મુખ્‍ય મંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને આજે મળેલા માલધારી-રબારી સમાજના સંતો-મહંતો અને આગેવાનોના પ્રતિનિધિમંડળે સમાજના સાંપ્રત પ્રશ્નોની રજૂઆતો કરી હતી.

મુખ્‍યમંત્રીશ્રીએ માલધારી સમાજના વર્ષો જૂના પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે સમસ્‍યાના મૂળમાં જઇને હિંમતપૂર્વક નિર્ણયો લેવાની વર્તમાન સરકારની પ્રતિબધ્‍ધતા અને સકારાત્‍મક અભિગમ અંગે વિગતવાર ભૂમિકા આપી હતી.

શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ લોકશાહીમાં પ્રશ્નો રજૂ કરવાનો અધિકાર દરેક સમાજને છે પણ રાજકારણના કાવાદાવાથી સરવાળે તો સમાજનું જ અહિત થશે એમ જણાવી રાજ્‍યના વિકાસમાં બધા જ સમાજવર્ગોની સાથે વિકાસમાં ભાગીદાર બનવા અને શિક્ષણ દ્વારા પ્રગતિની દિશા લેવાનું માર્ગદર્શન પણ આપ્‍યું હતું.

માલધારી સમાજના આગેવાનો એ ગૌચરની જમીન, ગૌરક્ષા, ઘરખેડના કાયદા, વીડીઓ અને વાડાની જમીન વગેરે પ્રશ્નો અંગે કરેલી રજૂઆતના સંદર્ભમાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે રાજ્‍ય સરકારનો અભિગમ જ વિકાસલક્ષી રહ્યો છે અને પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા તેના મૂળમાં જઇને હિંમતપૂર્વક નિર્ણયો લેનારી આ જ સરકાર છે.

ગૌવંશ રક્ષા માટે સર્વોચ્‍ચ ન્‍યાયપાલિકા પાસેથી ન્‍યાય મેળવીને આ જ સરકારે કાયદો કર્યો છે પરંતુ, ભારત સરકારે હજુ સુધી આવો કાયદો કરવા વિચારણા પણ હાથ નથી ધરી. ઉલટુ, માંસ-મટનની નિકાસ માટે પ્રોત્‍સાહન આપી રહી છે. રાજકીય વિવાદમાં દોરાઇ જવાથી સમાજનું ભલુ થવાનું નથી એમ તેમણે જણાવ્‍યું હતું.

ગુજરાતમાં પશુપાલકો અને માલધારીઓના પશુઓની રક્ષા માટેનું સૌથી મોટું જીવદયાનું કામ ર૭૦૦ જેટલા પશુ આરોગ્‍ય મેળાઓ યોજીને અને લાખો પશુઓનું રસીકરણ કર્યું છે અને ૧૧ર જેટલા પશુરોગો કાયમી ધોરણે નેસ્‍તનાબૂદ પણ આ સરકારે કર્યાં છે. આના પરિણામે જ ગુજરાતમાં દૂધ ઉત્‍પાદનમાં દશ વર્ષમાં ૬૦ ટકાનો વધારો થયો છે.

ગોચરની જમીન માટે અને તેના દબાણો દૂર કરવા સર્વોચ્‍ચ અદાલતે જ ફેસલો આપેલો છે, તે અંગે આ સરકારે જ હિંમતપૂર્વક તેનો અમલ કરી ૮૦ ટકા દબાણો પણ દૂર કર્યા છે. ગુજરાતમાં ઉદ્યોગોની સ્‍થાપના કરનારે ગૌચરની જમીનના બદલામાં વળતરરૂપે ગૌચરની જમીન ખરીદીને પણ આપવી પડે તેવો નિયમ કરેલો છે. એટલું જ નહીં, ગુજરાતમાં ઉદ્યોગો મહદ્‌અંશે જ્‍યાં ઘાસનું તણખલું પણ ઉગતુ ના હોય એવી બિનઉપજાઉ જમીનમાં સ્‍થપાય છે. ઉદ્યોગોની સાથોસાથ ખેતી માટે વાવેતર વિસ્‍તાર વધ્‍યો હોય એવું એકમાત્ર અપવાદરૂપ રાજ્‍ય પણ ગુજરાત જ છે જે આ સરકારની મહેસૂલના કાયદાઓમાં હિંમતપૂર્વક સુધારા કરીને એકેએક ઇંચ જમીનની માપણી કરવાની પ્રતિબધ્‍ધતામાં વ્‍યકત થાય છે એમ પણ તેમણે જણાવ્‍યું હતું.

