'મન કી બાત' લોકોના સામૂહિક પ્રયાસોને લોકો સુધી પહોંચાડવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ છે: પીએમ મોદી

November 30th, 11:30 am

આ મહિનાના મન કી બાતમાં, પીએમ મોદીએ નવેમ્બર મહિનાના મુખ્ય કાર્યક્રમો વિશે વાત કરી, જેમાં બંધારણ દિવસની ઉજવણી, વંદે માતરમની 150મી વર્ષગાંઠ, અયોધ્યામાં ધર્મ ધ્વજ ફરકાવવો, INS માહેની ભાગીદારી અને કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનો સમાવેશ થાય છે. તેમણે રેકોર્ડ અનાજ અને મધ ઉત્પાદન, ભારતની રમતગમત સફળતા, મ્યુઝિયમ અને પ્રાકૃતિક ખેતી જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પીએમએ દરેકને કાશી-તમિલ સંગમમનો ભાગ બનવાની અપીલ કરી.

દેહરાદૂન ખાતે ઉત્તરાખંડની રચનાના રજત જયંતી સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 09th, 01:00 pm

દેવભૂમિ ઉત્તરાખંડ કા મેરા ભૈ-બન્ધો, દીદી-ભુલ્યો, દાના-સયાણોં. આપ સબૂ કૈં, મ્યર નમસ્કાર, પૈલાગ, સેવા સૌંધી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દહેરાદૂનમાં ઉત્તરાખંડની સ્થાપનાના રજત જયંતી સમારોહને સંબોધિત કર્યો

November 09th, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દહેરાદૂનમાં ઉત્તરાખંડની સ્થાપનાના રજત જયંતિ સમારોહને સંબોધિત કર્યો. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ ₹8140 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે બોલતા, શ્રી મોદીએ દેવભૂમિ ઉત્તરાખંડના લોકોને શુભેચ્છાઓ પાઠવી અને સૌને હૃદયપૂર્વક વંદન, આદર અને સેવાની શુભેચ્છાનો સંદેશ આપ્યો.

મન કી બાત – (122મી કડી) પ્રસારણ તારીખ-25-05-2025

May 25th, 11:30 am

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે પૂરો દેશ આતંકવાદ વિરૂદ્ધ એક જૂથ છે, આક્રોશથી ભરેલો છે, સંકલ્પબદ્ધ છે, આજે દરેક ભારતીયનો એ જ સંકલ્પ છે કે, આપણે આતંકવાદનો ખાતમો બોલાવવાનો જ છે. સાથીઓ, ઓપરેશન સિંદૂર વખતે આપણી સેનાએ જે પરાક્રમ બતાવ્યું છે, તેનાથી દરેક હિંદુસ્તાનીનું માથું ઉંચું કરી દીધું છે. જે ચોકસાઇની સાથે, જે સટિકતાથી આપણી સેનાઓએ સરહદની પેલે પારના આતંકવાદી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા છે. તે અદભૂત છે. ઓપરેશન સિંદૂરે દુનિયાભરમાં આતંક વિરૂદ્ધની લડાઇને નવો વિશ્વાસ અને ઉત્સાહ આપ્યા છે.

ઉત્તરાખંડના હર્ષિલ ખાતે શિયાળુ પ્રવાસન કાર્યક્રમને સંબોધન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 06th, 02:07 pm

અહીંના ઉર્જાવાન મુખ્યમંત્રી, મારા નાના ભાઈ પુષ્કર સિંહ ધામીજી, કેન્દ્રીય મંત્રી શ્રી અજય ટમ્ટાજી, રાજ્યમંત્રી સતપાલ મહારાજજી, સંસદમાં મારા સાથી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટજી, સંસદમાં મારા સાથી માલા રાજ્યલક્ષ્મીજી, ધારાસભ્ય સુરેશ ચૌહાણજી, બધા મહાનુભાવો, ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડનાં હર્ષિલમાં શિયાળુ પ્રવાસન કાર્યક્રમને સંબોધન કર્યું

March 06th, 11:17 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડનાં હર્ષિલમાં એક ટ્રેક અને બાઇક રેલીને લીલી ઝંડી બતાવ્યા પછી વિન્ટર ટૂરિઝમ પ્રોગ્રામમાં સહભાગી થયા હતા. તેમણે મુખવામાં મા ગંગાની શિયાળુ નિવાસ સ્થાન પર પૂજા અને દર્શન પણ કર્યા હતા. જનમેદનીને સંબોધતા તેમણે માના ગામની ગમખ્વાર ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેશનાં લોકો કટોકટીના આ સમયમાં એક સાથે ઊભા છે, જેણે અસરગ્રસ્ત પરિવારોને અપાર શક્તિ પ્રદાન કરી છે.

NXT કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 01st, 11:00 am

ITV નેટવર્કના સ્થાપક અને સંસદમાં મારા સાથીદાર, કાર્તિકેય શર્માજી, નેટવર્કની આખી ટીમ, ભારત અને વિદેશના બધા મહેમાનો, અન્ય મહાનુભાવો, બહેનો અને સજ્જનો,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ NXT કોન્ક્લેવમાં ભાગ લીધો

March 01st, 10:34 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં એનએક્સટી કોન્ક્લેવમાં ભાગ લીધો હતો. અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે ન્યૂઝએક્સ વર્લ્ડના શુભારંભ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ નેટવર્કમાં હિંદી, અંગ્રેજી અને વિવિધ પ્રાદેશિક ભાષાઓની ચેનલો સામેલ છે અને અત્યારે તે વૈશ્વિક સ્તરે ચાલી રહી છે. તેમણે કેટલીક ફેલોશિપ અને શિષ્યવૃત્તિની શરૂઆત અંગે પણ ટિપ્પણી કરી હતી અને આ કાર્યક્રમો માટે શુભેચ્છા પાઠવી હતી.

રાજસ્થાનના જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 09th, 11:00 am

રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાઉ બાગડેજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભજનલાલજી શર્મા, રાજસ્થાન સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, ઉદ્યોગ મિત્રો, વિવિધ રાજદૂતો, દૂતાવાસોના પ્રતિનિધિઓ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદઘાટન કર્યું

December 09th, 10:34 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 અને જયપુરમાં જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (જેઇસીસી) ખાતે રાજસ્થાન ગ્લોબલ બિઝનેસ એક્સ્પોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ રાજસ્થાનની સફળતાની સફરનો વધુ એક વિશેષ દિવસ છે. તેમણે પિંક સિટી- જયપુર ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 માટે તમામ ઉદ્યોગ અને વ્યાવસાયિક અગ્રણીઓ, રોકાણકારો, પ્રતિનિધિઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે રાજસ્થાન સરકારને પણ આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Congress’s philosophy is ‘Loot, Zindagi ke Saath bhi, Zindagi ke Baad bhi: PM Modi in Goa

April 27th, 08:01 pm

Ahead of the Lok Sabha elections in 2024, PM Modi addressed a powerful rally amid a gigantic crowd greeting him in South Goa. He said that owing to the two phases of voting, the ground-level feedback resonates with only one belief, ‘Fir ek Baar Modi Sarkar.’

PM Modi attends public meeting in South Goa

April 27th, 08:00 pm

Ahead of the Lok Sabha elections in 2024, PM Modi addressed a powerful rally amid a gigantic crowd greeting him in South Goa. He said that owing to the two phases of voting, the ground-level feedback resonates with only one belief, ‘Fir ek Baar Modi Sarkar.’

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં વિકસિત ભારત, વિકસિત જમ્મુ અને કાશ્મીર કાર્યક્રમમાં પીએમના સંબોધનનો મૂળપાઠ

March 07th, 12:20 pm

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિન્હાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી ડૉ. જીતેન્દ્ર સિંહજી, સંસદમાં મારા સાથીદાર, આ માટીના સંતાન, ગુલામ અલીજી અને જમ્મુ અને કાશ્મીરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં વિકસિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીર કાર્યક્રમને સંબોધન કર્યું

March 07th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં વિકસિત ભારત વિકસિત જમ્મુ-કાશ્મીર કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે આશરે રૂ. 5,000 કરોડનાં મૂલ્યનાં હોલિસ્ટિક એગ્રિકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામનું લોકાર્પણ કર્યું હતું તથા સ્વદેશ દર્શન અને પ્રશાદ યોજના હેઠળ રૂ. 1400 કરોડથી વધારેનાં મૂલ્યનાં પ્રવાસન ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો, જેમાં શ્રીનગરનાં 'હઝરતબલ શ્રાઇનનાં સંકલિત વિકાસ' માટેનાં પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ 'દેખો અપના દેશ પીપલ્સ ચોઇસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પોલ' અને 'ચલો ઇન્ડિયા ગ્લોબલ ડાયસ્પોરા અભિયાન'નો પણ શુભારંભ કરાવ્યો હતો તથા ચેલેન્જ આધારિત ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ (સીબીડીડી) યોજના હેઠળ પસંદ કરાયેલા પ્રવાસન સ્થળોની જાહેરાત કરી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી 1000 નવી સરકારી ભરતીઓને નિમણૂક આદેશોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે, જેમાં મહિલા પ્રાપ્તકર્તાઓ, લખપતિ દીદીઓ, ખેડૂતો, ઉદ્યોગસાહસિકો વગેરે સામેલ છે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ

January 21st, 12:00 pm

આજે, આ વિશેષ અવસર પર, ખોડલધામની પવિત્ર ભૂમિ અને ખોડલ માતાના ભક્તો સાથે જોડાવું એ મારા માટે એક મહાન સૌભાગ્યની વાત છે. આજે શ્રી ખોડલધામ ટ્રસ્ટે લોકકલ્યાણ અને સેવા ક્ષેત્રે વધુ એક મહત્વનું પગલું ભર્યું છે. અમરેલીમાં આજથી કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું કામ શરૂ થઈ રહ્યું છે. આગામી થોડા અઠવાડિયામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સ્થાપનાના 14 વર્ષ પણ પૂર્ણ થશે. આ પ્રસંગો માટે આપ સૌને શુભેચ્છાઓ.

પ્રધાનમંત્રીએ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહને વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું

January 21st, 11:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહને વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું.