તમિલનાડુના થુથુકુડીમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

July 26th, 08:16 pm

તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિજી, મારા મંત્રીમંડળના સાથીદારો કિંજારપુ રામમોહન નાયડુજી, ડૉ. એલ. મુરુગનજી, તમિલનાડુના મંત્રી થંગમ ટેન્નારાસુજી, ડૉ. ટી.આર.બી. રાજાજી, પી. ગીતા જીવનજી, અનિતા આર. રાધાકૃષ્ણનજી, સાંસદ કનિમોઝીજી, તમિલનાડુ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને અમારા ધારાસભ્ય નયનર નાગેન્દ્રનજી, અને તમિલનાડુના મારા ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના થુથુકુડીમાં 4800 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને શુભારંભ કર્યો.

July 26th, 07:47 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના થુથુકુડીમાં ₹4800 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યું. વિવિધ ક્ષેત્રોમાં અનેક સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ્સ પ્રાદેશિક જોડાણમાં નોંધપાત્ર વધારો કરશે, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં વધારો કરશે, સ્વચ્છ ઉર્જા માળખાગત સુવિધાને મજબૂત બનાવશે અને તમિલનાડુના નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરશે. કારગિલ વિજય દિવસ નિમિત્તે, શ્રી મોદીએ કારગિલના વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી અને વીર યોદ્ધાઓને સલામ કરી અને રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી.

તુતીકોરિન ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલના ઉદ્ઘાટન સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ

September 16th, 02:00 pm

કેબિનેટમાં મારા સાથીદારો, સર્વાનંદ સોનોવાલજી, શાંતનુ ઠાકુરજી, તુત્તુક્કુડી પોર્ટના અધિકારીઓ-કર્મચારીઓ અને દેવીઓ અને સજ્જનો,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુનાં તુતીકોરિન આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલનાં ઉદઘાટન પ્રસંગે સંબોધન કર્યું

September 16th, 01:52 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે તુતીકોરિન ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલના ઉદ્ઘાટનને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે ભારતની વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાંની સફરમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે તથા તેમણે નવા તુતીકોરિન ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલને 'ભારતનાં દરિયાઇ માળખાનાં નવા સિતારા' તરીકે બિરદાવ્યું હતું. વી.ઓ. ચિદમ્બરનાર બંદરગાહની ક્ષમતા વધારવામાં પોતાની ભૂમિકા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 14 મીટરથી વધારે ઊંડો ડ્રાફ્ટ અને 300 મીટરની લંબાઈ ધરાવતી બર્થની સાથે આ ટર્મિનલ વીઓસી બંદરની ક્ષમતા વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે નવા ટર્મિનલથી બંદર પર લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થવાની અને ભારત માટે વિદેશી વિનિમયની બચત થવાની અપેક્ષા છે. તેમણે તમિલનાડુનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં અને વીઓસી બંદર સાથે સંબંધિત કેટલાંક પ્રોજેક્ટને યાદ કર્યા હતાં, જેની શરૂઆત બે વર્ષ અગાઉ તેમની મુલાકાત દરમિયાન થઈ હતી. તેમણે ઝડપથી પૂર્ણ થવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટર્મિનલની મુખ્ય સિદ્ધિઓમાંની એક છે લૈંગિક વિવિધતા પ્રત્યેની તેની કટિબદ્ધતા, જેમાં 40 ટકા કર્મચારીઓ મહિલાઓ છે, જે દરિયાઈ ક્ષેત્રમાં મહિલાઓનાં નેતૃત્વમાં વિકાસનું પ્રતીક છે.