PM Modi receives a phone call today from President of Sri Lanka

March 24th, 09:11 pm

PM Modi received a phone call from Sri Lankan President Anura Kumara Disanayaka. The two leaders discussed the evolving situation in West Asia, reiterated the importance of keeping shipping lines open and reviewed progress on various initiatives aimed at strengthening India-Sri Lanka energy cooperation. The PM reiterated India’s firm commitment to work closely together in addressing shared challenges.

President of Sri Lanka, Anura Kumara Dissanayake meets Prime Minister

February 20th, 09:49 pm

PM Modi met Sri Lankan President Anura Kumara Dissanayake, reaffirming the strong friendship between India and Sri Lanka. The two leaders reviewed the progress in India–Sri Lanka relations in recent times and discussed avenues of cooperation in multiple areas..

પ્રધાનમંત્રીએ પવિત્ર દેવનીમોરી અવશેષોના પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવા બદલ શ્રીલંકાના રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કર્યો

February 05th, 10:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલંબોના પવિત્ર ગંગારામાયા મંદિરમાં પવિત્ર દેવનીમોરી અવશેષોના પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવા બદલ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી અનુરા કુમારા દિસાનાયકેનો આભાર વ્યક્ત કર્યો છે.

ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પિપ્રહવા પવિત્ર અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 03rd, 12:00 pm

કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી, ગજેન્દ્ર સિંહ શેખાવતજી, કિરણ રિજિજુજી, રામદાસ અઠાવલેજી, રાવ ઇન્દ્રજીતજી, દિલ્હીના મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો, તેમને નીકળવું પડ્યું અને દિલ્હીના તમામ મંત્રીગણના સાથીઓ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર સક્સેનાજી, Excellencies, Diplomatic communityના તમામ માનનીય સભ્યો, Buddhist Scholars, ધમ્મના અનુયાયીઓ, દેવીઓ અને સજ્જનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

January 03rd, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ ખાતે ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન, જેનું શીર્ષક “ધ લાઈટ એન્ડ ધ લોટસ: રેલિક્સ ઓફ ધ અવેકન્ડ વન” છે, તેનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે એકસો પચ્ચીસ વર્ષની રાહ જોયા બાદ ભારતનો વારસો પરત આવ્યો છે, ભારતની વિરાસત પાછી આવી છે. તેમણે હાઇલાઇટ કર્યું કે આજથી ભારતના લોકો ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોના દર્શન કરી શકશે અને તેમના આશીર્વાદ મેળવી શકશે. શ્રી મોદીએ આ પવિત્ર અવશેષોના આગમન પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે બૌદ્ધ પરંપરા સાથે સંકળાયેલા સાધુઓ અને ધર્મ આચાર્યો પણ ઉપસ્થિત છે અને તેમની પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ઉપસ્થિતિ આ કાર્યક્રમને નવી ઊર્જા આપી રહી છે. પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું કે 2026 ના પ્રારંભમાં જ આ શુભ ઉજવણી અત્યંત પ્રેરણાદાયી છે. તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભગવાન બુદ્ધના આશીર્વાદથી વર્ષ 2026 વિશ્વ માટે શાંતિ, સમૃદ્ધિ અને સંવાદિતાના નવા યુગની શરૂઆત કરે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીત કરી

December 01st, 08:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ રિપબ્લિકના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી અનુરા કુમારા દિસાનાયકે સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

ચક્રવાત દિટવાહને કારણે શ્રીલંકામાં થયેલા જાનમાલના નુકસાન પર પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

November 28th, 03:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચક્રવાત દિટવાહને કારણે થયેલા વિનાશમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા શ્રીલંકાના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે તમામ અસરગ્રસ્ત પરિવારોની સલામતી, આરામ અને ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી.

INS વિક્રાંત પર સશસ્ત્ર દળો સાથે દિવાળી ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

October 20th, 10:30 am

આજનો દિવસ એક અદ્ભુત દિવસ છે, આ ક્ષણ યાદગાર છે, આ દ્રશ્ય અદ્ભુત છે. આજે, એક તરફ મારી પાસે વિશાળ સમુદ્ર છે, અને બીજી તરફ, ભારત માતાના બહાદુર સૈનિકોની અપાર શક્તિ છે. આજે, એક તરફ મારી પાસે અનંત ક્ષિતિજ, અનંત આકાશ છે, અને બીજી બાજુ, આ વિશાળ, પ્રચંડ INS વિક્રાંત, જે અનંત શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. સમુદ્રના પાણી પર સૂર્યના કિરણોનો આ પ્રકાશ, એક રીતે, બહાદુર સૈનિકો દ્વારા પ્રગટાવવામાં આવેલા દિવાળીના દીવા છે. આ આપણી અલૌકિક દીપ માળાઓ છે. હું ભાગ્યશાળી છું કે હું નૌકાદળના બહાદુર સૈનિકો વચ્ચે દિવાળીના આ પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યો છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ INS વિક્રાંત પર દિવાળીની ઉજવણી કરી

