Hon'ble CM addresses Garib Kalyan Mela through video conference

Published By : Admin | August 25, 2012 | 11:09 IST

નમસ્તે..!

સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓની હારમાળ ગરીબોની અંદર એક વિશ્વાસ પેદા કર્યો છે કે જો ગરીબીમાંથી બહાર આવવું હશે તો સરકારે જે રસ્તો અપનાવ્યો છે એ જ રસ્તો કારગર નીવડવાનો છે. ભૂતકાળમાં યોજનાઓ કાગળ પર બનતી હતી અને વચેટિયા વગર કોઈ ગરીબ માનવી સુધી ક્યારેય કોઈ લાભ પહોંચતો નહોતો. આ એક એવી સરકાર છે કે જે સામે ચાલીને ગરીબના ઘરે જાય છે અને ગરીબને શોધીને, ગરીબના ઘરે જઈને, એના હકનો લાભ એને આપવા માટેનો પ્રયાસ કરે છે. હમણાં બબ્બે તાલુકાનો એક, એવી રીતે ગરીબ કલ્યાણ મેળા ચાલી રહ્યા છે અને દર અઠવાડિયે ૪૦-૫૦ ગરીબ કલ્યાણ મેળા આપણે કરતા હોઈએ છીએ. અને એક દિવસમાં, આજે જ એક દિવસમાં, ૫૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે રકમની વહેંચણી આ ગરીબ કલ્યાણ મેળામાં થવાની છે. અને આ વખતે પાંચ તબક્કાની અંદર ગરીબ કલ્યાણ મેળા થશે, રાજ્યના બધા જ તાલુકાને આવરી લેવામાં આવશે અને ગયા પચાસ વર્ષમાં કૉંગ્રેસના રાજ્યમાં કામ નથી થયું એટલું મોટું કામ આ પાંચ મેળામાં થઈ જશે..! આપ કલ્પના કરી શકો છો જુદી જુદી બધી જ યોજનાઓને ભેગી કરો તો માત્ર ગરીબોને આવાસ આપવાનાં કામો, સાડા પાંચ લાખ ગરીબ કુટુંબો એટલે લગભગ ૪૦-૫૦ લાખ જનસંખ્યાને રહેવા માટે છાપરું મળી રહે... ઓટલો પણ મળે, રોટલો પણ મળે એ રીતે અમે કામ ઉપાડ્યું છે. આ એક જ ગરીબ કલ્યાણ મેળામાં જુદી જુદી યોજનાઓ અંતર્ગત, પહેલા હપતામાં ૨૧,૦૦૦ રૂપિયા રોકડા આપીને, ફરફરિયાં વહેંચીને નહીં, સર્વે કરીને નહીં, પ્રજાની આંખમાં ધૂળ નાખીને નહીં, ગરીબ માનવીને ૨૧,૦૦૦ રૂપિયાનો ચેક સીધો આપીને આ પાંચ જ ગરીબ કલ્યાણ મેળામાં લગભગ સવા ચાર લાખ ગરીબ પરિવારોને ૨૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે મકાનો બાંધવાનું અભિયાન અમે ઊપાડી રહ્યા છીએ. અને એનો પહેલો હપતો ચૂકવી રહ્યા છીએ. અને કોઈ એમ માને કે આ કાર્યક્રમ અમે ચૂંટણીના કારણે કરીએ છીએ. ના, ૨૦૦૧ માં આપે મને કામ સોંપ્યું. ૨૦૦૧ માં આખી સરકારનું બજેટ પાંચ હજાર કરોડથી વધારે નહોતું, આખી સરકાર..! જ્યારે આ સરકાર આ પાંચ જ અઠવાડિયામાં ૨૦૦૦ કરોડ રૂપિયા ગરીબોના ઘર માટે ખર્ચી નાખવાની છે. કારણ, જો ગરીબોને ઘર મળશે તો એનું જીવન બદલાશે. કોઈએ કલ્પના કરી હતી કે નટ, વાદી, બજાણિયા જે બિચારા એક ગામથી બીજા ગામ ફરતા રહેતા હતા, સાપ-નોળિયાની રમત રમાડતા હતા, જાદુના ખેલ કરતા હતા એમની ક્યાંય વસાહત નહોતી. આ રાજ્યની અંદર ડઝન કરતાં વધારે જગ્યાએ આ નટ, બજાણિયા, વાદી એવા સમાજની વસાહતો ઊભી કરી, એમના છોકરાંઓને ભણવા માટે શિક્ષણની વ્યવસ્થા કરી, અને જે છોકરાંઓ ગઈકાલ સુધી સાપ અને નોળિયા રમાડતા હતા એને આજે કોમ્પ્યૂટરના માઉસ પર રમતા કરી દીધા છે. અમારે જીવન ધોરણ બદલવાનું છે. અને ભાઈઓ-બહેનો, ૨૦૦૧ થી અત્યાર સુધીમાં આ સરકારે સોળ લાખ કરતાં વધારે મકાનોના કામ પૂર્ણ કરી દીધાં છે. સોળ લાખ ગરીબ પરિવારોને મકાન પહોંચાડવાનું કામ સમગ્ર હિંદુસ્તાનમાં કોઈપણ સરકારે દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી કર્યું નથી. કારણ, અમારે ગરીબોની જીંદગી બદલવી છે, ગરીબોના છોકરાંઓને રોજગાર મળે એના માટેની ચિંતા કરવી છે.

ભાઈઓ-બહેનો, આ ગરીબ કલ્યાણ મેળા, એ સાચા અર્થમાં ગરીબી સામે લડાઈ લડવા માટેનું એક સારામાં સારું ઓજાર અમે શોધી કાઢ્યું છે અને એના જ કારણે સત્તા ભૂખ્યા લોકો, સત્તા માટે વલખાં મારનારા લોકો, ગરીબોને ગરીબ રાખીને એમનું શોષણ કરવા ટેવાયેલા લોકો અપપ્રચાર, જૂઠાણાં, રોજ નવા ખેલ પાડવાના કામો કરી રહ્યા છે. પણ મને ભરોસો છે કે જેમને પોતાના સંતાનોની ચિંતા છે, જેમને આવતીકાલની ચિંતા છે, એ લોકો આ ગરીબ કલ્યાણ મેળાનો લાભ લઈને ગરીબી સામે મક્કમતાપૂર્વક લડવાની તૈયારી સાથે અમારી જોડે ખભાથી ખભો મિલાવીને કામ કરશે. અને મારા ગરીબ ભાઈઓ-બહેનો, હું આપને વિશ્વાસ આપું છું કે અમે તમારો હાથ પકડ્યો છે, અમે તમારો સાથ ક્યારેય છોડવાના નથી, આ ગરીબીમાંથી તમને બહાર કાઢીને જ રહીશું..!

હમણાં મેં ગુટકા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. ગરીબ પરિવારની બહેનો એટલી ખુશ છે, અનેક બહેનોના આશીર્વાદ મને મળી રહ્યા છે કે તમે અમારા છોકરાઓની જીંદગી બચાવી લીધી. નહીંતો ગુટકા ખાય અને ઘરમાં કેન્સરની બિમારી આવે, દવા કરાવવામાં જ ઘર આખું તારાજ થઈ જાય અને પછી છોકરોય ગુમાવવાનો વારો આવે. કમનસીબે નાની નાની દીકરીઓને પણ ગુટકા ખાવાની ટેવ પડી ગઈ હતી. આપણે હવે પ્રતિબંધ લાવવાનું નક્કી કર્યું અને મારે આનંદ સાથે કહેવું છે કે બહેનોએ એને વધાવી લીધું છે. આગામી પાંચમી સપ્ટેમ્બર, ડૉ.રાધાકૃષ્ણનજીનો જન્મ દિવસ છે, શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે. અને અગિયારમી સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રિય ભાઈચારાના દિવસ તરીકે ઓળખાય છે, સ્વામી વિવેકાનંદે શિકાગોમાં એ દિવસે ભાષણ કર્યું હતું અને આખી દુનિયાને પોતાના પ્રેમની અંદર બાંધી દીધી હતી. એ પાંચ સપ્ટેમ્બરથી અગિયાર સપ્ટેમ્બર, આખા ગુજરાતમાં ગુટકા મુક્તિ અભિયાન આપણે ઉપાડવાનાં છીએ. મારી માતાઓ અને બહેનો, ખાસ કરીને મારી ગરીબ માતાઓ અને બહેનો, વ્યસન સામેની આ લડાઈ છે એમાં મને સાથ આપો. આપણા ઘરમાંથી, ગામમાંથી ગુટકાને વિદાય આપીએ, કેન્સરને આવતું જ રોકી લઈએ, ગંભીર માંદગીને આવતી રોકી લઈએ. એક-એક એવાં પગલાં લેવાં છે કે જેના કારણે સુખી અને સમૃદ્ધ થવાને આડે આવતા બધા જ પરિબળોને આપણે હટાવી દઈએ.

