List of Outcomes: State Visit of President of the Socialist Republic of Vietnam to India

May 06th, 03:44 pm

The state visit of President To Lam of Vietnam to India resulted in the signing of several MoUs/agreements. These cover areas such as rare earth elements, culture, digital payments, technology, medicine, education, audit and tourism. Major announcements include the elevation of bilateral ties to Enhanced Comprehensive Strategic Partnership and the new trade goal of USD 25 billion by 2030.

India and Vietnam are emerging as the fastest-growing economies in the world: PM Modi at the India-Vietnam Joint Press Meet

May 06th, 01:00 pm

At the India-Vietnam Joint Press Meet, PM Modi said that President To Lam’s visit to Bodh Gaya reflects the shared civilizational and spiritual traditions between the two countries. He noted that the relations have been elevated to an Enhanced Comprehensive Strategic Partnership. The PM highlighted that Vietnam is a key pillar of India’s Act East Policy and Vision MAHASAGAR and with Vietnam’s cooperation, India will further expand its relations with ASEAN.

ટીવી9 સમિટ 2026માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 23rd, 08:30 pm

સાથીઓ, આજે જ્યારે દુનિયા, conflicts (સંઘર્ષો) ને કારણે ગૂંચવાયેલી છે, જ્યારે આ સંઘર્ષોની દુષ્પ્રેરણા આખી દુનિયા પર દેખાઈ રહી છે, ત્યારે India and the world ની વાત કરવી ખૂબ જ પ્રાસંગિક છે. ભારત આજે એ દેશ છે, જેની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. 2014 પહેલાની સ્થિતિઓને પાછળ છોડીને આજે ભારત એક નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. હવે ભારત પડકારોને ટાળતું નથી પરંતુ પડકારો સામે ટકરાય છે. તમે છેલ્લા 5-6 વર્ષમાં જુઓ, કોરોનાની મહામારી પછી પડકારો એક પછી એક વધતા જ ગયા છે. એવું કોઈ વર્ષ નથી, જેણે ભારતની, ભારતીયોની પરીક્ષા ન લીધી હોય. પરંતુ 140 કરોડ દેશવાસીઓના એકજૂટ પ્રયાસથી ભારત દરેક આપત્તિનો સામનો કરતા આગળ વધી રહ્યું છે. આ સમયે યુદ્ધની પરિસ્થિતિઓમાં પણ ભારતની નીતિ અને વ્યૂહરચના જોઈને, ભારતનું સામર્થ્ય જોઈને દુનિયાના અનેક દેશો હેરાન છે. આપણે ત્યાં કહેવત છે, સાંચ કો આંચ નહીં. 28 ફેબ્રુઆરીથી દુનિયામાં જે ઉથલપાથલ મચી છે, આ કઠોર વિપરીત પરિસ્થિતિઓમાં પણ ભારત પ્રગતિના, વિકાસના, વિશ્વાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. આ 23 દિવસોમાં ભારતે પોતાની Relationship Building Capacity બતાવી છે, Decision Making Capacity બતાવી છે અને Crisis Management Capacity બતાવી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ TV-9 નેટવર્ક સમિટને સંબોધિત કરી

March 23rd, 08:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'ભારત અને વિશ્વ' થીમ પર આધારિત TV9 સમિટને સંબોધિત કરી હતી. અભૂતપૂર્વ અને ગંભીર વૈશ્વિક પરિસ્થિતિઓને સ્વીકારતા, પ્રધાનમંત્રીએ એક નિર્ણાયક વળાંક પર વિચારોના આદાનપ્રદાન માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનાવવા બદલ TV9 નેટવર્કની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વ જે ગંભીર પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યું છે તે અભૂતપૂર્વ અને અત્યંત ગંભીર છે, અને આની વચ્ચે TV9 નેટવર્કે વિચારો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ઊભું કર્યું છે.

