પ્રધાનમંત્રીએ ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી
July 23rd, 08:22 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે કહ્યું કે ચંદ્રશેખર આઝાદની નિર્ભય હિંમત અને અતૂટ દેશભક્તિ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં ગર્વનું સ્થાન ધરાવે છે.પ્રધાનમંત્રીએ લોકમાન્ય તિલકને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
July 23rd, 08:12 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકમાન્ય તિલકને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે કહ્યું કે ભારતના સ્વતંત્રતા સંગ્રામના મહાન નેતા તરીકે, લોકમાન્ય તિલક રાષ્ટ્રવાદની ભાવનાને જાગૃત કરે છે અને પેઢીઓને લોકોની સેવા કરવા માટે પોતાને સમર્પિત કરવા પ્રેરણા આપે છે.પ્રધાનમંત્રીએ મહાન ક્રાંતિકારી મંગલ પાંડેજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
July 19th, 10:55 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન ક્રાંતિકારી મંગલ પાંડેજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ કહ્યું કે તેમનું સાહસિક જીવન આજે પણ દરેક ભારતીયને ગર્વથી ભરી દે છે અને તેમની બહાદુરીની ગાથા દેશની દરેક પેઢીને પ્રેરણા આપતી રહેશે.ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 06th, 06:47 pm
હું મારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને કારણે, આ સમયે પ્રવાસ પર છું. પરંતુ ટેકનોલોજીની મદદથી આ ઐતિહાસિક કાર્યક્રમમાં આપ સૌની સાથે જોડાઈ રહ્યો છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી નિમિત્તે સંબોધન કર્યું
July 06th, 06:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતી નિમિત્તે એક વીડિયો સંદેશ દ્વારા જનમેદનીને સંબોધિત કરી હતી. પૂર્વ-નિર્ધારિત પ્રવાસ કાર્યક્રમને કારણે પોતાની ભૌતિક ગેરહાજરી અંગે સ્પષ્ટતા કરતા, તેમણે આ મહત્વપૂર્ણ પ્રસંગ માટે ભૌગોલિક અંતરને ઓછું કરવામાં ડિજિટલ કનેક્ટિવિટીની અદભૂત શક્તિ પર ભાર મૂક્યો હતો. ટેકનોલોજીની મદદથી હું આ ઐતિહાસિક કાર્યક્રમમાં તમારી સાથે જોડાઈ રહ્યો છું, શ્રી મોદીએ જણાવ્યું હતું.પ્રધાનમંત્રીએ શ્રી રામવિલાસ પાસવાનજીને શ્રદ્ધાંજલિ પાઠવી
July 05th, 12:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી રામવિલાસ પાસવાનજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ કહ્યું, તેમણે સમાજના વંચિત અને નબળા વર્ગના ઉત્થાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જાહેર સેવા અને રાષ્ટ્ર સેવા પ્રત્યેના તેમના સમર્પણ માટે તેમને હંમેશા યાદ રાખવામાં આવશે.પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમના નિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પી
July 04th, 01:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી વિવેકાનંદને તેમના નિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. શ્રી નરેન્દ્ર મોદીએ નોંધ્યું હતું કે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, આધ્યાત્મિક પરંપરાઓ અને રાષ્ટ્રીય ચેતનાને વૈશ્વિક ઓળખ અપાવવામાં સ્વામી વિવેકાનંદજીનું અજોડ યોગદાન પેઢીઓને પ્રેરણા આપતું રહે છે. તેમનું ગહન જ્ઞાન અને કાલાતીત આદર્શો દેશભરના લાખો યુવાનો માટે માર્ગદર્શક બળ બની રહ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમનો આધ્યાત્મિક સંદેશ વિકસિત ભારતના નિર્માણના સામૂહિક સંકલ્પમાં રાષ્ટ્રને પ્રેરણા અને ઊર્જા આપતો રહેશેપ્રધાનમંત્રીએ હૂલ દિવસ પર બહાદુર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પી
June 30th, 06:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હૂલ દિવસ નિમિત્તે વિદેશી શાસનના અન્યાય સામે અડગ રહેનારા સિદો-કાન્હુ, ચાંદ-ભૈરવ અને ફૂલો-ઝાનો જેવા તમામ બહાદુર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે આદિવાસી ગૌરવ અને સન્માનના રક્ષણ માટે તેમના સંઘર્ષ અને બલિદાનની વાર્તા દેશવાસીઓના હૃદયમાં નવી ઉર્જાનો સંચાર કરતી રહેશે.પ્રધાનમંત્રીએ વીર સાવરકરને તેમની જયંતી પર યાદ કર્યા
May 28th, 09:52 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીર સાવરકરને તેમની જયંતી પર યાદ કર્યા અને તેમની હિંમત, દેશભક્તિ અને સામાજિક સુધારણામાં તેમના યોગદાન બદલ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.પ્રધાનમંત્રીએ ગુજરાતના સોમનાથ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી
May 11th, 03:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સોમનાથ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
February 19th, 08:48 am
છત્રપતિ શિવાજી મહારાજની જયંતી પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વપ્નદ્રષ્ટા નેતા, અસાધારણ પ્રશાસક, વ્યૂહાત્મક વિચારક અને સ્વરાજ્યના ચેમ્પિયનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
February 11th, 10:19 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે મૂલ્યો પર આધારિત તેમના સિદ્ધાંતો અને વિચારો દેશની દરેક પેઢી માટે માર્ગદર્શક પ્રકાશ બની રહેશેપ્રધાનમંત્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
January 30th, 10:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું કે બાપુએ હંમેશા સ્વદેશી પર ભાર મૂક્યો હતો, જે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટેના આપણા સંકલ્પનો મૂળભૂત આધારસ્તંભ પણ છે. તેમનું વ્યક્તિત્વ અને કાર્યો હંમેશા દેશના લોકોને ફરજના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપતા રહેશે, એમ શ્રી મોદીએ કહ્યું.પ્રધાનમંત્રીએ ભારત રત્ન ડૉ. એમ.જી. રામચંદ્રનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
January 17th, 10:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ભારત રત્ન ડૉ. એમ.જી. રામચંદ્રન (એમજીઆર)ને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.પ્રધાનમંત્રીએ રાણી વેલુ નચિયારને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
January 03rd, 08:16 am
રાણી વેલુ નચિયારની જન્મજયંતિ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન રાણીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેમને ભારતના સૌથી બહાદુર યોદ્ધાઓમાંના એક તરીકે યાદ કરવામાં આવે છે, જેમણે હિંમત અને વ્યૂહાત્મક કુશળતા દર્શાવી હતી.પ્રધાનમંત્રીએ સાવિત્રીબાઈ ફૂલેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
January 03rd, 08:07 am
આજે સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અગ્રણી સમાજ સુધારકને યાદ કર્યા, જેમનું જીવન સેવા અને શિક્ષણ દ્વારા સમાજમાં પરિવર્તન લાવવા માટે સમર્પિત હતું.પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપતા અને શક્તિ, ન્યાય અને એકતા પર ભાર મૂકતા એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
December 30th, 10:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 30 ડિસેમ્બર, 1943ના ઐતિહાસિક અવસરને યાદ કરતાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પી. આ દિવસે નેતાજીએ અદ્વિતીય સાહસ અને પરાક્રમ સાથે પોર્ટ બ્લેરમાં ત્રિરંગો ફરકાવ્યો હતો.પ્રધાનમંત્રીએ 'સદૈવ અટલ' ખાતે શ્રી અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
December 25th, 11:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ પર તેમના સ્મૃતિ સ્થળ 'સદૈવ અટલ' ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું કે અટલજીનું જીવન જનસેવા અને રાષ્ટ્રસેવા માટે સમર્પિત હતું અને તેઓ હંમેશા દેશના લોકોને પ્રેરણા આપતા રહેશે.પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
December 25th, 08:43 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું કે તેમણે પોતાનું આખું જીવન સુશાસન અને રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત કર્યું. શ્રી મોદીએ કહ્યું, તેમને હંમેશા એક કુશળ વક્તા તરીકે જ નહીં પરંતુ એક ઉત્સાહી કવિ તરીકે પણ યાદ કરવામાં આવશે. તેમનું વ્યક્તિત્વ, કાર્ય અને નેતૃત્વ દેશના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શક પ્રકાશ બની રહેશે.પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
December 23rd, 09:39 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન ચૌધરી ચરણસિંહજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે સમાજના વંચિત વર્ગોના કલ્યાણ તેમજ કૃષિની પ્રગતિ અને ખેડૂતોની સમૃદ્ધિ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને કૃતજ્ઞ રાષ્ટ્ર ક્યારેય ભૂલી શકે નહીં., એમ શ્રી મોદીએ કહ્યું.