મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકારના ગુજરાતના ખેડૂત વિરોધી રાજકીય આટાપાટા અને પેંતરા સામે આક્રોશ વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ દ્વારા ગુજરાત સરકાર ખેડૂતોના હિત માટે જ કાર્યરત રહેશે.

અખાત્રીજથી સમગ્ર ગુજરાતમાં એક મહિનાનો કૃષિ મહોત્સવ ગામે ગામ ઉજવાઇ રહ્યો છે. મુખ્ય મંત્રીશ્રીએ રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓના કાર્યક્ષેત્રમાં ચાર વિભાગીય કૃષિ મહોત્સવ અને કૃષિ મેળામાં કિસાન શક્તિના ઉમંગ-ઉત્સાહમાં સહભાગી થવાનો ઉપક્રમ જાળવ્યો છે. અગાઉ ઉત્તર ગુજરાતના કૃષિ મહોત્સવમાં હિંમતનગર ખાતે અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના મોટાપોંઢામાં કૃષિ મહોત્સવમાં ખેડૂત પરિવારો સાથે કૃષિક્રાંતિ અભિયાનમાં સહભાગી બન્યા બાદ આજે ગોધરામાં મધ્ય ગુજરાતના કૃષિ મેળામાં વિરાટ સંખ્યામાં માનવમહેરામણ ઉમટયો હતો. અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને વડોદરા જિલ્લાઓના આ વિભાગીય કૃષિ મહોત્સવમાં કિસાન શક્તિનું અભિવાદન કરતાં પહેલાં મુખ્ય મંત્રીશ્રીએ ગોધરામાં આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા નવનિર્મિત કૃષિ ઇજનેરી કોલેજના ભવનનું લોકાર્પણ કર્યું હતું. કૃષિ મહોત્સવમાં ખેતી-પશુપાલન ક્ષેત્રે નવા સફળ પ્રયોગો કરનારા પ્રગતિશીલ ખેડૂતોનું અભિવાદન અને કૃષિ મહોત્સવના લાભાર્થીઓને કૃષિ-બાગાયત કીટ્સ સાધન સામગ્રીનું વિતરણ પણ તેમણે કર્યું હતું.

એક મહિના સુધી ધોમધખતા તાપમાં રાજ્ય સરકારના એક લાખ જેટલા કર્મયોગીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો ૧૮,૦૦૦ ગામડા ખૂંદી રહ્યા છે એવા આ કૃષિ ક્રાંતિના અભિયાનની સફળતાથી કેન્દ્ર સરકાર પ્રોત્સાહિત થવાને બદલે રાજકીય પેંતરા રચીને ગુજરાતના ખેડૂત તથા ખેતીવાડી માટે નકારાત્મક ભૂમિકા કરી રહી છે તેની સીલસીલાબંધ ભૂમિકા મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી.

તેમણે જણાવ્યું કે, આખા દેશમાં ખેતીવાડીની દૂર્દશા થઇ છે અને પાક માટે બિયારણ, ખાતર, દવા પૂરતા ના મળે, વીજળીના મળે, પાણી મળે નહીં અને ખેડૂત પાક ઉત્પન્ન કરે ત્યારે તેને પૂરતા ભાવ મળે નહીં એવી કમનસીબ સ્થિતિમાં દેશના ખેડૂતોને ધકેલી દેવાયા છે.

ગુજરાતના ખેડૂતોનું ભલું થાય તે કેન્દ્રની કોંગ્રેસ સરકાર સાંખી શકતી નથી એટલે તમામ નકારાત્મક કારસા રચીને ગુજરાતના ખેડૂતોના હિતના ભોગે આડખીલીરૂપ નિર્ણયો કરતી આવી છે, એમ તેમણે જણાવ્યું હતું.

કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકારની આડોડાઇને કારણે ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોના કપાસની નિકાસબંધ કરીને ખેડૂતોને બરબાદ કરતા માલેતુજાર વેપારીઓને સુખી કરવા ખેડૂતોના માલ લૂંટાઇ જાય પછી નિકાસની છૂટ આપવી એવા રાજકીય આટાપાટા રચે છે એવો સ્પષ્ટ આક્ષેપ કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, પહેલાં ખેડૂત વિરોધી કાયદા કરવા પછી કોંગ્રેસને ક્રેડીટ અપાવવા ખેડૂતની ક્રેડીટ ખતમ કરવાના કારસા રચાઇ રહ્યા છે. મુખ્ય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને કપાસની નિકાસબંધી તત્કાલ ઉઠાવી લેવા પત્ર લખ્યો પણ તેનાથી કેન્દ્ર સરકારની આંખ ઉઘડી નથી. કારણ કે, ગુજરાતના ખેડૂતોને બરબાદ કરવા કેન્દ્ર પેંતરા રચે છે. ખેડૂતોની ચિંતા નથી કરવી પણ ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવા છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ નિર્ધારપૂર્વક જણાવ્યું કે, આ સરકાર કેન્દ્ર સરકારની ગુજરાતના ખેડૂતોને બરબાદ કરવાની રાજકીય આટાપાટાની ધમકીથી ડરી જવાની નથી. કૃષિ મહોત્સવ દ્વારા આધુનિક ખેતી માટેની નવી પદ્ધતિ, સિંચાઇ માટે પાણી, ખેતીવાડી અને બાગાયત માટેનું બિયારણ, કૃષિ સાધન સામગ્રીની કીટ્સ સહાય જેવી ખેડૂતોની તમામ નાની-મોટી જરૂરિયાતોની પૂર્તિ આ સરકાર કરી રહી છે કારણ કે, ગુજરાતનો ખેડૂત સુખી થાય, ગુજરાતના ગામડા સમૃદ્ધ થાય તેવા કૃષિક્રાંતિના એકેએક પાસાનું ધ્યાન રાખ્યું છે.મુખ્ય મંત્રીશ્રીએ કૃષિ

ગુજરાતે કૃષિ ક્ષેત્રે ક્રાંતિ કરી સમગ્ર દેશ અને દુનિયાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે, એમ જણાવી કૃષિ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણીએ ઉમેર્યું હતું કે, કૃષિ ક્ષેત્રના સર્વાંગીણ વિકાસ માટે રાજ્યમાં ચાર કૃષિ યુનિવર્સિટીઓની રચના કરવામાં આવી છે. કૃષિ મહોત્સવના માધ્યમથી કૃષિ સંશોધનો ખેડૂતોના ખેતરો સુધી પહોંચ્યા છે, તેમ તેમણે જણાવ્યું હતું. રાજ્યમાં કૃષિ અને કૃષિકારોના વિકાસ માટે સરકારે લીધેલા પગલાં અને કૃષિક્ષેત્રે ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવા હાથ ધરાયેલ કામગીરીની વિસ્તૃત જાણકારી આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર છેલ્લા છ વર્ષથી કૃષિ મહોત્સવનું આયોજન કરતી રહી છે. આ સતત સાતમું વર્ષ છે. જે અંતર્ગત એક મહિના સુધી ખેડૂતોને અદ્યતન ખેતપેદાશો-વૈજ્ઞાનિક સંશોધનોથી માહિતગાર કરશે જેના દ્વારા જિલ્લાના-પ્રદેશના ખેડૂતો હવે કૃષિક્ષેત્રે નવી ઊંચાઇઓ હાંસલ કરશે. રાજ્યમાં દર વર્ષે ર૭૦૦ ઉપરાંત પશુ આરોગ્ય મેળાઓનું આયોજન કરી પશુ સારવારની કાળજી લેવામાં આવી છે જેને પરિણામે પશુઓમાં થતા એકસો જેટલા મહાકાય રોગ નાબૂદ થયા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યમાં છેલ્લા છ વર્ષથી યોજાતા કૃષિ મહોત્સવના પરિણામે ખેડૂતોની આવક બમણી થઇ છે તેવી લાગણી વ્યકત કરતાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઈ પટેલે જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવના પરિણામે રાજ્યનું ખેત ઉત્પાદન છેલ્લા દસ વર્ષમાં રૂા. ૧૩૦૦૦ કરોડથી વધીને રૂા. પ૮,૧૯૦ કરોડ સુધી પહોંચ્યું છે. કૃષિ મહોત્સવના કારણે કૃષિકારો આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા થયા છે.

મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, અંબાજીથી ઉમરગામ સુધીના ૧ર જિલ્લામાં વસતા આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે છેલ્લા પાંચ વર્ષમાં રૂા. ૧૭,રરપ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે રૂા. ૧પ,૦૦૦ કરોડની મહત્વાકાંક્ષી વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવાઇ છે તેમ જણાવી અંતરિયાળ આદિવાસી વિસ્તારોના સર્વાંગીણ વિકાસ માટે રાજ્ય સરકારે લીધેલા શ્રેણીબદ્ધ પગલાંઓની જાણકારી તેઓએ આ વેળા રજૂ કરી હતી.

કૃષિની સાથે પશુપાલનનો પણ વૈજ્ઞાનિક ઢબે વિકાસ કરવાનો વ્યૂહ રાજય સરકારે અપનાવ્યો છે. દાહોદ જિલ્લાના આદિવાસી ખેડૂતોએ એક લાખ ટન આદુનું ઉત્પાદન કર્યું છે જે કૃષિ મહોત્સવની સફળતા છે, તેમ શ્રી પટેલે જણાવ્યું હતું.

પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતાં માર્ગ અને મકાન રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતે તમામ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કરી સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. કૃષિકારોની આવકમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેને પરિણામે ગ્રામીણ અર્થતંત્ર વધુ સંગીન બન્યું છે. ગોધરામાં કૃષિ ઇજનેરી કોલેજનું નિર્માણ થયું છે જે સમગ્ર જિલ્લા માટે ગૌરવની વાત છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન તથા લાભાર્થીઓને કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ લોન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય મંત્રીશ્રીના હસ્તે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલ વિવિધ કૃષિલક્ષી પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્ય મંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિમાં વિવિધ સંસ્થાઓ દ્વારા રૂા. ૧ર.૯૯ લાખના ચેક મુખ્ય મંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યા હતા.

આભારદર્શન શિક્ષણ રાજ્ય મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જયસિંહ ચૌહાણે કર્યું હતું.

આ પ્રસંગે કૃષિ રાજ્ય મંત્રી શ્રી કનુભાઈ ભાલાળા, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોર, પશુપાલન રાજ્ય મંત્રી શ્રી પરસોત્તમભાઇ સોલંકી, સંસદસભ્ય સર્વશ્રી પ્રભાતસિંહ ચૌહાણ, રામસિંહ રાઠવા, ર્ડા. પ્રભાબેન તાવિયાડ, ધારાસભ્યો સર્વશ્રી અરવિંદસિંહ રાઠોડ, ફતેસિંહ ચૌહાણ, જેઠાભાઈ ભરવાડ, તુષારસિંહ મહારાઉલજી, કૃષિ વિભાગના અગ્ર સચિવ શ્રી આર. કે. ત્રિપાઠી, પ્રભારી સચિવ શ્રી જે. પી. ગુપ્તા, જિલ્લા કલેકટર શ્રી મિલીન્દ તોરવણે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ર્ડા. સંધ્યા ભુલ્લર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રશ્મિકાબેન પટેલ, રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયા, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા. એમ. એમ. શેખ, કૃષિ વિભાગ તથા આણંદ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ, તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખો, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત સમુદાય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકારના ગુજરાતના ખેડૂત વિરોધી રાજકીય આટાપાટા અને પેંતરા સામે આક્રોશ વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ દ્વારા ગુજરાત સરકાર ખેડૂતોના હિત માટે જ કાર્યરત રહેશે.

અખાત્રીજથી સમગ્ર ગુજરાતમાં એક મહિનાનો કૃષિ મહોત્સવ ગામે ગામ ઉજવાઇ રહ્યો છે. મુખ્ય મંત્રીશ્રીએ રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓના કાર્યક્ષેત્રમાં ચાર વિભાગીય કૃષિ મહોત્સવ અને કૃષિ મેળામાં કિસાન શક્તિના ઉમંગ-ઉત્સાહમાં સહભાગી થવાનો ઉપક્રમ જાળવ્યો છે. અગાઉ ઉત્તર ગુજરાતના કૃષિ મહોત્સવમાં હિંમતનગર ખાતે અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના મોટાપોંઢામાં કૃષિ મહોત્સવમાં ખેડૂત પરિવારો સાથે કૃષિક્રાંતિ અભિયાનમાં સહભાગી બન્યા બાદ આજે ગોધરામાં મધ્ય ગુજરાતના કૃષિ મેળામાં વિરાટ સંખ્યામાં માનવમહેરામણ ઉમટયો હતો. અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને વડોદરા જિલ્લાઓના આ વિભાગીય કૃષિ મહોત્સવમાં કિસાન શક્તિનું અભિવાદન કરતાં પહેલાં મુખ્ય મંત્રીશ્રીએ ગોધરામાં આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા નવનિર્મિત કૃષિ ઇજનેરી કોલેજના ભવનનું લોકાર્પણ કર્યું હતું. કૃષિ મહોત્સવમાં ખેતી-પશુપાલન ક્ષેત્રે નવા સફળ પ્રયોગો કરનારા પ્રગતિશીલ ખેડૂતોનું અભિવાદન અને કૃષિ મહોત્સવના લાભાર્થીઓને કૃષિ-બાગાયત કીટ્સ સાધન સામગ્રીનું વિતરણ પણ તેમણે કર્યું હતું.

એક મહિના સુધી ધોમધખતા તાપમાં રાજ્ય સરકારના એક લાખ જેટલા કર્મયોગીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો ૧૮,૦૦૦ ગામડા ખૂંદી રહ્યા છે એવા આ કૃષિ ક્રાંતિના અભિયાનની સફળતાથી કેન્દ્ર સરકાર પ્રોત્સાહિત થવાને બદલે રાજકીય પેંતરા રચીને ગુજરાતના ખેડૂત તથા ખેતીવાડી માટે નકારાત્મક ભૂમિકા કરી રહી છે તેની સીલસીલાબંધ ભૂમિકા મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી.

તેમણે જણાવ્યું કે, આખા દેશમાં ખેતીવાડીની દૂર્દશા થઇ છે અને પાક માટે બિયારણ, ખાતર, દવા પૂરતા ના મળે, વીજળીના મળે, પાણી મળે નહીં અને ખેડૂત પાક ઉત્પન્ન કરે ત્યારે તેને પૂરતા ભાવ મળે નહીં એવી કમનસીબ સ્થિતિમાં દેશના ખેડૂતોને ધકેલી દેવાયા છે.

ગુજરાતના ખેડૂતોનું ભલું થાય તે કેન્દ્રની કોંગ્રેસ સરકાર સાંખી શકતી નથી એટલે તમામ નકારાત્મક કારસા રચીને ગુજરાતના ખેડૂતોના હિતના ભોગે આડખીલીરૂપ નિર્ણયો કરતી આવી છે, એમ તેમણે જણાવ્યું હતું.

કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકારની આડોડાઇને કારણે ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોના કપાસની નિકાસબંધ કરીને ખેડૂતોને બરબાદ કરતા માલેતુજાર વેપારીઓને સુખી કરવા ખેડૂતોના માલ લૂંટાઇ જાય પછી નિકાસની છૂટ આપવી એવા રાજકીય આટાપાટા રચે છે એવો સ્પષ્ટ આક્ષેપ કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, પહેલાં ખેડૂત વિરોધી કાયદા કરવા પછી કોંગ્રેસને ક્રેડીટ અપાવવા ખેડૂતની ક્રેડીટ ખતમ કરવાના કારસા રચાઇ રહ્યા છે. મુખ્ય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને કપાસની નિકાસબંધી તત્કાલ ઉઠાવી લેવા પત્ર લખ્યો પણ તેનાથી કેન્દ્ર સરકારની આંખ ઉઘડી નથી. કારણ કે, ગુજરાતના ખેડૂતોને બરબાદ કરવા કેન્દ્ર પેંતરા રચે છે. ખેડૂતોની ચિંતા નથી કરવી પણ ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવા છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ નિર્ધારપૂર્વક જણાવ્યું કે, આ સરકાર કેન્દ્ર સરકારની ગુજરાતના ખેડૂતોને બરબાદ કરવાની રાજકીય આટાપાટાની ધમકીથી ડરી જવાની નથી. કૃષિ મહોત્સવ દ્વારા આધુનિક ખેતી માટેની નવી પદ્ધતિ, સિંચાઇ માટે પાણી, ખેતીવાડી અને બાગાયત માટેનું બિયારણ, કૃષિ સાધન સામગ્રીની કીટ્સ સહાય જેવી ખેડૂતોની તમામ નાની-મોટી જરૂરિયાતોની પૂર્તિ આ સરકાર કરી રહી છે કારણ કે, ગુજરાતનો ખેડૂત સુખી થાય, ગુજરાતના ગામડા સમૃદ્ધ થાય તેવા કૃષિક્રાંતિના એકેએક પાસાનું ધ્યાન રાખ્યું છે.મુખ્ય મંત્રીશ્રીએ કૃષિ

ગુજરાતે કૃષિ ક્ષેત્રે ક્રાંતિ કરી સમગ્ર દેશ અને દુનિયાનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે, એમ જણાવી કૃષિ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણીએ ઉમેર્યું હતું કે, કૃષિ ક્ષેત્રના સર્વાંગીણ વિકાસ માટે રાજ્યમાં ચાર કૃષિ યુનિવર્સિટીઓની રચના કરવામાં આવી છે. કૃષિ મહોત્સવના માધ્યમથી કૃષિ સંશોધનો ખેડૂતોના ખેતરો સુધી પહોંચ્યા છે, તેમ તેમણે જણાવ્યું હતું. રાજ્યમાં કૃષિ અને કૃષિકારોના વિકાસ માટે સરકારે લીધેલા પગલાં અને કૃષિક્ષેત્રે ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવા હાથ ધરાયેલ કામગીરીની વિસ્તૃત જાણકારી આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર છેલ્લા છ વર્ષથી કૃષિ મહોત્સવનું આયોજન કરતી રહી છે. આ સતત સાતમું વર્ષ છે. જે અંતર્ગત એક મહિના સુધી ખેડૂતોને અદ્યતન ખેતપેદાશો-વૈજ્ઞાનિક સંશોધનોથી માહિતગાર કરશે જેના દ્વારા જિલ્લાના-પ્રદેશના ખેડૂતો હવે કૃષિક્ષેત્રે નવી ઊંચાઇઓ હાંસલ કરશે. રાજ્યમાં દર વર્ષે ર૭૦૦ ઉપરાંત પશુ આરોગ્ય મેળાઓનું આયોજન કરી પશુ સારવારની કાળજી લેવામાં આવી છે જેને પરિણામે પશુઓમાં થતા એકસો જેટલા મહાકાય રોગ નાબૂદ થયા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યમાં છેલ્લા છ વર્ષથી યોજાતા કૃષિ મહોત્સવના પરિણામે ખેડૂતોની આવક બમણી થઇ છે તેવી લાગણી વ્યકત કરતાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઈ પટેલે જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવના પરિણામે રાજ્યનું ખેત ઉત્પાદન છેલ્લા દસ વર્ષમાં રૂા. ૧૩૦૦૦ કરોડથી વધીને રૂા. પ૮,૧૯૦ કરોડ સુધી પહોંચ્યું છે. કૃષિ મહોત્સવના કારણે કૃષિકારો આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા થયા છે.

મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, અંબાજીથી ઉમરગામ સુધીના ૧ર જિલ્લામાં વસતા આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે છેલ્લા પાંચ વર્ષમાં રૂા. ૧૭,રરપ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે રૂા. ૧પ,૦૦૦ કરોડની મહત્વાકાંક્ષી વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવાઇ છે તેમ જણાવી અંતરિયાળ આદિવાસી વિસ્તારોના સર્વાંગીણ વિકાસ માટે રાજ્ય સરકારે લીધેલા શ્રેણીબદ્ધ પગલાંઓની જાણકારી તેઓએ આ વેળા રજૂ કરી હતી.

કૃષિની સાથે પશુપાલનનો પણ વૈજ્ઞાનિક ઢબે વિકાસ કરવાનો વ્યૂહ રાજય સરકારે અપનાવ્યો છે. દાહોદ જિલ્લાના આદિવાસી ખેડૂતોએ એક લાખ ટન આદુનું ઉત્પાદન કર્યું છે જે કૃષિ મહોત્સવની સફળતા છે, તેમ શ્રી પટેલે જણાવ્યું હતું.

પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતાં માર્ગ અને મકાન રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાતે તમામ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કરી સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. કૃષિકારોની આવકમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેને પરિણામે ગ્રામીણ અર્થતંત્ર વધુ સંગીન બન્યું છે. ગોધરામાં કૃષિ ઇજનેરી કોલેજનું નિર્માણ થયું છે જે સમગ્ર જિલ્લા માટે ગૌરવની વાત છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન તથા લાભાર્થીઓને કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ લોન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય મંત્રીશ્રીના હસ્તે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરાયેલ વિવિધ કૃષિલક્ષી પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્ય મંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિમાં વિવિધ સંસ્થાઓ દ્વારા રૂા. ૧ર.૯૯ લાખના ચેક મુખ્ય મંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યા હતા.

આભારદર્શન શિક્ષણ રાજ્ય મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જયસિંહ ચૌહાણે કર્યું હતું.

આ પ્રસંગે કૃષિ રાજ્ય મંત્રી શ્રી કનુભાઈ ભાલાળા, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી જશવંતસિંહ ભાભોર, પશુપાલન રાજ્ય મંત્રી શ્રી પરસોત્તમભાઇ સોલંકી, સંસદસભ્ય સર્વશ્રી પ્રભાતસિંહ ચૌહાણ, રામસિંહ રાઠવા, ર્ડા. પ્રભાબેન તાવિયાડ, ધારાસભ્યો સર્વશ્રી અરવિંદસિંહ રાઠોડ, ફતેસિંહ ચૌહાણ, જેઠાભાઈ ભરવાડ, તુષારસિંહ મહારાઉલજી, કૃષિ વિભાગના અગ્ર સચિવ શ્રી આર. કે. ત્રિપાઠી, પ્રભારી સચિવ શ્રી જે. પી. ગુપ્તા, જિલ્લા કલેકટર શ્રી મિલીન્દ તોરવણે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ર્ડા. સંધ્યા ભુલ્લર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રશ્મિકાબેન પટેલ, રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયા, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા. એમ. એમ. શેખ, કૃષિ વિભાગ તથા આણંદ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ, તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખો, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત સમુદાય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
From welfare to opportunity: How DPI 2.0 and AI will unlock India’s productivity

Media Coverage

From welfare to opportunity: How DPI 2.0 and AI will unlock India’s productivity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
State Visit of Prime Minister to Seychelles
June 28, 2026

As part of Prime Minister Shri Narendra Modi’s State Visit to Seychelles from 27-29 June 2026, Prime Minister and the President of Seychelles, H.E. Dr. Patrick Herminie today held official talks at the State House in Victoria, Mahe.

The talks covered the full spectrum of bilateral relations, with the leaders agreeing to further strengthen cooperation in health, education, capacity building, digital transformation, sustainable development, social infrastructure, renewable energy, maritime security and defence. They also exchanged views on regional and global developments, including challenges in the Indian Ocean region, such as illegal fishing, drug trafficking and piracy. Both leaders expressed satisfaction at the progress made in the implementation of projects and initiatives under the Special Economic Package announced by India. Prime Minister reaffirmed India’s commitment to supporting the development priorities of Seychelles and to further deepen the close and enduring partnership between the two countries.

Following the official talks, both leaders released a joint commemorative logo marking 50 years of the establishment of diplomatic relations between the two countries. Several MoUs/agreements in the fields of Capacity Building, UPI, Health, Agriculture, Shipping, Space, Extradition and Line of Credit were exchanged thereafter. The amount of the Line of Credit stands at INR 1250 crores. The full list of MoUs/agreements may be seen here [link]. In addition, several announcements in the fields of food security, infrastructure, health, vocational training, maritime security and defence were made in support of the development needs of Seychelles. The details of these announcements may be seen here [link]. Seychelles also announced that it is joining the Coalition for Disaster Resilient Infrastructure [CDRI].

Later in the day, Prime Minister addressed an Extraordinary Sitting of the National Assembly of Seychelles, becoming the first Indian Prime Minister to do so. In his address, he highlighted the historical bonds of friendship between India and Seychelles and underscored the shared values of democracy, rule of law and people-centric governance that guide the two countries. He noted that mutual trust and close cooperation have shaped a robust partnership spanning development cooperation, maritime security, technology, innovation, health and capacity building. Prime Minister also called for enhanced parliamentary exchanges between the two democracies. The full address of Prime Minister may be seen here [link]

The Leader of Opposition of Seychelles, H.E. Mr. Bernard Georges, also called on Prime Minister. The two leaders discussed India-Seychelles bilateral ties and conveyed their strong support to further build the special friendship between the two countries.