પ્રધાનમંત્રીએ ક્ષય રોગ સામેની લડાઈને મજબૂત બનાવવા માટે પાયાના સ્તરે થઈ રહેલા પ્રયાસોની પ્રશંસા કરી

March 26th, 03:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના ક્ષય રોગ નાબૂદ કરવાના મહત્વાકાંક્ષી મિશનમાં યોગદાન આપનારા દરેક વ્યક્તિનો હૃદયપૂર્વક આભાર માન્યો. તેમણે સ્વસ્થ અને ટીબી મુક્ત ભારત માટે માર્ગ મોકળો કરી રહેલા પાયાના સ્તરે થઇ રહેલા પ્રયાસોની વધતી ગતિ પર ભાર મૂક્યો.