
પ્રધાનમંત્રીએ શ્રી સુખદેવ સિંહ ધીંડસાજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
May 28th, 09:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી સુખદેવ સિંહ ધીંડસાજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેઓ મહાન બુદ્ધિમતા શાણપણ અને જાહેર સેવા પ્રત્યે અટલ પ્રતિબદ્ધતા ધરાવતા એક ઉત્કૃષ્ટ રાજનેતા હતા. તેમનો પંજાબ, તેના લોકો અને સંસ્કૃતિ સાથે હંમેશા પાયાના સ્તરે સંબંધ રહ્યો છે, શ્રી મોદીએ જણાવ્યું.