પ્રધાનમંત્રી 27 નવેમ્બરના રોજ સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે
November 25th, 04:18 pm
પ્રધાનમંત્રી 27 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. તેઓ સ્કાયરૂટના પ્રથમ ઓર્બિટલ રોકેટ, વિક્રમ-Iનું પણ અનાવરણ કરશે, જે ભ્રમણકક્ષામાં ઉપગ્રહો લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.