'डबल इंजन' सरकार के तहत स्वास्थ्य सेवाओं में काफी सुधार हुआ है: बोटाड में पीएम मोदी

ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જય... ના અવાજો)


ગઈ કાલે જ્યાં સૂરજનું પહેલું કિરણ પડે છે એ અરુણાચલ પ્રદેશમાં સવારે શરૂઆત કરી. કાશીવિશ્વનાથની ધરતી ઉપર કાર્યક્રમ કરી, જ્યાં સૂરજ આથમે છે છેલ્લે એ પશ્ચિમમાં દમણ આવ્યો, વાપી,વલસાડ, વેરાવળ, ધોરાજી, અમરેલી, અને હવે આ બોટાદ. આ એક જ દિવસમાં હું જ્યાં જ્યાં ગયો છું, અને જે રીતે લોકોનો ઉમંગ અને ઉત્સાહ જોયો છે, લોકોના જે આશીર્વાદ જોયા છે.
અમારા ટીવીવાળા એક્ઝિટ પોલ કરતા હોય છે, સર્વે કરતા હોય છે. છાપાવાળા લેખો લખતા હોય છે. પણ હું મારા પ્રવાસ પછી કહી શકું કે ગુજરાતની જનતાએ અભુતપૂર્વ વિજય અપાવવાનું નક્કી કરી દીધું છે. અને આ બોટાદ એનું જીવતું – જાગતું સાક્ષી છે. આ વિરાટ જનસાગર, એ વાતની ગવાહી પુરે છે કે ચુંટણી પરિણામો નક્કી કરી દીધા છે, લોકોએ. અને સૌરાષ્ટ્રમાં હું જ્યાં જ્યાં ગયો છું, બાકી વિસ્તારોમાં જવાનું હજુ બાકી છે, આ વખતે વિપક્ષના ડબ્બા ગુલ. એક જ અવાજ સંભળાય છે બધેથી,


ફિર એક બાર (ઑડિયન્સમાંથીઃ- મોદી સરકાર...)


ફિર એક બાર (ઑડિયન્સમાંથીઃ- મોદી સરકાર...)


ફિર એક બાર (ઑડિયન્સમાંથીઃ- મોદી સરકાર...)


ગુજરાત અને ભાજપનો સંબંધ બહુ અતુટ છે. એમાંય બોટાદનો તો અમારા જનસંઘના જમાનાથી સંબંધ ભાઈ, જનસંઘને જે કોઈ ઓળખતું નહોતું, જે જમાનામાં. હજુ તો શરૂઆત હતી, દીવાલો ઉપર દીવડા ચિતરતા હતા, આપણે. કોઈ ઓળખતું નહોતું. એ વખતે બોટાદની જનતાએ આપણને પારખી લીધા હતા, અને પોંખી લીધા હતા, ભાઈઓ, અને બોટાદમાં પહેલી નગરપાલિકા જનસંઘની બની હતી. અને ખુદ પંડિત દીનદયાળ ઉપાધ્યાય બોટાદ આવીને અહીંની જનતાનો આભાર માન્યો હતો.


આ પારખુ જનતાની ભુમિ એટલે અમારું બોટાદ. અને જે બોટાદે અમને પારખ્યા, એના પછી તો મને આવતા આવતા, ત્રણ પેઢી નીકળી ગઈ. પણ બોટાદે ક્યારેય સાથ છોડ્યો નહિ. આ પંથકે સાથ છોડ્યો નહિ. અને એટલા માટે આજે હું તમારા આશીર્વાદ લેવા તો આવ્યો છું પણ તમારો આભાર માનવા પણ આવ્યો છું, ભાઈઓ.


આપ જાણો છો? પહેલા ચુંટણીઓ થતી હતી, તો એ ચુંટણીઓમાં એમના બાપુજી શું કરતા હતા, એમના દાદા શું કરતા હતા, એમના કાકા-મામા શું કરતા હતા, એમનું કુટુંબ કેવડું મોટું હતું, એના આધારે વોટ માગતા હતા. પછી જમાનો આવ્યો, એ ફલાણી જાતિના છે, ઢીકણી જાતિના છે, ફલાણી જાતિના છે, એના આધારે વોટ માગો. પછી જમાનો આવ્યો, ભઈ, એ તો માથાભારે છે, જો સાચવજો, આપણે વોટ આપી દો ને, નકામું...


આવા વાતાવરણમાં ચુંટણીઓ ચાલતી હતી અને પછી એક જમાનો આવ્યો, ચુંટણીનો મુદ્દો શું હોય? તમે આટલા ખાઈ ગયા હતા, તમે આટલું લૂંટી લીધું હતું. તમે આટલા ગોટાળા કર્યા હતા. તમારા ભત્રીજાએ આમ કર્યું હતું, તમારા દીકરાએ આમ કર્યું હતું. ચુંટણીના મુદ્દા ગોટાળાઓથી ભરેલા પડ્યા હતા. છાપામાં હેડલાઈનો રહેતી, આટલા કરોડનું કર્યું, આટલા કરોડનું આમ કર્યું. આ ભારતીય જનતા પાર્ટીનો જ્યારથી ગુજરાતમાં વિજયધ્વજ ફરકાણો છે, અને હવે ગોટાળાની નહિ, ચુંટણીનો મુદ્દો હોય છે, વિકાસનો મુદ્દો.


વિકાસનો મુદ્દો બનાવવાનું કામ હિન્દુસ્તાનની રાજનીતિમાં, ગુજરાતે એની પહેલ કરી, ભાજપે પહેલ કરી અને વિકાસને પ્રાથમિકતા આપીને આજે હિન્દુસ્તાનની બધી પોલિટિકલ પાર્ટીઓને ચુંટણીમાં વિકાસની વાત કરવા માટે મજબુર દીધા છે, ભાઈઓ. અને આજે જ્યારે હું એવી અહીંયા ભુમિ ઉપર આવ્યો છું કે આમાં રાજકોટેય અડે, અમારા કુંવરજીભાઈ અહીંયા બેઠા છે, અહીંયા ધંધુકાય અડે, અહીંયા બોટાદ પણ અડે, એટલે બોટાદ એવું છે, બધાને સમાવે એવું.


અને જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે મને ખબર હતી, જેમ આજે ઉદ્યોગ એટલે વાપી, વલસાડ, એની ચર્ચા થાય છે ને, બોટાદના નવજવાનો, સૌરાષ્ટ્રના નવજવાનો, અમદાવાદ જિલ્લાના નવજવાનો, મારા શબ્દો લખી રાખજો, એ દિવસ દૂર નહિ હોય, જ્યારે વલભીપુર, ધંધુકા, ધોલેરા, બોટાદ, ભાવનગર, આખો પટ્ટો ગુજરાતમાં ઔદ્યોગિક રીતે સૌથી ધમધમતું ક્ષેત્ર હશે.


આ એ ભુમિ છે, તમારી પડોશમાં જ વિમાનો બનવાના છે, ભાઈઓ. જે ગુજરાતમાં સાઈકલ નહોતી બનતી ને ત્યાં હવે વિમાન બનવાના છે. ગુજરાતના જુવાનીયાઓનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે, એનું આ ઉદાહરણ છે. અને એટલે જ બોટાદ જિલ્લો બનાવવાનો જ્યારે વિચાર આવ્યો હતો, અને સૌરાષ્ટ્રમાં ચાર જિલ્લા નવા બનાવ્યા હતા. પ્રમાણમાં નાના હતા પરંતુ મને ખબર હતી કે આ આખી નવી રચના છે, એ ગુજરાતના ભાગ્યને બદલવા માટે પાયાનું કામ કરી રહી છે.


ફેરી સર્વિસ, રો-રો ફેરી સર્વિસ. ભાવનગરને દક્ષિણ ગુજરાત સાથે જોડે છે, એ પણ વિકાસ માટેનું મોટું માધ્યમ બનવાનું છે. ગુજરાતને તેજીથી વિકાસ માટેનું આ કેન્દ્ર બનવાનું છે. જે કદાચ ગણતરીમાં નહોતું. એ વિકાસની મોટી પહેલ આ ભુમિમાં થવાની છે, ભાઈઓ. અને એટલા માટે મારો મત રહ્યો છે, અને હું જ્યારે અહીંયા જિલ્લાના ઉદઘાટન સમારંભમાં આવ્યો હતો, ત્યારે મેં કહ્યું હતું કે આ બોટાદ અને આખા પટ્ટામાં વિકાસ માટેની અનેક સંભાવનાઓ પડેલી છે.


