પ્રધાનમંત્રીએ તેલંગાણાના સૂર્યપેટમાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

August 26th, 02:21 pm

પ્રધાનમંત્રીએ તેલંગાણાના સૂર્યપેટમાં થયેલા અકસ્માતમાં થયેલા જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. શ્રી મોદીએ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી.

આર્થિક રોડમેપ બિઝનેસ રિસેપ્શનમાં પ્રધાનમંત્રીનું સંબોધન

July 09th, 06:15 am

ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનો અને 2070 સુધીમાં નેટ ઝીરો સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી, મૂડી અને સંસાધનો આ સંક્રમણને વેગ આપી શકે છે.

Prime Minister addresses Australia-India CEOs Forum and Economic Roadmap Business event

July 09th, 06:00 am

PM Modi participated in the Australia-India CEOs Forum and the Economic Roadmap Business event in Melbourne. Addressing the CEOs Forum, he highlighted India's strong economic growth, policy reforms, digital transformation and expanding innovation ecosystem. Addressing the Economic Roadmap Business event, he expressed satisfaction at the growth of trade and investment ties based on ECTA and called for early conclusion of the proposed CECA.

તેલંગાણાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

June 11th, 06:10 pm

તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી રેવન્ત રેડ્ડીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

કેબિનેટે તેલંગાણામાં 190.76 કિમીની કુલ પ્રોજેક્ટ લંબાઈ અને રૂ. 7,597.16 કરોડના ખર્ચે રાષ્ટ્રીય રાજમાર્ગ (NH)-63 ના આર્મૂર-જગતિયાળ-મંચેરિયાળ સેક્શનને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર અને રાષ્ટ્રીય રાજમાર્ગ (NH)-563 ના જગતિયાળ-કરીમનગર સેક્શનને બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (ટોલ) [BOT (Toll)] પર 4-લેન સ્ટાન્ડર્ડમાં પહોળા કરવાની મંજૂરી આપી

June 03rd, 03:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે તેલંગાણામાં હાલના રાષ્ટ્રીય રાજમાર્ગ-63 (NH-63) ના આર્મૂર-જગતિયાળ-મંચેરિયાળ સેક્શનને હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર અને રાષ્ટ્રીય રાજમાર્ગ-563 (NH-563) ના જગતિયાળ-કરીમનગર સેક્શનને બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (ટોલ) [BOT (Toll)] પદ્ધતિ પર ત્રણ કાર્યકારી પેકેજો હેઠળ 4-લેન સ્ટાન્ડર્ડમાં પહોળા કરવાની મંજૂરી આપી છે, જેની સંયુક્ત કુલ લંબાઈ 190.76 કિમી અને સંયુક્ત કુલ મૂડી ખર્ચ રૂ. 7,597.16 કરોડ છે.

પ્રધાનમંત્રીએ તેલંગાણાના લોકોને રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

June 02nd, 09:27 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણા રાજ્ય સ્થાપના દિવસના ખાસ પ્રસંગે તેલંગાણાના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.

હૈદરાબાદમાં અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 10th, 03:45 pm

સાયબરાબાદનું સામર્થ્ય નેશનલ પણ છે અને ગ્લોબલ પણ છે. તે તેલંગાણાના અને દેશના ઝડપી વિકાસનું મુખ્ય કેન્દ્ર છે. તેથી, આજે સાયબરાબાદથી તેલંગાણાને દેશનું એક મોટું મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ બનાવવા માટે અનેક મોટા પ્રોજેક્ટ્સ શરૂ થઈ રહ્યા છે. આજે જે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે, તેનાથી અહીં હજારો નવા રોજગાર ઉભા થશે અને તેલંગાણાની કનેક્ટિવિટી પણ સશક્ત થશે. હું તેલંગાણાની જનતાને આ પ્રોજેક્ટ્સ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ, તેલંગાણામાં અંદાજે ₹9,400 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, લોકાર્પણ કર્યું અને રાષ્ટ્રને સમર્પિત કર્યા

