કેબિનેટે આસામમાં NH-15 પર મંગલદોઈ બાયપાસ (15.11 કિમી) સિવાય ગુવાહાટી નજીક બાઇહાટા ચારિયાલીથી તેઝપુર સુધીના 135.87 કિમીના કુલ પ્રોજેક્ટ લંબાઈ ધરાવતા રૂ. 8970.20 કરોડના 4 લેન હાઇવેના નિર્માણને મંજૂરી આપી

August 06th, 04:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે આસામમાં NH-15 ના 135.871 કિમી લાંબા, 4-લેન એક્સેસ-કંટ્રોલ્ડ ગુવાહાટી-તેઝપુર કોરિડોરના વિકાસને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ NH(O) 6હેઠળ રૂ. 8970.20 કરોડના કુલ મૂડી ખર્ચે બિલ્ટ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT) ટોલ મોડ પર વિકસાવવામાં આવશે.

Participants of Viksit Vibrant Village Programme share their experiences with PM Modi

July 26th, 10:27 pm

PM Modi interacts with participants of the Viksit Vibrant Village Programme 2026, as MYBharat volunteers share inspiring stories from India's border villages. Participants recount how the journey transformed their perspectives through interactions with local communities, firsthand experiences of life in border villages and a deeper understanding of the spirit of Ek Bharat, Shreshtha Bharat

વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 દરમિયાન પીએમના સંબોધનનો મૂળપાઠ

July 26th, 05:00 pm

સાથીઓ, વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ દરમિયાન મેં એક વિચાર યુવાનો સમક્ષ રાખ્યો હતો. વિચાર એ હતો કે કેમ નહીં યુવા સાથીઓ વર્ચ્યુઅલ માધ્યમના બદલે જમીન પર ઊતરીને ભારતને જાણે, ભારત સાથે જોડાય, ભારતને જીવવાનો પ્રયાસ કરે, ભારતને સમજે. ભારતના ગામડાઓમાં વિકસિત થવા માટે કેટલી આકાંક્ષાઓ છે એ ગામડાઓમાં જઈને ખબર પડે છે અને આપણા સીમાવર્તી ગામડાઓમાં વિકાસની આકાંક્ષા અને દેશભક્તિની ભાવના એ આપણે બરાબર - બરાબર અને ક્યારેક તો લાગે છે કે તેમના માટે પોતાનાથી વધુ દેશ હોય છે. દેશ પહેલાં બાકી બધી સુવિધાઓ પછી, આ આપણને સીમાવર્તી ગામડાઓમાં ખાસ અનુભવાય છે. અને એટલા માટે ઉદ્દેશ્ય એ હતો કે દેશના અલગ-અલગ જિલ્લાના યુવાનો હિમાચલ, ઉત્તરાખંડ અને લદાખના ગામડાઓની યાત્રા કરે. ત્યાં લોકો કેવી રીતે રહે છે? ખાનપાન કેવું છે? કામકાજ, સંસ્કૃતિ, જીવન વ્યવહાર આ બધી વાતો શું છે? પડકારો શું છે? દેશના પ્રથમ ગામમાં બેઠેલા લોકો દેશની સુરક્ષા માટે કેટલા જાગરૂક છે? દેશના અન્ય ભાગોથી તેમનો લગાવ, નિકટતા કેટલી છે? આ બધી બાબતોનો અનુભવ મારા દેશના નવજુવાનોને મળે. આ અમારો ઉદ્દેશ્ય હતો. અને જે ઉત્સાહ આખા દેશના યુવાનોમાં દેખાયો, તે અદ્ભુત છે. લગભગ 3 લાખ યુવાનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને તેમાંથી 400 થી વધુ યુવાનોની પસંદગી થઈ. આપ સૌ એક સપ્તાહ સુધી આ દૂર-સુદૂરના ગામડાઓમાં રહ્યા. અજાણી જગ્યા હતી તમારા માટે. તમે ત્યાંના જીવનને જીવવાનો પ્રયાસ કર્યો. તમે તેની અંદર ભળી ગયા. પોતાની સંસ્કૃતિને ત્યાંની સંસ્કૃતિ સાથે જોડી, કનેક્ટ કરી. એક ભારત શ્રેષ્ઠ ભારતનું આનાથી અને આનાથી ઉત્તમ ઉદાહરણ કદાચ જ કોઈ બીજું હોઈ શકે.

