
ભોપાલમાં દેવી અહલ્યાબાઈ મહિલા સશક્તીકરણ મહાસંમેલનમાં વિવિધ પ્રોજેક્ટ્સના લોન્ચ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 31st, 11:00 am
મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી મોહન યાદવજી, ટેકનોલોજી દ્વારા આપણી સાથે જોડાયેલા કેન્દ્રીય મંત્રીઓ, ઇન્દોરથી તોખન સાહુજી, દતિયાથી રામ મોહન નાયડુજી, સતનાથી મુરલીધર મોહોલજી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાજી, મંચ પર હાજર રાજેન્દ્ર શુક્લાજી, લોકસભામાં મારા સાથી વી.ડી. શર્માજી, અન્ય મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં અહીં આવેલા મારા પ્રિય ભાઈઓ અને બહેનો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિત્તે મહિલા સશક્તીકરણ મહા સંમેલનને સંબોધિત કર્યું
May 31st, 10:27 am
લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તીકરણ મહા સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે ભોપાલમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં બોલતા, તેમણે 'મા ભારતી'ને શ્રદ્ધાંજલિ આપી અને ભારતની મહિલાઓની શક્તિનો સ્વીકાર કર્યો. તેમણે આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા આવેલી બહેનો અને પુત્રીઓની મોટી ભીડનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમની હાજરીથી તેઓ સન્માનિત અનુભવે છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આજે લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી, 140 કરોડ ભારતીયો માટે પ્રેરણાનો પ્રસંગ છે અને રાષ્ટ્ર નિર્માણના ઉમદા પ્રયાસમાં યોગદાન આપવાની ક્ષણ છે. દેવી અહિલ્યાબાઈને ટાંકીને, તેમણે પુનરોચ્ચાર કર્યો કે સાચું શાસન એટલે લોકોની સેવા કરવી અને તેમના જીવનમાં સુધારો કરવો. તેમણે કહ્યું કે આજનો કાર્યક્રમ તેમના દ્રષ્ટિકોણનું પ્રતીક છે અને તેમના આદર્શોને આગળ ધપાવે છે. પ્રધાનમંત્રીએ ઇન્દોર મેટ્રોના શુભારંભ તેમજ દતિયા અને સતના સુધી હવાઈ જોડાણના વિસ્તરણનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભાર મૂક્યો કે આ પ્રોજેક્ટ્સ મધ્યપ્રદેશમાં માળખાગત સુવિધામાં વધારો કરશે, વિકાસને વેગ આપશે અને રોજગારની નવી તકોનું સર્જન કરશે. તેમણે ઉપસ્થિત દરેકને અભિનંદન આપ્યા હતા.
રાઇઝિંગ નોર્થઈસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 23rd, 11:00 am
મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથીદારો જ્યોતિરાદિત્ય સિંધિયાજી, સુકાંત મજુમદારજી, મણિપુરના ગવર્નર અજય ભલ્લાજી, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માજી, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુજી, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાજી, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાજી, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગજી, નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોજી, મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમાજી, તમામ ઉદ્યોગ અગ્રણીઓ, રોકાણકારો, મહિલાઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું
May 23rd, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરતા, પ્રધાનમંત્રીએ ઉત્તર પૂર્વીય ક્ષેત્રના ભવિષ્યમાં ગર્વ, ઉષ્મા અને અપાર વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે તાજેતરમાં ભારત મંડપમ ખાતે યોજાયેલા અષ્ટલક્ષ્મી મહોત્સવને યાદ કરી ભાર મૂક્યો કે આજનો કાર્યક્રમ ઉત્તર પૂર્વમાં રોકાણોની ઉજવણી છે. પ્રધાનમંત્રીએ સમિટમાં ઉદ્યોગના અગ્રણીઓની નોંધપાત્ર હાજરી પર પ્રકાશ પાડ્યો અને આ ક્ષેત્રમાં રહેલી તકો અંગેના ઉત્સાહ પર ભાર મૂક્યો. તેમણે તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારોને અભિનંદન આપ્યા અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ પાઠવતા નોર્થ ઇસ્ટ રાઇઝિંગ સમિટની પ્રશંસા કરી અને પ્રદેશના સતત વિકાસ અને સમૃદ્ધિ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.ઇન્ડોનેશિયાના જકાર્તામાં શ્રી સનાતન ધર્મ આલયમના કુંબાભિશેગમ દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળ પાઠ
February 02nd, 02:45 pm
મહામહિમ રાષ્ટ્રપતિ પ્રબોવો, મુરુગન ટેમ્પલ ટ્રસ્ટના અધ્યક્ષ પા હાશિમ, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. કોબાલન, તમિલનાડુ અને ઇન્ડોનેશિયાના મહાનુભાવો, પૂજારીઓ અને આચાર્યો, ભારતીય ડાયસ્પોરાના સભ્યો, શુભ અવસરનો હિસ્સો બનનારા ઇન્ડોનેશિયા અને અન્ય દેશોના અમારા બધા મિત્રો અને આ દિવ્ય અને ભવ્ય મંદિરને સાકાર બનાવનારા બધા કારીગર ભાઈઓ!ઇન્ડોનેશિયાનાં જકાર્તામાં શ્રી સનાતન ધર્મ આલયમનાં મહા કુંબાભિશેગમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય
February 02nd, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ઇન્ડોનેશિયાનાં જકાર્તામાં શ્રી સનાતન ધર્મ આલયમના મહા કુંબાભિશેગમ દરમિયાન પોતાની ટિપ્પણી કરી હતી. તેમણે મહામહિમ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો, મુરુગન ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન પા હાશિમ, મેનેજિંગ ટ્રસ્ટી ડો. કોબાલાન, તમિલનાડુ અને ઇન્ડોનેશિયાના મહાનુભાવો, પૂજારીઓ અને આચાર્યો, ભારતીય ડાયસ્પોરાના સભ્યો, ઇન્ડોનેશિયા અને અન્ય દેશોના તમામ નાગરિકો કે જેઓ આ શુભ પ્રસંગમાં સામેલ હતા તેમને તથા આ દિવ્ય અને ભવ્ય મંદિરને વાસ્તવિક સ્વરૂપ આપનાર તમામ પ્રતિભાશાળી કલાકારોને પણ હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.ભવ્ય પરેડમાં સાંસ્કૃતિક વારસો અને લશ્કરી પરાક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું: પ્રધાનમંત્રી
January 26th, 03:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2025 ના પ્રજાસત્તાક દિવસ ઉજવણીના દૃશ્યો શેર કરતા તેને ભારતની વિવિધતામાં એકતાનું જીવંત પ્રદર્શન ગણાવ્યું. તેમણે ઉમેર્યું કે ભવ્ય પરેડમાં સાંસ્કૃતિક વારસો અને લશ્કરી પરાક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.