પ્રધાનમંત્રી 4 જુલાઈના રોજ રાજસ્થાન અને ગુજરાતની મુલાકાતે
July 03rd, 11:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 જુલાઈ 2026ના રોજ રાજસ્થાન અને ગુજરાતની મુલાકાત લેશે. આશરે 10:45 AM વાગ્યે, પ્રધાનમંત્રી જોધપુર એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને જોધપુરમાં મોડિફાઇડ UDAN યોજનાનો શુભારંભ કરાવશે. ત્યારબાદ, આશરે 12:15 PM વાગ્યે, તેઓ આશરે ₹1.06 લાખ કરોડના મૂલ્યના વિકાસ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરવા, ઉદ્ઘાટન કરવા અને શિલાન્યાસ કરવા માટે બાલોત્રા જશે. તેઓ આ પ્રસંગે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.ઓડિશા સરકારના બે વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 20th, 01:10 pm
હાલના દિવસોમાં આપણું ઓડિશા ઉત્સવોના આનંદમાં ડૂબેલું છે. અહીંનો ગણપર્વ રજ, ગયા અઠવાડિયે જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. મહાપ્રભુ જગન્નાથ જીની રથયાત્રાની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. મયુરભંજના બારીપદા રથયાત્રાને લઈને પણ ઉત્સાહનો માહોલ છે. અને આ બધાની વચ્ચે જ લોકશાહીના વિકાસનો ઉત્સવ પણ ચાલી રહ્યો છે. ઓડિશાની ભાજપ સરકારે પોતાના 2 વર્ષ પણ પૂર્ણ કર્યા છે. આ અવસરે, આપ સૌની વચ્ચે આવવાનું, મયુરભંજ આવવાનું આ સૌભાગ્ય અને આટલી મોટી સંખ્યામાં આપ સૌની ઉપસ્થિતિ, આ અવસર મારા માટે બહુ ખાસ છે. તમારો પોતાનો ભાવ મને વારંવાર અહીં ખેંચી લાવે છે. હું આપ સૌનું હૃદયપૂર્વક બહુ-બહુ અભિનંદન કરું છું. અને ઓડિશાની જનતાને ડબલ એન્જિન સરકારમાં વિકાસ યાત્રાની પણ વધામણી આપું છું, શુભેચ્છાઓ આપું છું. સાથે જ, આ અવસરે હું પંડિત રઘુનાથ મુર્મુ જી, ડો. દમયંતી બેશ્રા જી, અને શ્રી ચરણ હેમ્બ્રમ જી જેવી વિભૂતિઓને પણ નમન કરું છું. રઘુનાથ મુર્મુ જીએ સંથાલી ભાષા માટે ઓલ ચિકી લિપિનું નિર્માણ કર્યું હતું. આપણી સરકારે સંથાલી ભાષામાં ભારતનું સંવિધાન પ્રસ્તુત કર્યું છે. ઓડિશાના સંતાનોને પદ્મ સન્માન આપીને સન્માનિત કર્યા છે. વિતેલા 2 વર્ષોમાં ઓડિશા સરકાર પણ આ બધી વિભૂતિઓના સપનાઓને પૂરા કરવામાં દિવસ રાત પુરુષાર્થ કરી રહી છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશા સરકારના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મયૂરભંજ જિલ્લાના રાયરંગપુર ખાતે ₹47,600 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
June 20th, 01:00 pm
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મયૂરભંજ જિલ્લાના પહાડપુર ગામની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પવિત્ર ઉપવન સંથાલી જાહેરા અને હો જાહેરા, સ્કિલ સેન્ટર અને પહાડપુર શાળામાં પૂજા-અર્ચના કરી હતી. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઓડિશા સરકારના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મયૂરભંજ જિલ્લાના રાયરંગપુર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમની થીમ “વિકાસ રા ધારા, ઓડિશા સારા” (Vikas ra Dhara, Odisha Sara) છે. શ્રી મોદીએ ₹47,600 કરોડથી વધુની કિંમતના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.પ્રધાનમંત્રી 20 જૂનના રોજ ઓડિશાની મુલાકાત લેશે
June 19th, 11:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 જૂન 2026ના રોજ ઓડિશાની મુલાકાત લેશે. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી સાથે જોડાશે, જે રાજ્ય માટે એક દુર્લભ અને મહત્વપૂર્ણ પ્રસંગ છે.પ્રધાનમંત્રીએ સેન્ટ-ગોબેન (Saint-Gobain) ના સીઇઓ બેનોઈટ બેઝિન સાથે ભારતમાં કંપનીના વિસ્તરણ અંગે ચર્ચા કરી
June 18th, 06:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સેન્ટ-ગોબેન (Saint-Gobain) ના શ્રી બેનોઈટ બેઝિન સાથે મુલાકાત અને વાતચીત કરવા બદલ આનંદ વ્યક્ત કર્યો છે.સ્લોવાકિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત અખબારી નિવેદન દરમિયાન ભારતના પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન
June 15th, 03:00 pm
ભારત-યુરોપીયન સંઘ મુક્ત વેપાર કરારને અંતિમ રૂપ આપવામાં સ્લોવાકિયા તરફથી મળેલા સહયોગ માટે હું પ્રધાનમંત્રીજીનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. અમે તેના વહેલામાં વહેલા અમલીકરણ માટે કામ કરીશું જેથી બંને દેશોના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને વેપારીઓ આનો મહત્તમ લાભ ઉઠાવી શકે.કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2A (કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોર)ને મંજૂરી આપી
June 10th, 01:59 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2(A) ને મંજૂરી આપી દીધી છે, જે 05 સ્ટેશનો (04 એલિવેટેડ અને 01 અંડરગ્રાઉન્ડ) સાથે 6.032 કિમીની લંબાઈનો કોરિડોર ધરાવે છે. ફેઝ 2(A) કાર્યરત થતાં, અમદાવાદ-ગાંધીનગર પાસે 77.63 કિમીનું સક્રિય મેટ્રો રેલ નેટવર્ક હશે. ફેઝ 2(A) કોરિડોરમાં સ્ટેશનોના નામ - આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર, સરદાર નગર અને એરપોર્ટ છે.દમણ, ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ/લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ
June 05th, 07:20 pm
તમે જેમ અહીં એકઠા થયા છો, તેવી જ રીતે લક્ષદ્વીપમાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો વીડિયોના માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, કારણ કે આજે લક્ષદ્વીપના વિકાસની પણ એક નવી શરૂઆત, એક નવો પ્રકલ્પ, જે આખા લક્ષદ્વીપના જીવનમાં એક ક્રાંતિકારી કામ કરવાનો છે, તેના માટે પણ કેટલીક યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દમણમાં આશરે ₹2,970 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
June 05th, 07:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દમણમાં આશરે ₹2,970 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો હતો. સ્થાનિક નેતાઓ અને નાગરિકોના મેળાવડાને સંબોધતા, પ્રધાનમંત્રીએ જનમેદનીની ભારે ઉપસ્થિતિ બદલ ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેમની અગાઉની મુલાકાતને યાદ કરતા તેમણે નોંધ્યું કે કેવી રીતે તેમનું અગાઉનું અવલોકન વાસ્તવિકતામાં બદલાઈ ગયું છે, અને આ પ્રદેશ હવે દેશના વિવિધ અને જીવંત સારનું ગૌરવપૂર્વક પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, “દમણ મિની ઈન્ડિયાનું એક જીવંત ઉદાહરણ બની ગયું છે, જ્યાં વિવિધ પ્રદેશોના લોકોનું નિવાસસ્થાન સમગ્ર દેશની સુંદર ઝલક પૂરી પાડે છે.”Cabinet approves a highway construction project in Odisha worth Rs.8300.79 crore
June 03rd, 03:10 pm
Under PM Modi’s leadership, the Cabinet approved an ₹8,300 crore coastal highway project in Odisha connecting Rameshwar to Paradeep across 160 km. The project will boost connectivity, reduce travel time by nearly 2.5 hours, strengthen logistics under PM GatiShakti and promote regional economic growth while lowering fuel consumption and carbon emissions.ભારતે અને નેધરલેન્ડ્સે ભારતના પ્રધાનમંત્રીની નેધરલેન્ડ્સની મુલાકાત અંગે સંયુક્ત નિવેદન જાહેર કર્યું
May 17th, 03:45 am
નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી માનનીય શ્રી રોબ જેટનના આમંત્રણ પર, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16-17 મે 2026 દરમિયાન નેધરલેન્ડ્સની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ પ્રધાનમંત્રી મોદીની નેધરલેન્ડ્સની બીજી મુલાકાત હતી.ભારત-નેધરલેન્ડ્સ વ્યૂહાત્મક ભાગીદારીનો રોડમેપ [2026-2030]
May 17th, 03:15 am
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી શ્રી રોબ જેટેન 16 મે 2026ના રોજ ધ હેગ ખાતે તેમની બેઠક દરમિયાન કેન્દ્રિત, સમયબદ્ધ પહેલો અને સંયુક્ત કાર્ય યોજનાઓનું પાલન કરીને ભારત-નેધરલેન્ડ્સ દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી લઈ જવા માટે સંમત થયા હતા. આ હેતુ માટે, ભારત અને નેધરલેન્ડ્સે આગામી 5 વર્ષ (2026-2030) માટે ભારત-નેધરલેન્ડ્સ વ્યૂહાત્મક ભાગીદારીનો રોડમેપ અપનાવ્યો.પ્રધાનમંત્રી 10 મેના રોજ કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે
May 09th, 11:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 મે, 2026ના રોજ કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે. આશરે 11 વાગ્યે, પ્રધાનમંત્રી બેંગલુરુમાં ધ આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી થશે અને આ પ્રસંગે જનમેદનીને સંબોધિત કરશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી હૈદરાબાદ જશે અને આશરે 3 વાગ્યે, તેઓ આશરે ₹9,400 કરોડના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે. આશરે 3:45 વાગ્યે, પ્રધાનમંત્રી હૈદરાબાદમાં સિંધુ હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે.પ્રધાનમંત્રી 28-29 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે
April 26th, 03:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28-29 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. 28મી એપ્રિલના રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ, પ્રધાનમંત્રી મહિલા સંમેલનમાં ભાગ લેશે, જ્યાં તેઓ વારાણસીમાં આશરે ₹6,350 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે સભાને સંબોધન પણ કરશે.ઑસ્ટ્રિયાના ચાન્સેલર સાથેના સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય
April 16th, 11:55 am
ચાર દાયકા પછી ઑસ્ટ્રિયન ચાન્સેલરની ભારત મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ છે. 2026ના ઐતિહાસિક ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર પછી, ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના સંબંધોમાં એક નવો સુવર્ણ અધ્યાય શરૂ થયો છે. ચાન્સેલર સ્ટોકરની મુલાકાત સાથે, અમે ભારત-ઑસ્ટ્રિયા સંબંધોને પણ એક નવા યુગમાં લઈ જઈ રહ્યા છીએ.કેબિનેટે જયપુર મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-2 ને મંજૂરી આપી
April 08th, 04:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે જયપુર મેટ્રો ફેઝ-2 ને મંજૂરી આપી છે, જે પ્રહલાદપુરાથી ટોડી મોડ સુધીનો 41 કિમી લાંબો પરિવર્તનકારી ઉત્તર-દક્ષિણ કોરિડોર છે, જેમાં 36 સ્ટેશનોનો સમાવેશ થાય છે અને આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹13,037.66 કરોડ છે. આ પ્રોજેક્ટ રાજસ્થાન મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (RMRCL) દ્વારા અમલમાં મૂકવામાં આવશે, જે ભારત સરકાર અને રાજસ્થાન સરકારનું 50:50 નું સંયુક્ત સાહસ છે.Corruption and appeasement politics of LDF and UDF harm Keralam’s culture and faith: PM Modi in Thiruvalla
April 04th, 08:27 pm
Prime Minister Narendra Modi addressed a massive and enthusiastic gathering in Thiruvalla, energising supporters and expressing confidence that Keralam is on the cusp of a historic political transformation. Highlighting the unprecedented turnout, the Prime Minister said, “The massive presence of people here in Thiruvalla, your trust in the NDA, and the affection and confidence shown by mothers and sisters reflect the mood across Keralam. The state is heading towards a major transformation.”PM Modi’s Thiruvalla rally signals a big political shift in Keralam
April 04th, 03:35 pm
Prime Minister Narendra Modi addressed a massive and enthusiastic gathering in Thiruvalla, energising supporters and expressing confidence that Keralam is on the cusp of a historic political transformation. Highlighting the unprecedented turnout, the Prime Minister said, “The massive presence of people here in Thiruvalla, your trust in the NDA, and the affection and confidence shown by mothers and sisters reflect the mood across Keralam. The state is heading towards a major transformation.”ગાંધીનગર, ગુજરાતમાં સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 31st, 10:25 am
આચાર્ય ભગવંતશ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી ભાઈ હર્ષ સંઘવીજી, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત, પૂજ્ય સાધુભગવંત, સાધ્વીજી ભગવંત, આ પવિત્ર સભામાં ઉપસ્થિત સમસ્ત આચાર્યગણ અને મુનિભગવંત, માનનીય દાનવીરો, વિદ્વાનો, દેવીઓ અને સજ્જનો !પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાવીર જયંતીના અવસરે ગાંધીનગરના કોબા તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું
March 31st, 10:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભગવાન મહાવીર જયંતીના શુભ અવસરે ગુજરાતના ગાંધીનગરમાં કોબા તીર્થ ખાતે 'સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય' (જૈન હેરીટેજ મ્યુઝિયમ) નું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી મોદીએ કહ્યું, કોબા તીર્થ આધ્યાત્મિક શાંતિથી તરબતર છે, એક એવું સ્થળ જ્યાં કેટલાય જૈન મુનિઓ અને સંતોની તપસ્યા અભિવ્યક્તિ પામે છે અને જ્યાં સર્જન અને સેવા કુદરતી રીતે ખીલે છે.