PM Modi Interacts with Participants of Viksit Vibrant Village Programme 2026

July 26th, 04:30 pm

PM Modi today interacted with participants of the Viksit Vibrant Village Programme 2026, lauding the young friends of MY Bharat for their commendable work across the country. He highlighted the official redesignation of border settlements from the 'last' to the 'first villages' of India, noted the newly established infrastructure and praised the local inhabitants for living and breathing patriotism.

કેબિનેટે કર્ણાટક અને આંધ્ર પ્રદેશના ત્રણ જિલ્લાઓને આવરી લેતા એક મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી, જે ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 46 કિમીનો વધારો કરશે

July 24th, 04:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે ​​કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં બલ્લારી - ગુંટકલ સેક્શનની ત્રીજી અને ચોથી લાઇનને કુલ ₹1,264 કરોડ (અંદાજે) ના ખર્ચે મંજૂરી આપી છે.

The party governing Punjab today has neither clean intentions nor honesty: PM Modi in Jalandhar

July 17th, 04:31 pm

PM Modi addressed a massive public rally in Jalandhar, Punjab, where he highlighted the transformation of India's railway infrastructure, outlined the BJP's vision for a Viksit Punjab and called for a double-engine government to unlock the state's full potential. He also spoke about the growing opportunities for Punjab's youth through India's emerging sports economy.

PM addresses an energy-packed public rally in Jalandhar, Punjab

July 17th, 04:30 pm

PM Modi addressed a massive public rally in Jalandhar, Punjab, where he highlighted the transformation of India's railway infrastructure, outlined the BJP's vision for a Viksit Punjab and called for a double-engine government to unlock the state's full potential. He also spoke about the growing opportunities for Punjab's youth through India's emerging sports economy.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના જલંધરથી ₹5,470 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું.

July 17th, 03:45 pm

પંજાબના જલંધરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ₹5,470 કરોડથી વધુના રેલવે અને માર્ગ આધારભૂત સુવિધા સંબંધિત વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. આ પ્રોજેક્ટ્સનો હેતુ કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવાનો, મુસાફરોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો તેમજ સમગ્ર પ્રદેશના આર્થિક વિકાસને વધુ ગતિ આપવાનો છે.

ચંદીગઢ ખાતે વિવિધ વિકાસ પરિયોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 17th, 02:08 pm

સાથીઓ, વિતેલા વર્ષોમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ, સ્માર્ટ પાર્કિંગ અને ડિજિટલ ગવર્નન્સ, ચંદીગઢને હાઇટેક બનાવવા માટે આવા કેટલાય પ્રોજેક્ટ્સ પર કામ થયું છે. અઢી હજાર કરોડથી વધુ રૂપિયા આ મિશનમાં ખર્ચાયા છે. આજે પણ અહીં હેલ્થ, એજ્યુકેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા વિકાસના કેટલાય કાર્યો શરૂ થઈ રહ્યા છે. હું આના માટે તમામ ચંદીગઢ વાસીઓને અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચંદીગઢમાં આરોગ્યસંભાળ, શિક્ષણ અને માર્ગ માળખાકીય સુવિધાઓને આવરી લેતા ₹4,700 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યા

July 17th, 01:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચંદીગઢમાં આરોગ્યસંભાળ, શિક્ષણ અને માર્ગ માળખાકીય સુવિધાઓને આવરી લેતા ₹4,700 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. વ્યવસ્થિત રાષ્ટ્રીય પ્રગતિ માટેના એક અનુકરણીય મોડેલ તરીકે આ શહેરના વિશિષ્ટ દરજ્જા પર પ્રકાશ પાડતા, તેમણે વધુ સારી જીવનશૈલી અને જીવનની સરળતા (ઇઝ ઓફ લિવિંગ) સુનિશ્ચિત કરવા માટેની તેની પ્રતિષ્ઠા પર ભાર મૂક્યો હતો. આ પ્રદેશ પર મા ચંડીની દૈવી કૃપાનો સ્વીકાર કરતા, તેમણે તેના સતત, માળખાકીય વિકાસ માટે શાસક વહીવટીતંત્રની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. ચંદીગઢનો વિકાસ હંમેશા વર્તમાન સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહ્યો છે, શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

હરિયાણાના જીંદ ખાતે વિવિધ વિકાસ પરિયોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 17th, 12:00 pm

સાથીઓ, જિંદની આ ગૌરવશાળી ભૂમિ પરથી, આપ સૌને મારા રામ-રામ! આજે આ પવિત્ર ધરતી પર આવીને મન પ્રસન્ન થઈ ગયું છે. આ કોઈ સાધારણ ધરતી નથી. આ ધરતી ઇતિહાસ, વીરતા, ધર્મ અને ગૌરવની ધરતી છે. શક્તિપીઠ માતા જયંતિયાના નામ અને આશીર્વાદ આ શહેર પર બનેલા રહે છે. અને મારા માટે તો જિંદ આવવું, જૂની યાદોની બારી ખોલવા જેવું છે. હું અહીં બેઠા બેઠા કેટલાક જૂના ચહેરા જોઈ રહ્યો હતો, બધા પરિચિત ચહેરા, ઘણા લોકો તો એવો દાવો પણ કરતા હશે, કે હું તેમના સ્કૂટર પર જિંદમાં આવ્યો કરતો હતો. કેટલાક દાયકાઓ પહેલા, હું સંગઠનના કામથી પહેલીવાર જિંદ આવ્યો હતો. પછી આપ લોકોએ મને જે આત્મીયતા જેવો ભાવ આપ્યો, જે પ્રેમ આપ્યો, તે આજે પણ હું ભૂલ્યો નથી. મુર્રાહ ભેંસનું દૂધ-દહીં અને ઘી, જિંદનું દેશી બૂરું (ખાંડ), અને અહીંનું ઘેવર, આ એવી યાદો છે, જે જિંદ સાથે જોડાઈ જ જાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના જીંદમાં અંદાજે ₹14,700 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

July 17th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના જીંદમાં અંદાજે ₹14,700 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. ઘટનાસ્થળે પહોંચતા જ ઊંડો આનંદ વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ શક્તિપીઠ માતા જયંતીના વિશિષ્ટ આશીર્વાદ ધરાવતા આ પ્રદેશના સમૃદ્ધ ઐતિહાસિક, લડાયક અને આધ્યાત્મિક વારસા પર પ્રકાશ પાડ્યો હતો. સંગઠનાત્મક ફરજો માટે દાયકાઓ પહેલાં આ શહેરની તેમની શરૂઆતની મુલાકાતોને યાદ કરતાં, તેમણે મુર્રાહ ભેંસની ડેરી, દેશી બુરા અને ઘેવર જેવી સ્થાનિક ખાદ્ય ચીજો સાથે જોડાયેલા અવિસ્મરણીય સ્નેહને પ્રેમપૂર્વક યાદ કર્યો હતો. આ કોઈ સામાન્ય ભૂમિ નથી; આ ઇતિહાસ, બહાદુરી, ધર્મ અને અપાર ગૌરવની ગહન ભૂમિ છે, શ્રી મોદીએ અવલોકન કર્યું હતું.

પ્રધાનમંત્રી 17મી જુલાઈએ હરિયાણા, ચંદીગઢ અને પંજાબની મુલાકાત લેશે

July 15th, 06:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17મી જુલાઈ 2026 ના રોજ હરિયાણા, ચંદીગઢ અને પંજાબની મુલાકાત લેશે. આશરે સવારે 11 વાગ્યે, પ્રધાનમંત્રી જિંદ રેલવે સ્ટેશન ખાતે જિંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરશે. આશરે સવારે 11:30 વાગ્યે, પ્રધાનમંત્રી જિંદના એકલવ્ય સ્ટેડિયમ ખાતે આશરે ₹14,700 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે.

ભારત-ન્યુઝીલેન્ડ બિઝનેસ ઇવેન્ટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 11th, 08:20 am

ઓકલેન્ડમાં આપ સૌની વચ્ચે આવીને મને ખૂબ આનંદ થાય છે. હું પ્રધાનમંત્રી લક્સનનો તેમના સકારાત્મક વિચારો અને ભારત પ્રત્યેની તેમની ઊંડી પ્રતિબદ્ધતા બદલ ખાસ આભાર વ્યક્ત કરું છું.

Prime Minister addresses business leaders in New Zealand

July 11th, 08:16 am

PM Modi interacted with leading CEOs and business leaders from India and New Zealand, highlighting the vast opportunities for trade, investment and innovation. He invited New Zealand businesses to partner India's growth story and help achieve the shared goal of doubling bilateral trade to NZD 7 billion by 2030.

ભારત-ન્યૂઝીલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારી અને 2030 સુધીનો રોડમેપ

July 11th, 08:06 am

ભારત અને ન્યૂઝીલેન્ડે તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કર્યા છે, જે વેપાર, સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા, પ્રવાસન, સંસ્કૃતિ, રમતગમત, એગ્રી-ટેક, લોકો વચ્ચેના સંબંધો તેમજ ઈન્ડો-પેસિફિક પ્રાથમિકતાઓ અને બહુપક્ષીય મુદ્દાઓ પર સંકલનને મજબૂત બનાવે છે. રોડમેપ ટૂ 2030 આગામી ચાર વર્ષ માટે સંબંધિત મંત્રાલયો અને હિતધારકોમાં ભારત-ન્યૂઝીલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારીના સુવ્યવસ્થિત અમલીકરણને માર્ગદર્શન આપવા માટે એક વ્યૂહાત્મક રોડમેપ પૂરો પાડે છે.

પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની ન્યુઝીલેન્ડની સત્તાવાર મુલાકાત

July 11th, 08:03 am

સંવાદ, સંકલન, માહિતીનું આદાન-પ્રદાન અને સંયુક્ત પ્રવૃત્તિઓ દ્વારા ઈન્ડો-પેસિફિકમાં ઉન્નત દરિયાઈ સહયોગ માટે એક માળખું સ્થાપિત કરે છે.

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીના પ્રેસ નિવેદનનો મૂળપાઠ

July 09th, 11:15 am

2022 માં હસ્તાક્ષર કરાયેલ આર્થિક સહકાર અને વેપાર કરાર (ECTA) એ આપણા વેપાર અને રોકાણના વ્યાપને સતત વિસ્તૃત કર્યો છે. અમે હવે વ્યાપક આર્થિક સહકાર કરાર (CECA) પર કામ ઝડપી બનાવવાનો નિર્ણય લીધો છે, જે બંને રાષ્ટ્રો માટે સંતુલિત, મહત્વાકાંક્ષી અને પરસ્પર ફાયદાકારક રહેશે. અમે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર પણ ઝડપથી આગળ વધીશું.

ઇન્ડોનેશિયામાં સમુદાય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું સંબોધન

July 07th, 11:47 pm

આજે મારું સંબોધન શરૂ કરતા પહેલા, હું રાષ્ટ્રપતિ પ્રબોવોનો તેમના સ્નેહ અને શબ્દો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.

પ્રધાનમંત્રીએ જકાર્તામાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કર્યા

July 07th, 05:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જકાર્તામાં ભારતીય સમુદાયના એક સ્વાગત સમારોહમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમના આગમન પર, ભારતીય પ્રવાસીઓ અને ભારતના ઇન્ડોનેશિયન મિત્રોની વિશાળ જનમેદની દ્વારા તેમનું ભવ્ય અને ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એક વિશેષ આદરના પ્રતીક રૂપે, ઇન્ડોનેશિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પ્રબોવો સુબિયાન્ટો પણ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે જોડાયા હતા.