હૈદરાબાદમાં વિંગ્સ ઈન્ડિયા 2026 કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 28th, 06:00 pm
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી, રામ મોહન નાયડુજી, મુરલીધર મોહોલજી, વિશ્વભરમાંથી આવેલા માનનીય મંત્રીઓ (Honourable Ministers), ગ્લોબલ એવિએશન ઈન્ડસ્ટ્રીના લીડર્સ, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન્સના રિપ્રેઝન્ટેટિવ્સ, પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ (Distinguished Delegates), દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા હૈદરાબાદમાં વિંગ્સ ઈન્ડિયા 2026 કાર્યક્રમને સંબોધિત કર્યો
January 28th, 05:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેલંગાણાના હૈદરાબાદમાં વિંગ્સ ઈન્ડિયા 2026 કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ ઉદ્યોગ જગતના નેતાઓ, નિષ્ણાતો અને રોકાણકારોનું સ્વાગત કર્યું હતું અને નોંધ્યું હતું કે ઉડ્ડયન ઉદ્યોગનો આગામી યુગ આકાંક્ષાઓથી ભરેલો છે અને ભારત એક મુખ્ય ખેલાડી તરીકે ઉભરી રહ્યું છે. તેમણે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ, પાયલોટ ટ્રેનિંગ, એડવાન્સ્ડ એર મોબિલિટી અને એરક્રાફ્ટ લીઝિંગમાં ભારત જે વિશાળ તકો રજૂ કરે છે તેના પર પ્રકાશ પાડ્યો અને તમામ હિતધારકો માટે વિંગ્સ ઈન્ડિયા સમિટના મહત્વ પર ભાર મૂક્યો હતો.પશ્ચિમ બંગાળના સિંગુરમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓના લોન્ચિંગ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 18th, 03:30 pm
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી સર્બાનંદ સોનોવાલજી, સુકાંત મજુમદારજી, શાંતનુ ઠાકુરજી, સંસદમાં મારા સાથી શૌમિક ભટ્ટાચાર્યજી, સૌમિત્ર ખાનજી, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીજી, અન્ય જનપ્રતિનિધિગણ, દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના સિંગુરમાં ₹830 કરોડથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું, શિલાન્યાસ કર્યો અને લીલી ઝંડી બતાવી
January 18th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સિંગુરમાં ₹830 કરોડથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું, શિલાન્યાસ કર્યો અને લીલી ઝંડી બતાવી. આ પ્રસંગે જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે ગઈકાલે તેઓ માલદામાં હતા અને આજે તેમને હુગલીમાં લોકોની વચ્ચે રહેવાનું સૌભાગ્ય મળ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિકસિત ભારત માટે પૂર્વ ભારતનો વિકાસ અનિવાર્ય છે, અને આ ધ્યેય સાથે કેન્દ્ર સરકાર સતત કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે ગઈકાલના અને આજના કાર્યક્રમો આ સંકલ્પને મજબૂત બનાવે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ સમયગાળા દરમિયાન તેમને પશ્ચિમ બંગાળના વિકાસને લગતી સેંકડો કરોડની પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવાની તક મળી છે.મુંબઈમાં મેરીટાઇમ લીડર્સ કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 29th, 04:09 pm
મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથીઓ સર્બાનંદ સોનોવાલજી, શાંતનુ ઠાકુરજી, કીર્તિ વર્ધન સિંહજી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેજી, અજિત પવારજી, શિપિંગ અને અન્ય ઉદ્યોગોના નેતાઓ, અન્ય મહાનુભાવો તેમજ દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ઈન્ડિયા મેરીટાઇમ વીક 2025 ખાતે મેરીટાઇમ લીડર્સ કોન્ક્લેવને સંબોધિત કર્યુ
October 29th, 04:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના મુંબઈમાં ઇન્ડિયા મેરીટાઇમ વીક 2025 ખાતે મેરીટાઇમ લીડર્સ કોન્ક્લેવને સંબોધિત કર્યું હતું અને ગ્લોબલ મેરીટાઇમ સીઈઓ ફોરમની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ ગ્લોબલ મેરીટાઇમ લીડર્સ કોન્ક્લેવમાં તમામ સહભાગીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે ટિપ્પણી કરી હતી કે આ કાર્યક્રમ 2016માં મુંબઈમાં શરૂ થયો હતો અને ખુશી વ્યક્ત કરી હતી કે તે હવે વૈશ્વિક સમિટમાં વિકસિત થયો છે. શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે 85થી વધુ દેશોની ભાગીદારી એક મજબૂત સંદેશ આપે છે. તેમણે આ કાર્યક્રમમાં મોટી શિપિંગ કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, નીતિ નિર્માતાઓ અને નવીનતાઓના સીઈઓની હાજરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે નાના ટાપુ રાષ્ટ્રોના પ્રતિનિધિઓની હાજરીનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમના સામૂહિક દ્રષ્ટિકોણથી સમિટની તાલમેલ અને ઉર્જામાં નોંધપાત્ર વધારો થયો છે.આગામી દાયકા માટે ભારત-જાપાન સંયુક્ત દ્રષ્ટિકોણ: ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને આગળ ધપાવવા માટે આઠ દિશાઓ
August 29th, 07:11 pm
ભારત અને જાપાન, કાયદાના શાસન પર આધારિત મુક્ત, ખુલ્લા, શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને બળજબરી-મુક્ત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના સામાન્ય દ્રષ્ટિકોણ ધરાવતા બે દેશો તરીકે, પૂરક સંસાધન સંપત્તિ, તકનીકી ક્ષમતાઓ અને ખર્ચ સ્પર્ધાત્મકતા ધરાવતી બે અર્થવ્યવસ્થાઓ, અને મિત્રતા અને પરસ્પર સદ્ભાવનાની લાંબી પરંપરા ધરાવતા બે રાષ્ટ્રો તરીકે, આગામી દાયકામાં આપણા દેશો અને વિશ્વમાં મોટા પાયે પરિવર્તનો અને તકોને સંયુક્ત રીતે નેવિગેટ કરવાનો અમારો ઇરાદો વ્યક્ત કરે છે, જેથી આપણા સંબંધિત સ્થાનિક લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ મળે, અને આપણા દેશો અને આગામી પેઢીના લોકોને પહેલા કરતાં વધુ નજીક લાવવામાં મદદ મળે.મંત્રીમંડળે આંધ્રપ્રદેશ (તિરુપતિ), છત્તીસગઢ (ભિલાઈ), જમ્મુ અને કાશ્મીર (જમ્મુ), કર્ણાટક (ધારવાડ) અને કેરળ (પલક્કડ) માં સ્થાપિત પાંચ ભારતીય ટેકનોલોજી સંસ્થાઓ (IIT) ની શૈક્ષણિક અને માળખાગત ક્ષમતાના વિસ્તરણને મંજૂરી આપી
May 07th, 12:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે આંધ્રપ્રદેશ (IIT તિરુપતિ), કેરળ (IIT પલક્કડ), છત્તીસગઢ (IIT ભિલાઈ), જમ્મુ અને કાશ્મીર (IIT જમ્મુ) અને કર્ણાટક (HT ધારવાડ) રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાપિત પાંચ નવા ILTs ની શૈક્ષણિક અને માળખાગત ક્ષમતા (ફેઝ-`B' બાંધકામ)ના વિસ્તરણને મંજૂરી આપી છે.રોજગાર મેળા હેઠળ 51,000થી વધુ નિમણૂક પત્રોના વિતરણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 26th, 11:23 am
આજે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં 51000થી વધુ યુવાનોને કાયમી સરકારી નોકરીના પત્રો આપવામાં આવ્યા છે. આજે ભારત સરકારના વિવિધ વિભાગોમાં આપ યુવાનો માટે નવી જવાબદારીઓ શરૂ થઈ છે. તમારી જવાબદારી દેશની આર્થિક વ્યવસ્થાને મજબૂત બનાવવાની છે, તમારી જવાબદારી દેશની આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવાની છે, તમારી જવાબદારી દેશમાં આધુનિક માળખાગત સુવિધાઓ બનાવવાની છે, તમારી જવાબદારી કામદારોના જીવનમાં મૂળભૂત પરિવર્તન લાવવાની છે. તમે જેટલી પ્રામાણિકતાથી તમારા કાર્યો પૂર્ણ કરશો, તેટલી જ ભારતની વિકસિત ભારત તરફની યાત્રામાં સકારાત્મક અસર જોવા મળશે. મને વિશ્વાસ છે કે તમે તમારી ફરજો ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિભાવશો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું
April 26th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું હતું અને આજે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને 51,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે ભારત સરકારનાં વિવિધ વિભાગોમાં આ યુવાનો માટે નવી જવાબદારીઓની શરૂઆત થઈ રહી છે. તેમણે નોંધ્યું હતું કે, તેમની ફરજોમાં દેશનાં આર્થિક માળખાને મજબૂત કરવું, આંતરિક સુરક્ષાને પ્રોત્સાહન આપવું, આધુનિક માળખાગત સુવિધાનાં નિર્માણમાં પ્રદાન કરવું અને કામદારોનાં જીવનમાં પરિવર્તનકારી પરિવર્તન લાવવું સામેલ છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જે નિષ્ઠાથી તેઓ પોતાની જવાબદારી અદા કરે છે, તેની ભારતની વિકસિત રાષ્ટ્ર બનવાની સફર પર સકારાત્મક અસર પડશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ યુવાનો પોતાની ફરજ પૂરી નિષ્ઠા સાથે નિભાવશે.INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીરનાં કમિશનિંગ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ
January 15th, 11:08 am
મહારાષ્ટ્રનાં રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનજી, મહારાષ્ટ્રનાં લોકપ્રિય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, મંત્રી પરિષદમાં મારા વરિષ્ઠ સાથીઓ, શ્રી રાજનાથ સિંહજી, સંજય સેઠજી, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી તેમની સાથે આજે આપણા બે નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજર છે, નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, અજિત પવારજી, સીડીએસ, સીએનએસ, નૌકાદળનાં બધા સાથીઓ, માઝગાંવ ડોકયાર્ડમાં કામ કરતા બધા સાથીઓ, અન્ય મહેમાનો, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રન્ટલાઈન વૉરશિપ INS સુરત, INS નીલગિરિ અને INS વાઘશીર દેશને સમર્પિત કર્યા
January 15th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં નેવલ ડોકયાર્ડમાં કાર્યરત થવા પર નૌસેનાનાં ત્રણ અગ્રિમ વૉરશિપ INS સુરત, INS નીલગિરિ અને INS વાઘશીર દેશને સમર્પિત કર્યા હતા. અહિં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, 15મી જાન્યુઆરીને સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને રાષ્ટ્રની સુરક્ષા અને સલામતી માટે પોતાના જીવનનું બલિદાન આપનારા તમામ બહાદુર યોદ્ધાને તેમણે નમન કર્યાં હતા. તેમણે આ પ્રસંગે તમામ વીર યોદ્ધાઓને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
November 21st, 10:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 20 નવેમ્બરના રોજ જ્યોર્જટાઉન, ગુયાનામાં દ્વિતીય ભારત-કેરીકોમ સમિટ અંતર્ગત ત્રિનિદાદ અને ટોબેગો પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. કીથ રોઉલી સાથે મુલાકાત કરી હતી.કેબિનેટે ગંગા નદી પર કનેક્ટિવિટી પ્રદાન કરવા, મુસાફરીમાં સરળતા લાવવા, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા, ઓઇલની આયાત ઘટાડવા અને કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે નવા રેલ-કમ-રોડ પુલ સહિત વારાણસી-પંડિત દીનદયાળ ઉપાધ્યાય મલ્ટિટ્રેકિંગના નિર્માણને મંજૂરી આપી
October 16th, 03:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે રેલવે મંત્રાલયનાં એક પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ આશરે રૂ. 2,642 કરોડ (અંદાજે) છે. પ્રસ્તાવિત મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ કામગીરીને સરળ બનાવશે અને ગીચતામાં ઘટાડો કરશે, જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત વિભાગોને અત્યંત જરૂરી માળખાગત વિકાસ પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશના વારાણસી અને ચંદૌલી જિલ્લામાંથી પસાર થાય છે.બાંગ્લાદેશના પ્રધાનમંત્રીની ભારત યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અખબારી નિવેદન
June 22nd, 01:00 pm
હું પ્રધાનમંત્રી શેખ હસીનાજી અને તેમના પ્રતિનિધિમંડળનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા એક વર્ષમાં અમે દસ વખત મળ્યા છીએ. પરંતુ આજની મુલાકાત વિશેષ છે. કારણ કે પ્રધાનમંત્રી શેખ હસીનાજી અમારી સરકારના ત્રીજા કાર્યકાળમાં અમારા પ્રથમ રાજ્ય અતિથિ છે.ઉત્તર પ્રદેશના લખનઉમાં વૈશ્વિક રોકાણકાર સંમેલનના ચોથા ગ્રાઉન્ડબ્રેકિંગ સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 19th, 03:00 pm