October 20th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​INS વિક્રાંત પર દિવાળી ઉજવણી દરમિયાન સશસ્ત્ર દળોના જવાનોને સંબોધન કર્યું. આ દિવસને એક અદ્ભુત દિવસ, એક અદ્ભુત ક્ષણ અને એક અદ્ભુત દૃશ્ય ગણાવતા, શ્રી મોદીએ એક તરફ વિશાળ સમુદ્ર અને બીજી તરફ ભારત માતાના બહાદુર સૈનિકોની અપાર શક્તિ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે જ્યાં એક તરફ અનંત ક્ષિતિજ અને અનંત આકાશ છે, ત્યાં બીજી તરફ અનંત શક્તિના પ્રતીક INS વિક્રાંતની અપાર બહાદુરી પ્રદર્શિત થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સમુદ્ર પર સૂર્યપ્રકાશનો પ્રકાશ દિવાળી દરમિયાન બહાદુર સૈનિકો દ્વારા પ્રગટાવવામાં આવતા દીવા જેવો છે, જે દીવાઓની દિવ્ય માળા બનાવે છે. તેમણે ભારતીય નૌકાદળના બહાદુર સૈનિકો વચ્ચે આ દિવાળી ઉજવવાનો પોતાનો લ્હાવો વ્યક્ત કર્યો.

નવી દિલ્હીમાં NDTV વર્લ્ડ સમિટ 2025માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 17th, 11:09 pm

મહામહિમ, શ્રીલંકાના પ્રધાનમંત્રી, હરિની અમરસુરિયા, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, મારા મિત્ર ટોની એબોટ, યુકેના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, ઋષિ સુનક, પ્રતિષ્ઠિત મહેમાન, દેવીઓ અને સજ્જનો, નમસ્કાર!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં NDTV વર્લ્ડ સમિટ 2025ને સંબોધિત કર્યું

October 17th, 08:00 pm

પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું કે વિવિધ અવરોધો અને સ્પીડ બ્રેકર્સનો સામનો કરી રહેલા વિશ્વમાં, અનસ્ટોપેબલ ઈન્ડિયાની આસપાસની ચર્ચા સ્વાભાવિક અને સમયસર બંને છે. તેમણે આ થીમને અગિયાર વર્ષ પહેલાંની પરિસ્થિતિ અને વર્તમાનના સંદર્ભમાં મૂકવાનો પ્રયાસ કર્યો. 2014 પહેલાના યુગને યાદ કરતા, શ્રી મોદીએ તે સમયે આવા સમિટમાં પ્રભુત્વ ધરાવતી ચર્ચાઓના સ્વરૂપ પર પ્રકાશ પાડ્યો. તેમણે ભારત વૈશ્વિક અવરોધોનો સામનો કેવી રીતે કરશે, તે ફ્રેજીલ ફાઇવ જૂથમાંથી કેવી રીતે બહાર નીકળશે, રાષ્ટ્ર કેટલો સમય નીતિગત લકવામાં ફસાયેલું રહેશે અને મોટા પાયે કૌભાંડોનો યુગ ક્યારે સમાપ્ત થશે જેવી ચિંતાઓ તરફ ધ્યાન દોર્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે શ્રીલંકાના પ્રધાનમંત્રીએ મુલાકાત કરી

October 17th, 04:26 pm

શ્રીલંકાના ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ રિપબ્લિકના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. હરિણી અમરસુરિયાએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

સ્વદેશી ઉત્પાદનો, લોકલ ને પ્રાધાન્ય મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદીનું તહેવાર દરમિયાનની આમંત્રણ

September 28th, 11:00 am

આ મહિનાના મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ભગતસિંહ અને લતા મંગેશકરના જન્મદિવસે તેમને શ્રદ્ધાંજલિ અર્પી. તેમણે ભારતીય સંસ્કૃતિ, સ્ત્રી સશક્તિકરણ, દેશભરમાં ઉજવાતા વિવિધ તહેવારો, આરએસએસની 100 વર્ષની સફર, સ્વચ્છતા અને ખાદીની વધતી વેચાણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પ્રધાનમંત્રીએ પુનરાવર્તન કર્યું કે દેશને આત્મનિર્ભર બનાવવા નો માર્ગ સ્વદેશી અપનાવવામાં જ છે

તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિર ખાતે આદિ તિરુવાથીરાઈ ફેસ્ટિવલ દરમિયાન પીએમ મોદીના સંબોધનનો મૂળપાઠ

July 27th, 12:30 pm

આદરણીય અધીનમ મથાધિઓ, ચિન્મય મિશનના સ્વામીઓ, તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિજી, મારા કેબિનેટ સાથીદાર ડૉ. એલ. મુરુગનજી, સ્થાનિક સાંસદ થિરુમા-વલવાનજી, મંચ પર ઉપસ્થિત તમિલનાડુના મંત્રીઓ, સંસદમાં મારા સાથી, આદરણીય શ્રી ઇલૈયારાજાજી, મારા તમામ ઓદુવાર, ભક્તો અને વિદ્યાર્થીઓ, કલ્ચરલ હિસ્ટોરિયન્સ અને મારા વહાલા ભાઈઓ અને બહેનો! નમઃ શિવાય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ ખાતે આદી તિરુવતિરાય મહોત્સવને સંબોધિત કર્યો

July 27th, 12:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરમાં આદિ તિરુવતિરાય મહોત્સવને સંબોધિત કર્યો હતો. સર્વશક્તિમાન ભગવાન શિવને નમન કરીને, રાજા રાજા ચોલાની પવિત્ર ભૂમિમાં દિવ્ય શિવ દર્શન દ્વારા અનુભવાયેલી ગહન આધ્યાત્મિક ઉર્જા પર પ્રતિબિંબ પાડતા, શ્રી ઇલૈયારાજાના સંગીત અને ઓધુવરોના પવિત્ર મંત્રોચ્ચાર સાથે, શ્રી મોદીએ ટિપ્પણી કરી કે આધ્યાત્મિક વાતાવરણ આત્માને ઊંડે સુધી પ્રેરિત કરે છે.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની દુનિયા સખત નિંદા કરે છે.

April 24th, 03:29 pm

૨૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના જીવ ગયા હતા, જેના કારણે વિશ્વના નેતાઓમાં એકતાની મજબૂત લહેર ફેલાઈ છે. વડાપ્રધાન મોદીએ વૈશ્વિક સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો અને પ્રતિજ્ઞા લીધી કે ભારત આતંકવાદીઓ અને તેમના સમર્થકોનો પૃથ્વીના છેડા સુધી પીછો કરશે.

તમિલનાડુના રામેશ્વરમ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

April 06th, 02:00 pm

આજે રામ નવમીનો પવિત્ર તહેવાર છે. થોડા સમય પહેલા, સૂર્ય કિરણોએ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લા પર ભવ્ય તિલક કર્યું છે. ભગવાન શ્રી રામનું જીવન અને તેમના રાજ્યમાંથી મળેલી સુશાસનની પ્રેરણા રાષ્ટ્રનિર્માણનો મુખ્ય આધાર છે. અને આજે રામ નવમી છે. મારી સાથે બોલો, જય શ્રી રામ! જય શ્રી રામ! જય શ્રી રામ! તમિલનાડુના સંગમ કાળના સાહિત્યમાં પણ શ્રી રામનો ઉલ્લેખ જોવા મળે છે. રામેશ્વરમની આ પવિત્ર ભૂમિ પરથી, હું બધા દેશવાસીઓને રામ નવમીની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના રામેશ્વરમમાં ₹8,300 કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ, ઉદઘાટન કર્યું

April 06th, 01:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના રામેશ્વરમમાં રૂ. 8,300 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલ અને રોડ પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું હતું. આ અગાઉ તેમણે નવા પમ્બન રેલ બ્રિજ - ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું અને રોડ બ્રિજ પરથી એક ટ્રેન અને એક જહાજને લીલી ઝંડી આપી હતી અને પુલની કામગીરી નિહાળી હતી. તેમણે રામેશ્વરમના રામાનાથસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા પણ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે શ્રી રામનવમીનો પાવન પર્વ છે. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ આજે અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં સૂર્યનાં દિવ્ય કિરણોએ રામ લલ્લાને ભવ્ય તિલકથી શણગાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભગવાન શ્રી રામનું જીવન અને તેમના શાસનકાળમાંથી સુશાસનની પ્રેરણા રાષ્ટ્રનિર્માણ માટે મહત્ત્વપૂર્ણ પાયાનું કામ કરે છે. તામિલનાડુના સંગમ યુગના સાહિત્યમાં પણ ભગવાન શ્રી રામનો ઉલ્લેખ છે એમ જણાવીને તેમણે રામેશ્વરમની પવિત્ર ભૂમિ પરથી તમામ નાગરિકોને શ્રી રામનવમીના પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ ભારત દ્વારા સહાયતા પ્રાપ્ત રેલ માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું

April 06th, 12:09 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસાનાયક સાથે અનુરાધાપુરામાં ભારતીય સહાયથી બનેલા બે રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને લોન્ચિંગ સમારોહમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રીએ જયા શ્રી મહાબોધિ મંદિરની મુલાકાત લીધી

April 06th, 11:24 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસાનાયક સાથે, અનુરાધાપુરામાં પવિત્ર જયા શ્રી મહાબોધિ મંદિરની મુલાકાત લીધી અને પૂજનીય મહાબોધિ વૃક્ષ પર પ્રાર્થના કરી.