મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં આવેલા જગપ્રસિધ્ધ શકિતપીઠ ત્રિપૂરા સુંદરીમાતાના મંદિરમાં જઇને ભકિતભાવપૂર્વક પૂજન અર્ચન કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી આજે બપોરે ત્રિપૂરા સુંદરીમાતા મંદિરે આવી પહોંચ્યા ત્યારે મંદિરના ટ્રસ્ટીમંડળ તેમજ રાજસ્થાન ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તથા ગુજરાતી સમાજના હોદ્દેદારોએ તેમનું ભાવભર્યું અભિવાદન કર્યું હતું