NXT સમિટ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 12th, 10:47 pm

આજે 12 માર્ચનો દિવસ ખૂબ જ ઐતિહાસિક છે. 12 માર્ચ, 1930ના રોજ મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી. આ ભારતની સ્વતંત્રતા આંદોલનનું એક ટર્નિંગ પોઈન્ટ હતું. કારણ કે આ યાત્રાએ દેશના ખૂણે-ખૂણાને એક લક્ષ્ય સાથે જોડી દીધા હતા અને આ લક્ષ્ય હતું- ભારતની આઝાદી. આજે આ ઐતિહાસિક યાત્રાના લગભગ 100 વર્ષોની આસપાસ આપણે ભારતીયો ફરી એક નવી યાત્રા પર નીકળ્યા છીએ. આ યાત્રા છે- વિકસિત ભારતની યાત્રા. આપણું લક્ષ્ય એક છે, આપણી મંજિલ એક છે - વિકસિત ભારત. અને આ લક્ષ્યની પ્રાપ્તિમાં આવી સમિટ્સમાં થયેલું મંથન, તેમાંથી નીકળેલું અમૃત મોટી ભૂમિકા ભજવે છે. હું આપ સૌનો આભારી છું કે તમે મને નેક્સ્ટ સમિટ માટે આમંત્રિત કર્યો. અહીં દેશમાંથી, દુનિયામાંથી ઘણા બધા સાથીઓ આવ્યા છે, કેટલાક જૂના પરિચિત પણ છે, હું આપ સૌનું અભિનંદન કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ NXT સમિટને સંબોધિત કરી

March 12th, 08:30 pm

પ્રધાનમંત્રીએ આજે iTV નેટવર્કની NXT સમિટને સંબોધિત કરી, જે દાંડી કૂચની ઐતિહાસિક વર્ષગાંઠને ચિહ્નિત કરે છે અને ભારતની સ્વતંત્રતા માટેના સંઘર્ષ અને વિકસિત રાષ્ટ્ર બનવાના તેના વર્તમાન પ્રયાસો વચ્ચે સમાનતા દર્શાવે છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જે રીતે 1930ની કૂચએ દેશને સ્વતંત્રતા તરફ એકત્ર કર્યો હતો, તે જ રીતે વર્તમાન વિકસિત ભારત મિશન 140 કરોડ ભારતીયોનું સામૂહિક લક્ષ્ય છે. આજે, તે ઐતિહાસિક મુસાફરીના લગભગ 100 વર્ષ પછી, આપણે ભારતીયોએ ફરી એકવાર 'વિકસિત ભારત' માટે એક નવી મુસાફરી શરૂ કરી છે, પ્રધાનમંત્રીએ કહ્યું.

ન્યૂઝ18 રાઇઝિંગ ઇન્ડિયા સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 27th, 08:30 pm

તમે બધા રાઇઝિંગ ઇન્ડિયાની ચર્ચા કરી રહ્યા છો. અને આમાં, તમારો ભાર સામર્થ્ય પર છે - સરળ શબ્દોમાં કહીએ તો તમારું ધ્યાન દેશની પોતાની શક્તિ પર છે. અને આપણા શાસ્ત્રોમાં, એવું કહેવામાં આવ્યું છે - तत् त्वम असि! એટલે કે, આપણે જે બ્રહ્મ શોધી રહ્યા છીએ તે આપણે પોતે છીએ; તે આપણી અંદર છે. આપણે આપણી અંદર રહેલી શક્તિને ઓળખવી જોઈએ. છેલ્લા 11 વર્ષોમાં ભારતે આ શક્તિને ઓળખી છે અને આજે દેશ આ શક્તિને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યો છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેટવર્ક18 રાઇઝિંગ ઇન્ડિયા સમિટને સંબોધિત કર્યું

February 27th, 08:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાઇઝિંગ ઇન્ડિયા સમિટને સંબોધન કર્યું, જેમાં “Strength Within (આપણા સામર્થ્ય)” થીમ પર વાત કરી છે. છેલ્લા 11 વર્ષમાં ભારતની સફર પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ દેશની ક્ષમતા પાછી મેળવવા, આર્થિક આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા અને 2047 સુધીમાં વિકસિત ભારત માટેના રોડમેપ વિશે વિસ્તૃત વાત કરી.