આજે આપણે અહીંયા વિકસિત ભારત માટે વિકસિત ઉત્તર પ્રદેશનું નિર્માણ કરવાના સંકલ્પ સાથે એકજૂથ થયા છીએ. અને મને કહેવામાં આવ્યું હતું કે, અત્યારે તકનીકના માધ્યમથી આપણી સાથે ઉત્તર પ્રદેશની 400 થી વધુ વિધાનસભા સીટો પર લાખો લોકો આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. તકનીક દ્વારા આ કાર્યક્રમ સાથે જોડાયેલા મારા તમામ પરિવારજનોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજથી 7-8 વર્ષ પહેલાં આપણે કલ્પના પણ ન હતા કરી શકતા કે ઉત્તર પ્રદેશમાં પણ રોકાણ અને નોકરીઓના સંદર્ભમાં આવું વાતાવરણ સર્જાશે. ચારેબાજુ ગુનાખોરી, રમખાણો, તફડંચીના સમાચારો આવતા રહેલા હતા. તે દરમિયાન જો કોઇ એમ કહેતું કે હું ઉત્તર પ્રદેશને વિકસિત બનાવીશ તો કદાચ કોઇ સાંભળવા તૈયાર ન હોત, માનવાનો સવાલ જ નહોતો. પરંતુ આજે જુઓ, ઉત્તર પ્રદેશની ધરતી પર લાખો કરોડ રૂપિયાનું રોકાણ ઉતરી રહ્યું છે. અને હું ઉત્તર પ્રદેશનો સાંસદ છું. અને જ્યારે મારા ઉત્તર પ્રદેશમાં કંઇક થાય છે, ત્યારે સૌથી વધુ આનંદ મને થાય છે. આજે હજારો પરિયોજનાઓ પર કામ શરૂ થઇ રહ્યું છે. આ ફેક્ટરીઓ જે અહીં આવી રહી છે, આ ઉદ્યોગો જે આવી રહ્યા છે, તે ઉત્તર પ્રદેશની તસવીર બદલી નાખવાના છે. હું ખાસ કરીને તમામ રોકાણકારોને અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના તમામ યુવાનોને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં લખનઉમાં વિકસિત ભારત વિકસિત ઉત્તરપ્રદેશ કાર્યક્રમને સંબોધન કર્યું
February 19th, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉમાં વિકસિત ભારત વિકસિત ઉત્તરપ્રદેશ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે ફેબ્રુઆરી 2023 માં આયોજિત યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023ના ચોથા ભૂમિપૂજન સમારોહમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના 14000 પ્રોજેક્ટ્સનો પણ શુભારંભ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ મેન્યુફેક્ચરિંગ, રિન્યુએબલ એનર્જી, આઇટી અને આઇટીઇએસ, ફૂડ પ્રોસેસિંગ, હાઉસિંગ અને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને એન્ટરટેઇનમેન્ટ અને શિક્ષણ જેવા ક્ષેત્રો સાથે સંબંધિત છે.ભારતીદાસન યુનિવર્સિટી, તિરુચિરાપલ્લીના 38મા દીક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 02nd, 11:30 am
તામિલનાડુનાં રાજ્યપાલ થિરુ આર. એન. રવિજી, તમિલનાડુનાં મુખ્યમંત્રી થિરુ એમ. કે. સ્ટાલિનજી, ભારતીદાસન યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર થિરુ એમ. સેલ્વમજી, મારા યુવાન મિત્રો, શિક્ષકો અને યુનિવર્સિટીનાં સહાયક કર્મચારીઓ,પ્રધાનમંત્રીએ તમિલનાડુની તિરુચિરાપલ્લી સ્થિત ભારતીદાસન વિશ્વવિદ્યાલયના 38મા પદવીદાન સમારંભને સંબોધન કર્યું
January 02nd, 10:59 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં તિરુચિરાપલ્લીમાં ભારતીદાસન વિશ્વવિદ્યાલયનાં 38માં પદવીદાન સમારંભને સંબોધન કર્યું હતું. તેમણે યુનિવર્સિટીના હોશિયાર વિદ્યાર્થીઓને એવોર્ડ પણ એનાયત કર્યા હતા.ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટ 2023માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 17th, 11:10 am
ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટની ત્રીજી આવૃત્તિમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. અગાઉ જ્યારે અમે 2021માં મળ્યા હતા ત્યારે સમગ્ર વિશ્વ કોરોનાની અનિશ્ચિતતાથી ઘેરાયેલું હતું. કોરોના પછી દુનિયા કેવી હશે તે કોઈ જાણતું ન હતું. પરંતુ આજે વિશ્વમાં એક નવી વિશ્વ વ્યવસ્થા આકાર લઈ રહી છે અને આ બદલાતી વિશ્વ વ્યવસ્થામાં સમગ્ર વિશ્વ નવી આકાંક્ષાઓ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે. આર્થિક સંકટથી ઘેરાયેલી દુનિયામાં ભારતની અર્થવ્યવસ્થા સતત મજબૂત થઈ રહી છે. એ દિવસ દૂર નથી જ્યારે ભારત વિશ્વની ટોચની 3 આર્થિક શક્તિઓમાં સામેલ થશે. આપણે જાણીએ છીએ કે વિશ્વમાં મહત્તમ વેપાર દરિયાઈ માર્ગે જ થાય છે. પોસ્ટ-કોરોના વિશ્વમાં, આજે વિશ્વને પણ વિશ્વસનીય અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇનની જરૂર છે. એટલા માટે ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટની આ આવૃત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.