એ જુના લોકો અહીંયા બેઠા હશે, તો યાદ હશે. અને આજે અમે એ સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છીએ, એ સંકલ્પ લઈને, અને ગુજરાતના યુવાનોની આકાંક્ષાઓ, ગુજરાતના યુવાનોનું સામર્થ્ય, એને આવતીકાલના ગુજરાતના નિર્માણ સાથે જોડવા માટેનું ગુજરાતમાં 21મી સદીમાં મારું ગુજરાત કેવું ધમધમતું હોય, 21મી સદીમાં મારું ગુજરાત કેવું મજબુતીથી આગળ આવે એના માટે કામ ચાલે છે.
જે ગામોમાં આજે, અને જ્યારે કામ કરતા હોઈએ એટલે અપેક્ષા વધારે રહે. ઘરમાં પણ દીકરો નાપાસ થતો હોય ને તો મા-બાપને એટલી જ ઈચ્છા હોય કે આ વર્ષે પાસ થઈ જાય તો સારું. પણ ફર્સ્ટ કલાસ લાવતો હોય તો મા-બાપની ઈચ્છા હોય કે ભઈ, જરા ટકા વધારે લાવ ને. 80 લાવે તો મા-બાપને થાય કે 90 ટકા લાવ ને. આ મનુષ્યનો સ્વભાવ છે.


પહેલા સરકારો હતી, લોકો હેન્ડ પંપ માગતા હતા. અમારી સરકાર આવી તો લોકો કહે છે કે ઘરમાં નળથી પાણી આવે, એવું કરી દેજો હોં, મોદી સાહેબ. પહેલા કહેતા હતા કે માટીકામ કરાવી દેજો. હવે અમને કહે છે કે સાહેબ, પેવર રોડ જોઈએ, પેવર રોડ. સિંગલ પટ્ટી ના ચાલે, અમારે તો ફોર-લેન રોડ જોઈએ. આ જે ભાવના ગુજરાતમાં જાગી છે ને, એ ગુજરાતની પ્રગતિની તાકાત બતાવે છે, ભાઈઓ. અને એ વાતાવરણ બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કર્યું છે.


આજે જે ગામમાં સડક હોય તો ગામવાળા રજુઆત કરવા આવે કે સાહેબ, હવે ટ્રેન આવે એવું કરો. ટ્રેન આવતી હોય, તો કહેવા આવે કે સાહેબ હવે બહુ થઈ ગયું, હવે એરપોર્ટ બનાવો ને. એરપોર્ટ બની ગયું હોય તો એમ કહે કે સાહેબ, બે જ વિમાન આવે છે, આઠ આવે એવું કરો ને. આ અમારું કામ છે, ભાઈઓ. જ્યાં એક ડિસ્પેન્સરી ના હોય ત્યાં લોકો આજે અમારી પાસે હોસ્પિટલની માગણી કરે છે.


મેડિકલ કોલેજ બને એની અપેક્ષા કરે છે. કારણ? અમે વિકાસના બીજનું વાવેતર કર્યું છે. અને એના કારણે પ્રત્યેક ગુજરાતીના મનમાં વિકાસની નવી ઊંચાઈઓ પાર કરવાનું મન થાય છે અને મારા યુવાનીયાઓનું તો જોમ ધખધખી રહ્યું છે કે વિકાસમાં નવી ઊંચાઈઓ ઉપર પહોંચવું છે.


સ્કૂલો સ્માર્ટ બને એના માટેની ચિંતા, કોલેજોમાં પ્રોફેશનલ કોર્સીસ શરૂ થાય એના માટે, આ આકાંક્ષા ગુજરાતમાં જોવા મળે છે, એના મૂળમાં વિકાસનું વાતાવરણ આપણે કર્યું છે. વિકાસનું વાવેતર આપણે કર્યું છે. વિકાસના સંકલ્પ કર્યા છે. વિકાસની સિદ્ધિઓ કરી છે, અને એના કારણે આપણને આ પરિણામ મળ્યું છે, ભાઈઓ. 20 વર્ષ પહેલા તો પ્રાથમિક જરુરીયાતોના ફાંફા પડતા હતા. એના એ લક્ષ્યો કેમ પુરા કરવા, હવે તો? હવે તો મારે ભવ્ય અને વૈભવશાળી ગુજરાત. આ સપનું જોઈને આગળ વધવું છે, ભાઈઓ. અને એટલા માટે મને તમારા આશીર્વાદ જોઈએ છે. અમારા ભુપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતની સરકાર અનેક દિશાઓમાં આજે પ્રગતિના નવા સોપાન ચલાવી રહી છે. એમની જે ઔદ્યોગિક પોલિસી, ગુજરાત સરકાર લાવી છે, ભુપેન્દ્રભાઈના નેતૃત્વમાં, એમાં લઘુઉદ્યોગો માટે સૌથી વધારે સંભાવનાઓ ઉભી થઈ છે. અને લઘુઉદ્યોગો, એ રોજગાર તો આપે જ, પરંતુ નાના નાના માણસોને ઉદ્યોગપતિ બનાવવા માટેના દરવાજા ખોલી નાખતું હોય છે, ભાઈઓ.


આજે ગુજરાતની અંદર શિક્ષણમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ, આજે અભિયાન ચાલ્યું છે, એ હિન્દુસ્તાન માટે મોડલ બની રહ્યું છે. હિન્દુસ્તાનના અનેક શિક્ષા મંત્રીઓ આવીને, એનો અભ્યાસ કરવા માટે અહીં આવ્યા હતા.


ભાઈઓ, બહેનો,


ગુજરાતના શિક્ષણમાં પણ હવે તો ફાઈવ-જીનો યુગ શરૂ થઈ જવાનો છે. 20,000 સ્કૂલ, ફાઈવ-જીના દોરમાં પ્રવેશ કરે એ દિશામાં કામ ચાલી રહ્યું છે. અને ગુજરાતમાં તેજ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર બને, તેજ ગતિથી ગુજરાત આગળ વધે, સિંચાઈની પરિયોજનાઓ નવી બને, નવી સડકો બને, નવી હોસ્પિટલો બને, આ દિશામાં ભુપેન્દ્રભાઈ અને એમની આખી પુરી ટીમ પુરી જહેમત લઈને કામ કરી રહી છે. અને ભાજપનો તો સંકલ્પ જ છે, ભાઈઓ. જે સંકલ્પ અમે લઈએ, એને અમારી આંખો સામે સિદ્ધ કરીએ છીએ. એને પરિપૂર્ણ કરવા માટેનો અમારો પ્રયાસ ચાલતો હોય છે, અને એમાં અમારી માતાઓ, બહેનોનું યોગદાન, અમારા અનેક નવસાથીઓ, એમનું જે યોગદાન રહ્યું છે, એને હું જરાય ઓછું નથી આંકતો.


ભાઈઓ, બહેનો,


તમને બરાબર યાદ હશે, આ બોટાદ શહેરની આસપાસ ગામડાઓમાં પાણીની સ્થિતિ કેવી હતી? અહીં અમારા ધંધુકાના ઉમેદવાર બેઠા છે. મને યાદ છે, ધંધુકાવાળા શું કહે? ભઈ, દીકરીને બંદુકે દેજો, પણ ધંધુકે ના દેતા. આવું કહેતા હતા. અમારા રાણપુરમાં મને યાદ છે, જ્યારે ચેક ડેમ બનાવ્યા, પાણી આવ્યું અને રાણપુરની અંદર પાણી આમ ઉભરાતા ફોટા આવ્યા, તો અમારા રાણપુરના લોકોએ મને પત્ર લખ્યો હતો કે સાહેબ, અમે તો પાણી કોઈ દિવસ જોયું નહોતું, ને આજે અમારા રાણપુરમાં પાણી દેખાણું છે.


આપણી બહેનોને પાણી માટે કેટલી બધી મહેનત કરવી પડતી હતી. કેટલું બધું કષ્ટ વેઠવું પડતું હતું. મને યાદ હતું, એ વખતે તો હું સંઘના કામ માટે પ્રવાસ કરું ત્યારે મને કહે કે સાહેબ, તમે આવો, કાર્યક્રમ કરો, પણ રાત રોકાતા નહિ. કેમ? તો સવારમાં નાહવા માટે બાલદીભર પાણી આપવું બહુ મુશ્કેલ પડે છે, અમારે. આવા દિવસો મેં આ પટ્ટામાં જોયેલા છે, ભાઈઓ. અને આપણે જ્યારે સૌની યોજના લઈને આવ્યા, સરદાર સરોવર કેનાલ નેટવર્ક લઈ આવ્યા, મહી યોજનાનું પાણી લઈ આવ્યા, અને આખી તાસીર બદલી નાખી.


