મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂ.૫૬૨ કરોડની પ્રથમ હપ્તાની ગ્રાન્ટનું વિતરણ કરતાં પ્રત્યેક નગરપાલિકા-મહાનગરપાલિકામાં ઉત્તમ વિકાસની સ્પર્ધાનું વાતાવરણ સર્જવાનું આહ્વા કર્યું હતું.

ગુજરાતની સ્વર્ણિમ જયંતીનો અવસર તદ્ન નજીક આવી રહ્યો છે ત્યારે નગરની આન-બાન-શાન સુવર્ણાક્ષરે અંકિત થાય તે માટેનું નેતૃત્વ નગરજનોમાં પૂરું પાડવા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના સાડા ત્રણ હજાર શહેરી જનપ્રતિનિધિઓને તેમણે પ્રેરક આહ્વાન કર્યું છે.

ગુજરાતના શહેરી વિસ્તારોના સર્વાંગીણ વિકાસ માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાના સશકિતકરણની આગવી પહેલરૂપે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યની સાત મહાનગરપાલિકાઓ અને ૧૫૯ નગરપાલિકાઓના વહીવટને નાગરિક કેન્દ્રીત અને સક્ષમ બનાવવા આ મહત્વાકાંક્ષી યોજના અન્વયે કુલ રૂ.૫૬૨ કરોડની ગ્રાન્ટ પ્રથમ હપ્તા પેટે આજે મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ ખાતે યોજાયેલા ખાસ સમારોહમાં વિતરીત કર્યા હતા.

શહેરી વિકાસ વિભાગ આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના તમામ મહાનગરો અને શહેરોની સ્થાનિક સ્વરાજ સંસ્થાના મેયરશ્રીઓ, પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ ઉપરાંત સંસદસભ્યો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ સમયદાન વેબપોર્ટલનું લોકાર્પણ કરીને જણાવ્યું કે, નગરોમાં સંશાધનો અને કાર્યક્ષમતા માટે આ સરકારે બધું જ આપ્યું છે. આ સ્વર્ણિમ જયંતી વર્ષની ઉજવણી માટે નગરજન ભાગીદારી આંદોલન બની રહે તેવી પ્રેરણા આપી હતી. શહેરી વિકાસની તરાહ આખા ગુજરાતના નગરોના રૂપરંગ બદલી શકે તેમ છે તેવી ક્ષમતા સ્થાનિક સ્વરાજ સંસ્થાના વહીવટકર્તા-નગરસેવકોએ બતાડવાની છે.

છેલ્લા એક દસકા પહેલાં નગરો અને મહાનગરોના વહીવટની કેવી સમસ્યાઓ અને આર્થિક સંકટની કેવી સ્થિતિ હતી તેનો ચિતાર આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, જ્યાં ૪૦ ટકા શહેરી વસતિ શહેરી સુખાકારી ઉપર નિર્ભર છે તેવા ગુજરાતમાં કે બીજે કયાંય શહેરી વિકાસની સંતોષકારક સ્થિતિ નહોતી. આ મનોમંથનથી ગુજરાતે પોતે જ પોતાના શહેરી ક્ષેત્રોની સમસ્યાના ઉકેલનો માર્ગ શોધવો પડે તેનું બીજ પ્રગટયું અને ૨૦૦૫ના શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી નગરો અને મહાનગરોના વહીવટ અને જનસેવા સુવિધામાં ગુણાત્મક બદલાવનો વિશાળ પ્રતિસાદ અને સહયોગનું વાતાવરણ ઉભું થયું તેની વિષદ રૂપરેખા મુખ્યમંત્રશ્રીએ આપી હતી.

શહેરી વિકાસ માટેના પહેલરૂપ સુધારાત્મક પગલાંની બાબતમાં ગુજરાતે સમગ્ર દેશમાં પ્રેરણા આપી છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, દરેક શહેરમાં જનપ્રતિધિઓ વિકાસ માટેનું સપનું જોતા થયા છે. શહેરી વહીવટને સક્ષમ બનાવવાનો દ્રષ્ટિકોણ ઉભો થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના કુલ ૭૦૦૦ કરોડની છે અને આજે રૂ.૫૬૨ કરોડની પ્રથમ હપ્તાની ગ્રાંટ ફાળવી છે. સને ૨૦૦૧માં આખા શહેરી વિકાસ વિભાગનું બજેટ જ રૂ.૨૪૧ કરોડ હતું જયારે આજે એક જ શમિયાણામાં ૧૫૯ નગરો અને સાત મહાનગરોને રૂ.૫૬૨ કરોડ મળ્યા છે ત્યારે આજનો સંકલ્પ એ જ હોય કે દરેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા આગામી પહેલી મે સુધીમાં પ્રત્યેક શહેરના વિકાસના પેરામીટર્સનું પરર્ફોમન્સ કરી બતાવશે. જે નગરપાલિકા પ્રથમ હપ્તાની હેતુપૂર્વક ગ્રાન્ટ સમયબધ્ધ ઉપયોગ કરે તેને બીજો હપ્તો તત્કાળ મળે અને જે ના કરી શકે તેની ગ્રાંટની રકમ જે નગરે ઉત્તમ કામ કર્યું હોય તેને વિશેષ પુરસ્કારરૂપે મળે. દરેક શહેરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થા વિકાસની સ્પર્ધાનું વાતાવરણ બને તેવો અનુરોધ કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આખા દેશમાં ગુજરાતના વિકાસની નીતનવી સિધ્ધિઓની ચર્ચા ચાલી રહી છે ત્યારે શહેરી વિકાસની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ શા માટે કદમથી કદમ મીલાવી ન શકે ? તેવું આહ્વાન મુખ્યમંત્રીએ શહેરી ક્ષેત્રના વહીવટ સાથે જોડાયેલા સાડા ત્રણ હજાર જેટલા જનપ્રતિનિધિઓને કર્યુ હતું.

૪૦ ટકા શહેરી જનતા જનાર્દનની સુખાકારીની જવાબદારીનો અહેસાસ કરાવવા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આહવાન કર્યું હતું.

શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરી વિસ્તારોના સર્વાંગિણ વિકાસ માટે રૂ.૭૦૦૦ કરોડની મહત્વાકાંક્ષી યોજનાની ભૂમિકા આપી હતી. શહેરી વિકાસના ભાવિ આયોજનો માટે શહેરી માળખાકીય સુવિધા વિશ્વકક્ષાની બનાવવાની મુખ્યમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પહેલની તેમણે વિષદ છણાવટ કરી હતી. શહેરી વિકાસ માટેના બજેટમાં દસગણો વધારો કરીને શહેરી જનસુખાકારીના નવા આયામો ગુજરાતે મુખ્યમંત્રીશ્રીના કુશાગ્ર નેતૃત્વમાં સર કર્યા છે અને આ વર્ષે રૂ.૩૦૧૫ કરોડનું માતબર બજેટ શહેરી જનસુખાકારી અને શહેરી વિકાસની ભાવિ જરૂરિયાતો સંતોષવા રાજ્ય સરકારે આપ્યું છે. સૌનો સમ્યક વિકાસ અને પાયાના સુખાકારીના કામો એ વર્તમાન સરકારની નેમ છે તેમ તેમણે જણાવ્યું હતું.

પ્રારંભમાં શહેરી વિકાસ અગ્રસચિવ શ્રીમતી ગૌરી કુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે અમદાવાદ જિલ્લા પ્રભારી મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા, વન મંત્રી શ્રી મંગુભાઇ પટેલ, ઉર્જા રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, સંસદીય સચિવ શ્રી જયદ્રથસિંહ પરમાર સહિત પદાધિકારીશ્રીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Explore More
প্ৰতিগৰাকী ভাৰতীয়ৰ তেজ উতলি আছে: মন কী বাতত প্ৰধানমন্ত্ৰী মোদী

Popular Speeches

প্ৰতিগৰাকী ভাৰতীয়ৰ তেজ উতলি আছে: মন কী বাতত প্ৰধানমন্ত্ৰী মোদী
GST cuts ignite car sales boom! Automakers plan to ramp up output by 40%; aim to boost supply, cut wait times

Media Coverage

GST cuts ignite car sales boom! Automakers plan to ramp up output by 40%; aim to boost supply, cut wait times
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
য়েল মিডিয়া কৰ্ণাৰ 14 নৱেম্বৰ 2025
November 14, 2025

From Eradicating TB to Leading Green Hydrogen, UPI to Tribal Pride – This is PM Modi’s Unstoppable India