વૈશ્વિક પડકારો વચ્ચે, દરેક ભારતીયને પ્રધાનમંત્રી મોદીની જોરદાર અપીલ

May 10th, 08:39 pm

પ્રધાનમંત્રી મોદીએ હૈદરાબાદમાં એક જાહેર રેલીને સંબોધિત કરી, જ્યાં તેમણે તાજેતરના સંઘર્ષો અને પુરવઠા શૃંખલા વિક્ષેપોને કારણે ઉદ્ભવતા વૈશ્વિક આર્થિક પડકારોને સંબોધિત કર્યા અને ભારતની સ્થિતિસ્થાપકતાને મજબૂત કરવા માટે સામૂહિક રાષ્ટ્રીય જવાબદારીનું આહ્વાન કર્યું. તેમણે નાગરિકોને આયાત પર દબાણ ઘટાડવા અને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે ઇંધણનો વપરાશ ઘટાડવા, કારપૂલિંગને પ્રોત્સાહન આપવા, જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રાથમિકતા આપવાનો આગ્રહ કર્યો.

People are fed up off Congress and BRS' politics of nepotism: PM Modi in Hyderabad

May 10th, 06:05 pm

PM Modi addressed a massive public rally in Hyderabad, Telangana, where he spoke on India’s rising global stature, the significance of BJP’s recent electoral victories and the country’s collective responsibility during ongoing global economic and geopolitical challenges.

PM Modi’s massive rally in Hyderabad focuses on self-reliance and a Viksit Telangana

May 10th, 06:00 pm

PM Modi addressed a massive public rally in Hyderabad, Telangana, where he spoke on India’s rising global stature, the significance of BJP’s recent electoral victories and the country’s collective responsibility during ongoing global economic and geopolitical challenges.

There is no chapter on governance in Congress’ book of power: PM Modi in Bengaluru

May 10th, 09:46 am

Prime Minister Narendra Modi today addressed a massive public meeting in Bengaluru, Karnataka and hailed the BJP’s growing support across southern India, asserting that the people of the country are choosing ‘stability, speed and solutions’ over instability and scams. He said that today, a saffron sun has risen from the land of Bengaluru.

PM Modi addresses a mega public meeting in Bengaluru, Karnataka

May 10th, 09:45 am

Prime Minister Narendra Modi today addressed a massive public meeting in Bengaluru, Karnataka and hailed the BJP’s growing support across southern India, asserting that the people of the country are choosing ‘stability, speed and solutions’ over instability and scams. He said that today, a saffron sun has risen from the land of Bengaluru.

The greatest pride of my life is that I am a karyakarta of the Bharatiya Janata Party: PM Modi at BJP HQ

January 20th, 11:16 am

Prime Minister Narendra Modi today addressed party leaders and karyakartas during the felicitation ceremony of the newly elected BJP President, Nitin Nabin, at the party headquarters in New Delhi. Congratulating Nitin Nabin, the Prime Minister said, “The organisational election process reflects the BJP’s commitment to internal democracy, discipline and a karyakarta-centric culture. I congratulate karyakartas across the country for strengthening this democratic exercise.”

PM Modi addresses BJP karyakartas at felicitation of New Party President

January 20th, 11:15 am

Prime Minister Narendra Modi today addressed party leaders and karyakartas during the felicitation ceremony of the newly elected BJP President, Nitin Nabin, at the party headquarters in New Delhi. Congratulating Nitin Nabin, the Prime Minister said, “The organisational election process reflects the BJP’s commitment to internal democracy, discipline and a karyakarta-centric culture. I congratulate karyakartas across the country for strengthening this democratic exercise.”

