મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ હરિયાણા અને રાજસ્થાનમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ કર્યો હતો અને ભાજપાની જનસભાઓમાં દેશની દુર્દશા કરવા માટે કોંગ્રેસની મતબેન્કના રાજકારણની વિકૃતિઓને જવાબદાર ઠેરવી હતી.

હરિયાણામાં અંબાલા, સોનિપત અને કુરૂક્ષેત્ર તથા રાજસ્થાનમાં આહોરે, ફૂલેરા અને બિકાનેરમાં આગ ઓકતી ગરમીમાં પણ ભાજપાના પ્રખર વકતાશ્રી નરેન્દ્રભાઇ મોદીના આક્રમક વાક્‍પ્રહારો ઝીલવા મહિલાઓ અને યુવાનો સહિત ગ્રામ મેદનીની જંગી હાજરી જોવા મળી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોંગ્રેસની આળપંપાળ અને તુષ્ટીકરણની રાજનીતિએ દેશમાં આતંકવાદ વકર્યો છે. કોંગ્રેસનું વોટબેન્કનું રાજકારણ ખતમ કરીશું તો આતંકવાદને ડામી શકાશે. જો આતંકવાદને ડામી દેવામાં તેની જ ભાષામાં જવાબ નહીં આપીએ તો ભારતની દશા પાકિસ્તાન જેવી થશે. કોંગ્રેસને વોટ એટલે આ ખતરાને નોતરવા સમાન છે એવી ચેતવણી તેમણે આપી હતી.

મેડમ સોનિયાજી અને ડો. મનમોહનસિંહના આતંકવાદ સામેની લડાઇના ખોખલા હોકારાનો સણસણતો પ્રતિભાવ પણ તેમણે આપ્યો હતો. હરિયાણામાં તેમણે જણાવ્યું કે પાકિસ્તાનમાં તાલીબાનોએ હવે શીખ પરિવારોને રંજાડવાનું અને ત્રાસ આપવાનું નક્કી કર્યું છે. શીખો પાસેથી કરોડો રૂપિયાનો જજીયાવેરો તાલીબાનો પડાવે છે ત્યારે ભારતની કોંગ્રેસી સલ્તનત ચૂપ કેમ છે? ડો. મનમોહનસિંહ તો પોતે શીખ છે તેથી ભારતીય કૂળના શીખોની ઉપર તાલીબાનની રંજાડથી તેમનું લોહી ઉકળી ઉઠવું જોઇએ અને સવિશેષ જવાબદારી લઇને વિશ્વમત જગાવવો જોઇએ.

મુખ્યમંત્રીશ્રીએ ડો. મનમોહનસિંહની નબળી માનસિકતા ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે દેશની આર્થિક રાજધાની મુંબઇ ઉપર આતંકવાદી હુમલો થાય ત્યારે અમેરિકા પાસે ઓ...બા...મા...કહીને બહાર દોડી જનારા આતંકવાદીને તેની ભાષામાં જવાબ કઇ રીતે આપશે તેવો વેધક સવાલ તેમણે ઉઠાવ્યો હતો.

મેડમ સોનિયાએ આતંકવાદ સામે લડવાના તૈયાર ભાષણો વાંચ્યા છે પરંતુ તેમના સાસુમા ઇન્દિરાજીને ભારત ઉપરના હુમલામાં "વિદેશી'' હાથ દેખાતો હતો જ્યારે સોનિયાજી આતંકવાદી હુમલામાં આંતરિક પરિબળોને વગોવે છે પરંતુ આતંકવાદની લડાઇ માટે વોટબેન્કનું રાજકારણ છોડવા તૈયાર નથી.

મુખ્યમંત્રીશ્રીએ યુપીએ કોંગ્રેસની સત્તાભૂખ ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા. પાંચ વર્ષ સુધી સત્તાની થાળીમાં ભેગા બેસીને મલાઇ-મિજબાની ઉડાવી અને હવે ચૂંટણીના મેદાનમાં આંતરિક કુસ્તી કરી રહેલા આ બધા ખુરશી ભકતો છે.

મુખ્યમંત્રીશ્રીએ વિકાસનું વિઝન અને મજબૂત શાસન ધરાવતી ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકીને અડવાણીજી જેવા નિર્ણાયક નેતૃત્વના હાથમાં દેશની સલામતી અને વિકાસની દોર સોંપવા આહ્‍વાન કર્યું હતું.

Explore More
आज सम्पूर्ण भारत, सम्पूर्ण विश्व राममय है: अयोध्या में ध्वजारोहण उत्सव में पीएम मोदी

लोकप्रिय भाषण

आज सम्पूर्ण भारत, सम्पूर्ण विश्व राममय है: अयोध्या में ध्वजारोहण उत्सव में पीएम मोदी
Internet subscribers in India up 6.24% in March-26 quarter

Media Coverage

Internet subscribers in India up 6.24% in March-26 quarter
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
प्रधानमंत्री श्री नरेन्द्र मोदी को कतर के अमीर ने टेलीफोन कॉल किया
June 23, 2026
कतर के अमीर ने कतर में हुई एक दुर्घटना में भारतीय नागरिकों की मृत्यु पर शोक व्यक्त किया
प्रधानमंत्री ने कतर के अमीर को धन्यवाद दिया और घायलों को तुरंत चिकित्सा सहायता उपलब्ध कराने के लिए उनका आभार व्यक्त किया
दोनों नेताओं ने अपने नागरिकों के कल्याण और सुरक्षा सुनिश्चित करने की अपनी प्रतिबद्धता दोहराई
प्रधानमंत्री ने पश्चिम एशिया में शांति प्रयासों में कतर के सकारात्मक योगदान के लिए सराहना व्यक्त की
दोनों नेताओं ने द्विपक्षीय सहयोग का विस्तार करने की अपनी प्रतिबद्धता दोहराई

प्रधानमंत्री श्री नरेन्द्र मोदी को आज कतर के अमीर, महामहिम शेख तमीम बिन हमद अल-थानी का टेलीफोन कॉल आया।

कतर के अमीर ने 21 जून को कतर के रास लाफान इंडस्ट्रियल सिटी में हुई दुर्घटना में भारतीय नागरिकों की मृत्यु पर शोक व्यक्त किया और घायलों के शीघ्र स्वस्थ होने की कामना की।

प्रधानमंत्री ने शोक संतप्त परिवारों के प्रति संवेदना व्यक्त के लिए कतर के अमीर को धन्यवाद दिया और घायलों को तुरंत चिकित्सा सहायता उपलब्ध कराने के लिए उनका आभार व्यक्त किया।

दोनों नेताओं ने अपने नागरिकों के कल्याण और सुरक्षा सुनिश्चित करने की अपनी प्रतिबद्धता दोहराई और एक-दूसरे के प्रति अपना सहयोग और एकजुटता को फिर से व्यक्त किया।

पश्चिम एशिया की स्थिति पर चर्चा करते हुए, प्रधानमंत्री ने शांति प्रयासों में कतर के सकारात्मक योगदान की सराहना की और उम्मीद जताई कि इन प्रयासों से क्षेत्र में स्थायी शांति और स्थिरता आएगी।

दोनों नेताओं ने सभी क्षेत्रों में द्विपक्षीय सहयोग का विस्तार करने की अपनी प्रतिबद्धता भी दोहराई।

दोनों नेताओं ने नियमित रूप से संपर्क में बने रहने पर सहमति जताई।