પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સ્વરાજ કૌશલજીના નિધન પર શોક વ્યક્ત કર્યો

December 04th, 06:00 pm

શ્રી સ્વરાજ કૌશલ જીના નિધનથી દુઃખી છું. તેમણે એક વકીલ અને એવા વ્યક્તિ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી જે વંચિતોના જીવનને સુધારવા માટે કાનૂની વ્યવસાયનો ઉપયોગ કરવામાં માનતા હતા. તેઓ ભારતના સૌથી યુવાન રાજ્યપાલ બન્યા અને તેમના રાજ્યપાલ પદ દરમિયાન મિઝોરમના લોકો પર એક અમીટ છાપ છોડી. એક સંસદસભ્ય તરીકેના તેમના વિચારો પણ નોંધનીય હતા. આ દુઃખની ઘડીમાં મારા વિચારો તેમની પુત્રી બાંસુરી અને અન્ય પરિવારજનો સાથે છે. ઓમ શાંતિ.