India – France Joint Statement

February 18th, 08:10 am

At the invitation of Hon’ble Prime Minister of India, Shri Narendra Modi, President of the French Republic H.E. Mr. Emmanuel Macron paid an official visit to India from 17 to 19 February 2026 and participated in the Artificial Intelligence Impact Summit 2026. During the visit, the two leaders held bilateral talks and jointly inaugurated the 2026 India-France Year of Innovation in Mumbai on 17 February. This is President Macron’s 4th visit to India and it follows Prime Minister Modi’s visit to France in February 2025.

2030 તરફ: એક સંયુક્ત ભારત-EU વ્યાપક વ્યૂહાત્મક કાર્યસૂચિ

January 27th, 06:48 pm

27 જાન્યુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં 16મી ભારત-EU સમિટમાં મંજૂર કરાયેલ સંયુક્ત ભારત-EU વ્યાપક વ્યૂહાત્મક કાર્યસૂચિનો ઉદ્દેશ્ય EU-ભારત સહયોગને વિસ્તૃત, ગાઢ અને વધુ સારી રીતે સંકલન કરીને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે, જેથી ભાગીદારો અને વિશ્વ બંને માટે પરસ્પર ફાયદાકારક, નક્કર અને પરિવર્તનશીલ પરિણામો પ્રાપ્ત થાય.

યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ અને યુરોપિયન કમિશનના પ્રમુખની ભારત મુલાકાત અને 16મા ભારત-EU સમિટ અંગે ભારત-EU સંયુક્ત નિવેદન

January 27th, 06:15 pm

PM મોદીના આમંત્રણ પર, યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન ભારતના 77મા પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાનો તરીકે ભારતના રાજ્યોની મુલાકાતે આવ્યા. આ મુલાકાત દરમિયાન, નેતાઓએ ઐતિહાસિક ભારત-EU FTA પર વાટાઘાટોના સફળ નિષ્કર્ષની પ્રશંસા કરી અને 2030 તરફ: ભારત-EU સંયુક્ત વ્યાપક વ્યૂહાત્મક એજન્ડા અપનાવ્યો.

જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 12th, 12:49 pm

સ્વામી વિવેકાનંદ જયંતિ પર આજે ભારતમાં ચાન્સેલર મર્ઝનું સ્વાગત કરવું મારા માટે વિશેષ આનંદની વાત છે. સ્વામી વિવેકાનંદે ભારત અને જર્મની વચ્ચે ફિલસૂફી, જ્ઞાન અને ભાવનાનો સેતુ બનાવ્યો તે એક સુખદ સંયોગ છે. ચાન્સેલર મર્ઝની આજની મુલાકાત તે સેતુને નવી ઉર્જા, નવો આત્મવિશ્વાસ અને નવો વિસ્તરણ પ્રદાન કરે છે. ચાન્સેલર તરીકે આ તેમની માત્ર ભારત જ નહીં પરંતુ એશિયાની પ્રથમ મુલાકાત છે. આ ભારત સાથેના સંબંધોને તેઓ જે વિશેષ મહત્વ આપે છે તેનો એક શક્તિશાળી પુરાવો છે. હું તેમના વ્યક્તિગત ધ્યાન અને પ્રતિબદ્ધતા બદલ તેમનો આભાર માનું છું. ભારત જર્મની સાથેની તેની મિત્રતા અને ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ગુજરાતમાં અમે કહીએ છીએ, આવકારો મીઠો આપજો રે, જેનો અર્થ થાય છે, સ્નેહ અને હૂંફ સાથે સ્વાગત છે. આ ભાવના સાથે અમે ચાન્સેલર મર્ઝનું ભારતમાં હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ.

યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

October 09th, 11:25 am

આજે મુંબઈમાં પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરનું તેમની પ્રથમ ભારત મુલાકાત પર સ્વાગત કરતાં મને આનંદ થાય છે.

રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રીના જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી

September 17th, 07:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિનનો ટેલિફોન કોલ મળ્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ડેનમાર્કના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી મેટ્ટે ફ્રેડરિકસેનનો ટેલિફોન કોલ મળ્યો

September 16th, 07:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ડેનમાર્કના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી મેટ્ટે ફ્રેડરિકસેન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ મેક્રોન સાથે ટેલિફોન પર વાત કરી

September 06th, 06:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ફ્રેન્ચ રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

રશિયાના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રારંભિક નિવેદન

September 01st, 01:24 pm

આપણે સતત સંપર્કમાં રહ્યા છીએ. બંને પક્ષો વચ્ચે ઘણી નિયમિત ઉચ્ચ-સ્તરીય બેઠકો થઈ છે. આ વર્ષે ડિસેમ્બરમાં યોજાનારી આપણી 23મી શિખર સમિટ માટે 140 કરોડ ભારતીયો તમારી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

રશિયા-યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા અંગે પીએમ મોદીનું મોટું નિવેદન

September 01st, 12:48 pm

ચીનના તિયાનજિનમાં SCO સમિટ દરમિયાન, પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી, જ્યાં યુક્રેન સંઘર્ષ ચર્ચાનો કેન્દ્રબિંદુ હતો. પીએમ મોદીએ શાંતિ તરફના તાજેતરના પ્રયાસોનું સ્વાગત કર્યું અને આશા વ્યક્ત કરી કે બધા પક્ષો રચનાત્મક રીતે આગળ વધશે. તેમણે સંઘર્ષને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવાની તાત્કાલિક જરૂરિયાત પર અને કાયમી શાંતિનો માર્ગ શોધવો જરૂરી હોવા પર ભાર મૂક્યો. મોટા માનવીય પરિમાણ પર ભાર મૂકતા, પીએમ મોદીએ કહ્યું કે આ ફક્ત પ્રાદેશિક ચિંતા નથી પરંતુ માનવતાનું આહવાન છે.

પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વાત કરી

August 30th, 07:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​યુક્રેનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબનો ટેલિફોન કોલ મળ્યો

August 27th, 08:32 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ફિનલેન્ડ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ એલેક્ઝાન્ડર સ્ટબનો ફોન કોલ મળ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ મેક્રોને ટેલિફોન કોલ કર્યો

August 21st, 06:30 pm

આજે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ફ્રેન્ચ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોનનો ફોન કોલ મળ્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાતચીત કરી

August 11th, 06:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુક્રેનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વોલોડીમીર ઝેલેન્સકી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રી અને યુએસ રાષ્ટ્રપતિ વચ્ચેની ટેલિફોન વાતચીત અંગે વિદેશ સચિવનું નિવેદન

June 18th, 12:32 pm

પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ G-7 સમિટ દરમિયાન મળવાના હતા. પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પને વહેલા અમેરિકા પરત ફરવું પડ્યું, જેના કારણે આ મુલાકાત થઈ શકી નહીં.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એલેક્ઝાન્ડર સ્ટબ સાથે ટેલિફોન પર વાતચીત કરી

April 16th, 05:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ફિનલેન્ડ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એલેક્ઝાન્ડર સ્ટબ સાથે ટેલિફોન પર વાતચીત કરી.

પોડકાસ્ટમાં લેક્સ ફ્રીડમેન સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ

March 16th, 11:47 pm

પ્રધાનમંત્રી: મારી તાકાત મોદી નથી, 140 કરોડ દેશવાસીઓ છે, હજારો વર્ષોની મહાન સંસ્કૃતિ અને પરંપરા છે, તે જ મારી તાકાત છે. એટલા માટે જ હું જ્યાં પણ જાઉં છું ત્યાં મોદી નથી જતા, વિવેકાનંદની મહાન પરંપરાને હજારો વર્ષોના વેદોથી લઈને 140 કરોડ લોકો સુધી લઈ જાઉ છું, તેમના સપના, તેમની આકાંક્ષાઓ અને તેથી જ હું દુનિયાના કોઈ પણ નેતા સાથે હાથ મિલાવું છું, ત્યારે મોદી હાથ મિલાવતા નથી, તે 140 કરોડ લોકોનો હાથ છે. એટલે તાકાત મોદીની નહીં, પરંતુ ભારતની ક્ષમતા છે. જ્યારે પણ આપણે શાંતિ માટે વાત કરીએ છીએ, ત્યારે વિશ્વ અમારું સાંભળે છે. કારણ કે આ બુદ્ધની ભૂમિ છે, આ મહાત્મા ગાંધીની ભૂમિ છે, વિશ્વ અમારી વાત સાંભળે છે અને અમે સંઘર્ષના પક્ષમાં જ નથી. અમે સંકલનના પક્ષમાં છીએ. અમે પ્રકૃતિ સાથે સંઘર્ષ નથી ઇચ્છતા, અમે રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષ ઇચ્છતા નથી, અમે સંકલન ઇચ્છીએ છીએ. અને એમાં અમે કોઇ ભૂમિકા ભજવી શકીએ તો સતત પ્રયત્ન કર્યો છે. મારું જીવન અત્યંત ગરીબીમાંથી બહાર આવ્યું. પરંતુ મેં ક્યારેય ગરીબીનો ભાર અનુભવ્યો નથી, કારણ કે જે વ્યક્તિ સારા જૂતા પહેરે છે અને જો તેના જૂતા નથી, તો તેને લાગે છે કે યાર આ છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટમાં લેક્સ ફ્રિડમેન સાથે વાર્તાલાપ કર્યો

March 16th, 05:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિવિધ વિષયો પર પોડકાસ્ટમાં લેક્સ ફ્રિડમેન સાથે વાતચીત કરી હતી. એક નિખાલસ વાતચીતમાં, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ શા માટે ઉપવાસ કરે છે અને તેઓ કેવી રીતે વ્યવસ્થા કરે છે, ત્યારે પ્રધાનમંત્રીએ લેક્સ ફ્રિડમેનનો આભાર માન્યો હતો કે, ભારતમાં, ધાર્મિક પરંપરાઓ દૈનિક જીવન સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલી છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, હિન્દુ ધર્મ એ માત્ર ધાર્મિક વિધિઓ વિશે જ નથી, પરંતુ જીવનને માર્ગદર્શન આપતી ફિલસૂફી છે. જેનું અર્થઘટન ભારતની માનનીય સર્વોચ્ચ અદાલત દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉપવાસ એ શિસ્ત કેળવવા અને આંતરિક અને બાહ્ય સ્વને સંતુલિત કરવા માટેનું એક સાધન છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ઉપવાસ કરવાથી ઇન્દ્રિયો વધારે છે. જે તેમને વધારે સંવેદનશીલ અને જાગૃત બનાવે છે. તેમણે નોંધ્યું હતું કે ઉપવાસ દરમિયાન, કોઈ પણ વ્યક્તિ સૂક્ષ્મ સુગંધ અને વિગતોને વધુ આબેહૂબ રીતે અનુભવી શકે છે. તેમણે એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે ઉપવાસ કરવાથી વિચારપ્રક્રિયા ઝડપી બને છે. જે નવા દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે અને આઉટ-ઓફ-ધ-બોક્સ વિચારસરણીને પ્રોત્સાહિત કરે છે. શ્રી મોદીએ સ્પષ્ટતા કરી હતી કે, ઉપવાસ એટલે માત્ર ભોજનથી દૂર રહેવાનો જ અર્થ નથી; તેમાં તૈયારી અને ડિટોક્સિફિકેશનની વૈજ્ઞાનિક પ્રક્રિયા શામેલ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ અગાઉથી ઘણા દિવસો સુધી આયુર્વેદિક અને યોગ પદ્ધતિઓનું પાલન કરીને તેમના શરીરને ઉપવાસ માટે તૈયાર કરે છે અને આ સમયગાળા દરમિયાન હાઇડ્રેશનના મહત્વ પર ભાર મૂક્યો હતો. એક વાર ઉપવાસ શરૂ થઈ જાય, પછી તે તેને ભક્તિ અને સ્વ-શિસ્તના કાર્ય તરીકે જુએ છે, જે ઊંડા આત્મનિરીક્ષણ અને ધ્યાનને મંજૂરી આપે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમની ઉપવાસની પ્રથા વ્યક્તિગત અનુભવને આધારે ઉદ્ભવી છે. જેની શરૂઆત મહાત્મા ગાંધી દ્વારા પ્રેરિત એક આંદોલનથી થઈ હતી, જેની શરૂઆત શાળાના દિવસો દરમિયાન મહાત્મા ગાંધી દ્વારા પ્રેરિત આંદોલનથી થઈ હતી. પોતાના પ્રથમ ઉપવાસ દરમિયાન જ તેમને ઊર્જા અને જાગૃતિમાં વધારો થયો હતો, જેણે તેમને તેની પરિવર્તનકારી શક્તિની પ્રતીતિ કરાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉપવાસ કરવાથી તેની ગતિ ધીમી પડતી નથી; તેના બદલે, તે ઘણી વાર તેની ઉત્પાદકતામાં વધારો કરે છે. તેમણે નોંધ્યું હતું કે ઉપવાસ દરમિયાન તેમના વિચારો વધુ મુક્તપણે અને સર્જનાત્મક રીતે વહે છે, જે પોતાની જાતને વ્યક્ત કરવા માટેનો એક અવિશ્વસનીય અનુભવ બનાવે છે.

કાર્યકર સુવર્ણ મહોત્સવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 07th, 05:52 pm

કાર્યકર સુવર્ણ મહોત્સવના પાવન અવસરે હું ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં નમ્રતાપૂર્વક નમન કરું છું. આજે પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતી પણ છે, જેમને હું પણ શ્રદ્ધાપૂર્વક નમન કરું છું, કારણ કે તેઓ દિવ્ય ગુરુ હરિ પ્રાગત બ્રહ્માનું મૂર્ત સ્વરૂપ હતા. પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના અથાગ પ્રયત્નો અને સમર્પણ દ્વારા આજે ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો અને પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પો સાકાર થઈ રહ્યા છે. એક લાખ સ્વયંસેવકો, યુવાનો અને બાળકોને સાંકળતી આ ભવ્ય સાંસ્કૃતિક ઘટના બીજ, વૃક્ષ અને ફળના સારને સુંદર રીતે રજૂ કરે છે. જો કે હું તમારી વચ્ચે શારીરિક રીતે હાજર રહેવા માટે અસમર્થ છું, તેમ છતાં, હું આ ઘટનાની જીવંતતા અને ઊર્જાને મારા હૃદયમાં ઊંડે સુધી અનુભવી શકું છું. હું પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ અને તમામ પૂજ્ય સંતોને આવી ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને હું તેમને ઊંડા આદર સાથે નમન કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધિત કર્યો

December 07th, 05:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે અમદાવાદમાં આયોજિત કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, પૂજ્ય સંતો અને સત્સંગી પરિવારના સભ્યો તથા અન્ય મહાનુભાવો અને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું. શ્રી મોદીએ કાર્યકર સુવર્ણ મહોત્સવ પ્રસંગે ભગવાન સ્વામી નારાયણના ચરણોમાં નમન કર્યા હતા અને જણાવ્યું હતું કે આજે પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતી પણ છે. તેમણે ઉમેર્યું હતું કે, પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની મહેનત અને સમર્પણથી આજે ભગવાન સ્વામી નારાયણના ઉપદેશો, પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પો ફળીભૂત થઈ રહ્યા છે. યુવાનો અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે આશરે એક લાખ કાર્યકરો સહિત આવા વિશાળ કાર્યક્રમને નિહાળીને શ્રી મોદીએ આનંદ વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું હતું કે, તેઓ આ કાર્યક્રમના સ્થળે શારીરિક રીતે હાજર ન હોવા છતાં આ કાર્યક્રમની ઊર્જાનો અનુભવ કરી શકે છે. તેમણે પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, તમામ સંતોને આ ભવ્ય દિવ્ય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.