હૈદરાબાદમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 10th, 03:45 pm
સાયબરાબાદનું સામર્થ્ય નેશનલ પણ છે અને ગ્લોબલ પણ છે. તે તેલંગાણાના અને દેશના ઝડપી વિકાસનું મુખ્ય કેન્દ્ર છે. તેથી, આજે સાયબરાબાદથી તેલંગાણાને દેશનું એક મોટું મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બનાવવા માટે અનેક મોટા પ્રોજેક્ટ્સ શરૂ થઈ રહ્યા છે. આજે જે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે, તેનાથી અહીં હજારો નવા રોજગાર ઉભા થશે અને તેલંગાણાની કનેક્ટિવિટી પણ સશક્ત થશે. હું તેલંગાણાની જનતાને આ પ્રોજેક્ટ્સ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ, તેલંગાણામાં અંદાજે ₹9,400 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, લોકાર્પણ કર્યું અને રાષ્ટ્રને સમર્પિત કર્યા
May 10th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદ, તેલંગાણામાં અંદાજે ₹9,400 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, લોકાર્પણ કર્યું અને રાષ્ટ્રને સમર્પિત કર્યા. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય અને વૈશ્વિક બંને દ્રષ્ટિએ મહત્વના કેન્દ્ર તરીકે હૈદરાબાદના પરિવર્તનકારી મહત્વ પર ભાર મૂક્યો હતો. તેલંગાણા અને સમગ્ર દેશ માટે ઝડપી વિકાસ લાવવામાં આ પ્રદેશની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકતા, તેમણે આજે શરૂ કરાયેલા વિવિધ મોટા પાયાના પ્રોજેક્ટ્સ તેલંગાણાને એક મુખ્ય મેન્યુફેક્ચરિંગ હબ તરીકે કેવી રીતે સ્થાપિત કરશે તેની રૂપરેખા આપી હતી. આ પ્રોજેક્ટ્સના લોકાર્પણથી પ્રાદેશિક કનેક્ટિવિટી મજબૂત થવાની સાથે હજારો નવી રોજગારીની તકો ઊભી થશે તેની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ આ પ્રોજેક્ટ્સ માટે તેલંગાણાના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રી 10 મેના રોજ કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે
May 09th, 11:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 મે, 2026ના રોજ કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે. આશરે 11 વાગ્યે, પ્રધાનમંત્રી બેંગલુરુમાં ધ આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી થશે અને આ પ્રસંગે જનમેદનીને સંબોધિત કરશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી હૈદરાબાદ જશે અને આશરે 3 વાગ્યે, તેઓ આશરે ₹9,400 કરોડના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે. આશરે 3:45 વાગ્યે, પ્રધાનમંત્રી હૈદરાબાદમાં સિંધુ હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે.Tremendous show of support for NDA in Andhra Pradesh’s Vijayawada
May 08th, 07:00 pm
Prime Minister Narendra Modi, joined by prominent leaders Shri Chandrababu Naidu and Shri Pawan Kalyan, spearheaded a significant roadshow through the streets of Vijayawada, Andhra Pradesh. The event garnered immense support from the public, underscoring the unified commitment and strength the NDA coalition to the state’s progress and development.તેલંગાણાના મહબૂબનગરમાં વિવિધ પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
October 01st, 02:43 pm
તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરારાજન જી, કેન્દ્ર સરકારમાં મારા સાથી મંત્રી જી. કિશન રેડ્ડી જી, સંસદમાં મારા સાથી શ્રી સંજય કુમાર બંડી જી, અહીં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભાવો, બહેનો અને સજ્જનો, નમસ્કાર!પ્રધાનમંત્રી શ્રીએ તેલંગાણાનાં મહબૂબનગરમાં રૂ. 13,500 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
October 01st, 02:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાનાં મહબૂબનગરમાં રૂ. 13,500 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને દેશને સમર્પિત કરી હતી. વિકાસ યોજનાઓમાં માર્ગ, રેલ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને ઉચ્ચ શિક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે એક ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપી હતી.પ્રધાનમંત્રી 1લી ઓક્ટોબરે તેલંગાણાની મુલાકાત લેશે
September 29th, 02:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1લી ઑક્ટોબર, 2023ના રોજ તેલંગાણાની મુલાકાત લેશે. બપોરે લગભગ 2:15 વાગ્યે, પ્રધાનમંત્રી મહબૂબનગર જિલ્લામાં પહોંચશે, જ્યાં તેઓ રાષ્ટ્રને સમર્પિત કરશે અને રોડ, રેલ, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ અને ઉચ્ચ શિક્ષણ જેવા મહત્વના ક્ષેત્રોમાં રૂ. 13,500 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટ્રેન સેવાને પણ લીલી ઝંડી બતાવશે.PM expresses grief over the loss of lives due to fire at Covid Centre in Vijayawada
August 09th, 11:16 am
The Prime Minister Shri Narendra Modi expressed grief over the loss of lives due to fire at a Covid Centre in Vijayawada.