May 10th, 03:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હૈદરાબાદ, તેલંગાણામાં અંદાજે ₹9,400 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, લોકાર્પણ કર્યું અને રાષ્ટ્રને સમર્પિત કર્યા. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય અને વૈશ્વિક બંને દ્રષ્ટિએ મહત્વના કેન્દ્ર તરીકે હૈદરાબાદના પરિવર્તનકારી મહત્વ પર ભાર મૂક્યો હતો. તેલંગાણા અને સમગ્ર દેશ માટે ઝડપી વિકાસ લાવવામાં આ પ્રદેશની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકતા, તેમણે આજે શરૂ કરાયેલા વિવિધ મોટા પાયાના પ્રોજેક્ટ્સ તેલંગાણાને એક મુખ્ય મેન્યુફેક્ચરિંગ હબ તરીકે કેવી રીતે સ્થાપિત કરશે તેની રૂપરેખા આપી હતી. આ પ્રોજેક્ટ્સના લોકાર્પણથી પ્રાદેશિક કનેક્ટિવિટી મજબૂત થવાની સાથે હજારો નવી રોજગારીની તકો ઊભી થશે તેની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ આ પ્રોજેક્ટ્સ માટે તેલંગાણાના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી 10 મેના રોજ કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે

May 09th, 11:17 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10 મે, 2026ના રોજ કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે. આશરે 11 વાગ્યે, પ્રધાનમંત્રી બેંગલુરુમાં ધ આર્ટ ઓફ લિવિંગની 45મી વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી થશે અને આ પ્રસંગે જનમેદનીને સંબોધિત કરશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી હૈદરાબાદ જશે અને આશરે 3 વાગ્યે, તેઓ આશરે ₹9,400 કરોડના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે. આશરે 3:45 વાગ્યે, પ્રધાનમંત્રી હૈદરાબાદમાં સિંધુ હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે.

કેબિનેટે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા રાજ્યોના 19 જિલ્લાઓને આવરી લેતા ત્રણ મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી; ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 901 કિલોમીટરનો વધારો થશે

May 05th, 07:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રેલવે મંત્રાલયના અંદાજે ₹23,437 કરોડના કુલ ખર્ચ ધરાવતા 03 (ત્રણ) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:

તેલંગાણાના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

April 10th, 01:40 pm

તેલંગાણાના રાજ્યપાલ શ્રી શિવ પ્રતાપ શુક્લાએ આજે ​​પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં પશ્ચિમ એશિયાના સંકટને દૂર કરવા માટે 140 કરોડ ભારતીયોની એકતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

March 29th, 11:30 am

આ મહિનાના મન કી બાત કાર્યક્રમમાં, વડાપ્રધાન મોદીએ પશ્ચિમ એશિયાના સંઘર્ષ વિશે વાત કરી અને કટોકટીને દૂર કરવા માટે એકતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે નાગરિકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરવા અને ફક્ત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી પર આધાર રાખવાની અપીલ કરી. પ્રધાનમંત્રીએ જ્ઞાન ભારતમ સર્વે, રમતગમત અને તંદુરસ્તી, જળ સંરક્ષણ, મત્સ્યઉદ્યોગ અને સૌર ઉર્જા જેવા મુખ્ય વિષયો પર પણ વાત કરી.

પ્રધાનમંત્રી 11મી માર્ચે કેરળ અને તમિલનાડુની મુલાકાત લેશે

March 09th, 09:54 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 માર્ચ, 2026 ના રોજ કેરળ અને તમિલનાડુની મુલાકાત લેશે. બપોરે આશરે 1:30 વાગ્યે, પ્રધાનમંત્રી એર્નાકુલમ, કેરળમાં આશરે ₹10,800 કરોડના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે, શિલાન્યાસ કરશે અને ફ્લેગ ઓફ કરશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન જનસભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ સાંજે આશરે 5:45 વાગ્યે, પ્રધાનમંત્રી તિરુચિરાપલ્લી, તમિલનાડુમાં આશરે ₹5,650 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનસભાને પણ સંબોધિત કરશે.

Cabinet approves the widening of National Highway-167 in Telangana worth Rs.3175.08 crore

February 14th, 01:00 pm

The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved the widening of National Highway-167 from Gudebellur to Mahabubnagar on the Hyderabad-Panaji Economic Corridor to 4-lane standards in Telangana, worth Rs. 3175.08 crore. It will provide seamless connectivity to key economic, social and logistics nodes across Telangana and provide employment opportunities.

પ્રધાનમંત્રી 23 જાન્યુઆરીએ કેરળની મુલાકાત લેશે

January 22nd, 02:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જાન્યુઆરી, 2026ના રોજ કેરળની મુલાકાત લેશે. સવારે લગભગ 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લીલી ઝંડી આપશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધન પણ કરશે.

ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પિપ્રહવા પવિત્ર અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 03rd, 12:00 pm

કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી, ગજેન્દ્ર સિંહ શેખાવતજી, કિરણ રિજિજુજી, રામદાસ અઠાવલેજી, રાવ ઇન્દ્રજીતજી, દિલ્હીના મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો, તેમને નીકળવું પડ્યું અને દિલ્હીના તમામ મંત્રીગણના સાથીઓ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાજી, Excellencies, Diplomatic communityના તમામ માનનીય સભ્યો, Buddhist Scholars, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

January 03rd, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ ખાતે ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, જેનું શીર્ષક “ધ લાઈટ એન્ડ ધ લોટસ: રેલિક્સ ઓફ ધ અવેકન્ડ વન” છે, તેનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે એકસો પચ્ચીસ વર્ષની રાહ જોયા બાદ ભારતનો વારસો પરત આવ્યો છે, ભારતની વિરાસત પાછી આવી છે. તેમણે હાઇલાઇટ કર્યું કે આજથી ભારતના લોકો ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોના દર્શન કરી શકશે અને તેમના આશીર્વાદ મેળવી શકશે. શ્રી મોદીએ આ પવિત્ર અવશેષોના આગમન પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે બૌદ્ધ પરંપરા સાથે સંકળાયેલા સાધુઓ અને ધર્મ આચાર્યો પણ ઉપસ્થિત છે અને તેમની પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ઉપસ્થિતિ આ કાર્યક્રમને નવી ઊર્જા આપી રહી છે. પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું કે 2026 ના પ્રારંભમાં જ આ શુભ ઉજવણી અત્યંત પ્રેરણાદાયી છે. તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભગવાન બુદ્ધના આશીર્વાદથી વર્ષ 2026 વિશ્વ માટે શાંતિ, સમૃદ્ધિ અને સંવાદિતાના નવા યુગની શરૂઆત કરે.

તેલંગાણાના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા

December 03rd, 02:25 pm

તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડી અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રી શ્રી ભટ્ટી વિક્રમાર્ક મલ્લુએ આજે ​​નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

હૈદરાબાદમાં વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 26th, 10:10 am

મારી પાસે સમય મર્યાદિત છે, કારણ કે મારે સંસદમાં હાજરી આપવાની છે અને રાષ્ટ્રપતિનો એક કાર્યક્રમ છે, તેથી હું લાંબી વાત કરીશ નહીં, પરંતુ કેટલીક ખાસ વાત કરી હું મારી વાત પુરી કરીશ. આજથી, ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર આગળ વધવાનું છે. આ નવી સફ્રાન સુવિધા ભારતને વૈશ્વિક MRO હબ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે. આ MRO સુવિધા હાઇ-ટેક એરોસ્પેસ વિશ્વમાં યુવાનો માટે નવી તકો પણ ઊભી કરશે. હું આપ સૌ, અને હમણાં 24 નવેમ્બરના રોજ સફ્રાન બોર્ડ અને મેનેજમેન્ટને મળ્યો હતો. હું તેમને પહેલા પણ મળ્યો છું, અને દરેક ચર્ચામાં, મેં ભારત પ્રત્યેનો તેમનો આત્મવિશ્વાસ અને આશાવાદ જોયો છે. મને આશા છે કે ભારતમાં સફ્રાનનું રોકાણ પણ આજ ગતિએ ચાલુ રહેશે. આજે, હું ટીમ સફ્રાનને આ સુવિધા માટે મારી શુભેચ્છાઓ પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા (SAESI) સુવિધાનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું

November 26th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર GMR એરોસ્પેસ અને ઇન્ડસ્ટ્રિયલ પાર્ક - SEZમાં સ્થિત Safran Aircraft Engine Services India (SAESI) સુવિધાનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું. આ અવસર પર પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું, આજથી, ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર એક નવી છલાંગ લગાવી રહ્યું છે. સફ્રાનની નવી સુવિધા ભારતને વૈશ્વિક જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) હબ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આ MRO સુવિધા હાઇ-ટેક એરોસ્પેસ ક્ષેત્રમાં યુવાનો માટે નવી તકો પણ ઉભી કરશે. તેમણે યાદ કર્યું કે તેઓ 24 નવેમ્બરના રોજ સફ્રાન બોર્ડ અને મેનેજમેન્ટને મળ્યા હતા અને કહ્યું કે અગાઉની દરેક વાતચીતમાં, તેમણે ભારત પ્રત્યે તેમનો વિશ્વાસ અને આશાવાદ જોયો હતો. તેમણે આશા વ્યક્ત કરી કે ભારતમાં સફ્રાનનું રોકાણ આ ગતિએ ચાલુ રહેશે. શુભેચ્છાઓ પાઠવતા, પ્રધાનમંત્રીએ ટીમ સફ્રાન ને આ નવી સુવિધા માટે અભિનંદન આપ્યા.