પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે 29 ફેબ્રુઆરી 2020ના રોજ યોજાનારી મહા વિતરણ શિબિરમાં વરિષ્ઠ નાગરિકો (રાષ્ટ્રીય વયોશ્રી યોજના – RVY હેઠળ) અને દિવ્યાંગજનો (ADIP યોજના હેઠળ) મદદરૂપ સહાય અને ઉપકરણોનું વિતરણ કરશે.

દેશમાં અત્યાર સુધીમાં આવરી લેવામાં આવેલા લાભાર્થીઓની સંખ્યા, વિતરણ કરવામાં આવેલા ઉપકરણોની સંખ્યા અને મદદરૂપ સહાય તેમજ ઉપકરણોના મૂલ્યના સંદર્ભમાં આ સૌથી મોટી વિતરણ શિબિર છે.
આ મહા શિબિરમાં 56,000થી વધુ અલગ-અલગ પ્રકારની મદદરૂપ સહાય અને ઉપકરણોનું 26,000થી વધુ લાભાર્થીને તદ્દન વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ સહાય અને ઉપકરણોની કુલ કિંમત રૂ. 19 કરોડથી વધુ છે.

આ વિતરણનો મૂળ ઉદ્દેશ્ય આવી સહાય અને ઉપકરણોની મદદ પૂરી પાડીને દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોના દૈનિક જીવનમાં સુધારો અને તેમનો સામાજિક-આર્થિક વિકાસ કરવાનો છે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Positive consumer sentiments drive automobile dispatches up 12% in 2024: SIAM

Media Coverage

Positive consumer sentiments drive automobile dispatches up 12% in 2024: SIAM
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 15 જાન્યુઆરી 2025
January 15, 2025

Appreciation for PM Modi’s Efforts to Ensure Country’s Development Coupled with Civilizational Connect