આજે નળથી ઘરમાં જળ જાય, એના માટે કામ કર્યું અને ખેતરે ખેતરે પાણી પહોંચે એના માટે કામ કર્યું અને એના કારણે ગુજરાતનો ખેડૂત ત્રણ ત્રણ પાક લઈ રહ્યો છે, અને હજુય આ કામ અટક્યું છે એવું નહિ, પુરું થઈ ગયું છે, એવું નહિ. અમે તો નિરંતર નવું નવું કામ શોધવાની, અમને તો નવા કામ કરવાની ભુખ છે, ભાઈઓ. જેથી કરીને ગુજરાતની, ઉજ્જવળ ભવિષ્ય થાય, ગુજરાતની આ પેઢીઓને, આવનારા 100 વર્ષ સુધી પાછા વળીને જોવું ના પડે, એવું મજબુતીનું કામ કરવું છે. અને એટલા માટે આ 25 વર્ષ ખુબ મહત્વના છે, ભાઈઓ. આ ચુંટણી પાંચ વર્ષ માટે નથી, આ ચૂંટણી, 25 વર્ષનું ગુજરાત કેવું હશે, એના માટે છે, ભાઈઓ.


અને એટલા માટે, અને જ્યારે સૌની યોજના લિન્ક – 2 અને પેકેજ – 7, આનું ઉદઘાટન કરવાનો મને મોકો મળ્યો હતો અને એનાથી બોટાદ જિલ્લાના અનેક ગામોને લાભ મળવાનો છે. ભાઈઓ, બહેનો, વીજળીથી આપણે જીવનના અંધકારને દૂર કરવાનું કામ કર્યું છે. વીજળીની કેવી સ્થિતિ હતી? મને યાદ છે, હું જ્યારે ગુજરાતમાં આવ્યો, ત્યારે લોકો કહે કે સાહેબ, સાંજે વાળું કરતી વખતે વીજળી આપજો ને... અમારા રત્નકલાકારો સુરતની અંદર એક એક કોટડીમાં 20 – 20, 25 – 25 લોકો રહે, ઊંઘવા માટે પણ પાળી બનાવવી પડે.


આજે 24 કલાક વીજળી આવી, તો અમારા આખા બોટાદ પંથકની અંદર હીરાનું કામ શરૂ થઈ ગયું. ઘેર મા-બાપ જોડે રહે, ખેતર, પશુપાલન, બધુ સંભાળે. ટાઈમ મળે ત્યારે હીરો ઘસે. અને એક પડીકીમાં લઈ જઈને આપી આવે, સુરતમાં. આ સ્થિતિ આપણે પેદા કરી દીધી. કારણ? જ્યોતિગ્રામ યોજના. આ જ્યોતિગ્રામ યોજનાએ આ તાકાત ઉભી કરી છે. જેના કારણે ગામડે ગામડે આવા એક ગૃહ ઉદ્યોગો જેવી સ્થિતિ આપણે પેદા કરી છે. અને એના કારણે અમારા સુરતમાં ગયેલા કારીગરો હવે બોટાદમાં પાછા આવીને રહેવા માંડ્યા. ભાવનગર પંથકમાં પાછા રહેવા માંડ્યા.


ભાઈઓ, બહેનો,


પઢાઈની વાત હોય, કમાઈની વાત હોય, દવાઈની વાત હોય કે સિંચાઈની વાત હોય, આ બધા જ ક્ષેત્રમાં આજે સુવિધાઓની બાબતમાં ગુજરાત આગળ રહ્યું છે. ગુજરાતનો અમારો ખેડૂત, આ વખતે તો મગફળી, કપાસ, તેજી એવી છે ને, હવે તો કોટનમાંય આપણે ટેક્ષ્ટાઈલ પાર્ક બની રહ્યો છે, અહીંયા કપાસ ઉગાડનાર ખેડૂતોને વેલ્યુ એડિશન માટેનો મોટો અવસર મળવાનો છે.


ભાઈઓ, બહેનો,


આપણે ત્યાં કહ્યું છે કે બાકી બધું હોય, પણ જો સ્વાસ્થ્ય ઉત્તમ ના હોય તો બધું નકામું. સ્વાસ્થ્યની માટે આપણે ત્યાં બહુ માહાત્મ્ય આપ્યું છે. તમે ગમે તેટલું ભણેલા ગણેલા હો, પરંતુ તમે જો માંદા રહેતા હોય, દુબળા પાતળા રહેતા હોય, ઠેકાણા ના હોય તો આ બધું કામનું નહિ. આપણે ગુજરાતને પણ સ્વસ્થ ગુજરાત બનાવવાનું અભિયાન ઉપાડ્યું. ગુજરાતના પ્રત્યેક નાગરિકને સ્વસ્થ બનાવવાનું અભિયાન ઉપાડ્યું. અને દસકો સુધી જે સરકારો રહી, એમણે તો સ્વાસ્થ્યને, હેલ્થને લોકોના ઉપર છોડી દીધી હતી, જાણે સરકારની કોઈ જવાબદારી જ નહિ, કોઈ પુછનાર નહોતું. હાલત એટલી ખરાબ હતી, એ દિવસોમાં, કે ના શહેરોમાં સારા કોઈ હોસ્પિટલો હતા, ના ગામડામાં કોઈ પુછતાછ કરવાવાળું હતું.


એટલું જ નહિ, અમારી ગર્ભવતી માતાઓ, એને હોસ્પિટલમાં ડિલિવરી માટેની સુવિધા નહોતી. અને મુસીબત હોય ને લઈ જવાની હોય તો રસ્તામાં જ બિચારીનું પ્રાણપંખેરું ઊડી જતું હતું. અનેક બાળકો કુપોષણને કારણે મૃત્યુ પામતા હતા, એવા દિવસો હતા. ઈમર્જન્સી આવી પડે, માંદગીમાં તાકીદની જરુરીયાત હોય, તો આપણને એમ્બ્યુલન્સ મંગાવવી હોય તો ના મળે. અને એક જમાનો એવો હતો, ખબર ના પડે કે આ ડેડબોડી વાન છે કે એમ્બ્યુલન્સ વાન છે, એવી દુર્દશા હતી.


પેટ્રોલના અભાવે એમ્બ્યુલન્સો નહોતી ચાલતી, એવા ગુજરાતમાં આજથી 25 વર્ષ પહેલા છાપામાં સમાચારો આવતા હતા, ભાઈઓ. કોઈને હાર્ટ એટેક આવી જાય, કોઈની તબિયત અચાનક બગડે, એને હોસ્પિટલ ઉપર કેમ પહોંચાડવો અને આખરે એનું બિચારાનું પ્રાણપંખેરું ઊડી જતું હતું. જે શહેરોમાં હોસ્પિટલ હોય, બિલ્ડિંગ તો બન્યું હોય, પણ ડોક્ટરો ના હોય, ઠેકાણા ના હોય, નર્સિંગ સ્ટાફના નામ-નિશાન ના હોય. જ્યારે નર્સિંગ સ્ટાફ હોય તો પછી હોસ્પિટલની અંદર વીજળી ના હોય, દવાઓના ઠેકાણા ના હોય.


આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, અને એણે આખી આ પરિસ્થિતિમાં, સ્વાસ્થ્યના ક્ષેત્રમાં એક બહુ જ મોટો બદલાવ લાવવા માટેનો એક મહાયજ્ઞ આદર્યો છે, ભાઈઓ, બહેનો. આ માનવતાનું મોટું સેવા કરવાનું કામ કર્યું છે, અને એના કારણે જો ઉત્તમ સ્વાસ્થ્ય હોય ને તો જીવન બદલાઈ જાય. અને અમારા સરકારને ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલમાં ડિલિવરી થાય, એના માટે ચિરંજીવી યોજના કરી હતી. પ્રાઈવેટ ડોક્ટરોની સાથે જોડાણ કર્યું હતું. પ્રાઈવેટ ડોક્ટરોને પૈસા આપતા હતા. મહિલાને હોસ્પિટલમાં પ્રસુતિ માટે જાય તો એના પતિને પણ બે – ત્રણ દહાડા રજા લેવી પડે તો પૈસા આપતા હતા.


