Prime Minister congratulates GalaxEye on the successful launch of Mission Drishti

May 03rd, 03:16 pm

Prime Minister Shri Narendra Modi has congratulated the founders and the entire team of GalaxEye on the successful launch of Mission Drishti.

પરિણામોની યાદી: ઑસ્ટ્રિયાના ફેડરલ ચાન્સેલર ડો. ક્રિશ્ચિયન સ્ટૉકરની ભારત મુલાકાત

April 16th, 03:01 pm

ભારત અને ઑસ્ટ્રિયા વચ્ચે ઓડિયો-વિઝ્યુઅલ કો-પ્રોડક્શન પર સમજૂતી

NXT સમિટ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 12th, 10:47 pm

આજે 12 માર્ચનો દિવસ ખૂબ જ ઐતિહાસિક છે. 12 માર્ચ, 1930ના રોજ મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી. આ ભારતની સ્વતંત્રતા આંદોલનનું એક ટર્નિંગ પોઈન્ટ હતું. કારણ કે આ યાત્રાએ દેશના ખૂણે-ખૂણાને એક લક્ષ્ય સાથે જોડી દીધા હતા અને આ લક્ષ્ય હતું- ભારતની આઝાદી. આજે આ ઐતિહાસિક યાત્રાના લગભગ 100 વર્ષોની આસપાસ આપણે ભારતીયો ફરી એક નવી યાત્રા પર નીકળ્યા છીએ. આ યાત્રા છે- વિકસિત ભારતની યાત્રા. આપણું લક્ષ્ય એક છે, આપણી મંજિલ એક છે - વિકસિત ભારત. અને આ લક્ષ્યની પ્રાપ્તિમાં આવી સમિટ્સમાં થયેલું મંથન, તેમાંથી નીકળેલું અમૃત મોટી ભૂમિકા ભજવે છે. હું આપ સૌનો આભારી છું કે તમે મને નેક્સ્ટ સમિટ માટે આમંત્રિત કર્યો. અહીં દેશમાંથી, દુનિયામાંથી ઘણા બધા સાથીઓ આવ્યા છે, કેટલાક જૂના પરિચિત પણ છે, હું આપ સૌનું અભિનંદન કરું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ NXT સમિટને સંબોધિત કરી

March 12th, 08:30 pm

પ્રધાનમંત્રીએ આજે iTV નેટવર્કની NXT સમિટને સંબોધિત કરી, જે દાંડી કૂચની ઐતિહાસિક વર્ષગાંઠને ચિહ્નિત કરે છે અને ભારતની સ્વતંત્રતા માટેના સંઘર્ષ અને વિકસિત રાષ્ટ્ર બનવાના તેના વર્તમાન પ્રયાસો વચ્ચે સમાનતા દર્શાવે છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જે રીતે 1930ની કૂચએ દેશને સ્વતંત્રતા તરફ એકત્ર કર્યો હતો, તે જ રીતે વર્તમાન વિકસિત ભારત મિશન 140 કરોડ ભારતીયોનું સામૂહિક લક્ષ્ય છે. આજે, તે ઐતિહાસિક મુસાફરીના લગભગ 100 વર્ષ પછી, આપણે ભારતીયોએ ફરી એકવાર 'વિકસિત ભારત' માટે એક નવી મુસાફરી શરૂ કરી છે, પ્રધાનમંત્રીએ કહ્યું.

ભારત-કેનેડા નેતાઓનું સંયુક્ત નિવેદન

March 02nd, 05:05 pm

ભારતના પ્રધાનમંત્રી મહામહિમ નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, કેનેડાના પ્રધાનમંત્રી ધ રાઈટ ઓનરેબલ માર્ક કાર્નીએ ફેબ્રુઆરી 27 – માર્ચ 2, 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. કેનેડાના પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા પછી પ્રધાનમંત્રી કાર્નીની આ પ્રથમ ભારત મુલાકાત હતી અને 2018 પછી કેનેડાના પ્રધાનમંત્રી દ્વારા ભારતની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. પ્રધાનમંત્રી કાર્નીની સાથે કેનેડાનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હતું જેમાં વરિષ્ઠ મંત્રીઓ, પ્રાંતીય નેતાઓ અને અગ્રણી CEOs સામેલ હતા.

કેનેડાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

March 02nd, 11:40 am

ગયા વર્ષે કેનેડામાં યોજાયેલી G7 બેઠકમાં તેમણે મારું અને મારા પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આજે પણ એટલી જ ઉષ્માભરી રીતે તેમનું સ્વાગત કરવું એ એક લહાવો છે. દુનિયામાં બહુ ઓછા લોકો છે જેમના સીવીમાં બે દેશોમાં કેન્દ્રીય બેંકિંગ નેતૃત્વનો સમાવેશ થાય છે.

ભારત - ઇઝરાયલ સંયુક્ત નિવેદન

February 26th, 07:44 pm

ભારત અને ઇઝરાયલ વચ્ચેની ઉષ્મા, સદભાવના અને ઊંડી વ્યૂહાત્મક ભાગીદારીને ઓળખતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલ રાજ્યના પ્રધાનમંત્રી શ્રી બેન્જામિન નેતન્યાહુના આમંત્રણ પર 25 થી 26 ફેબ્રુઆરી 2026 દરમિયાન ઇઝરાયલની રાજ્ય મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીની સાથે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓનું બનેલું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ હતું. ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 2017 માં ઇઝરાયલની ઐતિહાસિક મુલાકાત અને પ્રધાનમંત્રી નેતન્યાહુની 2018 માં ભારતની એ મુલાકાતને યાદ કરી હતી, જેણે સાથે મળીને ભાગીદારી અને સહયોગના નવા યુગનો પાયો નાખ્યો હતો, નેતાઓએ ઉભરતી ટેકનોલોજી, સાયબર, કૃષિ, જળ વ્યવસ્થાપન, આરોગ્ય, ઉદ્યોગસાહસિકતા, સંરક્ષણ, સુરક્ષા અને વધુ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત-ઇઝરાયલ દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી અપાર પ્રગતિની નોંધ લીધી હતી. પ્રધાનમંત્રી નેતન્યાહુ અને પ્રધાનમંત્રી મોદીએ વ્યૂહાત્મક ભાગીદારીને નવા સ્તરે - ‘શાંતિ, ઇનોવેશન અને સમૃદ્ધિ માટે એક વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી’ પર લઈ જવાનો નિર્ણય લીધો અને સંમતિ દર્શાવી.

ઇઝરાયેલના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલ પ્રેસ નિવેદન

February 26th, 03:30 pm

નવ વર્ષ પહેલાં મને ઇઝરાયેલની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બનવાનું સૌભાગ્ય મળ્યું હતું. ફરી એકવાર ઇઝરાયેલની ઐતિહાસિક ભૂમિ પર કદમ રાખવા એ મારા માટે ગૌરવ અને ભાવુકતાની ક્ષણ છે.

સ્પેન સરકારના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પેડ્રો સાંચેઝની ભારત મુલાકાત

February 18th, 05:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, સ્પેન સરકારના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પેડ્રો સાંચેઝ, AI ઇમ્પેક્ટ સમિટ 2026 માં ઉપસ્થિત રહેવા માટે 18–19 ફેબ્રુઆરી 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે. 27–29 ઓક્ટોબર 2024 ની તેમની દ્વિપક્ષીય મુલાકાત પછી તેમની આ બીજી ભારતની સત્તાવાર મુલાકાત છે. તેમની સાથે શ્રી ઓસ્કાર લોપેઝ એગ્યુડા, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને સિવિલ સર્વિસ મંત્રી અને સ્પેનના કૃષિ, મત્સ્યોદ્યોગ અને ખાદ્ય મંત્રી શ્રી લુઈસ પ્લાનાસ પુચાડેસ પણ હતા.

મુંબઈમાં ભારત-ફ્રાન્સ ઇનોવેશન ફોરમના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

February 18th, 12:07 pm

આજે વિશ્વના બે અગ્રણી ઇનોવેશન હબ એકસાથે આવી રહ્યા છે. જ્યારે આપણે ભારત અને ફ્રાન્સની વાત કરીએ છીએ, ત્યારે આપણો સંબંધ ફક્ત નવીનતા વિશે જ નહીં પરંતુ વિશ્વાસ અને સહિયારા મૂલ્યો વિશે પણ છે. આ વિચાર સાથે જ રાષ્ટ્રપતિ મેક્રોન અને મેં 2026ને ભારત-ફ્રાન્સ નવીનતાના વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ ફક્ત ઉજવણી નથી, તે આપણી સહિયારી પ્રતિબદ્ધતા પણ છે. નવીનતા માટેની પ્રતિબદ્ધતા, નેતૃત્વ કરવાની પ્રતિબદ્ધતા છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

February 17th, 04:00 pm

યોર એક્સેલન્સી, મારા પ્રિય મિત્ર, પ્રેસિડેન્ટ મેક્રોં બંને દેશોના ડેલિગેટ્સ (પ્રતિનિધિઓ), મીડિયાના સાથીઓ, નમસ્કાર! બોં જૂ (Bon jour),

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીના ઉત્તરનો મૂળપાઠ

February 05th, 05:35 pm

વિકસિત ભારતની યાત્રામાં વિતેલા વર્ષો દેશની ઝડપી પ્રગતિથી વિકાસના વર્ષો રહ્યા છે. જીવનના દરેક ક્ષેત્રમાં, સમાજના દરેક વર્ગને, તેમના જીવનમાં પરિવર્તનનો એક કાળખંડ રહ્યો છે, એક સાચી દિશામાં, ઝડપી ગતિએ દેશ આગળ વધી રહ્યો છે. આદરણીય રાષ્ટ્રપતિજીએ ખૂબ જ સરસ રીતે, પૂરી સંવેદનશીલતા સાથે, તેમણે આ વિષયને આપણા સૌની સામે પ્રસ્તુત કર્યો છે.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો જવાબ

February 05th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. ગૃહને સંબોધતા, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિના અભિભાષણ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને જણાવ્યું કે આભાર પ્રસ્તાવના સમર્થનમાં તેમની લાગણીઓ વ્યક્ત કરવી એ તેમનું સૌભાગ્ય છે. તેમણે નોંધ્યું કે વીતેલું વર્ષ વિકસિત ભારતના નિર્માણની યાત્રામાં ઝડપી પ્રગતિનું વર્ષ રહ્યું છે, જેમાં દરેક ક્ષેત્રમાં અને સમાજના તમામ વર્ગોમાં પરિવર્તન દેખાઈ રહ્યું છે, કારણ કે રાષ્ટ્ર ખૂબ જ ઝડપથી સાચી દિશામાં આગળ વધી રહ્યું છે. શ્રી મોદીએ હાઇલાઇટ કર્યું કે રાષ્ટ્રપતિએ આ વિષયોને સંવેદનશીલતા અને સ્પષ્ટતા સાથે રજૂ કર્યા છે.

પહેલા મતદાનથી લઈને સ્ટાર્ટઅપ ઈન્ડિયા સુધી, પીએમ મોદીએ 'મન કી બાત'માં ભારતના યુવાનોની ઉજવણી કરી

January 25th, 11:30 am

આ વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ પર 'મન કી બાત'ના પહેલા એપિસોડમાં, પીએમ મોદીએ મતદાનના મહત્વ પર ભાર મૂક્યો અને ચૂંટણી પ્રક્રિયામાં સામેલ તમામ લોકોની પ્રશંસા કરી. તેમણે સ્ટાર્ટઅપ્સ, જળ સંરક્ષણ, ગુણવત્તા, સંસ્કૃતિ અને તહેવારો તેમજ સ્વચ્છતા જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પીએમએ આવતા મહિને યોજાનારી ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ વિશે પણ વાત કરી, જેમાં વિશ્વભરના નિષ્ણાતો ભાગ લેશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ના દાયકાની ઉજવણી નિમિત્તે આપેલા સંબોધનનો મૂળપાઠ

