When it came to resources and facilities, the villages were not even considered in the Congress governments. As a result, the gap between villages and cities kept on increasing: PM Modi in Bavla


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)


ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, મારા કરતા પણ સિનિયર શ્રીમાન ભુપેન્દ્રસિંહજી,


મંચ ઉપર બિરાજમાન સૌ ભાજપના આગેવાનો,


આ ચુંટણીમાં તમે જેમને જંગી બહુમતીથી જીતાડીને ધારાસભ્ય બનાવવાના છો, એવા સર્વે ઉમેદવારો,


અને વિશાળ સંખ્યામાં આશીર્વાદ આપવા માટે આવેલ વહાલા નાગરિક ભાઈઓ અને બહેનો,


આજે જ્યારે બાવળા આવવાનું નક્કી થયું, તો મને પહેલો વિચાર આવ્યો કે કદાચ મારા જીવનમાં પહેલી એવી ઘટના હશે કે બાવળા આવ્યો હોઉં અને લીલા બાના દર્શન ન થાય. આપણને આશ્ચર્ય થાય કે લીલાબહેનનું શિક્ષણ બહુ સામાન્ય. અને ગયા 40 વર્ષથી હું જોતો હતો જે રીતે સમાજ એમની તપસ્યા. એક નિષ્ઠા. અને જીવ્યા ત્યાં સુધી એ કરતા રહ્યા.


એટલે મારા મનમાં હતું કે આજે જ્યારે બાવળા જઈશ, પહેલીવાર... પરંતુ મારા માટે સુખદ આશ્ચર્ય અને આનંદ કે 104 વર્ષના અમારા માણેક બા, એ મને અહીં આવીને આશીર્વાદ આપ્યા. અમારા આર.સી.ના બા. એના સાસુ મા, અને ઝીણામાં ઝીણી મારી પુછપરછ કરી. આશીર્વાદ આપ્યા. આ મારું સૌભાગ્ય છે કે એમણે મને લીલા બાની ખોટ ન સાલે, 104 વર્ષની ઉંમરે અહીં આવીને મને આશીર્વાદ આપ્યા.


ભાઈઓ, બહેનો,


આશીર્વાદ, આ માતાઓના આશીર્વાદ, એ જ આપણી શક્તિ છે, એ જ આપણી પૂંજી છે. અને આજે જ્યારે તમારી વચ્ચે આવ્યો છું. આ મારી ચોથી સભા છે, આજની. ગયા કેટલાક દિવસથી અલગ અલગ જગ્યાએ જવાનું થાય છે, મારું. ગુજરાતના જુદા જુદા ખુણામાં ગયો છું. અને જે વાતાવરણ મેં જોયું છે. ચુંટણીઓ તો ઘણી લડ્યા, લડાવી, બધું કર્યું. પણ આ વખતે મેં જે વાતાવરણ જોયું છે, આ ચુંટણી ન નરેન્દ્ર લડે છે, ન ભુપેન્દ્ર લડે છે. આ ચુંટણી આ મંચ ઉપર બેઠા છે, એય નથી લડતા. આ ચુંટણી ગુજરાતની જનતા જનાર્દન લડી રહી છે. આખી ચુંટણીનો દોર આ જનતા જનાર્દને પોતાના હાથમાં લઈ લીધો છે. જ્યાં ગયો ત્યાં, સાથીઓ, એક જ વાત. એક જ અવાજ, એક જ ઉત્સાહ, એક જ ઉમંગ.


ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...) પર
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)
ફિર એક બાર (ઑડિયન્સમાંથી મોદી સરકાર...)


સાથીઓ,


અમદાવાદની નિકટનો આખો આ પંથક. વર્ષો સુધી એની ઓળખ, એક, ઠેઠ ગામડાની ઓળખ. અહીંનું જીવન એવું જ રહ્યું. પરંતુ, એક દસકો આવી ગયો, કે જેણે આ આખાય જિલ્લાની શકલ-સૂરત બદલી નાખી છે. અને હવે આ જિલ્લો ખુબ તેજીથી શહેરીકરણ તરફ વળી રહ્યો છે. ખુબ તેજીથી ઉદ્યોગ-ધંધાનું કેન્દ્ર બની રહ્યો છે. અને વિકાસની નવી ઊંચાઈઓને સર કરવા માટે આખો અમારો અમદાવાદ જિલ્લો છેક બહુચરાજી સુધી, ચારે તરફ વિકસી રહ્યો છે.


દોસ્તો, મને યાદ છે, મારે ઉપરદળ જવું હોય તો દિવસમાં એક બસ મળે. અમારા એક વડીલ મગનભાઈ હતા, તો રાત્રે એમના ત્યાં રોકાઉં. બસમાં નીકળ્યો હોઉં. બીજા દિવસે સાંજે બસ મળે. એ જિલ્લો આજે આ પ્રગતિની નવી ઊંચાઈ પર પહોંચી રહ્યો છે, ભાઈઓ. અને પૂજ્ય બાપુ, મહાત્મા ગાંધી કહેતા હતા કે ભારતનો આત્મા, ગામડામાં વસે છે. પણ અમારા કોંગ્રેસવાળા ગાંધીજીને બધી જ રીતે ભુલી ગયા. એમણે તો આ આત્માને જ કચડી નાખ્યો.


ગામડાઓની જે ઉપેક્ષા થઈ, ગામડાઓ પ્રત્યે જે ઉદાસીનતા રહી, એના કારણે ગામડાનું સામર્થ્ય જે રીતે બહાર આવવું જોઈએ, એ આવ્યું જ નહિ. દાખલા તરીકે હમણા આપણે નિર્ણય કર્યો કે માતૃભાષામાં ભણાવવાનું, પણ જેને ડોક્ટર થવું હોય, એન્જિનિયર થવું હોય, એનું પણ શિક્ષણ માતૃભાષામાં થઈ શકે. આમ તો નિર્ણય નાનો લાગે. પરંતુ ગામડાના જીવનમાં, ગરીબ, મધ્યમ વર્ગ પરિવારના જીવનમાં, જેને છોકરાઓને અંગ્રેજીમાં ભણાવવાની સંભાવના ના હોય, એમના માટે ડોક્ટર કે એન્જિનિયર બનવાનું સરળ થઈ ગયું. એના કારણે ગામડાને તાકાત આવવાની છે.


કોંગ્રેસની નીતિઓના કારણે શહેર અને ગામડા વચ્ચે ખાઈ હતી. એટલું જ નહિ, શહેર અને ગામડા વચ્ચે સંઘર્ષ થાય ને એવું કરવામાં એમને મજા આવવા માંડી, ભાઈઓ. અને કેવી દશા હતી? 20 – 25 વર્ષ પહેલા તમે બધાએ અમને સેવા કરવાનો મોકો આપ્યો એ પહેલાની વાત કરું. કોંગ્રેસના જમાનાની. આ પંચાયતરાજ માટે ગુજરાતને આટલા બધા વખાણ થાય છે ને. પરંતુ, 100 કરોડનું બજેટ હતું. 20 – 25 વર્ષ પહેલા 100 કરોડનું બજેટ હતું. અને આજે એ બજેટ ઘણું આગળ વધાર્યું, ભાઈઓ.


20 વર્ષ પહેલા 24 કલાક વીજળી, એનું તો સપનું જ ના જોઈ શકાય. 20 વર્ષ પહેલા ઔદ્યોગિક વિકાસ અહીંયા થઈ શકે, સાણંદ કે બાવળા કે વિરમગામ, ઘોળકા કે ધંધુકા. આની કોઈ કલ્પના નહોતું કરી શકતું. ધોલેરાનું તો કોઈ નામ ના લે. એવી દશા. અને અમારા ભુપેન્દ્રસિહભાઈ કહેતા હતા કે સાહેબ, અમારો આ ધોલેરાનો આખો પંથક એવો, 200 વીઘા જમીનનો માલિક હોય, દીકરી પરણાવવી હોય, અને એ કોઈના ત્યાં જાય કે ભઈ, પૈસા જોઈએ છે, એ કહે કે 200 વીધો હું ગિરવી મૂકું. થોડા પૈસા આપો, દીકરીને પરણાવવી છે, તો પેલો એમ કહે કે ભઈ, તારી જમીન તારી પાસે રાખ. નથી જોઈતી. તારી આબરુ પર મને ભરોસો છે, આ પૈસા લઈ જા. કારણ, તારી જમીન મારા કશા કામમાં નથી આવવાની. એવો જમાનો હતો.


અને આજે? આજે એ પંથક આખો, જમીનોના ભાવ જે ચઢ્યા છે. ધોલેરાનો જે વિકાસ, મને યાદ છે આ સાણંદમાં જ્યારે અમે બધા, શરુઆત હું કરતો હતો ઉદ્યોગ જગતના વિકાસ માટેની. તો કેટલાય લોકો આંદોલનો કરતા હતા. જમીનો જતી રહેશે ને આમ થશે ને તેમ થશે. મેં જોયું, સાણંદ વિસ્તારના ખેડૂતો નોટો ગણવાનું મશીન લઈ આવ્યા હતા, ઘરમાં. બરાબર ને? નોટો ગણવાનું મશીન. અને કોથળામાં ભરીને રિક્ષામાં બેસીને રૂપિયા લઈને જાય. આપણે પુછીએ, કાકા, શું વિચાર્યું છે? અરે, કે હવે જવું છે, આજે મારે પેલી ચાર બંગડીવાળી ગાડી લેવા જવું છે. રિક્ષામાં, કોથળામાં, રૂપિયાનો ઢગલો અને ખેડૂતનો દીકરો ચાર બંગડીવાળી ગાડી ખરીદીને ઘેર આવે. આ બદલાવ આખા પટ્ટામાં આવ્યો, ભાઈ.


