"Aiming inclusive development: Gujarat’s unstoppable development journey moves on"

સર્વસમાવેશક વિકાસના લક્ષ્ય સાથે ગુજરાતની વણથંભી વિકાસયાત્રા

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૭મી ઓકટોબર, ર૦૦૧ના રોજ ગુજરાતનું શાસન સંભાળ્યું હતું. તેમના યશસ્વી નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રાએ દેશ અને દુનિયામાં આગવી શાખ અને પ્રતિષ્ઠા ઉભી કરી છે.

આવતીકાલે તા. ૭મી ઓકટોબર, ર૦૧૩ના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્તમાન રાજ્ય સરકાર ૧૩મા વર્ષમાં પદાર્પણ કરે છે. ગુજરાતના રાજનૈતિક અને જાહેરજીવનમાં સતત એકધારા શાસનનો આ ઐતિહાસિક વિક્રમ છે.

ગુજરાત સરકારની પ્રજાકલ્યાણલક્ષી સિદ્ધિઓ અને સર્વાંગી વિકાસની રૂપરેખા આ પ્રાસંગિક લેખમાં પ્રસ્તુત કરવામાં આવી છે.

એકવીસમી સદીની શરૂઆતની ગુજરાતની સ્થિતિ જરા યાદ કરો..ભૂકંપથી ભાંગી પડેલું ગુજરાત..વાવાઝોડા અને દુષ્કાળથી ત્રસ્ત ગુજરાત..વીજળીના ધાંધિયા..કથળેલા કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રો..બેરોજગારીની સમસ્યા..આવી અનેક વિટંબણાઓથી ઘેરાયેલું હતું ગુજરાત...એકવીસમી સદીની શરૂઆતની આ સ્થિતિથી ત્રસ્ત ગુજરાતની પ્રજાએ સાક્ષીભાવથી વર્ષ ૨૦૦૧થી પરિવર્તનની એક લહેર જોઇ..વિકાસના સૂર્યોદયથી ગુજરાત આખું ઝળાહળાં થઇ રહયું..પ્રજાને પોતાના સપના અને સંકલ્પ સાકાર થતા લાગ્યા..કારણ એ હતું કે ગુજરાતે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના કર્મઠ નેતૃત્વં હેઠળ તા. ૭ ઓક્ટોમબર ૨૦૦૧થી પંચામૃતની ફિલોસોફી અને સર્વસમાવેશક વિકાસના લક્ષ્ય સાથે વણથંભી વિકાસયાત્રાની શરૂઆત કરી હતી. આજે બાર વર્ષ પૂર્ણ થવા સાથે ગુજરાતની પ્રજાના હૃદયમાં વિકાસનો એક આખો અધ્યાય કંડારાઇ ગયો છે.

પહેલી મે, ૧૯૬૦ના દિને બૃહદ મુંબઇ રાજયમાંથી ગુજરાત રાજય અલગ થયું ત્યારે સૌ ગુજરાતીઓએ આગવા ગુજરાતના નિર્માણ માટે સંકલ્પ લીધા હતા. ગુજરાતનો વિકાસ ગાંધીજીના ચરણ ચિહ્નો પર ચાલતો હોય, સરદાર પટેલની સંકલ્પશક્તિથી પ્રભાવિત હોય*પૂ. રવિશંકરદાદાની પવિત્રતા અને ઇન્દુ ચાચાની સુદૃઢ સાદગી અને દૃઢતાથી વિકસિત હોય... આ સંકલ્પને સાકાર કરવા ગુજરાતે જે મહાયજ્ઞ આદર્યો છે તેમાં સૌ ગુજરાતીઓ સહયોગ આપી રહ્યા છે. ગુજરાતીઓના આ પુરૂષાર્થ અને સંકલ્પ સિદ્ધિના સામર્થ્યથી આજે ગુજરાત..સમગ્ર દેશ અને વિશ્વમાં વાયબ્રન્ટ બની રહ્યું છે.

ગુજરાતની વિકાસ માટેની રણનીતિને ૩૬૦ ડિગ્રી ગ્રોથ મોડેલ તરીકે વર્ણવી શકાય જેમાં કેન્દ્રી સ્થાને છ કરોડ ગુજરાતીઓ છે. ગુજરાતના સર્વાંગી વિકાસને કારણે જ દેશ જ નહીં દુનિયાના દેશો આજે ગુજરાત તરફ નજર માંડીને બેઠાં છે. ગુજરાતે ત્રિસ્તરીય વિકાસનું મોડલ અપનાવ્યું છે જેમાં ઉદ્યોગ ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એમ ત્રણેય ક્ષેત્રના સમ્યવક વિકાસનો સમાવેશ થાય છે. આ ત્રણે ક્ષેત્રમાં સંતુલિત વિકાસને કારણે રાજયના અર્થંતંત્રની ગતિ ક્યારેય મંદ પડતી નથી.

ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે જે વિકાસ હાંસલ કર્યો છે તેના કારણે સમગ્ર દેશ અને દુનિયાની નજર આજે ગુજરાત તરફ મંડાઇ છે. ગુજરાત આજે સમગ્ર દેશના ગ્રોથ એન્જીન તરીકે વિકસ્યું છે. ભારતની પાંચ ટકા વસતી ધરાવતા ગુજરાતનું સમગ્ર દેશમાં પ્રદાન ઉડીને આંખે વળગે તેવું છે.

સોડાએશમાં ગુજરાતનું પ્રદાન-૯૮ ટકા, ડાયમન્ડ પોલીશ અને નિકાસમાં-૮૦ ટકા, મીઠાંના ઉત્પાદનમાં-૭૫ ટકા, પેટ્રોકેમિકલ્સ્માં -૬૨ ટકા, ક્રુડ ઓઇલમાં-૫૩ ટકા, કેમિકલ્સમાં -૫૧ ટકા, કાર્ગો હેન્ડોલીંગમાં-૩૫ ટકા, નેચરલ ગેસ (ઓફશોર)માં ૩૦ ટકાનો ફાળો ગુજરાતનો છે. ઇન્વેસ્ટમર ફ્રેન્ડ લી નીતિના કારણે ગુજરાત આજે છ-છ વાયબ્રન્ટ સમીટમાં મૂડી રોકાણ આકર્ષવા સક્ષમ બન્યું છે.

ગુજરાતનો ૬૦ ટકાથી વધુ વિસ્તાર દિલ્હી મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર હેઠળ આવે છે એટલું જ નહીં ૪૦ ટકા ફ્રેઇટ કોરીડોર ગુજરાતમાંથી પસાર થાય છે આ તકને ઝડપી લઇને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટો ઘડનારું ગુજરાત દેશભરનું પ્રથમ રાજય બન્યું છે. આજે ગુજરાત ઓટો મોબાઇલ હબ બન્યું છે. ધોલેરામાં ઇન્ટરનેશનલ કક્ષાનું સીટી આકાર લઇ રહયું છે. ગાંધીનગર નજીક ફાઇનાન્સિયલ સર્વિસ માટે ગીફ્‌ટ સીટી-ગુજરાત ઇન્ટીગ્રેટેટ ફાઇનાન્સિયલ ટેક સીટી તૈયાર થઇ રહયું છે. ગુજરાતે પોર્ટ, પાવર, રોડ, પાણી તેમજ અન્ય આંતરમાળખાકીય ક્ષેત્રે રૂ. ૧,૦૦,૦૦૦ કરોડના ૧૩૫ પ્રોજેક્ટ અમલમાં મૂક્યાં છે જે માત્ર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ હસ્તકના છે.

ગુજરાતે ઉદ્યોગોની જેમ જ કૃષિ ક્ષેત્રને પણ તેટલું જ મહત્વત આપ્યું છે. કૃષિ યુનિવર્સિટીનું કૃષિ જ્ઞાન ખેતરો સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે લેબ ટુ લેન્ડંના મંત્રને સાકાર કરવા કૃષિ મહોત્સોવ જેવા સફળ અભિયાન અને સોઇલ હેલ્થ કાર્ડ જેવા સફળ નવતર પ્રયોગો ગુજરાતે કર્યાં છે જેના કારણે દાયકા પહેલાંનું ગુજરાતનું રૂ. ૯,૦૦૦ કરોડનું કૃષિ ઉત્પાદન આજે ૧ લાખ ૧૧ હજાર કરોડે પહોંચી ગયું છે. વર્ષ ૨૦૦૧માં કપાસનું ઉત્પાદન જે ૨૧ લાખ ગાંસડી હતું તે વધીને આજે ૧.૨૦ કરોડ ગાંસડી થયું છે. ગુજરાત દેશભરની બીજી હરિયાળી ક્રાંતિનું નેતૃત્વો લીધું છે. ૪૨ લાખ ખેડૂતોને સોઇલ હેલ્થબ કાર્ડ અને પશુઆરોગ્યે મેળા દ્વારા સવા કરોડ પશુઓના આરોગ્યોની ચકાસણી કરવાના કારણે પશુઓના ચેપી રોગમાં મોટા પાયે અટકાવ કરી શકાયો છે. આજે સમગ્ર ભારત દેશના કૃષિ વિકાસ દર ૩.૫ ટકાની સામે ગુજરાતનો કૃષિ વિકાસ દર ૧૦.૭ ટકાથી પણ વધારે છે. શરૂઆતના ૪૦ વર્ષોમાં ગુજરાતના ખેડૂતોને ૬.૩૦ લાખ વીજ જોડાણો મળ્યા હતા જયારે છેલ્લા દસ વર્ષમાં ખેડૂતોને ચાર લાખ નવા વીજ જોડાણો આપવામાં આવ્યા છે. ભૂતકાળમાં ખેડૂતોને વીજળી પેટે વાર્ષિક સબસીડી માત્ર રૂ. ૩૦૦ કરોડ જ મળતી હતી જયારે આજે રૂ. ૩૦૦૦ કરોડ મળે છે. રાજય સરકારના અસરકારક વીજ વ્યહવસ્થાપનને પરીણામે જ બાર વર્ષ પહેલાં ખેડૂતોને ૫૮ પૈસે યુનિટ વીજળી મળતી હતી જે આજે ૪૯ પૈસે મળે છે. બહુહેતુક નર્મદા યોજનાની ૪૫૮ કીમી.ની મુખ્યે નહેરોના કામ પૂર્ણ કરીને રાજસ્થાન સુધી ગુજરાતે નર્મદાના નીર પહોંચાડ્યા છે. ૩૮ પૈકી ૨૯ શાખા નહેરોના કામ પૂર્ણ થયા છે. અત્યાર સુધીમાં આ યોજના પાછળ રૂ. ૩૫ હજાર કરોડનો ખર્ચ કરાયો છે. આ યોજનાના જળ વિદ્યુત મથક દ્વારા ૨૧૬૦ કરોડ યુનિટ વીજળી ઉત્પાન્ન થઇ છે જેનાથી રાજયને રૂ. ૭૦૦ કરોડની આવક થઇ છે.

આ રાજય સરકારે સેવા ક્ષેત્રને લોકાભિમુખ અને પારદર્શી બનાવવાનો પ્રયાસ કર્યો છે. રાજયના જન-જન સુધી વિકાસના મીઠાં ફળ પહોંચે તે માટે માઇક્રો લેવલનું ગુજરાતે આયોજન કર્યું છે. ગુજરાતે આરોગ્ય સેવાને ઝડપી અને બહેતર બનાવી છે. ૫૦૦થી વધુ ૧૦૮ એમ્યુલન્સ સેવા ગણતરીની મીનિટોમાં દર્દી સુધી પહોંચી જાય છે. ગુજરાતે કુપોષણ સામે રીતસરનો જંગ છેડ્યો છે. પ્રસુતા માતા અને નવજાત શીશુના આરોગ્યગની ચિંતા કરતી ચીરંજીવી યોજના, બાલભોગ યોજના અને ઇ-મમતા જેવી યોજનાઓ રાષ્ટ્રીય સ્તીરે પ્રશંસા પામી છે. રાજય સરકારે સમગ્ર રાજયમાં ચોવીસ કલાક ગુણવત્તાયુક્ત અવિરત થ્રી ફેઇઝ વીજળી પૂરી પાડીને સમગ્ર દેશને નવો રાહ ચીંધ્યો છે. શાળા પ્રવેશોત્સવ દ્વારા સો ટકા નામાંકન અને ડ્રોપ આઉટ રેશિયોમાં અભૂતપૂર્વ દ્યટાડો કરનારું ગુજરાત હવે ગુણોત્સાવ દ્વારા સમગ્ર દેશને દિશા દર્શન કરી રહ્યું છે.  કેળવણી અને બેટી બચાવો અભિયાન દ્વારા ગુજરાતે દેશનું ધ્યાન ખેંચ્યું છે. ગ્રામ સ્વ્રાજયના ધ્યેય સાથે પંચાયતી રાજનો અમલ કરનારું ગુજરાત રાજય આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો-એટીવીટી યોજના દ્વારા ગામડાં સુધી સત્તાનું વિકેન્દ્રિકરણ કરનારું દેશભરનું પ્રથમ રાજય બન્યું છે.

ગુજરાતે ઇ-ગવર્નન્સને પણ વિકાસની પ્રક્રિયા સાથે જાડ્યું છે. રાજયમાં દોઢ લાખ કિ.મી. જેટલાં ઓપ્ટીકલ ફાઇબર કેબલ નેટવર્ક સાથેનું જીસ્વાંન એશિયાભરનું આવું મોટું નેટવર્ક છે. ઇ-ગવર્નન્સનો ઉપયોગથી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી સ્વાગત કાર્યક્રમ દ્વારા જનફરિયાદનું ઓનલાઇન નિવારણ કરે છે. મુખ્યમંત્રીશ્રીના આગવા દૃષ્ટિકોણને કારણે જ ગુજરાત આજે ગ્રીન એનર્જીનું હબ બન્યું છે. ગુજરાતે ચારણકા ખાતે એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપિત કર્ચો છે. તો રૂફ ટોપ સોલાર એનર્જી અને કેનાલ બેડ જેવા નવતર પ્રયોગો પણ કર્યા છે.

કોઇપણ રાજયના વિકાસનો સાચો માપદંડ વંચિતોના વિકાસ ઉપર આધારિત હોય છે. ગુજરાતે ગ્રામ્યન વિસ્તારના સવા આઠ લાખથી વધુ બીપીએલ પરિવારોને જમીનના પ્લોટ-આવાસ આપ્યા છે. ૧૦૦૦ જેટલાં ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ૮૫ લાખથી વધારે ગરીબોને રૂ. ૧૩,૦૦૦ કરોડથી વધુ રકમનો સીધો લાભ હાથોહાથ અપાવીને વચેટિયાઓના દુષણને નાથ્યું છે.

વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે રૂ. ૧૫૦૦૦ કરોડની વનબંધુ કલ્યાણ યોજના, સાગર ખેડૂઓના વિકાસ માટે રૂ. ૧૧૦૦૦ કરોડની સાગર ખેડૂ સર્વાંગી વિકાસ યોજના અને રૂ. ૧૩૦૦૦ કરોડની શહેરી ગરીબ સમૃદ્ધિ યોજના દ્વારા રાજયના જરૂરિયાતમંદ વર્ગ માટે આ રાજય સરકાર સહયોગી બનીને હરહંમેશ સાથે રહી છે.

ગુજરાત રાજય મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના બાર વર્ષના સુદીર્ઘ નેતૃત્વ હેઠળ ભારતના વિકાસ માટે ગુજરાતના વિકાસના લક્ષ્ય અને સૌના સાથ સૌનો વિકાસના મંત્ર સાથે વણથંભી વિકાસની જે યાત્રા આદરી છે તેનાથી ગુજરાતે સર્વસમાવેશક, સર્વ પોષક અને સર્વ દેશીય એવો સર્વાંગી વિકાસ સાધીને દેશભરને જ નહીં દુનિયાને માટે વિકાસ પ્રેરણા પૂરી પાડી છે.

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
'Operation Sindoor on, if they fire, we fire': India's big message to Pakistan

Media Coverage

'Operation Sindoor on, if they fire, we fire': India's big message to Pakistan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi's address to the nation
May 12, 2025
Today, every terrorist knows the consequences of wiping Sindoor from the foreheads of our sisters and daughters: PM
Operation Sindoor is an unwavering pledge for justice: PM
Terrorists dared to wipe the Sindoor from the foreheads of our sisters; that's why India destroyed the very headquarters of terror: PM
Pakistan had prepared to strike at our borders,but India hit them right at their core: PM
Operation Sindoor has redefined the fight against terror, setting a new benchmark, a new normal: PM
This is not an era of war, but it is not an era of terrorism either: PM
Zero tolerance against terrorism is the guarantee of a better world: PM
Any talks with Pakistan will focus on terrorism and PoK: PM

પ્રિય દેશવાસીઓ,

નમસ્કાર!...

આપણે સૌએ વિતેલા દિવસોમાં દેશનું સામર્થ્ય અને તેનો સંયમ બંને જોયા છે.

હું સૌને પહેલા ભારતના પરાક્રમી સેનાઓને,

સશસ્ત્ર દળોને...

આપણી ગુપ્તચર એજન્સીઓને....

અને આપણા વૈજ્ઞાનિકોને...

 

તમામ ભારતવાસીઓ તરફથી સલામ કરું છું.

આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે અસીમ શૌર્ય બતાવ્યું છે.

હું તેમની વીરતાને... તેમના સાહસને... તેમના પરાક્રમને... આજે સમર્પિત કરું છું...

 

આપણા દેશની માતાઓને...

દેશની દરેક બહેનને...

અને દેશની દરેક દીકરીને આ પરાક્રમ સમર્પિત કરું છું.

 

સાથીઓ,

22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ જે બર્બરતા બતાવી હતી, તેમનાથી દેશ અને દુનિયા હચમચી ગયા હતા.

રજાઓ વિતાવવા આવેલા નિર્દોષ- માસૂમ નાગિરકોને

ધર્મ પૂછીને...

તેમના પરિવારની સામે જ,

તેમના બાળકોની સામે...

નિર્દયતાપૂર્વક મારી નાખ્યા..

આ આંતકનો ખૂબ જ બિભત્સ ચહેરો હતો.. ક્રૂરતા હતી...

આ દેશના સદભાવને તોડવાનો કાયરતાપૂર્ણ પ્રયાસ પણ હતો.

મારા માટે વ્યક્તિગતરૂપે આ પીડા ખૂબ જ મોટી હતી.

 

આ આતંકી હુમલા પછી આખો દેશ...

દરેક નાગરિક... દરેક સમાજ... દરેક વર્ગ... દરેક રાજકીય પક્ષ...

એક સૂરમાં... આતંકની સામે આકરી કાર્યવાહી કરવા માટે ઉભા થયા...

આપણે આતંકવાદીઓને માટીમાં મિલાવી તેવા માટે ભારતની સેનાઓને સંપૂર્ણ છૂટ આપી દીધી.

અને આજે દરેક આતંકી, આંતકનું દરેક સંગઠન જાણી ગયું છે....

કે આપણી બહેન-દીકરીઓના માથા પરથી સિંદૂર હટાવવાનું પરિણામ શું આવે છે.

 

સાથીઓ,

ઓપરેશન સિંદૂર... આ માત્ર નામ નથી...

આ દેશના કોટી-કોટી લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે.

ઓપરેશન સિંદૂર... ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે.

6 મેની મોડી રાતે... 7 મેની સવારે... આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં બદલાતી જોઈ છે.

ભારતની સેનાઓએ પાકિસ્તાનમાં આતંકાના ઠેકાણાઓ પર...

તેમના ટ્રેનિંગ સેન્ટરો પર સચોટ પ્રહારો કર્યા.

 

આતંકીઓએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય તે ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે છે.