ભાઈઓ, બહેનો,


આપણે ત્યાં એમ્બ્યુલન્સના ઠેકાણા નહોતા, આપણે 108ની સેવા શરૂ કરી અને જ્યારે હું મુખ્યમંત્રી હતો ને એવરેજ મને અઠવાડિયે પાંચ દસ ફોન એવા આવતા હતા કે ભાઈ, આ 108ના કારણે મારો દીકરો બચી ગયો, મારી દીકરી બચી ગઈ, મારો પરિવાર બચી ગયો. આપણે જ્યારે ચિરંજીવી યોજના કરી તો માતા મૃત્યુ દર, શિશુ મૃત્યુ દર ઘટાડવા માટેનું કામ આદર્યું, અને પછી? ઘેર ગયા પછી પણ બાળકનું મૃત્યુ ના થાય એટલા માટે બાલસખા યોજના શરૂ કરી. જેથી કરીને ડોક્ટર 3 મહિના, 6 મહિના સુધી એ નવા જન્મેલા બાળકની ચિંતા કરે.


કુપોષણ સામે મોટું આંદોલન ચલાવ્યું. આંગણવાડીની અંદર કુપોષણ સામે આંદોલન ચલાવ્યું. આપણે દીકરીઓ સ્વસ્થ હોય તો એના સંતાનો સ્વસ્થ થાય, એટલા માટે દીકરીઓ માટે સબળા અને પૂર્ણા જેવી સ્કિમો લોન્ચ કરી. અમે બાળકો માટે દૂધ સંજીવની યોજનાઓ ચલાવી. જેના કારણે બાળકોને શારીરિક રીતે તકલીફ ના થાય એની ચિંતા કરી આપણે. દીકરીઓ માટે આયર્ન માટેની ટેબલેટો આપવા માટેનું મોટું અભિયાન ચલાવ્યું. સ્કુલોની અંદર મેડિકલ કેમ્પ ચલાવ્યા. અને નાના નાના બાળકો, જેને ચશ્મા જોઈએ એને ચશ્મા આપવાની વ્યવસ્થા કરી. અમે જે બાળકોના હાર્ટના ઓપરેશન કરાવવા પડે, અમદાવાદની અંદર બાળકો માટેની અદ્યતન હોસ્પિટલ બનાવી દીધી.


ભાઈઓ, બહેનો,


એક પછી એક પ્રયોગો કર્યા, એક પછી એક ઉપાયો કર્યા. અને દીકરીઓને લાખો આયર્નની ટેબલેટો આપી અને જેના કારણે એમનું જીવન બદલાઈ ગયું. એ જ રીતે હેલ્થ ચેક-અપ માટેના કાર્યક્રમ કર્યા. ગંભીર બીમારીઓની પહેલેથી ખબર પડે, એની આપણે ચિંતા કરી. સરકારે લાખો મહિલાઓ, દીકરીઓને, બેટીઓને, નાના નાના બાળકોને, એવા લોકો, જેને શારીરિક રીતે, ઉંમર પ્રમાણે વજન ના હોય, ઊંચાઈ ના હોય, 10 કિલો અતિરિક્ત રાશન આપીને એમને પૌષ્ટિક આહાર આપવાની આપણે ચિંતા કરી, અને આ યોજનાની સાથે સાથે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર વધારવા માટે પણ મોટું કામ આપણે ઉપાડ્યું ગુજરાતમાં.


20 વર્ષ પહેલાં ગુજરાતમાં 25,000 આંગણવાડી હતી. આજે 50,000 આંગણવાડી છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં હોસ્પિટલમાં 15,000 નર્સો હતી, આજે ભાજપ સરકારે એ આંકડો 65,000એ પહોંચાડી દીધો છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં 100માંથી 50 ડિલિવરી દાયણો ઘરે કરાવતી હતી. માતાઓ મૃત્યુ પામતી હતી. આજે લગભગ 100 ટકા પ્રસુતિ, ડિલિવરી હોસ્પિટલમાં થાય છે. 20 વર્ષ પહેલા ગુજરાતમાં માત્ર 11 મેડિકલ કોલેજો હતી. આ ભાજપ સરકારમાં આજે 36 મેડિકલ કોલેજોએ પહોંચ્યા છીએ. 20 વર્ષ પહેલા 4 ડેન્ટલ કોલેજો હતી. આજે ભાજપ સરકારે 13 ડેન્ટલ કોલેજો સુધી મામલો પહોંચાડ્યો છે.


20 સાલ પહેલા સરકારી હોસ્પિટલમાં 15,000 બેડ હતા, પથારીઓ 15,000 હતી. આજે આપણે ભાજપની સરકારે 60,000 સુધી પહોંચાડી દીધી છે. 20 વર્ષ પહેલા ગુજરાતની અંદર માત્ર 20 ડાયાલિસીસ સેન્ટર હતા, કિડનીના પેશન્ટ માટે અનેક દિવસો સુધી રાહ જોવી પડતી હતી. અને એના કારણે મૃત્યુદર વધતો હતો. એક જમાનામાં 20 ડાયાલિસીસ સેન્ટર, આજે 300 ડાયાલિસીસ સેન્ટર છે, જેના કારણે ગરીબને પણ મદદ મળે છે. 20 સાલ પહેલા ગુજરાતમાં માંડ 1,000 – 1,200 મેડિકલની સીટો હતી, ભાઈઓ. આજે લગભગ 6,000 – 6,200 જેટલી એમ.બી.બી.એસ.ની સીટો, ગુજરાતના યુવાનોને ડોક્ટર બનવા માટેના દ્વાર ખોલી નાખ્યા છે.


આ ડબલ એન્જિનની સરકારના પરિણામે આજે ગુજરાતમાં સ્વાસ્થ્ય સુવિધાઓ ઉત્તમ થતી જાય છે, અને ડબલ એન્જિનની સરકારે અઢી કરોડ, અઢી કરોડ લોકોને આયુષ્માન ભારતના કાર્ડ, મા યોજનાના કાર્ડ આપ્યા છે. આપણે ત્યાં ગર્ભવતી માતાઓને કુપોષણથી બચાવવા માટે માતૃવંદના યોજના દ્વારા સીધા એના ખાતામાં પૈસા જમા કરી રહ્યા છીએ. ભાજપા સરકારે મિશન અન્નધન યોજના દ્વારા 50 લાખથી વધારે શિશુઓને, બાળકોને ટીકાકરણનું મોટું અભિયાન ચલાવ્યું છે. જેથી કરીને લકવા જેવી બીમારીનો શિકાર ના બને.


ભાજપ સરકારે ગુજરાતના લોકો માટે એઈમ્સ્ જેવી હોસ્પિટલ, સૌરાષ્ટ્રની અંદર એઈમ્સ્ જેવી હોસ્પિટલ બને જે દિલ્હીમાં એક માત્ર હોસ્પિટલ હતી, એવી ગુજરાતમાં બનાવવાની દિશામાં કામ કર્યું છે. અમે દવાઓ સસ્તી મળે, દવાઓ સસ્તી મળે એના માટે જનઔષધિ કેન્દ્રો ખોલ્યા, જેના ઘરમાં ડાયાબિટીસ હોય, 60 – 70 વર્ષની ઉંમરના વડીલો હોય, એમને બબ્બે – ત્રણ ત્રણ હજાર રૂપિયા દવાના બિલ આવતા હતા, અમે દવા 100 રૂપિયામાં દવા મળે, એના માટેની ચિંતા કરી છે, ભાઈઓ.


હૃદયરોગની બીમારી હોય, સ્ટેન્ટ લગાવવાનો હોય, લાખો રૂપિયાનો ખર્ચો હોય, એની ઉપર અમે રોક લગાવીને ઓછા પૈસે દવા થાય એના માટે વ્યવસ્થા કરી. લોકોને આજે ઢિંચણના ઓપરેશન કરવા પડતા હોય છે. એના રૂપિયા ઓછા કરાવી દીધા. કાયદાકીય વ્યવસ્થાઓ ઉભી કરી દીધી. અને આજે કોરોનાની આવડી મોટી લડાઈ આપણે સુખરૂપે પાર પાડી શક્યા, એ લડાઈમાં આપણને જનતા હિંમતથી ટકી રહી. આખી દુનિયામાં હાહાકાર મચી ગયો હતો. અને આપણે ટીકાકરણ જે કર્યું. આટલું મોટું ટીકાકરણ, એના સમાચાર દુનિયાને, સાંભળે તો આશ્ચર્ય થાય છે.


પીપીઈ કિટ નહોતા. આપણે પીપીઈ કિટ બનાવ્યા. નવા ઓક્સિજન પ્લાન્ટ ઉભા કર્યા. અરે, વેન્ટિલેટર નહોતા બનતા આપણા દેશમાં. વેન્ટિલેટર બનાવ્યા. આજે અમારા મનસુખભાઈના નેતૃત્વમાં ટી.બી. મુક્તિનું મોટું અભિયાન ચાલી રહ્યું છે. દેશભરમાંથી લોકોને જોડીને ટી.બી.માંથી મુક્તિ માટે લોકભાગીદારી સાથે એક મોટું અભિયાન ચલાવી રહ્યા છીએ. હિન્દુસ્તાનમાંથી 2025 સુધીમાં ટી.બી.માંથી કોઈ પણ નાગરિક ના ફસાઈ રહે, બધા બહાર નીકળે એના માટેનું અભિયાન ઉપાડ્યું છે.


ગંભીરમાં ગંભીર બીમારીઓમાંથી બચવા માટે એના પણ પ્રિવેન્ટીવ હેલ્થ હોય, ચાહે શૌચાલયની વ્યવસ્થા હોય, પીવાનું શુદ્ધ પાણીની વ્યવસ્થા હોય, ઘર સુધી પાઈપથી પાણી પહોંચે એની વ્યવસ્થા હોય, ચુલાના ધુમાડાના કારણે બહેનો માંદી પડતી હોય તો એમને ઉજ્જવલા દ્વારા ગેસ કનેક્શન આપવાની વાત હોય, આવાં અનેક બાબતો, ધમ, ધમ, ધમ, ધમ, હું બોલી રહ્યો હતો, તમનેય થતું હશે કે આટલા બધા કામ કર્યા છે? હજુ તો મેં બહુ ઓછા કામ કહ્યા છે. ખાલી હેલ્થની જ મેં વાત કરી છે. અને એમાંય બીજા 50 વસ્તુઓ હું જોડી શકું. કહેવાનો મારો મતલબ એ છે.


સ્વસ્થ શરીર, સ્વસ્થ સમાજ માટેની જરુરત હોય છે. સ્વસ્થ દેશ માટે સ્વસ્થ બાળકોની જરુરીયાત હોય છે. અને એટલા માટે આ પાયાના કામ માટે આજે આટલી મહેનત કરી રહ્યા છીએ. લાખો – કરોડો રૂપિયા આપણે ખર્ચી રહ્યા છીએ. જેથી કરીને અમારા સ્વસ્થ ભારતના સપનાંને આપણે સાકાર કરીએ.


આજે કનેક્ટિવિટીનો લાભ બોટાદને મળી રહ્યો છે. અહીંયા કનેક્ટિવિટી જેટલી વધશે, આ સેન્ટર પોઈન્ટ થવાનું અમદાવાદ, બોટાદ, મીટરગેજ રેલવે લાઈન, ટુકટુકિયા ગાડી ચાલતી હતી, આજે બ્રોડગેજ બની ગઈ. અને બ્રોડગેજ બનવાના કારણે મોટી મોટી એક્સપ્રેસ ટ્રેનો, સુપર ફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનો, દરિયાકિનારે જનારો જે ગુડસ સ્ટે હોય, એના માટેનો રસ્તો, આ આખો વિસ્તાર ચેતનવંતો બનાવવાનો છે, આધુનિક બનાવવાનો છે.


આધુનિક કનેક્ટિવિટી તરફ આપણે જોર આપી રહ્યા છીએ. અને એના ઉપર આપણું ફોકસ છે. સડકો મોટી થઈ, આધુનિક રેલવે આવે, એરપોર્ટ બને, પોર્ટ બને, લાખો કરોડો રૂપિયાના નિવેશ સાથે આ ગુજરાતનો દરિયાકિનારો અને ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને સાથે જોડવાનું કામ આપણે કરી રહ્યા છીએ. અમારું ધોલેરા, રાજકોટ, હીરાસર આ એરપોર્ટ બની રહ્યું છે, ભાઈઓ આ ઈન્ટરનેશનલ એરપોર્ટ તમારા પડોશમાં બની રહ્યું છે.


આવનારા દિવસોમાં ઉદ્યોગો લાગશે એમ.એસ.એમ.ઈ.નો વિકાસ થશે. જુવાનીયાઓનું ભવિષ્ય બદલાઈ જશે. અને એટલા જ માટે હું કહું છું કે આખાય પંથકનું ઉજ્જવળ ભવિષ્ય ભાઈઓ. આ ઉજ્જવળ ભવિષ્ય માટે ભારતીય જનતા પાર્ટીને તમે જેટલી શક્તિ આપશો, એટલો આ વિસ્તારના વિકાસ કરવા માટેની અમારી સુવિધા વધવાની છે.


ભાઈઓ, બહેનો,


એ દિવસ દૂર નથી, જ્યારે અમદાવાદ, ધોલેરા, બોટાદ, ભાવનગર, મેં કહ્યું એમ આખો, આખો આ પટ્ટો ઔદ્યોગિક ગલિયારો બની જવાનો છે. એક મોટો કોરિડોર બની જવાનો છે. હવે તો શસ્ત્રો પણ ગુજરાતની ધરતી ઉપર બનવા માંડ્યા છે. શસ્ત્રની બાબતમાં આત્મનિર્ભર બનવામાં ગુજરાત પહેલ કરી રહ્યું છે, ભાઈઓ. અને એના કારણે અહીંયા, આપણે ત્યાં નજીકમાં વિરમગામ પાસે મારુતિ કાર, જાપાનની કંપની, મારુતિ કાર બનાવે અને જાપાનવાળા એ જ કારને ઈમ્પોર્ટ કરે ત્યાં સુધી આજે આપણે પ્રગતિ કરી છે. અને એનો લાભ આ આખાય પટ્ટાને મળવાનો છે. અને એટલા માટે હું કહું છું કે અમારા જુવાનીયાઓના ઉજ્જવળ ભવિષ્યને માટે આપણે આ મહેનત આદરી છે. અમારા બોટાદમાં જી.આઈ.ડી.સી. એસ્ટેટ, એના માટેનું કામ પણ તેજીથી ચાલી રહ્યું છે. કારણ કે એનો પાયો આ ધોલેરાના એસ.આઈ.આર. જોડે જોડાયેલો છે.


ભાઈઓ, બહેનો,


ભારતીય જનતા પાર્ટી એ વિકાસની ગેરંટી છે. અમે વિકાસના રસ્તે આગળ વધવા માગીએ છીએ. અમે મજબુતી લાવવા માગીએ છીએ. જેથી કરીને આવનારી આખી પેઢી, આ આખા 100 વર્ષનું કામ અમે પુરું કરવા માગીએ છીએ. જેથી કરીને ગુજરાતને પાછા વળીને જોવાનો વારો ના આવે. અને એટલા માટે આજે દેશભરમાં ચર્ચા એક જ છે કે ભાઈ, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આ વખતે ભુતકાળના બધા રેકોર્ડ તોડશે, અને હું પણ તમારી પાસે એક કામ લઈને આવ્યો છું.


મારું કામ કહું? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


જરા જોરથી જવાબ આપો તો કહું. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


બધા હાથ ઊંચો કરીને કહો, કહું તમને? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


આ વખતે ભુતકાળમાં ના થયું હોય એના કરતા વધારે વોટિંગ આપણે દરેક પોલિંગ બુથમાં કરાવવું છે. કરાવશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


હાથ ઉપર કરીને કહો, કરાવશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


ભુતકાળમાં ના મળ્યા હોય એના કરતા વધારે વોટ, દરેક બુથમાંથી ભાજપને અપાવશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


કમળને બટન દબાવડાવશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


આજે આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે મેં જે વાતો કરી છે, એ વાતો ઘેર ઘેર પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


ઘરે ઘરે પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


અને બીજી વાત, આ બધા લોકો જે બહારથી આવીને ગુજરાતને બદનામ કરવાનું અભિયાન ઉપાડ્યું છે ને ભાઈ, આ નકારાત્મકતાથી કોઈનું ભલું નથી થવાનું. આ બધા લોકો એમના પોતાના ઘર ભરવા માટેના જિંદગી ખપાવી દીધી છે. આપણે તો ગુજરાતને સમૃદ્ધ બનાવવું છે, ભાઈઓ. ગુજરાતને ચેતનવંતુ બનાવવું છે. અને એના માટે થઈને ભાઈઓ, બહેનો, ભાજપમાં ફરી એક વાર વિશ્વાસ મૂકીને આ અમારા બધા સાથીદારોને તમે વિજયી બનાવો.


આ તમારી શક્તિ બનીને કરશે. ભુતકાળમાં ક્યાંક ક્યાંક ભુલો થઈ છે. નાનું મોટું કંઈક કાચું પડ્યું છે. આ વખતે નક્કી કરો, એકેય ખુણામાં કાચું ના પડવું જોઈએ. બધે પાકું કરવું છે, ભાઈઓ, અને આપણે ગુજરાતમા વિકાસમાં રોડા અટકાવવાવાળા, ગુજરાતને બદનામ કરવાવાળા, વાર-તહેવારે ગુજરાતીઓને ગાળો દેવાવાળા, એ આખી જમાતને અહીંયાથી વિદાય કરવાની જરુરીયાત છે. જેથી કરીને ગુજરાત આપણું ફળે, ફુલે, વિકાસની નવી ઊંચાઈઓ પાર કરે, અને એમાં મને તમારા સાથ અને સહકારની જરુર છે.


ભાઈઓ, બહેનો,


આપને મારી એક વિનંતી છે.


મારું એક કામ છે, કરશો બધા? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


જરા બે હાથ ઉપર કરીને કહો, તો કહું. (ઑડિયન્સ હાથ ઊંચા કરીને હા... ના અવાજો)


કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


પણ પાકે પાયે કરવું પડે હોં. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


મને તમને કામ બતાવવાનો હક્ક ખરો કે નહિ, ખરો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


અને મને, હું જે કામ કહું, એ તમે કરો કે ના કરો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


બહુ નાનું કામ છે, કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
જરા જોરથી બોલો તો હું કહું. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)
શાબાશ.
એક કામ કરજો, હજુ ચૂંટણીમાં મતદાનની વચ્ચે આપણી પાસે અઠવાડિયા, દસ દિવસનો સમય છે.


આ દરમિયાન તમે ઘરે ઘરે જાઓ, આપણે જેટલી વાતો કરી એ બધા ઘેર ઘેર પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


બધા પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


હવે મારું એક અંગત કામ કરવાનું છે, કરશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


ખરેખર કરવું પડે, હોં. (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


આટલું જ દરેકના ઘેર ઘેર જઈને કહેજો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા, બોટાદ આવ્યા હતા. અને એમણે તમને નમસ્તે કહેવડાવ્યા છે.


દરેક ઘરમાં જઈને મારા નમસ્તે પહોંચાડશો, ભાઈ? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


વડીલોને મારા પ્રણામ પહોંચાડશો? (ઑડિયન્સમાંથી હા... ના અવાજો)


આટલું કામ તમે કરો, મને સંતોષ થશે. જેથી કરીને આ વડીલોના મને આશીર્વાદ મળે, તો હું આ દેશ માટે વધારે શક્તિથી કામ કરું. દેશની પ્રગતિ માટે વધારે શક્તિથી કામ કરું. આ સંતો આટલા બધા આવીને મને આશીર્વાદ આપ્યા છે. આ અમારી બધી ટીમને આશીર્વાદ આપ્યા છે. હું બધા સંતોનો માથું નમાવીને આભાર માનું છું. અને આપણે ગુજરાતને નવી ઊંચાઈઓ ઉપર લઈ જઈએ, એ જ અપેક્ષા સાથે, મારી સાથે બોલીએ...


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)


ભારત માતા કી (ઑડિયન્સમાંથી જયઘોષ)


ધન્યવાદ, ભાઈઓ.

Explore More
आज सम्पूर्ण भारत, सम्पूर्ण विश्व राममय है: अयोध्या में ध्वजारोहण उत्सव में पीएम मोदी

लोकप्रिय भाषण

आज सम्पूर्ण भारत, सम्पूर्ण विश्व राममय है: अयोध्या में ध्वजारोहण उत्सव में पीएम मोदी
Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress

Media Coverage

Govt directs faster processing of city gas projects, hikes commercial LPG allocation to ease supply stress
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
बातचीत और कूटनीति ही इस समस्या का समाधान है: पश्चिम एशिया संघर्ष पर लोकसभा में पीएम मोदी
March 23, 2026
The situation in West Asia is concerning at this time: PM
In the past two-three weeks, Mr. Jaishankar and Mr. Hardeep Puri have provided the necessary information to the House on this matter: PM
This crisis has been going on now for more than three weeks, It is having a very adverse impact on the global economy and on people's lives, the entire world is urging all parties for the earliest resolution of this crisis: PM
This region is important to us for yet another reason ,as nearly one crore Indians live and work in the Gulf countries: PM
Among the commercial ships that sail in these seas, the number of Indian crew members is also very high: PM
Due to these several reasons, India's concerns are naturally high, it is essential that a unanimous and united voice from India's Parliament on this crisis reaches the world: PM
India has extensive trade relations with countries at war and affected by war, The region where the war is taking place is also an important route for our trade with other countries of the world: PM
A large quantity of essential items such as crude oil, gas, and fertilizers come to India through the Strait of Hormuz, Since the war began, the movement of ships through the Strait of Hormuz has become highly challenging: PM
Despite this, our government has been trying to ensure that the supply of petrol, diesel and gas is not affected much and common families of the country face minimum inconvenience, This has been our focus: PM
India has always stood for peace in the interest of humanity, Dialogue and diplomacy are the only solutions to this problem: PM
Our efforts are aimed at reducing tensions and ending this conflict: PM
Putting anyone's life at risk in this war is not in the interest of humanity, India's efforts are to encourage all parties to reach a peaceful resolution as soon as possible: PM

आदरणीय अध्यक्ष महोदय,

मैं सम्मानित सदन में पश्चिम एशिया में चल रहे संघर्ष और इसकी वजह से भारत के सामने आई चुनौतियों पर बात रखने के लिए उपस्थित हुआ हूं। इस समय पश्चिमी एशिया की हालत चिंताजनक है। बीते दो-तीन हफ्तों में, जयशंकर जी ने और हरदीप पुरी जी ने इस विषय पर सदन को जरूरी जानकारी दी है। अब इस संकट को 3 सप्ताह से ज्यादा हो रहा है। इसका पूरे विश्व की अर्थव्यवस्था पर, लोगों के जीवन पर, बहुत ही विपरीत असर हो रहा है, इसलिए पूरी दुनिया इस संकट के जल्द से जल्द समाधान के लिए सभी पक्षों से आग्रह भी कर रही है।

अध्यक्ष महोदय,

भारत के सामने भी इस युद्ध ने अप्रत्याशित चुनौतियां खड़ी कर दी हैं। यह चुनौतियां आर्थिक भी हैं, नेशनल सिक्योरिटी से जुड़ी भी हैं और मानवीय भी हैं। युद्धरत और युद्ध से प्रभावित देशों के साथ भारत के व्यापक व्यापारिक रिश्ते हैं। जिस क्षेत्र में युद्ध हो रहा है वो दुनिया के दूसरे देशों के साथ हमारे व्यापार का भी एक महत्वपूर्ण रास्ता है। विशेष रूप से कच्चे तेल और गैस की हमारी जरूरतों का एक बड़ा हिस्सा यही क्षेत्र पूरा करता है। हमारे लिए यह रीजन एक और कारण से भी अहम है। लगभग एक करोड़ भारतीय खाड़ी देशों में रहते हैं और वहां काम करते हैं। वहां समंदर में जो कमर्शियल शिप चलते हैं, उनमें भारतीय क्रू मेंबर की संख्या भी बहुत अधिक है। ऐसे अलग-अलग कारणों के चलते भारत की चिंताएं स्वाभाविक रूप से अधिक हैं, इसलिए यह आवश्यक है कि भारत की संसद से, इस संकट को लेकर एकमत और एकजुट आवाज दुनिया में जाए।

अध्यक्ष जी,

जब से ये युद्ध शुरू हुआ है, तब से ही प्रभावित देशों में हर भारतीय को जरूरी मदद दी जा रही है। मैं खुद पश्चिम एशिया के ज्यादातर देश के राष्ट्र अध्यक्षों के साथ दो राउंड फोन पर बात की है। सभी ने भारतीयों की सुरक्षा का पूरा आश्वासन दिया है। दुर्भाग्य से इस दौरान कुछ लोगों की दुखद मृत्यु हुई है और कुछ घायल हुए हैं। ऐसे मुश्किल हालात में परिवारजनों को आवश्यक मदद दी जा रही है। जो घायल है, उनका बेहतर इलाज सुनिश्चित कराया जा रहा है।

अध्यक्ष जी,

प्रभावित देशों में हमारे जितने भी मिशन हैं वो निरंतर भारतीयों की मदद करने में जुटे हैं। वहां काम करने वाले भारतीय हो या फिर जो टूरिस्ट वहां गए हैं, सभी को हर संभव मदद दी जा रही है। हमारे मिशन नियमित रूप से एडवाइजरी जारी कर रहे हैं। यहां भारत में और अन्य प्रभावित देशों में 24/7 कंट्रोल रूम और आपातकालीन हेल्पलाइन स्थापित की गई है। इनके माध्यम से सभी प्रभावितों को त्वरित जानकारी दी जा रही है

अध्यक्ष जी,

संकट की स्थिति में देश-विदेश में भारतीयों की सुरक्षा हमारी बहुत बड़ी प्राथमिकता रही है। युद्ध शुरू होने के बाद से लेकर अब तक, 3 लाख 75 हजार से अधिक भारतीय सुरक्षित भारत लौट चुके हैं। ईरान से ही अभी तक लगभग 1000 भारतीय सुरक्षित वापस लौटे हैं। इनमें 700 से अधिक मेडिकल की पढ़ाई करने वाले युवा हैं। खाड़ी देशों में, भारतीय स्कूलों में हजारों विद्यार्थी पढ़ते हैं, सीबीएसई ने ऐसे सभी भारतीय स्कूलों में होने वाले कक्षा दसवीं और बारहवीं की निर्धारित परीक्षाओं को रद्द कर दिया है। इन बच्चों के पढ़ाई निर्बाध चलती रहे, इसके लिए सीबीएसई उचित कदम उठा रही है। यानी सरकार संवेदनशील भी है, सतर्क भी है और हर सहायता के लिए तत्पर भी है।

माननीय अध्यक्ष जी,

भारत में बड़ी मात्रा में कच्चा तेल, गैस और फर्टिलाइजर जैसी अनेक जरूरी चीजें होर्मुज स्ट्रेट के रास्ते से आती हैं। युद्ध के बाद से ही होर्मुज स्ट्रेट में जहाजों का आना-जाना बहुत चुनौतीपूर्ण हो गया है। बावजूद इसके, हमारी सरकार का यह प्रयास रहा है कि पेट्रोल, डीजल और गैस की सप्लाई बहुत ज्यादा प्रभावित न हो। देश के सामान्य परिवारों को परेशानी भी कम से कम हो, इस पर हमारा फोकस रहा है। हम सभी जानते हैं, देश अपनी जरूरत के के 60% एलपीजी आयात करता है, इसकी सप्लाई में अनिश्चिता के कारण सरकार ने एलपीजी के डोमेस्टिक उपयोग को प्राथमिकता दी है, साथ ही एलपीजी के देश में ही उत्पादन को भी बढ़ाया जा रहा है। पेट्रोल डीजल की सप्लाई पूरे देश में सुचारू रूप से होती रहे, इस पर भी लगातार काम किया गया है।

अध्यक्ष जी,

आज की इन परिस्थितियों में एनर्जी सिक्योरिटी को लेकर बीते एक दशक में उठाए गए कदम और भी प्रासंगिक हो गए हैं। भारत ने बीते 11 वर्षों में अपनी एनर्जी इंपोर्ट का डायवर्सिफिकेशन किया है। पहले क्रूड ऑयल, एलएनजी, एलपीजी, ऐसी एनर्जी जरूरतों के लिए 27 देशों से इंपोर्ट किया जाता था, वहीं आज भारत 41 देशों से एनर्जी इंपोर्ट करता है।

अध्यक्ष जी,

बीते दशक में भारत ने संकट के ऐसे ही समय के लिए कच्चे तेल के भंडारण को भी प्राथमिकता दी है। आज भारत के पास 53 लाख मैट्रिक टन से अधिक का स्ट्रैटेजिक पैट्रोलियम रिजर्व है और 65 लाख मैट्रिक टन से अधिक के रिजर्व की व्यवस्था पर देश काम कर रहा है। हमारी तेल कंपनियों के पास जो रिजर्व रहता है, वो अलग है। बीते 11 वर्षों में हमारी रिफायनिंग कैपेसिटी में भी उल्लेखनीय वृद्धि हुई है।

अध्यक्ष जी,

सरकार अलग-अलग देशों के सप्लायर्स के साथ भी लगातार संपर्क में है। प्रयास यह है कि जहां से संभव हो, वहां से तेल और गैस की सप्लाई होती रहे। भारत सरकार गल्फ और आसपास के शिपिंग रूट्स पर निरंतर नजर बनाए हुए हैं। हमारा प्रयास है कि तेल हो, गैस हो, फर्टिलाइजर हो, ऐसे हर जरूरी सामान से जुड़े जहाज भारत तक सुरक्षित पहुंचे। हम अपने सभी वैश्विक सहयोगों के साथ निरंतर संवाद कर रहे हैं, ताकि हमारे मैरिटाइम कॉरिडोर सुरक्षित रहें। ऐसे प्रयासों के कारण बीते दिनों होर्मुज स्ट्रेट में फसे हमारे कई जहाज भारत आए भी है।

अध्यक्ष जी,

संकट के इस समय में देश की एक और तैयारी भी बहुत काम आ रही है। पिछले 10-11 साल में एथेनॉल का उत्पादन और उसकी ब्लेंडिंग पर अभूतपूर्व काम हुआ है। एक दशक पहले तक देश में सिर्फ एक डेढ़ परसेंट इथेनॉल ब्लेंडिंग कैपेसिटी थी। आज हम पेट्रोल में 20% इथेनॉल ब्लेंडिंग के करीब पहुंच गए हैं। इसके कारण प्रतिवर्ष करीब साढ़े चार करोड़ बैरल कम ऑयल इंपोर्ट करना पड़ रहा है, ऐसे ही रेलवे के बिजलीकरण से भी बहुत बड़ा फायदा हो रहा है। अगर रेलवे का इतना बिजलीकरण ना होता, तो हर साल करीब 180 करोड़ लीटर डीजल अतिरिक्त लगता। ऐसे ही हमने मेट्रो का नेटवर्क बढ़ाया है, 2014 में जहां देश में मेट्रो नेटवर्क 250 किलो मीटर से भी काम था, आज ये बढ़कर करीब 1100 किलोमीटर हो गया है। हमने इलेक्ट्रिक मोबिलिटी पर बहुत अधिक बल दिया। केंद्र सरकार ने राज्यों को 15000 इलेक्ट्रिक बसें चलाने के लिए दी हैं। आज जिस स्केल पर वैकल्पिक ईंधन पर काम हो रहा है, उससे भारत का भविष्य और सुरक्षित होगा।

आदरणीय अध्यक्ष जी,

हम जानते हैं की एनर्जी आज इकोनॉमी की रीड है और ग्लोबल एनर्जी नीड्स को पूरा करने वाले एक बड़ा सोर्स वेस्ट एशिया है। स्वाभाविक है कि दुनिया भर की अर्थव्यवस्था वर्तमान संकट से प्रभावित हो रही है और भारत पर इसका कम से कम दुष्प्रभाव हो, इसके लिए निरंतर प्रयास किया जा रहे हैं। सरकार इसके शॉर्ट टर्म, मीडियम टर्म और लॉन्ग टर्म ऐसे हर असर के लिए एक रणनीति के साथ काम कर रही है। आज भारत की इकॉनमी के फंडामेंटल्स मजबूत हैं, इससे भी देश को बहुत मदद मिली है। हम हर सेक्टर के स्टेकहोल्डर्स के साथ चर्चा कर रहे हैं। जहां भी जरूरत है, उस सेक्टर को आवश्यक सपोर्ट दिया जा रहा है। भारत सरकार ने एक इंटर मिनिस्टीरियल ग्रुप भी बनाया है, ये ग्रुप हर रोज मिलता है और हमारे इंपोर्ट एक्सपोर्ट में आने वाली हर दिक्कत का आकलन करता है, और ये ग्रुप आवश्यक समाधान पर भी निरंतर काम करता है। मुझे पूरा भरोसा है कि सरकार और इंडस्ट्री के साझा प्रयासों से, हम परिस्थितियों का बेहतर सामना कर पाएंगे।