કોંગ્રેસના જમાનામાં 20 વર્ષ પહેલા પાણીનું રાશનિંગ હતું, ભાઈઓ, પાણીનું. 20 વર્ષ પહેલા આ આખાય પંથકમાં ને ગુજરાતમાં સરકારી કાર્ય માટે, તાલુકા કાર્યાલય સુધી, નાનું કામ હોય, તો પણ થાય નહિ. છેક ગાંધીનગર સુધી વાટ જોવી પડે, એવી દશા હતી. 20 વર્ષ પહેલા તાલુકા સ્તરે સ્કૂલ મળે તોય આપણું નસીબ. નહિ તો જિલ્લામથકની નિશાળ સુધી બાળકોને ભણાવવા મોકલવા પડતા હતા. કોંગ્રેસ સરકારોનો એ ભયાવહ દોર, કઠિન સમય, એ કઠિન સમય, એમાંથી ગુજરાતના ગામડાને બહાર કાઢવું. ગુજરાતને સમૃદ્ધિ તરફ લઈ જવું. ગુજરાતના સ્વાભિમાનને ચેતનવંતુ કરવું.
એની તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું. અને એનું પરિણામ એ આવ્યું કે આજે ગુજરાતના ગામડાઓમાં વીજળી, જેમ શહેરને મળે ને એમ ગામડાને વીજળી મળતી થઈ. શહેરમાં બાથરૂમમાં નળમાં પાણી આવે, ગામડામાં નળમાં પાણી ઘરમાં આવવા માંડ્યા. શહેરના લોકો ગેસના ચુલે રસોઈ બનાવે, ગામડામાં ગેસના ચુલે રસોઈ બનાવતા કરી દીધા, ભાઈઓ.


20 વર્ષ પહેલા સવા બે લાખ ઘર. હું અહીંની વાત કરું છું. સવા બે લાખ ઘર. વીજળી કનેક્શન હતું. ભાઈઓ, બહેનો, એમાં અમે આવીને પ લાખ કરતા વધારે ઘરોમાં પહોંચાડ્યું. 20 વર્ષ પહેલા 20 સબ સ્ટેશન, 20 સબ સ્ટેશન અહીંયા હતા. અમે આવ્યા પછી એ 20 સબ સ્ટેશન, 90 જેટલા વધાર્યા. જેથી કરીને વીજળીની સ્ટેબિલિટી આવે. કહેવાનો મતલબ એ છે કે ગામડાને જીવનમાં સ્થિરતા મળે, શહેરોમાં જે લાભ મળે છે, ગામડાને મળે. શહેરમાં જવાનો મોહ એટલા માટે હતો કે સુવિધા નહોતી. જો ગામડામાં સુવિધા આપીએ, તો કોઈ ગામડાનું સુખી જીવન છોડીને શહેરના ગલિયારામાં જીવવા પસંદ ન કરે.


આ ગામડા સમૃદ્ધ કરવાની દિશામાં આપણે કામ કર્યું. અને એના કારણે અહીંના જીવનમાં એક બદલાવ આવ્યો. તમે સાબરમતી જુઓ. મહાત્મા ગાંધીએ જ્યાં આગળ સાધના કરી, આઝાદી માટેની તપસ્યા થઈ, એ સાબરમતીની અંદર ગધાડા લોકો બાંધતા હતા, એવી દશા હતી. અને હું જ્યારે સાબરમતીને પુનર્જીવિત કરવાની વાત કરતો હતો ને ત્યારે લોકોને આશ્ચર્ય થતું હતું.


આજે સાબરમતી. ઈચ્છાશક્તિનું પરિણામ. સમજદારીનું પરિણામ. અને દુનિયા બદલી શકાય છે, એવા વિશ્વાસનું પરિણામ. કે આજે સાબરમતી જીવતી કરી દીધી, ભાઈઓ. નર્મદા માનું પાણી લાવીને જીવતી કરી દીધી. અને આજે? આજે મહેનતનું પરિણામ જોવા મળે છે. બધાની સામે છે. અહીં સેંકડો ગામ એવા છે કે જ્યાં આગળ તળાવમાં એ પાણી, સાબરમતીમાં નર્મદાનું પાણી આવ્યું એ સેંકડો ગામોમાં એ પાણી ભરવામાં આવે છે. ગામડાના તળાવોને જીવતા કરવાનું કામ આપણે કર્યું છે. ગામડામાં જલસ્તર વધે એની ચિંતા કરી છે. ખેતી માટે પાણી મળે એની ચિંતા કરી છે. પશુપાલનના કામનો વિકાસ થાય એના માટે ચિંતા કરી છે.


અને હવે તો આપણું આ બાવળા, આ સાણંદ, આ મારું ધોળકા, ધંધુકા. સવા સોથી વધારે ગામો આખા પટ્ટાના, ફતેહવાડી કેનાલ, મને યાદ છે, અમારા ભુપેન્દ્રસિંહજી જ્યારે મળે તો ફતેહવાડી વિશે હોય, હોય, ને હોય. મને એનો આખો નકશો યાદ થઈ ગયો હતો. હવે નર્મદા કમાન્ડમાં આવવાના કારણે આખાય એરિયાની અંદર કાયમી વિકાસની શાંતિ કરી દીધી, ભાઈઓ.
આખાય વિસ્તારના વિકાસને માટે થઈને આનો લાભ આ મારા વિસ્તારના ખેડૂત ભાઈઓને મળ્યો. અને આપણો આ પટ્ટો તો ચોખા, ચાવલ, ધાનની ખેતી, ઉત્તર ભારતમાં ધાનની ખેતી કહે. બાવળા, ધોળકા, સાણંદ, દસક્રોઈ, આ બધો પટ્ટો આપણો. અને બાવળામાં તો, આની મિલો કેટલી બધી... નર્મદાનું પાણી આવવાના કારણે આ ધાનની ખેતીની સુવિધા વધી અને પેદાવાર પણ વધી. એના કારણે સિંચાઈની સુવિધાય. એના દોઢ ગણું લગભગ ઉત્પાદન આપણું વધારી દીધું.


જમીન તો એટલી જ. કદાચ એનાય ટુકડા ઓછા થયા હશે. 20 વર્ષમાં અમદાવાદ જિલ્લામાં લગભગ દોઢ લાખ મેટ્રિક ટન પહેલા ધાનની પેદાવાર થતી હતી. આજે લગભગ 4 લાખ મેટ્રિક ટન કરતા પણ વધારે આ ચોખાની પેદાવાર આપણા આ પંથકમાં થવા માંડી, ભાઈ. આ પૈસા ખેડૂતના ઘરમાં ગયા, એના ખિસ્સામાં ગયા. અને એટલી જ જમીન અને વધારે ઉત્પાદન. પાણી પુરતું મળે, બિયારણ સારા મળે. માવજત સારી થાય. ખાતર સમયસર મળે, દવાઓ મળે.


આનું આ પરિણામ થયું. અને જ્યારે અમારા ચોખાની ખેતી કરનારા લોકોની પેદાવાર વધી એનો ભાવ, એની અહીંની રાઈસ મિલો. એની સંખ્યા પણ ગુજરાતમાં લગભગ રાઈસ મિલો 400 જેટલી છે. 400માંથી 100 કરતા વધારે એકલી બાવળામાં છે. અને રાઈસ મિલોના કારણે ચાવલનું પ્રોસેસિંગ. હવે અને મારો તો એ દિવસોમાં પ્રયાસ હતો. થોડું ઘણું કામ પણ થયું.
ચાવલના ઉપર જે ફોતરી નીકળે ને. એનું તેલ નીકળે ને એ પણ બહુ મોંઘું વેચાતું હોય છે. અને હવે એ દિશામાં પણ આપણે આગળ વધવા માગીએ છીએ. આ રાઈસ મિલોની આપણી જે શક્તિ વધી, એના કારણે અને ભાજપના, સરકારના કારણે ચાર – પાંચ વર્ષ અનેક મહત્વના ફેસલા લીધા હતા આપણે. રાઈસ મિલોના વેટનો મુદ્દો હતો. એનો અધિનિયમ કરીને આપણે એને છુટ આપી દીધી હતી. આ યોજનાના લાભ રાઈસ મિલોને થયા, ખેડૂતોને થયા. અહીંના લોકોને થયા. અનેક પ્રકારના લાભનું કારણ બન્યું.


ભાઈઓ, બહેનો,


ગામડાઓનો સંતુલિત વિકાસ, એ આપણો એક નિરંતર પ્રયાસ રહ્યો છે. ગુજરાતમાં સર્વાંગીણ વિકાસ, સંતુલિત વિકાસ, સર્વસ્પર્શી વિકાસ. સર્વજનહિતાય, સર્વજનસુખાય, એ દિશામાં આપણે કામ કરતા રહ્યા છીએ. અને આ ડબલ એન્જિનની સરકાર, એનો આ પ્રયાસ રહ્યો છે કે એનો લાભ અમદાવાદની આસપાસના અમારા આખા પંથકને, અમારા અમદાવાદ જિલ્લામાં... પોણા બે લાખ ઉજ્જવલા યોજના, મફત ગેસ કનેક્શન આ પટ્ટાને પહોંચ્યા. એ માતાઓ, બહેનો આશીર્વાદ આપે કે જેમને ધુમાડામાં જિંદગી ગુજારવી પડતી હતી. એ ઘરમાં રસોઈ બનાવે ને, લાકડા સળગાવીને, તો એક દિવસમાં 400 સિગરેટનો ધુમાડો આ માના છાતીમાં જતો હતો. એમાંથી મુક્તિ અપાવીને ગેસના કનેક્શન અપાવવાનું કામ આપણે કર્યું.


સાડા ત્રણ લાખથી વધારે ઘરોમાં નળથી જળ, આ પહોંચાડવાનું કામ આપણે કર્યું. લગભગ છ લાખ લોકો... હમણા હું હેલિકોપ્ટર પર... કાર્યકર્તાઓ મળ્યા, જૂના જૂના, તો રામ-રામ કરવા ઉભો રહ્યો, થોડી વાર. તો ગપ્પા મારતો હતો, અહીંયા આવતા બે મિનિટ રોકાયો. જરા મોડો થઈ ગયો. મને જુના મળે, મન થાય વાતો કરવાનું. મેં પુછ્યું, શું છે ભાઈ? તો કહે, સાહેબ, પહેલી વાત તો અમારે તમને અભિનંદન આપવા છે. મેં કહ્યું, શેના? તો કહે, આયુષ્માન કાર્ડના. એ કહે અમારા ત્યાં ગામડાઓમાં આયુષ્માન કાર્ડ, એને પાંચ પાંચ લાખ રૂપિયાની આ દવાની ચિંતા, મોદી સાહેબ તમે ઉપાડી લીધી છે ને એની એટલી બધી અસર છે.


હવે આપણે જાણીએ છીએ. આપણે ત્યાં સામાન્ય રીતે આપણા પરિવારોનો સ્વભાવ છે, એમાં માતાઓનો. ગંભીરમાં ગંભીર માંદગી હોય, સહન ન થાય એટલી પીડા હોય, શરીર તૂટી જતું હોય, આત્મહત્યા કરવાનું મન થાય એટલી તકલીફ થતી હોય, પણ માતાઓ, બહેનો ઘરમાં કોઈને ખબર ના પડવા દે કે આટલી ભયંકર તકલીફ થઈ રહી છે. સહન કરે. કેમ સહન કરે? કે એના મનમાં વિચાર આવે કે જો છોકરાઓને ખબર પડશે તો ડોક્ટરોના બિલ બધા મોટા એટલા છોકરાઓ ભરપાઈ કેવી રીતે કરશે, દેવું કરવું પડશે. હવે તો મારી ઉંમર થઈ, બે વરસ વહેલા મરી જઈશું. પણ છોકરાઓને દેવાના ડુંગરમાં નાખવા નથી. અને આ માતાઓ ઓપરેશન ના કરાવે, દવા ના કરાવે, અને સહન કરે.


હવે આ માતાઓને, આ મારી માવડીઓને આ મુસીબતમાંથી કોણ બહાર લાવે, ભાઈ? આ એનો દીકરો દિલ્હીમાં બેઠો હોય તો આટલું ય ન કરે? અને એણે આયુષ્માન યોજના બનાવી. 5 લાખ રૂપિયા સુધી ઘરમાં બીમારીનો ખર્ચો આવે, તો એનું બિલ આ તમારો દીકરો ચુકવશે. હવે તમે વિચાર કરો કે આજથી 30 વર્ષ સુધી તમે જીવવાના હો, તો દર વર્ષે 5 લાખ રૂપિયા સુધી તમારા કુટુંબને બીમારી આવે તો એની ચિંતા દર વર્ષે 5 લાખ... એક વખત નહિ, દર વર્ષે... આ કામ આપણે કરી રહ્યા છીએ.


ભાઈઓ, બહેનો,


આજે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના. ગરીબને પાકું ઘર મળે. એક વાર એને ઘર મળે ને તો એને જીવવાની હોંશ આવતી હોય છે. મુસીબતોમાંથી મુક્તિ મળે એટલે છોકરાઓને મોટા કરવા, ભણાવવા, એવો વિચાર આવતો હોય છે. કોઈને ફૂટપાથ પર જિંદગી ગુજારવી ના ગમે. કોઈને ઝુંપડપટ્ટીમાં જિંદગી ગુજારવી ના પડે, આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા દેશભરમાં પાકા ઘર બનાવવાનું અભિયાન ચલાવ્યું. અને માતાઓના નામે એની રજિસ્ટ્રી એની કરવાનું ચલાવ્યું.


એકલા આ પંથકમાં દોઢ લાખ ઘર બનાવ્યા છે, દોઢ લાખ પરિવારોને, ભાઈઓ. અને અહીંના લોકોને ઘર બનાવવા માટે લગભગ 4,000 કરોડ રૂપિયા એમના ખિસ્સામાં ગયા છે. આ 4,000 કરોડ રૂપિયા ગયા ક્યાં? તો કોઈએ બજારમાંથી ઈંટો ખરીદી હશે, કોઈએ સિમેન્ટ ખરીદ્યો હશે, કોઈએ લાકડાનું કામ કંઈ ખરીદ્યું હશે. કોઈએ ટાઈલ્સ ખરીદી હશે. એનો અર્થ કે અહીંના વેપાર-ધંધામાં 4,000 કરોડ રૂપિયા આવ્યા. આખા વેપાર-ધંધાને ચેતનવંતું બનાવ્યું. ગરીબનું તો ઘર બન્યું પણ નાના મોટા બધા વેપારીઓને તાકાત મળે. 4,000 કરોડ રૂપિયા એક જિલ્લાની અંદર ખાલી ઘર માટે વપરાતા હોય, એની ઈકોનોમી કેટલી બધી વધે, એનો તમે અંદાજ કરી શકો છો, ભાઈઓ.


આપણે ત્યાં હિન્દુસ્તાનમાં ખેડૂતો, લગભગ બધા નાના ખેડૂતો, 85 ટકા ખેડૂતો એવા કે જેની વીઘુ, બે વીઘુ જમીન હોય. હવે સિંચાઈની યોજના ના હોય, વરસાદ આવે, ગુજરાતમાં 10 વર્ષમાં 7 વર્ષ તો દુષ્કાળ પડતો હોય. એની જિંદગી કેમ ચાલે? એમાંથી અમારા ખેડૂતને કોઈના પાસે હાથ લાંબો ના કરવો પડે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ચાલુ કરી અને વર્ષમાં 3 વાર બબ્બે હજાર રૂપિયા સીધા એના ખાતામાં જમા થાય. અને 2 લાખ રૂપિયા, 2 લાખથી વધારે, 2 લાખથી વધારે ખેડૂતોને આ પંથકની અંદર મળી છે, પ્રધાનમંત્રીની... લગભગ સાડા ચાર સો કરોડ રૂપિયા આ મારા ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા છે. ખાલી હું અહીંના વિસ્તાનની વાત કરું છું, ભાઈઓ.


ભારત સરકારમાં તમે મને મોકલ્યો તો તમારી ચિંતા કરવાનું મેં ક્યારેય બંધ નથી કર્યું. આજેય ત્યાં બેઠા બેઠા ચિંતા કર્યા કરતો હોઉં છું. એનું આ કામ છે, ભાઈ. આપણે ત્યાં જમીનના ઝગડા, માલિકીની હક્કના ઝગડા, કાગળીયા ના હોય, પેલો કહે, ના, આ જમીન તારી આટલી જ છે. પેલો કહે, તારું મકાન અહીંયા છે, તેં ઓટલો કેમ બનાવ્યો? તારો દરવાજો આ બાજુ ખોલ્યો કેમ? તારી બારી અહીંયા નાખી કેમ? ગામડામાં આ જ ઝગડા ચાલતા હોય. કોર્ટ-કચેરીઓ ચાલે. માથાં કપાઈ જાય. આમાંથી મુક્તિ કોણ અપાવે?


આપણે સ્વામીત્વ યોજના લાવ્યા. ડ્રોન પદ્ધતિથી દરેકના ગામડામાં જઈને, ઘરના લોકોને ઉભા રાખીને માપણી. માપણી કરીને એને પ્રોપર્ટીનો દસ્તાવેજ. આજે ગુજરાતમાં લગભગ 2,000 ગામોમાં એ કામ પુરું થઈ ગયું છે, અને હિન્દુસ્તાનના 6 લાખ ગામોમાં હું પુરું કરવાનો છું. એના કારણે કોર્ટ-કચેરીઓ બંધ થઈ જશે. તમે ગામડેથી, તમારી પાસે કાગળીયા હોય, બેન્કમાંથી લોન લેવી હોય તો તમે લઈ શકો. તમે શહેરમાં રહેવા ગયા હોય તો કોઈ તમારા ઘરનો કબજો ન કરી શકે. એક એક ચીજની કાળજી લઈને લોકોને મજબુતી આપવાનું કામ કર્યું છે.


એટલું જ નહિ, ભાજપા સરકારોએ કૃષિ મંડીઓ, ખેડૂત મંડળીઓ, એના આધુનિકકરણ માટે કામ ચલાવ્યું. એ.પી.એમ.સી.ને આધુનિકરણ માટે કામ ચલાવ્યું. ઈનામ યોજના દ્વારા આજે અમારો બાવળાનો ખેડૂત પણ ભોપાલના બજારની અંદર એનો માલ વેચવો હોય તો ટેકનોલોજીના માધ્યમથી વેચી શકે, આની વ્યવસ્થા કરવાનું કામ કર્યું. અને અમે કિસાન ફસલ યોજના, આના દ્વારા કિસાનોને મદદ કરવાનું... સહકારી સમિતિઓ હોય, સહકારી બેન્કો હોય, આધુનિક ડિજિટલ ટેકનોલોજી દ્વારા, એમને આધુનિક, સમૃદ્ધ બનાવવાની દિશામાં આપણે કામ કર્યું. અને એ પ્રયત્નનો લાભ કરીને, આજે ગુજરાતમાં ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્કોમાં લાખો કિસાનોએ, કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ મળી રહ્યો છે.


કિસાન ક્રેડિટ કાર્ડના કારણે એને વ્યાજમાં રાહત, લગભગ ઝિરો વ્યાજ. જે લાભ કિસાનોને મળતો હતો, એ લાભ અમે પશુપાલકને આપ્યો છે. હવે પશુપાલક પાસે પણ કિસાન ક્રેડિટ કાર્ડ. પશુપાલક પણ ઓછા વ્યાજે બેન્કમાંથી પૈસા લઈ શકે. પશુપાલનની અંદર એ કામમાં આવે.


ભાઈઓ, બહેનો,


ગુજરાતની અંદર દરેક પંચાયતમાં ઈ-ગ્રામ, વિશ્વગ્રામ. બ્રોડબેન્ડ કનેક્ટિવિટી. ગામડે ગામડે 5-જીનો લાભ મળતો થાય, એના માટેનું આખું માળખું ઉભું કરવાનું કામ. ગુજરાત આધુનિક બને, ગુજરાતનું ગામડું આધુનિક બને, એના માટે કામ કરીએ છીએ. અને 6 લાખ ગામોમાં આપણે... આજે હિન્દુસ્તાનમાં 4 લાખ જેટલા કોમન સર્વિસ સેન્ટરો ઉભા કર્યા છે. આ કોમન સર્વિસ સેન્ટરમાં ટેકનોલોજીથી સરકારી કામોની મદદ થાય છે. અને એવા 4 લાખ સેન્ટર ઉભી કરી દીધા છે. આ ટેકનોલોજીનો ઉપયોગ ગુજરાતના ગામડાઓને મળે, હિન્દુસ્તાનના ગામડાઓને મળે, અને અમારી યુવા પેઢીને રોજગારના નવા અવસર મળે, એના માટે આપણે કામ ઉપાડ્યું છે.


આપણે એક મુદ્રા યોજના લાવ્યા. કોઈ પણ ગેરંટી વગર મુદ્રા યોજનામાં લોકોને બેન્કની લોન મળે. 19 લાખ કરોડ રૂપિયા, વગર ગેરંટીએ આ દેશની અંદ લોકોને ધંધા-રોજગાર માટે ઋણ. 19 લાખ કરોડ રૂપિયા. અને મારા માટે ખુશીની વાત આ છે કે મુદ્રા યોજના માટે 19 લાખ કરોડ રૂપિયા આપ્યા ને, 70 ટકા... 70 ટકા એ પૈસા લેનાર અમારી માતાઓ, બહેનો છે. અને એમણે કામ ચાલુ કર્યા અને એ પોતે એક-એક બબ્બે, ચાર ચાર લોકોને રોજગાર આપ્યા. નવા વ્યવસાય કર્યા.


ભાઈઓ, બહેનો,


વિકાસ કેવી રીતે કરાય? આધુનિક વ્યવસ્થાનો કેવી રીતે ઉપયોગ કરાય? એના માટે આપણે ધ્યાન કર્યું. પણ એની સાથે સાથે શિક્ષણનું બળ. નવી પેઢી તૈયાર થાય. સ્કિલ ડેવલપમેન્ટ થાય. ટેકનોલોજી આધારીત શિક્ષણને મજબુતી મળે, એના માટે અનેક નવી પરંપરાઓ આપણે... 20 વર્ષ પહેલા ગુજરાતમાં શિક્ષણને લઈને જે નિરાશા હતી. પ્રતિભાશાળી યુવકોને જે રીતે લાભ મળવો જોઈએ, એ લાભ મેળવવાની દિશામાં આપણે કામ કર્યું.


20 વર્ષ પહેલા અમદાવાદ જિલ્લામાં ફક્ત એક યુનિવર્સિટી હતી. આજે અમદાવાદ જિલ્લામાં 23 યુનિવર્સિટી છે, ભાઈઓ. આજે આપણા અમદાવાદ જિલ્લામાં સાણંદ પાસે આઈ-ક્રિએટ નામની સંસ્થાન છે. આ સંસ્થાનના કારણે જે પ્રતિભાવાન યુવાનો છે, જેમની પાસે આઈડિયાઝ છે, એ આઈડિયાઝને સચ્ચાઈમાં બદલવા માટેનો અવસર આપવા માટેનું કામ આ આઈ-ક્રિએટમાં થાય છે.
ઔદ્યોગિક વિકાસની અંદર રોજગારના અવસર બને એના માટેના વિષયો, કોર્સીસ બદલી નાખ્યા આપણે. કારણ કે આ આખો ઔદ્યોગિક પટ્ટો બની રહ્યો છે. આખો ઓટો-હબ બની રહ્યું છે. બાવળા હોય, સાણંદ હોય, ચાંગોદર હોય, આ અમારા કેરાલા, કેટલાય સેંકડો નવા ઉદ્યોગો અહીંના વિકાસ માટે અવસર બની રહ્યા છે. અને એટલા જ માટે, ભાઈઓ, બહેનો, આ પુરા ઔદ્યોગિક વિકાસની અંદર અહીંના નવજવાનો માટે અવસર છે, અને એમાં એન્જિનિયરીંગ, ફાર્માસ્યુટિકલ, બલ્ક ડ્રગ, ટેક્સટાઈલ, આ બધા કામો મારા સાણંદ, વિઠલાપુર, આ મોટી મોટી કંપનીઓ, મોટી મોટી ફેકટરીઓના રસ્તા ખુલે છે.
છેક વિરમગામ સુધી અને આ બાજુ સુરેન્દ્રનગર સુધી. તમે જોજો આખો ઔદ્યોગિક પટ્ટો બનવાનો છે. આના કારણે જે 20 – 22 વર્ષ પહેલા કોઈએ કલ્પના નહોતી કરી, એ કામ આજે આ ક્ષેત્રમાં થઈ રહ્યું છે, ભાઈઓ. અને એના કારણે એક લોજિસ્ટિક મોટા હબ, મોટા વેરહાઉસ, મોટી કોલ્ડ ચેઈન. આખા બધા નવા ક્ષેત્રો વિકસી રહ્યા છે. તમે કલ્પના કરી શકો છો કે આ કેટલા કુદકે ને ભુસકે આખો પટ્ટો વિકાસ પામવાનો છે. ઔદ્યોગિક વિકાસ થાય એટલે રોજગારના નવા અવસરો બને. નવા નવા લોકો રોજગાર... અને ગુજરાત સરકારે, અમારા ભુપેન્દ્રભાઈ જે નવી ઔદ્યોગિક પોલિસી લાવ્યા છે, એના કારણે પણ બળ મળવાનું છે.


હવે તમારે ત્યાં ધોલેરા... ધોલેરા હિન્દુસ્તાનનું સૌથી ધમધમતું કેન્દ્ર બનવાનું છે. વિમાનો બનવાના છે, ત્યાં. મોટું એરપોર્ટ બની રહ્યું છે. વિમાનોનું, કારખાના ત્યાં બનવાના છે, જેમાં વિમાન તૈયાર થશે. આપ વિચાર કરો આ પંથકમાં કેવી રોનક બદલાવાની છે. ત્યાં આગળ સેમી કન્ડક્ટર આવવાનું છે. લાખો – કરોડો રૂપિયાના મૂડીરોકાણ સાથે, જ્યારે આ ધોલેરાના વિકાસની અંદર... સેમી કન્ડક્ટર આવશે, સેમી કન્ડક્ટર આવે એટલે એની સાથે તદ્દન બધી અનેક પ્રકારની આધુનિકમાં આધુનિક વ્યવસ્થાઓ આવતી હોય. અને એના દ્વારા એનો વિકાસ થવાનો છે.
એટલું જ નહિ, લોથલ. આપણા બાજુમાં જ લોથલ હતું. ખાડા ખોદીને છોડી દીધું હતું. આવડી મોટી વિરાસત, એની ચિંતા નહોતી. લોથલની અંદર આપણે એવું મ્યુઝિયમ બનાવી રહ્યા છીએ. મેરીટાઈમ મ્યુઝિયમ. હજારો વર્ષની ભારતની જે મેરીટાઈમની શક્તિ છે. સામુદ્રિક પરિવહનની જે શક્તિ છે, એનો આખો ઈતિહાસ અને એનું ભવ્ય કામ ચાલી રહ્યું છે, ત્યાં. તમારામાંથી ગયા હશો, તો જોયું હશે. મોટા મોટા મશીનો અત્યારે ત્યાં કામ કરી રહ્યા છે. અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે મહત્વ છે, એવું જ આ લોથલનું મહત્વ હું ઉભું કરવાનો છું. અને દુનિયાભરના યાત્રીઓ અહીં આવે. દુનિયાભરના આર્કિયોલોજીના અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ અહીં આવે એવી સ્થિતિ લોથલમાં પેદા થવાની છે.


અને મને યાદ છે, વર્ષો પહેલા અમારા ભુપેન્દ્રસિંહજી જોડે બેઠા... કટોકટીમાં, મને લાગે છે, 1975માં. અમે બે સ્કુટર ઉપર જતા હતા. તો અમને થયું કે ચાલો, જરા લોથલ આંટો મારીએ. અમે લોથલ ગયા. અને એ વખતે મેં નક્કી કર્યું હતું. મેં કહ્યું, જુઓ, આ લોકોને વિઝન નથી. 5,000 વર્ષ જુનું બંદર. આ નામ સાંભળીને દુનિયાના લોકો ગાંડા થઈ જાય. આમને કાંઈ સમજણ નથી પડતી. આનું કાંઈ કર્યું હોત તો કેટલો બધો લાભ થાત, આખા પંથકને. મારી વેદના મેં વ્યક્ત કરી હતી. પણ આજે જ્યારે મને મોકો મળ્યો, તો એ વેદનામાંથી મુક્તિ અપાવીને, આટલા બધા વર્ષ, મનમાં અંદર રાખી મૂક્યું હતું. એ લોથલની દશા મેં 1975માં જોઈ હતી. પ્રધાનમંત્રી બન્યા પછી, એ લોથલને ફરી જીવતું જાગતું કરવા માટે મેરીટાઈમ મ્યુઝિયમની દિશામાં કામ કરી રહ્યો છું, ભાઈઓ.
કહેવાનું તાત્પર્ય એ છે કે એક વિઝન, સમર્પણભાવ, અને આધુનિક ગુજરાત બનાવવું. અને મનમાં સપનું છે, ભાઈઓ. આ ચુંટણી, તમે એમ ના માનતા કે આ 2017માં હતી, એવી ચુંટણી છે. 2012માં હતી, એવી ચુંટણી છે, ના. આ એવી ચુંટણી છે જ નહિ. આ ચુંટણી સાવ જુદી છે, ભાઈઓ. આ ચુંટણી કોણ સરકાર બનાવે, એના માટે નથી. આમાં કોણ ધારાસભ્ય બને, એના માટે નથી. આ ચુંટણી, આગામી 25 વર્ષમાં ગુજરાત કેવું બને, એના માટેની છે. અને મારું સપનું છે, વિકસિત ગુજરાતનું. દુનિયાના સમૃદ્ધમાં સમૃદ્ધ દેશોના જે માપદંડ છે ને એ બધા માપદંડમાં ગુજરાત નંબર વન ઉપર હોય, એ ગુજરાતને બનાવવું છે.


એનો અર્થ કે આ 25 વર્ષ માટે સરકાર બનાવવાની છે, ભાઈઓ. 25 વર્ષનો મજબુત પાયો નાખે એવી સરકાર બનાવવાની છે. અને ગુજરાતને 25 વર્ષમાં ક્યાં પહોંચાડવાનું છે, એનો નકશોકદમ નક્કી કરીને આગળ વધવું છે. એના માટે આ ચુંટણી છે, ભાઈઓ. અને જુવાનીયાઓનું ભવિષ્ય... જે આજે 20 – 22 વર્ષનો છે, ને એના માટે પણ 25 વર્ષ એના જિંદગીનો ગોલ્ડન કાળ છે. જેમ એની જિંદગીનો ગોલ્ડન કાળ છે, એમ ગુજરાતનો પણ ગોલ્ડન કાળ છે. અને ભારતના પણ આઝાદીના 100 વર્ષ થવાના છે, 25 વર્ષ પછી. ત્યાં સુધીમાં ભારતને આગળ લઈ જવાનો અવસર છે. એના માટે આપણે કામ કરવું છે. અને એના માટે ભાઈઓ, બહેનો, મારી તમારી પાસે અપેક્ષા છે.


પુરી કરશો? (ઑડિયન્સમાંથી હા...)


જરા અવાજ આમ ધંધુકા પહોંચે એવો નીકાળો... (ઑડિયન્સમાંથી હા...)


કરશો? (ઑડિયન્સમાંથી હા...)


પાકે પાયે કરશો? (ઑડિયન્સમાંથી હા...)


એક તો, આપણે આ વખતે નક્કી કરવું છે કે ભુતકાળમાં પોલિંગ બુથમાં જે કંઈ મતદાન થયું હોય, એ બધા રેકોર્ડ તોડીને દરેક પોલિંગ બુથમાં વધુમાં વધુ મતદાન કરાવવું છે.


કરાવશો? (ઑડિયન્સમાંથી હા...)


મતદાન એટલે રેકોર્ડ તોડવાનો. મતદાન સારું થયું, એવું નહિ... રેકોર્ડ તુટવા જોઈએ. (ઑડિયન્સમાંથી હા...)


તોડશો, ભાઈઓ? (ઑડિયન્સમાંથી હા...)


ખરેખર તોડશો? (ઑડિયન્સમાંથી હા...)


બીજું કામ... રેકોર્ડ મતદાન થાય, લોકતંત્ર મજબુત બને એ તો કરવાનું જ છે, પણ એમાંથી કમળ નીકળે તો જ ભાજપ મજબુત થાય.


કમળ નીકળશે? (ઑડિયન્સમાંથી હા...)


દરેક પોલિંગ બુથમાં કમળ વિજયી થાય? (ઑડિયન્સમાંથી હા...)


એક પણ પોલિંગ બુથ હારવું નથી, એ નક્કી કરી શકાય? (ઑડિયન્સમાંથી હા...)


આપણે પોલિંગ બુથ જીતવું છે, ભાઈઓ. (ઑડિયન્સમાંથી હા...)


આખી લડાઈ પોલિંગ બુથમાં કેન્દ્રિત કરવી છે, અને એના માટે તમારે ઘેર ઘેર જવું પડે. જશો? (ઑડિયન્સમાંથી હા...)


ઘેર ઘેર જશો? (ઑડિયન્સમાંથી હા...)


મેં જે બધી વાતો કરી, એ મતદારોને કહેશો? (ઑડિયન્સમાંથી હા...)


ઉજ્જવળ ભવિષ્ય કેટલું બધું છે, એ દેખાય છે, એમને કહેશો? (ઑડિયન્સમાંથી હા...)


સો ટકા કહેશો? (ઑડિયન્સમાંથી હા...)


બધા મહેનત કરશો? (ઑડિયન્સમાંથી હા...)


પછી એવું તો નહિ ને કે આજે સભા જબરજસ્ત થઈ ગઈ, બસ હવે તો બધી સીટો જીતી ગયા. હવે ચાલો, આરામ કરીએ, એવું નહિ કરો ને? (ઑડિયન્સમાંથી ના...)


કરશો બધા કામ? (ઑડિયન્સમાંથી હા...)


હવે મારું એક અંગત કામ.
અંગત કામ કરશો? (ઑડિયન્સમાંથી હા...)
સરકારી કામ નથી. અંગત કામ.
ભાજપનુંય કામ નથી.
અંગત કામ કરશો? (ઑડિયન્સમાંથી હા...)


એમ નહિ, જોરથી બોલો તો હું ભરોસો કરું... (ઑડિયન્સમાંથી હા...)
છેક ત્યાં સુધી, છેલ્લેવાળા બોલો, જરા... કરશો? (ઑડિયન્સમાંથી હા...)
સો ટકા કરશો? (ઑડિયન્સમાંથી હા...)
જરા હાથ ઊંચો કરીને બોલો તો, કરશો? બધા કરશો? (ઑડિયન્સમાંથી હા...)


એક કામ કરજો, તમે જો આ ચુંટણીને લગભગ અઠવાડિયું – દસ દહાડા બાકી છે. તો તમે ઘેર ઘેર લોકોને મળવા જશો. જ્યારે બધાને મળવા જાઓ ને, તો એમને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ બાવળા આવ્યા હતા.
શું કહેવાનું?
શું કહેવાનું?
એમ નહિ કહેવાનું કે પી.એમ. સાહેબ આવ્યા હતા, હોં. આપણા નરેન્દ્રભાઈ બાવળા આવ્યા હતા.


એ કહેશો? (ઑડિયન્સમાંથી હા...)
અને પછી એમને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ બાવળા આવ્યા હતા, એમણે તમને પ્રણામ પાઠવ્યા છે.
આટલો મારો સંદેશો એમને આપશો? (ઑડિયન્સમાંથી હા...)
આ બધા વડીલોને પગે લાગીને કહેશો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા. તમને પ્રણામ પાઠવ્યા છે.
આટલું કરશો? (ઑડિયન્સમાંથી હા...)
પાકે પાયે કરશો? (ઑડિયન્સમાંથી હા...)


આ વડીલોના આશીર્વાદ મને મળે ને, મારી કામ કરવાની તાકાત અનેકગણી વધી જતી હોય છે. દેશ માટે ખપી જવાની તાકાત પણ વધી જતી હોય છે. એટલે મને વડીલોના આશીર્વાદ જોઈતા હોય છે. મને આ આશીર્વાદ તમે અપાવો. ઘેર ઘેર જઈને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા, બાવળા આવ્યા હતા અને તમને ખાસ, હાથ જોડીને, પ્રણામ પાઠવ્યા છે. આટલો મારો સંદેશો પહોંચાડજો, એ જ મારી અપેક્ષા.


મારી સાથે બોલો,


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)


ધન્યવાદ.

