પ્રધાનમંત્રીએ જય પ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્યને ભારતના 100મા રામસર સ્થળ તરીકે નિયુક્ત કરવા બદલ પ્રશંસા કરી

June 05th, 11:58 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઉત્તર પ્રદેશના બલિયામાં આવેલા જય પ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય (સુરહા તાલ) ને દેશના 100મા રામસર સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બાદ, ભારતે રામસર સ્થળોની સદી પૂર્ણ કરવા પર ભારે ખુશી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ વિશ્વ પર્યાવરણ દિવસ પર સૌને શુભેચ્છાઓ પાઠવી

June 05th, 09:53 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી તમામ લોકોની પ્રશંસા કરીને સૌને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

'મન કી બાત' માં PM મોદીએ ગરમીથી બચવા માટે ટિપ્સ શેર કરી અને નાગરિકોને હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપી

May 31st, 11:30 am

મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઇ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશહિતમાં, સમાજહિતમાં અદભૂત કાર્યો કરી રહ્યા છે. જ્યારે તેમના વિશે સાંભળીએ છીએ તો, આપણને એક નવી પ્રેરણા મળે છે. આજે કાર્યક્રમની શરૂઆત હું રમતગમતમાં દેશની એવી સિદ્ધિ વિશે વાત કરીશ. થોડા દિવસ પહેલાં જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમતગમત મહાસંઘની સ્પર્ધાઓ થઇ. તેમાં લગભગ આઠસો ખેલાડીઓએ ભાગ લીધો. તેઓ આખા દેશમાંથી આવ્યા હતા. આ દરમિયાન ચાર અલગ અલગ સ્પર્ધામાં ચાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપક કુમાર, આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલાં તો આ ચારેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રી 14 એપ્રિલે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે

April 13th, 04:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 એપ્રિલ 2026 ના રોજ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. સવારે લગભગ 11:15 વાગ્યે, પ્રધાનમંત્રી દિલ્હી-દેહરાદૂન ઈકોનોમિક કોરિડોરના એલિવેટેડ સેક્શન પરના વાઇલ્ડલાઇફ કોરિડોરની સમીક્ષા કરવા માટે ઉત્તર પ્રદેશના સહારનપુરની મુલાકાત લેશે. સવારે લગભગ 11:40 વાગ્યે, પ્રધાનમંત્રી દેહરાદૂન નજીક જય મા દાત કાલી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ, બપોરે લગભગ 12:30 વાગ્યે, પ્રધાનમંત્રી દેહરાદૂનમાં એક જાહેર કાર્યક્રમમાં દિલ્હી-દેહરાદૂન ઈકોનોમિક કોરિડોરનું ઉદઘાટન કરશે અને આ પ્રસંગે જનમેદનીને સંબોધિત પણ કરશે.

કોટા એરપોર્ટના શિલાન્યાસ સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 07th, 03:15 pm

હમણાં ગયા અઠવાડિયે જ મને રાજસ્થાનની યાત્રા પર આવવાનો અવસર મળ્યો હતો. અજમેરની પાવન ધરતી પરથી આપણે રાજસ્થાનના વિકાસ સાથે જોડાયેલા હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. તે જ કાર્યક્રમમાં રાજસ્થાનના 21 હજારથી વધુ નવયુવાન સાથીઓને નિમણૂક પત્રો પણ સોંપવામાં આવ્યા હતા. હવે અજમેર યાત્રાના થોડા જ દિવસો બાદ, આજે મને કોટા સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ એરપોર્ટ પ્રોજેક્ટને શરૂ કરવાનો અવસર મળી રહ્યો છે. એક જ અઠવાડિયામાં રાજસ્થાનમાં વિકાસના આ બે મોટા કાર્યક્રમોનો બહુ મોટો સંદેશ છે. આ જણાવે છે કે આજે રાજસ્થાન કઈ ગતિએ આગળ વધી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, યુવાનો માટે રોજગારની તકો હોય, ખેડૂતો અને માતાઓ-બહેનો માટેની યોજનાઓ હોય, રાજસ્થાનમાં દરેક ક્ષેત્રમાં તેઝીથી કામ થઈ રહ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોટા એરપોર્ટનો શિલાન્યાસ કર્યો; હાડોતી ક્ષેત્રના પરિવર્તન પર આપ્યો ભાર

March 07th, 02:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો સંદેશ દ્વારા કોટા એરપોર્ટના શિલાન્યાસ સમારોહને સંબોધિત કર્યો હતો, જે હાડોતી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજસ્થાન અભૂતપૂર્વ ગતિએ પ્રગતિ કરી રહ્યું છે, અને આ નવું એરપોર્ટ આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે ઉદ્દીપક (catalyst) બનવા માટે તૈયાર છે.

પ્રધાનમંત્રીએ વિશ્વ વન્યજીવન દિવસ પર વન્યજીવન સંરક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું

March 03rd, 08:56 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિશ્વ વન્યજીવન દિવસ એ અદ્ભુત પ્રાણીસૃષ્ટિ વિવિધતાની ઉજવણી વિશે છે, જે આપણા ગ્રહને સમૃદ્ધ બનાવે છે અને આપણી ઇકોસિસ્ટમને ટકાવી રાખે છે. તેમણે કહ્યું કે આ દિવસ વન્યજીવન સંરક્ષણ તરફ કામ કરતા દરેક વ્યક્તિને સ્વીકારવાનો અને સંરક્ષણ, ટકાઉ પ્રથાઓ અને રહેઠાણોના રક્ષણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરવાનો છે. જેથી વન્યજીવનનો વિકાસ ચાલુ રહે.

પ્રધાનમંત્રી 17-18 જાન્યુઆરીએ આસામની મુલાકાતે

January 16th, 02:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17-18 જાન્યુઆરી, 2026ના રોજ આસામની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ પર તમામ વાઈલ્ડલાઈફ લવર્સને શુભેચ્છા પાઠવી

December 04th, 09:43 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ પર ચિત્તાના રક્ષણ માટે સમર્પિત તમામ વન્યજીવન પ્રેમીઓ અને સંરક્ષણવાદીઓને અભિનંદન આપ્યા હતા. શ્રી મોદીએ કહ્યું, ત્રણ વર્ષ પહેલાં, અમારી સરકારે આ ભવ્ય પ્રાણીની સુરક્ષા અને તે ઈકોસિસ્મટને ફરીથી બનાવવાના હેતુસર પ્રોજેક્ટ ચિત્તા શરૂ કર્યો હતો જેમાં તેઓ ખરેખર વિકસી શકે. આ ખોવાયેલા પર્યાવરણીય વારસાને પુનર્જીવિત કરવાનો અને આપણી જૈવવિવિધતાને મજબૂત કરવાનો પણ એક પ્રયાસ હતો.

ભારત હંમેશા પ્રાણીઓના રક્ષણમાં મોખરે રહેશે: પ્રધાનમંત્રી

March 09th, 12:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત વન્યજીવન વિવિધતા અને વન્યજીવનની ઉજવણી કરતી સંસ્કૃતિથી ધન્ય છે. આપણે હંમેશા પ્રાણીઓના રક્ષણ અને સ્થાયી ગ્રહ માટે યોગદાન આપવામાં હંમેશા મોખરે રહીશું.

પીએમ મોદીના વનતારા ખાતેના દિવસ: આશા સાથે વન્ય જીવસૃષ્ટિનું નિદાન.

March 05th, 03:15 pm

2025ના 4 માર્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના જામનગરમાં આવેલા એક અગ્રગણ્ય વન્યજીવ બચાવ,પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર વનતારાનું ઉદ્ઘાટન કર્યું. રિલાયન્સ જામનગર રિફાઈનરી પરિસરના 3,500 એકર વિસ્તારમાં ફેલાયેલું વનતારા વિશ્વનું સૌથી મોટું આવા પ્રકારનું કેન્દ્ર છે, જે 2,000થી વધુ પ્રજાતિઓના 1.5 લાખથી વધુ બચાવવામાં આવેલા, લુપ્તપ્રાય અને સંકટગ્રસ્ત પ્રાણીઓને આશરો પૂરું પાડે છે. વનતારા માત્ર એક આશરો નથી પરંતુ ભારતની નૈતિક પ્રાણી કલ્યાણ અને પર્યાવરણીય સ્થિરતાની વિકસિત પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

પ્રધાનમંત્રીએ વન્યજીવન સંરક્ષણ, બચાવ અને પુનર્વસન પહેલ, વનતારાનું ઉદ્ઘાટન કર્યું

March 04th, 04:05 pm

વનતારા, એક અનોખી વન્યજીવન સંરક્ષણ, બચાવ અને પુનર્વસન પહેલ, વનતારાનું ઉદ્ઘાટન કર્યું. શ્રી અનંત અંબાણી અને તેમની ટીમના કરુણાસભર પ્રયાસો માટે પ્રશંસા કરતા તેમણે ટિપ્પણી કરી કે વનતારા પ્રાણીઓ માટે સલામત આશ્રયસ્થાન પૂરું પાડે છે જ્યારે પર્યાવરણીય ટકાઉપણું અને વન્યજીવન કલ્યાણને પ્રોત્સાહન આપે છે.

પ્રધાનમંત્રીએ વન્યજીવનના રક્ષણ માટે રાષ્ટ્રની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો

March 03rd, 07:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે તેના વૈવિધ્યસભર વન્યજીવનના રક્ષણ માટે રાષ્ટ્રની પ્રતિબદ્ધતાઓ પર પ્રકાશ પાડ્યો. MyGovIndia દ્વારા X પરની પોસ્ટનો જવાબ આપતા, તેમણે કહ્યું:

પ્રધાનમંત્રીએ ગીરમાં 3જી માર્ચનાં રોજ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની 7મી બેઠકની અધ્યક્ષતા કરી

March 03rd, 04:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પ્રધાનમંત્રીએ વન્યજીવન સંરક્ષણ પ્રયાસોની પ્રશંસા કરી

March 03rd, 12:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વન્યજીવન સંરક્ષણમાં રાષ્ટ્રના સમર્પિત પ્રયાસો માટે હૃદયપૂર્વક પ્રશંસા વ્યક્ત કરી. છેલ્લા દાયકામાં વાઘ, દીપડા અને ગેંડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જે દેશની સમૃદ્ધ જૈવવિવિધતાને જાળવવાની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે આપણા ગ્રહની અદ્ભુત જૈવવિવિધતાના રક્ષણ અને જાળવણી માટેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

March 03rd, 08:37 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે આપણા ગ્રહની અદ્ભુત જૈવવિવિધતાના રક્ષણ અને જાળવણી માટેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

રાજસ્થાનના જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 09th, 11:00 am

રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાઉ બાગડેજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભજનલાલજી શર્મા, રાજસ્થાન સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગ મિત્રો, વિવિધ રાજદૂતો, દૂતાવાસોના પ્રતિનિધિઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદઘાટન કર્યું

December 09th, 10:34 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 અને જયપુરમાં જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (જેઇસીસી) ખાતે રાજસ્થાન ગ્લોબલ બિઝનેસ એક્સ્પોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ રાજસ્થાનની સફળતાની સફરનો વધુ એક વિશેષ દિવસ છે. તેમણે પિંક સિટી- જયપુર ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 માટે તમામ ઉદ્યોગ અને વ્યાવસાયિક અગ્રણીઓ, રોકાણકારો, પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે રાજસ્થાન સરકારને પણ આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીને ગીર અને એશિયાટિક સિંહ પર પરિમલ નથવાણીએ પુસ્તક ભેંટ કરી

July 31st, 08:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણી દ્વારા ગીર અને એશિયાટિક સિંહો પર લખવામાં આવેલી કોફી ટેબલ બુક “કોલ ઓફ ધ ગીર” ભેંટ કરવામાં આવી.

પ્રધાનમંત્રીએ ભારતમાં દીપડાની વધેલી વસતિ પર ખુશી વ્યક્ત કરી

February 29th, 09:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં દીપડાઓની વધતી જતી વસતિ પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે દીપડાની સંખ્યામાં આ નોંધપાત્ર વધારો એ જૈવવિવિધતા પ્રત્યેના ભારતના અવિરત સમર્પણનો વસિયત છે.