ભાઈઓ-બહેનો, આ સરકાર નોધારાનો આધાર છે, આ સરકાર ગરીબોની બેલી છે, અને એના જ કારણે ગરીબીમાંથી બહાર લાવવા માટેની આપણી મથામણને સફળતા મળી છે. જન્મથી મરણ સુધી ડગલે ને પગલે આ સરકાર ગરીબોના પડખે રહેતી હોય છે. ભાઈઓ-બહેનો, ગરીબ મા, એના પેટમાં બાળક હોય, સુવાવડ આવવાની હોય તો એની ચિંતા સરકાર કરે છે, એને કુપોષણ ન હોય, એને સુખડી આપવાની હોય, અનાજ આપવાનું હોય, એના પેટની અંદર બાળક હોય ત્યારે એના શરીરની અંદર કોઈ ઊણપ ન રહે, જેથી કરીને ગર્ભનું બાળક તંદુરસ્ત જન્મે એના માટે ખર્ચો સરકાર કરે છે. બાળકના જન્મ પહેલાં પણ માતાની કાળજી લેવાનું કામ આ સરકાર કરે છે. પછી આગળ પ્રસૂતિની વેળા, માતાઓ પ્રસૂતિની અંદર મરતી હતી. કાં બાળક મરે, કાં મા મરે..! અને ખાલી મા મરે કે બાળક મરે એવું નહીં, પેલા જવાનિયાનું તો જીવન રોળાઈ જાય. એ બાવીસ-પચીસ વર્ષની ઉંમરમાં કેટલા બધાં સપના સાથે લગ્ન કર્યાં હોય અને પહેલી જ સુવાવડમાં પત્ની જતી રહે ત્યારે કુટુંબ પર કેવું મોટું આભ ફાટી પડે. ભાઈઓ-બહેનો, આ સરકારે ચિરંજીવી યોજના કરી. ચિરંજીવી યોજના કરીને ગરીબ માતાઓની સુવાવડ, એનો ખર્ચો સરકાર આપે, સારામાં સારા ડૉક્ટરો પાસે જાય એનું બિલ સરકાર ચૂકવે, ત્રણ દિવસ હોસ્પિટલમાં રહે તો એને પૈસા આપવાનું કામ સરકાર કરે. આ બધી ચિંતા સરકારે કરી. એટલું જ નહીં, બાળક જન્મ્યા પછી ઘેર જાય, તો એની સારવાર કરવા માટે ડૉક્ટરો આવે તો ‘બાલ સહાય યોજના’ કરી. ગરીબનું બાળક પણ મરવું ન જોઈએ એની ચિંતા કરી. ભાઈઓ-બહેનો, એક જમાનો હતો કે સુવાવડી મા હોય એને સુવાવડની પીડા ઊપડી હોય, દવાખાને દોડવું પડે એવી સ્થિતિ આવી હોય, જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી હોય, કોઈ રિક્ષાવાળોય લઈ ન જાય, પહેલા પૂછે, પૈસા છે..? ગરીબ પાસે પૈસા ના હોય, સરકારની એમ્બ્યુલન્સ આવે નહીં. અરે, બધા ગામવાળાની નજર સામે ગરીબ મા તરફડિયાં ખાઈને મરતી હોય. આજે ૧૦૮ લગાવી નથી કે દોડતી ગાડી આવી નથી. અને ગરીબમાં ગરીબ હોય, ક્યારેય કાણી પાઈ લેતી નથી અને એને દવાખાને લઈ જઈને એની સુવાવડ થાય એની ચિંતા કરે છે અને જો રસ્તામાં સુવાવડ થઈ જાય તો પણ મા અને બાળક બચી જાય એટલી વ્યવસ્થા ગાડીમાં જ રાખી દીધી છે. મારે મારી ગરીબ માને મરવા નથી દેવી, મારે ગરીબના બાળકને મરવા નથી દેવું. એટલું જ નહીં, સુવાવડ પછી પણ એને પૂરતો આહાર મળી રહે, બાળકને આહાર મળી રહે, ધાત્રી માતા હોય, પોતાના સંતાનને દૂધ પિવડાવી શકે એના માટે એના શરીરમાં જે પોષણ જોઇએ એના માટેનો સરકાર ખર્ચો કરે છે અને અરબો રૂપિયા માત્ર આ પ્રસૂતા માતાઓને, નવી બનેલી માને, નવા સંતાનને આહાર માટે કરે છે. એટલું જ નહીં, બાળક નિશાળમાં જાય તો ‘બાલભોગ યોજના’ કરે, બાળક નિશાળે જાય તો ‘દૂધ સંજીવની’ યોજના કરે, આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાઓને જેને બિચારાને ક્યારેય દૂધ પીવા નહોતું મળ્યું, આ સરકાર દૂધ સંજીવની યોજના દ્વારા એને દૂધ પહોંચાડે છે, આશ્રમ શાળાનાં બાળકોને પહોંચાડે છે અને આજે લાખો બાળકો એનો લાભ લઈ રહ્યાં છે.

ભાઈઓ-બહેનો, પોષણની ચિંતા કરીએ, નિશાળમાં દાખલ કરવા માટે ‘કન્યા કેળવણી’ નું આપણે અભિયાન ઉપાડ્યું. ગરીબનું બાળક ભણે, સો એ સો ટકા દીકરીઓ ભણતી કરવા માટેનું અભિયાન ઉપાડ્યું, કોના માટે..? ગરીબ કન્યાઓ માટે. એમના માટે બૉન્ડ કાઢ્યા, વિદ્યાલક્ષ્મી બૉન્ડ, ગરીબની દીકરી શાળામાં દાખલ થાય એ જ દિવસે એને બે હજાર રૂપિયાનો બૉન્ડ મળી જાય અને જ્યારે સાતમા સુધી ભણીને નીકળે ત્યારે એના હાથમાં કેશ આવી જાય..! અરે, તમે બધા નાના હશો ત્યારે બે હજાર રૂપિયા કોને કહેવાય એ જોયા નહીં હોય, આ સરકાર તમારું બાળક નિશાળમાં પહેલે દહાડે મૂકો એટલે બે હજાર રૂપિયાનો બૉન્ડ આપી દે છે. અને અત્યાર સુધીમાં ૫૦,૦૦૦ દીકરીઓને ૨૦ કરોડ રૂપિયા કરતાં વધારે રૂપિયાના બૉન્ડ તો આપી દીધા, નાનાં નાનાં ટાબરિયાંઓને, કેમ..? આ સરકાર ડગલે ને પગલે ગરીબોના પડખે રહેવા માંગે છે એના ભાગરૂપે આપે છે. શાળાની અંદર ભણવા જાય, મધ્યાહન ભોજન મફતમાં મળે. શાળામાં ભણવા જાય, યુનિફોર્મ મફતમાં મળે. શાળામાં ભણવા જાય, પુસ્તકો મફતમાં મળે... કોઈ જાતની કમી ન રહે, ગરીબના બાળકની પડખે આ સરકાર ડગલે ને પગલે ઊભી રહે. એટલું જ નહીં, અનુસૂચિત જાતિ, જનજાતિ, ઓ.બી.સી. આમની શિષ્યવૃત્તિ પણ આપણે ડબલ કરી નાખી અને આજે કરોડો રૂપિયા, લગભગ ૨૫૦-૨૭૫ કરોડ રૂપિયા અનુસૂચિત જનજાતિનાં બાળકોને શિષ્યવૃત્તિ માટે આપણે આપતા હોઈએ છીએ. એ જ રીતે, અનુસૂચિત જાતિનાં બાળકોને, ઓ.બી.સી. નાં બાળકોને આપણે શિષ્યવૃત્તિ માટેના પૈસા આપતા હોઈએ છીએ, જેથી કરીને એ ભણી શકે અને એના માટેનું કામ થાય છે. વિકસતી જાતિના લોકો હોય એમને, લગભગ ૨૭૦ લાખ વિદ્યાર્થીઓને ૨૭૫ કરોડ રૂપિયા જેવી માતબર રકમ ઓ.બી.સી.નાં બાળકોને આપી છે. અનુસૂચિત જાતિનાં લગભગ ૨૧ લાખ બાળકોને ૩૦ કરોડ રૂપિયા કરતાં વધારે રકમ આપી છે. બાળકોને ગણવેશ આપીએ, બે જોડી ગણવેશની ત્રણસો રૂપિયાની સહાય આપીએ. અનુસૂચિત જાતિના લગભગ એક કરોડ જેટલા વિદ્યાર્થીઓને આ રકમ આપણે પહોંચાડતા હોઈએ છીએ અને એમના શિક્ષણ માટેની ચિંતા કરતા હોઈએ છીએ. અનુસૂચિત જનજાતિ હોય, અનુસૂચિત જાતિ હોય, ઓ.બી.સી. હોય, અરબો- ખરબો રૂપિયા એમના યુનિફોર્મ પાછળ ખર્ચીએ છીએ. કારણ, એ બાળક ભણી ગણીને આગળ આવે એના માટેની ચિંતા કરતા હોઈએ છીએ.

ભાઈઓ-બહેનો, બાળકને મધ્યાહન ભોજન મળે. બાળક ભણીને આગળ નીકળે તો એને કૉલેજ જવું હોય તો એનો ખર્ચો સરકાર આપે છે, સારામાં સારી કૉલેજમાં રહેવા માટે હોસ્ટેલ આપે છે. હમણાં તો ગામડાઓમાં જે શિક્ષણ વધ્યું છે એના કારણે શહેરોની સારી કૉલેજો તરફ આવરો વધ્યો છે, મોટી સંખ્યામાં આવે છે. આ વખતે લગભગ ૩૦,૦૦૦ બાળકોને રહેવા માટે હોસ્ટેલો બનાવવાનું નક્કી કર્યું છે. આ બધાં કોણ બાળકો..? ગરીબનાં બાળકો છે. હોસ્ટેલમાં કન્સેશન રેટથી ભણી શકે અને મોટા શહેરોમાં સારામાં સારી કૉલેજોમાં એને રહેવા માટેની વ્યવસ્થા મળે એના માટેનું અભિયાન ઉપાડ્યું છે. ૨૦૦ કરોડ રૂપિયાના માતબર ખર્ચે ૩૦,૦૦૦ બાળકો રહી શકે એવી હોસ્ટેલોનું નિર્માણ કરવાનું કામ આપણે આજે ઉપાડ્યું છે. આનો લાભ ગામડાંના ગરીબ બાળકોને મળવાનો છે જેથી કરીને એમનાં બાળકોને એ લોકો ભણાવી શકે. એટલું જ નહીં, બાળક ભણીગણીને આગળ નીકળે અને એને વિદેશ જવું હોય તો સહાય સરકાર આપે છે. વિદેશ જવા માટે લાખો કરોડો રૂપિયાની સહાય આ સરકાર કરે છે. લગભગ ૨૫૦-૨૭૫ વિદ્યાર્થીઓ ચાહે આદિવાસીના હોય, ચાહે દલિત સમાજના હોય, ચાહે બક્ષી પંચના હોય, આજે સરકારી યોજનાથી વિદેશમાં ભણે છે. વિદેશમાં ભણીગણીને આવશે... એક આંબેડકરજી વિદેશ ગયા, હિંદુસ્તાનની શકલ-સુરત બદલી શક્યા. આ મારા દલિત પરિવારના દીકરાઓ અને દીકરીઓ આજે વિદેશ જશે તો કેટલા બધા આંબેડકરો તૈયાર થશે અને આખા સમાજની કેવી ચેતના બદલી શકશે એનું વાતાવરણ આનાથી પેદા થવાનું છે, એના માટે આ સરકાર પ્રોત્સાહન આપે છે. આપણને પાઇલોટ થવાનું મન થાય, નાના હોઈએ ત્યારે કોઈ પૂછે કે શું થવું છે? તો કહે કે પાઇલોટ થવું છે. આ મારા આદિવાસી બાળકને કે દલિત બાળકને ક્યાંથી નસીબમાં હોય..? આ સરકારે પાઇલોટ બનાવવા માટે યોજના બનાવી અને સો કરતાં વધારે બાળકો વિદેશમાં પાઇલોટનો અભ્યાસ કરવા ગયા. દીકરા-દીકરીઓ પાઇલોટ બને છે, આદિવાસી સમાજમાંથી, દલિત સમાજમાંથી..! આખા જીવનનાં ધોરણો બદલી નંખાય એવાં કામ આપણે ઉપાડ્યાં છે. મારું ગરીબ બાળક ભણે એના માટે કર્યું છે. કેટલાંક બાળકો ન ભણ્યાં, તો આપણે હમણાં ‘એમ્પાવર’ સ્કીમ બનાવી છે. પાંચમું ધોરણ ભણીને ઊઠી ગયા હોય એના માટે આઈ.ટી.આઈ.ચાલુ કરી છે. સ્કિલ ડેવલપમૅન્ટના કાર્યક્રમો ચાલુ કર્યા છે. એને ભગવાને બે હાથ આપ્યા છે, હૈયું આપ્યું છે તો એને અવસર મળવો જોઇએ, એને રોજગાર મળવો જોઇએ એના માટેનું કામ આપણે ઉપાડ્યું છે. દીકરી ન ભણી હોય અને એને આગળ કુટુંબની અંદર સ્વમાનભેર જીવવાનું થાય એના માટે એને જુદા જુદા તાલીમ વર્ગો અપાવીએ છીએ. એને રસોઈનું શિખવાડીએ, એને સીવણનું શિખવાડીએ, એને એમ્બ્રૉઇડરીનું શિખવાડીએ, એને અનેક નાના-મોટાં કામો શિખવાડીએ છીએ. આના કારણે દીકરીઓ પણ સ્વમાનભેર જીવતી થાય એના માટેનું કામ ઉપાડ્યું છે. જીવનના પ્રત્યેક ડગલે આ સરકાર ગરીબોની સાથે રહે છે. વકીલાતનું ભણ્યો હોય, ડૉક્ટરનું ભણ્યો હોય, એ બિચારા ડૉક્ટરી કે વકીલાત ચલાવવાના રૂપિયા ક્યાંથી લાવે? આ સરકાર એને ડૉક્ટરી કે વકીલાતનું ભણવું હોય તો અને ભણ્યા પછી પોતાનો વ્યવસાય ચાલુ કરવા માટે રૂપિયા આપે છે, જેથી કરીને એ પગભેર થાય, ગામડાંમાં દવાખાનું શરૂ કરી શકે, ગામડાંમાં વકીલાત શરૂ કરી શકે અને જ્યાં સુધી રોજીરોટી કમાતો થાય ત્યાં સુધી સરકાર એને મદદ કરે છે, એને પગભેર કરવા માટેનું કામ કરે છે.

કોઇએ પણ આવો વિચાર કર્યો છે, ભાઈઓ..? સહેજ મોટો થાય, વૃદ્ધાવસ્થા આવે તો વૃદ્ધાવસ્થાની અંદર એને પેન્શન આપવાનું કામ સરકાર કરે. કોઈના પર એને ઓશિયાળું ન રહેવું પડે, કોઈના ભરોસે એણે જીવવું ન પડે, આની ચિંતા સરકાર કરતી હોય છે અને એટલું જ નહીં, કોઈ ગરીબ પરિવારનો માનવી, જો એને કોઈ વારસદાર ન હોય, અગ્નિસંસ્કાર કરનારું કોઈ ન હોય તો એની ચિંતા કરવાનું કામ પણ સરકાર કરે છે.

બી.પી.એલ.માં એને સસ્તા ઘઉં, ચોખા, દાળ, ખાંડ, કેરોસીન મળે એની ચિંતા સરકાર કરે છે. એની દીકરી ભણવા જાય તો એને સાઈકલ મળે એની ચિંતા સરકાર કરે છે. જીવનનું કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં ડગલે ને પગલે આ સરકાર આપની પડખે ના હોય. આપની દીકરીને બહાર ભણવા જવું હોય તો બસભાડું મફત, કેમ..? મારે દીકરીઓને ભણાવવી છે, ગરીબ પરિવારની દીકરીઓને ભણાવવી છે. એટલું જ નહીં, દીકરીના હાથ પીળા કરવાના આવ્યા હોય, પૈસા હોય નહીં તો સમૂહ લગ્ન કરાવે, ખર્ચો સરકાર આપે છે. ગરીબ પરિવારની દીકરી એને મામેરું ભરવાનું હોય, પૈસા ન હોય, સરકાર એનું મામેરું ભરી આપે છે. આપે વિચાર કર્યો છે કે કોઈ એવી યોજના છે કે જેની અંદર કોઈ ગરીબ બાળકને ક્યારેય ઓશિયાળું રહેવું પડે..? નહીં રહેવા દઉં. મારા ગરીબ પરિવારના લોકોને ડગલે ને પગલે મદદ કરવી છે, પણ એનાથી વધારે મોટું મારે કામ કરવું છે. આ ટેકણ લાકડીઓથી મારે એમને જીવવા માટે મજબૂર નથી કરવા. ટુકડાઓ ફેંકી ફેંકીને ભૂતકાળની સરકારોએ એમનું શોષણ કર્યું છે એ મારે નથી કરવા દેવું. હું આપનો રક્ષક છું, આપની સાથે ઊભો છું અને આપની પડખે ઊભા રહીને આવા કોઈપણ તત્વો આપના લૂંટારા બનીને આવતા હશે તો એનાથી તમને રોકવા માટેનું મારું કામ છે. ભાઈઓ-બહેનો, સમાજ શક્તિશાળી બને, ગરીબી સામે લડવાની તાકાતવાળો બને. સાચા અર્થમાં સરકારની જે મદદ મળે છે, એ મદદમાંથી આપણી કુટુંબની ભાવિ પેઢી તૈયાર થાય. આ મકાન આપને મળે છે, એ મકાનનો હેતુ એ છે કે આપના બાળકોની જીંદગી સુધારવા માટે એક જગ્યા ઊભી થાય. આ વખતે તો કાચાં ઘરને પણ પાકાં ઘરમાં પરિવર્તિત કરવાનો હિંમતભર્યો નિર્ણય કર્યો છે. એમાં હજારો કરોડો રૂપિયાનો બોજ આવવાનો છે, એ બોજને પણ આપણે ઊઠાવવા માટે તૈયાર છીએ. જો ગરીબોનું કલ્યાણ થશે... અને ગુજરાતનો વિકાસ જે રીતે થયો છે એના કારણે આ શક્ય બન્યું છે. નહીં તો આપણા ત્યાં પહેલાં પગાર ચૂકવવા માટે બજેટ વપરાતાં હતાં. આ બધી સરકારો આવીને ગઈ, એમની પાસે કુલ રૂપિયા હોય એ બધા સાહેબોના પગારમાં જ જતા હતા. પહેલીવાર સરકારની તિજોરીના પૈસા ગરીબના ઘરે જઈ રહ્યા છે. પહેલીવાર સરકારની તિજોરીમાંથી ગરીબને એના હકનું મળે છે. પહેલીવાર વિધવાબહેનની ચિંતા સરકાર કરે છે. વિધવા પેન્શન મળે, આંગણવાડીની વ્યવસ્થાઓ થાય, વિધવાઓને શિક્ષણ મળે... કોઈ વર્ગ એવો નથી, ગરીબ સમાજનો કોઈ વર્ગ એવો નથી કે જેના કલ્યાણ માટે કોઈ આપણે યોજના ન કરતા હોઈએ, અને એના સુખની ચિંતા ન કરતા હોઈએ. અરે, સરકારનું અડધા કરતાં વધારે બજેટ માત્રને માત્ર ગરીબોના કલ્યાણની જુદી જુદી યોજનાઓ માટે વપરાય છે. ગામડાઓનું ભલું કર્યું હોય તો ગરીબોનું ભલું કરવા માટે કર્યું છે.

હમણાં દુષ્કાળના દિવસો આવ્યા છે. ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે આપણા ઉપર કુદરત રૂઠી છે, હજુ પણ વરસાદનો અવસર છે અને આપણા ઢોર ઢાંખરને બચાવે, આપણા ખેડૂતોને બચાવે, આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ. પરંતુ સરકાર એકપણ ઢોરને મરવા દેવા નથી માંગતી. સરકાર કોઈપણ ગરીબને દુ:ખી રહેવા દેવા નથી માગતી. ‘નરેગા’ નું કામ મોટા પાયા પર ચલાવ્યું છે, કોઈને પણ રોજગાર જોઇતો હશે તો રોજગાર ન મળે એવો દિવસ નહીં ઊગવા દઉં. અને આપણે ચેકડેમને ઊંડા કરવા છે, ખેત તલાવડીઓ ઊંડી કરવી છે, તળાવો ઊંડા કરવાં છે, અને મારે તો લોકોને કહેવું છે તમારે માટી ખોદીને ખેતરોમાં લઈ જવી હોય તો લઈ જ જાવ. દુષ્કાળ આવ્યો છે એને પણ અવસરમાં પલટી નાખવો છે. આપણાં બધાં પાણીનાં સંગ્રહાલયો જેટલાં છે, આ બધાંને ફરી એકવાર જીવતાં-જાગતા કરી દેવાં છે. એટલું જ નહીં, આપણી જે કેનાલો છે, ગરીબ પરિવારના લોકો કેનાલની બાજુમાં જો ઘાસ ઉગાડવા માટે તૈયાર થાય, તો એ જમીનો એમને ઘાસ ઉગાડવા માટે આપવી. અને એ ઘાસ સરકાર ખરીદશે. ગરીબને પૈસા પણ મળશે, પશુઓને ઘાસચારો પણ મળશે. એના માટેનું કામ આપણે ઊપાડ્યું છે. અરે, ગરીબોના કલ્યાણને માટે, આફતને પણ અવસરમાં પલટીને ગરીબોની ભલાઈ માટે કરી શકાય એ આપણે કામ કર્યું છે. ઢોરવાડા ચલાવશે તો એની રકમમાં પણ વધારો કરી દીધો છે. જેથી કરીને ઢોરને તકલીફ ન પડે અને ઢોરવાડા ચલાવાવાળી સંસ્થાઓને પણ તકલીફ ન પડે, જીવદયાનું મોટું કામ થાય એના માટે મેં મથામણ ઊપાડી છે. ભાઈઓ-બહેનો, એ વાત સાચી છે કે ગયો આખો દસકો આપણે અછત જોઈ નથી, તકલીફ જોઈ નથી. પહેલીવાર કુદરતે કસોટી કરી છે એટલે તકલીફ થાય એ બહુ સ્વાભાવિક છે. કારણકે આપણી ટેવ જતી રહી હતી, નહીંતો પહેલાં તો આપણે દસ વર્ષમાં સાત વર્ષ તો પાણી વગર કાઢતા હતા. અઠવાડિયામાં એકવાર પાણી આવે એવા દિવસો આપણે જોયા છે. પણ હવે સારા દિવસો આવ્યા છે ત્યારે સહેજ પણ તકલીફ થાય તો આપણને તકલીફ વધારે અનુભવાય એ હું જાણું છું અને હું આપની તકલીફને સમજું છું. આ સરકાર પલાંઠી વાળીને બેસવાની નથી, આખું વહીવટીતંત્ર દોડવાનું છે, દુષ્કાળની અંદર બધાની મદદ કરવા માટે દોડવાનું છે, પશુઓના કલ્યાણને માટે દોડવાનું છે. ગરીબ કલ્યાણ મેળા દ્વારા ગરીબી સામેની લડાઈને આપણે જરાય ઓછી ઊતરવા નથી દેવી, પાછી પડવા નથી દેવી એજ મક્કમતા અને નિર્ધાર સાથે આપણે આગળ વધતા રહેવું છે.

ભાઈઓ-બહેનો, અનેકવિધ કામો છે જેનો લાભ ચાલી રહ્યો છે. હમણાં વણથંભી વિકાસયાત્રાઓ ચાલી રહી છે. આપ વિચાર કરો, વણથંભી વિકાસયાત્રા, કેવો અદભુત કાર્યક્રમ ચાલી રહ્યો છે. હજારો કરોડ રૂપિયાના વિકાસનાં કામો, એનું લોકાર્પણ ચાલી રહ્યું છે. એની સાથે સાથે ગરીબ પરિવારનાં બાળકોએ જે એમ્પાવર દ્વારા કોમ્પ્યૂટર શીખવાનું કામ શરૂ કર્યું, હજારોની સંખ્યામાં આવાં બાળકો તૈયાર થયાં છે, એમને સર્ટિફિકેટ આપવાનું કામ ચાલે છે. એનાથી વધારે એક કામ ચાલ્યું છે એનો મને આનંદ છે. એ કામ ચાલી રહ્યું છે ગુજરાતની પંચાયતી રાજ્ય વ્યવસ્થામાં સ્વર્ણિમ જંયતી આપણે ઊજવી રહ્યા છીએ. અને સ્વર્ણિમ જંયતી ઊજવવાનો પણ આપણો રસ્તો કયો છે? ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ એ રસ્તે આપણે કરી રહ્યા છીએ. અને ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ એ રસ્તો શા માટે? તમે વિચાર કરો કે ચાલીસ વર્ષ સુધી કૉંગ્રેસનું એકચક્રી અહીંયાં રાજ રહ્યું છે. પંચાયતો હોય કે ગમે તે, આ બધે જ કૉંગ્રેસના જ લોકો ચૂંટાતા હતા, બીજી કોઈ પાર્ટીનો નંબર જ નહોતો લાગતો. અમે તો હતા જ નહીં, અમારી તો પાર્ટીનો જન્મ પણ નહોતો થયો. અમે નક્કી કર્યું કે ભૂતકાળમાં જેમણે જેમણે પંચાયતની સેવા કરી છે, કોઈ તાલુકા પંચાયતમાં બેઠા હશે, કોઈ જિલ્લા પંચાયતમાં બેઠા હશે, કોઈ સરપંચમાં બેઠા હશે. અને આજે જે ગુજરાત છે એમાં એમનું પણ કોઈને કોઈ યોગદાન છે જ, એ યોગદાનને આપણે અનુમોદન આપવું જોઇએ, એ યોગદાનની જાહેર સ્વીકૃતિ કરવી જોઇએ અને એમાંથી એક પવિત્ર વિચાર આવ્યો કે આ બધા જ વડીલોનું સન્માન કરીએ. રાજ્ય સરકારે આ બધાનું સન્માન કર્યું, એવી હિંદુસ્તાનમાં પહેલીવાર ઘટના બની છે કે કોઈ ભૂતપૂર્વ સરપંચનું સન્માન થતું હોય, કોઈ ભૂતપૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખનું સન્માન થતું હોય, કોઈ ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખનું સન્માન થતું હોય, અને અમારા કાર્યકર્તાઓ મને કહે છે, અમારા બધા મંત્રીઓ કહે કે છે કે નેવું નેવું વર્ષની ઉંમરના વડીલો આવે છે કે જેમણે કોઈવાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં સેવા બજાવી હોય અને વીસ વર્ષ, પચીસ વર્ષ, ત્રીસ વર્ષે કોઈએ એમને યાદ કર્યા હોય, એમની આંખમાં પાણી આવી જાય છે. ભાઈઓ-બહેનો, સમાજ માટે જે લોકો જીવ્યા છે, એના પક્ષો ગમે તે હોય, ગમે તે પાર્ટીના હોય પણ સમાજ માટે કામ કર્યું હોય એવા સૌના માટે આદર હોવો જોઇએ એવી ઉચ્ચ ભાવનાથી અમે આ કામ કરી રહ્યા છીએ. અને એટલા જ માટે એક લાખ કરતાં વધારે આવા જનપ્રતિનિધિઓનું સન્માન કરવાનું ગૌરવ અમને પ્રાપ્ત થયું છે. એમનો પક્ષ ગમે તે હશે પણ અમારે મન એક સરકાર તરીકે આ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ એ મંત્ર લઈને ચાલી રહ્યા છીએ ત્યારે એમનું સન્માન કરવાનું અમારે માટે ગૌરવની બાબત છે અને અમારા મંત્રીઓ ત્યાં જાતે જઈને શાલ ઓઢાડીને, પ્રમાણપત્ર આપીને આ બધા જ વડીલોનું સન્માન કરે છે. મને અમારા મંત્રીઓએ થોડીક જગ્યાનાં આવા બધાનાં ભાષણો મોકલ્યાં. આ વડીલોના જે ઉદગારો છે, આશીર્વાદ જેવા ઉદગારો છે. આવા ઉદગારો એ પણ મારા માટે એક મોટી મૂડી છે. એ વડીલોના આશીર્વાદ પણ આવનારા દિવસોમાં અમારી શક્તિમાં ઉમેરો કરશે એવો મને પૂરો વિશ્વાસ છે.

પક્ષાપક્ષીથી પર રહીને માત્ર અને માત્ર ગુજરાતનું કલ્યાણ, માત્ર અને માત્ર ગુજરાતનો વિકાસ, ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ આ મંત્ર લઈને આપણે બધા ચાલીએ, અને આપણા ગુજરાતને ગુટકા મુક્ત બનાવીએ. કેન્સરની બિમારી આપણા ઘરમાં આવતી રોકીએ, આપણા કુટુંબમાં આવતી રોકીએ, આપણા ગામમાં આવતી રોકીએ, અને એના માટેનું એક સામાજિક કામ આપણે લીધું છે. ૫ સપ્ટેમ્બરથી ૧૧ સપ્ટેમ્બર, ગામોગામ ગુટકાની વિદાયનું અભિયાન ચાલશે. આ ગુટકા વિદાય અભિયાન ચાલશે તો ૧૧ સપ્ટેમ્બરે જ્યારે કાયદો અમલમાં આવશે ત્યારે ક્યાંય કોઈને તકલીફ નહીં પડે અને સહજ રીતે કાયદો લાગુ થઈ જશે અને અનેક નવજુવાનિયાઓની જીંદગી બચી જશે. ગરીબ પરિવારોનું ભલું પણ વ્યસનથી મુક્તિમાં જ છે, ગરીબ પરિવારોનું ભલું પણ શિક્ષણથી છે, ગરીબ પરિવારનું કલ્યાણ પણ એને રોજીરોટી કમાવા માટેનો અવસર મળે એમાં છે, ગરીબ પરિવારોનું ભલું પણ એને રહેવા માટે ઘર મળે એમાં છે. એને ઓટલો પણ મળે, એને રોટલો પણ મળે, એના જવાનિયાને અવસર પણ મળે, એમની બહેન-દીકરીઓને ઇજ્જત પણ મળે એવા ભાવથી આ સરકાર કામ કરી રહી છે. આટલી મોટી સંખ્યામાં આ ગરીબ કલ્યાણ મેળામાં મારી બહેનો પણ આવી છે. મને વિશ્વાસ છે કે આ બહેનોનો મને જે સાથ સહકાર છે ને એના કારણે ગુટકા પણ જશે, ગરીબી પણ જશે. આ કામને આપણે સાથ સહકાર આપીએ, ફરી એકવાર આ ગરીબ કલ્યાણ મેળાની અંદર આપ સૌને અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું અને મને વિશ્વાસ છે કે ગરીબી સામેની લડાઈમાં આવાસ યોજનાનું જે અમે અભિયાન ઊપાડ્યું છે, ખૂબ સરસ મકાન બનાવીએ, ખૂબ સુખેથી રહીએ અને આવનારી પેઢી માટે અવસર પેદા કરીએ એ જ આપ સૌની પાસે અપેક્ષા છે.

જય જય ગરવી ગુજરાત...!! જય જય ગરવી ગુજરાત...!!

Explore More
आज सम्पूर्ण भारत, सम्पूर्ण विश्व राममय है: अयोध्या में ध्वजारोहण उत्सव में पीएम मोदी

लोकप्रिय भाषण

आज सम्पूर्ण भारत, सम्पूर्ण विश्व राममय है: अयोध्या में ध्वजारोहण उत्सव में पीएम मोदी
Regional languages take precedence in Lok Sabha addresses

Media Coverage

Regional languages take precedence in Lok Sabha addresses
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
असम ने विकास की नई गति पकड़ी है: पीएम मोदी
December 21, 2025
असम ने विकास की नई गति पकड़ी है-प्रधानमंत्री
हमारी सरकार किसानों के कल्याण को अपने सभी प्रयासों के केंद्र में रख रही है-प्रधानमंत्री मोदी
कृषि को बढ़ावा देने और किसानों का समर्थन करने के लिए प्रधानमंत्री धन धान्य कृषि योजना और दलहन आत्मनिर्भरता मिशन जैसी पहलें शुरू की गई हैं- प्रधानमंत्री
'सबका साथ, सबका विकास' की परिकल्पना से प्रेरित होकर हमारे प्रयासों ने गरीबों के जीवन को बदल दिया है-प्रधानमंत्री मोदी

उज्जनिर रायज केने आसे? आपुनालुकोलोई मुर अंतोरिक मोरोम आरु स्रद्धा जासिसु।

असम के गवर्नर लक्ष्मण प्रसाद आचार्य जी, मुख्यमंत्री हिमंता बिस्वा शर्मा जी, केंद्र में मेरे सहयोगी और यहीं के आपके प्रतिनिधि, असम के पूर्व मुख्यमंत्री, सर्बानंद सोनोवाल जी, असम सरकार के मंत्रीगण, सांसद, विधायक, अन्य महानुभाव, और विशाल संख्या में आए हुए, हम सबको आशीर्वाद देने के लिए आए हुए, मेरे सभी भाइयों और बहनों, जितने लोग पंडाल में हैं, उससे ज्यादा मुझे वहां बाहर दिखते हैं।

सौलुंग सुकाफा और महावीर लसित बोरफुकन जैसे वीरों की ये धरती, भीमबर देउरी, शहीद कुसल कुवर, मोरान राजा बोडौसा, मालती मेम, इंदिरा मिरी, स्वर्गदेव सर्वानंद सिंह और वीरांगना सती साध`नी की ये भूमि, मैं उजनी असम की इस महान मिट्टी को श्रद्धापूर्वक नमन करता हूँ।

साथियों,

मैं देख रहा हूँ, सामने दूर-दूर तक आप सब इतनी बड़ी संख्या में अपना उत्साह, अपना उमंग, अपना स्नेह बरसा रहे हैं। और खासकर, मेरी माताएँ बहनें, इतनी विशाल संख्या में आप जो प्यार और आशीर्वाद लेकर आईं हैं, ये हमारी सबसे बड़ी शक्ति है, सबसे बड़ी ऊर्जा है, एक अद्भुत अनुभूति है। मेरी बहुत सी बहनें असम के चाय बगानों की खुशबू लेकर यहां उपस्थित हैं। चाय की ये खुशबू मेरे और असम के रिश्तों में एक अलग ही ऐहसास पैदा करती है। मैं आप सभी को प्रणाम करता हूँ। इस स्नेह और प्यार के लिए मैं हृदय से आप सबका आभार करता हूँ।

साथियों,

आज असम और पूरे नॉर्थ ईस्ट के लिए बहुत बड़ा दिन है। नामरूप और डिब्रुगढ़ को लंबे समय से जिसका इंतज़ार था, वो सपना भी आज पूरा हो रहा है, आज इस पूरे इलाके में औद्योगिक प्रगति का नया अध्याय शुरू हो रहा है। अभी थोड़ी देर पहले मैंने यहां अमोनिया–यूरिया फर्टिलाइज़र प्लांट का भूमि पूजन किया है। डिब्रुगढ़ आने से पहले गुवाहाटी में एयरपोर्ट के एक टर्मिनल का उद्घाटन भी हुआ है। आज हर कोई कह रहा है, असम विकास की एक नई रफ्तार पकड़ चुका है। मैं आपको बताना चाहता हूँ, अभी आप जो देख रहे हैं, जो अनुभव कर रहे हैं, ये तो एक शुरुआत है। हमें तो असम को बहुत आगे लेकर के जाना है, आप सबको साथ लेकर के आगे बढ़ना है। असम की जो ताकत और असम की भूमिका ओहोम साम्राज्य के दौर में थी, विकसित भारत में असम वैसी ही ताकतवर भूमि बनाएंगे। नए उद्योगों की शुरुआत, आधुनिक इनफ्रास्ट्रक्चर का निर्माण, Semiconductors, उसकी manufacturing, कृषि के क्षेत्र में नए अवसर, टी-गार्डेन्स और उनके वर्कर्स की उन्नति, पर्यटन में बढ़ती संभावनाएं, असम हर क्षेत्र में आगे बढ़ रहा है। मैं आप सभी को और देश के सभी किसान भाई-बहनों को इस आधुनिक फर्टिलाइज़र प्लांट के लिए बहुत-बहुत शुभकामनाएँ देता हूँ। मैं आपको गुवाहटी एयरपोर्ट के नए टर्मिनल के लिए भी बधाई देता हूँ। बीजेपी की डबल इंजन सरकार में, उद्योग और कनेक्टिविटी की ये जुगलबंदी, असम के सपनों को पूरा कर रही है, और साथ ही हमारे युवाओं को नए सपने देखने का हौसला भी दे रही है।

साथियों,

विकसित भारत के निर्माण में देश के किसानों की, यहां के अन्नदाताओं की बहुत बड़ी भूमिका है। इसलिए हमारी सरकार किसानों के हितों को सर्वोपरि रखते हुए दिन-रात काम कर रही है। यहां आप सभी को किसान हितैषी योजनाओं का लाभ दिया जा रहा है। कृषि कल्याण की योजनाओं के बीच, ये भी जरूरी है कि हमारे किसानों को खाद की निरंतर सप्लाई मिलती रहे। आने वाले समय में ये यूरिया कारख़ाना यह सुनिश्चित करेगा। इस फर्टिलाइज़र प्रोजेक्ट पर करीब 11 हजार करोड़ रुपए खर्च किए जाएंगे। यहां हर साल 12 लाख मीट्रिक टन से ज्यादा खाद बनेगी। जब उत्पादन यहीं होगा, तो सप्लाई तेज होगी। लॉजिस्टिक खर्च घटेगा।

साथियों,

नामरूप की ये यूनिट रोजगार-स्वरोजगार के हजारों नए अवसर भी बनाएगी। प्लांट के शुरू होते ही अनेकों लोगों को यहीं पर स्थायी नौकरी भी मिलेगी। इसके अलावा जो काम प्लांट के साथ जुड़ा होता है, मरम्मत हो, सप्लाई हो, कंस्ट्रक्शन का बहुत बड़ी मात्रा में काम होगा, यानी अनेक काम होते हैं, इन सबमें भी यहां के स्थानीय लोगों को और खासकर के मेरे नौजवानों को रोजगार मिलेगा।

लेकिन भाइयों बहनों,

आप सोचिए, किसानों के कल्याण के लिए काम बीजेपी सरकार आने के बाद ही क्यों हो रहा है? हमारा नामरूप तो दशकों से खाद उत्पादन का केंद्र था। एक समय था, जब यहां बनी खाद से नॉर्थ ईस्ट के खेतों को ताकत मिलती थी। किसानों की फसलों को सहारा मिलता था। जब देश के कई हिस्सों में खाद की आपूर्ति चुनौती बनी, तब भी नामरूप किसानों के लिए उम्मीद बना रहा। लेकिन, पुराने कारखानों की टेक्नालजी समय के साथ पुरानी होती गई, और काँग्रेस की सरकारों ने कोई ध्यान नहीं दिया। नतीजा ये हुआ कि, नामरूप प्लांट की कई यूनिट्स इसी वजह से बंद होती गईं। पूरे नॉर्थ ईस्ट के किसान परेशान होते रहे, देश के किसानों को भी तकलीफ हुई, उनकी आमदनी पर चोट पड़ती रही, खेती में तकलीफ़ें बढ़ती गईं, लेकिन, काँग्रेस वालों ने इस समस्या का कोई हल ही नहीं निकाला, वो अपनी मस्ती में ही रहे। आज हमारी डबल इंजन सरकार, काँग्रेस द्वारा पैदा की गई उन समस्याओं का समाधान भी कर रही है।

