પ્રધાનમંત્રી શ્રીએ શ્રીમતી વિજયા મહેતાજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
July 01st, 11:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીમતી વિજયા મહેતાજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે શ્રીમતી વિજયા મહેતાજી આધુનિક મરાઠી રંગભૂમિના પ્રણેતા હતા, જે તેમની સર્જનાત્મકતા અને કલાત્મક શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા. તેમના કાર્યે અભિનેતાઓ, દિગ્દર્શકો અને રંગભૂમિપ્રેમીઓની અનેક પેઢીઓને પ્રેરણા આપી છે.