PM Modi's Interview to Sandesh

Published By : Admin | May 5, 2024 | 10:38 IST

In an interview to Sandesh, Prime Minister Narendra Modi spoke at length about the NDA Government’s work and efforts to improve people’s lives. He mentioned about the BJP's development agenda, ongoing Lok Sabha elections and more.

પ્રશ્ન : આપ હવે ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઇ રહ્યા છો ત્યારે દેશના વિકાસની સાથે ગુજરાત પણ સૌથી સમૃદ્ધ રાજ્ય બનશે. ગુજરાત માટે આપનું વિઝન શું છે? આપ ગુજરાતના પનોતા પુત્ર છો અને ગુજરાતને પણ આપની પાસે એવી અપેક્ષા છે કે કેન્દ્ર પાસેથી વધુમાં વધુ સહાય મળે. આ વિશે આપનું શું મંતવ્ય છે?

જવાબ : સૌ પ્રથમ તો, અમે ત્રીજી વખત સરકાર બનાવીશું એવા તમારા ભરોસા માટે હું તમારો આભાર માનું છું. હું 2001માં જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો ત્યારે ગુજરાતની જીએસડીપી (ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ) લગભગ એક લાખ કરોડ જેટલી હતી, આજે એ વધીને 22 લાખ કરોડ કરતા પણ વધુની થઇ છે. છેલ્લા બે દાયકામાં, ગુજરાતે કૃષિ ક્ષેત્ર અને સર્વિસ સેકટરમાં જબરજસ્ત કાઠું કાઢ્યું છે. ભારતની માત્ર પાંચ ટકા વસતિ ધરાવતા ગુજરાત માટે આગામી બે ત્રણ વર્ષમાં ભારતની જીડીપીમાં દસ ટકા યોગદાન અને પાંચસો બિલિયનનું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આજે ગુજરાત ઘણાં ક્ષેત્રોમાં મોખરે અને અગ્રેસર છે. ગુજરાત આજે ડ્રીમ સિટી, ગિફ્ટ સિટી, સેમીકોન સિટી સહિતના અનેક ભાવિ પ્રોજેક્ટ્સ અને રોકાણોનું આયોજન કરે છે. ભારતનું પ્રથમ પ્લાન્ડ ગ્રીન ફિલ્ડ સિટી અને ધોલેરા SIR ગુજરાતમાં આવી રહ્યું છે. ભારતની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈને જોડશે. વડોદરામાં એરક્રાફટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થપાઈ રહ્યો છે. ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ગુજરાતમાં છે. ગુજરાતી પ્રજાની તાસીર સમયથી આગળ રહેવાની અને વિચારવાની છે. ગુજરાત સેમી કન્ડકટર્સ, ગ્રીન હાઈડ્રોજન, ઈલેક્ટ્રીક વેહીકલ્સ, રીન્યુએબલ એનર્જી અને સ્માર્ટ ગ્રીન ફિલ્ડ શહેરો જેવા વ્યૂહાત્મક અને વિકસતા ક્ષેત્રોમાં પણ ખૂબ જ ઉત્સાહ સાથે અગ્રેસર છે. ભારતમાં સર્વપ્રથમ ધોલેરામાં સેમી કન્ડક્ટર ઉત્પાદન માટેની સુવિધા મળી છે. કચ્છમાં ભારતનો સૌથી મોટો હાઇ બ્રીડ રીન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે. ગુજરાત એટલે વિકાસ. ગુજરાત ભારતના વિકાસને વેગ આપે છે. અમારી સરકારનો આ ગતિશીલ રાજ્યને સંપૂર્ણ સાથ છે. ભારતની વૃદ્ધિ અને સૌની સમૃદ્ધિની યાત્રામાં ગુજરાતનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. હું તમને ખાતરી આપવા માગું છું કે, કેન્દ્ર સરકાર હંમેશાં ગુજરાતના લોકોની સાથે ઉભી છે અને રહેશે. ડબલ એન્જિન સરકારની સકારાત્મક અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. આગામી સમયમાં આ ડબલ એન્જિન સરકાર લોકોને વધુ ને વધુ ફાયદો કરાવતી રહેશે.

પ્રશ્ન : ત્રીજી ટર્મ સાથે અમૃતકાળમાં ઈતિહાસ રચાશે. ગુજરાતની નેતાગીરી કેન્દ્રમાં છે ત્યારે કોને શ્રેય આપો છો?

જવાબ : સૌથી પહેલા તો હું ગુજરાતના લોકોનો આભાર માનું છું કે તેઓ સારી-નરસી દરેક પરિસ્થિતિમાં અમને આશીર્વાદ આપતા રહે છે. જ્યારે અનેક શક્તિશાળી તત્વો અમારા ઉપર આક્ષેપો કરી રહ્યા હતા ત્યારે ગુજરાતના લોકો મજબૂત ખડકની જેમ અમારી પડખે ઉભા રહ્યા હતા. અમારા પર આક્ષેપો કરવામાં આવ્યા ત્યારે ગુજરાતના લોકોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. પરંતુ, ગુજરાતીઓ વિકાસના પંથે આગળ વધતા રહ્યા અને પોતાની જાતને ક્યારેય ગેરમાર્ગે દોરાવા કે વિચલીત થવા ન દીધી. ગુજરાતના લોકોએ અમને તેમની સેવા કરવા, તેમની પાસેથી શીખવા અને અમારા કાર્યને સુધારવામાં મદદ કરી છે. ગુજરાતની જનતાએ અમને એવા સ્તરે મૂક્યા છે જેથી અમે ભારતની સેવા કરી શકીએ. હું ભાગ્યશાળી છું કે દેશની જનતાએ અમને બે ટર્મ આપી અને મોટા જનાદેશની સાથે ત્રીજી ટર્મ માટે પાછા લાવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ એટલા માટે મહત્ત્વનું છે કારણ કે, આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યારે વૈશ્વિક સ્તરે લોકોનો તેમના નેતાઓ અને સરકાર પરનો વિશ્વાસ ઘટી રહ્યો છે. ભારતની સ્થિતિ તેનાથી તદન વિપરીત છે. હું ગુજરાત અને દેશના લોકોનો આભાર માનું છું કે, તેમણે અમારા પર અપાર વિશ્વાસ મૂક્યો છે અને વિકાસના અમારા ટ્રેક રેકોર્ડ પર મંજૂરીની મહોર મારી છે.

પ્રશ્ન : આપે પહેલા ગુજરાતની કાયાપલટ કરી હતી. ગુજરાતના વિકાસ મોડલ બાદ દેશને પણ વૈશ્વિક વિકાસનો એક હિસ્સો બનાવી દેશમાં પણ વિકાસ મોડલ સફળ રીતે સ્થાપિત કર્યું. આ સફળતાને આપ કેવી રીતે મૂલવશો?

જવાબ : સૌ પ્રથમ આ મુદ્દાને ઉજાગર કરવા બદલ હું તમારો આભાર માનું છું. તમારા નિરીક્ષણને દાદ આપું છું. 2001માં શક્તિશાળી ભૂકંપથી કચ્છ તબાહ થઈ ગયું હતું. લોકો વિચારતા હતા કે, ગુજરાત હવે બીજી વખત બેઠું નહીં થઈ શકે. ગુજરાત પાછું બેઠું થયું. હું માનું છું કે, તે લોકોની હિંમત અને ટકી રહેવાની ક્ષમતાને આભારી છે. ભૂકંપે અમને ગુજરાતના વિકાસનું પુનઃમૂલ્યાંકન કરવા અને વિઝનને નવેસરથી સમજવા માટે પ્રેરિત કર્યાં હતા. એ કારણે જ અમે નવું સર્વગ્રાહી મોડલ તૈયાર કરી શક્યા. આ અનોખા મોડેલે વિશ્વમાં ઉત્સુકતા જગાવી છે. ગુજરાત મોડલ સર્વગ્રાહી છે. આ મોડલ ગુજરાતના વિકાસમાં સમાન અને સક્રિય રીતે યોગદાન આપવા માટે કૃષિ ઉદ્યોગો અને સેવાઓ સહિતના તમામ ક્ષેત્રોને સશક્ત બનાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ગુજરાત સતત બે આંકડામાં જીડીપી અને કૃષિ વિકાસ દર હાંસલ કરતું એક માત્ર રાજ્ય છે. ગુજરાતના ખેડૂતો અભૂતપૂર્વ સમૃદ્ધિના સાક્ષી છે. ઈઝ ઓફ બિઝનેસ'નો ખ્યાલ સૌ પ્રથમ ગુજરાતમાં શરુ થયો છે. આ ખ્યાલ રોકાણ માટે અનુકૂળ બિઝનેસ વાતાવરણ પૂરું પાડે છે. દેશમાં અન્યત્ર વ્યાપક ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે ગુજરાત સહી સલામત રહ્યું છે. અમે રોકાણકારો માટે લાલ જાજમ પાથરી અને કામગીરી વધુ સરળ બનાવી. અમે રોકાણકારો માટે ટેકનોલોજીની મદદથી રહેવાની સરળતા ઉભી કરી. આ મોડેલે યુવાનોમાં કૌશલ્ય વધારવા માટે ઘણી પ્રેરણા પૂરી પાડી છે. ગુજરાતના કૌશલ્ય વર્ધન કેન્દ્રોને તેમની કામગીરી બદલ 2013માં વડાપ્રધાનનો શ્રેષ્ઠતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સૌથી રસપ્રદ વાત એ છે કે, જનભાગીદારી એ વિકાસને એક લોકચળવળ બનાવવા માટે પાયાનો પથ્થર જેવી ભૂમિકા ભજવી છે.

જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે મારો મંત્ર ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ હતો. હવે હું દિલ્હીમાં છું ત્યારે મારો અભિગમ એવો જ રહ્યો છે. આજે અમે એ સુનિશ્ર્ચિત કરી રહ્યા છીએ કે, ભારત વૈશ્વિક વિકાસના એન્જિન તરીકે કામ કરે. દુનિયા માટે ભારત વિકાસનું પ્રતીક છે. દરેક વ્યક્તિ ભારતના વિકાસ અને યોગદાનની વાત કરે છે. એક અહેવાલ જણાવે છે કે. વૈક્વિક વૃદ્ધિમાં ભારતનો સોળ ટકા ફાળો છે જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. IMF-ઈન્ટરનેશનલ મોનિટરી ફંડની વિગતો મુજબ ઉભરતા અને વિકસતા દોઢસો દેશોનું એક જૂથ છે. 1998માં ભારતની માથાદીઠ જીડીપી વિકસતા દેશોના જૂથમાં ત્રીસ ટકા હતી જે 2004માં વધીને પાંત્રીસ ટકા થઈ હતી. 2004થી 2014ની વચ્ચે તે પાંત્રીસ ટકાથી ઘટીને ત્રીસ ટકા થઈ ગઈ. એ હિસાબે આવક અન્ય દેશોની સરખામણીમાં ધીમી રહી 2014માં તે ત્રીસ ટકા હતી. 2019માં સાડત્રીસ ટકા સુધી લઈ જવામાં અમને સફળતા મળી. એ પછી 2024માં 42 ટકા સુધી પહોંચાયું. આ એક મોટી છલાંગ છે. અમારા કાર્યકાળ દરમિયાન ભારતની પ્રગતિ સમગ્ર વિશ્ર્વની સરખામણીમાં વધી છે. હું માનું છું કે, સાત કરોડ ગુજરાતીઓ રાજ્યની સિદ્ધીઓ પાછળનું સૌથી મોટું પ્રેરકબળ છે. જ્યારે 140 કરોડ ભારતીયોના સામૂહિક પ્રયાસો રાષ્ટ્રને આગળ ધપાવી રહ્યા છે. લોકો જ ઈન્ડિયા મોડલ ચલાવે છે.

પ્રશ્ન : ગુજરાત આપની કર્મભૂમિ રહી છે. ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારના ક્યા નિર્ણયો તમને દેશના શાસન દરમિયાન ઉપયોગી બન્યા છે?

જવાબ : ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની કામગીરી દરમિયાન મને જે અનુભવ મળ્યો અને શીખવા મળ્યું એણે મારા અભિગમને અનોખો આકાર આપ્યો છે. આ અભિગમ રાષ્ટ્રના શાસન અને વહીવટમાં મહત્ત્વનો રહ્યો છે. ગુજરાતે મને ઘડ્યો છે, મને શીખવ્યું છે. મને આકાર અને ઓળખ ગુજરાત થકી મળી છે. હું એવો વડાપ્રધાન છું જેને મુખ્યમંત્રી તરીકે કામ કરવાનો બહોળો અનુભવ છે. તેના કારણે હું પાયાના સ્તરે કેવી રીતે કામ થાય છે એને ખૂબ જ સંવેદનશીલતાથી જોઈ શકું છું. ગુજરાતના સીએમ તરીકેના મારા કામને કારણે જ મને આપણી જે શાસન વ્યવસ્થા છે એના માટે આદર છે. મેં ગુજરાતમાં જે પાઠ શીખ્યા છે તેણે મને દેશ સામેના જટિલ પડકારોનો સામનો કરવા માટે સજ્જ બનાવ્યો છે. તમને એક ઉદાહરણ આપું. ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારના ડિઝાસ્ટર મેનેજમેન્ટનો જે પ્લાન હતો એ મને દેશ માટે ખૂબ જ મદદરુપ બન્યો છે.

પ્રશ્ન : પ્રથમ સો દિવસનું આયોજન છે એમાં ગુજરાતને શું લાભ થશે?

જવાબ : ગુજરાતના લોકો મારી કામ કરવાની પદ્ધતિને સારી રીતે જાણે છે. 2014માં વડાપ્રધાન બન્યા પછી મારા પ્રથમ સો દિવસ દરમિયાન નર્મદા ડેમની ઉંચાઈ વધારવાની ઐતિહાસિક મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાતના લોકો દાયકાઓથી જે ઝંખતા હતા એ સપનું પૂરું થયું. આખા દેશની જનતા જાણે છે કે, 2019ના પહેલા સો દિવસ દરમિયાન અમે આર્ટિકલ 370 અને ટ્રીપલ તલાકને નાબૂદ કરવા ઉપરાંત આતંકવાદ વિરોધી કડક કાયદા લાવવા જેવા ઘણાં મોટા અને મહત્ત્વના પગલાં લીધા છે. મારા ત્રીજા કાર્યકાળના પ્રથમ સો દિવસમાં ઘણું બધું થશે. લોકોએ અત્યાર સુધી જે જોયું છે એ તો માત્ર ટ્રેલર છે.

પ્રશ્ન : ગુજરાતમાં એવા ક્યા યાદગાર કામો તમારા શાસન દરમિયાન થયા છે જે તમારા દિલની નજીક છે?

જવાબ : ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની કામગીરીમાં સૌથી વધુ જો કોઈ કામો મારા હ્રદયની નજીક હોય તો એ પાણી, શિક્ષણ અને વીજળીના કામો છે. જ્યારે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે ગુજરાત પાણીની ગંભીર અછત સામે ઝઝૂમી રહ્યું હતું. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ટેન્કરો અને ટ્રેનો દ્વારા પાણી પહોંચાડાતું હતું. પાણીની અછત માત્ર વિકાસને અવરોધતી નહોતી પણ લોકોને સ્થળાંતર કરવા માટે પણ મજબૂર કરતી હતી. વૈજ્ઞાનિક અભિગમ અને અસરકારક અમલીકરણ દ્વારા અમે પાણી માટે અશક્ય લાગતું કામ સાકાર કરી બતાવ્યું. આજે ગુજરાતના દરેક ઘરમાં પાણી પહોંચે છે. ખેડૂતોને સિંચાઈ માટે સતત પાણી પુરવઠો મળતો હોવાથી તેમની આવકમાં વધારો થાય છે. અગાઉના સમયમાં લોકો એવું ઈચ્છતા હતા કે, એટલીસ્ટ રાતના ભોજન સમયે વીજળી મળી રહે. જ્યોતિગ્રામ જેવી યોજનાઓ થકી અમે લોકોને ચોવીસ કલાક વીજળી પુરવઠો આપ્યો. આ પરિવર્તનથી લોકોની જિંદગીમાં નોંધપાત્ર સુધારો થયો અને સમગ્ર રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિને વેગ મળ્યો છે. ગુજરાતમાં દીકરીઓના ડ્રોપ આઉટના ઉંચા દરને ઘટાડવો એ અમારી પ્રાથમિકતા હતી. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવી યોજનાઓથી ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં અમને સફળતા મળી છે. મે અને જૂનના કાળઝાળ ઉનાળાની ગરમીમાં હું વ્યક્તિગતરીતે ગામડાંઓમાં કેમ્પ કરતો હતો અને દીકરીઓને શાળાએ મોકલવા માટે વિનંતીઓ કરતો. આ પાયાના પ્રયાસોને કારણે ડ્રોપ આઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો અને ગુજરાતામાં શૈક્ષણિક ક્રાંતિ સર્જાઈ.

પ્રશ્ન : આપ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં જ પહેલીવાર ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ સમિટનું સફળ આયોજન કરી દેશ અને દુનિયાના ઉદ્યોગપતિઓ અને રોકાણકારોને ગુજરાતમાં આવવા વિશેષ આકર્ષિત કર્યા. હવે વડાપ્રધાન બન્યા પછી ભારતને વિશ્ર્વના પાંચ ટોચના અર્થતંત્રમાં સ્થાન અપાવ્યું. હવે આવનારા સમયમાં દેશના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે આપનો રોડમેપ શું છે?

જવાબ : 2014માં જ્યારે અમે સત્તા ઉપર આવ્યા ત્યારે ભારત વિશ્વની અગિયારમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા હતી. આજે આપણે પાંચમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા છીએ. હવે પછીની ટર્મ માટે અમારું લક્ષ્ય ભારતને વિકવની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવવાનું છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફડની વિગતો મુજબ આવતા વર્ષે જ ભારત ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. ભારતના નાજુક અર્થતંત્રને ગતિશીલ બનાવવાની સફર નોંધપાત્ર અને શાનદાર રહી છે. વિકસિત ભારતના અમારા રોડમેપમાં દરેક ભારતીયના વિકાસનો સમાવેશ થાય છે. દરેક નાગરિકને વ્યવસાય અને રોજગારીની તકો, એક ક્લિક પર સરકારી સેવાઓ, વિકવ સાથે કનેકટીવિટી, આધુનિક ઈન્ફાસ્ટ્રક્ચર મળે તે સુનિશ્ચિત કરવાનું અમારું લક્ષ્ય છે. દરેક ભારતીયને વિશ્વના તમામ ખૂણે સામાજિક, બાર્થિક સહિતના ક્ષેત્રોમાં સ્થાન મળે એવા અમારા પ્રયાસો છે. છેલ્લા એક દાયકામાં વિવિધ સુધારાઓ હાથ ધરીને એક ઈકો સિસ્ટમ બનાવી છે. બિઝનેસ કરવાની સરળતામાં 2014ની સાલમાં ભારત 142માં સ્થાનેથી 63મા ક્રમે પહોંચ્યું છે. 2013માં ભારતનું ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ત્રીસ બિલિયન ડોલરથી ઓછુ હતું. હવે તે સૌ અબજ ડોલરથી વધુ છે. મોબાઈલના આયાતકાર દેશમાંથી હવે આપણે હવે મોબાઈલ ફોનના નિકાસકાર બની ગયા છીએ. ભારતમાં વેચાતા તમામ મોબાઈલ ફોનમાંથી 97 ટકા મોબાઈલ ભારતમાં બનેલા છે. 2024માં ત્રીસ ટકા ઉત્પાદન નિકાસ માટે જ થવાનું છે. એ જ રીતે ઈલેક્ટ્રીક વેફીકલ સેક્ટરમાં અમે ઈવી નીતિને મંજૂરી આપી છે. ટૂંક સમયમાં ભારતને તમે ઈંવી હબ તરીકે ઉભરતું જોશો. હું તમને સેમી કન્ડક્ટર ઉદ્યોગનું વધુ એક ઉદાહરણ આપવા માગું છું. અમે લાંબા સમય પહેલા બસ ચૂકી ગયા હતા પરંતુ બાજે આપણે ભારતને સેમી કન્ડક્ટર હબ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. અમે સેમીકન્ડક્ટર ફેબ્સ, ડિસ્પ્લે ફેબ્સ, સિલીકોન ફોટોનીક્સ વગેરે માટે પ્રોત્સાહક યોજના શરુ કરી છે. સેમીકન્ડક્ટર પ્લાન્ટથી લાખો નોકરીઓનું સર્જન થશે. આજે આપણે વૈવિક સ્તરે ભરોસાપાત્ર બિઝનેસ પાર્ટનર તરીકે ઓળખાવા લાગ્યા છીએ. દેશની સરક્ષણ નિકાસ સર્વોચ્ચ સ્થાને પહોંચી ચૂકી છે. 2013-14ની સાલમાં 686 કરોડ હતી તે 2022-23માં 2100 કરોડ સુધી પહોંચી છે. દેશશના ઉત્પાદનો ગર્વથી મેઈડ ઈન ઈન્ડિયા ટેગનો ઉપયોગ કરી રહ્યા છે. આ બધુ પીએલઆઈ (પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ)ને આભારી છે. અમે દેશને વૈક્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે 14 વ્યૂહાત્મક ક્ષેત્રોમાં પીએલઆઈ કારું કર્યું, તેના કારણે 8.61 લાખ કરોડનું વેચાણ શક્ય બન્યું અને 6.78 લાખથી વધુ રોજગારીનું સર્જન થયું, નિકાસની વાત કરીએ તો ભારત પરંપરાગત કોમોડીટીમાંથી હવે વેલ્યુ એડેડ પ્રોડ્કટની વધુ નિકાસ કરે છે. બુલેટ ટ્રેનથી લઈને વદે ભારત ટ્રેનો, નવા એરપોર્ટ ટર્મિનલથી લઈને ફ્રેઈટ કોરિડોર સુધીના કામોમાં અમે કોઈ કસર છોડી નથી. સ્ટાર્ટ અપ ઇન્ડિયા જેવી પહેલથી સવા લાખથી વધુ સ્ટાર્ટ અપ શરૂ થયા છે. ભારતનું મેન્યુફેક્ચરીંગ સેક્ટર 59.1 સાથે સોળ વર્ષમાં તેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે. આ બધુ માત્ર મોટા પ્રોજેક્ટ્સ વિશે જ નથી, ગ્રામીણ અને નાના શહેરોમાં સ્થાનિક વપરાશ વધી રહ્યો છે તે એવું સાબિત કરે છે કે, આર્થિક પ્રવૃત્તિઓના ફાયદા દરેક ખૂણે
પહોંચી રહ્યા છે.

પ્રશ્ન : તમારા મતે એવું કયુ તત્ત્વ છે કે ગુજરાત તમને તમામ 26 બેઠકો આપે છે?

જવાબ : ગુજરાત સાથે ભાજપનો સંબંધ ખૂબ જ ઘનિષ્ઠ રહ્યો છે. આ સંબંધ ચૂંટણીઓ કરતા પણ વિશેષ છે. સૌથી કપરા પડકારો વખતે પણ ભાજપ રાજ્યના લોકો સાથે ઉભો રહ્યો છે. પહેલી વાર મતદાન કરવાના છે એવા યુવાઓ કદાચ જાણતા નહી હોય કે ગુજરાત એક સમયે એવું રાજ્ય હતું જ્યાં છાશવારે રમખાણો, નાણાંકીય કટોકટી, વીજળીની અછત, પાણીની અછત અને માળખાકીય સુવિધાઓનો અભાવ જોવા મળતો હતો. રાજ્ય આજે સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ગુજરાત એક એવી બ્રાન્ડ બની ગયું છે જેને આખું વિશ્વ ઓળખે છે. ગુજરાત માટે ભાજપ સહજ અને શ્રેષ્ઠ શાસક તરીકે ઉભરી આવ્યો હતો અને હવે આખો દેશ તેનો સાક્ષી છે. ગુજરાત સાથે ભાજપનો પારિવારિક નાતો છે. ગુજરાતના લોકો સાથે અમે એક પછી એક અનેક પડકારોનો સામનો કર્યો છે. ગુજરાત અને ભાજપ વચ્ચે જે જોડાણ સર્જાયું છે એ જ લોકોને અમારી પાર્ટી તરફ વારંવાર આકર્ષિત કરે છે.

પ્રશ્ન : આમ તો વડાપ્રધાન તરીકે તમારા માટે તમામ રાજ્યો સરખા જ હોય. પણ ગુજરાતની વાત આવે ત્યારે તમારા ચહેરા પર ખાસ આનંદ હોય છે. ગુજરાત માટે પક્ષપાત હોવાનું પણ ઘણાં લોકો કહે છે. તમે શું કહેશો?

જવાબ : દેશના વડાપ્રધાન તરીકે મોદી માટે તમામ રાજ્યો એક સરખા મહત્તવના છે. અમે બહુ જ સ્પષ્ટ છીએ કે, જ્યારે રાજ્યોનો વિકાસ થાય છે ત્યારે રાષ્ટ્રનો વિકાસ થાય છે. જો શરીરનું કોઈ એક અંગ બીમાર હોય તો તેની અસર આખા શરીર ઉપર પડે છે. જો દેશનો કોઈ ભાગ પાછળ રહી જાય તો દેશ પણ પૂર્ણ ક્ષમતા સુધી પહોંચી શકતો નથી. વિકાસના એજન્ડાની વાત આવે છે ત્યારે દરેક રાજ્ય મારા માટે પ્રાથમિકતા ધરાવે છે. વ્યક્તિગત રીતે વાત કરું તો ગુજરાત મારી જન્મભૂમિ છે. હું જન્મભૂમિને મારી માતા તરીકે જોઉં છું. ગુજરાત મારા માટે વિશેષ છે.

પ્રશ્ન : ગુજરાત માટે મોદીની ગેરન્ટી એટલે શું?

જવાબ : ગુજરાતના યુવાનો માટે વધુ તકો એ મોદીની ગેરન્ટી છે. ગુજરાતના વિકાસને વેગ આપવા માટે ગુજરાતમાં વધુ રોકાણ અને ગુજરાતના વિકાસને વેગ આપવો એ મારી ગેરન્ટી છે. ગુજરાતની નારી શક્તિને વધુ સક્ષમ બનાવવી અને લખપતિ દીદીઓ બનાવવી એ મારી ગેરન્ટી છે. ગુજરાતના લોકોના જીવનને સરળ બનાવવા માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવું એ મારી ગેરન્ટી છે. ગુજરાતને મેન્યુફેક્ચરીંગ હબ બનાવવું અને ભારતની વિકાસ ગાથામાં ગુજરાતને સ્થાન અપાવવું એ મારી ગેરન્ટી છે. અમારા સંકલ્પપત્રમાં અમે જે ગેરન્ટીઓ આપી છે એ ગુજરાતની સાહસિકતાને વેગ આપવામાં મહત્ત્વનો ભાગ ભજવશે. ગુજરાત ઓટો મોબાઈલ સેક્ટરનું હબ છે ત્યારે ઈલેકટ્રીક વેહીકલને લગતા નિયમોમાં અમે જે સુધારાઓ કરીશું તેનાથી ઘણો ફાયદો થશે. અમારા સંકલ્પપત્રમાં અમે ભારતને સેમી કન્ડક્ટર અને ચીપ મેન્યુફેક્ચરીંગ હબમાં પરિવર્તિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ગુજરાત આ વિઝનને સાકાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. અમે સંકલ્પ પત્રમાં ત્રણ બુલેટ ટ્રેનનું વચન આપ્યું છે. બુલેટ ટ્રેન મેળવનાર ગુજરાત પ્રથમ રાજ્ય હશે. આ બુલેટ ટ્રેન ભારતમાં રેલવેની મુસાફરી માટે બેન્ચમાર્ક તરીકે ઓળખાશે. અમારા મેનીફેસ્ટોમાં ગ્રીન એનર્જીને વિશેષ સ્થાન અપાયું છે. ગ્રીન એનર્જી વધુ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરશે. ગુજરાત નજીકના ભવિષ્યમાં રીન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં અગ્રેસર બનવા જઈ રહ્યું છે. અમે ગુજરાતના દરિયાકાંઠાને ભારતની સમૃદ્ધિનું પ્રવેશ દ્વાર બનાવવા માગીએ છીએ. ગુજરાતમાં મોટા પ્રમાણમાં આદિવાસી વસતિ છે. અમે અમારા મેનીફેસ્ટોમાં તેમની વિશિષ્ઠ સંસ્કૃતિ, ઔષધી, પરંપરાઓને, ભાષાઓને વધુ મજબૂત બનાવવાનું, સાચવવાનું અને રક્ષણ કરવાનું વચન આપ્યું છે. અમે નાના વેપારીઓ અને એમએસએમઈના વિકાસ માટે વધુ અનુકૂળ વાતાવરણ બનાવવાની દિશામાં કામ કરીશું. તેનાથી ગુજરાતની બિઝનેસ ઈકો સિસ્ટમને મોટો ફાયદો થશે. ગુજરાતને મોખરે રાખીને અમે ભારતને લેબગ્રોન ડાયમંડ સૌથી મોટું ઉત્પાદક બનાવીશું. ગુજરાત માટે મોદી ગેરન્ટી એ છે કે, તેને એક મોડેલ સ્ટેટ બનાવવું. વિકાસ, સુશાસન અને ઔદ્યોગિક ક્રાંતિ માટે વૈશ્વિક માપદંડો સ્થાપિત કરીને દરેક ગુજરાતીની સુખાકારીને સુનિશ્ર્ચિત કરવી.

પ્રશ્ન : કોંગ્રેસે મુસ્લિમ અનામતની વાત કરી છે એ મુદ્દો આપે ક્યા કારણોથી ઉઠાવ્યો છે?

જવાબ : કોગ્રેસ પાર્ટીના ઈરાદા ખૂબ જ ચિંતાજનક છે. સરકારી ટેન્ડરોની વાત હોય કે નોકરીઓની, તેમના મેનીફેસ્ટોમાં મુસ્લિમોને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે મુસ્લિમોને ગેરબંધારણીય રીતે આરક્ષણ આપ્યું છે. એનો સીધો અર્થ એ થયો કે, એસસી, એસટી, ઓબીસી સમાજ માટેની અનામત ઘટાડવામાં આવ્યું. ધર્મ આધારિત આરક્ષણ આપણા બંધારણની ભાવના વિરુદ્ધ છે. જ્યારે આપણું બંધારણ લખાઈ રહ્યું હતું ત્યારે બાબાસાહેબ અને આપણા બંધારણના અન્ય ઘડવૈયાઓએ ધર્મ આધારિત આરક્ષણને અયોગ્ય ગણ્યું હતું. હું કોંગ્રેસ પાર્ટીને લેખિતમાં આપવાનું કહું છું કે, તેઓ અમારા એસસી, એસટી અને ઓબીસી સમુદાયોનું આરક્ષણ લઘુમતીઓને નહીં આપે. જો કે તેમના તરફથી પીન ડ્રોપ સાયલન્સ એટલે કે સંપૂર્ણ મૌન છે.

પ્રશ્ન : આપ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તમારા શાસન દરમિયાન જ ડોનાલ્ડ ટ્રમ્પ, બેન્જામિન નેતન્યાહૂ, શી જિનપિંગ જેવા નેતાઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તમારા કારણે ગુજરાત વિશ્વમાં જાણીતું બન્યું છે. હજુ ગુજરાતને તમે કેવું જોવા માગો છો? તમારા સપનાનું ગુજરાત કેવું છે?

જવાબ : કોંગ્રેસના જમાનામાં દરેક પ્રસંગ દિલ્હી કેન્દ્રીત રાખવાની પ્રથા બની ગઈ હતી. જે લોકો મોદીને ઓળખે છે અને જે લોકો મને ગુજરાતના સમયથી ફોલો કરે છે તેમને ખબર છે કે, હું ગુજરાતના અલગ- અલગ શહેરોમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરતો હતો. જ્યારે વિદેશી મહાનુભાવોની ભારત મુલાકાતની વાત આવી ત્યારે અમે તેમને દેશના વિવિધ ભાગોમાં લઈ ગયા. ગુજરાતમાં અમે અમેરિકા, ઈઝરાયેલ અને ચીનના નેતાઓનું સ્વાગત કર્યું. થોડા સમય પહેલા જ અમે યુએઈના પ્રેસિડેન્ટ મોહમ્મદ બિન ઝાયેદને ગુજરાત લાવ્યા હતા. ગુજરાતના લોકોએ એમનું ખુલ્લા દિલે સ્વાગત કર્યું અને તેમણે પણ ગુજરાતના ખૂબ વખાણ કર્યા. જ્યારે મારા સપનાના ગુજરાતની વાત આવે છે ત્યારે હું આ રાજ્યને અખૂટ તકોના મહાસાગર તરીકે જોઉં છું. હું ઈચ્છું છું કે, ગુજરાત યુવાનોના સપનાં સાકાર કરવા માટેનું અલ્ટીમેટ ડેસ્ટિનેશન બને. હું ગુજરાતને એક વિકસિત અને ભવિષ્ય માટે સક્ષમ રાજ્ય તરીકે જોઉં છું. મારા સપનાનું ગુજરાત માત્ર રાષ્ટ્રના વિકાસને વેગ આપતું ન હોય પણ સમગ્ર વિશ્વ પણ ગુજરાતમાં અનેક શક્યતાઓ જુએ તેવું છે. હું ગુજરાતને એવા સ્થાન તરીકે જોઉં છું જ્યાં સમાજના તમામ વર્ગના લોકો સમૃદ્ધ બને અને પ્રગતિ કરે. છેલ્લા ત્રેવીસ વર્ષથી નક્કી કરેલા વિઝન સાથે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે.

પ્રશ્ન : આપ ગુજરાતના છો પરંતુ દેશના તમામ રાજ્યોમાં આપની લોકપ્રિયતા તમારા પહેલાના તમામ વડાપ્રધાનો કરતા વધુ છે. દેશભરના લોકો તમને જોવા અને સાંભળવા માટે ખૂબ ઉત્સુક છે. આ પાછળનું રહસ્ય શું છે?

જવાબ : હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે, લોકોએ મને આટલો પ્રેમ અને લાગણી આપ્યા છે. લોકોએ જોયું છે કે, મોદી તેમની દરેક ક્ષણ, દરેક મિનિટ ભારત માતા અને તેમના બાળકોની સેવામાં વીતાવે છે. જ્યાં સુધી મારા દેશવાસીઓ સુરક્ષિત ન હોય ત્યાં સુધી હું આરામ કરવાનું પસંદ કરતો નથી. યુદ્ધક્ષેત્રમાંથી બચાવવાના હોય કે કુટુંબના કોઈ સભ્ય બીમાર પડે ત્યારે શ્રેષ્ઠ સારવાર કરાવવાની હોય, તેના માટે હું સતત સજાગ રહું છું. લોકો જુએ છે કે, મોદી દરેકના માથે છત, સ્વચ્છ પાણી અને દરેક ઘરમાં શૌચાલય કેવી રીતે સુનિશ્ર્ચિત કરે છે. મોદી ઘરની મહિલાઓને લખપતિ દીદી બનાવી રહ્યા છે, જેથી તેઓ પગભર થઈ શકે અને પરિવારના લોકોને પણ આગળ વધારી શકે. યુવાનો માટે તકો ઉભી કરવાના મારા સમર્પણને પણ લોકો સારી રીતે ઓળખે છે. તેમને ઘરબેઠાં વિશ્વની શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તેવા મારા પ્રયાસો છે. હું પરિવારના સભ્યની જેમ લોકો માટે સતત પ્રયત્નશીલ હોઉં છું તેથી જ તેઓને એવું લાગે છે કે, મોદી તેમના પરિવારનો જ એક હિસ્સો છે. 140 કરોડ દેશવાસીઓના સપનાઓ અને આકાંક્ષાઓ સાકાર કરવા માટે કામ કરવાની જે તક મળી તે માટે હું ખરેખર ભગવાનનો આભાર માનું છું.

પ્રશ્ન : આપ છેલ્લા દસ વર્ષથી દિલ્હીમાં છો, આપ ગુજરાતને કેટલું મિસ કરો છો?

જવાબ : મેં ગુજરાતના લોકો સાથે ખૂબ જ જીવંત અને પ્રેમાળ સંપર્ક જાળવી રાખ્યો છે. ગુજરાતના લોકોને હું નિયમિત મળતો રહું છું. જીવનભર જેમની સાથે મેં કામ કર્યું છે એવા મારા જૂના સહયોગીઓ સાથે મારા સંબંધો જીવંત રાખું છું.

પ્રશ્ન : તમે હંમેશાં મહેનતુ, તરોતાજા અને હળવા હોવ છો. તેની પાછળનું રહસ્ય શું છે? તમે સખત મહેનત કરવાની આટલી ક્ષમતા કેવી રીતે મેળવો અને કેળવો છો?

જવાબ : મારા દેશના લોકો માટે સખત પરિશ્રમ કરવાની મારી લગનથી મને બળ મળે છે. હું તેમના જીવનમાં પરિવર્તન લાવવા માગુ છું. આ જ લાગણી મને જંપવા દેતી નથી અને હું દિવસરાત સખત મહેનત કરું છું. મને પોતાને ક્યારેક આ વિશે આશ્ચર્ય થાય છે. હું ખૂબ મહેનત કરું છું. વર્ષો વધવાની સાથે સાથે મારી કામ કરવાની ક્ષમતા વધી રહી છે. મને લાગે છે કે, આ બધું કરનાર હું નથી. કોઈ દૈવી શક્તિ છે જે મને આવું બધું કરવા માટે પ્રેરિત કરે છે. હું તો માત્ર નિમિત્ત છું. એ કોઈ ઈશ્વરીય તાકાત છે જે મારા દ્વારા લોકોની સેવા કરી રહી છે.

પ્રશ્ન : ગુજરાતના લોકો માટે તમારો શું સંદેશ છે?

જવાબ : મેં હંમેશાં નિશાન ચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન મંત્રનું પાલન કર્યું છે. આજે ગુજરાતના લોકો દરેક ક્ષેત્રમાં સીમાડાઓ વટાવીને આગળ વધી રહ્યા છે. આ માનસિકતા ગુજરાતીઓની ગળથૂથીમાં રહેલી છે. હું ફરી એકવાર એ સંદેશ આપવા માગુ છું કે, મોદી તમારી સાથે ઉભા છે. તમારા સપનાને મર્યાદિત થવા નહી દો. વિકાસના માર્ગે તમારી સાથે રહીશ. 2047માં વિકસિત ભારતનું સપનું સાકાર કરવા માટે હું એવું ઈચ્છું છું કે, ભારત માતાનું દરેક સંતાન અવ્વલ દરજ્જાના સપનાં જુવે અને ઉત્તમ કાર્યો કરે.

 

Following is the clipping of the interview:

 

|
|
  • Mihir Bhattacharjee August 12, 2025

    #অখন্ড_ভারত_দিবস (১৪ই আগস্ট শুধু এক স্বপ্ন নয় , দৃঢ় সংকল্প ) ========================= (#20mb) রাষ্ট্রযজ্ঞের মুলস্রোতে সম্প্রতি বিলয়প্রাপ্ত #জম্মুকাশ্মীর দিয়েই যার শুভ #শ্রীগনেশ । কট্টর ধার্মিক দৃষ্টিকোনে এলোমেলো বিক্ষিপ্ত ঘটনা প্রবাহে খন্ডে খন্ডে দ্বিধাবিভক্ত ও ক্রমক্ষয়িষ্ণু #ভারতকে পুনরায় সন্নিবিষ্ট করাই এই দিনের মূল উদ্দেশ্য । সুপ্রাচীন সমৃদ্ধ ভারতের মূল স্বরূপকে বিশ্বের দরবারে পুনঃস্থাপনই আমাদের সংকল্প ও অঙ্গীকার । নিকট ভবিষ্যতে #বিশ্বগুরু রূপে সমাদৃত "#এক_ভারত_শ্রেষ্ঠ_ভারত" রচনাই আমাদের মূলমন্ত্র। হিন্দু, বৌদ্ধ, জৈন ও শিখ ধর্মের উৎসভূমি এ পবিত্র #ভারত মহাদেশ । যদিও খ্রিষ্টীয় প্রথম সহস্রাব্দে পারসি , ইহুদী , খ্রিস্ট ও ইসলামের উদ্দেশ্য প্রণোদিত অনুপ্রবেশ ও তাদের সংস্কৃতিক বিস্তারকে অস্বীকার করার জো নাই । যারা কালক্রমে এই ভূখণ্ডের প্রশাসক রূপেও অবতীর্ণ হয় বারংবার। তবুও স্বকীয় ঐতিহ্য রক্ষার পাশাপাশি বৈদেশিক আক্রমনকারী ও বহিরাগত জাতিগুলির থেকে গ্রহণ করা রীতিনীতি, ঐতিহ্য ও ধারণা অঙ্গীভূত করে আজও এ দেশ বৈচিত্রের মধ্যে ঐক্যের এক অভূতপূর্ব সংমিশ্রণ । বর্ন,ধর্ম ,জাতি ও সামাজিক বৈশাদৃশ্যকে রাষ্ট্রীয় ঐক্যের বৃহৎ স্বার্থে ভেদাভেদ উপেক্ষা করে সকল ভারতীয়কে #অখন্ড_ভারত_দিবসের পুনঃ সংকল্পের জন্য প্রাণভরা অভিনন্দন ও শুভকামনা 💐💐💐..... #JaiHind #VandeMatarm
  • Jitendra Kumar May 02, 2025

    ❤️🇮🇳🙏
  • Dheeraj Thakur March 08, 2025

    जय श्री राम जय श्री राम
  • Dheeraj Thakur March 08, 2025

    जय श्री राम
  • PawanJatasra January 27, 2025

    🇳🇪🇳🇪
  • Rahul Naik December 07, 2024

    🙏🙏
  • कृष्ण सिंह राजपुरोहित भाजपा विधान सभा गुड़ामा लानी November 19, 2024

    जय श्री राम 🚩
  • sonika sharma October 07, 2024

    जय हो
  • Amrita Singh September 22, 2024

    जय श्री राम जय जय श्री
  • दिग्विजय सिंह राना September 18, 2024

    हर हर महादेव
Explore More
हर भारतीय का खून खौल रहा है: ‘मन की बात’ में पीएम मोदी

लोकप्रिय भाषण

हर भारतीय का खून खौल रहा है: ‘मन की बात’ में पीएम मोदी
PM Modi’s blueprint for economic reforms: GST2.0 and employment scheme to deepwater exploration and desi jet engines

Media Coverage

PM Modi’s blueprint for economic reforms: GST2.0 and employment scheme to deepwater exploration and desi jet engines
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
दिल्ली को बेहतरीन शहर बनाने का जो बीड़ा हमने उठाया है, वो निरंतर जारी है: पीएम मोदी
August 17, 2025
QuoteWe are making Delhi a model of growth that reflects the spirit of a developing India: PM
QuoteThe constant endeavour is to ease people's lives, a goal that guides every policy and every decision: PM
QuoteFor us, reform means the expansion of good governance: PM
QuoteNext-generation GST reforms are set to bring double benefits for citizens across the country: PM
QuoteTo make India stronger, we must take inspiration from Chakradhari Mohan (Shri Krishna), to make India self-reliant, we must follow the path of Charkhadhari Mohan (Mahatma Gandhi): PM
QuoteLet us be vocal for local, let us trust and buy products made in India: PM

केंद्रीय मंत्रिमंडल में मेरे साथी नितिन गडकरी जी, हरियाणा के मुख्यमंत्री नायब सिंह सैनी जी, दिल्ली के उपराज्यपाल विनय सक्सेना जी, दिल्ली की मुख्यमंत्री बहन रेखा गुप्ता जी, केंद्र में मंत्री परिषद के मेरे साथी अजय टम्टा जी, हर्ष मल्होत्रा जी, दिल्ली और हरियाणा के सांसद गण, उपस्थित मंत्री गण, अन्य जनप्रतिनिधिगण और मेरे प्यारे भाइयों और बहनों,

एक्सप्रेसवे का नाम द्वारका, जहां यह कार्यक्रम हो रहा है उस स्थान का नाम रोहिणी, जन्माष्टमी का उल्लास और संयोग से मैं भी द्वारकाधीश की भूमि से हूं, पूरा माहौल बहुत कृष्णमय हो गया है।

साथियों,

अगस्त का यह महीना, आजादी के रंग में, क्रांति के रंग में रंगा होता है। आज़ादी के इसी महोत्सव के बीच आज देश की राजधानी दिल्ली, देश में हो रही विकास क्रांति की साक्षी बन रही है। थोड़ी देर पहले, दिल्ली को द्वारका एक्सप्रेसवे और अर्बन एक्सटेंशन रोड की कनेक्टिविटी मिली है। इससे दिल्ली के, गुरुग्राम के, पूरे NCR के लोगों की सुविधा बढ़ेगी। दफ्तर आना-जाना, फैक्ट्री आना-जाना और आसान होगा, सभी का समय बचेगा। जो व्यापारी-कारोबारी वर्ग है, जो हमारे किसान हैं, उनको विशेष लाभ होने वाला है। दिल्ली-NCR के सभी लोगों को इन आधुनिक सड़कों के लिए, आधुनिक इंफ्रास्ट्रक्चर के लिए बहुत-बहुत बधाई देता हूं।

साथियों,

परसों 15 अगस्त को लाल किले से मैंने, देश की अर्थव्यवस्था, देश की आत्मनिर्भरता, और देश के आत्मविश्वास पर विश्वास से बात की है। आज का भारत क्या सोच रहा है, उसके सपने क्या हैं, संकल्प क्या हैं, ये सब कुछ आज पूरी दुनिया अनुभव कर रही है।

|

और साथियों,

दुनिया जब भारत को देखती है, परखती है, तो उसकी पहली नज़र हमारी राजधानी पर पड़ती है, हमारी दिल्ली पर पड़ती है। इसलिए, दिल्ली को हमें विकास का ऐसा मॉडल बनाना है, जहां सभी को महसूस हो कि हां, यह विकसित होते भारत की राजधानी है।

साथियों,

बीते 11 साल से केन्‍द्र में भारतीय जनता पार्टी की सरकार ने इसके लिए अलग-अलग स्तरों पर निरंतर काम किया है। अब जैसे कनेक्टिविटी का विषय ही है। दिल्ली-NCR की कनेक्टिविटी में बीते दशक में अभूतपूर्व सुधार हुआ है। यहां आधुनिक और चौड़े एक्सप्रेसवे हैं, दिल्ली-NCR मेट्रो नेटवर्क के मामले में, दुनिया के सबसे बड़े नेटवर्क इलाकों में से एक है। यहां नमो भारत जैसा, आधुनिक रैपिड रेल सिस्टम है। यानी बीते 11 वर्षों में दिल्ली-NCR में आना-जाना पहले के मुकाबले आसान हुआ है।

साथियों,

दिल्ली को बेहतरीन शहर बनाने का जो बीड़ा हमने उठाया है, वो निरंतर जारी है। आज भी हम सभी इसके साक्षी बने हैं। द्वारका एक्सप्रेसवे हो या फिर अर्बन एक्सटेंशन रोड, दोनों सड़कें शानदार बनी हैं। पेरिफेरल एक्सप्रेसवे के बाद अब अर्बन एक्सटेंशन रोड से दिल्ली को बहुत मदद मिलने वाली है।

|

साथियों,

अर्बन एक्सटेंशन रोड की एक और विशेषता है। यह दिल्ली को कूड़े के पहाड़ों से भी मुक्त करने में मदद कर रही हैं। अर्बन एक्सटेंशन रोड को बनाने में लाखों टन कचरा काम में लाया गया है। यानी कूड़े के पहाड़ को कम करके, उस वेस्ट मटेरियल का इस्तेमाल सड़क बनाने में किया गया है और वैज्ञानिक तरीके से किया गया है। यहां पास में ही भलस्वा लैंडफिल साइट है। यहां आसपास जो परिवार रहते हैं, उनके लिए ये कितनी समस्या है, यह हम सभी जानते हैं। हमारी सरकार, ऐसी हर परेशानी से दिल्ली वालों को मुक्ति दिलाने में जुटी हुई है।

साथियों,

मुझे खुशी है कि रेखा गुप्ता जी के नेतृत्व में दिल्ली की भाजपा सरकार, यमुना जी की सफाई में भी लगातार जुटी हुई है। मुझे बताया गया कि यमुना से इतने कम समय में 16 लाख मीट्रिक टन सिल्ट हटाई जा चुकी है। इतना ही नहीं, बहुत कम समय में ही, दिल्ली में 650 देवी इलेक्ट्रिक बसें शुरू की गई हैं और इतना ही नहीं, भविष्य में भी इलेक्ट्रिक बसें एक बहुत बड़ी मात्रा में करीब-करीब दो हज़ार का आंकड़ा पार कर जाएगी। यह ग्रीन दिल्ली-क्लीन दिल्ली के मंत्र को और मजबूत करता है।

साथियों,

राजधानी दिल्ली में कई बरसों के बाद भाजपा सरकार बनी है। लंबे अरसे तक हम दूर-दूर तक भी सत्ता में नहीं थे और हम देखते हैं कि पिछली सरकारों ने दिल्‍ली को जिस प्रकार से बर्बाद किया, दिल्‍ली को ऐसे गड्ढे में गिरा दिया था, मैं जानता हूं, भाजपा की नई सरकार को लंबे अरसे से मुसीबतें बढ़ती जो गई थी, उसमें से दिल्‍ली को बाहर निकालना कितना कठिन है। पहले तो वो गड्ढा भरने में ताकत जाएगी और फिर बड़ी मुश्किल से कुछ काम नजर आएगा। लेकिन मुझे भरोसा है, दिल्ली में जिस टीम को आपको चुना है, वह मेहनत करके पिछली कई दशकों से जो समस्याओं से गुजरे रहे हैं, उसमें से दिल्ली को बाहर निकाल के रहेंगे।

|

साथियों,

यह संयोग भी पहली बार बना है, जब दिल्‍ली में, हरियाणा में, यूपी और राजस्थान, चारों तरफ भाजपा सरकार है। यह दिखाता है कि इस पूरे क्षेत्र का कितना आशीर्वाद भाजपा पर है, हम सभी पर है। इसलिए हम अपना दायित्व समझकर, दिल्ली-NCR के विकास में जुटे हैं। हालांकि कुछ राजनीतिक दल हैं, जो जनता के इस आशीर्वाद को अभी भी पचा नहीं पा रहे। वो जनता के विश्वास और जमीनी सच्चाई, दोनों से बहुत कट चुके हैं, दूर चले गए हैं। आपको याद होगा, कुछ महीने पहले किस तरह दिल्ली और हरियाणा के लोगों को एक दूसरे के खिलाफ खड़ा करने की, दुश्मनी बनाने की साजिशें रची गईं, यह तक कह दिया गया कि हरियाणा के लोग दिल्ली के पानी में जहर मिला रहे हैं, इस तरह की नकारात्मक राजनीति से दिल्ली और पूरे एनसीआर को मुक्ति मिली है। अब हम NCR के कायाकल्प का संकल्प लेकर चल रहे हैं। और मुझे विश्वास है, यह हम करके दिखाएंगे।

साथियों,

गुड गवर्नेंस, भाजपा सरकारों की पहचान है। भाजपा सरकारों के लिए जनता-जनार्दन ही सर्वोपरि है। आप ही हमारा हाई कमांड हैं, हमारी लगातार कोशिश रहती है कि जनता का जीवन आसान बनाएं। यही हमारी नीतियों में दिखता है, हमारे निर्णयों में दिखता है। हरियाणा में एक समय कांग्रेस सरकारों का था, जब बिना खर्ची-पर्ची के एक नियुक्ति तक मिलना मुश्किल था। लेकिन हरियाणा में भाजपा सरकार ने लाखों युवाओं को पूरी पारदर्शिता के साथ सरकारी नौकरी दी है। नायब सिंह सैनी जी के नेतृत्व में ये सिलसिला लगातार चल रहा है।

साथियों,

यहां दिल्ली में भी जो झुग्गियों में रहते थे, जिनके पास अपने घर नहीं थे, उनको पक्के घर मिल रहे हैं। जहां बिजली, पानी, गैस कनेक्शन तक नहीं था, वहां यह सारी सुविधाएं पहुंचाई जा रही हैं। और अगर मैं देश की बात करूं, तो बीते 11 सालों में रिकॉर्ड सड़कें, देश में बनी हैं, हमारे रेलवे स्टेशनों का कायाकल्प हो रहा है। वंदे भारत जैसी आधुनिक ट्रेनें, गर्व से भर देती हैं। छोटे-छोटे शहरों में एयरपोर्ट बन रहे हैं। NCR में ही देखिए, कितने सारे एयरपोर्ट हो गए। अब हिंडन एयरपोर्ट से भी फ्लाइट कई शहरों को जाने लगी है। नोएडा में एयरपोर्ट भी बहुत जल्द बनकर तैयार होने वाला है।

|

साथियों,

ये तभी संभव हुआ है, जब बीते दशक में देश ने पुराने तौर-तरीकों को बदला है। देश को जिस स्तर का इंफ्रास्ट्रक्चर चाहिए था, जितनी तेजी से बनना चाहिए था, वो अतीत में नहीं हुआ। अब जैसे, हमारा ईस्टर्न और वेस्टर्न पेरिफेरल एक्सप्रेसवे हैं। दिल्ली-NCR को इसकी जरूरत कई दशकों से महसूस हो रही थी। यूपीए सरकार के दौरान, इसको लेकर फाइलें चलनी शुरु हुईं। लेकिन काम, तब शुरू हुआ जब आपने हमें सेवा करने का अवसर दिया। जब केंद्र और हरियाणा में भाजपा सरकारें बनीं। आज ये सड़कें, बहुत बड़ी शान से सेवाएं दे रही हैं।

साथियों,

विकास परियोजनाओं को लेकर उदासीनता का यह हाल सिर्फ दिल्ली-एनसीआर का नहीं था, पूरे देश का था। एक तो पहले इंफ्रास्ट्रक्चर पर बजट ही बहुत कम था, जो प्रोजेक्ट सेंक्शन होते भी थे, वो भी सालों-साल तक पूरे नहीं होते थे। बीते 11 सालों में हमने इंफ्रास्ट्रक्चर का बजट 6 गुना से अधिक बढ़ा दिया है। अब योजनाओं को तेजी से पूरा करने पर जोर है। इसलिए आज द्वारका एक्सप्रेसवे जैसे प्रोजेक्ट तैयार हो रहे हैं।

और भाइयों और बहनों.

यह जो इतना सारा पैसा लग रहा है, इससे सिर्फ सुविधाएं नहीं बन रही हैं, यह परियोजनाएं बहुत बड़ी संख्या में रोजगार भी बना रही हैं। जब इतना सारा कंस्ट्रक्शन होता है, तो इसमें लेबर से लेकर इंजीनियर तक, लाखों साथियों को काम मिलता है। जो कंस्ट्रक्शन मटेरियल यूज़ होता है, उससे जुड़ी फैक्ट्रियों में, दुकानों में नौकरियां बढ़ती हैं। ट्रांसपोर्ट और लॉजिस्टिक्‍स में रोजगार बनते हैं।

|

साथियों,

लंबे समय तक जिन्होंने सरकारें चलाई हैं, उनके लिए जनता पर शासन करना ही सबसे बड़ा लक्ष्य था। हमारा प्रयास है कि जनता के जीवन से सरकार का दबाव और दखल, दोनों समाप्त करें। पहले क्या स्थिति थी, इसका एक और उदाहरण मैं आपको देता हूं, दिल्ली में, यह सुनकर के आप चौंक जाएंगे, दिल्‍ली में हमारे जो स्वच्छता मित्र हैं, साफ-सफाई के काम में जुटे साथी हैं, यह सभी दिल्ली में बहुत बड़ा दायित्व निभाते हैं। सुबह उठते ही सबसे पहले उनको थैंक यू करना चाहिए। लेकिन पहले की सरकारों ने इन्हें भी जैसे अपना गुलाम समझ रखा था, मैं इन छोटे-छोटे मेरे सफाई बंधुओं की बात कर रहा हूं। यह जो लोग सर पर संविधान रखकर के नाचते हैं ना, वो संविधान को कैसे कुचलते थे, वह बाबा साहब की भावनाओं को कैसे दगा देते थे, मैं आज वो सच्चाई आपको बताने जा रहा हूं। आप मैं कहता हूं, सुनकर सन्न रह जाएंगे। मेरे सफाईकर्मी भाई-बहन, जो दिल्ली में काम करते हैं, उनके लिए एक खतरनाक कानून था इस देश में, दिल्ली में, दिल्ली म्युनिसिपल कारपोरेशन एक्ट में एक बात लिखी थी, यदि कोई सफाई मित्र बिना बताए काम पर नहीं आता, तो उसे एक महीने के लिए जेल में डाला जा सकता था। आप बताइए, खुद सोचिए, सफाई कर्मियों को ये लोग क्या समझते थे। क्‍या आप उन्हें जेल में डाल देंगे, वह भी एक छोटी सी गलती के कारण। आज जो सामाजिक न्याय की बड़ी-बड़ी बातें करते हैं, उन्होंने ऐसे कई नियम-कानून देश में बनाए रखे हुए थे। यह मोदी है, जो इस तरह के गलत कानूनों को खोद कर-कर, खोज-खोज करके खत्म कर रहा है। हमारी सरकार ऐसे सैकड़ों कानूनों को समाप्त कर चुकी है और ये अभियान लगातार जारी है।

साथियों,

हमारे लिए रिफॉर्म का मतलब है, सुशासन का विस्तार। इसलिए, हम निरंतर रिफॉर्म पर बल दे रहे हैं। आने वाले समय में, हम अनेक बड़े-बड़े रिफॉर्म्स करने वाले हैं, ताकि जीवन भी और बिजनेस भी, सब कुछ और आसान हो।

साथियों,

इसी कड़ी में अब GST में नेक्स्ट जनरेशन रिफॉर्म होने जा रहा है। इस दिवाली, GST रिफॉर्म से डबल बोनस देशवासियों को मिलने वाला है। हमने इसका पूरा प्रारूप राज्यों को भेज दिया है। मैं आशा करता हूं कि सभी राज्‍य भारत सरकार के इस इनिशिएटिव को सहयोग करेंगे। जल्‍द से जल्‍द इस प्रक्रिया को पूरा करेंगे, ताकि यह दिवाली और ज्यादा शानदार बन सके। हमारा प्रयास GST को और आसान बनाने और टैक्स दरों को रिवाइज करने का है। इसका फायदा हर परिवार को होगा, गरीब और मिडिल क्लास को होगा, छोटे-बड़े हर उद्यमी को होगा, हर व्यापारी-कारोबारी को होगा।

|

साथियों,

भारत की बहुत बड़ी शक्ति हमारी प्राचीन संस्कृति है, हमारी प्राचीन धरोहर है। इस सांस्कृतिक धरोहर का, एक जीवन दर्शन है, जीवंत दर्शन भी है और इसी जीवन दर्शन में हमें चक्रधारी मोहन और चरखाधारी मोहन, दोनों का परिचय होता है। हम समय-समय पर चक्रधारी मोहन से लेकर चरखाधारी मोहन तक दोनों की अनुभूति करते हैं। चक्रधारी मोहन यानी सुदर्शन चक्रधारी भगवान श्रीकृष्ण, जिन्होंने सुदर्शन चक्र के सामर्थ्य की अनुभूति कराई और चरखाधारी मोहन यानी महात्मा, गांधी जिन्होंने चरखा चलाकर देश को स्वदेशी के सामर्थ्य की अनुभूति कराई।

साथियों,

भारत को सशक्त बनाने के लिए हमें चक्रधारी मोहन से प्रेरणा लेकर आगे बढ़ना है और भारत को आत्मनिर्भर बनाने के लिए, हमें चरखाधारी मोहन के रास्ते पर चलना है। हमें वोकल फॉर लोकल को अपना जीवन मंत्र बनाना है।

साथियों,

यह काम हमारे लिए मुश्किल नहीं है। जब भी हमने संकल्प लिया है, तब-तब हमने करके दिखाया है। मैं छोटा सा उदाहरण देता हूं खादी का, खादी विलुप्त होने की कगार पर पहुंच चुकी थी, कोई पूछने वाला नहीं था, आपने जब मुझे सेवा का मौका दिया, मैंने देश को आहवान किया, देश ने संकल्प लिया और इसका नतीजा भी दिखा। एक दशक में खादी की बिक्री करीब-करीब 7 गुना बढ़ गई है। देश के लोगों ने वोकल फॉर लोकल के मंत्र के साथ खादी को अपनाया है। इसी तरह देश ने मेड इन इंडिया फोन पर भी भरोसा जताया। 11 साल पहले हम अपनी जरूरत के ज्यादातर फोन इंपोर्ट करते थे। आज ज्यादातर भारतीय मेड इन इंडिया फोन ही इस्तेमाल करते हैं। आज हम हर साल 30-35 करोड़ मोबाइल फोन बना रहे हैं, 30-35 करोड़, 30-35 करोड़ मोबाइल फोन बना रहे हैं और एक्सपोर्ट भी कर रहे हैं।

|

साथियों,

हमारा मेड इन इंडिया, हमारा UPI, आज दुनिया का सबसे बड़ा रियल टाइम डिजिटल पेमेंट प्लेटफॉर्म बन चुका है, दुनिया का सबसे बड़ा। भारत में बने रेल कोच हों या फिर लोकोमोटिव, इनकी डिमांड अब दुनिया के दूसरे देशों में भी बढ़ रही है।

साथियों,

जब यह रोड इंफ्रास्ट्रक्चर की बात आती है, इंफ्रास्ट्रक्चर की बात आती है, भारत ने एक गति शक्ति प्‍लेटफॉर्म बनाया है, 1600 लेयर, वन थाउजेंड सिक्स हंड्रेड लेयर डेटा के हैं उसमें और किसी भी प्रोजेक्ट को वहां पर कैसी-कैसी परिस्थितियों से गुजरना पड़ेगा, किन नियमों से गुजरना पड़ेगा, वाइल्ड लाइफ है कि जंगल है कि क्या है, नदी है, नाला है क्या है, सारी चीजें मिनटों में हाथ लग जाती हैं और प्रोजेक्ट तेज गति से आगे बढ़ते हैं। आज गति शक्ति की एक अलग यूनिवर्सिटी बनाई गई है और देश की प्रगति के लिए गति शक्ति एक बहुत बड़ा सामर्थ्यवान मार्ग बन चुका है।

साथियों,

एक दशक पहले तक हम खिलौने तक बाहर से इंपोर्ट करते थे। लेकिन हम भारतीयों ने संकल्प लिया वोकल फॉर लोकल का, तो ना सिर्फ बड़ी मात्रा में खिलौने भारत में ही बनने लगे, लेकिन बल्कि आज हम दुनिया के 100 से ज्यादा देशों को खिलौने निर्यात भी करने लगे हैं।

|

साथियों,

इसलिए मैं फिर आप सभी से, सभी देशवासियों से आग्रह करूंगा, भारत में बने सामान पर हम भरोसा करें। भारतीय हैं, तो भारत में बना ही खरीदें, अब त्योहारों का सीजन चल रहा है। अपनों के साथ, अपने लोकल उत्पादों की खुशियां बांटें, आप तय करें, गिफ्ट वही देना है, जो भारत में बना हो, भारतीयों द्वारा बनाया हुआ हो।

साथियों,

मैं आज व्यापारी वर्ग से, दुकानदार बंधुओं से भी एक बात कहना चाहता हूं, होगा कोई समय, विदेश में बना सामान आपने इसलिए बेचा हो, ताकि शायद आपको लगा हो, प्रॉफिट थोड़ा ज्यादा मिल जाता है। अब आपने जो किया सो किया, लेकिन अब आप भी वोकल फॉर लोकल के मंत्र पर मेरा साथ दीजिए। आपके इस एक कदम से देश का तो फायदा होगा, आपके परिवार का, आपके बच्चों का भी फायदा होगा। आपकी बेची हुई हर चीज से, देश के किसी मजदूर का, किसी गरीब का फायदा होगा। आपकी बेची गई हर चीज़ का पैसा, भारत में ही रहेगा, किसी न किसी भारतीय को ही मिलेगा। यानी यह भारतीयों की खरीद शक्ति को ही बढ़ाएगा, अर्थव्यवस्था को मजबूती देगा और इसलिए यह मेरा आग्रह है, आप मेड इन इंडिया सामान को पूरे गर्व के साथ बेचें।

|

साथियों,

दिल्ली, आज एक ऐसी राजधानी बन रही है, जो भारत के अतीत का भविष्य के साथ साक्षात्कार भी कराती है। कुछ दिन पहले ही देश को नया सेंट्रल सेक्रेटरिएट, कर्तव्य भवन मिला है। नई संसद बन चुकी है। कर्तव्य पथ नए रूप में हमारे सामने है। भारत मंडपम और यशोभूमि जैसे आधुनिक कॉन्फ्रेंस सेंटर्स आज दिल्ली की शान बढ़ा रहे हैं। यह दिल्ली को, बिजनेस के लिए, व्यापार-कारोबार के लिए बेहतरीन स्थान बना रहे हैं। मुझे विश्वास है, इन सभी के सामर्थ्य और प्रेरणा से हमारी दिल्ली दुनिया की बेहतरीन राजधानी बनकर उभरेगी। इसी कामना के साथ, एक बार फिर इन विकास कार्यों के लिए आप सबको, दिल्ली को, हरियाणा को, राजस्थान को, उत्तर प्रदेश को, पूरे इस क्षेत्र का विकास होने जा रहा है, मैं बहुत-बहुत शुभकामनाएं देता हूं, बहुत-बहुत बधाई देता हूं। आप सबका बहुत-बहुत धन्यवाद!