવ્યા. કોઈએ ખાસ નોંધ ના લીધી. 9માંથી 8 થયા. હા, થઈ ગયું. 8માંથી 7 થયા. એ તો થઈ ગયું. 7માંથી 6 થયા. પણ 6માંથી 5 થયા. તો આખા દેશમાં ચમકારો થઈ ગયો. આખી દુનિયામાં 5મા નંબરની ઈકોનોમી. પણ એમાં લોકોને આનંદ શેમાં હતો? કારણ? 250 વર્ષ સુધી જેમણે આપણા ઉપર રાજ કર્યું હતું. પહેલા 5 નંબર ઉપર એ હતા, એમને પાછળ કરીને 5 નંબર ઉપર આપણે પહોંચી ગયા. એનો આનંદ હતો. આખા દેશમાં એનો આનંદ હતો, ભાઈઓ. અને આજે દેશ... તમે બધા જો આર્થિક વિષયોના લેખો, સમાચારો વાંચતા હશો, તો ખબર હશે. આખી દુનિયા કહે છે, હવે ભારતને પહેલા ત્રણની અંદર પહોંચતા વાર નથી લાગવાની. આ હિન્દુસ્તાન પહેલા ત્રણમાં પહોંચે એ દિશામાં વધી રહ્યું છે.
ભાઈઓ, બહેનો,
એક જમાનો હતો, 20 વર્ષ પહેલા, ગુજરાતમાં અર્થવ્યવસ્થા કેટલી બધી છે. આપણે ત્યાં 2001-02માં મને તમે જ્યારે કામ સોંપ્યું હતું ત્યારથી લગભગ 14 ગણી મોટી આપણી અર્થવ્યવસ્થા થઈ છે, ગુજરાતની. 14 ગણી. 20 – 25 વર્ષ પહેલા પંચાયતોનું બજેટ. પંચાયત વ્યવસ્થાની વાત આટલી કરીએ, પંચાયતોનું બજેટ આખા ગુજરાતનું 100 કરોડ રૂપિયા હતું. આવડું મોટું ગુજરાત, 100 કરોડ રૂપિયા. આજે 3,500 કરોડ રૂપિયા છે. અને ભારત સરકાર જે સીધા પૈસા મોકલે છે, એ જુદા. એ તો સોનામાં પાછી સુગંધ.
ગુજરાતના ગામડામાં પણ શહેરો જેવી સુવિધાઓ બને, એ દિશામાં આપણે કામ કર્યું છે. આપણો આ ગાંધીનગર જિલ્લો, એમાં તો ગામડું અને શહેર જુદા પાડવા જ મુશ્કેલ થઈ ગયું છે. એક પ્રકારે ગામડું રહ્યું જ નથી, એમ કહો તો ચાલે. અને અહીંયા જ્યારે દહેગામ ગામના ભાઈઓ છે, કલોલના નેતાઓ બેઠા છે.
હું શું જોઉં છું, ભવિષ્ય? હું કંઈ ભવિષ્યવેત્તા નથી પણ જે કામ કરું છું એના કારણે કહું છું, ભાઈઓ. તમે લખી રાખજો, એ દિવસ દૂર નહિ હોય, જ્યારે ગાંધીનગર અને દહેગામ ટ્વિન સિટી હશે. ગાંધીનગર અને કલોલ ટ્વિન સિટી હશે. અને સ્થિતિ એવી હશે કે દહેગામ, કલોલ અને ગાંધીનગર આ ત્રિકોણ આખા ગુજરાતની આર્થિક ગતિવિધિને દોડાવનારું મોટું કેન્દ્ર બની જશે, ભાઈઓ.
આ મને સાફ દેખાય છે, ભાઈઓ. તમે વિચાર કરો, આ ગિફ્ટ સિટીનો વિકાસ થશે, એમાં લગભગ 2 લાખ લોકો કામ કરતા હશે. આ રહેવા ક્યાં જશે? આ દહેગામ જ આવવાના છે, ભાઈ. કલોલ જાય કે દહેગામ આવે. આ આખો પથારો, આમ વિસ્તાર થવાનો છે. તમે આજે દહેગામ બાજુ જાઓ કે કલોલ બાજુ જાઓ, તમને ઉદ્યોગો ને આખા રોડની આજુબાજુ ઉદ્યોગો જ ઉદ્યોગો દેખાય. એનો અર્થ એ થયો કે આખો આ આપણો ટપકો, એ વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાનો છે. હવે દિલ્હીમાં હું બેઠો હોઉં, મારું આ સપનું હોય અને ગુજરાતની જો મને મદદ મળે તો વહેલું પુરું થાય કે ના થાય? થાય કે ના થાય? થાય કે ના થાય? તમને ગમે કે ના ગમે? તો પછી બધા કમળ અહીંથી મોકલવા પડે કે ના મોકલવા પડે? ગાંધીનગર જિલ્લાના બધા કમળની જવાબદારી તમારી ખરી કે નહિ ખરી?
ભાઈઓ, બહેનો,
આપ વિચાર કરો. આ આપણું ગાંધીનગર. અને હું જ્યારે ગાંધીનગર કહું ને ત્યારે ફાયદો તમારા દહેગામ હોય કે કલોલ હોય, બધાને મળે, મળે, ને મળે. નામ ગાંધીનગર હું બોલતો હોઉં, જિલ્લામાં આવ્યું છે, એટલે. હવે તમે જુઓ શિક્ષણના ક્ષેત્રમાં જે સુધારા થયા છે, એ સુધારાનો લાભ આખા ગુજરાતને મળી રહ્યો છે. 20 – 25 વર્ષ પહેલા ગુજરાતમાં શિક્ષણનું બજેટ દોઢ હજાર કરોડ રૂપિયા હતું, દોઢ હજાર કરોડ રૂપિયા. 1,600 કરોડ રૂપિયા. આજે એ વધીને 33,000 કરોડ રૂપિયા છે. ક્યાં દોઢ હજાર કરોડ ને ક્યાં 33,000 કરોડ. આ ગુજરાતે પ્રગતિ કરી છે, ભાઈઓ. અને જે ગુજરાતનું શિક્ષણનું બજેટ છે ને, એટલું તો ઘણા રાજ્યોનું, આખા રાજ્યનું બજેટ નથી. એ ગુજરાત કરી બતાવે છે.
ભારતીય જનતા પાર્ટીની સરકારે શિક્ષણને આધુનિક બનાવવાનું, શિક્ષણને વૈજ્ઞાનિક બનાવવાનું અને શિક્ષણમાં એવી વ્યવસ્થા થાય કે આવનારા 25 વર્ષનો ગોલ્ડન કાળ આજે જે મારા જવાનીયાઓ છે ને તે એવા તૈયાર થઈને નીકળે કે ગુજરાતના ગોલ્ડન કાળના એ બધા કર્ણધાર હોય, એ દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ. અને એના કારણે ગાંધીનગરમાં એક એવી વ્યવસ્થા વિકસિત થઈ, જેમાં સંસ્કાર પણ છે, શિક્ષણ પણ છે, સ્કિલ પણ છે.
ગાંધીનગરમાં આજે શિક્ષણનું એક મોટું ધામ બની ગયું છે, ભાઈઓ. 20 વર્ષ પહેલા ગાંધીનગરમાં હાયર સેકન્ડરીની 80 જેટલી શાળાઓ હતી. આજે લગભગ 300એ પહોંચી છે, બોલો. 20 વર્ષ પહેલા આપણા ગાંધીનગરમાં એન્જિનિયરીંગની ડિગ્રી કોલેજોની પઢાઈ, ક્યાંય નામોનિશાન નહોતું. આજે ગાંધીનગર એન્જિનિયરીંગની ડિગ્રીની 7,000થી વધારે સીટો છે, બોલો. હવે આ તમારા બધા સંતાનો, બાળકોનું ભવિષ્ય બને કે ના બને? 20 વર્ષ પહેલા ગાંધીનગરમાં એન્જિનિયરીંગ ડિપ્લોમાની સીટો 200ની આસપાસ હતી. આજે? આજે ડિપ્લોમાની સીટો 5,000એ પહોંચી છે, ભાઈઓ.
આ, આ તમારા જુવાનીયાઓનું ભાગ્ય બનાવે કે ના બનાવે? આજે ગાંધીનગરમાં દુનિયાની, દુનિયાની એક માત્ર ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરમાં છે. આ તમારા ઘરઆંગણે છે, ભાઈ. દુનિયાની એક માત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એ આપણા ગાંધીનગરમાં છે, તમારા ઘરઆંગણે છે અને આજે આખી દુનિયાને ફોરેન્સિક સાયન્ટિસ્ટોની જરૂર છે. આજે ક્રિમિનલ વર્લ્ડની સામે મુકાબલો કરવો હોય તો ફોરેન્સિક સાયન્સનું મહત્વ વધતું જાય છે. એ કામ તમારા ઘરઆંગણે થઈ રહ્યું છે. અહીંના નવજવાનીયાઓ માટે, આધુનિક ભારતના માટે, આધુનિક વિશ્વના માટે કેટલું મોટું યોગદાનનો અવસર ઉભો થઈ ગયો છે.
આપણા ગાંધીનગરની અંદર એનર્જી યુનિવર્સિટી, દેશની પહેલી એનર્જી યુનિવર્સિટી, પી.ડી.પી.યુ. અને હવે તો પી.ડી.ઈ.યુ. કહે છે. આ ગાંધીનગરમાં મેરીટાઈમ યુનિવર્સિટી. 1,600 કિલોમીટરનો દરિયાકિનારો હોય, બ્લ્યુ ઈકોનોમીની વાત થતી હોય. વિશ્વ ગ્લોબલાઈઝેશનની દિશામાં વળ્યું હોય, સામુદ્રિક વ્યાપારની તાકાત વધતી જ જતી હોય, બંદરો ધમધમતા જ હોય પરંતુ ગુજરાતમાં મેરીટાઈમ માટેનો કોઈ અભ્યાસ જ ના હોય, એ પરિસ્થિતિ બદલી અને મેરીટાઈમ યુનિવર્સિટી બનાવી. જેથી કરીને અમારા જવાનીયાઓ, અમારા દીકરા, દીકરીઓ દુનિયાની અંદર બ્લ્યુ ઈકોનોમીના ક્ષેત્રે યોગદાન આપે એ કામ આપણે કર્યું છે.
ગુજરાતની નેશનલ લૉ યુનિવર્સિટી, એય તમારા ઘરઆંગણે. આ નેશનલ લો યુનિવર્સિટી. હિન્દુસ્તાનભરના બાળકો, એમની પહેલી પસંદગીની જે યુનિવર્સિટીઓ છે, એમાં એક નામ ગાંધીનગરની લો યુનિવર્સિટીનું છે. મને લોકો પ્રધાનમંત્રી કાર્યાલયમાં ઘણી વાર વિનંતી કરે કે સાહેબ, અમારા છોકરાઓને ગાંધીનગરમાં મેળ પડે તો કરજો ને કંઈક. હિન્દુસ્તાનભરના બાળકોની ઈચ્છા હોય છે કે ગાંધીનગરની યુનિવર્સિટીમાં આવે. અહીંયા આપણા દહેગામ પાસે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી. અને છેલ્લે હું જ્યારે આવ્યો, એનું કેમ્પસ મેં જોયું. અદભૂત કેમ્પસ બન્યું છે. આ તમારા આખા દહેગામનું અને ગાંધીનગર જિલ્લાનું ગૌરવ અને આખા હિન્દુસ્તાનના, આર્મીના લોકો આવે છે. પોલીસના લોકો આવે છે. શિક્ષણ માટે આવે છે કે ભઈ, આ આખી મોટી કમાલનું કામ થયું છે. દેશની સુરક્ષા માટે, નાગરિકોની સુરક્ષા માટે આવું સાયન્ટિફિક કામ આપના ગાંધીનગરમાં અને આપના દહેગામની ધરતી ઉપર થઈ રહ્યું છે.
ત્રિપલ આઈ.આઈ.ટી. ગાંધીનગર આખા દેશમાં ગણીગાંઠી આઈ.આઈ.ટી. એ આજે તમારા ઘરઆંગણે છે, ભાઈઓ. સ્પેસ-સાયન્સ, સેટેલાઈટનો ઉપયોગ કેમ કરવો? બાયસેગ નામની ઈન્સ્ટિટ્યુશન આજે હિન્દુસ્તાનભરના લોકો બાયસેગ ઈન્સ્ટિટ્યુટ જોવા માટે ગાંધીનગર આવે છે. આખો દહાડો તપાસ કરે છે કે ભઈ અને હિન્દુસ્તાનભરની સરકારો આ બાયસેગને કામ આપે છે. અમારું આ કરી આપો, અમારું આ કરી આપો. ભારત સરકારનું માર્ગદર્શન બાયસેગ કરે છે. આ કામ તમારા ગાંધીનગરમાં થાય છે. આ તાકાત આખા પંથક માટે બની રહી છે, ભાઈ.
અનેક નવી નવી સંસ્થાઓ ગુજરાતના દીકરા, દીકરીઓ, અલગ અલગ વિષયોમાં ભણી ગણીને આગળ વધે, રોજગાર માટેના અવસર પેદા થાય, ઉદ્યોગોથી આખું ક્ષેત્ર ધમધમે, અને આધુનિક ઉદ્યોગો, ભાવિ ઉદ્યોગો, ભાવિ વિકાસની દિશા, એના માટે આપણે આપણે કામ કરીએ છીએ. અને એટલા માટે આ યાદ રાખવાની જરૂર છે કે સારું શિક્ષણ મળવાનું કારણ આ પ્રોફેશનલ કોર્સ. એનું એક મહત્વ છે. અને દરેક બાળકનું દુનિયાની અંદર સ્થાન, આ પ્રોફેશનલ કોર્સીસના કારણે બનવાનું છે, ભાઈ. આના કારણે ભારતનો પરચમ, દુનિયાભરમાં ભારતનો વિજયધ્વજ ફરકે એ દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ.
ભાઈઓ, બહેનો,
મેં કહ્યું એમ આ અમૃતકાળ છે. દુનિયાના સમૃદ્ધ દેશોની બરાબરીમાં મારે ગુજરાતને લઈ જવું છે.
પણ આ કરશે કોણ, ભાઈ? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
કોણ કરશે? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
કોણ કરશે? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
જરા આ બાજુથી અવાજ આવે? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
કોણ કરશે, ભાઈ? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
કોણ કરશે? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
કોણ કરશે? (ઑડિયન્સમાંથી મોદી... મોદી...)
મોદી નહિ, આ ગુજરાતનો જવાનીયો કરવાનો છે. આજે જેની 20 -22 વર્ષની ઉંમર છે ને, એ ગુજરાતનું ભાગ્ય લખવાનો છે, ભાઈઓ. મારું કામ તો એને તાકાત આપવાનું છે, મારું કામ તો એને અવસર આપવાનું છે, મારું કામ તો એને દિશા દેખાડવાનું છે. પણ મારો ભરોસો તમારા ઉપર છે. તમારા કારણે થવાનું છે, ભાઈઓ. સામાન્ય પરિવારોને આપણે જોતા હોઈએ છીએ. આકાંક્ષા વધતી જતી હોય છે. ગરીબમાં ગરીબ માણસ હોય ને, સાયકલ આવે એટલે મન થાય કે હવે સ્કુટી આવે તો સારું. સ્કુટી આવે તો એને એમ થાય કે સારી મોટરસાયકલ આવે તો સારું. મોટરસાયકલ આવે તો મન કરે કે હવે ફોરવ્હીલર હોય તો જરા વટ પડે.
સ્વાભાવિક છે. આકાંક્ષા એ જ મોટી ઊર્જા હોય છે, વિકાસ માટેની. અને એના માટે થઈને આજે એક વૈભવશાળી ગુજરાતનું સપનું, દિવ્ય, ભવ્ય ગુજરાતનું સપનું. અને એ ભાઈઓ, બહેનો આપણે જોઈને આગળ... તમે જોયું હશે, એક જમાનો હતો ગાંધીનગર રેલવે સ્ટેશન... કાગડા ઊડતા હતા. આજે ગાંધીનગર રેલવે સ્ટેશન જોવા માટે દેશના લોકો આવે છે કે રેલવે સ્ટેશન આવું પણ હોઈ શકે? હિન્દુસ્તાનભરમાં નવા રેલવે સ્ટેશનો બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. અને એ ગાંધીનગરને મોડલ તરીકે જોવા માટે આવે છે. આજે પણ, જેને કહીએ, ફાઈવસ્ટાર સુવિધાઓ, અને વંદે ભારત ટ્રેન, એનો પણ જમાનો તમારા ગાંધીનગરથી શરૂ થયો છે.
ભાઈઓ, બહેનો,
