પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની સાઉદી અરબની રાજકીય મુલાકાત
April 23rd, 02:25 am
ભારત-સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ (SPC) ની નેતાઓની બીજી બેઠક 22 એપ્રિલ 2025ના રોજ જેદ્દાહમાં ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા સહ-અધ્યક્ષતામાં યોજાઈ હતી. પરિષદે SPC હેઠળ વિવિધ સમિતિઓ, પેટા સમિતિઓ અને કાર્યકારી જૂથોના કાર્યની સમીક્ષા કરી હતી. જેમાં રાજકીય, સંરક્ષણ, સુરક્ષા, વેપાર, રોકાણ, ઊર્જા, ટેકનોલોજી, કૃષિ, સંસ્કૃતિ અને લોકો-થી-લોકોના સંબંધોનો સમાવેશ થાય છે. ચર્ચાઓ પછી બંને નેતાઓ દ્વારા મિનિટ્સ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.પ્રધાનમંત્રીએ સાઉદી અરેબિયાના મહામહિમ ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી અને ભારત-સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની સહ-અધ્યક્ષતા કરી
April 23rd, 02:20 am
પ્રધાનમંત્રી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી મહામહિમ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સત્તાવાર વાટાઘાટો કરી અને ભારત-સાઉદી અરેબિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ (SPC) ની બીજી બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. એચઆરએચ ક્રાઉન પ્રિન્સે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાની સખત નિંદા કરી અને જીવ ગુમાવનારા નિર્દોષ લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ આતંકવાદ સામે સંપૂર્ણ તાકાતથી લડવાનો સંકલ્પ કર્યો હતો.વડાપ્રધાન મોદી સાઉદી અરેબિયાના જેદ્દાહ પહોંચ્યા
April 22nd, 04:29 pm
વડાપ્રધાન મોદી સાઉદી અરેબિયાના જેદ્દાહ પહોંચ્યા, જ્યાં તેઓ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર પહોંચ્યા. ખાસ સન્માન તરીકે, સાઉદી વાયુસેનાના જેટ્સે વડાપ્રધાન મોદીના વિમાનને સાઉદી હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા જ એસ્કોર્ટ કર્યું અને તેમની સાથે જેદ્દાહ ગયા. જેદ્દાહમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેઓ સાઉદી અરેબિયામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.ભારત-અમેરિકા સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન
February 14th, 04:57 am
સૌ પ્રથમ હું મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મારા શાનદાર સ્વાગત અને આતિથ્ય માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના નેતૃત્વ દ્વારા ભારત-અમેરિકા સંબંધોને પોષ્યા અને જીવંત કર્યા છે.પેરિસમાં ભારત-ફ્રાંસ સીઈઓ ફોરમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 12th, 12:45 am
આ રૂમમાં મને એક અદ્ભુત ઉર્જા, ઉત્સાહ અને ગતિશીલતાનો અનુભવ થાય છે. આ ફક્ત એક સામાન્ય વ્યવસાયિક ઘટના નથી. આ ભારત અને ફ્રાંસના શ્રેષ્ઠ ઉદ્યોગપતિઓનું સંગમ છે. સીઈઓ ફોરમનો હમણાં જ રજૂ કરાયેલો અહેવાલ આવકાર્ય છે. હું જોઉં છું કે તમે બધા ઇનોવેટ, કોલાબોરેટ અને એલેવેટના મંત્ર સાથે કામ કરી રહ્યા છો, તમે ફક્ત બોર્ડ રૂમ કનેક્શન્સ જ નથી બનાવી રહ્યા. તમે બધા ભારત-ફ્રાંસ વ્યૂહાત્મક ભાગીદારીને પણ મજબૂત બનાવી રહ્યા છો.પ્રધાનમંત્રીએ 14માં ભારત-ફ્રાંસ સીઇઓ ફોરમને સંબોધન કર્યું
February 12th, 12:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોને આજે પેરિસમાં 14માં ભારત – ફ્રાન્સ સીઇઓ ફોરમને સંયુક્તપણે સંબોધન કર્યું હતું. આ ફોરમ બંને પક્ષોની કંપનીઓના વિવિધ જૂથોના સીઇઓને એકમંચ પર લાવ્યું હતું, જેમાં સંરક્ષણ, એરોસ્પેસ, મહત્ત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અત્યાધુનિક ઉત્પાદન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, લાઇફ-સાયન્સિસ, વેલનેસ અને લાઇફસ્ટાઇલ તથા ફૂડ અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ
January 25th, 01:00 pm
ભારતનાં પ્રથમ પ્રજાસત્તાક દિવસ પર ઇન્ડોનેશિયા આપણો મુખ્ય અતિથિ દેશ હતો. અને તે આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે કે, જ્યારે આપણે આપણો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ, ત્યારે ફરી એકવાર ઇન્ડોનેશિયાએ આ મહત્વપૂર્ણ પ્રસંગનો ભાગ બનવાનો ગૌરવપૂર્ણ સ્વીકાર કર્યો છે. આ પ્રસંગે હું ભારતમાં રાષ્ટ્રપતિ પ્રબોવોનું હાર્દિક સ્વાગત કરું છું.જર્મનીના ચાન્સેલર સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીએ આપેલા અખબારી નિવેદનનો મૂળપાઠ
October 25th, 01:50 pm
સૌપ્રથમ તો હું ચાન્સેલર શોલ્ઝ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કરવા માગું છું. મને ખુશી છે કે છેલ્લાં બે વર્ષમાં અમને ત્રીજી વખત ભારતમાં તમારું સ્વાગત કરવાની તક મળી છે.સિંગાપોરના પ્રધાનમંત્રી સાથેની બેઠક દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળપાઠ
September 05th, 09:00 am
ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારું પ્રધાનમંત્રીનું પદ સંભાળ્યા પછીની આ અમારી પ્રથમ મુલાકાત છે. મારા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે 4Gના નેતૃત્વમાં સિંગાપોર વધુ ઝડપથી આગળ વધશે.પ્રધાનમંત્રીની બ્રુનેઈના મહામહિમ સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે બેઠક
September 04th, 12:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે બંદર સેરી બેગવાનમાં ઈસ્તાના નુરુલ ઈમાન પહોંચ્યા, જ્યાં બ્રુનેઈના મહામહિમ સુલતાન હાજી હસનલ બોલ્કિયાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથેની સંયુક્ત પ્રેસ મીટિંગમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન
May 24th, 06:41 am
ઓસ્ટ્રેલિયાની મારી મુલાકાત દરમિયાન મને અને મારા પ્રતિનિધિમંડળને આપવામાં આવેલ આતિથ્ય અને સન્માન માટે હું ઓસ્ટ્રેલિયાના લોકો અને પ્રધાનમંત્રી અલ્બેનીઝનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારા મિત્ર પ્રધાનમંત્રી અલ્બેનીઝની ભારત મુલાકાતના બે મહિનામાં હું ઓસ્ટ્રેલિયાની મુલાકાત લઈ રહ્યો છું. છેલ્લા એક વર્ષમાં આ અમારી છઠ્ઠી બેઠક છે.સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર ભારત ઉપર યોજાયેલા સેમિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 27th, 05:11 pm
મને ખુશી છે કે ભારતમાં સંરક્ષણ ઉત્પાદન સાથે જોડાયેલ તમામ મહત્વના હિસ્સેદારો આજે અહિયાં ઉપસ્થિત છે. આ સેમિનારના આયોજન માટે સંરક્ષણ મંત્રી રાજનાથજી અને તેમની આખી ટીમને હું ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. આજે અહિયાં થઈ રહેલા આ મંથનમાંથી જે પરિણામો મળશે, તેનાથી સંરક્ષણ ઉત્પાદનના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના આપણાં પ્રયાસોને જરૂરથી વેગ મળશે, ગતિ મળશે અને તમે બધાએ જે સૂચનો આપ્યા છે, આજે તમે એક સામૂહિક મંથન કર્યું છે, તે પોતાનામાં જ આવનારા દિવસોમાં ઘણું લાભદાયી સાબિત થશે.પ્રધાનમંત્રી મોદીએ સંરક્ષણ વિનિર્માણમાં આત્મનિર્ભર ભારત સેમીનારમાં સંબોધન કર્યું
August 27th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંરક્ષણ વિનિર્માણમાં આત્મનિર્ભર ભારત સેમીનારમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. સંરક્ષણ વિનિર્માણમાં આત્મનિર્ભર બનવા પર વિશેષ ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ સંરક્ષણ ક્ષેત્રમાં સંરક્ષણ ઉત્પાદનને વેગ આપવાનો, નવી ટેકનોલોજી વિકસાવવાનો અને ખાનગી કંપનીઓને મહત્વની ભૂમિકા આપવાનો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સાઉદી અરબની સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ (વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ) દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત કરશે
October 29th, 11:08 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત અને સાઉદી અરબ વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કોન્ફરન્સ (વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ)ની સમજૂતી પર હસ્તાક્ષર થયા પછી બંને દેશો વચ્ચે અગાઉથી મજબૂત સંબંધો વધારે ગાઢ બનશે.