મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપત્તિ નિવારણ-વ્યવસ્થાપનની આંતરરાષ્ટ્રીય પરિષદનું અમદાવાદમાં ઉદ્દધાટન કરતા જણાવ્યું હતું કે ર૧મી સદીના પ્રથમ દશકમાં જ ગુજરાતે દેશ અને દુનિયામાં દિશાદર્શક એવું આપત્તિ વ્યવસ્થાપનનું નિર્ણાયક યોગદાન આપ્યું છે.

વિનાશક ભૂકંપ પછી આફતોને અવસરમાં બદલવાની ક્ષમતા ગુજરાતે પૂરવાર કરી છે અને સમગ્રતયા આપત્તિ વ્યવસ્થાપનને સુગ્રથિત મોડેલ તરીકે વિકસાવીને સમાજને આપત્તિ સમયે સુરક્ષિત કરવા જનશિક્ષાનું તથા કાનૂની સુરક્ષાનું નેટવર્ક ઉભૂં કરવામાં ગુજરાત પ્રથમ રાજય બન્યું છે એમ તેમણે અમદાવાદમાં યોજાયેલી આપત્તિ નિવારણની આ પરિષદમાં ઉપસ્થિત વિદેશી તજ્જ્ઞો, ભારતના વિવિધ રાજ્યોના અધિકારીઓ તથા ઇજનેરો સમક્ષ જણાવ્યું હતું.

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ, આઇઆઇટી, ગુજરાત અને અન્ડરરાઇટર્સ લેબોરેટરી, ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે યોજાયેલી આ પરિષદમાં ખાસ કરીને આગ-અકસ્માત સુરક્ષા અને ભૂકંપ એન્જીનિયરીંગ ક્ષેત્રમાં આપત્તિ નિવારણ વિષયક પેનલ-ચર્ચાસત્રો યોજવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતનું ભૂ-ભૌગોલિક માઇક્રો-મેપીંગ સેટેલાઇટ ટેકનોલોજીનો વિનિયોગ કરીને હાથ ધરનારૂં એકમાત્ર ગુજરાત છે એટલું જ નહીં, છેક ગ્રામ્યસ્તરના પાયાના સરકારી કર્મયોગીથી લઇને રાજયસ્તરના સચિવ સુધી આપત્તિને પહોંચી વળવા જ નહી, પરંતુ આપત્તિનું નિવારણ કરવાની ક્ષમતા સાથે આપત્તિ વ્યવસ્થાપનનું સુગ્રથિત તંત્ર ગુજરાત સરકારે કાર્યરત કરેલું છે.

આપત્તિ નિવારણ અને વ્યવસ્થાપન ક્ષેત્રને સંસ્થાગત સ્વરૂપ તરીકે સુઆયોજિત સર્વગ્રાહી મોડેલ તરીકે વિકસાવવામાં ગુજરાત સરકારે માનવશકિત પ્રશિક્ષણ વિકાસ અને ટેકનોલોજી અપગ્રેડેશનનો વિનિયોગ કરવામાં કાનૂની અને નિયમન તંત્રનું પીઠબળ પુરૂં પાડયું છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

રાજ્યના શહેરોમાં આફતને પહોંચી વળવા માટે નગરપાલિકાઓને આધુનિકત્તમ અગિ્નશમન અને આપત્તિવ્યવસ્થાપનમાં તત્કાળ રાહત બચાવના સંસાધનોથી સુસજ્જ કરવામાં આવી છે અને શાળાઓમાં સુરક્ષાના પ્રોજેકટનો અમલ કરવામાં ગુજરાત અગ્રેસર રહયું છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

ર૧મી સદીની બદલાતી જીવનશૈલીથી ઉભા થતા આકસ્મિક પડકારો અને શહેરીકરણ તથા ઔઘોગિકરણની ઝડપને ધ્યાનમાં રાખીને ગુજરાતે આપત્તિ-નિવારણ માટે જનશકિતનું ક્ષમતા-સંવર્ધન કરવા જનશિક્ષા ઉપર ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે તેની રૂપરેખા આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે માળખાકીય સુવિધા અને વ્યવસ્થાપનની સફળતાનો આધાર કોઇપણ આફતમાં સમયસર તેનો વિનિયોગ થાય છે કે કેમ તે જ રહી છે અને તેથી લોકશિક્ષણ નિર્ણાયક પધ્ધતિથી અનિવાર્ય બની જાય છે.

આ સંદર્ભમાં, મુખ્યમંત્રીશ્રીએ આપત્તિ નિવારણ અને વ્યવસ્થાપનનું પ્રશિક્ષણ વિશેષ કરીને સમાજની નારીશકિતને આપવાનું પ્રેરક સૂચન કર્યું હતું અને જણાવ્યું હતું કે નાની ક્ષતિઓ અને ભૂલોની નિષ્કાળજી મોટી આફતને નોતરી શકે છે ત્યારે નારીસમાજને આપત્તિ નિવારણ માટે સંવેદનશિલ પ્રશિક્ષિત કરીને તેને સંસ્થાગત સ્વરૂપે વિકસાવવાની વ્યવસ્થા જરૂરી છે.

મુખ્યમંત્રીશ્રીએ આપત્તિ આવે ત્યારે વ્યવસ્થાપનના સુગ્રથિત પ્રબંધની સાથે સાથે આપત્તિ નિવારવા માટેની જનજાગૃતિ અને જનશિક્ષણ ઉપર પણ ભાર મૂકયો હતો.

ઉદ્‍ધાટન સત્રમાં યુ.એલ. ઇન્ડીયાના મેનેજિંગ ડિરેકટરશ્રી આર. એ. વૈંકટચલ્લમ, આઇઆઇટી ગુજરાતના નિયામક પ્રો. સુધીર જૈન, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના મુખ્ય કાર્યવાહક અધિકારી ડો. આર. બેનરજી અને અધિક મુખ્ય કાર્યવાહકશ્રી વી. થીરૂપુગલે ગુજરાતમાં આપત્તિવ્યવસ્થાપન ક્ષેત્રના નવા આયામો અને પડકારોને પહોંચી વળવાના કાર્યવ્યૂહની ભૂમિકા આપી હતી.

આ પ્રસંગે, ગુજરાત વીજ નિયંત્રણ સત્તામંડળના અધ્યક્ષ ડો. પી. કે. મિશ્રા, મહેસૂલના અગ્ર સચિવશ્રી આર. પનિરવેલ પણ ઉપસ્થિત રહયા હતા.

Explore More
Blood of every Indian is on the boil: PM Modi in Mann Ki Baat

Popular Speeches

Blood of every Indian is on the boil: PM Modi in Mann Ki Baat
India to remain a bright spot amid global uncertainty: World Bank's Auguste Kouame

Media Coverage

India to remain a bright spot amid global uncertainty: World Bank's Auguste Kouame
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Social Media Corner 27th June 2025
June 27, 2025

Appreciation from Citizens Praising PM Modi’s Leadership Ensuring Growth From Coastlines to Markets