આ, આજે સુવિધાઓ વધી રહી છે. તમારા ઉદેપુર સુધી મેં હમણા એક ટ્રેન ચાલુ કરી. એ તો આખા તમારા પટ્ટાને અડી જાય છે, બોલો. આ ટુરિઝમને ફાયદો કરવાની છે. રોજગારને ફાયદો કરવાની છે. સ્પીડ હોય, સ્કેલ હોય, આનો વધુને વધુ ગુજરાતના લોકોને ઉપયોગ થાય, એના માટે આપણે કામ કરીએ છીએ. પણ ભાઈઓ, બહેનો, આ સુવિધાનું સ્તર એ 21મી સદીની દુનિયા છે. અને એના માટે થઈને આપણે કામ કરીએ છીએ.
વિકસિત ગુજરાતનું મોડલ, એના માટે આપણે કામ કરી રહ્યા છીએ, અને પુરા આખા ગુજરાતને અંદર એક વાતાવરણ બનાવીને ગુજરાતને આગળ લઈ જવું છે. અને દિલ્હીમાં નરેન્દ્ર હોય ને ગાંધીનગરમાં ભુપેન્દ્ર હોય, આ બન્ને એન્જિનો લાગ્યા હોય, સાહેબ... આપણું ગિફ્ટ સિટી એક મોટું ઉદાહરણ છે. ગિફ્ટ સિટીના કારણે એક વર્ષ પહેલા, કેટલાય લોકો એની ટીકા... મને યાદ છે, જ્યારે મેં એનું લોન્ચિંગ કર્યું હતું ને, ત્યારે લોકો કહે આ મોદીને કંઈ સમજણ જ નથી પડતી, એમ કહેતા હતા. આજે ગિફ્ટ સિટી દુનિયાનું મોટું કેન્દ્ર બની રહ્યું છે. દુનિયાનું મોટું કેન્દ્ર. અને એના કારણે મોટી આર્થિક પ્રવૃત્તિઓનું સેન્ટર બની રહ્યું છે. જે ચીજ દુબઈમાં થાય, જે ચીજ સિંગાપુરમાં થાય છે, એ હિન્દુસ્તાનની અંદર તમારા ગાંધીનગરમાં તમારા ગિફ્ટ સિટીમાં થવાની છે. તમારા દહેગામવાળા સામે જુએ ને દેખાય ને એટલું પાસે થવાનું છે, ભાઈઓ.
આજે જુઓ, અમદાવાદ અમારું, ચિરપુરાતન શહેર, ગાંધીનગર, એનું ભવિષ્ય કેવી રીતે જોડાઈ ગયું છે. ભવિષ્યના શહેર બની રહ્યા છે, આ. અને હું જોઈ રહ્યો છું, દહેગામ હોય કે કલોલ હોય. આજે દહેગામ અને કલોલના ગર્ભમાં ભાવિ મહાનગરો આકાર લઈ રહ્યા છે, ભાઈઓ. કલોલ અને ગાંઘીનગર અને દહેગામ, એના ગર્ભમાં ગુજરાતના, દેશના ભાવિ મહાનગરો એના ગર્ભાધાન થઈ ચુક્યું છે. એ ગર્ભમાં આકાર લઈ રહ્યા છે. એટલી પ્રગતિ હું જોઈ રહ્યો છું.
ટેકનોલોજી હોય, શિક્ષણ હોય, વિજ્ઞાન હોય, આધુનિકતા હોય, વ્યાપાર હોય, આ બધા ક્ષેત્રમાં આ પટ્ટો વિકાસ પામે. ખેતીનું પણ કામ હશે, તો એમાં વેલ્યુ એડિશન હશે. એમનેમ નહિ, પાક ખેતરમાં પાક્યો અને કોઈ લઈ ગયો, એવું નહિ. કપાસ પણ પાકતો હશે તો ફેશનેબલ ડિઝાઈન થયેલા કપડાં વેચાય ને, ત્યાં સુધી એની ડિઝાઈન બનશે. આ કામ આપણે કરી રહ્યા છે, ભાઈઓ. રોજગારના નવા અવસર મળે, આવતીકાલનું ગુજરાત સમદ્ધ બને.
તમે કોઈ કોંગ્રેસના લોકોને પુછજો. એમને તો નરેન્દ્રભાઈ આવા ને નરેન્દ્રભાઈ તેવાનું ભાષણ કરે પણ એને ખબર નહિ પડે, ગુજરાત આવતીકાલે કેવું હોવું જોઈએ, એની ગતાગમ નથી, આ કોંગ્રેસવાળાઓને. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ, એ મંત્ર લઈને ગયા 20 વર્ષથી આપણે તપસ્યા આદરી છે. એક વિકાસનો મહાયજ્ઞ આદર્યો છે. અને સમાજના સર્વ લોકોને લાભ મળે, વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતનું સપનું સાકાર થાય, એના માટે કામ કરી રહ્યા છીએ. અને એના માટે થઈને મને આપનો સાથ જોઈએ, ભાઈઓ.
ગાંધીનગર જિલ્લો આખેઆખો ભારતીય જનતા પાર્ટીની મોટી શક્તિ છે. અને આ બધા પટ્ટા એવા. મેં તો જોયા, ચાર ચાર પેઢીના લોકો અહીંયા બેઠા છે. જેમણે ચાર ચાર પેઢી, પરિવારો ખપાવી દીધા છે. આ ભારતીય જનતા પાર્ટીના વિચારને મજબુત બનાવવા માટે, એવા સાથીઓ મારી સામે બેઠેલા હું જોઈ રહ્યો છું. એમના ભરોસે હું કહું છું. ભાઈઓ, બહેનો, ગુજરાતના સર્વાંગીણ વિકાસ માટે આપણે કામ કરવું છે.
અમારી માતાઓ, બહેનો, એમનો મારે વિશેષ આભાર માનવો છે. બહેન, દીકરીઓનો આભાર માનવો છે. કારણ? આજે હું એમ કહી શકું, મારી પાસે જે શક્તિ છે ને, એ માતાઓના આશીર્વાદને કારણે છે, અને હવે હિન્દુસ્તાનની નવી ગાથા, આ માતાઓ, બહેનો, દીકરીઓની શક્તિથી લખાવાની છે. અને આ ડબલ એન્જિનની સરકાર એમના સશક્તિકરણ માટે કામ કરે છે.
હમણા મને હેલિપેડ પર ભાઈઓ મળ્યા. મેં જરા, બે મિનિટ ઉભો રહ્યો, વાતો કરી. મને કહે આ આયુષ્માન યોજનાની અસર જે બહેનોમાં છે ને, એ તો અદભુત છે. કારણ કે એને બીમારીમાં આજે આટલી મોટી મદદ મળી જાય ને... પરિવારમાં કોઈની સામે એને હાથ લાંબો નથી કરવો પડતો. અને ગૌરવભેર જીવન... અમારો મધ્યમ વર્ગનો પરિવાર, ગરીબ પરિવાર હોય, નિમ્ન મધ્યમ વર્ગનો પરિવાર હોય, આની મુસીબતો દૂર કરવી. એનું ઓછામાં ઓછી મુસીબતમાંથી એમને નીકળવાનું થાય. એને સુવિધા વધુમાં વધુ મળે એ દિશામાં ગયા.
તમે વિચાર કરો, કાચા ઘરમાં ફૂટપાથ પર જિંદગી જીવનારા, ઝુંપડપટ્ટીઓ હતી. અમારા કોંગ્રેસના લોકો કરે? કામ કેટલું હતું? આમ ટુકડા નાખે. આજે અમે કરોડો ઘર બનાવ્યા છે, કરોડો ઘર, પાકા ઘરમાં પરિવારો રહેતા થયા. અને અમારું સપનું છે, કોઈ ઝુંપટપટ્ટીમાં રહેવું ના પડે. ઘરમાં ટોઈલેટ હોય, ટોઈલેટ હોય ને એટલે બહેનોની ઈજ્જતઘર છે. ઉત્તર પ્રદેશમાં એનું નામ જ ઈજ્જતઘર છે. ઈજ્જતઘર નામ પાડ્યું છે. 50 ટકા ગુજરાતના ઘર એવા હતા કે ટોઈલેટ નહોતું. અમારી બહેનોને બિચારીને કેટલી તકલીફ પડતી હતી, એનો તમે અંદાજ કરી શકો. એમાંથી મુક્તિ અપાવી.
પાણી હોય તો નળથી જળ પહોંચાડ્યું. ચુલા હતા તો ગેસના કનેક્શન પહોંચાડ્યા. માતાઓ. બહેનોના જીવનને સશક્ત બનાવવા, સમૃદ્ધ બનાવવા માટે જેટલા પણ પ્રકારના થાય પ્રયાસો, આપણે કર્યા. અને બધા પ્રયાસોનું પરિણામ છે કે આજે અમારી માતૃશક્તિ, મારી બહેન, દીકરીઓના આશીર્વાદ મળે છે. હવે તો સેનામાં અમારી દીકરીઓ જાય છે. આર્મીમાં, નેવીમાં, એરફોર્સમાં. ભારતની અંદર અને ગુજરાતમાં પણ આજે દીકરીઓ આગળ જઈ રહી છે, એમાં તક આપી રહ્યા છીએ.