January 16th, 01:30 pm

આજે આપણે સૌ એક ખૂબ જ ખાસ અવસર પર અહીં એકત્રિત થયા છીએ. ‘નેશનલ સ્ટાર્ટઅપ ડે’નો આ અવસર, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ઇનોવેટર્સનો આ સમૂહ, હું મારી સામે નવા અને વિકસિત ભારતનું ભવિષ્ય જોઈ રહ્યો છું. હમણાં મને સ્ટાર્ટઅપની દુનિયાના કેટલાક લોકો સાથે, તેમની જે કેટલીક સિદ્ધિઓ હતી, તેમના જે પ્રયોગો હતા, તે જોવાની તક મળી, કેટલાક સાથીઓને સાંભળવાની તક મળી. એગ્રીકલ્ચરમાં કામ કરી રહેલા સ્ટાર્ટઅપ, ફિનટેક (Fintech), મોબિલિટીનું સેક્ટર, હેલ્થ અને સસ્ટેનેબિલિટીનું ફિલ્ડ, તમારા જે આઈડિયાઝ છે, તે માત્ર મને જ નહીં, દરેકને પ્રભાવિત કરનારા છે. પરંતુ મારા માટે જે મહત્વની વાત છે, તે તમારો આત્મવિશ્વાસ અને તમારી મહત્વાકાંક્ષાઓ (Ambitions), આ મને વધુ પ્રભાવશાળી લાગ્યા. આજથી 10 વર્ષ પહેલા, વિજ્ઞાન ભવનમાં, એક 500-700 નવયુવાનોની વચ્ચે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી, રિતેશ અહીં બેઠા છે, ત્યારે તેમની શરૂઆત હતી. અને તે સમયે સ્ટાર્ટઅપની દુનિયામાં જે નવા-નવા લોકો આવી રહ્યા હતા, તેમના અનુભવો હું સાંભળી રહ્યો હતો, અને મને યાદ છે કે એક દીકરી જે કોર્પોરેટ વર્લ્ડમાં પોતાની નોકરી છોડીને, સ્ટાર્ટઅપ તરફ જઈ રહી હતી. તો નોકરી છોડીને તે કોલકાતા પોતાની માતાને મળવા ગઈ અને માતાને કહ્યું કે મેં નોકરી છોડી દીધી છે, તો માતાએ કહ્યું, કેમ? આ બધું તેણે તે દિવસે વિજ્ઞાન ભવનમાં સંભળાવ્યું હતું, તો તેણે કહ્યું ના બસ હવે તો હું સ્ટાર્ટઅપ કરવા માંગુ છું, તો તેની માતાએ જે તેને કહ્યું, તે તેણે સંભળાવ્યું હતું, તેણે કહ્યું- સર્વનાશ, આ તું બરબાદીના રસ્તે કેમ જઈ રહી છે. સ્ટાર્ટઅપના સંબંધમાં આ વિચાર આપણા દેશમાં હતો અને આજે આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા, વિજ્ઞાન ભવનથી આજે ભારત મંડપમમાં જગ્યા નથી, અને મારું સૌભાગ્ય છે કે મને આ એક અઠવાડિયામાં જ દેશના નવયુવાનોને બીજી વાર મળવાની તક મળી રહી છે. હમણાં 12 જાન્યુઆરીએ યુવા દિવસ પર હું દેશભરમાંથી આવેલા લગભગ 3000 યુવકોને બે-અઢી કલાક સુધી સાંભળતો રહ્યો હતો અને તેમની સાથે બેઠો હતો. અને આજે મને આપ સૌને સાંભળવાનો અને મારા દેશના નવયુવાનોને, તેમની શક્તિના દર્શન કરવાનો મને અવસર મળ્યો છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસની શુભેચ્છાઓ પાઠવી, સ્ટાર્ટઅપ ઇન્ડિયાની 10મી વર્ષગાંઠ પર અભિનંદન આપ્યા

January 16th, 09:28 am

રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ જગત સાથે સંકળાયેલા તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી. આ વર્ષની ઉજવણીનું વિશેષ મહત્વ છે કારણ કે તે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલની શરૂઆતની દસમી વર્ષગાંઠ છે.

વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026ના સમાપન સત્ર દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 12th, 06:45 pm

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીઓ, બધા સંસદ સભ્યો, વિકસિત ભારત યંગ લીડર્સ ચેલેન્જના વિજેતાઓ, અન્ય મહાનુભાવો અને દેશભરના મારા બધા યુવા મિત્રો, જેમાં વિદેશના લોકોનો પણ સમાવેશ થાય છે, તેમને અહીં એક નવો અનુભવ થયો હશે. શું તમે થાકી નથી ગયા? બે દિવસથી આ જ ચાલી રહ્યું છે, તો હવે સાંભળતાં–સાંભળતાં થાક તો નથી ગયા ને? વાત તો એવી છે કે બેક સીટમાં મેં જેટલું કહેવું હતું, કહી દીધું. જ્યારે મેં પહેલી વાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, ત્યારે મને લાગે છે કે તમારામાંથી ઘણા એવા યુવાનો હતા જેઓ જન્મ્યા પણ નહોતા. અને જ્યારે મેં 2014માં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા, ત્યારે તમારામાંથી મોટાભાગના લોકો બાળકો હતા. પરંતુ પહેલા મુખ્યમંત્રી તરીકે અને પછી હવે પ્રધાનમંત્રી તરીકે મને હંમેશા યુવા પેઢીમાં ખૂબ વિશ્વાસ રહ્યો છે. તમારી શક્તિ, તમારી પ્રતિભા અને તમારી ઊર્જાએ હંમેશા મને ઊર્જા આપી છે. અને આજે જુઓ, તમે બધા વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવાની બાગડોર સંભાળી રહ્યા છો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026ને સંબોધિત કર્યું

January 12th, 06:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026' ના સમાપન સત્રને સંબોધિત કર્યું હતું. આ પ્રસંગે મેળાવડાને સંબોધતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે જ્યારે તેમણે પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, ત્યારે આજના ઘણા યુવાન નાગરિકોનો જન્મ પણ થયો ન હતો, અને જ્યારે તેમણે 2014 માં પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળ્યું ત્યારે તેમાંથી મોટાભાગના બાળકો હતા. આટલો સમય વીતી ગયો હોવા છતાં, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે યુવા પેઢીમાં તેમનો વિશ્વાસ સ્થિર અને અટલ રહ્યો છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, તમારી ક્ષમતા, તમારી પ્રતિભા, મેં હંમેશા તમારી ઊર્જામાંથી ઊર્જા મેળવી છે. અને આજે જુઓ, તમે બધા વિકસિત ભારતના લક્ષ્યની લગામ સંભાળી રહ્યા છો.

અમદાવાદમાં ભારત-જર્મની CEOs ફોરમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 12th, 01:35 pm

ભારત-જર્મની CEOs ફોરમમાં સામેલ થવા પર મને અંત્યંત ખુશી થઈ રહી છે. આ ફોરમની બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ સમયે થઈ રહી છે. જ્યારે આપણે ભારત-જર્મની સંબંધોની પ્લેટિનમ જુબલી અને ભારત-જર્મની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની સિલ્વર જુબલી મનાવી રહ્યા છીએ. એટલે કે, આપણા સંબંધોમાં પ્લેટિનમની શાશ્વતતા અને સિલ્વરની ચમક પણ છે.

'વિકસિત ભારત'નો સંકલ્પ ચોક્કસ પૂર્ણ થશે: મન કી બાતમાં પીએમ મોદી

December 28th, 11:30 am

વર્ષના છેલ્લા 'મન કી બાત' એપિસોડમાં પીએમ મોદીએ કહ્યું હતું કે 2025માં ભારતે રાષ્ટ્રીય સુરક્ષા, રમતગમત, સાયન્સ લેબ અને ગ્લોબલ પ્લેટફોર્મ પર પોતાની છાપ છોડી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે 2026માં દેશ નવા સંકલ્પો સાથે આગળ વધવા માટે તૈયાર છે. પીએમએ ડેવલપ્ડ ઈન્ડિયા યંગ લીડર્સ ડાયલોગ, ક્વિઝ કોમ્પિટિશન, સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2025 અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ જેવી યુવા-કેન્દ્રિત પહેલો પર પણ ભાર મૂક્યો હતો.