પ્રધાનમંત્રીએ ઇઝરાયલના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

February 26th, 08:56 pm

બંને પ્રધાનમંત્રીઓએ ભારત-ઇઝરાયલ ભાગીદારીના સમગ્ર ક્ષેત્રને આવરી લેતી વ્યાપક ચર્ચામાં ભાગ લીધો. બંને દેશો વચ્ચેના ઊંડા વિશ્વાસ અને મિત્રતાને પ્રતિબિંબિત કરતા, નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને શાંતિ, નવીનતા અને સમૃદ્ધિ માટે ખાસ વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવાનો નિર્ણય કર્યો. આ ઉન્નતિ હિતોના વધતા સંકલન અને સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય માટે બંને દેશોના સહિયારા દ્રષ્ટિકોણનું પ્રતીક છે.

ભારત - ઇઝરાયલ સંયુક્ત નિવેદન

February 26th, 07:44 pm

ભારત અને ઇઝરાયલ વચ્ચેની ઉષ્મા, સદભાવના અને ઊંડી વ્યૂહાત્મક ભાગીદારીને ઓળખતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલ રાજ્યના પ્રધાનમંત્રી શ્રી બેન્જામિન નેતન્યાહુના આમંત્રણ પર 25 થી 26 ફેબ્રુઆરી 2026 દરમિયાન ઇઝરાયલની રાજ્ય મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીની સાથે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓનું બનેલું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ હતું. ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 2017 માં ઇઝરાયલની ઐતિહાસિક મુલાકાત અને પ્રધાનમંત્રી નેતન્યાહુની 2018 માં ભારતની એ મુલાકાતને યાદ કરી હતી, જેણે સાથે મળીને ભાગીદારી અને સહયોગના નવા યુગનો પાયો નાખ્યો હતો, નેતાઓએ ઉભરતી ટેકનોલોજી, સાયબર, કૃષિ, જળ વ્યવસ્થાપન, આરોગ્ય, ઉદ્યોગસાહસિકતા, સંરક્ષણ, સુરક્ષા અને વધુ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત-ઇઝરાયલ દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી અપાર પ્રગતિની નોંધ લીધી હતી. પ્રધાનમંત્રી નેતન્યાહુ અને પ્રધાનમંત્રી મોદીએ વ્યૂહાત્મક ભાગીદારીને નવા સ્તરે - ‘શાંતિ, ઇનોવેશન અને સમૃદ્ધિ માટે એક વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી’ પર લઈ જવાનો નિર્ણય લીધો અને સંમતિ દર્શાવી.

પ્રધાનમંત્રીની ઇઝરાયલ મુલાકાત: મહત્વપૂર્ણ કરારોની યાદી

February 26th, 07:41 pm

ભૂ-સર્વેક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં સહકાર માટે સમજૂતી કરાર

ઇઝરાયેલના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલ પ્રેસ નિવેદન

February 26th, 03:30 pm

નવ વર્ષ પહેલાં મને ઇઝરાયેલની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બનવાનું સૌભાગ્ય મળ્યું હતું. ફરી એકવાર ઇઝરાયેલની ઐતિહાસિક ભૂમિ પર કદમ રાખવા એ મારા માટે ગૌરવ અને ભાવુકતાની ક્ષણ છે.

AI સફળતાઓથી લઈને T20 વર્લ્ડ કપ સુધી, PM મોદીએ મન કી બાતમાં ભારતનો ઉદય દર્શાવ્યો.

February 22nd, 11:30 am

આ મહિનાના મન કી બાતમાં, પીએમ મોદીએ દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં પોતાના અનુભવો વિશે વાત કરી. તેમણે ભારતીય મૂળના ક્રિકેટરો, અંગદાન, નદી ઉત્સવો, ડિજિટલ સલામતી, પરીક્ષા પે ચર્ચા અને અન્ય ઘણા મહત્વપૂર્ણ વિષયો પર વાત કરી. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે 23 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ ભવનમાં 'રાજાજી ઉત્સવ' ઉજવવામાં આવશે. પીએમએ તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાજીને પણ શ્રદ્ધાંજલિ આપી, નારી શક્તિ સાથેના તેમના ઊંડા જોડાણનો ઉલ્લેખ કર્યો.

સેવા તીર્થ ખાતે પ્રધાનમંત્રીએ AI અને ડીપટેક સ્ટાર્ટઅપ્સના CEOs સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી

February 20th, 12:27 pm

રાઉન્ડટેબલમાં ભાગ લેનારા સ્ટાર્ટઅપ્સ ચોક્કસ ક્ષેત્રોમાં વસ્તી વિષયક પડકારોનો સામનો કરી રહ્યા છે. આરોગ્યસંભાળમાં, તેઓ છેલ્લા માઇલ સુધી ગુણવત્તાયુક્ત સંભાળ પહોંચાડવા માટે અદ્યતન નિદાન, જેન થેરેપી અને દર્દી રેકોર્ડ મેનેજમેન્ટ માટે AIનો ઉપયોગ કરે છે. કૃષિમાં તેઓ ઉત્પાદકતા વધારવા અને આબોહવા જોખમનું સંચાલન કરવામાં મદદ કરવા માટે જિયો સ્પેશિયલ અને અંડરવોટર ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે. આ જૂથમાં સાયબર સુરક્ષા, એથિકલ AI, અંતરિક્ષ, ન્યાય અને સ્થાનિક ભાષા શિક્ષણની પહોંચ દ્વારા સામાજિક સશક્તિકરણ અને એન્ટરપ્રાઇઝ ઉત્પાદકતાને મજબૂત કરવા માટે વારસાગત સિસ્ટમોના આધુનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરનારા સાહસોનો પણ સમાવેશ થાય છે. સાથે મળીને, તેઓ એક ઇકોસિસ્ટમનું પ્રદર્શન કરે છે જે AI-સંચાલિત નવીનતામાં વૈશ્વિક નેતૃત્વનું નિર્માણ કરતી વખતે સ્થાનિક જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન લીડર્સ પ્લેનરી સેશનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 19th, 01:00 pm

AI ઇમ્પેક્ટ સમિટમાં ભારતમાં ફરીથી આપ સૌનું સ્વાગત કરતા મને અત્યંત પ્રસન્નતા થઈ રહી છે. મને વિશ્વાસ છે કે આ સમિટ એક હ્યુમન સેન્ટ્રિક (માનવ કેન્દ્રીય), સેન્સિટિવ ગ્લોબલ AI ઇકોસિસ્ટમના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે.

ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન લીડર્સ પ્લેનરી સેશનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

February 19th, 12:39 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન લીડર્સ પ્લેનરી સેશનમાં પોતાનું સંબોધન શેર કર્યું હતું. ભારતમાં AI ઇમ્પેક્ટ સમિટમાં સહભાગીઓનું ફરી એકવાર સ્વાગત કરતા, પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સમિટ માનવ-કેન્દ્રીય અને સંવેદનશીલ વૈશ્વિક AI ઇકોસિસ્ટમ બનાવવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. તેમણે નોંધ્યું હતું કે ઇતિહાસ બતાવે છે કે માનવતાએ હંમેશા વિક્ષેપોને તકોમાં બદલ્યા છે, અને આજની ક્ષણ વિક્ષેપને માનવતાની સૌથી મોટી તકમાં પરિવર્તિત કરવાની ફરી એક એવી જ ક્ષણ છે.

ET Now ગ્લોબલ બિઝનેસ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 13th, 08:30 pm

આ ગ્લોબલ બિઝનેસ સમિટમાં આપ સૌનું સ્વાગત છે; હું આપ સૌનું અભિવાદન કરું છું. આપણે અહીં “એ ડેકેડ ઓફ ડિસરપ્શન, એ સેન્ચુરી ઓફ ચેન્જ” (વિક્ષેપનો એક દાયકા, પરિવર્તનની એક સદી) વિષય પર ચર્ચા કરવા માટે એકઠા થયા છીએ. વિનીત જીનું ભાષણ સાંભળ્યા પછી મને લાગે છે કે મારું કામ ઘણું સરળ થઈ ગયું છે. પરંતુ મને એક નાનકડી વિનંતી કરવા દો- કારણ કે તમે આટલું બધું જાણો છો, તે ક્યારેક ET માં પણ પ્રતિબિંબિત થવું જોઈએ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ET Now ગ્લોબલ બિઝનેસ સમિટ 2026 ને સંબોધિત કરી

February 13th, 08:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ET Now ગ્લોબલ બિઝનેસ સમિટ 2026 ને સંબોધિત કરી હતી. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ ગ્લોબલ બિઝનેસ સમિટમાં ઉપસ્થિત તમામ લોકોને અભિવાદન પાઠવ્યા હતા અને તેની થીમ - ‘એ ડેકેડ ઓફ ડિસ્રપ્શન, એ સેન્ચુરી ઓફ ચેન્જ’ (વિક્ષેપોનો દાયકો, પરિવર્તનની સદી) પર ટિપ્પણી કરી હતી. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે 21 મી સદીના છેલ્લા દાયકામાં વૈશ્વિક રોગચાળો, વિવિધ પ્રદેશોમાં તણાવ અને યુદ્ધો અને વૈશ્વિક સંતુલનને હચમચાવી નાખનાર સપ્લાય ચેઈન ભંગાણ સહિતના અભૂતપૂર્વ વિક્ષેપો જોવા મળ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કટોકટી રાષ્ટ્રની સાચી શક્તિ છતી કરે છે અને ગૌરવ વ્યક્ત કર્યું હતું કે આ વિક્ષેપો છતાં, ભારતનો દાયકો નોંધપાત્ર વિકાસ, ઉત્કૃષ્ટ ડિલિવરી અને લોકશાહીના મજબૂતીકરણ દ્વારા ચિહ્નિત થયો છે. શ્રી મોદીએ યાદ કર્યું કે જ્યારે છેલ્લા દાયકાની શરૂઆત થઈ હતી, ત્યારે ભારત અગિયારમું સૌથી મોટું અર્થતંત્ર હતું, અને અશાંતિ વચ્ચે પતનની આશંકાઓ હતી, પરંતુ આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારત પરિવર્તનની સદી માટે મુખ્ય પાયો બનશે તે વાત પર ભાર મૂકતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારત હાલમાં વૈશ્વિક વિકાસમાં સોળ ટકાથી વધુ યોગદાન આપે છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ યોગદાન વર્ષ દર વર્ષે વધતું રહેશે. તેમણે પુષ્ટિ આપી કે ભારત વૈશ્વિક વિકાસને વેગ આપશે અને વિશ્વ અર્થતંત્રના નવા એન્જિન તરીકે ઉભરી આવશે.

પ્રધાનમંત્રીએ મલેશિયાના પ્રધાનમંત્રી સાથે સત્તાવાર સંવાદ કર્યો

February 08th, 11:19 am

આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું મલેશિયાના પ્રધાનમંત્રી મહામહિમ દાતો' સેરી અનવર ઇબ્રાહિમ દ્વારા પર્ડાના પુત્ર સંકુલમાં સ્વાગત કરવામાં આવ્યું અને તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ, બંને નેતાઓ પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમના સત્તાવાર નિવાસસ્થાન સેરી પર્ડાના ખાતે મર્યાદિત અને પ્રતિનિધિમંડળ સ્તરના ફોર્મેટમાં મુલાકાત કરી હતી.

મલેશિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય

February 08th, 08:35 am

સૌ પ્રથમ હું મારા નજીકના મિત્ર પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ગત વર્ષે, હું ASEAN સમિટ માટે મલેશિયા આવી શક્યો ન હતો. પરંતુ મેં મારા પ્રિય મિત્રને વચન આપ્યું હતું કે હું શક્ય તેટલી વહેલી તકે મલેશિયાની મુલાકાત લઈશ. અને આજે 2026ના મારા પ્રથમ વિદેશ પ્રવાસ પર, હું મલેશિયા આવ્યો છું.