પ્રધાનમંત્રીએ કવિ અને વિચારક એન્ડે શ્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો

November 10th, 03:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત કવિ અને વિચારક એન્ડે શ્રીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે એન્ડે શ્રીના નિધનથી આપણા સાંસ્કૃતિક અને બૌદ્ધિક ક્ષેત્રમાં ઊંડો શૂન્યાવકાશ છવાઈ ગયો છે. શ્રી મોદીએ કહ્યું, તેમના વિચારો તેલંગાણાના આત્માને પ્રતિબિંબિત કરતા હતા. એક પ્રબળ કવિ અને વિચારક તરીકે, તેઓ લોકોના સંઘર્ષ, આકાંક્ષાઓ અને અમર ભાવનાને વ્યક્ત કરતા હતા. તેમના શબ્દોમાં હૃદયને સ્પર્શવા, લોકોને એક કરવાની અને સમાજના સામૂહિક હૃદયના ધબકારાને આકાર આપવાની શક્તિ હતી. તેમણે જે રીતે સામાજિક ચેતનાને કાવ્યાત્મક સુંદરતા સાથે મિશ્રિત કરી હતી તે નોંધપાત્ર હતું.

તેલંગાણાના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

June 30th, 03:22 pm

તેલંગાણાના રાજ્યપાલ શ્રી જિષ્ણુ દેવ વર્માએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

તેલંગાણાના સંગારેડીમાં એક ફેક્ટરીમાં આગ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

June 30th, 02:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના સંગારેડીમાં એક ફેક્ટરીમાં આગ દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે દરેક મૃતકના પરિવારજનો માટે પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી.

'મન કી બાત'ના 123મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (29.06.2025)

June 29th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સૌનું સ્વાગત છે, અભિનંદન છે. આપ સૌ આ સમયે યોગની ઉર્જા અને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની સ્મૃતિઓથી ભરેલા હશો. આ વખતે પણ 21 જૂનના દિવસે દેશ અને દુનિયાના કરોડો લોકોએ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'માં ભાગ લીધો. તમને યાદ છે, આજથી દસ વર્ષ પહેલા તેની શરૂઆત થઈ હતી. હવે દસ વર્ષમાં આ સિલસિલો દર વર્ષે વધુને વધુ ભવ્ય બની રહ્યો છે. આ એનો પણ સંકેત આપે છે કે વધુને વધુ લોકો તેમના રોજિંદા જીવનમાં યોગ અપનાવી રહ્યા છે. આ વખતે આપણે 'યોગ દિવસ'ની ઘણી આકર્ષક તસવીરો જોઈ છે. વિશાખાપટ્ટનમના દરિયા કિનારે ત્રણ લાખ લોકોએ એક સાથે યોગ કર્યા. વિશાખાપટ્ટનમથી જ એક અદ્ભુત દ્રશ્ય સામે આવ્યું, બે હજારથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓએ 108 મિનિટ સુધી 108 સૂર્ય નમસ્કાર કર્યા. વિચારો કે કેટલી શિસ્ત અને સમર્પણ રહ્યું હશે. આપણા નૌકાદળના જહાજો પર પણ, યોગની ભવ્ય ઝલક જોવા મળી. તેલંગાણામાં ત્રણ હજાર દિવ્યાંગ સાથીઓએ સાથે મળીને યોગ શિબિરમાં ભાગ લીધો. તેમણે બતાવ્યું કે યોગ કેવી રીતે સશક્તિકરણનું માધ્યમ પણ છે.

મન કી બાત – (122મી કડી) પ્રસારણ તારીખ-25-05-2025

May 25th, 11:30 am

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે પૂરો દેશ આતંકવાદ વિરૂદ્ધ એક જૂથ છે, આક્રોશથી ભરેલો છે, સંકલ્પબદ્ધ છે, આજે દરેક ભારતીયનો એ જ સંકલ્પ છે કે, આપણે આતંકવાદનો ખાતમો બોલાવવાનો જ છે. સાથીઓ, ઓપરેશન સિંદૂર વખતે આપણી સેનાએ જે પરાક્રમ બતાવ્યું છે, તેનાથી દરેક હિંદુસ્તાનીનું માથું ઉંચું કરી દીધું છે. જે ચોકસાઇની સાથે, જે સટિકતાથી આપણી સેનાઓએ સરહદની પેલે પારના આતંકવાદી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા છે. તે અદભૂત છે. ઓપરેશન સિંદૂરે દુનિયાભરમાં આતંક વિરૂદ્ધની લડાઇને નવો વિશ્વાસ અને ઉત્સાહ આપ્યા છે.

પ્રધાનમંત્રીએ તેલંગાણાના હૈદરાબાદમાં આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

May 18th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણાના હૈદરાબાદમાં આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી છે.

તેલંગાણાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

February 26th, 01:35 pm

તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

‘મન કી બાત’ના 119મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ ( 23.02.2025)

February 23rd, 11:30 am

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં આપ સૌનુ સ્વાગત છે. હાલ ચેમ્પિયન્સ ટ્રોફી રમાઇ રહી છે, અને ચારે તરફ ક્રિકેટનું વાતવરણ છે. ક્રિકેટમાં સેન્ચૂરીનો રોમાંચ શું હોય છે એ તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ, પરંતુ આજે હું તમારા બધા સાથે ક્રિકેટ નહિં પણ ભારતે અંતરિક્ષમાં જે શાનદાર સદી નોંધાવી છે, તેની વાત કરવાનો છું. ગયા મહિને દેશ ઇસરોના એકસોમા રોકેટના પ્રક્ષેપણનો સાક્ષી બન્યો છે. આ કેવળ એક આંકડો નથી, પરંતુ તેનાથી અવકાશ વિજ્ઞાનમાં નિત નવી ઉંચાઇઓ હાંસલ કરવાના આપણા સંકલ્પનો પણ ખ્યાલ આપે છે. આપણી અવકાશયાત્રાની શરૂઆત બહુ જ સામાન્ય રીતે થઇ હતી. તેમાં ડગલેને પગલે પડકારો હતા, પરંતુ આપણા વૈજ્ઞાનિકો વિજય મેળવીને આગળ વધતા જ ગયા. સમયની સાથે અંતરિક્ષના આ ઉડ્ડયનમાં આપણી સફળતાઓની યાદી ખૂબ લાંબી થતી ગઇ છે. પ્રક્ષેપણ યાનનું નિર્માણ હોય, ચંદ્રયાનની સફળતા હોય, મંગળયાન હોય, આદિત્ય એલ-1 કે પછી એક જ રોકેટથી એક જ વારમાં એકસો ચાર ઉપગ્રહોને અવકાશમાં મોકલવાનું અભૂતપૂર્વ અભિયાન હોય, ઇસરોની સફળતાનું ક્ષેત્ર ઘણું મોટું રહ્યું છે. ગયા 10 વર્ષોમાં લગભગ 460 ઉપગ્રહો છોડવામાં આવ્યા. અને તેમાં બીજા દેશોના પણ ઘણા બધા ઉપગ્રહો સામેલ છે. તાજેતરના વર્ષોની એક મોટી બાબત એ પણ રહી છે કે, અવકાશ વિજ્ઞાનીઓની આપણી ટીમમાં નારી શક્તિની ભાગીદારી સતત વધી રહી છે. મને આ જોઇને પણ ખૂબ ખુશી થાય છે કે, આજે અવકાશ ક્ષેત્ર આપણા યુવાનો માટે ખૂબ માનીતું બની ગયું છે. થોડા વર્ષો પહેલા સુધી કોઇએ વિચાર્યું હશે કે, આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ અને ખાનગી ક્ષેત્રની અવકાશ કંપનીઓની સંખ્યા સેંકડોમાં પહોંચી જશે ! આપણા જે યુવાનો જીવનમાં કંઇક થ્રીલીંગ અને એકસાઇટીંગ કરવા ઇચ્છે છે, તેમના માટે અવકાશ ક્ષેત્ર એક સૌથી સરસ વિકલ્પ બની રહ્યો છે.