પરંતુ જ્યારે દેશ એકજૂથ થાય છે... નેશન ફર્સ્ટની ભાવનાથી ભરાયેલો હોય છે.. રાષ્ટ્ર સર્વોપરી હોય છે...

તો પોલાદી નિર્ણયો લેવામાં આવે છે.. પરિણામ લાવીને બતાવવામાં આવે છે.

જ્યારે પાકિસ્તાનમાં આતંકના અડ્ડાઓ પર ભારતની મિસાઈલોએ હુમલા કર્યા....

ભારતના ડ્રોને હુમલા કર્યા...

તો આતંકી સંગઠનોની ઈમારતો જ નહીં.... પરંતુ તેમની હિંમત પણ ધરાશાયી થઈ ગઈ.

બહાવલપુર અને મુરીદગે જેવા આતંકી ઠેકાણાઓ... એક પ્રકારે ગ્લોબલ ટેરરિઝમની યુનિવર્સિટી રહ્યા છે.

દુનિયામાં ક્યાંય પણ જે મોટા આતંકી હુમલા થયા છે...

નાઇન ઇલેવન હોય...

લંડન ટ્યુબ બોમ્બિંગ્સ હોય...

કે પછી ભારતમાં દાયદાઓમાં જે પણ મોટા આતંકી હુમલા થયા છે....

તેમના તાર ક્યાંકને ક્યાંક આતંકના આ ઠેકાણાઓ સાથે જ જોડાયેલા છે.

 

આતંકવાદીઓએ આપણી બહેનોના સિંદૂર ઉજાડ્યા હતા.. આથી ભારતે આતંકીઓના હેડક્વાર્ટર્સ ઉજાડી દીધા.

ભારતે આ હુમલાઓમાં 100થી વધુ ખૂંખાર આતંકવાદીઓને મોતના ઘાટ ઉતારી દીધા છે.

આતંકના કેટલાક આકાઓ...

છેલ્લા અઢી દાયકાથી ખુલ્લેઆમ પાકિસ્તાનમાં ફરી રહ્યા હતા...

તેઓ ભારતની વિરુદ્ધ કાવતરાઓ ઘડતા હતા...

તેમને ભારતે એક ઝાટકે જ ખતમ કરી નાખ્યા છે.

સાથીઓ,

ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન ઘોર નિરાશામાં ઘેરાઈ ગયું હતું...

હતાશામાં ઘેરાઈ ગયું હતું..

ડરી ગયું હતું...

અને આ ડરમાં જ તેમણે વધુ એક દુઃસાહસ કર્યું.

આતંક પર ભારતની કાર્યવાહીનો સાથ આપવાના બદલે પાકિસ્તાને ભારત પર જ હુમલો કરવાનું શરૂ કરી દીધું.

પાકિસ્તાને આપણી શાળાઓ- કોલેજોને... ગુરુદ્વારાઓને... મંદિરોને... સામાન્ય નાગરિકોના ઘરોને નિશાન બનાવ્યા...

પાકિસ્તાને આપણા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા...

પરંતુ તેમાં પણ પાકિસ્તાન પોતે જ ઉઘાડું પડી ગયું..

દુનિયાએ જોઈ લીધું કે કેવી રીતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલો... ભારતની સામે એક તણખલાની જેમ વેરવિખેર થઈ ગયા.

ભારતની સશક્ત એર ડિફેન્સ સિસ્ટમે, તેમને આકાશમાં જ નષ્ટ કરી દીધા.

પાકિસ્તાનની તૈયારી સીમા પર પ્રહાર કરવાની હતી...

પરંતુ ભારતે પાકિસ્તાનની છાતી પર જ પ્રહાર કરી દીધો.

ભારતના ડ્રોન... ભારતની મિસાઈલોએ સચોટ નિશાન લગાવીને હુમલો કર્યો.

પાકિસ્તાની વાયુસેનાના એ એરબેઝને નુકસાન પહોંચાડ્યું...

જેના પર પાકિસ્તાનને ખૂબ અભિમાન હતું.

ભારતે પહેલા ત્રણ દિવસમાં જ પાકિસ્તાનને એટલું તબાહ કરી દીધું કે જેનો તેને અંદાજ પણ નહોતો.

આથી...

ભારતની આક્રમક કાર્યવાહી પછી... પાકિસ્તાન બચવાના રસ્તાઓ શોધવા લાગ્યું.

પાકિસ્તાન... આખી દુનિયામાં તણાવ ઓછો કરવાની વિનંતી કરવા લાગ્યું હતું...

અને ખૂબ જ ખરાબ રીતે માર ખાધા પછી તેની મજબૂરીમાં 10 મેના રોજ બપોરે પાકિસ્તાનની સેનાએ આપણા DGMOનો સંપર્ક કર્યો.

ત્યાં સુધીમાં આપણે આતંકવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નેસ્ત-નાબૂદ કરી ચુક્યા હતા...

 

આતંકીઓને મોતના ઘાટ ઉતારી દીધા હતા...

પાકિસ્તાને પોતાની છાતી પર વસાવેલા આતંકના અડ્ડાઓને આપણે ખંડેર બનાવી દીધા હતા...

આથી, જ્યારે પાકિસ્તાન તરફથી વિનંતી કરવામાં આવી...

પાકિસ્તાન તરફથી જ્યારે કહેવામાં આવ્યું...

કે તેમના તરફથી આગળ કોઈ આતંકી ગતિવિધી અને સૈન્ય દુઃસાહસ કરવામા નહીં આવે...

તો ભારતે તેના પર વિચાર કર્યો.

 

અને હું ફરીથી કહી રહ્યો છું...

આપણે પાકિસ્તાનના આતંકી અને સૈન્ય ઠેકાણાઓ પર આપણી જવાબી કાર્યવાહીને હાલમાં માત્ર સ્થગિત કરી છે.

આવનારા દિવસોમાં...

આપણે પાકિસ્તાનના દરેક પગલાંને આ કસોટી પર માપીશું...

કે તેઓ શું વલણ અપનાવે છે.

 

સાથીઓ,

ભારતની ત્રણેય સેનાઓ...

આપણું વાયુદળ... આપણું સૈન્ય...

અને આપણું નૌકાદળ...

આપણા બોર્ડર સિક્યુરિટી ફોર્સ - BSF...

ભારતના અર્ધલશ્કરી દળો...સતત એલર્ટ પર છે.

સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પછી...

હવે ઓપરેશન સિંદૂર એ આતંકવાદની વિરુદ્ધમાં ભારતની નીતિ છે.

ઓપરેશન સિંદૂરે આતંકવાદ સામેની લડાઈમાં એક નવી રેખા દોરી છે...

એક નવું ધોરણ, એક ન્યૂ નોર્મ નક્કી કર્યું છે.

પહેલું- જો ભારત પર આતંકવાદી હુમલો થશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

આપણે આપણી રીતે, આપણી શરતો પર જવાબ આપીને જ રહીશું.

એ દરેક જગ્યાએ જઈને કઠોર કાર્યવાહી કરીશું, જ્યાંથી આતંકવાદના મૂળિયા નીકળે છે.

બીજું - કોઈપણ ન્યૂક્લિઅર બ્લેકમેઇલને ભારત સહન નહીં કરે.

ન્યૂક્લિઅર બ્લેકમેઇલના આડમાં ફુલી-ફાલી રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર ભારત સચોટ અને નિર્ણાયક હુમલો કરશે.

ત્રીજું - આપણે આતંકવાદને સમર્થન આપી રહેલી સરકાર અને આતંકવાદના આકાઓને અલગ અલગ નહીં જોઈએ.

ઓપરેશન સિંદૂર દરમિયાન...

દુનિયાએ... ફરી એકવાર પાકિસ્તાનનું ઘૃણાસ્પદ સત્ય જોયું છે...

જ્યારે માર્યા ગયેલા આતંકવાદીઓને વિદાય આપવા...

પાકિસ્તાની સેનાના મોટા મોટા અધિકારીઓ દોડી આવ્યા હતા.

સ્ટેટ સ્પોન્સર્ડ ટેરેરિઝમનો આ ખૂબ મોટો પુરાવો છે.

અમે ભારત અને આપણા નાગરિકોને કોઈપણ જોખમથી બચાવવા માટે સતત નિર્ણાયક પગલાં લેતા રહીશું.

સાથીઓ,

યુદ્ધના મેદાનમાં આપણે આ વખતે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે.

અને આ વખતે ઓપરેશન સિંદૂરે એક નવું પરિમાણ ઉમેર્યું છે.

અમે રણ અને પર્વતોમાં આપણું સામર્થ્ય શાનદાર રીતે બતાવી દીધું છે...

અને સાથે જ..

ન્યૂ એજ વૉરફોરમાં પણ આપણી શ્રેષ્ઠતા સિદ્ધ કરી દીધી છે.

આ ઓપરેશન દરમિયાન…

આપણા મેડ ઇન ઇન્ડિયા હથિયારોની પ્રમાણિકતા સાબિત થઈ છે.

આજે દુનિયા જોઈ રહી છે...

21મી સદીના વૉરફેરમાં મેડ ઇન્ડિયા ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ...

તેનો સમય આવી ગયો છે.

સાથીઓ,

દરેક પ્રકારના આતંકવાદ સામે આપણે એકજૂથ રહીએ છીએ, આપણી એકતા... એ આપણી સૌથી મોટી તાકાત છે.

ચોક્કસપણે આ યુગ યુદ્ધનો નથી...

પરંતુ આ યુગ આતંકવાદનો પણ નથી.

ટેરેરિઝમ સામે ઝીરો ટોલરન્સ... આ એક વધુ સારી દુનિયાની ગેરંટી છે.

સાથીઓ,

પાકિસ્તાની સૈન્ય... પાકિસ્તાન સરકાર...

જે રીતે આતંકવાદને પોષવામાં આવી રહ્યો છે...

તે એક દિવસ પાકિસ્તાનનો જ નાશ કરી દેશે.

પાકિસ્તાને બચવું હોય, તો તેણે પોતાના ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સફાયો કરવો જ પડશે.

આ સિવાય શાંતિનો કોઈ રસ્તો નથી.

ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે...

ટેરર અને ટૉક, એક સાથે ન થઈ શકે...

ટેરર અને ટ્રેડ, એક સાથે ન ચાલી શકે.

અને...

પાણી અને લોહી પણ એકસાથે ન વહી શકે.

હું આજે વિશ્વ સમુદાયને પણ કહેવા માંગુ છું...

અમારી ઘોષિત નીતિ રહી છે...

જો પાકિસ્તાન સાથે વાટાઘાટ થશે... તો તે ફક્ત ટેરેરિઝમ પર જ થશે...

જો પાકિસ્તાન સાથે વાટાઘાટ થશે... તો પાકિસ્તાન ઓક્યૂપાઇડ કાશ્મીર... PoK પર જ થશે...

પ્રિય દેશવાસીઓ,

આજે બુદ્ધ પૂર્ણિમા છે.

ભગવાન બુદ્ધે આપણને શાંતિનો માર્ગ બતાવ્યો છે.

શાંતિનો માર્ગ પણ શક્તિમાંથી પસાર થાય છે.

માનવતા... શાંતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધો...

દરેક ભારતીય શાંતિથી જીવી શકે...

વિકસિત ભારતનું સપનું પૂરું કરી શકે...

તેના માટે ભારત શક્તિશાળી હોય તે ખૂબ જ જરૂરી છે...

અને જરૂર પડે ત્યારે આ શક્તિનો ઉપયોગ કરવો પણ જરૂરી છે.

અને છેલ્લા કેટલાક દિવસોમાં, ભારતે આ જ કર્યું છે.

હું ફરી એકવાર ભારતની સેના અને સશસ્ત્ર દળોને... સલામ કરું છું.

આપણે ભારતીયોની હિંમત... અને દરેક ભારતવાસીની એકતાને હું સલામ કરું છું.

આભાર...

ભારત માતાની જય !!!

ભારત માતાની જય !!!

ભારત માતાની જય !!!