ત્રીજી ભારત-નોર્ડિક સમિટમાં સંયુક્ત અખબારી નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું નિવેદન

May 19th, 04:25 pm

ઝડપથી વધી રહેલા વેપાર અને રોકાણે ભારતના વિકાસની વાર્તામાં તો યોગદાન આપ્યું જ છે; સાથે જ, નોર્ડિક દેશોના અર્થતંત્રોમાં પણ ખૂબ જ સકારાત્મક ભૂમિકા ભજવી છે અને હજારો નવી નોકરીઓનું સર્જન કર્યું છે. આ મજબૂત પાયા પર આપણા સંબંધોને આગલા સ્તર પર લઈ જવા માટે અમે તાજેતરમાં કેટલીક મહત્વપૂર્ણ પહેલો કરી છે.

પ્રધાનમંત્રીએ સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી

May 18th, 12:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વીડનના ગોથેનબર્ગ (Gothenburg) ખાતે પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ઉલ્ફ ક્રિસ્ટરસન (H.E. Mr. Ulf Kristersson) સાથે દ્વિપક્ષીય પરામર્શ કર્યો હતો. સ્વીડનના ક્રાઉન પ્રિન્સેસ વિક્ટોરિયાએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો અને મહામહિમ રાજા કાર્લ XVI ગુસ્તાફ અને રાણી સિલ્વિયા તરફથી ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી મોદીએ મહામહિમ રાજાના 80મા જન્મદિવસે તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ પાઠવી હતી.

પશ્ચિમ બંગાળના સિંગુરમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓના લોન્ચિંગ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 18th, 03:30 pm

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી સર્બાનંદ સોનોવાલજી, સુકાંત મજુમદારજી, શાંતનુ ઠાકુરજી, સંસદમાં મારા સાથી શૌમિક ભટ્ટાચાર્યજી, સૌમિત્ર ખાનજી, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીજી, અન્ય જનપ્રતિનિધિગણ, દેવીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના સિંગુરમાં ₹830 કરોડથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું, શિલાન્યાસ કર્યો અને લીલી ઝંડી બતાવી

January 18th, 03:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સિંગુરમાં ₹830 કરોડથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું, શિલાન્યાસ કર્યો અને લીલી ઝંડી બતાવી. આ પ્રસંગે જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે ગઈકાલે તેઓ માલદામાં હતા અને આજે તેમને હુગલીમાં લોકોની વચ્ચે રહેવાનું સૌભાગ્ય મળ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિકસિત ભારત માટે પૂર્વ ભારતનો વિકાસ અનિવાર્ય છે, અને આ ધ્યેય સાથે કેન્દ્ર સરકાર સતત કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે ગઈકાલના અને આજના કાર્યક્રમો આ સંકલ્પને મજબૂત બનાવે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ સમયગાળા દરમિયાન તેમને પશ્ચિમ બંગાળના વિકાસને લગતી સેંકડો કરોડની પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાની તક મળી છે.

પ્રધાનમંત્રી 8 ઓક્ટોબરે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના 9માં સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે

October 07th, 10:27 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 9:45 વાગ્યે નવી દિલ્હી સ્થિત યશોભૂમિ ખાતે એશિયાના સૌથી મોટા ટેલિકોમ્યુનિકેશન, મીડિયા અને ટેકનોલોજી કાર્યક્રમ, ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2025ના 9મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે.