સંસદના ચોમાસુ સત્ર 2025ના પ્રારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 21st, 10:30 am

આ ચોમાસું સત્ર રાષ્ટ્ર માટે ખૂબ જ ગર્વનું સત્ર છે. આ ચોમાસું સત્ર રાષ્ટ્ર માટે વિજય ઉજવણીનું એક સ્વરૂપ છે. અને જ્યારે હું કહું છું કે આ સત્ર રાષ્ટ્રીય ગૌરવ અને વિજય ઉજવણીનું સત્ર છે, ત્યારે સૌ પ્રથમ હું કહેવા માંગુ છું કે, આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પ્રથમ વખત ભારતીય ત્રિરંગો ધ્વજ લહેરાવવો એ દરેક દેશવાસી માટે ગર્વની ક્ષણ છે. આ એક સફળ યાત્રા રહી છે જેણે દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, નવીનતા પ્રત્યે નવો ઉત્સાહ અને ઉમંગ જગાવ્યો છે. હવે સમગ્ર સંસદ, લોકસભા અને રાજ્યસભા બંને ગૃહો, દેશવાસીઓ એક સ્વરમાં એક થઈને ગર્વ અનુભવશે, એક સ્વરમાં તેના ગુણગાન ગાશે, જે ભવિષ્યના કાર્યક્રમો માટે પ્રેરણા અને પ્રોત્સાહન પણ હશે જે ભારતને અવકાશમાં નવી ઊંચાઈઓ પર લઈ જશે.

ચોમાસુ સત્ર 2025ના પ્રારંભ સમયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું નિવેદન

July 21st, 09:54 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદ સંકુલમાં ચોમાસુ સત્ર 2025ની શરૂઆત પહેલા મીડિયાને સંબોધન કર્યું હતું. ચોમાસુ સત્રમાં સૌનું સ્વાગત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ચોમાસુ નવીનતા અને નવીનીકરણનું પ્રતીક છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે દેશભરમાં વર્તમાન હવામાન પરિસ્થિતિઓ અનુકૂળ રહે છે અને કૃષિ માટે ફાયદાકારક આગાહી રજૂ કરે છે. તેમણે કહ્યું હતું કે વરસાદ માત્ર ગ્રામીણ અર્થતંત્ર અને દેશના એકંદર આર્થિક માળખામાં જ નહીં, પરંતુ દરેક પરિવારના નાણાકીય સુખાકારીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શ્રી મોદીએ કહ્યું હતું કે વર્તમાન માહિતીના આધારે, છેલ્લા દસ વર્ષની સરખામણીમાં આ વર્ષે જળાશયોનું સ્તર ત્રણ ગણું વધ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વધારાથી આવનારા દિવસોમાં ભારતના અર્થતંત્ર માટે નોંધપાત્ર ફાયદા થશે.

'મન કી બાત'ના 123મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (29.06.2025)

June 29th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સૌનું સ્વાગત છે, અભિનંદન છે. આપ સૌ આ સમયે યોગની ઉર્જા અને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની સ્મૃતિઓથી ભરેલા હશો. આ વખતે પણ 21 જૂનના દિવસે દેશ અને દુનિયાના કરોડો લોકોએ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'માં ભાગ લીધો. તમને યાદ છે, આજથી દસ વર્ષ પહેલા તેની શરૂઆત થઈ હતી. હવે દસ વર્ષમાં આ સિલસિલો દર વર્ષે વધુને વધુ ભવ્ય બની રહ્યો છે. આ એનો પણ સંકેત આપે છે કે વધુને વધુ લોકો તેમના રોજિંદા જીવનમાં યોગ અપનાવી રહ્યા છે. આ વખતે આપણે 'યોગ દિવસ'ની ઘણી આકર્ષક તસવીરો જોઈ છે. વિશાખાપટ્ટનમના દરિયા કિનારે ત્રણ લાખ લોકોએ એક સાથે યોગ કર્યા. વિશાખાપટ્ટનમથી જ એક અદ્ભુત દ્રશ્ય સામે આવ્યું, બે હજારથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓએ 108 મિનિટ સુધી 108 સૂર્ય નમસ્કાર કર્યા. વિચારો કે કેટલી શિસ્ત અને સમર્પણ રહ્યું હશે. આપણા નૌકાદળના જહાજો પર પણ, યોગની ભવ્ય ઝલક જોવા મળી. તેલંગાણામાં ત્રણ હજાર દિવ્યાંગ સાથીઓએ સાથે મળીને યોગ શિબિરમાં ભાગ લીધો. તેમણે બતાવ્યું કે યોગ કેવી રીતે સશક્તિકરણનું માધ્યમ પણ છે.