साथियों,

असम की तरह ही, देश के दूसरे राज्यों में भी खाद की कितनी ही फ़ैक्टरियां बंद हो गईं थीं। आप याद करिए, तब किसानों के क्या हालात थे? यूरिया के लिए किसानों को लाइनों में लगना पड़ता था। यूरिया की दुकानों पर पुलिस लगानी पड़ती थी। पुलिस किसानों पर लाठी बरसाती थी।

भाइयों बहनों,

काँग्रेस ने जिन हालातों को बिगाड़ा था, हमारी सरकार उन्हें सुधारने के लिए एडी-चोटी की ताकत लगा रही है। और इन्होंने इतना बुरा किया,इतना बुरा किया कि, 11 साल से मेहनत करने के बाद भी, अभी मुझे और बहुत कुछ करना बाकी है। काँग्रेस के दौर में फर्टिलाइज़र्स फ़ैक्टरियां बंद होती थीं। जबकि हमारी सरकार ने गोरखपुर, सिंदरी, बरौनी, रामागुंडम जैसे अनेक प्लांट्स शुरू किए हैं। इस क्षेत्र में प्राइवेट सेक्टर को भी बढ़ावा दिया जा रहा है। आज इसी का नतीजा है, हम यूरिया के क्षेत्र में आने वाले कुछ समय में आत्मनिर्भर हो सके, उस दिशा में मजबूती से कदम रख रहे हैं।

साथियों,

2014 में देश में सिर्फ 225 लाख मीट्रिक टन यूरिया का ही उत्पादन होता था। आपको आंकड़ा याद रहेगा? आंकड़ा याद रहेगा? मैं आपने मुझे काम दिया 10-11 साल पहले, तब उत्पादन होता था 225 लाख मीट्रिक टन। ये आंकड़ा याद रखिए। पिछले 10-11 साल की मेहनत में हमने उत्पादन बढ़ाकर के करीब 306 लाख मीट्रिक टन तक पहुंच चुका है। लेकिन हमें यहां रूकना नहीं है, क्योंकि अभी भी बहुत करने की जरूरत है। जो काम उनको उस समय करना था, नहीं किया, और इसलिए मुझे थोड़ा एक्स्ट्रा मेहनत करनी पड़ रही है। और अभी हमें हर साल करीब 380 लाख मीट्रिक टन यूरिया की जरूरत पड़ती है। हम 306 पर पहुंचे हैं, 70-80 और करना है। लेकिन मैं देशवासियों को विश्वास दिलाता हूं, हम जिस प्रकार से मेहनत कर रहे हैं, जिस प्रकार से योजना बना रहे हैं और जिस प्रकार से मेरे किसान भाई-बहन हमें आशीर्वाद दे रहे हैं, हम हो सके उतना जल्दी इस गैप को भरने में कोई कमी नहीं रखेंगे।

और भाइयों और बहनों,

मैं आपको एक और बात बताना चाहता हूं, आपके हितों को लेकर हमारी सरकार बहुत ज्यादा संवेदनशील है। जो यूरिया हमें महंगे दामों पर विदेशों से मंगाना पड़ता है, हम उसकी भी चोट अपने किसानों पर नहीं पड़ने देते। बीजेपी सरकार सब्सिडी देकर वो भार सरकार खुद उठाती है। भारत के किसानों को सिर्फ 300 रुपए में यूरिया की बोरी मिलती है, उस एक बोरी के बदले भारत सरकार को दूसरे देशों को, जहां से हम बोरी लाते हैं, करीब-करीब 3 हजार रुपए देने पड़ते हैं। अब आप सोचिए, हम लाते हैं 3000 में, और देते हैं 300 में। यह सारा बोझ देश के किसानों पर हम नहीं पड़ने देते। ये सारा बोझ सरकार खुद भरती है। ताकि मेरे देश के किसान भाई बहनों पर बोझ ना आए। लेकिन मैं किसान भाई बहनों को भी कहूंगा, कि आपको भी मेरी मदद करनी होगी और वह मेरी मदद है इतना ही नहीं, मेरे किसान भाई-बहन आपकी भी मदद है, और वो है यह धरती माता को बचाना। हम धरती माता को अगर नहीं बचाएंगे तो यूरिया की कितने ही थैले डाल दें, यह धरती मां हमें कुछ नहीं देगी और इसलिए जैसे शरीर में बीमारी हो जाए, तो दवाई भी हिसाब से लेनी पड़ती है, दो गोली की जरूरत है, चार गोली खा लें, तो शरीर को फायदा नहीं नुकसान हो जाता है। वैसा ही इस धरती मां को भी अगर हम जरूरत से ज्यादा पड़ोस वाला ज्यादा बोरी डालता है, इसलिए मैं भी बोरी डाल दूं। इस प्रकार से अगर करते रहेंगे तो यह धरती मां हमसे रूठ जाएगी। यूरिया खिला खिलाकर के हमें धरती माता को मारने का कोई हक नहीं है। यह हमारी मां है, हमें उस मां को भी बचाना है।

साथियों,

आज बीज से बाजार तक भाजपा सरकार किसानों के साथ खड़ी है। खेत के काम के लिए सीधे खाते में पैसे पहुंचाए जा रहे हैं, ताकि किसान को उधार के लिए भटकना न पड़े। अब तक पीएम किसान सम्मान निधि के लगभग 4 लाख करोड़ रुपए किसानों के खाते में भेजे गए हैं। आंकड़ा याद रहेगा? भूल जाएंगे? 4 लाख करोड़ रूपया मेरे देश के किसानों के खाते में सीधे जमा किए हैं। इसी साल, किसानों की मदद के लिए 35 हजार करोड़ रुपए की दो योजनाएं नई योजनाएं शुरू की हैं 35 हजार करोड़। पीएम धन धान्य कृषि योजना और दलहन आत्मनिर्भरता मिशन, इससे खेती को बढ़ावा मिलेगा।

साथियों,

हम किसानों की हर जरूरत को ध्यान रखते हुए काम कर रहे हैं। खराब मौसम की वजह से फसल नुकसान होने पर किसान को फसल बीमा योजना का सहारा मिल रहा है। फसल का सही दाम मिले, इसके लिए खरीद की व्यवस्था सुधारी गई है। हमारी सरकार का साफ मानना है कि देश तभी आगे बढ़ेगा, जब मेरा किसान मजबूत होगा। और इसके लिए हर संभव प्रयास किए जा रहे हैं।

साथियों,

केंद्र में हमारी सरकार बनने के बाद हमने किसान क्रेडिट कार्ड की सुविधा से पशुपालकों और मछलीपालकों को भी जोड़ दिया था। किसान क्रेडिट कार्ड, KCC, ये KCC की सुविधा मिलने के बाद हमारे पशुपालक, हमारे मछली पालन करने वाले इन सबको खूब लाभ उठा रहा है। KCC से इस साल किसानों को, ये आंकड़ा भी याद रखो, KCC से इस साल किसानों को 10 लाख करोड़ रुपये से ज्यादा की मदद दी गई है। 10 लाख करोड़ रुपया। बायो-फर्टिलाइजर पर GST कम होने से भी किसानों को बहुत फायदा हुआ है। भाजपा सरकार भारत के किसानों को नैचुरल फार्मिंग के लिए भी बहुत प्रोत्साहन दे रही है। और मैं तो चाहूंगा असम के अंदर कुछ तहसील ऐसे आने चाहिए आगे, जो शत प्रतिशत नेचुरल फार्मिंग करते हैं। आप देखिए हिंदुस्तान को असम दिशा दिखा सकता है। असम का किसान देश को दिशा दिखा सकता है। हमने National Mission On Natural Farming शुरू की, आज लाखों किसान इससे जुड़ चुके हैं। बीते कुछ सालों में देश में 10 हजार किसान उत्पाद संघ- FPO’s बने हैं। नॉर्थ ईस्ट को विशेष ध्यान में रखते हुए हमारी सरकार ने खाद्य तेलों- पाम ऑयल से जुड़ा मिशन भी शुरू किया। ये मिशन भारत को खाद्य तेल के मामले में आत्मनिर्भर तो बनाएगा ही, यहां के किसानों की आय भी बढ़ाएगा।

साथियों,

यहां इस क्षेत्र में बड़ी संख्या में हमारे टी-गार्डन वर्कर्स भी हैं। ये भाजपा की ही सरकार है जिसने असम के साढ़े सात लाख टी-गार्डन वर्कर्स के जनधन बैंक खाते खुलवाए। अब बैंकिंग व्यवस्था से जुड़ने की वजह से इन वर्कर्स के बैंक खातों में सीधे पैसे भेजे जाने की सुविधा मिली है। हमारी सरकार टी-गार्डन वाले क्षेत्रों में स्कूल, रोड, बिजली, पानी, अस्पताल की सुविधाएं बढ़ा रही है।

साथियों,

हमारी सरकार सबका साथ सबका विकास के मंत्र के साथ आगे बढ़ रही है। हमारा ये विजन, देश के गरीब वर्ग के जीवन में बहुत बड़ा बदलाव लेकर आया है। पिछले 11 वर्षों में हमारे प्रयासों से, योजनाओं से, योजनाओं को धरती पर उतारने के कारण 25 करोड़ लोग, ये आंकड़ा भी याद रखना, 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। देश में एक नियो मिडिल क्लास तैयार हुआ है। ये इसलिए हुआ है, क्योंकि बीते वर्षों में भारत के गरीब परिवारों के जीवन-स्तर में निरंतर सुधार हुआ है। कुछ ताजा आंकड़े आए हैं, जो भारत में हो रहे बदलावों के प्रतीक हैं।

साथियों,

और मैं मीडिया में ये सारी चीजें बहुत काम आती हैं, और इसलिए मैं आपसे आग्रह करता हूं मैं जो बातें बताता हूं जरा याद रख के औरों को बताना।

साथियों,

पहले गांवों के सबसे गरीब परिवारों में, 10 परिवारों में से 1 के पास बाइक तक होती नहीं थी। 10 में से 1 के पास भी नहीं होती थी। अभी जो सर्वे आए हैं, अब गांव में रहने वाले करीब–करीब आधे परिवारों के पास बाइक या कार होती है। इतना ही नहीं मोबाइल फोन तो लगभग हर घर में पहुंच चुके हैं। फ्रिज जैसी चीज़ें, जो पहले “लग्ज़री” मानी जाती थीं, अब ये हमारे नियो मिडल क्लास के घरों में भी नजर आने लगी है। आज गांवों की रसोई में भी वो जगह बना चुका है। नए आंकड़े बता रहे हैं कि स्मार्टफोन के बावजूद, गांव में टीवी रखने का चलन भी बढ़ रहा है। ये बदलाव अपने आप नहीं हुआ। ये बदलाव इसलिए हुआ है क्योंकि आज देश का गरीब सशक्त हो रहा है, दूर-दराज के क्षेत्रों में रहने वाले गरीब तक भी विकास का लाभ पहुंचने लगा है।

साथियों,

भाजपा की डबल इंजन सरकार गरीबों, आदिवासियों, युवाओं और महिलाओं की सरकार है। इसीलिए, हमारी सरकार असम और नॉर्थ ईस्ट में दशकों की हिंसा खत्म करने में जुटी है। हमारी सरकार ने हमेशा असम की पहचान और असम की संस्कृति को सर्वोपरि रखा है। भाजपा सरकार असमिया गौरव के प्रतीकों को हर मंच पर हाइलाइट करती है। इसलिए, हम गर्व से महावीर लसित बोरफुकन की 125 फीट की प्रतिमा बनाते हैं, हम असम के गौरव भूपेन हजारिका की जन्म शताब्दी का वर्ष मनाते हैं। हम असम की कला और शिल्प को, असम के गोमोशा को दुनिया में पहचान दिलाते हैं, अभी कुछ दिन पहले ही Russia के राष्ट्रपति श्रीमान पुतिन यहां आए थे, जब दिल्ली में आए, तो मैंने बड़े गर्व के साथ उनको असम की ब्लैक-टी गिफ्ट किया था। हम असम की मान-मर्यादा बढ़ाने वाले हर काम को प्राथमिकता देते हैं।

लेकिन भाइयों बहनों,

भाजपा जब ये काम करती है तो सबसे ज्यादा तकलीफ काँग्रेस को होती है। आपको याद होगा, जब हमारी सरकार ने भूपेन दा को भारत रत्न दिया था, तो काँग्रेस ने खुलकर उसका विरोध किया था। काँग्रेस के राष्ट्रीय अध्यक्ष ने कहा था कि, मोदी नाचने-गाने वालों को भारत रत्न दे रहा है। मुझे बताइए, ये भूपेन दा का अपमान है कि नहीं है? कला संस्कृति का अपमान है कि नहीं है? असम का अपमान है कि नहीं है? ये कांग्रेस दिन रात करती है, अपमान करना। हमने असम में सेमीकंडक्टर यूनिट लगवाई, तो भी कांग्रेस ने इसका विरोध किया। आप मत भूलिए, यही काँग्रेस सरकार थी, जिसने इतने दशकों तक टी कम्यूनिटी के भाई-बहनों को जमीन के अधिकार नहीं मिलने दिये! बीजेपी की सरकार ने उन्हें जमीन के अधिकार भी दिये और गरिमापूर्ण जीवन भी दिया। और मैं तो चाय वाला हूं, मैं नहीं करूंगा तो कौन करेगा? ये कांग्रेस अब भी देशविरोधी सोच को आगे बढ़ा रही है। ये लोग असम के जंगल जमीन पर उन बांग्लादेशी घुसपैठियों को बसाना चाहते हैं। जिनसे इनका वोट बैंक मजबूत होता है, आप बर्बाद हो जाए, उनको इनकी परवाह नहीं है, उनको अपनी वोट बैंक मजबूत करनी है।

भाइयों बहनों,

काँग्रेस को असम और असम के लोगों से, आप लोगों की पहचान से कोई लेना देना नहीं है। इनको केवल सत्ता,सरकार और फिर जो काम पहले करते थे, वो करने में इंटरेस्ट है। इसीलिए, इन्हें अवैध बांग्लादेशी घुसपैठिए ज्यादा अच्छे लगते हैं। अवैध घुसपैठियों को काँग्रेस ने ही बसाया, और काँग्रेस ही उन्हें बचा रही है। इसीलिए, काँग्रेस पार्टी वोटर लिस्ट के शुद्धिकरण का विरोध कर रही है। तुष्टीकरण और वोटबैंक के इस काँग्रेसी जहर से हमें असम को बचाकर रखना है। मैं आज आपको एक गारंटी देता हूं, असम की पहचान, और असम के सम्मान की रक्षा के लिए भाजपा, बीजेपी फौलाद बनकर आपके साथ खड़ी है।

साथियों,

विकसित भारत के निर्माण में, आपके ये आशीर्वाद यही मेरी ताकत है। आपका ये प्यार यही मेरी पूंजी है। और इसीलिए पल-पल आपके लिए जीने का मुझे आनंद आता है। विकसित भारत के निर्माण में पूर्वी भारत की, हमारे नॉर्थ ईस्ट की भूमिका लगातार बढ़ रही है। मैंने पहले भी कहा है कि पूर्वी भारत, भारत के विकास का ग्रोथ इंजन बनेगा। नामरूप की ये नई यूनिट इसी बदलाव की मिसाल है। यहां जो खाद बनेगी, वो सिर्फ असम के खेतों तक नहीं रुकेगी। ये बिहार, झारखंड, पश्चिम बंगाल और पूर्वी उत्तर प्रदेश तक पहुंचेगी। ये कोई छोटी बात नहीं है। ये देश की खाद जरूरत में नॉर्थ ईस्ट की भागीदारी है। नामरूप जैसे प्रोजेक्ट, ये दिखाते हैं कि, आने वाले समय में नॉर्थ ईस्ट, आत्मनिर्भर भारत का बहुत बड़ा केंद्र बनकर उभरेगा। सच्चे अर्थ में अष्टलक्ष्मी बन के रहेगा। मैं एक बार फिर आप सभी को नए फर्टिलाइजर प्लांट की बधाई देता हूं। मेरे साथ बोलिए-

भारत माता की जय।

भारत माता की जय।

और इस वर्ष तो वंदे मातरम के 150 साल हमारे गौरवपूर्ण पल, आइए हम सब बोलें-

वंदे मातरम्।

वंदे मातरम्।

वंदे मातरम्।

वंदे मातरम्।

वंदे मातरम्।

वंदे मातरम्।

वंदे मातरम्।

वंदे मातरम्।

वंदे मातरम्।