माननीय अध्यक्ष जी,

एक बड़ा सवाल यह है कि युद्ध का खेती पर क्या प्रभाव होगा? देश के किसानों ने हमारे अन्न के भंडार भर रखे हैं, इसलिए भारत के पास पर्याप्त खाद्यान्न है। हमारा ये भी प्रयास है कि खरीफ सीजन की ठीक से बुआई हो सके। सरकार ने बीते सालों में आपात स्थिति से निपटने के लिए खाद की पर्याप्त व्यवस्था भी की है। अतीत में भी हमारी सरकार ने दुनिया के संकटों का बोझ किसानों पर नहीं पड़ने दिया था। कोरोना और उस समय को युद्धों के दौरान, उस समय भी ग्लोबल सप्लाई चैन में disruption आ गई थी। दुनिया के बाजार में यूरिया की एक बोरी 3000 रूपये तक पहुंच गई, लेकिन भारत के किसानों को वही बोरी 300 रूपये से भी कम कीमत पर उपलब्ध कराई गई।

अध्यक्ष जी,

देश के किसानों को इस प्रकार के संकटों से बचने के लिए भी, बीते वर्षों में अनेक कदम उठाए गए हैं। पिछले एक दशक में देश में 6 यूरिया प्लांट शुरू किए गए हैं, इससे सालाना 76 लाख मीट्रिक टन से अधिक की यूरिया प्रोडक्शन कैपेसिटी जुड़ी है। इस दौरान DAP और NPKS जैसी खाद का घरेलू उत्पादन भी करीब 50 लाख मीट्रिक टन बढ़ाया गया है। इतना ही नहीं तेल और गैस की तरह खाद के आयात को भी डायवर्सिफाई किया गया है। ऐसे ही DAP और NPKA के आयात के लिए भी, हमने अपने विकल्पों को विस्तार किया है।

अध्यक्ष जी,

सरकार ने देश के किसानों को मेड इन इंडिया नैनो यूरिया का विकल्प भी दिया है। सरकार किसानों को प्राकृतिक खेती के लिए भी प्रोत्साहित कर रही है। पीएम कुसुम योजना के तहत किसानों को 22 लाख से ज्यादा सोलर पंप दिए गए हैं, इससे भी डीजल पर उनकी निर्भरता कम हुई है। मैं इस सदन के माध्यम से देश के किसानों को विश्वास दिलाता हूं कि सरकार किसानों कर हर संभव मदद करती रहेगी।

आदरणीय अध्यक्ष जी,

युद्ध का एक बहुत बड़ा चैलेंज ये भी है कि भारत में गर्मी का मौसम शुरू हो रहा है। आने वाले समय में बढ़ती गर्मी के साथ बिजली के डिमांड बढ़ती जाएगी। फिलहाल देश के सभी पावर प्लांट्स के पर्याप्त कोल स्टॉक्स उपलब्ध हैं। भारत में लगातार दूसरे साल 100 करोड़ टन कोयला उत्पादन करने का रिकॉर्ड बनाया है। पावर जेनरेशन से लेकर पावर सप्लाई तक के हमारे सभी सिस्टम की निरंतर मॉनिटरिंग भी की जा रही है, और सरकार की तैयारियां उसको रिन्यूएबल एनर्जी से अभी मदद मिली है। बीते दशक में रिन्यूएबल एनर्जी की तरफ देश ने बड़े कदम उठाए हैं। आज हमारी टोटल इंस्टॉल पावर जेनरेशन कैपेसिटी का आधा हिस्सा रिन्यूएबल सोर्स से आता है। हमारी कुल रिन्यूएबल क्षमता आज 250 गीगावॉट के ऐतिहासिक आंकड़े को पार कर गई है। बीते 11 वर्षों में देश ने अपनी सोलर पावर कैपेसिटी करीब तीन गीगावाट से बढ़कर 140 गीगा वाट तक पहुंचाइ है। बीते वर्षों में देश में करीब 40 लाख रूफटॉप सोलर लगे हैं, इसमें पीएम सूर्यघर मुफ्त बिजली योजना से भी लोगों को काफी मदद मिली है। गोबरधन योजना के तहत देश में आज 200 कंप्रेस बायोगैस प्लांट भी काम करना शुरू कर चुके हैं। ये सारे प्रयास आज देश के बहुत काम आ रहे हैं। सरकार ने भविष्य की तैयारी और बढ़ते हुए शांति एक्ट माध्यम से देश में न्यूक्लियर एनर्जी के उत्पादन को भी प्रोत्साहित किया है। कुछ ही दिन पहले स्मॉल हाइड्रो पावर डेवलपमेंट स्कीम को भी हरी झंडी दी गई है, जिससे आने वाले वर्षों में 1500 मेगावाट नई हाइड्रो पावर कैपेसिटी जोड़ी जाएगी।

आदरणीय अध्यक्ष जी,

जहां तक डिप्लोमेसी की बात है, भारत की भूमिका स्पष्ट है शुरुआत से ही हमने इस संघर्ष को लेकर अपनी गहरी चिंता व्यक्त की है। मैंने स्वयं भी पश्चिम एशिया के सभी संबंधित नेताओं से बातचीत की है। मैंने सभी से तनाव को कम करने और इस संघर्ष को खत्म करने का आग्रह किया है। भारत ने नागरिकों, एनर्जी और ट्रांसपोर्ट से जुड़े इंफ्रास्ट्रक्चर पर हमलों का विरोध किया है। कमर्शियल जहाजों पर हमला और होर्मुज स्ट्रेट जैसे अंतरराष्ट्रीय जलमार्ग में रुकावट अस्वीकार्य है। भारत डिप्लोमेसी के जरिए युद्ध के माहौल में भी, भारतीय जहाजों के सुरक्षित आवागमन के लिए निरंतर प्रयास कर रहा है।

अध्यक्ष महोदय,

भारत हमेशा से मानवता के हित में और शांति के पक्ष में अपनी आवाज उठाता रहा है। मैं फिर कहूंगा, कि बातचीत और कूटनीति ही इस समस्या का समाधान है। हमारे हर प्रयास तनाव को कम करने, इस संघर्ष को समाप्त करने के लिए है। इस युद्ध में किसी के भी जीवन पर संकट मानवता के हित में नहीं है, इसलिए भारत का प्रयास सभी पक्षों को जल्द से जल्द शांतिपूर्ण समाधान के लिए प्रोत्साहित करने का है।

अध्यक्ष जी,

जब ऐसे संकट आते हैं, तो कुछ तत्व इसका गलत फायदा उठाने की कोशिश भी करते हैं। इसलिए कानून व्यवस्था सुनिश्चित करने वाली सभी एजंसियों को अलर्ट पर रखा गया है। कोस्टल सिक्योरिटी हो, बॉर्डर सिक्योरिटी हो, साइबर सिक्योरिटी हो, स्ट्रैटेजिक इंस्टालेशंस हो, सब की सुरक्षा को और मजबूत किया जा रहा है।

अध्यक्ष जी,

इस युद्ध के कारण, दुनिया में जो कठिन हालात बने हैं, उनका प्रभाव लंबे समय तक बने रहने की आशंका है, इसलिए हमें तैयार रहना होगा, हमें एकजुट रहना होगा। हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं। अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है। धीरज के साथ, संयम के साथ, शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है, और यही हमारी पहचान है, यही हमारी ताकत है, और हां हमें बहुत सावधान और सतर्क भी रहना है, हालात का फायदा उठाने वाले झूठ फैलाने का प्रयास करेंगे, ऐसे लोगों की कोशिशें को सफल नहीं होने देना है। मैं देश के सभी राज्य सरकारों से भी इस सदन के माध्यम से आग्रह करूंगा, ऐसे समय में काला बाजारी करने वाले, जमाखोरी करने वाले, एक्टिव हो जाते हैं, इसके लिए कड़ी मॉनिटरिंग जरूरी है, जहां से भी ऐसी शिकायतें आती हैं, वहां त्वरित कार्यवाही होनी चाहिए। देश की हर सरकार और देश का हर नागरिक जब मिलकर चलेंगे, तो हम हर चुनौती को चुनौती दे सकते हैं। इसी आग्रह के साथ मैं अपना वक्तव्य समाप्त करता हूं।

बहुत-बहुत धन्यवाद।