પશુધન માટે માલધારી સમાજ જેટલી જ ચિન્‍તા આ સરકારની રહી છે એમ જણાવી મુખ્‍યમંત્રીશ્રીએ માલધારી પશુપાલકોને વૈજ્ઞાનિક પશુસંવર્ધન અપનાવવા અને જે વર્ષોજૂની સમસ્‍યાઓ છે તેની વહીવટી ગૂંચ ઉકેલવામાં રાજ્‍ય સરકારના પ્રયાસોને સમજવા માર્ગદર્શન આપ્‍યું હતું.

શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ રબારી સમાજની નવી પેઢીને શિક્ષિત બનાવવાની નેમ વ્‍યકત કરતા માર્મિક શબ્‍દોમાં એમ પણ જણાવ્‍યુ઼ હતું કે માલધારીઓની લાકડી છોડાવીને તેમના સંતાનોને કલમ (શિક્ષણ) હાથમાં આપવી છે! શિક્ષણ જ વિકાસનો ઉત્તમ પર્યાય છે એમ તેમણે જણાવ્‍યું હતું.

નર્મદાના પાણીની સુવિધા અને દુષ્‍કાળ જેવી કુદરતી આપત્તિથી મૂકત રહેલા ગુજરાતમાં સૌનો સાથ સૌના વિકાસમાં માલધારી સમાજ પણ જોડાય એવી અપીલ તેમણે કરી હતી.

આ પ્રતિનિધિમંડળમાં રબારી સમાજના મહંત વડવાળા મંદિરના શ્રી કનીરામ બાપુ, આગેવાન શ્રી તેજાભાઇ દેસાઇ, શ્રી રણછોડભાઇ રબારી, ધારાસભ્‍યશ્રી બાબુભાઇ દેસાઇએ રાજકારણથી પર રહીને મુખ્‍યમંત્રીશ્રીની સમાજના પ્રશ્નો ઉકેલવા માટેની તત્‍પરતા અને વિધેયાત્‍મક અભિગમને આવકારી સંતોષની લાગણી વ્‍યકત કરી હતી અને ખૂબજ સાનુકુળ વાતાવરણમાં પ્રશ્નો સાંભળવા માટે સમય ફાળવ્‍યો તે માટે આભારની લાગણી વ્‍યકત કરી હતી.

Explore More
ಶ್ರೀರಾಮ ಜನ್ಮಭೂಮಿ ಮಂದಿರದ ಧ್ವಜಾರೋಹಣ ಉತ್ಸವ ಉದ್ದೇಶಿಸಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅವರ ಭಾಷಣ

ಜನಪ್ರಿಯ ಭಾಷಣಗಳು

ಶ್ರೀರಾಮ ಜನ್ಮಭೂಮಿ ಮಂದಿರದ ಧ್ವಜಾರೋಹಣ ಉತ್ಸವ ಉದ್ದೇಶಿಸಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅವರ ಭಾಷಣ
Portraits of PVC recipients replace British officers at Rashtrapati Bhavan

Media Coverage

Portraits of PVC recipients replace British officers at Rashtrapati Bhavan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ಪ್ರಧಾನಿ ಮೋದಿಯವರಿಗೆ ಅತ್ಯುನ್ನತ ನಾಗರಿಕ ಗೌರವಗಳು
December 18, 2025

ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿಯವರಿಗೆ ಹಲವಾರು ರಾಷ್ಟ್ರಗಳು ಅತ್ಯುನ್ನತ ನಾಗರಿಕ ಗೌರವಗಳನ್ನು ನೀಡಿ ಗೌರವಿಸಿವೆ. ಈ ಮನ್ನಣೆಗಳು ಪ್ರಧಾನಿ ಮೋದಿಯವರ ನಾಯಕತ್ವ ಮತ್ತು ದೃಷ್ಟಿಯ ಪ್ರತಿಬಿಂಬವಾಗಿದ್ದು, ಜಾಗತಿಕ ವೇದಿಕೆಯಲ್ಲಿ ಭಾರತದ ಹೊರಹೊಮ್ಮುವಿಕೆಯನ್ನು ಬಲಪಡಿಸಿದೆ. ಇದು ಪ್ರಪಂಚದಾದ್ಯಂತದ ದೇಶಗಳೊಂದಿಗೆ ಭಾರತದ ಬೆಳೆಯುತ್ತಿರುವ ಬಾಂಧವ್ಯವನ್ನು ಪ್ರತಿಬಿಂಬಿಸುತ್ತದೆ.

ಕಳೆದ ಏಳು ವರ್ಷಗಳಲ್ಲಿ ಪ್ರಧಾನಿ ಮೋದಿಯವರಿಗೆ ನೀಡಿದ ಪ್ರಶಸ್ತಿಗಳನ್ನು ನೋಡೋಣ.

ದೇಶಗಳು ನೀಡುವ ಪ್ರಶಸ್ತಿಗಳು:

1. ಏಪ್ರಿಲ್ 2016 ರಲ್ಲಿ, ಸೌದಿ ಅರೇಬಿಯಾಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿದಾಗ, ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರಿಗೆ ಸೌದಿ ಅರೇಬಿಯಾದ ಅತ್ಯುನ್ನತ ನಾಗರಿಕ ಗೌರವ- ಕಿಂಗ್ ಅಬ್ದುಲ್ ಅಜೀಜ್ ಸಾಶ್ ಅನ್ನು ನೀಡಲಾಯಿತು. ದೊರೆ ಸಲ್ಮಾನ್ ಬಿನ್ ಅಬ್ದುಲಜೀಜ್ ಅವರು ಪ್ರಧಾನಿಗೆ ಪ್ರತಿಷ್ಠಿತ ಪ್ರಶಸ್ತಿಯನ್ನು ಪ್ರದಾನ ಮಾಡಿದರು.

2. ಅದೇ ವರ್ಷ, ಪ್ರಧಾನಿ  ಮೋದಿಯವರಿಗೆ ಅಫ್ಘಾನಿಸ್ತಾನದ ಅತ್ಯುನ್ನತ ನಾಗರಿಕ ಗೌರವವಾದ ಘಾಜಿ ಅಮೀರ್ ಅಮಾನುಲ್ಲಾ ಖಾನ್ ಅವರ ರಾಜ್ಯ ಆದೇಶವನ್ನು ನೀಡಲಾಯಿತು.

3. 2018 ರಲ್ಲಿ, ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಪ್ಯಾಲೆಸ್ತೀನ್‌ಗೆ ಐತಿಹಾಸಿಕ ಭೇಟಿ ನೀಡಿದಾಗ, ಅವರಿಗೆ ಗ್ರ್ಯಾಂಡ್ ಕಾಲರ್ ಆಫ್ ಸ್ಟೇಟ್ ಆಫ್ ಪ್ಯಾಲೆಸ್ಟೈನ್ ಪ್ರಶಸ್ತಿಯನ್ನು ನೀಡಲಾಯಿತು. ಇದು ವಿದೇಶಿ ಗಣ್ಯರಿಗೆ ನೀಡುವ ಪ್ಯಾಲೆಸ್ತೀನ್‌ನ ಅತ್ಯುನ್ನತ ಗೌರವವಾಗಿದೆ.

4. 2019 ರಲ್ಲಿ, ಪ್ರಧಾನ ಮಂತ್ರಿಗೆ ಆರ್ಡರ್ ಆಫ್ ಜಾಯೆದ್ ಪ್ರಶಸ್ತಿಯನ್ನು ನೀಡಲಾಯಿತು. ಇದು ಯುನೈಟೆಡ್ ಅರಬ್ ಎಮಿರೇಟ್ಸ್‌ನ ಅತ್ಯುನ್ನತ ನಾಗರಿಕ ಗೌರವವಾಗಿದೆ.

5. ರಷ್ಯಾವು ಪ್ರಧಾನಿ ಮೋದಿಯವರಿಗೆ ತಮ್ಮ ಅತ್ಯುನ್ನತ ನಾಗರಿಕ ಗೌರವ - 2019 ರಲ್ಲಿ ಆರ್ಡರ್ ಆಫ್ ಸೇಂಟ್ ಆಂಡ್ರ್ಯೂ ಪ್ರಶಸ್ತಿಯನ್ನು ನೀಡಿತು.

6. ಆರ್ಡರ್ ಆಫ್ ದಿ ಡಿಸ್ಟಿಂಗ್ವಿಶ್ಡ್ ರೂಲ್ ಆಫ್ ನಿಶಾನ್ ಇಝುದ್ದೀನ್- ವಿದೇಶಿ ಗಣ್ಯರಿಗೆ ನೀಡಲಾಗುವ ಮಾಲ್ಡೀವ್ಸ್‌ನ ಅತ್ಯುನ್ನತ ಗೌರವವನ್ನು 2019 ರಲ್ಲಿ ಪ್ರಧಾನಿ ಮೋದಿಯವರಿಗೆ ನೀಡಲಾಯಿತು.

7. ಪ್ರಧಾನಿ ಮೋದಿ ಅವರು 2019 ರಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಿತ ಕಿಂಗ್ ಹಮದ್ ಆರ್ಡರ್ ಆಫ್ ರಿನೈಸಾನ್ಸ್ ಅನ್ನು ಪಡೆದರು. ಈ ಗೌರವವನ್ನು ಬಹ್ರೇನ್ ನೀಡಿತು.

8. ಯುಎಸ್ ಸರ್ಕಾರದಿಂದ ಲೀಜನ್ ಆಫ್ ಮೆರಿಟ್, ಅತ್ಯುತ್ತಮ ಸೇವೆಗಳು ಮತ್ತು ಸಾಧನೆಗಳ ಕಾರ್ಯಕ್ಷಮತೆಯಲ್ಲಿ ಅಸಾಧಾರಣವಾದ ಅರ್ಹತೆಯ ನಡವಳಿಕೆಗಾಗಿ ನೀಡಲಾಗುವ ಯುನೈಟೆಡ್ ಸ್ಟೇಟ್ಸ್ ಸಶಸ್ತ್ರ ಪಡೆಗಳ ಪ್ರಶಸ್ತಿಯನ್ನು 2020 ರಲ್ಲಿ ಪಿಎಂ ಮೋದಿಯವರಿಗೆ ನೀಡಲಾಯಿತು.

9. ಡಿಸೆಂಬರ್ 2021 ರಲ್ಲಿ ಭೂತಾನ್ ಪ್ರಧಾನಿ ಮೋದಿಯವರಿಗೆ ಅತ್ಯುನ್ನತ ನಾಗರಿಕ ಅಲಂಕಾರ, ಆರ್ಡರ್ ಆಫ್ ದಿ ಡ್ರುಕ್ ಗ್ಯಾಲ್ಪೋ ನೀಡಿ ಗೌರವಿಸಿದೆ
 
ಅತ್ಯುನ್ನತ ನಾಗರಿಕ ಗೌರವಗಳ ಹೊರತಾಗಿ,  ಪ್ರಧಾನಿ   ಮೋದಿಯವರಿಗೆ ಪ್ರಪಂಚದಾದ್ಯಂತದ ಪ್ರತಿಷ್ಠಿತ ಸಂಸ್ಥೆಗಳಿಂದ ಹಲವಾರು ಪ್ರಶಸ್ತಿಗಳನ್ನು ನೀಡಲಾಗಿದೆ.

1. ಸಿಯೋಲ್ ಶಾಂತಿ ಪ್ರಶಸ್ತಿ: ಮನುಕುಲದ ಸಾಮರಸ್ಯ, ರಾಷ್ಟ್ರಗಳ ನಡುವಿನ ಸಮನ್ವಯ ಮತ್ತು ವಿಶ್ವ ಶಾಂತಿಗೆ ಕೊಡುಗೆಗಳ ಮೂಲಕ ತಮ್ಮ ಛಾಪು ಮೂಡಿಸಿದ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಸಿಯೋಲ್ ಶಾಂತಿ ಪ್ರಶಸ್ತಿ ಸಾಂಸ್ಕೃತಿಕ ಪ್ರತಿಷ್ಠಾನದಿಂದ ದ್ವೈವಾರ್ಷಿಕವಾಗಿ ನೀಡಲಾಗುತ್ತದೆ. ಪ್ರಧಾನಿ ಮೋದಿ ಅವರಿಗೆ 2018 ರಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಿತ ಪ್ರಶಸ್ತಿ ನೀಡಲಾಯಿತು.

2. ಯುಎನ್ ಚಾಂಪಿಯನ್ಸ್ ಆಫ್ ದಿ ಅರ್ಥ್ ಪ್ರಶಸ್ತಿ: ಇದು ವಿಶ್ವಸಂಸ್ಥೆಯ ಅತ್ಯುನ್ನತ ಪರಿಸರ ಗೌರವವಾಗಿದೆ. 2018 ರಲ್ಲಿ, ಜಾಗತಿಕ ವೇದಿಕೆಯಲ್ಲಿ ಅವರ ದಿಟ್ಟ ಪರಿಸರ ನಾಯಕತ್ವಕ್ಕಾಗಿ ಯುಎನ್ ಪ್ರಧಾನಿ ಮೋದಿಯನ್ನು ಗುರುತಿಸಿತು.

3. ಮೊದಲ ಬಾರಿಗೆ ಫಿಲಿಪ್ ಕೋಟ್ಲರ್ ಅಧ್ಯಕ್ಷೀಯ ಪ್ರಶಸ್ತಿಯನ್ನು 2019 ರಲ್ಲಿ ಪ್ರಧಾನಿ ಮೋದಿ ಅವರಿಗೆ ನೀಡಲಾಯಿತು. ಈ ಪ್ರಶಸ್ತಿಯನ್ನು ವಾರ್ಷಿಕವಾಗಿ ರಾಷ್ಟ್ರದ ನಾಯಕನಿಗೆ ನೀಡಲಾಗುತ್ತದೆ. ಪ್ರಧಾನಿ ಮೋದಿಯವರು "ರಾಷ್ಟ್ರಕ್ಕೆ ಅತ್ಯುತ್ತಮ ನಾಯಕತ್ವ" ಕ್ಕಾಗಿ ಆಯ್ಕೆಯಾಗಿದ್ದಾರೆ ಎಂದು ಪ್ರಶಸ್ತಿಯ ಉಲ್ಲೇಖವು ಹೇಳಿದೆ.

4. 2019 ರಲ್ಲಿ, ಪ್ರಧಾನಿ ಮೋದಿಯವರಿಗೆ ಸ್ವಚ್ಛ ಭಾರತ ಅಭಿಯಾನಕ್ಕಾಗಿ ಬಿಲ್ ಮತ್ತು ಮೆಲಿಂಡಾ ಗೇಟ್ಸ್ ಫೌಂಡೇಶನ್‌ನಿಂದ 'ಗ್ಲೋಬಲ್ ಗೋಲ್‌ಕೀಪರ್' ಪ್ರಶಸ್ತಿಯನ್ನು ನೀಡಲಾಯಿತು. ಸ್ವಚ್ಛ ಭಾರತ ಅಭಿಯಾನವನ್ನು "ಜನರ ಆಂದೋಲನ" ಆಗಿ ಪರಿವರ್ತಿಸಿದ ಮತ್ತು ತಮ್ಮ ದೈನಂದಿನ ಜೀವನದಲ್ಲಿ ಸ್ವಚ್ಛತೆಗೆ ಹೆಚ್ಚಿನ ಆದ್ಯತೆ ನೀಡಿದ ಭಾರತೀಯರಿಗೆ ಪ್ರಧಾನಿ ಮೋದಿ ಈ ಪ್ರಶಸ್ತಿಯನ್ನು ಅರ್ಪಿಸಿದರು.

5. 2021 ರಲ್ಲಿ, ಪ್ರಧಾನಿ ಮೋದಿಯವರಿಗೆ ಸ್ವಚ್ಛ ಭಾರತ ಅಭಿಯಾನಕ್ಕಾಗಿ ಬಿಲ್ ಮತ್ತು ಮೆಲಿಂಡಾ ಗೇಟ್ಸ್ ಫೌಂಡೇಶನ್‌ನಿಂದ 'ಗ್ಲೋಬಲ್ ಗೋಲ್‌ಕೀಪರ್' ಪ್ರಶಸ್ತಿಯನ್ನು ನೀಡಲಾಯಿತು. ಸ್ವಚ್ಛ ಭಾರತ ಅಭಿಯಾನವನ್ನು "ಜನರ ಆಂದೋಲನ" ಆಗಿ ಪರಿವರ್ತಿಸಿದ ಮತ್ತು ತಮ್ಮ ದೈನಂದಿನ ಜೀವನದಲ್ಲಿ ಸ್ವಚ್ಛತೆಗೆ ಹೆಚ್ಚಿನ ಆದ್ಯತೆ ನೀಡಿದ ಭಾರತೀಯರಿಗೆ ಪ್ರಧಾನಿ ಮೋದಿ ಈ ಪ್ರಶಸ್ತಿಯನ್ನು ಅರ್ಪಿಸಿದರು.