વિકાસનું કોઈ ક્ષેત્ર એવું નહિ હોય જેને આપણે સ્પર્શ ના કરતા હોઈએ. આજે બહેનોના જનધન એકાઉન્ટ ખોલ્યા, ત્યારે મારી મજાક ઉડાવતા હતા, લોકો કે બેન્કમાં એકાઉન્ટ ખોલશે તો મૂકશે શું? આજે મેં જોયું છે કે લાખો રૂપિયા બેન્કોની અંદર આ ગરીબ માતાઓએ મૂક્યા છે. કારણ, એને ગેરંટી થઈ ગઈ છે કે ઘરમાં મૂક્યા હોય તો સાંજ પડે પેલો લઈ જાય. આ તો સાચવે તો છોકરાઓ મોટા થાય તો કામમાં આવે. મારી માતાઓ, બહેનોના આશીર્વાદ મને એના કારણે મળી રહ્યા છે.
મેં, આપણે પાથરણાવાળા, લારી-ગલ્લાવાળાને સ્વનિધિ યોજનાથી પૈસા અપાવવાનું શરૂ કર્યું. અને પૈસા પણ કોઈ પણ પ્રકારની ગેરંટી વગર. તમે વિચાર કરો, આ પાથરણાવાળો કોઈ દહાડો બિચારાએ બેન્ક જોઈ હોય? લારી-ગલ્લાવાળાએ બેન્ક જોઈ હોય? શાકભાજી વેચવાવાળો બેન્કમાં ગયો હોય? આખી દુનિયા બદલી નાખી. શાકભાજી વેચવાવાળો હોય, દૂધ વેચવાવાળો હોય, છાપા વેચવાવાળો હોય, પાથરણાબજાર લઈને બેઠો હોય, પસ્તી વેચવાવાળો હોય, એના માટે સ્વનિધિ યોજના બનાવી.
અને આજે? દેશની અંદર કરોડો કરોડો આવા ભાઈઓ. બેન્કમાંથી એને લોન મળી જાય છે. 10,000થી લઈને 50,000 રૂપિયા સુધીની લોન મળે છે. ઓછા વ્યાજે મળે છે. અને એ જો ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે, મોબાઈલથી મોબાઈલ, પૈસા આપવાનું કરે, કેશ ના આપે, તો એનું વ્યાજ પણ માફ થઈ જાય છે. અને એના કારણે એ વ્યાજના ચક્કરમાંથી પણ છુટી ગયો છે, ભાઈઓ. નહિ તો પહેલા, 1,000 રૂપિયા લેવા જાય કોઈ શાહુકારને ત્યાં, વ્યાજખોરને ત્યાં, તો સવારમાં 100 રૂપિયા કાપી લે, 900 રૂપિયા આપે અને સાંજે પાછા જઈને 1,000 જમા કરાવવાના. આટલો બધો એનો ત્રાસ હતો. આજે એને મુક્તિ અપાવવાનું કામ કર્યું છે.
કહેવાનો મારો મતલબ એ છે, ભાઈઓ, કે જીવનના બધા જ ક્ષેત્રમાં સર્વાંગીણ વિકાસ, સર્વસ્પર્શી વિકાસ, બધાને લાભ મળે એની ચિંતા, અને વિકસિત ગુજરાતનું સપનું પુરું કરવા માટે આપણે કામ કરી રહ્યા છીએ ત્યારે મારી આપને વિનંતી છે, ભાઈઓ.
મારું એક કામ કરશો, તમે? (ઑડિયન્સમાંથી હા...)
જરા જોરથી બોલો તો ખબર પડે. (ઑડિયન્સમાંથી હા...)
આ બાજુથી કેમ અવાજ નથી આવતો? (ઑડિયન્સમાંથી હા...)
કરશો કામ? (ઑડિયન્સમાંથી હા...)
એક તો મારે આ વખતે દહેગામ જિલ્લાના જૂના બધા રેકોર્ડ તોડવા છે.
તોડી આપશો? (ઑડિયન્સમાંથી હા...)
પહેલું કામ તો આ કે પોલિંગ બુથમાં જેટલું મતદાન પહેલા થયું હોય, 2014માં થયું હોય, 2017માં થયું હોય, 2019માં થયું હોય, એ અત્યાર સુધી થયેલા બધા મતદાન કરતા વધારે મતદાન આપણે કરાવવું છે.
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
પણ તમારે બેસવું પડે આંકડા લઈને. ગયા વખતે ભઈ, આપણા બુથમાં 700 વોટ પડ્યા હતા, આ વખતે 800 થવા જોઈએ, 900 થવા જોઈએ. આવું કરવું પડે.
કરશો બધા? (ઑડિયન્સમાંથી હા...)
એકેએક પોલિંગ બુથમાં વધુમાં વધુ મતદાન કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)
હવે બીજું કામ. મતદાન તો થાય. લોકતંત્ર તો મજબુત થવું જ જોઈએ, પણ ભાજપ બી તો મજબુત થવો જોઈએ ને, ભાઈ. તો પછી એમાંથી કમળ નીકળવું જોઈએ.
નીકળશે? (ઑડિયન્સમાંથી હા...)
દરેકેદરેક પોલિંગ બુથમાંથી કમળ જીતે એવું થશે? દરેકેદરેક પોલિંગ બુથમાંથી આપણે જીતવું છે આ વખતે. અને પોલિંગ બુથ જીતવું, એ જ આપણું લક્ષ્ય આ વખતે. એક પણ પોલિંગ બુથ હારવું નથી.
પાકું? (ઑડિયન્સમાંથી હા...)
કરશો બધા મદદ? (ઑડિયન્સમાંથી હા...)
કરશો મહેનત? (ઑડિયન્સમાંથી હા...)
હવે મારું બીજું એક કામ. અંગત કામ.
દહેગામવાળાને તો કહેવાય ને? (ઑડિયન્સમાંથી હા...)
કલોલવાળાને ય કહેવાય. ગાંધીનગર ઉત્તર હોય કે દક્ષિણ હોય, કહેવાય તો ખરું જ ને? (ઑડિયન્સમાંથી હા...)
કરશો ખરા પણ? (ઑડિયન્સમાંથી હા...)
જરા જોરથી બોલો તો ખબર પડે, ભાઈ... (ઑડિયન્સમાંથી હા...)
એમ નહિ, મને ભરોસો પડવો જોઈએ ને... જરા એવો અવાજ કરો. (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
કરશો? (ઑડિયન્સમાંથી હા...)
100 ટકા કરશો? (ઑડિયન્સમાંથી હા...)
તો હજુ અઠવાડિયું બાકી છે, તમે ઘેર ઘેર જશો, મતદારોને મળશો. બધા મતદારોને મળવા જાઓ. વડીલોને મળો ત્યારે મારા વતી એ બધાને પગે લાગજો અને એમને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ દહેગામ આવ્યા હતા. શું કહેવાનું? પાછું એવું નહિ કહેવાનું કે પી.એમ. સાહેબ આવ્યા હતા. પ્રધાનમંત્રી વગેરે ભુલી જાઓ, ભાઈ. એમને કહેજો, આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા. આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા અને એમણે તમને પ્રણામ પાઠવ્યા છે.
આટલું કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
અને એમને કહેશો ને કે ભઈ, નરેન્દ્રભાઈએ તમને પ્રણામ પાઠવ્યા છે, એટલે એમના મને આશીર્વાદ મળશે, અને એ આશીર્વાદ, એ આશીર્વાદ મને કામ કરવાની તાકાત આપે છે. દેશ માટે દોડવાની તાકાત આપે છે. મને મારા ગાંધીનગર જિલ્લાના આશીર્વાદ જોઈએ. પ્રત્યેક વડીલના આશીર્વાદ જોઈએ. અને તમારે મારી વાત પહોંચાડવાની કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા. એમણે પ્રણામ પાઠવ્યા છે.
પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા...)
બોલો, ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)
ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)

Explore More
ஒவ்வொரு இந்தியனின் இரத்தமும் கொதிக்கிறது: ‘மன் கீ பாத்’ (மனதின் குரல்) நிகழ்ச்சியில் பிரதமர் மோடி

பிரபலமான பேச்சுகள்

ஒவ்வொரு இந்தியனின் இரத்தமும் கொதிக்கிறது: ‘மன் கீ பாத்’ (மனதின் குரல்) நிகழ்ச்சியில் பிரதமர் மோடி
India’s Urban Growth Broadens: Dun & Bradstreet’s City Vitality Index Highlights New Economic Frontiers

Media Coverage

India’s Urban Growth Broadens: Dun & Bradstreet’s City Vitality Index Highlights New Economic Frontiers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, the world sees the Indian Growth Model as a model of hope: PM Modi
November 17, 2025
India is eager to become developed, India is eager to become self-reliant: PM
India is not just an emerging market, India is also an emerging model: PM
Today, the world sees the Indian Growth Model as a model of hope: PM
We are continuously working on the mission of saturation; Not a single beneficiary should be left out from the benefits of any scheme: PM
In our new National Education Policy, we have given special emphasis to education in local languages: PM

विवेक गोयनका जी, भाई अनंत, जॉर्ज वर्गीज़ जी, राजकमल झा, इंडियन एक्सप्रेस ग्रुप के सभी अन्य साथी, Excellencies, यहां उपस्थित अन्य महानुभाव, देवियों और सज्जनों!

आज हम सब एक ऐसी विभूति के सम्मान में यहां आए हैं, जिन्होंने भारतीय लोकतंत्र में, पत्रकारिता, अभिव्यक्ति और जन आंदोलन की शक्ति को नई ऊंचाई दी है। रामनाथ जी ने एक Visionary के रूप में, एक Institution Builder के रूप में, एक Nationalist के रूप में और एक Media Leader के रूप में, Indian Express Group को, सिर्फ एक अखबार नहीं, बल्कि एक Mission के रूप में, भारत के लोगों के बीच स्थापित किया। उनके नेतृत्व में ये समूह, भारत के लोकतांत्रिक मूल्यों और राष्ट्रीय हितों की आवाज़ बना। इसलिए 21वीं सदी के इस कालखंड में जब भारत विकसित होने के संकल्प के साथ आगे बढ़ रहा है, तो रामनाथ जी की प्रतिबद्धता, उनके प्रयास, उनका विजन, हमारी बहुत बड़ी प्रेरणा है। मैं इंडियन एक्सप्रेस ग्रुप का आभार व्यक्त करता हूं कि आपने मुझे इस व्याख्यान में आमंत्रित किया, मैं आप सभी का अभिनंदन करता हूं।

साथियों,

रामनाथ जी गीता के एक श्लोक से बहुत प्रेरणा लेते थे, सुख दुःखे समे कृत्वा, लाभा-लाभौ जया-जयौ। ततो युद्धाय युज्यस्व, नैवं पापं अवाप्स्यसि।। अर्थात सुख-दुख, लाभ-हानि और जय-पराजय को समान भाव से देखकर कर्तव्य-पालन के लिए युद्ध करो, ऐसा करने से तुम पाप के भागी नहीं बनोगे। रामनाथ जी आजादी के आंदोलन के समय कांग्रेस के समर्थक रहे, बाद में जनता पार्टी के भी समर्थक रहे, फिर जनसंघ के टिकट पर चुनाव भी लड़ा, विचारधारा कोई भी हो, उन्होंने देशहित को प्राथमिकता दी। जिन लोगों ने रामनाथ जी के साथ वर्षों तक काम किया है, वो कितने ही किस्से बताते हैं जो रामनाथ जी ने उन्हें बताए थे। आजादी के बाद जब हैदराबाद और रजाकारों को उसके अत्याचार का विषय आया, तो कैसे रामनाथ जी ने सरदार वल्‍लभभाई पटेल की मदद की, सत्तर के दशक में जब बिहार में छात्र आंदोलन को नेतृत्व की जरूरत थी, तो कैसे नानाजी देशमुख के साथ मिलकर रामनाथ जी ने जेपी को उस आंदोलन का नेतृत्व करने के लिए तैयार किया। इमरजेंसी के दौरान, जब रामनाथ जी को इंदिऱा गांधी के सबसे करीबी मंत्री ने बुलाकर धमकी दी कि मैं तुम्हें जेल में डाल दूंगा, तो इस धमकी के जवाब में रामनाथ जी ने पलटकर जो कहा था, ये सब इतिहास के छिपे हुए दस्तावेज हैं। कुछ बातें सार्वजनिक हुई, कुछ नहीं हुई हैं, लेकिन ये बातें बताती हैं कि रामनाथ जी ने हमेशा सत्य का साथ दिया, हमेशा कर्तव्य को सर्वोपरि रखा, भले ही सामने कितनी ही बड़ी ताकत क्‍यों न हो।

साथियों,

रामनाथ जी के बारे में कहा जाता था कि वे बहुत अधीर थे। अधीरता, Negative Sense में नहीं, Positive Sense में। वो अधीरता जो परिवर्तन के लिए परिश्रम की पराकाष्ठा कराती है, वो अधीरता जो ठहरे हुए पानी में भी हलचल पैदा कर देती है। ठीक वैसे ही, आज का भारत भी अधीर है। भारत विकसित होने के लिए अधीर है, भारत आत्मनिर्भर होने के लिए अधीर है, हम सब देख रहे हैं, इक्कीसवीं सदी के पच्चीस साल कितनी तेजी से बीते हैं। एक से बढ़कर एक चुनौतियां आईं, लेकिन वो भारत की रफ्तार को रोक नहीं पाईं।

साथियों,

आपने देखा है कि बीते चार-पांच साल कैसे पूरी दुनिया के लिए चुनौतियों से भरे रहे हैं। 2020 में कोरोना महामारी का संकट आया, पूरे विश्व की अर्थव्यवस्थाएं अनिश्चितताओं से घिर गईं। ग्लोबल सप्लाई चेन पर बहुत बड़ा प्रभाव पड़ा और सारा विश्व एक निराशा की ओर जाने लगा। कुछ समय बाद स्थितियां संभलना धीरे-धीरे शुरू हो रहा था, तो ऐसे में हमारे पड़ोसी देशों में उथल-पुथल शुरू हो गईं। इन सारे संकटों के बीच, हमारी इकॉनमी ने हाई ग्रोथ रेट हासिल करके दिखाया। साल 2022 में यूरोपियन क्राइसिस के कारण पूरे दुनिया की सप्लाई चेन और एनर्जी मार्केट्स प्रभावित हुआ। इसका असर पूरी दुनिया पर पड़ा, इसके बावजूद भी 2022-23 में हमारी इकोनॉमी की ग्रोथ तेजी से होती रही। साल 2023 में वेस्ट एशिया में स्थितियां बिगड़ीं, तब भी हमारी ग्रोथ रेट तेज रही और इस साल भी जब दुनिया में अस्थिरता है, तब भी हमारी ग्रोथ रेट Seven Percent के आसपास है।

साथियों,

आज जब दुनिया disruption से डर रही है, भारत वाइब्रेंट फ्यूचर के Direction में आगे बढ़ रहा है। आज इंडियन एक्सप्रेस के इस मंच से मैं कह सकता हूं, भारत सिर्फ़ एक emerging market ही नहीं है, भारत एक emerging model भी है। आज दुनिया Indian Growth Model को Model of Hope मान रहा है।

साथियों,

एक सशक्त लोकतंत्र की अनेक कसौटियां होती हैं और ऐसी ही एक बड़ी कसौटी लोकतंत्र में लोगों की भागीदारी की होती है। लोकतंत्र को लेकर लोग कितने आश्वस्त हैं, लोग कितने आशावादी हैं, ये चुनाव के दौरान सबसे अधिक दिखता है। अभी 14 नवंबर को जो नतीजे आए, वो आपको याद ही होंगे और रामनाथ जी का भी बिहार से नाता रहा था, तो उल्लेख बड़ा स्वाभाविक है। इन ऐतिहासिक नतीजों के साथ एक और बात बहुत अहम रही है। कोई भी लोकतंत्र में लोगों की बढ़ती भागीदारी को नजरअंदाज नहीं कर सकता। इस बार बिहार के इतिहास का सबसे अधिक वोटर टर्न-आउट रहा है। आप सोचिए, महिलाओं का टर्न-आउट, पुरुषों से करीब 9 परसेंट अधिक रहा। ये भी लोकतंत्र की विजय है।

साथियों,

बिहार के नतीजों ने फिर दिखाया है कि भारत के लोगों की आकांक्षाएं, उनकी Aspirations कितनी ज्यादा हैं। भारत के लोग आज उन राजनीतिक दलों पर विश्वास करते हैं, जो नेक नीयत से लोगों की उन Aspirations को पूरा करते हैं, विकास को प्राथमिकता देते हैं। और आज इंडियन एक्सप्रेस के इस मंच से मैं देश की हर राज्य सरकार को, हर दल की राज्य सरकार को बहुत विनम्रता से कहूंगा, लेफ्ट-राइट-सेंटर, हर विचार की सरकार को मैं आग्रह से कहूंगा, बिहार के नतीजे हमें ये सबक देते हैं कि आप आज किस तरह की सरकार चला रहे हैं। ये आने वाले वर्षों में आपके राजनीतिक दल का भविष्य तय करेंगे। आरजेडी की सरकार को बिहार के लोगों ने 15 साल का मौका दिया, लालू यादव जी चाहते तो बिहार के विकास के लिए बहुत कुछ कर सकते थे, लेकिन उन्होंने जंगलराज का रास्ता चुना। बिहार के लोग इस विश्वासघात को कभी भूल नहीं सकते। इसलिए आज देश में जो भी सरकारें हैं, चाहे केंद्र में हमारी सरकार है या फिर राज्यों में अलग-अलग दलों की सरकारें हैं, हमारी सबसे बड़ी प्राथमिकता सिर्फ एक होनी चाहिए विकास, विकास और सिर्फ विकास। और इसलिए मैं हर राज्य सरकार को कहता हूं, आप अपने यहां बेहतर इंवेस्टमेंट का माहौल बनाने के लिए कंपटीशन करिए, आप Ease of Doing Business के लिए कंपटीशन करिए, डेवलपमेंट पैरामीटर्स में आगे जाने के लिए कंपटीशन करिए, फिर देखिए, जनता कैसे आप पर अपना विश्वास जताती है।

साथियों,

बिहार चुनाव जीतने के बाद कुछ लोगों ने मीडिया के कुछ मोदी प्रेमियों ने फिर से ये कहना शुरू किया है भाजपा, मोदी, हमेशा 24x7 इलेक्शन मोड में ही रहते हैं। मैं समझता हूं, चुनाव जीतने के लिए इलेक्शन मोड नहीं, चौबीसों घंटे इलेक्शन मोड में रहना जरूरी होता है, इमोशनल मोड में रहना जरूरी होता है, इलेक्शन मोड में नहीं। जब मन के भीतर एक बेचैनी सी रहती है कि एक मिनट भी गंवाना नहीं है, गरीब के जीवन से मुश्किलें कम करने के लिए, गरीब को रोजगार के लिए, गरीब को इलाज के लिए, मध्यम वर्ग की आकांक्षाओं को पूरा करने के लिए, बस मेहनत करते रहना है। इस इमोशन के साथ, इस भावना के साथ सरकार लगातार जुटी रहती है, तो उसके नतीजे हमें चुनाव परिणाम के दिन दिखाई देते हैं। बिहार में भी हमने अभी यही होते देखा है।

साथियों,

रामनाथ जी से जुड़े एक और किस्से का मुझसे किसी ने जिक्र किया था, ये बात तब की है, जब रामनाथ जी को विदिशा से जनसंघ का टिकट मिला था। उस समय नानाजी देशमुख जी से उनकी इस बात पर चर्चा हो रही थी कि संगठन महत्वपूर्ण होता है या चेहरा। तो नानाजी देशमुख ने रामनाथ जी से कहा था कि आप सिर्फ नामांकन करने आएंगे और फिर चुनाव जीतने के बाद अपना सर्टिफिकेट लेने आ जाइएगा। फिर नानाजी ने पार्टी कार्यकर्ताओं के बल पर रामनाथ जी का चुनाव लड़ा औऱ उन्हें जिताकर दिखाया। वैसे ये किस्सा बताने के पीछे मेरा ये मतलब नहीं है कि उम्मीदवार सिर्फ नामांकन करने जाएं, मेरा मकसद है, भाजपा के अनगिनत कर्तव्य़ निष्ठ कार्यकर्ताओं के समर्पण की ओर आपका ध्यान आकर्षित करना।

साथियों,

भारतीय जनता पार्टी के लाखों-करोड़ों कार्यकर्ताओं ने अपने पसीने से भाजपा की जड़ों को सींचा है और आज भी सींच रहे हैं। और इतना ही नहीं, केरला, पश्चिम बंगाल, जम्मू-कश्मीर, ऐसे कुछ राज्यों में हमारे सैकड़ों कार्यकर्ताओं ने अपने खून से भी भाजपा की जड़ों को सींचा है। जिस पार्टी के पास ऐसे समर्पित कार्यकर्ता हों, उनके लिए सिर्फ चुनाव जीतना ध्येय नहीं होता, बल्कि वो जनता का दिल जीतने के लिए, सेवा भाव से उनके लिए निरंतर काम करते हैं।

साथियों,

देश के विकास के लिए बहुत जरूरी है कि विकास का लाभ सभी तक पहुंचे। दलित-पीड़ित-शोषित-वंचित, सभी तक जब सरकारी योजनाओं का लाभ पहुंचता है, तो सामाजिक न्याय सुनिश्चित होता है। लेकिन हमने देखा कि बीते दशकों में कैसे सामाजिक न्याय के नाम पर कुछ दलों, कुछ परिवारों ने अपना ही स्वार्थ सिद्ध किया है।

साथियों,

मुझे संतोष है कि आज देश, सामाजिक न्याय को सच्चाई में बदलते देख रहा है। सच्चा सामाजिक न्याय क्या होता है, ये मैं आपको बताना चाहता हूं। 12 करोड़ शौचालयों के निर्माण का अभियान, उन गरीब लोगों के जीवन में गरिमा लेकर के आया, जो खुले में शौच के लिए मजबूर थे। 57 करोड़ जनधन बैंक खातों ने उन लोगों का फाइनेंशियल इंक्लूजन किया, जिनको पहले की सरकारों ने एक बैंक खाते के लायक तक नहीं समझा था। 4 करोड़ गरीबों को पक्के घरों ने गरीब को नए सपने देखने का साहस दिया, उनकी रिस्क टेकिंग कैपेसिटी बढ़ाई है।

साथियों,

बीते 11 वर्षों में सोशल सिक्योरिटी पर जो काम हुआ है, वो अद्भुत है। आज भारत के करीब 94 करोड़ लोग सोशल सिक्योरिटी नेट के दायरे में आ चुके हैं। और आप जानते हैं 10 साल पहले क्या स्थिति थी? सिर्फ 25 करोड़ लोग सोशल सिक्योरिटी के दायरे में थे, आज 94 करोड़ हैं, यानि सिर्फ 25 करोड़ लोगों तक सरकार की सामाजिक सुरक्षा योजनाओं का लाभ पहुंच रहा था। अब ये संख्या बढ़कर 94 करोड़ पहुंच चुकी है और यही तो सच्चा सामाजिक न्याय है। और हमने सोशल सिक्योरिटी नेट का दायरा ही नहीं बढ़ाया, हम लगातार सैचुरेशन के मिशन पर काम कर रहे हैं। यानि किसी भी योजना के लाभ से एक भी लाभार्थी छूटे नहीं। और जब कोई सरकार इस लक्ष्य के साथ काम करती है, हर लाभार्थी तक पहुंचना चाहती है, तो किसी भी तरह के भेदभाव की गुंजाइश भी खत्म हो जाती है। ऐसे ही प्रयासों की वजह से पिछले 11 साल में 25 करोड़ लोगों ने गरीबी को परास्त करके दिखाया है। और तभी आज दुनिया भी ये मान रही है- डेमोक्रेसी डिलिवर्स।

साथियों,

मैं आपको एक और उदाहरण दूंगा। आप हमारे एस्पिरेशनल डिस्ट्रिक्ट प्रोग्राम का अध्ययन करिए, देश के सौ से अधिक जिले ऐसे थे, जिन्हें पहले की सरकारें पिछड़ा घोषित करके भूल गई थीं। सोचा जाता था कि यहां विकास करना बड़ा मुश्किल है, अब कौन सर खपाए ऐसे जिलों में। जब किसी अफसर को पनिशमेंट पोस्टिंग देनी होती थी, तो उसे इन पिछड़े जिलों में भेज दिया जाता था कि जाओ, वहीं रहो। आप जानते हैं, इन पिछड़े जिलों में देश की कितनी आबादी रहती थी? देश के 25 करोड़ से ज्यादा नागरिक इन पिछड़े जिलों में रहते थे।

साथियों,

अगर ये पिछड़े जिले पिछड़े ही रहते, तो भारत अगले 100 साल में भी विकसित नहीं हो पाता। इसलिए हमारी सरकार ने एक नई रणनीति के साथ काम करना शुरू किया। हमने राज्य सरकारों को ऑन-बोर्ड लिया, कौन सा जिला किस डेवलपमेंट पैरामीटर में कितनी पीछे है, उसकी स्टडी करके हर जिले के लिए एक अलग रणनीति बनाई, देश के बेहतरीन अफसरों को, ब्राइट और इनोवेटिव यंग माइंड्स को वहां नियुक्त किया, इन जिलों को पिछड़ा नहीं, Aspirational माना और आज देखिए, देश के ये Aspirational Districts, कितने ही डेवलपमेंट पैरामीटर्स में अपने ही राज्यों के दूसरे जिलों से बहुत अच्छा करने लगे हैं। छत्तीसगढ़ का बस्तर, वो आप लोगों का तो बड़ा फेवरेट रहा है। एक समय आप पत्रकारों को वहां जाना होता था, तो प्रशासन से ज्यादा दूसरे संगठनों से परमिट लेनी होती थी, लेकिन आज वही बस्तर विकास के रास्ते पर बढ़ रहा है। मुझे नहीं पता कि इंडियन एक्सप्रेस ने बस्तर ओलंपिक को कितनी कवरेज दी, लेकिन आज रामनाथ जी ये देखकर बहुत खुश होते कि कैसे बस्तर में अब वहां के युवा बस्तर ओलंपिक जैसे आयोजन कर रहे हैं।

साथियों,

जब बस्तर की बात आई है, तो मैं इस मंच से नक्सलवाद यानि माओवादी आतंक की भी चर्चा करूंगा। पूरे देश में नक्सलवाद-माओवादी आतंक का दायरा बहुत तेजी से सिमट रहा है, लेकिन कांग्रेस में ये उतना ही सक्रिय होता जा रहा था। आप भी जानते हैं, बीते पांच दशकों तक देश का करीब-करीब हर बड़ा राज्य, माओवादी आतंक की चपेट में, चपेट में रहा। लेकिन ये देश का दुर्भाग्य था कि कांग्रेस भारत के संविधान को नकारने वाले माओवादी आतंक को पालती-पोसती रही और सिर्फ दूर-दराज के क्षेत्रों में जंगलों में ही नहीं, कांग्रेस ने शहरों में भी नक्सलवाद की जड़ों को खाद-पानी दिया। कांग्रेस ने बड़ी-बड़ी संस्थाओं में अर्बन नक्सलियों को स्थापित किया है।

साथियों,

10-15 साल पहले कांग्रेस में जो अर्बन नक्सली, माओवादी पैर जमा चुके थे, वो अब कांग्रेस को मुस्लिम लीगी- माओवादी कांग्रेस, MMC बना चुके हैं। और मैं आज पूरी जिम्मेदारी से कहूंगा कि ये मुस्लिम लीगी- माओवादी कांग्रेस, अपने स्वार्थ में देशहित को तिलांजलि दे चुकी है। आज की मुस्लिम लीगी- माओवादी कांग्रेस, देश की एकता के सामने बहुत बड़ा खतरा बनती जा रही है।

साथियों,

आज जब भारत, विकसित बनने की एक नई यात्रा पर निकल पड़ा है, तब रामनाथ गोयनका जी की विरासत और भी प्रासंगिक है। रामनाथ जी ने अंग्रेजों की गुलामी से डटकर टक्कर ली, उन्होंने अपने एक संपादकीय में लिखा था, मैं अंग्रेज़ों के आदेश पर अमल करने के बजाय, अखबार बंद करना पसंद करुंगा। इसी तरह जब इमरजेंसी के रूप में देश को गुलाम बनाने की एक और कोशिश हुई, तब भी रामनाथ जी डटकर खड़े हो गए थे और ये वर्ष तो इमरजेंसी के पचास वर्ष पूरे होने का भी है। और इंडियन एक्सप्रेस ने 50 वर्ष पहले दिखाया है, कि ब्लैंक एडिटोरियल्स भी जनता को गुलाम बनाने वाली मानसिकता को चुनौती दे सकते हैं।

साथियों,

आज आपके इस सम्मानित मंच से, मैं गुलामी की मानसिकता से मुक्ति के इस विषय पर भी विस्तार से अपनी बात रखूंगा। लेकिन इसके लिए हमें 190 वर्ष पीछे जाना पड़ेगा। 1857 के सबसे स्वतंत्रता संग्राम से भी पहले, वो साल था 1835, 1835 में ब्रिटिश सांसद थॉमस बेबिंगटन मैकाले ने भारत को अपनी जड़ों से उखाड़ने के लिए एक बहुत बड़ा अभियान शुरू किया था। उसने ऐलान किया था, मैं ऐसे भारतीय बनाऊंगा कि वो दिखने में तो भारतीय होंगे लेकिन मन से अंग्रेज होंगे। और इसके लिए मैकाले ने भारतीय शिक्षा व्यवस्था में आमूलचूल परिवर्तन नहीं, बल्कि उसका समूल नाश कर दिया। खुद गांधी जी ने भी कहा था कि भारत की प्राचीन शिक्षा व्यवस्था एक सुंदर वृक्ष थी, जिसे जड़ से हटा कर नष्ट कर दिया।

साथियों,

भारत की शिक्षा व्यवस्था में हमें अपनी संस्कृति पर गर्व करना सिखाया जाता था, भारत की शिक्षा व्यवस्था में पढ़ाई के साथ ही कौशल पर भी उतना ही जोर था, इसलिए मैकाले ने भारत की शिक्षा व्यवस्था की कमर तोड़ने की ठानी और उसमें सफल भी रहा। मैकाले ने ये सुनिश्चित किया कि उस दौर में ब्रिटिश भाषा, ब्रिटिश सोच को ज्यादा मान्यता मिले और इसका खामियाजा भारत ने आने वाली सदियों में उठाया।

साथियों,

मैकाले ने हमारे आत्मविश्वास को तोड़ दिया दिया, हमारे भीतर हीन भावना का संचार किया। मैकाले ने एक झटके में हजारों वर्षों के हमारे ज्ञान-विज्ञान को, हमारी कला-संस्कृति को, हमारी पूरी जीवन शैली को ही कूड़ेदान में फेंक दिया था। वहीं पर वो बीज पड़े कि भारतीयों को अगर आगे बढ़ना है, अगर कुछ बड़ा करना है, तो वो विदेशी तौर तरीकों से ही करना होगा। और ये जो भाव था, वो आजादी मिलने के बाद भी और पुख्ता हुआ। हमारी एजुकेशन, हमारी इकोनॉमी, हमारे समाज की एस्पिरेशंस, सब कुछ विदेशों के साथ जुड़ गईं। जो अपना है, उस पर गौरव करने का भाव कम होता गया। गांधी जी ने जिस स्वदेशी को आज़ादी का आधार बनाया था, उसको पूछने वाला ही कोई नहीं रहा। हम गवर्नेंस के मॉडल विदेश में खोजने लगे। हम इनोवेशन के लिए विदेश की तरफ देखने लगे। यही मानसिकता रही, जिसकी वजह से इंपोर्टेड आइडिया, इंपोर्टेड सामान और सर्विस, सभी को श्रेष्ठ मानने की प्रवृत्ति समाज में स्थापित हो गई।

साथियों,

जब आप अपने देश को सम्मान नहीं देते हैं, तो आप स्वदेशी इकोसिस्टम को नकारते हैं, मेड इन इंडिया मैन्युफैक्चरिंग इकोसिस्टम को नकारते हैं। मैं आपको एक और उदाहरण, टूरिज्म की बात करता हूं। आप देखेंगे कि जिस भी देश में टूरिज्म फला-फूला, वो देश, वहां के लोग, अपनी ऐतिहासिक विरासत पर गर्व करते हैं। हमारे यहां इसका उल्टा ही हुआ। भारत में आज़ादी के बाद, अपनी विरासत को दुत्कारने के ही प्रयास हुए, जब अपनी विरासत पर गर्व नहीं होगा तो उसका संरक्षण भी नहीं होगा। जब संरक्षण नहीं होगा, तो हम उसको ईंट-पत्थर के खंडहरों की तरह ही ट्रीट करते रहेंगे और ऐसा हुआ भी। अपनी विरासत पर गर्व होना, टूरिज्म के विकास के लिए भी आवश्यक शर्त है।

साथियों,

ऐसे ही स्थानीय भाषाओं की बात है। किस देश में ऐसा होता है कि वहां की भाषाओं को दुत्कारा जाता है? जापान, चीन और कोरिया जैसे देश, जिन्होंने west के अनेक तौर-तरीके अपनाए, लेकिन भाषा, फिर भी अपनी ही रखी, अपनी भाषा पर कंप्रोमाइज नहीं किया। इसलिए, हमने नई नेशनल एजुकेशन पॉलिसी में स्थानीय भाषाओं में पढ़ाई पर विशेष बल दिया है और मैं बहुत स्पष्टता से कहूंगा, हमारा विरोध अंग्रेज़ी भाषा से नहीं है, हम भारतीय भाषाओं के समर्थन में हैं।

साथियों,

मैकाले द्वारा किए गए उस अपराध को 1835 में जो अपराध किया गया 2035, 10 साल के बाद 200 साल हो जाएंगे और इसलिए आज आपके माध्यम से पूरे देश से एक आह्वान करना चाहता हूं, अगले 10 साल में हमें संकल्प लेकर चलना है कि मैकाले ने भारत को जिस गुलामी की मानसिकता से भर दिया है, उस सोच से मुक्ति पाकर के रहेंगे, 10 साल हमारे पास बड़े महत्वपूर्ण हैं। मुझे याद है एक छोटी घटना, गुजरात में लेप्रोसी को लेकर के एक अस्पताल बन रहा था, तो वो सारे लोग महात्‍मा गांधी जी से मिले उसके उद्घाटन के लिए, तो महात्मा जी ने कहा कि मैं लेप्रोसी के अस्पताल के उद्घाटन के पक्ष में नहीं हूं, मैं नहीं आऊंगा, लेकिन ताला लगाना है, उस दिन मुझे बुलाना, मैं ताला लगाने आऊंगा। गांधी जी के रहते हुए उस अस्पताल को तो ताला नहीं लगा था, लेकिन गुजरात जब लेप्रोसी से मुक्त हुआ और मुझे उस अस्पताल को ताला लगाने का मौका मिला, जब मैं मुख्यमंत्री बना। 1835 से शुरू हुई यात्रा 2035 तक हमें खत्म करके रहना है जी, गांधी जी का जैसे सपना था कि मैं ताला लगाऊंगा, मेरा भी यह सपना है कि हम ताला लगाएंगे।

साथियों,

आपसे बहुत सारे विषयों पर चर्चा हो गई है। अब आपका मैं ज्यादा समय लेना नहीं चाहता हूं। Indian Express ग्रुप देश के हर परिवर्तन का, देश की हर ग्रोथ स्टोरी का साक्षी रहा है और आज जब भारत विकसित भारत के लक्ष्य को लेकर चल रहा है, तो भी इस यात्रा के सहभागी बन रहे हैं। मैं आपको बधाई दूंगा कि रामनाथ जी के विचारों को, आप सभी पूरी निष्ठा से संरक्षित रखने का प्रयास कर रहे हैं। एक बार फिर, आज के इस अद्भुत आयोजन के लिए आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं। और, रामनाथ गोयनका जी को आदरपूर्वक मैं नमन करते हुए मेरी बात को विराम देता हूं। बहुत-बहुत धन्यवाद!