વિવિધ રેલ્વે પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 06th, 01:00 pm

તેલંગાણાના રાજ્યપાલ શ્રી જિષ્ણુ દેવ વર્માજી, ઓડિશાના રાજ્યપાલ શ્રી હરિ બાબુજી, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાજી, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લાજી, તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડીજી, ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માંઝીજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી અશ્વિની વૈષ્ણવજી, જી કિશન રેડ્ડીજી, ડો. જીતેન્દ્ર સિંહજી, વી સોમૈયાજી, રવનીત સિંહ બિટ્ટુજી, બંદી સંજય કુમારજી, અન્ય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ રેલવે પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

January 06th, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિવિધ રેલવે પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ નવા જમ્મુ રેલવે ડિવિઝનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે ઇસ્ટ કોસ્ટ રેલવેનાં રાયગડા રેલવે ડિવિઝન બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કર્યો હતો અને તેલંગાણામાં ચરલાપલ્લી ન્યૂ ટર્મિનલ સ્ટેશનનું ઉદઘાટન કર્યું હતું.

આજે વિશ્વભરના લોકો ભારત વિશે વધુ જાણવા માંગે છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી

October 27th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સહુનું સ્વાગત છે. જો તમે મને પૂછો કે મારા જીવનની સૌથી યાદગાર પળો કઈ-કઈ રહી તો અનેક ઘટના યાદ આવે છે, પરંતુ તેમાંથી એક પળ એવી છે, જે ખૂબ જ વિશેષ છે, તે પળ હતી, જ્યારે ગત વર્ષે 15 નવેમ્બરે હું ભગવાન બિરસા મુંડાની જયંતી પર તેમના જન્મસ્થળ ઝારખંડના ઉલિહાતૂ ગામ ગયો હતો. આ યાત્રાનો મારા પર ખૂબ જ મોટો પ્રભાવ પડ્યો હતો. હું દેશનો પ્રથમ પ્રધાનમંત્રી છું, જેને આ પવિત્ર ભૂમિની માટીને પોતાના મસ્તક પર લગાવવાનું સૌભાગ્ય મળ્યું. તે ક્ષણે, મને ન માત્ર સ્વતંત્રતા સંગ્રામની શક્તિ અનુભવાઈ, પરંતુ, આ ધરતીની શક્તિ સાથે જોડાવાનો પણ અવસર મળ્યો. મને એવી અનુભૂતિ થઈ કે એક સંકલ્પને પૂરા કરવાનું સાહસ કેવી રીતે દેશના કરોડો લોકોનું ભાગ્ય બદલી શકે છે.

કેબિનેટે રૂ. 6,798 કરોડનાં અંદાજિત ખર્ચ સાથેનાં બે પ્રોજેક્ટને મંજૂરી આપી છે અને કનેક્ટિવિટી પ્રદાન કરવા, મુસાફરીમાં સરળતા લાવવા, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા, ઓઇલ આયાત ઘટાડવા અને કાર્બન ડાયોકસાઇડનાં ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે પાંચ વર્ષમાં પૂર્ણ થશે

October 24th, 03:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઈએ)એ રેલવે મંત્રાલયની બે પરિયોજનાઓને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 6,798 કરોડ (અંદાજે) છે.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુના જીવન અને યાત્રા પરના પુસ્તકોના વિમોચન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

June 30th, 12:05 pm

આ કાર્યક્રમમાં હાજર અને આજના કાર્યક્રમનું કેન્દ્રબિંદુ અમારા વરિષ્ઠ સાથીદાર શ્રી વેંકૈયા નાયડુ ગારુ, તેમના પરિવારના સભ્યો, વિવિધ રાજ્યોના રાજ્યપાલો, વિવિધ રાજ્યોના મંત્રીઓ, અન્ય તમામ વરિષ્ઠ મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો.