
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ
January 25th, 01:00 pm
ભારતનાં પ્રથમ પ્રજાસત્તાક દિવસ પર ઇન્ડોનેશિયા આપણો મુખ્ય અતિથિ દેશ હતો. અને તે આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે કે, જ્યારે આપણે આપણો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ, ત્યારે ફરી એકવાર ઇન્ડોનેશિયાએ આ મહત્વપૂર્ણ પ્રસંગનો ભાગ બનવાનો ગૌરવપૂર્ણ સ્વીકાર કર્યો છે. આ પ્રસંગે હું ભારતમાં રાષ્ટ્રપતિ પ્રબોવોનું હાર્દિક સ્વાગત કરું છું.
કેબિનેટે જુલાઈ, 2024થી ડિસેમ્બર, 2028 સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKAY) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ મફત ફોર્ટિફાઇડ ચોખાનો પુરવઠો ચાલુ રાખવાની મંજૂરી આપી
October 09th, 03:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તેના વર્તમાન સ્વરૂપમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અને અન્ય કલ્યાણ યોજનાઓ વગેરે સહિત સરકારની તમામ યોજનાઓ હેઠળ ફોર્ટિફાઇડ ચોખાના સાર્વત્રિક પુરવઠાને જુલાઈ 2024થી અને ડિસેમ્બર 2028 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે.