ગૌભકિતના સેવા મહિમા સાથે ગૌશકિતનો આર્થિક મહિમા સ્વીકારીએ
ગૌપૂજન કરીને સત્સંગી ગૌભકત પરિવારોને સંબોધન
ગુજરાત એકમાત્ર સરકાર જેણે કઠોરત્તમ ગૌવંશ રક્ષા કાનૂન અમલમાં મૂકયો
સર્વોચ્ચ અદાલતે આપેલા નિર્દેશ છતાં કેન્દ્ર સરકારે ગૌરક્ષા કાનૂન માટે ઘોર ઉદાસિનતા દાખવી કોટનની નિકાસ માટે કિસાનો પાસેથી એક્ષ્પોર્ટ ડયુટી લેતી કોંગ્રેસી સલ્તનત મટનની નિકાસ માટે પ્રોત્સાહક સબસીડી આપે છે!
રાજસ્થાનમાં ઝાલોર જિલ્લામાં નંદગાવ પાસે શ્રી ગોલોક મહાતીર્થમાં યોજાયેલા આ ગોકલ્યાણ મહા મહોત્સવમાં ભાગ લેવા મળેલા નિમંત્રણનો સ્વીકાર કરીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નંદગામની સુરભિ મંત્ર યજ્ઞશાળા અને ગૌશાળાની પરિક્રમાં કરી હતી અને ગૌમાતાનું પૂજન તથા આરતી કર્યા હતા.

કેન્દ્રની કોંગ્રેસ સરકાર ગૌરક્ષાના કાનૂનની વાત તો દૂર રહી, કોટનની નિકાસ માટે ખેડૂતો પાસેથી એક્ષ્પોર્ટ ડયુટી વસૂલે છે અને ગૌમાંસમટનની નિકાસ માટે સબસીડી આપે છે એવા માર્મિક પ્રહાર કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે બાંગલાદેશમાં ભારતના ગૌવંશની મોટાપાયે દાણચોરી થતી રહી છે અને વિદેશોમાં ગૌમાંસની નિકાસ માટે સ્થાપિત હિતોને મોકળું મેદાન મળી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના પડોશી રાજ્યોમાં ગૌરક્ષાનો કાનૂન નથી તેથી તેની મુંબઇ લઇને નિકાસ અને હેરાફેરી ગુજરાતના માર્ગો વીંધિને થાય છે અને ગુજરાત સરકારે તો કઠોર ગૌવંશ હત્યા પ્રતિબંધ અને ગેરકાનૂની હેરાફેરીના કાયદા હેઠળ ગુજરાતમાંથી પસાર થતા ગૌમાંસ પરીક્ષણ માટે બાર જેટલી મોબાઇલ ફોરેન્સિક લેબોરેટરી કાર્યરત કરી છે. પાસાના કાનૂનનો ઉપયોગ કરીને બસો જેટલા ગૂનેગારોને જેલમાં મોકલ્યા છે.
ગુજરાત સરકાર ગૌવંશ રક્ષા સાથે ગૌસંવર્ધન માટે પણ સતત પ્રતિબધ્ધ છે તેની રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. રાજ્યના ડાંગ જિલ્લા જેવા આદિવાસી ક્ષેત્રમાં વનબન્ધુ કલ્યાણ યોજના હેઠળ વનવાસીઓના આર્થિક જીવનધોરણ ઉંચે લાવવામાં ગાયઉછેરસંવર્ધનના ફળદાયી પરિણામો આવ્યા છે અને આદિવાસીઓની આર્થિકસામાજિક સ્થિતિ સુધરતાં ધર્માંતરની પ્રવૃતિ ઉપર પણ રોક આવ્યો છે એમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાત સરકારે કૃષિપશુપાલન આધારિત અર્થતંત્રના સંતુલન માટે નિયમિત ખેતીપશુપાલન અને વૃક્ષની ખેતી સરખે હિસ્સે કિસાનોમાં પ્રેરિત કરી છે અને તેનાથી કિસાનોને અકાળઆપત્તિ વેળાએ પણ આત્મહત્યા કરવાની નોબત આવતી નથી તેની પ્રેરક ભૂમિકા તેમણે આપી હતી. મુખ્યુમંત્રીશ્રીએ ગૌભકિત સાથે ગૌવંશની આર્થિક શકિતનો સમન્વય કરીને કૃષિપ્રધાન અર્થતંત્રને સંપણ બનાવવા અને સંતોમહંતો દ્વારા ગૌવંશ સેવા સંવર્ધન માટેના મહિમાને અનુસરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અખિલ ભારતીય રાજસ્થાન પ્રવાસી મહાસંઘના મહામંત્રીશ્રી સુનીલ સિંગી અને સિરોહીના સાંસદ ઉપસ્થિત હતા


