પ્રધાનમંત્રી રાષ્ટ્રીય યુવા દિવસનાં પ્રસંગે 12 જાન્યુઆરીનાં રોજ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025માં સહભાગી થશે

January 10th, 09:21 pm

સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રીય યુવા દિવસનાં પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીનાં રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીનાં ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2025માં સહભાગી થશે. તેઓ સમગ્ર ભારતમાંથી 3,000 ગતિશીલ યુવા નેતાઓ સાથે જોડાશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.

વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ આપણી યુવા શક્તિ, તેમના સપના, કુશળતા અને આકાંક્ષાઓની ઉજવણી કરે છે: પ્રધાનમંત્રી

January 10th, 07:24 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ આપણી યુવા શક્તિ, તેમના સપના, કુશળતા અને આકાંક્ષાઓની ઉજવણી કરે છે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે તેઓ 12 જાન્યુઆરી 2025ના રોજ યંગ બ્રેઈન સાથે વાતચીત કરવા આતુર છે.

અમદાવાદમાં રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 09th, 01:30 pm

પરમ આદરણીય શ્રીમત સ્વામી ગૌતમંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ અને મિશનના દેશ-વિદેશના આદરણીય સંતો, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આ કાર્યક્રમ સાથે સંકળાયેલા અન્ય તમામ મહાનુભાવો, બહેનો અને સજ્જનો, નમસ્કાર!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું

December 09th, 01:00 pm

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મહાન વિભૂતિઓની ઊર્જા સદીઓથી દુનિયામાં સકારાત્મક કામગીરીનું નિર્માણ કરવા અને તેનું સર્જન કરવામાં સતત કાર્યરત છે. તેમણે ઉમેર્યું હતું કે, સ્વામી પ્રેમાનંદ મહારાજની જન્મજયંતીએ લેખંબામાં નવનિર્મિત પ્રાર્થના હોલ અને સાધુ નિવાસના નિર્માણથી ભારતની સંત પરંપરાનું પોષણ થશે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, સેવા અને શિક્ષણની યાત્રા શરૂ થઈ રહી છે, જેનાથી આવનારી ઘણી પેઢીઓને લાભ થશે. તેમણે ઉમેર્યું હતું કે, શ્રી રામકૃષ્ણ દેવ મંદિર, ગરીબ વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર, હોસ્પિટલ અને પ્રવાસી નિવાસ જેવી ઉમદા કૃતિઓ આધ્યાત્મિકતાનો પ્રસાર કરવા અને માનવતાની સેવા કરવા માટેનાં માધ્યમ તરીકે કામ કરશે. પોતે સંતોની સંગત અને આધ્યાત્મિક વાતાવરણની કદર કરે છે એ બાબતને વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી.

ભારતીય પ્રવાસીઓએ વિવિધ દેશોમાં પોતાની ઓળખ બનાવી છે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી

November 24th, 11:30 am

મન કી બાતના 116મા એપિસોડમાં, વડાપ્રધાન મોદીએ NCC દિવસના મહત્વ વિશે ચર્ચા કરી, NCC કેડેટ્સની વૃદ્ધિ અને આપત્તિ રાહતમાં તેમની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે વિકસિત ભારત માટે યુવા સશક્તિકરણ પર ભાર મૂક્યો અને વિકિસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ વિશે વાત કરી. તેમણે વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ પ્લેટફોર્મ પર નેવિગેટ કરવામાં મદદ કરતા યુવાનોની પ્રેરણાદાયી વાર્તાઓ અને એક પેડ માં કે નામ અભિયાનની સફળતા પણ શેર કરી.