કેબિનેટે શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સિવિલ એન્ક્લેવના વ્યાપક વિસ્તરણને મંજૂરી આપી

February 24th, 04:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રૂ. 1,677 કરોડના અંદાજિત ખર્ચે સૂચિત શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સિવિલ એન્ક્લેવના વિકાસને મંજૂરી આપી છે. તે કાશ્મીર ખીણમાં ઉડ્ડયન માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી મજબૂત કરવા માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ સાબિત થશે. પ્રોજેક્ટના કાર્યક્ષેત્રમાં સુરક્ષા કર્મચારીઓ માટે બેરેકના નિર્માણનો પણ સમાવેશ થાય છે. ભારતીય વાયુસેના (IAF) ના બડગામ એરબેઝની અંદર એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત આ એરપોર્ટ, જેને 2005 માં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું, તે શ્રીનગર શહેરથી આશરે 12 કિમી દૂર આવેલું છે.

પ્રધાનમંત્રીએ 'પ્રગતિ' (PRAGATI)ની 50મી બેઠકની અધ્યક્ષતા કરી

December 31st, 08:11 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'પ્રગતિ' (PRAGATI - Pro-Active Governance and Timely Implementation) – જે સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટેનું ICT-આધારિત મલ્ટી-મોડલ પ્લેટફોર્મ છે – તેની 50મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સહકારી અને પરિણામ-લક્ષી શાસનની એક દાયકા લાંબી સફરમાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ સીમાચિહ્નરેખા દર્શાવે છે કે કેવી રીતે ટેકનોલોજી-સક્ષમ નેતૃત્વ, રીઅલ-ટાઇમ મોનિટરિંગ અને સતત કેન્દ્ર-રાજ્ય સહયોગે રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને જમીન પર માપી શકાય તેવા પરિણામોમાં પરિવર્તિત કરી છે.

‘વોકલ ફોર લોકલ’ મન કી વાતમાં, પીએમ મોદીએ સ્વદેશી ગૌરવ સાથે તહેવારો ઉજવવા વિનંતી કરી

August 31st, 11:30 am

આ મહિનાના મન કી બાત સંબોધનમાં, વડાપ્રધાન મોદીએ પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને મદદ કરનારા સુરક્ષા દળો અને નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં રમતગમતના કાર્યક્રમો, સૌર ઉર્જા, 'ઓપરેશન પોલો' અને ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રસાર જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પીએમએ નાગરિકોને તહેવારોની મોસમ દરમિયાન મેડ-ઇન-ઇન્ડિયા ઉત્પાદનો ખરીદવા અને સ્વચ્છતા જાળવવાના મહત્વ વિશે વધુ યાદ અપાવ્યું.

તમિલનાડુના થુથુકુડીમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

July 26th, 08:16 pm

તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિજી, મારા મંત્રીમંડળના સાથીદારો કિંજારપુ રામમોહન નાયડુજી, ડૉ. એલ. મુરુગનજી, તમિલનાડુના મંત્રી થંગમ ટેન્નારાસુજી, ડૉ. ટી.આર.બી. રાજાજી, પી. ગીતા જીવનજી, અનિતા આર. રાધાકૃષ્ણનજી, સાંસદ કનિમોઝીજી, તમિલનાડુ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને અમારા ધારાસભ્ય નયનર નાગેન્દ્રનજી, અને તમિલનાડુના મારા ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના થુથુકુડીમાં 4800 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને શુભારંભ કર્યો.

July 26th, 07:47 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના થુથુકુડીમાં ₹4800 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યું. વિવિધ ક્ષેત્રોમાં અનેક સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ્સ પ્રાદેશિક જોડાણમાં નોંધપાત્ર વધારો કરશે, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં વધારો કરશે, સ્વચ્છ ઉર્જા માળખાગત સુવિધાને મજબૂત બનાવશે અને તમિલનાડુના નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરશે. કારગિલ વિજય દિવસ નિમિત્તે, શ્રી મોદીએ કારગિલના વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી અને વીર યોદ્ધાઓને સલામ કરી અને રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપનારા શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી.

પ્રધાનમંત્રી 20 થી 21 જૂન દરમિયાન બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે

June 19th, 05:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 થી 21 જૂન દરમિયાન બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. તેઓ 20 જૂને બિહારના સિવાનની મુલાકાત લેશે અને બપોરે 12 વાગ્યે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી 6 જૂને જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે

June 04th, 12:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 જૂને જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. પ્રદેશમાં રેલ માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટીને વેગ આપવાની તેમની પ્રતિબદ્ધતા અનુસાર, પ્રધાનમંત્રી સવારે 11 વાગ્યે ચેનાબ પુલનું ઉદ્ઘાટન અને બ્રિજ ડેકની મુલાકાત લેશે. ત્યારબાદ, તેઓ અંજી પુલની મુલાકાત લેશે અને ઉદ્ઘાટન કરશે. તેઓ બપોરે 12 વાગ્યે વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. ત્યારબાદ, તેઓ કટરા ખાતે રૂ. 46,000 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે.

જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 13th, 12:30 pm

સૌ પ્રથમ, હું એવા શ્રમજીવી ભાઈઓનો આભાર માનું છું જેમણે દેશ અને જમ્મુ-કાશ્મીરની પ્રગતિ માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં, પોતાના જીવને જોખમમાં મૂકીને પણ કામ કર્યું. આપણા સાત સાથી કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા, પણ અમે અમારા સંકલ્પથી ડગમગ્યા નહીં, મારા સાથી કાર્યકરો ડગમગ્યા નહીં, કોઈએ અમને ઘરે પાછા જવાનું કહ્યું નહીં, મારા આ સાથી શ્રમિકોએએ દરેક પડકારનો સામનો કરીને આ કાર્ય પૂર્ણ કર્યું છે. અને આજે, સૌ પ્રથમ, હું તે સાત કામદારોનું પૂણ્ય સ્મરણ કરું છું જેમને આપણે ગુમાવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું

January 13th, 12:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા, તેમણે જમ્મુ અને કાશ્મીર અને ભારતના વિકાસ માટે સખત મહેનત કરનારા અને પોતાના જીવનને દાવ પર લગાવનારા મજૂરોનો આભાર માન્યો. શ્રી મોદીએ ટિપ્પણી કરી કે પડકારો છતાં, અમારો સંકલ્પ ડગમગ્યો નહીં. તેમણે કામ પૂર્ણ કરવા માટે તમામ અવરોધોનો સામનો કરવા બદલ અને તેમના સંકલ્પ અને પ્રતિબદ્ધતા બદલ શ્રમિકોની પ્રશંસા કરી. તેમણે 7 મજૂરોના મૃત્યુ પર પણ શોક વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રી 13 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે અને સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

January 11th, 05:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગની મુલાકાત લેશે. સવારે લગભગ 11:45 વાગ્યે, તેઓ સોનમર્ગ ટનલની મુલાકાત લેશે અને ત્યારબાદ તેનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી 6 જાન્યુઆરીએ બહુવિધ રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

January 05th, 06:28 pm

પ્રદેશમાં કનેક્ટિવિટીને વધુ પ્રોત્સાહન આપવાના મુખ્ય પગલામાં, પ્રધાનમંત્રી નવા જમ્મુ રેલ્વે વિભાગનું ઉદ્ઘાટન કરશે. સાથે તેલંગાણામાં ચારલાપલ્લી નવા ટર્મિનલ સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરશે અને પૂર્વ તટ રેલવેના રાયગડા રેલવે ડિવિઝન બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે.

આજે વિશ્વભરના લોકો ભારત વિશે વધુ જાણવા માંગે છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી

October 27th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સહુનું સ્વાગત છે. જો તમે મને પૂછો કે મારા જીવનની સૌથી યાદગાર પળો કઈ-કઈ રહી તો અનેક ઘટના યાદ આવે છે, પરંતુ તેમાંથી એક પળ એવી છે, જે ખૂબ જ વિશેષ છે, તે પળ હતી, જ્યારે ગત વર્ષે 15 નવેમ્બરે હું ભગવાન બિરસા મુંડાની જયંતી પર તેમના જન્મસ્થળ ઝારખંડના ઉલિહાતૂ ગામ ગયો હતો. આ યાત્રાનો મારા પર ખૂબ જ મોટો પ્રભાવ પડ્યો હતો. હું દેશનો પ્રથમ પ્રધાનમંત્રી છું, જેને આ પવિત્ર ભૂમિની માટીને પોતાના મસ્તક પર લગાવવાનું સૌભાગ્ય મળ્યું. તે ક્ષણે, મને ન માત્ર સ્વતંત્રતા સંગ્રામની શક્તિ અનુભવાઈ, પરંતુ, આ ધરતીની શક્તિ સાથે જોડાવાનો પણ અવસર મળ્યો. મને એવી અનુભૂતિ થઈ કે એક સંકલ્પને પૂરા કરવાનું સાહસ કેવી રીતે દેશના કરોડો લોકોનું ભાગ્ય બદલી શકે છે.

Since Article 370 was revoked, terror and separatism have been steadily weakening: PM Modi in Srinagar

September 19th, 12:05 pm

PM Modi addressed large gatherings in Srinagar, emphasizing Jammu and Kashmir's rapid development, increased voter turnout, and improved security. He criticized past leadership for neglecting the region, praised youth for rising against dynastic politics, and highlighted infrastructure projects, education, and tourism growth. PM Modi reiterated BJP's commitment to Jammu and Kashmir’s progress and statehood restoration.

PM Modi addresses public meetings in Srinagar & Katra, Jammu & Kashmir

September 19th, 12:00 pm

PM Modi addressed large gatherings in Srinagar and Katra, emphasizing Jammu and Kashmir's rapid development, increased voter turnout, and improved security. He criticized past leadership for neglecting the region, praised youth for rising against dynastic politics, and highlighted infrastructure projects, education, and tourism growth. PM Modi reiterated BJP's commitment to Jammu and Kashmir’s progress and statehood restoration.

Congress is most dishonest and deceitful party in India: PM Modi in Doda, Jammu and Kashmir

September 14th, 01:00 pm

PM Modi, addressing a public meeting in Doda, Jammu & Kashmir, reaffirmed his commitment to creating a safe, prosperous, and terror-free region. He highlighted the transformation under BJP's rule, emphasizing infrastructure development and youth empowerment. PM Modi criticized Congress for its dynastic politics and pisive tactics, urging voters to support BJP for continued progress and inclusivity in the upcoming Assembly elections.

PM Modi addresses public meeting in Doda, Jammu & Kashmir

September 14th, 12:30 pm

PM Modi, addressing a public meeting in Doda, Jammu & Kashmir, reaffirmed his commitment to creating a safe, prosperous, and terror-free region. He highlighted the transformation under BJP's rule, emphasizing infrastructure development and youth empowerment. PM Modi criticized Congress for its dynastic politics and pisive tactics, urging voters to support BJP for continued progress and inclusivity in the upcoming Assembly elections.

જમ્મુ અને કાશ્મીરના દ્રાસ ખાતે કારગિલ વિજય દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 26th, 09:30 am

લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બી.ડી. મિશ્રા જી, કેન્દ્રીય મંત્રી સંજય સેઠ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાઓના ચીફ ઓફ આર્મી સ્ટાફ, કારગીલ યુદ્ધ દરમિયાન આર્મી ચીફ રહેલા જનરલ વીપી મલિક જી, ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે જી, વીરતા પુરસ્કાર પ્રાપ્ત સેવા આપતા અને નિવૃત્ત સૈનિકો, કારગિલ યુદ્ધના બહાદુર યોદ્ધાઓની માતાઓ, બહાદુર મહિલાઓ અને તેમના તમામ પરિવારો,

પ્રધાનમંત્રીએ કારગિલ વિજય દિવસ પર શ્રદ્ધાંજલિ આપી અને લદ્દાખમાં શ્રદ્ધાંજલિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

July 26th, 09:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લદ્દાખમાં 25માં કારગિલ વિજય દિવસનાં પ્રસંગે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શ્રદ્ધાંજલિ સમરોહમાં પણ હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ ગૌરવ ગાથા સાંભળીઃ એનસીઓ દ્વારા કારગિલ યુદ્ધ પરની સંક્ષિપ્ત જાણકારી આપવામાં આવી તથા અમર સ્મારક: હટ ઓફ રિમેમ્બરન્સની મુલાકાત લીધી હતી. તેમણે વીર ભૂમિની પણ મુલાકાત લીધી હતી.

બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી

June 30th, 11:00 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.

શ્રીનગરમાં ડલ લેક ખાતે આ વર્ષે યોગ દિવસ કાર્યક્રમ માટે એક અદભૂત વાતાવરણ પૂરું પાડ્યુઃ પ્રધાનમંત્રી

June 21st, 02:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે યોગ દિવસના કાર્યક્રમની ઝાંખી શેર કરી.