 

Explore More
ஒவ்வொரு இந்தியனின் இரத்தமும் கொதிக்கிறது: ‘மன் கீ பாத்’ (மனதின் குரல்) நிகழ்ச்சியில் பிரதமர் மோடி

பிரபலமான பேச்சுகள்

ஒவ்வொரு இந்தியனின் இரத்தமும் கொதிக்கிறது: ‘மன் கீ பாத்’ (மனதின் குரல்) நிகழ்ச்சியில் பிரதமர் மோடி
India’s Urban Growth Broadens: Dun & Bradstreet’s City Vitality Index Highlights New Economic Frontiers

Media Coverage

India’s Urban Growth Broadens: Dun & Bradstreet’s City Vitality Index Highlights New Economic Frontiers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, the world sees the Indian Growth Model as a model of hope: PM Modi
November 17, 2025
India is eager to become developed, India is eager to become self-reliant: PM
India is not just an emerging market, India is also an emerging model: PM
Today, the world sees the Indian Growth Model as a model of hope: PM
We are continuously working on the mission of saturation; Not a single beneficiary should be left out from the benefits of any scheme: PM
In our new National Education Policy, we have given special emphasis to education in local languages: PM

विवेक गोयनका जी, भाई अनंत, जॉर्ज वर्गीज़ जी, राजकमल झा, इंडियन एक्सप्रेस ग्रुप के सभी अन्य साथी, Excellencies, यहां उपस्थित अन्य महानुभाव, देवियों और सज्जनों!

आज हम सब एक ऐसी विभूति के सम्मान में यहां आए हैं, जिन्होंने भारतीय लोकतंत्र में, पत्रकारिता, अभिव्यक्ति और जन आंदोलन की शक्ति को नई ऊंचाई दी है। रामनाथ जी ने एक Visionary के रूप में, एक Institution Builder के रूप में, एक Nationalist के रूप में और एक Media Leader के रूप में, Indian Express Group को, सिर्फ एक अखबार नहीं, बल्कि एक Mission के रूप में, भारत के लोगों के बीच स्थापित किया। उनके नेतृत्व में ये समूह, भारत के लोकतांत्रिक मूल्यों और राष्ट्रीय हितों की आवाज़ बना। इसलिए 21वीं सदी के इस कालखंड में जब भारत विकसित होने के संकल्प के साथ आगे बढ़ रहा है, तो रामनाथ जी की प्रतिबद्धता, उनके प्रयास, उनका विजन, हमारी बहुत बड़ी प्रेरणा है। मैं इंडियन एक्सप्रेस ग्रुप का आभार व्यक्त करता हूं कि आपने मुझे इस व्याख्यान में आमंत्रित किया, मैं आप सभी का अभिनंदन करता हूं।

साथियों,

रामनाथ जी गीता के एक श्लोक से बहुत प्रेरणा लेते थे, सुख दुःखे समे कृत्वा, लाभा-लाभौ जया-जयौ। ततो युद्धाय युज्यस्व, नैवं पापं अवाप्स्यसि।। अर्थात सुख-दुख, लाभ-हानि और जय-पराजय को समान भाव से देखकर कर्तव्य-पालन के लिए युद्ध करो, ऐसा करने से तुम पाप के भागी नहीं बनोगे। रामनाथ जी आजादी के आंदोलन के समय कांग्रेस के समर्थक रहे, बाद में जनता पार्टी के भी समर्थक रहे, फिर जनसंघ के टिकट पर चुनाव भी लड़ा, विचारधारा कोई भी हो, उन्होंने देशहित को प्राथमिकता दी। जिन लोगों ने रामनाथ जी के साथ वर्षों तक काम किया है, वो कितने ही किस्से बताते हैं जो रामनाथ जी ने उन्हें बताए थे। आजादी के बाद जब हैदराबाद और रजाकारों को उसके अत्याचार का विषय आया, तो कैसे रामनाथ जी ने सरदार वल्‍लभभाई पटेल की मदद की, सत्तर के दशक में जब बिहार में छात्र आंदोलन को नेतृत्व की जरूरत थी, तो कैसे नानाजी देशमुख के साथ मिलकर रामनाथ जी ने जेपी को उस आंदोलन का नेतृत्व करने के लिए तैयार किया। इमरजेंसी के दौरान, जब रामनाथ जी को इंदिऱा गांधी के सबसे करीबी मंत्री ने बुलाकर धमकी दी कि मैं तुम्हें जेल में डाल दूंगा, तो इस धमकी के जवाब में रामनाथ जी ने पलटकर जो कहा था, ये सब इतिहास के छिपे हुए दस्तावेज हैं। कुछ बातें सार्वजनिक हुई, कुछ नहीं हुई हैं, लेकिन ये बातें बताती हैं कि रामनाथ जी ने हमेशा सत्य का साथ दिया, हमेशा कर्तव्य को सर्वोपरि रखा, भले ही सामने कितनी ही बड़ी ताकत क्‍यों न हो।

साथियों,

रामनाथ जी के बारे में कहा जाता था कि वे बहुत अधीर थे। अधीरता, Negative Sense में नहीं, Positive Sense में। वो अधीरता जो परिवर्तन के लिए परिश्रम की पराकाष्ठा कराती है, वो अधीरता जो ठहरे हुए पानी में भी हलचल पैदा कर देती है। ठीक वैसे ही, आज का भारत भी अधीर है। भारत विकसित होने के लिए अधीर है, भारत आत्मनिर्भर होने के लिए अधीर है, हम सब देख रहे हैं, इक्कीसवीं सदी के पच्चीस साल कितनी तेजी से बीते हैं। एक से बढ़कर एक चुनौतियां आईं, लेकिन वो भारत की रफ्तार को रोक नहीं पाईं।

साथियों,

आपने देखा है कि बीते चार-पांच साल कैसे पूरी दुनिया के लिए चुनौतियों से भरे रहे हैं। 2020 में कोरोना महामारी का संकट आया, पूरे विश्व की अर्थव्यवस्थाएं अनिश्चितताओं से घिर गईं। ग्लोबल सप्लाई चेन पर बहुत बड़ा प्रभाव पड़ा और सारा विश्व एक निराशा की ओर जाने लगा। कुछ समय बाद स्थितियां संभलना धीरे-धीरे शुरू हो रहा था, तो ऐसे में हमारे पड़ोसी देशों में उथल-पुथल शुरू हो गईं। इन सारे संकटों के बीच, हमारी इकॉनमी ने हाई ग्रोथ रेट हासिल करके दिखाया। साल 2022 में यूरोपियन क्राइसिस के कारण पूरे दुनिया की सप्लाई चेन और एनर्जी मार्केट्स प्रभावित हुआ। इसका असर पूरी दुनिया पर पड़ा, इसके बावजूद भी 2022-23 में हमारी इकोनॉमी की ग्रोथ तेजी से होती रही। साल 2023 में वेस्ट एशिया में स्थितियां बिगड़ीं, तब भी हमारी ग्रोथ रेट तेज रही और इस साल भी जब दुनिया में अस्थिरता है, तब भी हमारी ग्रोथ रेट Seven Percent के आसपास है।

साथियों,

आज जब दुनिया disruption से डर रही है, भारत वाइब्रेंट फ्यूचर के Direction में आगे बढ़ रहा है। आज इंडियन एक्सप्रेस के इस मंच से मैं कह सकता हूं, भारत सिर्फ़ एक emerging market ही नहीं है, भारत एक emerging model भी है। आज दुनिया Indian Growth Model को Model of Hope मान रहा है।

साथियों,

एक सशक्त लोकतंत्र की अनेक कसौटियां होती हैं और ऐसी ही एक बड़ी कसौटी लोकतंत्र में लोगों की भागीदारी की होती है। लोकतंत्र को लेकर लोग कितने आश्वस्त हैं, लोग कितने आशावादी हैं, ये चुनाव के दौरान सबसे अधिक दिखता है। अभी 14 नवंबर को जो नतीजे आए, वो आपको याद ही होंगे और रामनाथ जी का भी बिहार से नाता रहा था, तो उल्लेख बड़ा स्वाभाविक है। इन ऐतिहासिक नतीजों के साथ एक और बात बहुत अहम रही है। कोई भी लोकतंत्र में लोगों की बढ़ती भागीदारी को नजरअंदाज नहीं कर सकता। इस बार बिहार के इतिहास का सबसे अधिक वोटर टर्न-आउट रहा है। आप सोचिए, महिलाओं का टर्न-आउट, पुरुषों से करीब 9 परसेंट अधिक रहा। ये भी लोकतंत्र की विजय है।

साथियों,

बिहार के नतीजों ने फिर दिखाया है कि भारत के लोगों की आकांक्षाएं, उनकी Aspirations कितनी ज्यादा हैं। भारत के लोग आज उन राजनीतिक दलों पर विश्वास करते हैं, जो नेक नीयत से लोगों की उन Aspirations को पूरा करते हैं, विकास को प्राथमिकता देते हैं। और आज इंडियन एक्सप्रेस के इस मंच से मैं देश की हर राज्य सरकार को, हर दल की राज्य सरकार को बहुत विनम्रता से कहूंगा, लेफ्ट-राइट-सेंटर, हर विचार की सरकार को मैं आग्रह से कहूंगा, बिहार के नतीजे हमें ये सबक देते हैं कि आप आज किस तरह की सरकार चला रहे हैं। ये आने वाले वर्षों में आपके राजनीतिक दल का भविष्य तय करेंगे। आरजेडी की सरकार को बिहार के लोगों ने 15 साल का मौका दिया, लालू यादव जी चाहते तो बिहार के विकास के लिए बहुत कुछ कर सकते थे, लेकिन उन्होंने जंगलराज का रास्ता चुना। बिहार के लोग इस विश्वासघात को कभी भूल नहीं सकते। इसलिए आज देश में जो भी सरकारें हैं, चाहे केंद्र में हमारी सरकार है या फिर राज्यों में अलग-अलग दलों की सरकारें हैं, हमारी सबसे बड़ी प्राथमिकता सिर्फ एक होनी चाहिए विकास, विकास और सिर्फ विकास। और इसलिए मैं हर राज्य सरकार को कहता हूं, आप अपने यहां बेहतर इंवेस्टमेंट का माहौल बनाने के लिए कंपटीशन करिए, आप Ease of Doing Business के लिए कंपटीशन करिए, डेवलपमेंट पैरामीटर्स में आगे जाने के लिए कंपटीशन करिए, फिर देखिए, जनता कैसे आप पर अपना विश्वास जताती है।

साथियों,

बिहार चुनाव जीतने के बाद कुछ लोगों ने मीडिया के कुछ मोदी प्रेमियों ने फिर से ये कहना शुरू किया है भाजपा, मोदी, हमेशा 24x7 इलेक्शन मोड में ही रहते हैं। मैं समझता हूं, चुनाव जीतने के लिए इलेक्शन मोड नहीं, चौबीसों घंटे इलेक्शन मोड में रहना जरूरी होता है, इमोशनल मोड में रहना जरूरी होता है, इलेक्शन मोड में नहीं। जब मन के भीतर एक बेचैनी सी रहती है कि एक मिनट भी गंवाना नहीं है, गरीब के जीवन से मुश्किलें कम करने के लिए, गरीब को रोजगार के लिए, गरीब को इलाज के लिए, मध्यम वर्ग की आकांक्षाओं को पूरा करने के लिए, बस मेहनत करते रहना है। इस इमोशन के साथ, इस भावना के साथ सरकार लगातार जुटी रहती है, तो उसके नतीजे हमें चुनाव परिणाम के दिन दिखाई देते हैं। बिहार में भी हमने अभी यही होते देखा है।

साथियों,

रामनाथ जी से जुड़े एक और किस्से का मुझसे किसी ने जिक्र किया था, ये बात तब की है, जब रामनाथ जी को विदिशा से जनसंघ का टिकट मिला था। उस समय नानाजी देशमुख जी से उनकी इस बात पर चर्चा हो रही थी कि संगठन महत्वपूर्ण होता है या चेहरा। तो नानाजी देशमुख ने रामनाथ जी से कहा था कि आप सिर्फ नामांकन करने आएंगे और फिर चुनाव जीतने के बाद अपना सर्टिफिकेट लेने आ जाइएगा। फिर नानाजी ने पार्टी कार्यकर्ताओं के बल पर रामनाथ जी का चुनाव लड़ा औऱ उन्हें जिताकर दिखाया। वैसे ये किस्सा बताने के पीछे मेरा ये मतलब नहीं है कि उम्मीदवार सिर्फ नामांकन करने जाएं, मेरा मकसद है, भाजपा के अनगिनत कर्तव्य़ निष्ठ कार्यकर्ताओं के समर्पण की ओर आपका ध्यान आकर्षित करना।

साथियों,

भारतीय जनता पार्टी के लाखों-करोड़ों कार्यकर्ताओं ने अपने पसीने से भाजपा की जड़ों को सींचा है और आज भी सींच रहे हैं। और इतना ही नहीं, केरला, पश्चिम बंगाल, जम्मू-कश्मीर, ऐसे कुछ राज्यों में हमारे सैकड़ों कार्यकर्ताओं ने अपने खून से भी भाजपा की जड़ों को सींचा है। जिस पार्टी के पास ऐसे समर्पित कार्यकर्ता हों, उनके लिए सिर्फ चुनाव जीतना ध्येय नहीं होता, बल्कि वो जनता का दिल जीतने के लिए, सेवा भाव से उनके लिए निरंतर काम करते हैं।

साथियों,

देश के विकास के लिए बहुत जरूरी है कि विकास का लाभ सभी तक पहुंचे। दलित-पीड़ित-शोषित-वंचित, सभी तक जब सरकारी योजनाओं का लाभ पहुंचता है, तो सामाजिक न्याय सुनिश्चित होता है। लेकिन हमने देखा कि बीते दशकों में कैसे सामाजिक न्याय के नाम पर कुछ दलों, कुछ परिवारों ने अपना ही स्वार्थ सिद्ध किया है।

साथियों,

मुझे संतोष है कि आज देश, सामाजिक न्याय को सच्चाई में बदलते देख रहा है। सच्चा सामाजिक न्याय क्या होता है, ये मैं आपको बताना चाहता हूं। 12 करोड़ शौचालयों के निर्माण का अभियान, उन गरीब लोगों के जीवन में गरिमा लेकर के आया, जो खुले में शौच के लिए मजबूर थे। 57 करोड़ जनधन बैंक खातों ने उन लोगों का फाइनेंशियल इंक्लूजन किया, जिनको पहले की सरकारों ने एक बैंक खाते के लायक तक नहीं समझा था। 4 करोड़ गरीबों को पक्के घरों ने गरीब को नए सपने देखने का साहस दिया, उनकी रिस्क टेकिंग कैपेसिटी बढ़ाई है।

साथियों,

बीते 11 वर्षों में सोशल सिक्योरिटी पर जो काम हुआ है, वो अद्भुत है। आज भारत के करीब 94 करोड़ लोग सोशल सिक्योरिटी नेट के दायरे में आ चुके हैं। और आप जानते हैं 10 साल पहले क्या स्थिति थी? सिर्फ 25 करोड़ लोग सोशल सिक्योरिटी के दायरे में थे, आज 94 करोड़ हैं, यानि सिर्फ 25 करोड़ लोगों तक सरकार की सामाजिक सुरक्षा योजनाओं का लाभ पहुंच रहा था। अब ये संख्या बढ़कर 94 करोड़ पहुंच चुकी है और यही तो सच्चा सामाजिक न्याय है। और हमने सोशल सिक्योरिटी नेट का दायरा ही नहीं बढ़ाया, हम लगातार सैचुरेशन के मिशन पर काम कर रहे हैं। यानि किसी भी योजना के लाभ से एक भी लाभार्थी छूटे नहीं। और जब कोई सरकार इस लक्ष्य के साथ काम करती है, हर लाभार्थी तक पहुंचना चाहती है, तो किसी भी तरह के भेदभाव की गुंजाइश भी खत्म हो जाती है। ऐसे ही प्रयासों की वजह से पिछले 11 साल में 25 करोड़ लोगों ने गरीबी को परास्त करके दिखाया है। और तभी आज दुनिया भी ये मान रही है- डेमोक्रेसी डिलिवर्स।

साथियों,

मैं आपको एक और उदाहरण दूंगा। आप हमारे एस्पिरेशनल डिस्ट्रिक्ट प्रोग्राम का अध्ययन करिए, देश के सौ से अधिक जिले ऐसे थे, जिन्हें पहले की सरकारें पिछड़ा घोषित करके भूल गई थीं। सोचा जाता था कि यहां विकास करना बड़ा मुश्किल है, अब कौन सर खपाए ऐसे जिलों में। जब किसी अफसर को पनिशमेंट पोस्टिंग देनी होती थी, तो उसे इन पिछड़े जिलों में भेज दिया जाता था कि जाओ, वहीं रहो। आप जानते हैं, इन पिछड़े जिलों में देश की कितनी आबादी रहती थी? देश के 25 करोड़ से ज्यादा नागरिक इन पिछड़े जिलों में रहते थे।

साथियों,

अगर ये पिछड़े जिले पिछड़े ही रहते, तो भारत अगले 100 साल में भी विकसित नहीं हो पाता। इसलिए हमारी सरकार ने एक नई रणनीति के साथ काम करना शुरू किया। हमने राज्य सरकारों को ऑन-बोर्ड लिया, कौन सा जिला किस डेवलपमेंट पैरामीटर में कितनी पीछे है, उसकी स्टडी करके हर जिले के लिए एक अलग रणनीति बनाई, देश के बेहतरीन अफसरों को, ब्राइट और इनोवेटिव यंग माइंड्स को वहां नियुक्त किया, इन जिलों को पिछड़ा नहीं, Aspirational माना और आज देखिए, देश के ये Aspirational Districts, कितने ही डेवलपमेंट पैरामीटर्स में अपने ही राज्यों के दूसरे जिलों से बहुत अच्छा करने लगे हैं। छत्तीसगढ़ का बस्तर, वो आप लोगों का तो बड़ा फेवरेट रहा है। एक समय आप पत्रकारों को वहां जाना होता था, तो प्रशासन से ज्यादा दूसरे संगठनों से परमिट लेनी होती थी, लेकिन आज वही बस्तर विकास के रास्ते पर बढ़ रहा है। मुझे नहीं पता कि इंडियन एक्सप्रेस ने बस्तर ओलंपिक को कितनी कवरेज दी, लेकिन आज रामनाथ जी ये देखकर बहुत खुश होते कि कैसे बस्तर में अब वहां के युवा बस्तर ओलंपिक जैसे आयोजन कर रहे हैं।

साथियों,

जब बस्तर की बात आई है, तो मैं इस मंच से नक्सलवाद यानि माओवादी आतंक की भी चर्चा करूंगा। पूरे देश में नक्सलवाद-माओवादी आतंक का दायरा बहुत तेजी से सिमट रहा है, लेकिन कांग्रेस में ये उतना ही सक्रिय होता जा रहा था। आप भी जानते हैं, बीते पांच दशकों तक देश का करीब-करीब हर बड़ा राज्य, माओवादी आतंक की चपेट में, चपेट में रहा। लेकिन ये देश का दुर्भाग्य था कि कांग्रेस भारत के संविधान को नकारने वाले माओवादी आतंक को पालती-पोसती रही और सिर्फ दूर-दराज के क्षेत्रों में जंगलों में ही नहीं, कांग्रेस ने शहरों में भी नक्सलवाद की जड़ों को खाद-पानी दिया। कांग्रेस ने बड़ी-बड़ी संस्थाओं में अर्बन नक्सलियों को स्थापित किया है।

साथियों,

10-15 साल पहले कांग्रेस में जो अर्बन नक्सली, माओवादी पैर जमा चुके थे, वो अब कांग्रेस को मुस्लिम लीगी- माओवादी कांग्रेस, MMC बना चुके हैं। और मैं आज पूरी जिम्मेदारी से कहूंगा कि ये मुस्लिम लीगी- माओवादी कांग्रेस, अपने स्वार्थ में देशहित को तिलांजलि दे चुकी है। आज की मुस्लिम लीगी- माओवादी कांग्रेस, देश की एकता के सामने बहुत बड़ा खतरा बनती जा रही है।

साथियों,

आज जब भारत, विकसित बनने की एक नई यात्रा पर निकल पड़ा है, तब रामनाथ गोयनका जी की विरासत और भी प्रासंगिक है। रामनाथ जी ने अंग्रेजों की गुलामी से डटकर टक्कर ली, उन्होंने अपने एक संपादकीय में लिखा था, मैं अंग्रेज़ों के आदेश पर अमल करने के बजाय, अखबार बंद करना पसंद करुंगा। इसी तरह जब इमरजेंसी के रूप में देश को गुलाम बनाने की एक और कोशिश हुई, तब भी रामनाथ जी डटकर खड़े हो गए थे और ये वर्ष तो इमरजेंसी के पचास वर्ष पूरे होने का भी है। और इंडियन एक्सप्रेस ने 50 वर्ष पहले दिखाया है, कि ब्लैंक एडिटोरियल्स भी जनता को गुलाम बनाने वाली मानसिकता को चुनौती दे सकते हैं।

साथियों,

आज आपके इस सम्मानित मंच से, मैं गुलामी की मानसिकता से मुक्ति के इस विषय पर भी विस्तार से अपनी बात रखूंगा। लेकिन इसके लिए हमें 190 वर्ष पीछे जाना पड़ेगा। 1857 के सबसे स्वतंत्रता संग्राम से भी पहले, वो साल था 1835, 1835 में ब्रिटिश सांसद थॉमस बेबिंगटन मैकाले ने भारत को अपनी जड़ों से उखाड़ने के लिए एक बहुत बड़ा अभियान शुरू किया था। उसने ऐलान किया था, मैं ऐसे भारतीय बनाऊंगा कि वो दिखने में तो भारतीय होंगे लेकिन मन से अंग्रेज होंगे। और इसके लिए मैकाले ने भारतीय शिक्षा व्यवस्था में आमूलचूल परिवर्तन नहीं, बल्कि उसका समूल नाश कर दिया। खुद गांधी जी ने भी कहा था कि भारत की प्राचीन शिक्षा व्यवस्था एक सुंदर वृक्ष थी, जिसे जड़ से हटा कर नष्ट कर दिया।

साथियों,

भारत की शिक्षा व्यवस्था में हमें अपनी संस्कृति पर गर्व करना सिखाया जाता था, भारत की शिक्षा व्यवस्था में पढ़ाई के साथ ही कौशल पर भी उतना ही जोर था, इसलिए मैकाले ने भारत की शिक्षा व्यवस्था की कमर तोड़ने की ठानी और उसमें सफल भी रहा। मैकाले ने ये सुनिश्चित किया कि उस दौर में ब्रिटिश भाषा, ब्रिटिश सोच को ज्यादा मान्यता मिले और इसका खामियाजा भारत ने आने वाली सदियों में उठाया।

साथियों,

मैकाले ने हमारे आत्मविश्वास को तोड़ दिया दिया, हमारे भीतर हीन भावना का संचार किया। मैकाले ने एक झटके में हजारों वर्षों के हमारे ज्ञान-विज्ञान को, हमारी कला-संस्कृति को, हमारी पूरी जीवन शैली को ही कूड़ेदान में फेंक दिया था। वहीं पर वो बीज पड़े कि भारतीयों को अगर आगे बढ़ना है, अगर कुछ बड़ा करना है, तो वो विदेशी तौर तरीकों से ही करना होगा। और ये जो भाव था, वो आजादी मिलने के बाद भी और पुख्ता हुआ। हमारी एजुकेशन, हमारी इकोनॉमी, हमारे समाज की एस्पिरेशंस, सब कुछ विदेशों के साथ जुड़ गईं। जो अपना है, उस पर गौरव करने का भाव कम होता गया। गांधी जी ने जिस स्वदेशी को आज़ादी का आधार बनाया था, उसको पूछने वाला ही कोई नहीं रहा। हम गवर्नेंस के मॉडल विदेश में खोजने लगे। हम इनोवेशन के लिए विदेश की तरफ देखने लगे। यही मानसिकता रही, जिसकी वजह से इंपोर्टेड आइडिया, इंपोर्टेड सामान और सर्विस, सभी को श्रेष्ठ मानने की प्रवृत्ति समाज में स्थापित हो गई।

साथियों,

जब आप अपने देश को सम्मान नहीं देते हैं, तो आप स्वदेशी इकोसिस्टम को नकारते हैं, मेड इन इंडिया मैन्युफैक्चरिंग इकोसिस्टम को नकारते हैं। मैं आपको एक और उदाहरण, टूरिज्म की बात करता हूं। आप देखेंगे कि जिस भी देश में टूरिज्म फला-फूला, वो देश, वहां के लोग, अपनी ऐतिहासिक विरासत पर गर्व करते हैं। हमारे यहां इसका उल्टा ही हुआ। भारत में आज़ादी के बाद, अपनी विरासत को दुत्कारने के ही प्रयास हुए, जब अपनी विरासत पर गर्व नहीं होगा तो उसका संरक्षण भी नहीं होगा। जब संरक्षण नहीं होगा, तो हम उसको ईंट-पत्थर के खंडहरों की तरह ही ट्रीट करते रहेंगे और ऐसा हुआ भी। अपनी विरासत पर गर्व होना, टूरिज्म के विकास के लिए भी आवश्यक शर्त है।

साथियों,

ऐसे ही स्थानीय भाषाओं की बात है। किस देश में ऐसा होता है कि वहां की भाषाओं को दुत्कारा जाता है? जापान, चीन और कोरिया जैसे देश, जिन्होंने west के अनेक तौर-तरीके अपनाए, लेकिन भाषा, फिर भी अपनी ही रखी, अपनी भाषा पर कंप्रोमाइज नहीं किया। इसलिए, हमने नई नेशनल एजुकेशन पॉलिसी में स्थानीय भाषाओं में पढ़ाई पर विशेष बल दिया है और मैं बहुत स्पष्टता से कहूंगा, हमारा विरोध अंग्रेज़ी भाषा से नहीं है, हम भारतीय भाषाओं के समर्थन में हैं।

साथियों,

मैकाले द्वारा किए गए उस अपराध को 1835 में जो अपराध किया गया 2035, 10 साल के बाद 200 साल हो जाएंगे और इसलिए आज आपके माध्यम से पूरे देश से एक आह्वान करना चाहता हूं, अगले 10 साल में हमें संकल्प लेकर चलना है कि मैकाले ने भारत को जिस गुलामी की मानसिकता से भर दिया है, उस सोच से मुक्ति पाकर के रहेंगे, 10 साल हमारे पास बड़े महत्वपूर्ण हैं। मुझे याद है एक छोटी घटना, गुजरात में लेप्रोसी को लेकर के एक अस्पताल बन रहा था, तो वो सारे लोग महात्‍मा गांधी जी से मिले उसके उद्घाटन के लिए, तो महात्मा जी ने कहा कि मैं लेप्रोसी के अस्पताल के उद्घाटन के पक्ष में नहीं हूं, मैं नहीं आऊंगा, लेकिन ताला लगाना है, उस दिन मुझे बुलाना, मैं ताला लगाने आऊंगा। गांधी जी के रहते हुए उस अस्पताल को तो ताला नहीं लगा था, लेकिन गुजरात जब लेप्रोसी से मुक्त हुआ और मुझे उस अस्पताल को ताला लगाने का मौका मिला, जब मैं मुख्यमंत्री बना। 1835 से शुरू हुई यात्रा 2035 तक हमें खत्म करके रहना है जी, गांधी जी का जैसे सपना था कि मैं ताला लगाऊंगा, मेरा भी यह सपना है कि हम ताला लगाएंगे।

साथियों,

आपसे बहुत सारे विषयों पर चर्चा हो गई है। अब आपका मैं ज्यादा समय लेना नहीं चाहता हूं। Indian Express ग्रुप देश के हर परिवर्तन का, देश की हर ग्रोथ स्टोरी का साक्षी रहा है और आज जब भारत विकसित भारत के लक्ष्य को लेकर चल रहा है, तो भी इस यात्रा के सहभागी बन रहे हैं। मैं आपको बधाई दूंगा कि रामनाथ जी के विचारों को, आप सभी पूरी निष्ठा से संरक्षित रखने का प्रयास कर रहे हैं। एक बार फिर, आज के इस अद्भुत आयोजन के लिए आप सभी को मेरी ढेर सारी शुभकामनाएं। और, रामनाथ गोयनका जी को आदरपूर्वक मैं नमन करते हुए मेरी बात को विराम देता हूं। बहुत-बहुत धन्यवाद!